Tuesday, April 27, 2010

ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો અને ઉપદેશ...............

Sushil Sharma

christianઈશુ મહ્દ અંશે ઈશ્વરના રાજ્ય (કિંગડમ ઓફ ગોડ)ની ચર્ચા કરતાં હતા. તેનો અર્થ એ થાય છે કે પૃથ્વી પર ઈશ્વરની સત્તા જ સૌથી વધારે બળવાન છે. ઈશુનું કહેવું હતું કે પૃથ્વી પર ઈશ્વરના રાજ્યની સ્થાપના શીઘ્ર થવાની છે. તેમનું કહેવું હતું કે મનુષ્ય, ઈશ્વર પ્રેમથી પવિત્ર થઈને ઈશ્વરમાં પૂર્ણ આસ્થા રાખીને ઈશ્વરના રાજ્યની સ્થાપના કરી શકે છે. તેઓ ઈશ્વરને પિતા અને સ્વયંને તેમના પુત્ર કહેતા હતા.

ખ્રિસ્તી ધર્મના મુખ્ય સંપ્રદાય અને શાખાઓ: ખ્રિસ્તી ધર્મમાં ઘણાં સંપ્રદાય છે. જેમાના મુખ્ય પંથો આ પ્રકારે છે-(1) એવોનિયાર (2) માર સિયોની (3) માની કબીર (4) રોમન કેથોલિક (5) યૌનિ ટેરિપન (6) યુટલ કેન (7) બાલકાનિયાં (8) પ્રોટ્રેસ્ટેન

ખ્રિસ્તી ધર્મના અનુયાયી ઈસ્ટરનો તહેવાર પ્રતિવર્ષ આ ઘટનાની સ્મૃતિમાં ઉજવે છે. ગુડ ફ્રાઈડે એ દિવસ સમજવામાં આવે છે કે જે દિવસે ઈશુનું મૃત્યુ થયું હતું. મૃત્યુના ત્રીજા દિવસે પુનર્જીવિત થઈને 40 દિવસો સુધી તેઓ પોતાના મિત્રો અને શિષ્યો સાથે રહ્યાં હતા અને અંતે સ્વર્ગમાં ગયા હતા.

No comments: