Tuesday, April 27, 2010

બ્રહ્મચારી માટે કંઇ પણ અશક્ય નથી ....

જ્યાં ઇન્દ્રિયોનું સુખ થોડી જ ક્ષણોમાં નષ્ટ થઇ જાય છે ત્યાં બ્રહ્માનંદ સ્થાયી અને ચિર બનીને રહે છે.Nothing is impossible for Brahmachari



બ્રહ્મચર્ય એક એવો અદભૂત શબ્દ છે જેનાથી ભાગ્યે જ કોઇ અપરિચિત હશે. બ્રહ્મચર્યના વાસ્તવિક અને પૂર્ણ મહત્વને સમજાવવું દુનિયાની કોઇપણ જ્ઞાત કે અજ્ઞાત ભાષામાં સંભવ નથી. બ્રહ્મચર્ય એટલે કે બ્રહ્મની સાથે રહેવું કે બ્રહ્મને અનુકૂળ આચરણ કરવું. માટે જે ક્ષમતાઓ બ્રહ્મ પાસે હોય છે તે જ બ્રહ્મચારીમાં પણ વિકસિત થવા લાગે છે. બ્રહ્મચારી તે છે જે મન, વચન અને કર્મથી પૂર્ણ પવિત્રતા અને શુચિતાનું આચરણ કરે છે. બ્રહ્મચારી તમામ સંસારિક સુખોમાંથી વિરક્ત થઇને બ્રહ્માનંદમાં વિચરણ કરે છે. ઇન્દ્રિય સુખોમાં સંભોગ સુખને સર્વોપરિ માનવામાં આવ્યું છે પણ બ્રહ્માનંદ સંભોગ સુખ કરતા અનેક ગણો વધારે આનંદ દાયક હોય છે. જ્યાં ઇન્દ્રિયોનું સુખ થોડી જ ક્ષણોમાં નષ્ટ થઇ જાય છે ત્યાં બ્રહ્માનંદ સ્થાયી અને ચિર બનીને રહે છે.




No comments: