Tuesday, October 5, 2010

પોતાના જ મુસ્લિમ ભાઇઓ અને બહેનો ઉપર ધર્મના નામે ત્રાસવરસાવતા અફઘાનિસ્તાનના ક્રૂર તાલિબાનો
આ તે કેવો ધર્મ?પેગમ્બરે શું આ શીખવ્યું છે?પોતાના જ ભાઇઓને ત્રાસ આપવાનો?પોતાની જ બહેનો- પત્ની- માતાને ઘેટાંબકરાંની જેમ રાખે છે અને તાલિબાન ખાવિંદ પોતાની જ બીબીના નાક-કાન કાપીને ક્રૂરતા વર્તાવે છે
આજનું અફઘાનિસ્તાન એટલે આપણા મહાભારત અને એ પૂર્વના સમયનું ગાંધાર. પાંડવોના કાકા અને કૌરવોના પિતા અંધ ઘૃતરાષ્ટ્રના લગ્ન જેમના સાથે થએલા એ સતિ ગાંધારી આ જ ગાંધારના રાજકુંવરી.ગાંધારનો અપભ્રંશ એટલે આજનું કંધહાર જ્યાં ભાજપના વડાપ્રધાન બાજપેયી અને ગૃહપ્રધાન આડવાણીના કહેવાથી ભાજપના વિદેશપ્રધાન જશવંતસિંહ ભયંકર આતંકવાદીઓને વળાવવા ગયેલા અને આપણા રાષ્ટ્રનું નાક કપાવેલું.એને અડીને આવેલા કાઝીકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તાઝીકિસ્તાન વગેરે રશિયાની એડી નીચે ૪૦-૫૦ વર્ષ સુધી ચગદાયેલા રહેલા દેશો, પામીરની પર્વતમાળા વગેરે પણ એ જમાનામાં ગાંધારનો જ ભાગ હતા જે દક્ષિણ ગાંધાર તરીકે ઓળખાતો.એ અફઘાનિસ્તાનમાં બૌઘ્ધની દુનિયામાં મોટામાં મોટી ઊભી મૂર્તિ હતી જેને અફઘાનીઓ પોતાના ગૌરવની જેમ સાચવતા અને યુનોએ એને ‘‘વર્લ્ડ હેરીટેજ’’નો દરજ્જો પણ આપેલો.એ અફઘાનિસ્તાનને કબજે કરવા સામ્યવાદી રશિયાએ નવ વર્ષ સુધી ટેન્કો, રોકેટો, મિસાઇલ્સો વગેરેથી હુમલો કરેલો પણ છેવટે રશિયાએ હારીને પીછેહઠ કરવી પડી.એ જંગમાંથી તાલિબાન નામના ભયાનક આતંકવાદીઓ પેદા થયા તેમણે અમેરિકા ઉપર હુમલો કરીને અમેરિકા સહિત આખી દુનિયાને ઘૂ્રજાવી દીધેલી જેના પ્રત્યાઘાતરૂપે અમેરિકાએ અફઘાનિસ્તાન ઉપર હુમલો કરીને અફઘાનિસ્તાન ઉપર વિજય મેળવેલો અને તાલિબાનોને ખદેડી મૂકેલા.એ તાલિબાનો અત્યારે ફરી સક્રિય થઇ ગયા છે અને પોતાના જ ધર્મભાઇઓ ઉપર આતંકવાદ ચલાવવા સાથે પાકિસ્તાનમાં પણ આતંકવાદ ફેલાવી રહ્યા છે.તાલિબાનોનો એ આતંકવાદ ધર્મ, અલ્લાહ અને પેગંબરના નામે ફેલાયેલો છે. તેઓ સમાજ અને દુનિયાને પેગંબરના જમાનામાં જીવાડવા માંગે છે એટલે અત્યારની સુખસુવિધાઓ અને શોધો સામે એમને વાંધો છે એટલે તેઓ ટી.વી., સંગીત, ફિલ્મ જેવા બધા જ આઘુનિક સાધનો વાપરવાનું બંધ કરાવે છે પણ ત્રાસ કે આતંક વરસાવવા તેઓ રોકેટ, મિસાઇલ્સ, ટેન્કો જેવા અદ્યતન સાધનો વાપરે છે! એટલે કે ધર્મ કે પેગંબરના નામે તેઓ ડિંડક જ ચલાવે છે.આ તાલિબાની અફઘાનીઓ સ્ત્રી, ઔરત, મહિલા, માતા-બહેન- પત્નીને ઘેટા બકરાં જ સમજે છે. આ તાલિબાનો પોતાના સંતાનો, દિકરાઓને પણ વિનિમયનું સાધન માને છે. પોતાનું કરજ ચુકવવા તેઓ સંતાનોને ગુલામ તરીકે વેચે પણ છે.જેઓ ગરીબ છે એવા અફઘાનોને ખેતી કરવા (ત્યાં મોટા ભાગે અફીણની ખેતી ઉપરાંત ખજુર, બદામ, પીસ્તા, અખરોટ વગેરેની ખેતી થાય છે.) કરજ કરવું પડે છે અને પછી કોઇ કારણસર તેઓ કરજ ચુકવી શકે નહીં તો તેઓ પોતાની ૬-૭ કે ૧૦-૧૨ વર્ષની દિકરી કે દિકરાને વેચી દે છે. એને પછી પેલો ધનાઢ્ય વ્યક્તિ પોતાની મૂડી તરીકે વાપરે છે અને પોતાના ઘર-બહારના કામ કરવા એક ગુલામ મળી જાય છે.કોઇ ચોરી કરતો પકડાય તો તાલિબાનો ક્યારેક એના હાથ પગ કાપી નાંખે છે અથવા એને ફાંસીએ લટકાવે છે. એવી જ રીતે કોઇનાથી કોઇનું ખૂન થઇ જાય અથવા ખૂન કરે તો એના બે સંતાનોને જેનું ખૂન થયું હોય એના કુટુંબને સોંપી દેવા પડે છે અથવા ખૂનીને ફાંસીએ લટકાવવામાં આવે છે.અત્યારે અફઘાનિસ્તાનમાં અમેરિકાના કઠપુતળી જેવા કરજાઇ સત્તામાં છે. તેઓ હમણાં જ ભારત આવી ગયા હતા. અફઘાન લશ્કર પણ ત્યાં પથરાયેલું છે પરંતુ તાલિબાનો ત્રણેક વર્ષથી માથું ઊંચકવા લાગ્યા છે.આ તાલિબાનોના અત્યાચારો, ક્રૂરતા વગેરેનું વર્ણન કરતું બયાન આયશા નામની એક અફઘાન યુવતિએ કર્યું છે જેમાં એ કહે છે કે... એનો ખાવિંદ આતંકવાદી અત્યાચારી તાલિબાન હતો અને એને અને એની નાની બહેનને એ ઘેટાંબકરાંની જેમ પશુઓ રાખવાના વાડામાં રાખવામાં આવતા હતા. એમને પશુઓની દેખભાળ રાખવા સાથે ઘરનું કામકાજ પણ કરવું પડતું. એ તો ઠીક, એનો એમને વાંધો નહોતો પણ એના સસરા, જેઠ, દિયર વગેરે એ બન્ને બહેનોને લાતો અને ધુમ્મા મારીને યાતના આપતા હતા. એ અત્યાચારો બન્ને બહેનોની રોજિંદી જિંદગી બની ગયા હતા. એ બહેનોના રડવાની કે કાકુલિદીની એમની ઉપર કશી અસર થતી નહીં.આયેશા એ રાક્ષસોના અત્યાચારો વર્ષો સુધી સહન કરતી રહી પણ છેવટે ઘેટાં બકરાંના એ વાડામાંથી લાગ જોઈને છટકીને ભાગી ગઈ. તાલિબાનોના અત્યાચારોથી એ એટલી બધી ત્રાસી ગયેલી કે એણે પોતાની બહેનનો વિચાર પણ ન કર્યો ! એના ભાગી જવાથી એની બહેન ઉપર કેવો સીતમ તાલિબાનો ગુજારશે એ પણ એણે ન વિચાર્યું. લપાતીછુપાતી એ કોઈ દયાવાનને ત્યાં પહોંચી ગઈ જ્યાં એને આશરો મળ્યો.એ વાતને હજી છ સાત દિવસ થયા હશે અને એક રાત્રે એનો આતંકવાદી રાક્ષસ પતિ એની સામે આવી ગયો. આયેશાને એ ક્રૂરતાપૂર્વક મારતો મારતો કોઈ નિર્જન પહાડ ઉપર લઈ ગયો. એની સાથે એના પતિનો ભાઈ પણ હતો. ઉપર પહોંચીને એના પતિ અને ભાઈએ લોહીના આંસુ સારતી અને દયાની યાચના કરતી એ આયેશાને પોતાના પગ અને હાથ વચ્ચે જકડીને પેલા ક્રૂર પતિએ ઘરેથી ભાગી જવાની સજા બદલ એક ધારદાર ચપ્પુથી પોતાની જ પત્નીનું નાક અને કાન કાપી નાંખ્યા. એનો આતંકવાદી પતિ એ વખતે બોલતો હતો કે, ‘‘તેં અમારા ઘરેથી ભાગી જઈને અમારૂં નાક કપાવ્યું છે એની કિંમત હવે તારૂં નાક અને કાન બંન્ને કાપીને હું લઈશ.’’આયેશાનું નાક કાપી નાંખ્યા પછી આયેશા બેભાન થઈ ગઈ હતી. આયેશા એ રીતે કલાકો સુધી બેભાન પડી રહી અને એના નાક અને કાનમાંથી લોહી વહ્યા કરેલું. એ નિર્જન સ્થળ ઉપર એની મદદ કરનાર કોઈ નહોતું. એ ભાનમાં આવી ત્યારે એને એના નાક કાન કપાયાની યાદ આવી અને એનું શરીર કોઈ અજ્ઞાત ભયથી ઘૂ્રજવા લાગ્યું. એણે એની આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ એને કશું દેખાતું નહોતું.પોતાનું દુઃખ અને પીડા ભૂલીને આયેશાએ હિંમત એકઠી કરીને આંખો સાફ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે કાન-નાકમાંથી નીકળતું લોહી આંખોમાં ભરાઈ ગયેલું. એટલે એ કશું જોઈ શકતી નહોતી. એ વખતે એને બીજી કશી વાત યાદ આવતી નહોતી. પણ એટલું એ સમજી ગઈ હતી કે એ મરી નથી પણ જીવતી છે. એ ત્યાંથી માંડ માંડ ઊભી થઈ અને પડતી આખડતી એ પહાડ ઉફરથી નીચે ઉતરવા લાગી.આયેશા જીવતી લાશ બની ગઈ હતી. તો પણ એ મરેલી જીવતી અવસ્થામાં ઓરૂજગાન નામના જિલ્લાના એક ગામની સુમસામ સડક ઉપર આવી. ત્યાં એ લથડતી જતી હતી એવામાં કેટલાક અમેરિકન સામાજિક કાર્યકરોની નજરે એ પડી. એમણે એની પ્રારંભિક મલમપટ્ટી કરીને સારવાર આપી. એ પછી એને અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં અનાથ અફઘાન મહિલાઓનો શિબિર છે ત્યાં પહોંચાડી દીધી.અફઘાનિસ્તાનમાં તાલિબાન આતંકવાદીઓના અત્યાચારોની વાતો, સમાચારો તો વર્ષોથી સતત આવ્યા જ કર્યા છે. ટી.વી.ની ડીસ્કવરી ચેનલ, હિસ્ટ્રી ચેનલ અને નેશનલ જ્યોગ્રોફીક ચેનલ અવારનવાર તાલિબાનોના અત્યાચારો બતાવતા હોય છે. અમેરિકા, યુરોપના અખબારોમાં પણ એ આવે છે. પરંતુ આ તો જેણે તાલિબાની અત્યાચારો સહન કર્યા છે એવી મહિલાએ પોતાના મુખે કહેલી વાત છે.શિબિરમાં પહોંચ્યા પછી ત્યાંના સુરક્ષિત વાતાવરણમાં એને લાગ્યું કે એ સ્થળ ઉપર એનો આતંકવાદી પતિ કે તાલિબાન પહોંચી શકે તેમ નથી. ત્યાં એ ભરતકામ શીખી. અમેરિકાના ‘‘ટાઈમ’’ સાપ્તાહિકના રિપોર્ટર અને ફોટોગ્રાફર શિબિરમાં ગયા અને આયેશાની મુલાકાત થઈ. એમનો અહેવાલ અને ફોટો ‘‘ટાઈમ’’માં આવતા દુનિયા આખીમાં અરેરાટી સાથે હાહાકાર મચી ગયો. કેટલાંક દયાળુ માણસોએ આયેશાના નાક-કાનની પ્લાસ્ટીક સર્જરી પણ કરાવી આપી. એ ત્યાંથી અમેરિકા પહોંચી ગઈ જ્યાં એની આગળની સારવાર ચાલે છે.અફઘાનિસ્તાનમાં આયેશા જેવી લાખો યુવતિઓની આવી જ દર્દ અને પીડા ભરી સ્થિતિ છે. આ જ અફઘાનિસ્તાનમાં ગાંધી યુગમાં ખાન અબ્દુલ ગફારખાન જેવા અહિંસાવાદી નેતા હતા જેઓ ‘‘સરહદના ગાંધી’’ તરીકે ખ્યાત હતા. એ જ અફઘાનિસ્તાનમાં કાબુલીવાલા જેવા ચરિત્રો થએલા જેના વિષે રવીન્દ્રનાથ ટાગોરે વાર્તા લખેલી જેની ઉપરથી એ જ નામની ફિલ્મ બની જેમાં બલરાજ સહાનીનું મુખ્યપાત્ર હતું. આવા અફઘાનોમાં તાલિબાનો જેવા ક્રૂર રાક્ષસો ક્યાંથી થયા એ નવાઈ ઉપજાવે તેવું છે.

Sunday, September 26, 2010

કેવી હોય છે સમાધી?

સમાધી યુત્કિ-તર્કથી પર અતિચેતનનો અનુભવ છે.આ જ સ્થિતિમાં મન પેલા ગુઢ વિષયોમાં પણ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. જે સાધારણ અવસ્થામાં બુધ્ધિ દ્વારા પ્રાપ્ત થઈ શક્તુ નથી. સમાધિ અને નિંદરમાં આપણને એક જેવી જ અવસ્થા હોય છે.

બન્નેમાં આપણુ બાહ્ય સ્વરૂપ સુપ્ત થઈ જાય છે પરંતુ સ્વામિ વિવેકાનંદ સ્પષ્ટ કરે છે 'જ્યારે કોઇ ભર ઉંઘમાં સુતેલુ હોય,ત્યારે તે જાન અથવા ચેતનની નિમ્ન ભુમિમાં ચાલ્યો જાય છે.નિંદમાંથી ઉઠ્યા પછી પણ તે પહેલા જેવો જ હોય છે. તેમાં કોઇ પરિવર્તન આવતુ નથી.પરંતુ જ્યારે માણસ સમાધિસ્થ થઈ જાય છે ત્યારે સમાધિ પ્રાપ્ત કરતા પહેલા જો તે મહામુર્ખ થઈ રહ્યો હોય,અજ્ઞાની થઈ જાય તો સમાધિથી તે મહાજ્ઞાની થઈને વ્યુત્થિત થાય છે.

ગુરુ રૂપી ઊર્જા સર્વ સંકટમાંથી ઉગારે છે..

જેમણે જીવનમાં દુ:ખ જોયું નથી, જે લોકો મુશ્કેલીઓમાંથી પસાર થયા નથી, જેમને દરેક વસ્તુ સરળતાથી મળી ગઈ છે તે જીવનને ઊંડાણપૂર્વક સમજી શકતા નથી. આવા લોકો થોડી મુશ્કેલી પડતાં જ બીજા પર દોષનો ટોપલો ઢોળી દેતા હોય છે અને પોતે નિરાશામાં ઘેરાઈ જાય છે.



આચાર્ય શ્રીરામ શર્માએ જણાવ્યું છે કે, આપત્તિ, વપિત્તિ એક પ્રકારે આપણા પુરુષાર્થનો ઇશ્વરીય પડકાર છે. આ વાત અત્યંત સુંદર છે. વ્યક્તિ તેનો જેટલો સ્વીકાર કરશે તેટલો જ પ્રભુનો પ્રિયપાત્ર બનતો જાય છે. કષ્ટ એક અભ્યાસ છે. મુશ્કેલી એક પ્રકારનો પુરુષાર્થ છે. વપિરીત પરિસ્થિતિઓમાં વિકાસનો માર્ગ છે.



જે તેમાંથી પસાર થાય છે તે પોતાની મનોભૂમિ અને અંતરાત્મામાં વધુ સુદ્રઢ થઈ જાય છે. તેમના માટે દરેક મુશ્કેલી એક નવા સાહસની જન્મદાતા હોય છે. જીવનમાં જ્યારે પણ આવી સ્થિતિ પેદા થાય ત્યારે ગુરુને યાદ કરી લેવા જોઈએ. એ પણ યાદ રાખવા જેવું છે કે જીવનમાં ગુરુનો પ્રવેશ શ્રદ્ધા વગર નથી થતો. શ્રદ્ધા શક્તિનું બીજું નામ છે.



આ દુનિયામાં આપણે માતા-પિતા, ભાઈ-બહેન, સગાં-સંબંધી વગેરે સાથે શરીરથી જોડાયેલા હોઈએ છીએ. ગુરુ સાથે આત્માનો સંબંધ હોય છે અને અહીંથી જ પરમાત્મા મળે છે. જેની પાસે પરમાત્માની સંભાવના હોય તે કોઈ પણ મુશ્કેલીમાં નબળો પડતો નથી.



આથી દુનિયામાં જ્યારે પણ મુશ્કેલીમાં પડો ત્યારે તમારા જ્ઞાન, તમારી શારીરિક શક્તિ, વ્યવહારિક બુદ્ધિનો અવશ્ય ઉપયોગ કરો. આમ કરતા સમયે શ્રદ્ધા જાળવી રાખવી અને ગુરુ સાથે જોડાયેલા રહેવું. ગુરુ સાથેનું આ જોડાણ એક ઊર્જાના સ્વરૂપમાં તમને કોઈ પણ સંકટમાંથી બહાર કાઢશે.


જીવન માટે દુખ પણ જરૂરી છે..

દુખને આવતા જોઇને વિચલિત થવુ એ માણસનો સ્વભાવ છે. બધા જીવનમા માત્ર સુખ જ સુખ ઈચ્છે છે. કોઇ પણ દુખની કલ્પના કરવા નથી માંગતા. પણ સાચુ એ છે કે જેમ ખાવાનો સ્વાદ મીઠુ અને તીખુ એમ બન્નેથી પુરો થાય છે તેવી જ રીતે જીવનની મજા સુખ અને દુખ બન્નેની સાથે જ મળે છે.

સુખ અને દુખ જીવનના એક જ સીક્કાની બે બાજુ છે. સિક્કો ઉછળશે તો, પડશે પણ અને ચિત અને પટમા આપણુ સુખ-દુખ પ્રદર્શીત થશે. ચ્ચ્નાનક દુખિયા સબ સંસારજ્જ આનો અર્થ થાય એ નથી કે નાનક કાઆઆઅહી રહ્યા છે કે પુરો સંસાર દુખી છે. જો કે નાનક કહી રહ્યા છે કે દુખ સાંસારિક જીવનનુ અનિવાર્ય બાજુ છે. આ ઘણી જીણી વાત છે. બધા દુખી છે આવુ કહી નથી શક્તા પણ દુખ આવશે જ નહી આ પણ કહી ન શકાય. મહાપુરૂષોએ આના પણ રસ્તા બતાવ્યા છે કે દુખથી મુક્ત કઈ રીતે કરી શકાય છે. મહાવીરે કહ્યુ છે કે ભાવ વિરક્તિ દુખ મુક્તિનો સરળ ઉપાય છે. એક સુત્રમા મહાવીર સ્વામી એ કહ્યુ છે કે ભાવ વિરક્ત માણસ સંસારમા રહીને પણ અનેક દુખોમા લિપ્ત નથી થતો. ભાવ વિરક્તનો સીધો અર્થ છે દરક સ્થિતિમા મસ્તી. આપણી જ સંબંધિત જે થઈ રહ્યુ છે તેને આપણે જ જોવા લાગીએ. આ સાક્ષી ભાવમા શરૂઆત થાય છે ભાવ વિરક્તિની. આનો સીધો અર્થ થાય છે કામ બધા કરવા, કાંઈ પણ છુટવુ ના જોઇએ પણ સંતુલન બનાવી રાખજો. આપણે ક્રિયાતો યોગની કરીએ છીએ પણ ઈરાદો ભોગનો હોય છે અને પછી સલવાય જઈએ છીએ. જેની અંદર ભાવ વિરક્તિ આવી જાય છે તે આવુ ક્યારેય નથી વિચારતો કે બધી સ્થિતિ મારા કારણે થાય છે અને મારા કરવાથી જ બધુ થઈ રહ્યુ છે. આસક્ત માણસ એવુ માને છે અને અશાંત થઈ જાય છે. એટલા માટે જે લોકો શાંતિની શોધમા છે તે સાક્ષી ભાવનો અર્થ સમજે અને તેના માધ્યમથી વ્યક્તિત્વમા ભાવ વિરક્તિ ઉતારવી. કેમ કે ભાવ વિરક્તિ સ્થિતિને વિચાર પ્રભાવિત કરે છે એટલા માટે વિચારોનુ નિયંત્રણ કરતા રહેવુ જોઇએ. વિચાર નિયંત્રણ રહેવાની સ્થિતિનુ નામ ધ્યાન છે.

ગતિ જ જીવન છે, અટકી જવું એ મોત છે..

વિયેટનામના રાષ્ટ્રનાયક હો ચી મિન્હએ તેમના એક સંસ્મરણમાં લખ્યું છે કે, હું જ્યારે નવ વર્ષનો હતો ત્યારે શાળાની પરીક્ષામાં નાપાસ થયો હતો. ખરાબ પરિણામથી હું નાસીપાસ થઈ ગયો હતો. જીવન અર્થહીન અને દુનિયા રસ વગરની લાગવા લાગી. આ માનસિક અશાંતિ અને નિરાશાના કારણે હું આત્મહત્યાનો વિચાર કરવા લાગ્યો. મારા પરિવારના તમામ સભ્યો પણ મારી નિરાશાથી ઘણા દુ:ખી હતા. માતા- પિતાએ મને ઘણો સમજાવ્યો, કુળના પુરોહિતે અનેક વખત મંત્રોથી સાધેલાં ફળ ખવડાવ્યાં પરંતુ એક પણ પ્રયાસ સફળ ના રહ્યો. આવામાં જ એક દિવસ હું ઘરેથી ભાગી નીકળ્યો.

બૌદ્ધ મઠ પાસેથી પસાર થઈ રહ્યો હતો તો ભિક્ષુ દ્વારા ગવાતી કવિતાના મધુર શબ્દો સાંભળીને મારા પગ રોકાઈ ગયા. ભિક્ષુ ગાઈ રહ્યો હતો કે પાણી મેલું શા માટે નથી હોતું? કેમ કે તે વહેતું રહે છે. પાણીના માર્ગમાં વિઘ્નો કેમ નથી આવતાં? કેમ કે તે વહેતું રહે છે. પાણીનું એક ટીપું ઝરણાથી ન્ નદીથી સમુદ્ર શા માટે બની જાય છે? કેમ કે તે વહેતું રહે છે. આથી હે મારા જીવન, તું રોકાય નહીં, વહેતું રહે, વહેતું રહે. ઘણા સમય સુધી હું અવાચક ઊભો રહ્યો. જ્યારે પાછો ફર્યો તો વહેતું પાણી હતો. આજે પણ વહેતું પાણી છું. હું દરેક જગ્યાએ જાઉં છું અને મારી ગતિ, જે કંઇ મારામાં બચ્યું છે, બધાને આપું છું, કેમ કે હું વહેતું પાણી છું. ગતિમાન છું. કથાનો સાર એ છે કે જીવનમાં કોઈ સમયે મળેલી નિષ્ફળતાથી નિરાશ થઈને નકારાત્મક વિચારોને તમારા પર હાવિ ના થવા દો. પરંતુ તેમાંથી પાઠ ભણીને બીજા કરતાં વધુ સારા લક્ષ્ય તરફ આગળ વધો, કેમકે ગતિ જ જીવન છે અને અટકી જવું મૃત્યુ.

મ્રુત્યુનો અર્થ છે મુક્ત થઈ જવુ..

મ્રુત્યુ એક સચ્ચાઈ... જીવનભરનો ડર... મ્રુત્યુ એક ડરવી દે તેવો શબ્દ... મ્રુત્યુ જીવનનો અંત...! મ્રુત્યુ એક એવુ ડરાવી દે તેવુ રહસ્ય છે જે દરેક જીવિત વ્યક્તિનો પરસેવો છોડાવી દે છે. કોઇ જીવિત પ્રાણીના જીવનનો અંત મ્રુત્યુ છે. કોઇ મરવા નથી માંગતુ. બધા હંમેશા મરવા માંગે છે, બાધાને લાંબુ અને સુખી જીવન જીવવુ છે.

વૈદિક કાળથી જ માનવ અને દૈત્યો દ્વારા મ્રુત્યુને જીતવા માટે કઠીન તપસ્યા કરીને ભગવાન પાસે અમરતા મેળવવાની ચેષ્ટા કરવામા આવી રહી છે. પરંતુ માનવ માટે આવુ આજ સુધી સંભવ બની નથી શક્યુ. જેણે જન્મ લીધો છે તેને મરવાનુ તો છે જ. બસ ફર્ક માત્ર એ જ છે કે કોઇ દીર્ઘાયુ છે તો કોઇ અલ્પાયુ. આ જ કારણે દરેક વ્યક્તિના મનમા મ્રુત્યુને લઈને ઘણી વાર પ્રશ્ન થાય છે.

પ્રાચિન કાળની જેમ જ આજે પણ વિજ્ઞાન મ્રુત્યુને જીતવા માટે ઘણ પ્રયોગ કરી રહ્યા છે. પરંતુ આપનુ આધુનિક વિજ્ઞાન પણ મ્રુત્યુને જીતવાના સંબંધમાં આજ સુધી કોઇ સફળતા મેળવી શક્યુ નથી. અહીંયા માત્રન બે જ સચ્ચાઈ છે જન્મ અને મ્રુત્યુ! જે જન્મેલો છે તેને મ્રુત્યુ પ્રાપ્ત થશે અને જે મ્રુત્યુને પ્રાપ્ત થયો છે તે પુનર્જન્મ જરૂર લેશે. ભગવાને આ જ બે અવસ્થાને પોતાની પાસે રાખી છે અને બાકી બધી સુખ-સુવિધાઓ માનવને પ્રાપ્ત છે.

મ્રુત્યુનો અર્થ છે મુક્ત થઈ જવુ... પરમ શાંતિને મેળવવી... બધા જ મોહ છોડી દેવા... મ્રુત્યુ આપણને ત્યાગ શીખડાવે છે કે મુક્ત થઈ જાવ બધા જ મોહથી, તમે તમારી સાથે કશુ પણ લઈ જવાના નથી...!

ભગવાન શ્રી ક્રુષ્ણએ મ્રુત્યુના સબંધમા જે કાંઈ પણ કહ્યુ છે તે સર્વવિદિત છે કે મ્રુત્યુ માત્ર આપણા શરીરનુ જ થાય છે, આત્માનુ નહી. આત્મા તો અજર, અમર છે. આત્મા ક્યારેય નથી મરતી, તે માત્ર કપડાની જેમ શરીર બદલે છે. મ્રુત્યુ આપણા જીવન રૂપી પરીક્ષાનુ પરિણામ છે. જો આપણે પરિણામ સારૂ ઈચ્છતા હોઇએ તો આપણે કર્મ પણ ધર્મના માર્ગ પર ચાલીને કરતા રહેવુ પડશે. ત્યારે આપણો અંત પણ સુખ આપવા વાળો થશે.

મૃત્યુ અને જીવનનું રહસ્ય

સમયાંતરે આ દુનિયામાં કેટલાક એવા નરરત્નો, તત્વજ્ઞાનીઓ અને યોગીઓએ જન્મ લીધો છે જેમણે પોતાના જીવનકાળમાં આ મહત્વના રહસ્યને ઉકેલ્યું છે. આવા આત્મજ્ઞાની મહાપુરુષો સમાધિના ઉચ્ચતમ સ્તર પર પહોંચીને સમયના બંધનમાંથી મુક્ત બને છે અને એવી અવસ્થામાં પહોંચે છે કે જ્યાં સમયનો અવરોધ તેમને નડતો નથી.

દુનિયાના દરેક મનુષ્યના મનમાં ક્યારેક તો એ પ્રશ્ન ઉદ્ભવે જ છે કે છેવટે મૃત્યુ અને જીવનનું રહસ્ય શું છે? જ્યારે પણ મનમાં મૃત્યુ વિષે વિચાર આવે છે કે કોઇ મૃત્યુ પામેવી વ્યક્તિને નીહાળીએ છીએ ત્યારે મન રોમાંચિત થઇ ઉઠે છે કે આખરે આ મૃત્યુ છે શું? શું થાય છે મૃત્યુ બાદ ?

મૃત્યુને લઇને વિશ્વભરમાં અલગ-અલગ પ્રકારની વાતો અને માન્યતાઓ પ્રચલિત છે. આમાંની મોટાભાગની માન્યતાઓ અને ધારણાઓ કાલ્પનિક હોય છે જેનો વાસ્તવિકતા સાથે કોઇ સંબંધ નથી હોતો.

પરંતુ સમયાંતરે આ દુનિયામાં કેટલાક એવા નરરત્નો, તત્વજ્ઞાનીઓ અને યોગીઓએ જન્મ લીધો છે જેમણે પોતાના જીવનકાળમાં આ મહત્વના રહસ્યને ઉકેલ્યું છે. આવા આત્મજ્ઞાની મહાપુરુષો સમાધિના ઉચ્ચતમ સ્તર પર પહોંચીને સમયના બંધનમાંથી મુક્ત બને છે અને એવી અવસ્થામાં પહોંચે છે કે જ્યાં સમયનો અવરોધ તેમને નડતો નથી.

અને માટે જ આ અવસ્થામાં પહોંચીને તે સરળતાથી જાણી શકે છે કે મૃત્યુ પહેલાનું જીવન શું હતું અને મૃત્યુ બાદ જીવનની ગતિ શું હશે.આવા જ મહાન સિદ્ધ યોગીઓનું સ્પષ્ટ કહેવું છે કે કાળની જેમ જ જીવન અનંત છે. જીવનનો ન તો ક્યારેય પ્રારંભ થાય છે કે ન ક્યારેય અંત. લોકો જેને મૃત્યુ કહે છે તે માત્ર શરીરનો અંત છે જે પ્રકૃતિના પાંચ તત્વો પૃથ્વી, વાયુ, જળ, અગ્નિ અને આકાશનું બનેલું હતું.

Monday, July 12, 2010

અમૃતનું આચમન..

[1] પરિવર્તન – વિપિન પરીખ

સાંજ ઢળતી હોય ત્યારે
માથે હાથ ફેરવતાં ફેરવતાં
સાસરેથી આવેલી દીકરી આપણને કહે –
‘તમે ખૂબ થાકી ગયા છો પપ્પા, પાણી આપું ?
થોડોક આરામ કરતા હો તો ?’
ત્યારે
આપણે એકાએક સભાન થઈ જઈએ છીએ
ધીમે ધીમે હવે આપણી જ દીકરી
આપણી મા બનતી જાય છે.

[2] સાવધાન – ભગવાન બુદ્ધ

હે લોકો,
હું જે કાંઈ કહું તે પરંપરાગત છે એમ જાણી ખરું માનશો નહીં. તમારી પૂર્વ પરંપરાને અનુસરીને છે એમ જાણીને ખરું માનશો નહીં. આવું હશે એમ ધારી ખરું માનશો નહીં. તર્કસિદ્ધ છે એમ જાણી ખરું માનશો નહીં. લૌકિક ન્યાય છે એમ જાણી ખરું માનશો નહીં. સુંદર લાગે છે માટે ખરું માનશો નહીં. તમારી શ્રદ્ધાને પોષનારું છે એવું જાણી ખરું માનશો નહીં. હું પ્રસિદ્ધ સાધુ છું, પૂજ્ય છું એવું જાણી ખરું માનશો નહીં. પણ તમારી પોતાની વિવેકબુદ્ધિથી મારો ઉપદેશ ખરો લાગે તો જ તમે તેનો સ્વીકાર કરજો.

[3] પ્રાર્થના – ગાંધીજી

હે નમ્રતાના સ્વામી,
ભંગીજનની રંક ઝૂંપડીના વાસી
ગંગા, બ્રહ્મપુત્રા અને જમુનાના જળથી સંચિત
આ સુંદર ભૂમિમાં સર્વ સ્થળે
તને શોધવામાં અમને મદદ કર

અમને ગ્રહણશીલતા આપ, ખુલ્લું હૃદય આપ
અમને તારી નમ્રતા આપ
ભારતમાં લોકસમુદાય સાથે
અમારી જાતને એકરૂપ કરવા માટે
શક્તિ અને તત્પરતા આપ.

હે ભગવાન,
માણસ પોતાને સંપૂર્ણપણે દીન અનુભવે
ત્યારે જ તું મદદ કરે છે.

અમને વરદાન આપ
કે સેવક અને મિત્ર તરીકે અમારે
જે લોકોની સેવા કરવાની છે,
તેમનાથી ક્યારેય અમે અળગા ન પડી જઈએ.

અમે મૂર્તિમંત આત્મસમર્પણ બનીએ
મૂર્તિમંત દિવ્યતા બનીએ
મૂર્તિમંત નમ્રતા બનીએ
જેથી આ દેશને વધુ સમજી શકીએ
અને વધુ ચાહી શકીએ

[4] મા – હર્ષદેવ માધવ

કલ્પવૃક્ષની લેખણ લઈને
લખતી સરસ્વતીને
કહેજો કે
ઈશ્વરના ગુણો ખૂટી જાય તો
એમાં ઉમેરી લે
માના ગુણો.

[5] અહંકાર – નગીનદાસ સંઘવી

મુર્શીદે પોતાના શિષ્યોને કહ્યું : ‘કોઈ પણ ઉપદેશ મનમાં ઉતારી શકાય તે માટે શિષ્યોએ અહંકાર છોડવો પડે છે, તેથી તમારા મનમાં આવી કોઈપણ ભાવના છે કે નહીં તે વિશે મારે જાણવું છે.’
એક શિષ્યે કહ્યું : ‘હું ઘણો ખૂબસૂરત આદમી છું અને તે બાબતનો મને પૂરો ખ્યાલ છે.’
બીજાએ કહ્યું : ‘હું ખુદાપરસ્ત અને પાક સાફ જીવન ગાળતો હોવાથી ખુદાનો પ્યારો છું.’
ત્રીજાએ કહ્યું : ‘હું અભ્યાસમાં હોશિયાર હોવાથી ભવિષ્યમાં મોટો ઉપદેશક અને ગુરુ થવાની ક્ષમતા ધરાવું છું.’
ચોથાએ કહ્યું : ‘લાંબા સમય સુધી સાધના કરીને મેં અહંકાર નાબૂદ કર્યો હોવાથી હવે હું સંપૂર્ણત: અહંકારરહિત છું.’

સૂફીએ કહ્યું : ‘રૂપ અને અક્ક્લનો અહંકાર સામાન્ય હોય છે. પવિત્રતા અને ધાર્મિક હોવાનો અહંકાર તેના કરતાં વધારે ખતરનાક હોય છે, કારણ કે પોતાને પવિત્ર માનતો માણસ અન્ય માનવો પ્રત્યે ઘૃણા અને તિરસ્કારની ભાવના ધરાવે છે અને બીજા પાસે પોતાનું ધાર્યું કરાવવા માટે જુલમ પણ કરે છે. અહંકાર ન હોવાનું અભિમાન સૌથી વધારે નુકશાનકારી છે, કારણ કે આવો અહંકાર આધ્યાત્મિક અંધાપો આણે છે. પોતાની ખામીઓ અને ઊણપ જોઈ ન શકે તેવા સાધક માટે વિકાસના તમામ દરવાજા આપોઆપ બંધ થઈ જાય છે.

[6] પ્રભુ-પંચાયતમાં બાળક – પ્રણવ પંડ્યા

હોમવર્ક વહેલું પૂરું થાય પ્રભુ
તો તને આવીને મળાય પ્રભુ !

તે’ય મસ્તી તો બહુ કરેલી, નહિ ?
કેમ મારાથી ના કરાય પ્રભુ ?

આ શું ટપટપથી રોજ ના’વાનું
પે’લા વરસાદમાં નવાય પ્રભુ

આખ્ખી દુનિયાને તું રમાડે છે
મારે દહીં-દૂધમાં રમાય પ્રભુ ?

રોજ રમીએ અમે એ મેદાને
કેમ મંદિર નવું ચણાય, પ્રભુ ?

મમ્મી-પપ્પા તો રોજ ઝઘડે છે
તારાથી એને ના વઢાય, પ્રભુ ?

બળથી બાળક તેને જો વંદે તો
બાળ મજદૂરી ના ગણાય, પ્રભુ ?

[7] સુવિચાર – પૉલ સી. બ્રેગ

હરકોઈ માણસની એવી ઈચ્છા હોય છે કે તે સો વરસથી વધારે જીવે. જિંદગીના પ્રત્યેક વરસને તે દુ:ખરહિત ને ચિંતારહિત બનાવવા ઈચ્છે છે. તે જિંદગી સુખમય અને આનંદમય બનાવવા ઈચ્છે છે. હરકોઈ માણસની જિંદગી તેની પોતાની મૂઠીમાં છે. તે કોઈ પણ સમયે પોતાની જિંદગી શરૂ કરી શકે છે. આ જીવન-ધનની સાચવણી તરફ આપણે બહુ જ ઓછું ધ્યાન આપીએ છીએ. આપણે ‘સો શરદ (ઋતુ)ની જિંદગી’થી આગળ વધીને સવાસો વરસ કે તેનાથી પણ વધારે આગળ વધવાનું છે. આપણી પાસે સારી તંદુરસ્તી અને સ્ફૂર્તિ હોય તો જ આપણે આટલા લાંબા જીવનનો હક મેળવી શકીએ છીએ.

[8] ઊઘડતાં દ્વાર અંતરનાં…. – એલન કેડી

જીવનને તમે જેવું બનાવો તેવું તે બને છે. દરેકેદરેક પરિસ્થિતિમાંથી ઉત્તમ શું છે તે શોધી કાઢી અને પૂર્ણપણે કેમ ન માણો ? ભલેને તમે ગમે ત્યાં હો અને ગમે તે કરતાં હો ! તમે બીજે ક્યાંક હોત અને બીજું કશુંક કરતાં હોત તો કેટલું સારું હતું, એવું ઈચ્છવામાં કદી સમય કે શક્તિ બગાડો નહીં. તમે જ્યાં છો ત્યાં શા માટે છો, એ વાત બધો વખત તમને નહિ પણ સમજાય, પણ એટલી ખાતરી રાખજો કે એની પાછળ બહુ ચોક્કસ કારણ રહેલું છે અને એમાંથી પાઠ પણ શીખવાનો છે. એની વિરુદ્ધ લડો નહિ, પણ એ પાઠ શું છે તે શોધી કાઢો અને એ ઝડપથી શીખી લો, જેથી તમે આગળ ગતિ કરી શકો. એકની એક જગ્યાએ સ્થગિત થઈ રહેવાનું તો તમે નહિ જ ઈચ્છો, ખરું ને ? તમે વિરોધ કરતાં અટકો, જે પાઠ શીખવાના છે તેનો બસ સ્વીકાર કરો અને માર્ગમાં આવે તે બધું જોયા કરો તો જીવન તમને ઘણું વધારે સરળ લાગશે, અને વળી જે પરિવર્તનો થઈ રહ્યાં છે તેને તમે માણી પણ શકશો. છોડ ઊગવા કે બદલાવા સામે વિરોધ નથી કરતો, એ ફક્ત એની સાથે સાથે વહે છે અને સાચા સંપૂર્ણ સ્વરૂપમાં ઊઘડે છે. તમે પણ એવું કેમ ન કરો ?

મહાભારત : જીવનદર્શન – શાન્તિકુમાર પંડ્યા..

[તાજેતરમાં પ્રકાશિત થયેલું ‘મહાભારત : જીવનદર્શન’ નામનું આ પુસ્તક મહાભારતના પ્રસંગોને સામાન્ય માનવીના જીવન સાથે જોડતું વિશિષ્ટ પુસ્તક છે. મહાભારતના પ્રસંગો અને ઘટનાઓની સાથે સાથે તે આપણને પ્રત્યેક ઘટનાનો સાર એવા શબ્દોમાં મૂકી આપે છે કે જેથી વાંચતા એમ લાગે છે કે આ તો આપણા જ જીવનને સ્પર્શતી કોઈ એક ઘટના છે ! પુસ્તકના લેખક ડૉ. શાન્તિકુમાર પંડ્યા અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજના સંસ્કૃતવિભાગના અધ્યક્ષ રહી ચુકયા છે. ‘ગુજરાત સમાચાર’ અખબારની ‘ધર્મલોક’ પૂર્તિના કોલમિસ્ટ હોવા ઉપરાંત મહાભારતના તેઓ વ્યાખ્યાતા છે. ‘ગુજરાતમાં મહાભારતને આધારે રચાયેલાં સંસ્કૃત રૂપકો અને મહાકાવ્યો’ પર તેમણે પી.એચ.ડી કર્યું છે. રીડગુજરાતીને આ સુંદર પુસ્તક મોકલવા માટે ગૂર્જર પ્રકાશનનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

[1] શ્રીકૃષ્ણનું મનોવિજ્ઞાન

મહાભારતની આ જ્ઞાનશ્રેણીમાં વારંવાર શ્રીકૃષ્ણના ઊંડા માનસિક જ્ઞાન અને એમના માનસોપચારનો પરિચય આપણે પ્રાપ્ત કર્યો છે. શ્રીમદ ભગવદગીતાના પ્રથમ અધ્યાય કે જે ગીતાનું પ્રસ્થાન છે એમાં આધુનિક યુગના મહાવ્યાધિ ગણાતા રોગ ‘ડિપ્રેશન’નાં લક્ષણોનું સુરેખ વર્ણન જોયું હતું. ભલે માનસશાસ્ત્રીઓ આ રોગને અત્યારના યુગનો મહાવ્યાધિ ગણતા હોય પણ મહાભારત કાળમાં પણ આ રોગ આજની જેમ જ સર્વ ઈન્દ્રિયોને શોષી લેતો હતો. માનસશાસ્ત્રીઓ જેને ડિપ્રેશન કહે છે તેને ગુજરાતના મનોવિજ્ઞાનના અધ્યાપકો શૈક્ષણિક પરિભાષામાં ‘ઉન્મનસ્ક અવસ્થા’ કહે છે. લોકપ્રિય ભાષાવ્યવહારમાં એને ‘હતાશાના રોગ’ તરીકે ઓળખવામાં આવે છે. માનસ ચિકિત્સકો આ રોગને બે પ્રકારનો માને છે. ‘રીએક્ટીવ ડિપ્રેશન’ અને ‘ઈન્ડોજીનસ ડિપ્રેશન’. જીવનમાં કોઈ દુર્ઘટના ઘટે અને એના પરિણામ-સ્વરૂપે માણસ વિષાદના ઊંડા કળણમાં ખૂંપી જાય એને પ્રથમ પ્રકારનું ડિપ્રેશન કહે છે. વ્યાવહારિકો કહે છે કે ‘દુ:ખનું ઓસડ દહાડા’. દિવસો વીતતાં માણસને ધીમે ધીમે એ વિષાદમાંથી કુદરત જ બહાર કાઢે છે અને આધ્યાત્મિકો કહે છે કે સાંસારિક માયાથી એની હતાશાના ઘા રુઝાય છે.

અલબત્ત, ઘણા ઋજુહૃદયીઓને એમાંથી બહાર નીકળવા માનસોપચારની પણ જરૂર પડે જ અને એ જરૂરી પણ હોય છે જ. બીજા પ્રકારનું ડિપ્રેશન જેને માનસચિકિત્સકો ‘ઈન્ડોજીનસ’ કહે છે તે મનુષ્યના વ્યક્તિત્વ બંધારણનો જ એક ભાગ હોય છે. માનવમસ્તિષ્ક ઈશ્વરનું અદ્દભુત સર્જન છે. મગજમાં ઝરતાં ઉત્સેચકો માણસને સમતોલ જીવન જીવવામાં ઘણો જ મહત્વનો ભાગ ભજવતાં હોય છે એટલે આ અંત:સ્ત્રાવી ગ્રન્થિઓની ઊણપો ઘણી વ્યક્તિઓને કુદરતી રીતે જ વિષાદગ્રસ્ત રાખે છે અથવા સંસારમાં બનતી નાની નાની ઘટનાઓથી પણ તે વિષાદગ્રસ્ત બની જાય છે. ગાંધીગીરીનો સંદેશ આપતી આપણી જાણીતી ફિલ્મ ‘લગે રહો મુન્નાભાઈ’નો સરકીટ જેને ‘કેમીકલ લોચો’ કહે છે એ ‘અંત:સ્ત્રાવી ગ્રંથિઓની અસમતુલા’ એ જ આ ‘ઈન્ડોજીનસ ડિપ્રેશન’ એમ કહી શકાય. મહાભારતના યુધિષ્ઠિર પાપભીરુ ધર્મપુરુષ છે, જેમનો સ્વભાવ જ વારંવાર વિષાદગ્રસ્ત થવાનો છે. અર્જુન રીએક્ટીવ ડિપ્રેશનનો ભોગ બન્યો હતો. એનો વિષાદ ગીતાનો ઉપદેશ સાંભળી મહદંશે દૂર થયો હતો. યુધિષ્ઠિરનો વિષાદ ‘ઈન્ડોજીનસ’ છે. એ વારંવાર વિષાદગ્રસ્ત થાય છે અને એ વિષાદમાંથી એમને બહાર લાવવા મહર્ષિ વ્યાસ, પિતામહ ભીષ્મ અને શ્રીકૃષ્ણને વારંવાર ઉપદેશ, આખ્યાનો અને ઉપાખ્યાનોનો ધોધ વહાવવો પડે છે અને છતાં પ્રસંગોપાત્ત ફરી પાછો એનો એ વિષાદ સામે આવીને ઊભો રહે છે.

યુધિષ્ઠિર રાજા થયા છે પણ જે મહાસંહાર થયો તે ભૂલ્યો ભુલાતો નથી. અર્જુનની જેમ પાયાની ભૂલ એ હતી કે એણે સામે ઊભેલા ગુરુઓ, દાદાઓ, ભાઈઓ અને આચાર્યોને મારવાના છે એમ યુધિષ્ઠિરની પાયાની ભૂલ એ છે કે એમને કારણે જ બધો મહાસંહાર થયો છે. વારંવાર તેઓ એ વાત ભૂલી જાય છે કે કૌરવોનાં દુષ્કૃત્યો અને આડોડાઈ જ આ અનર્થમાં કારણભૂત હતાં અને એમના પર તો આ યુદ્ધ લાદવામાં આવ્યું હતું. શાંતિપર્વ અને અનુશાસનપર્વના લાંબા જ્ઞાનસત્ર પછી પણ એમનો આ સ્થિર વિષાદભાવ વારંવાર ડોકાઈ જાય છે. આશ્વમેઘિકપર્વમાં અશ્વમેઘ કરાવવાના અનુસંધાનમાં દ્રવ્ય અને દાનની વાત આવતાં ફરી પાછા એ વિષાદગ્રસ્ત થયા.

દાન માટેનું દ્રવ્ય કોઈને પણ નુકશાન પહોંચાડ્યા વિના હિમાલયમાંથી મળવાનું હતું અને છતાં યુધિષ્ઠિર શોક કરે છે. આ જ તો માનવમનની મર્યાદા છે. માણસ સો ટકા સલામતી ઈચ્છે છે અને તેથી કાલ્પનિક ભય એનો પીછો છોડતો નથી. યુદ્ધમાં સ્થિર ગણાતા યુધિષ્ઠિર પણ એમાં અપવાદ નથી. મનની રુગ્ણતાથી એ પણ ત્રસ્ત છે. કૃષ્ણ કંઈક ઉપાલંભભર્યા સ્વરમાં કહે છે કે તમે ભલે કુરુક્ષેત્રનું યુદ્ધ જીત્યા છો પણ તમારા મનના કુરુક્ષેત્રમાં બેઠેલા મોટામાં મોટા શત્રુને જીતવાનો બાકી છે અને એ છે તમારો આંતરિક શત્રુ-મનનો રોગ. ઈન્દ્રે પોતાના દેહમાં ઘર કરી બેઠેલા વૃત્રાસુરને કેવી રીતે હણ્યો એ વિશેનું ઈન્દ્ર-વૃત્રાસુરનું આખ્યાન કહીને આધુનિક સ્વાસ્થ્ય વિજ્ઞાન જેને સાયકોસોમેટીક ડીસીઝ – મનોદૈહિક રોગો કહે છે એની વિશદ ચર્ચા પ્રસ્તુત કરી છે. આપણા આર્ષદ્રષ્ટાઓએ યુગોપૂર્વે કેટકેટલું ઊંડાણથી દેહ અને મનના સંબંધો વિશે વિચાર્યું હતું એનો વિચાર કરીએ છીએ ત્યારે આનંદ સાથે આશ્ચર્ય થાય છે. મહાભારતકારે આ ચર્ચા શ્રીકૃષ્ણના શ્રીમુખે પ્રસ્તુત કરીને એને શ્રદ્ધેય સ્વરૂપ આપ્યું છે. શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે :
द्विविधो जायते व्याधि: शारीरो मानसस्तथा ।
परस्परं तयोर्जन्म निर्द्वंन्द्वं नोपलभ्यते ।। (આશ્વમેઘિકપર્વ, 12.1)

ઉપરના શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે : ‘માણસને બે પ્રકારના રોગ થાય છે; શારીરિક અને માનસિક. આ બંને રોગો એકબીજાને કારણે થાય છે. શારીરિક રોગો મનને પ્રભાવિત કરે છે અને મનના રોગથી શરીરના રોગ થાય છે. દ્વન્દ્વ વિનાનો કોઈ રોગ જોવા મળતો નથી.’ માણસને મન સાથે લડવામાં અતિશય થાક લાગે છે કારણ કે એ લડાઈ એણે એકલે હાથે લડવી પડે છે. મન જ્યારે વિચારોના વમળમાં કે વિષાદના કળણમાં ફસાય છે ત્યારે માણસનાં ધન, સત્તા, હોશિયારી કે મોભો કંઈ પણ એને કર્ણનાં શસ્ત્રોની પેઠે કામ આવતાં નથી. આ યુદ્ધ ભીષ્મ-દ્રોણના યુદ્ધ કરતાં પણ ભીષણ છે. કૃષ્ણ ઉમેરે છે :
यच्च ते द्रोणभीष्माभ्यां युद्धमासीदरिंदम ।
मनसैकेन योद्धव्यं तत ते युद्धमुपस्थितम ।।
अत्र नैव शरै: कार्य न भृत्यैर्न च बन्धुभि: ।
आत्मेनैकेन यैद्धव्यं तत ते युद्धमुपस्थितम ।।
ભીષ્મ દ્રોણ કે કર્ણ સાથેના યુદ્ધમાં તો શસ્ત્રો હતાં, સૈનિકો હતા, સ્વજનો હતાં અને વફાદાર ચાકરો હતા, પણ અહીં તો એ કંઈ કામ નહિ આવે. આ તો એકલે હાથે લડવાનો સમય આવ્યો છે.

મહાભારતના મર્મજ્ઞ હરીન્દ્રભાઈ દવે આ પ્રસંગની એટલે કે મનના રોગોની વિષમતા જે યુધિષ્ઠિરને માટે પણ કપરી હતી એની ચર્ચા કરતાં કહે છે : ‘કૃષ્ણ આ શબ્દો માત્ર યુધિષ્ઠિરને જ નથી કહેતા : આપણને સહુને કહે છે. મન સાથેનું આ ઘોર યુદ્ધ સૌ કોઈ સામે ઉપસ્થિત થતું હોય છે. બહારનાં જીતવાં સરળ છે પણ આ મન સાથેનું યુદ્ધ તો વિકટ છે. અને અહીં જ સૌ ગોથાં ખાતા હોય છે. મન સાથેનું યુદ્ધ એ ભીષ્મ સાથે લડવા જેટલું જ દુષ્કર છે અને કદાચ એથી પણ વધારે દુષ્કર છે, કારણ કે ભીષ્મ સાથે લડવામાં તો કૃષ્ણ, અર્જુન, ભીમ અને સાત્યકિ પણ સાથે હોય છે. મન સાથે લડવામાં આપણે માત્ર એકલા જ હોઈએ છીએ. જે આ યુદ્ધ લડી શકે છે એને જ કદાચ કૃષ્ણ મળે છે.’ મન સાથેના યુદ્ધને જીતવાનો માર્ગ બતાવતાં શ્રીકૃષ્ણ કહે છે : ‘મમ’ – મારું, મમત્વ એ મૃત્યુ છે. ‘ન મમ’ – ‘આમાં કંઈ મારું નથી.’ એમ માનવું અમરત્વ છે. द्वयक्षरस्तु भवेन्मृत्यु: त्रय़क्षरं ब्रह्म शाश्वतम ।। તૃષ્ણાના ત્યાગનો બોધ તો ભગવાન બુદ્ધની પણ પહેલાં યુગોપૂર્વે શ્રીકૃષ્ણે પ્રબોધ્યો હતો એ તો સર્વવિદિત છે.
.

[2] જીવનસંધ્યાએ કૃષ્ણ

ઘણાં કુટુંબના મોભીને જે પ્રમાણેની કૌટુમ્બિક વિટંબણા વેઠવી પડે છે એવી જ વિટંબણા કૃષ્ણને પણ ઘેરી વળી. પ્રાણપ્રિય પુત્રો કહ્યામાં નહોતા. કોઈ એમને સાંભળતું નહોતું. પરિસ્થિતિને થાળે પાડવા જે નિયમો ઘડાતા એનું પહેલું ઉલ્લંઘન એમનાં સંતાનો જ કરતાં હતાં.

કોઈપણ યુગપ્રવર્તક મહાપુરુષોના જીવનમાં જે પ્રકારની વિટંબણાઓ જોવા મળે એવી વિટંબણા ભગવાન કૃષ્ણને પણ અનુભવવી પડી. યુગકાર્ય કરવાની જવાબદારી કિશોર અવસ્થામાં જ આવી પડી. જે માતા અને પિતાએ અપાર પ્રેમથી ઉછેર્યાં હતા અને જે ભૂમિનાં સંસ્મરણો મનમાં લીલાંછમ હતાં ત્યારે જ બધું છોડીને મથુરા જવું પડ્યું. કિશોરાવસ્થાની મુગ્ધતા છીનવાઈ ગઈ. જે મથુરાવાસીઓના સુખને માટે પોતાનું જીવન હોડમાં મૂકીને, એમને કંસના ત્રાસમાંથી મુક્ત કર્યા હતા, પોતે રાજા બનવાને બદલે ગણરાજ્યની સ્થાપના કરી હતી, જે જરાસંધ અને કાલયવનના આક્રમક હલ્લાઓ સોળ સોળ વાર ખાળીને મથુરાવાસીઓને બચાવ્યા હતા એ જ મથુરાવાસીઓએ કૃતઘ્ન થઈને કૃષ્ણ-બલરામને કહી દીધું કે તમે અહીં હશો ત્યાં સુધી તો જરાસંધનાં આક્રમણો થતાં જ રહેશે તો તમે અહીંથી જાઓ. અમને સુખે રહેવા દ્યો. કૃષ્ણે કોઈપણ પ્રકારની કટુતા વિના મથુરા છોડ્યું અને દ્વારકા આવી એકલે હાથે એક જુદા જ સામ્રાજ્યનું નિર્માણ કર્યું પણ આર્યાવર્તની એકતાનો ઉદ્યમ નિરંતર કરતા રહ્યા. મિત્ર પાંડવોની સહાયને નિમિત્ત બનાવીને ધર્મસંસ્થાપનાના કાર્યને કાયમ અગ્રતાક્રમ આપ્યો : પોતાના પ્રામાણિક પુરુષાર્થ છતાં મહાયુદ્ધને અટકાવી શક્યા નહિ અને ગાંધારી કે ઉત્તંક જેવા સમકાલીનો પણ એમને સમજી શક્યા નહિ. સંતપ્ત ગાંધરીનો શાપ હસતા મોઢે સ્વીકારીને લોકોત્તર બની રહ્યા. આ અને આવા તો ઝેરના અનેક ઘૂંટડા એમને જીવનમાં પીવા પડ્યા.

યુગકાર્યથી મુક્ત થઈ વૃદ્ધાવસ્થામાં સ્હેજ ઠરીઠામ થવાનો વખત આવ્યો ત્યારે જ સહુ કોઈ મોભીની જેમ એમને પણ કૌટુમ્બિક સમસ્યાઓ ઘેરી વળી. પ્રાણપ્રિય ગણેલા પુત્રો કહ્યામાં નહોતા. કુટુંબમાં કોઈ એમને સાંભળતું નહોતું. રજોગુણ પ્રેરિત ભોગવિલાસ અને તમોગુણજનિત અસામાજિક પ્રવૃત્તિઓમાં પોતાનાં સંતાનો જ સર્વપ્રથમ ઉલ્લંઘન કરતાં. આગમનાં એંધાણ સ્પષ્ટ દેખાતાં હતાં અને એ નિવારવાના પુરુષાર્થ છતાં પોતાની હાજરીમાં જ જે રીતે પોતાના માનીતા માણસોએ નફટાઈભરી યાદવાસ્થળી ખેલી એ જોઈ હંમેશાં જીવનરસથી છલકાતા આ મહામાનવની જિજીવિષા જ વિલાઈ ગઈ.

યાદવાસ્થળી જેવી અપ્રિય અને અનપેક્ષિત ઘટનાને જાણતાં જ કૃષ્ણ સ્તબ્ધ થયા. ઈશ્વરીય સામર્થ્ય હોવા છતાં જે કંઈ થયું તે થવાનું જ હતું એમ માનીને એમણે વાસ્તવિકતાનો સ્વીકાર કરી લીધો. ‘स्थितस्य हि गतिश्चिंतनीया’ હવે શું કરવું એ બાબતે એમણે ત્વરિત નિર્ણય લેવા માંડ્યા. આપત્તિની ક્ષણોમાં પરમ મિત્ર અર્જુનને કોઈક જવાબદારી સોંપી શકાશે એ વિચારે સર્વપ્રથમ દારુકને હસ્તિનાપુર અર્જુનને લેવા રવાના કર્યો. દ્વારકાના મોટા ભાગના યાદવો મૃત્યુ પામતાં દ્વારકામાં નોધારી પડેલી સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોના રક્ષણ માટે બભ્રુને દ્વારકા જવા આદેશ આપ્યો. પણ એના ઉપર અણધાર્યો શસ્ત્રપ્રહાર થતાં કૃષ્ણને પોતાને દ્વારકા જવું પડ્યું. નિસ્તેજ દ્વારકામાં જઈને ભારે હૈયે એમણે પિતા વસુદેવને યાદવોના પારસ્પરિક વિનાશના સમાચાર આપ્યા. સ્ત્રીઓના રક્ષણની જવાબદારી સંભાળી લેવા આગ્રહ કર્યો અને અર્જુન આવે ત્યારે એને એ જવાબદારી ભળાવવાની સલાહ આપી. દ્વારકામાં જીવવું હવે કૃષ્ણને અકારું થઈ પડ્યું હતું. વનમાં પોતાની વાટ જોઈ રહેલા બળરામને મળી વનમાં જ તપશ્ચરણના સંકલ્પ સાથે એમણે દ્વારકા છોડ્યું તે છોડ્યું.

વનમાં મોટાભાઈ સાથે કંઈ વિચારવિમર્શ કરે તે પહેલાં તો મોટાભાઈ બળરામને શેષનાગના એમના અસલ સ્વરૂપમાં, સાગરમાં સમાતા જોઈ રહ્યા. હવે કૃષ્ણને પણ લાગ્યું કે એમનું અવતારકાર્ય પૂર્ણ થયું છે. તેઓ વનમાં ફરતા ફરતા સોમનાથ તીર્થને રસ્તે ભાલકા સ્થાને પધાર્યા. તન અને મનથી થાકેલા કૃષ્ણ પોતાના હાથના ટેકે આડા પડ્યા. એક પગ ઉપર બીજો પગ હતો. સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે યુગપ્રવર્તનનું સૂચક ચિહ્ન એમના ચરણ કમળને તળિયે ચમકતું હતું. જરા નામના પારધિએ એને મૃગની આંખ માની અને જે બાણ ચલાવ્યું તે એમનાં ચરણમાં ઘૂસી ગયું. શ્રી કૃષ્ણ તો યોગેશ્વર હતા. દેહોત્સર્ગ પૂર્વે ચિત્તવૃત્તિઓને અટકાવીને ધ્યાનસ્થ થયા હતા. ગાંધારીનો શાપ સાચો પડ્યો. જરા આવીને પગે પડી ગયો અને ક્ષમા યાચી. એના તરફ પણ યુગપુરુષને છાજે એવી ક્ષમા અને અમીભરી નજર નાખી કૃષ્ણપ્રભુ સ્વધામ પરત થયા. ભગવાન જન્મ્યા હતા ત્યારે જેમ ઋષિઓમુનિઓએ એમની સ્તુતિ કરી હતી એ જ રીતે એમના સ્વધામગમનને પણ દેવો, ગાંધર્વો અને ઋષિઓએ વધાવી લીધું. ઈન્દ્રનો આનંદ તો સમાતો ન હતો.

જગતને જેણે વર્ષો સુધી જીવંત અને ભર્યુંભર્યું રાખ્યું હતું તે ચૈતન્ય વિલાઈ ગયું. કૃષ્ણના કોઈપણ સ્વજનને માટે કૃષ્ણની કાયમી અનુપસ્થિતિનો વિચાર પણ હૃદય-વિદારક હતો. દ્વારકામાં ચારે બાજુ કલ્પાન્ત હતું. દ્વારકા નિરાધાર, નિસ્તેજ અને નિરાનંદ હતી. વસુદેવ જાણે કૃષ્ણના અભિન્ન સ્વરૂપ અર્જુનની પ્રતીક્ષા કરતા હતા. અર્જુન આવતાં જ એમના હૃદયના બંધ તૂટી ગયા. કૃષ્ણના વસુદેવને કહેવાયેલા છેલ્લા શબ્દો ‘य़ोडहं तं अर्जुनम बिद्धि, योडर्जुन: सोडहमेव तु ।’ નર-નારાયણ એક જ હતા. કૃષ્ણની સલાહ પ્રમાણે અવશિષ્ટ યાદવ પરિવારની જવાબદારી અર્જુનને સોંપી વસુદેવનો દેહ વિલય પામ્યો. અર્જુન માટે કૃષ્ણ વિનાની દ્વારકામાં રહેવું અસહ્ય અને અશક્ય હતું. એણે અવશિષ્ટ પરિવારને મળી સાતમા દિવસે ઈન્દ્રપ્રસ્થ જવાની વાત જાહેર કરી. વજ્ર નામના કૃષ્ણપુત્રને ઈન્દ્રપ્રસ્થની ગાદીએ બેસાડવાનું જાહેર થયું. અર્જુને સાતમા દિવસે સવારે દ્વારકા નગરી છોડી નીકળ્યો. નર-નારાયણનું દૈવત ન રહેતાં જે જે રસ્તે અર્જુન જતો હતો એ દ્વારકાના સામ્રાજ્ય ભાગને સમુદ્ર ડુબાડતો ગયો અને દૈવી નગરી દરિયામાં ડૂબી.

કાલની થપાટો એક પછી એક અવનવાં આશ્ચર્ય સર્જતી હતી. અર્જુન ભગવાન કૃષ્ણના અવશિષ્ટ પરિવાર, પટરાણીઓ અને ભગવાન કૃષ્ણ કે જેમણે અનેક નિર્વાસિત સ્ત્રીઓને વધૂપદનું ગૌરવ આપ્યું હતું તે બધાને લઈને ઈન્દ્રપ્રસ્થ જતાં સૌરાષ્ટ્રના ‘પંચનદ’ પથકમાં પ્રવેશ્યો. ત્યાંના આભીરો કે જેમને આપણી સંસ્કૃતિએ ‘કાબાઓ’ તરીકે ઓળખાવ્યા છે એમણે યાદવ સ્ત્રીઓને લૂંટી, કેટલીક સ્વેચ્છાએ ગઈ, કેટલીકનું અપહરણ થયું. વળાવિયા અર્જુનની શક્તિ જ જાણે હરાઈ ગઈ હતી. જે ગાંડીવથી અગિયાર અક્ષૌહિણી સેનાનો ખાત્મો બોલાવ્યો હતો એ દિવ્ય ગાંડીવ પણ નિર્વીર્ય બની રહ્યું. મહાભારતની કથાને આધારે આપણા સાહિત્યમાં જે કેટલીક કહેવતો અને બોધકવિતાઓ રચાઈ છે એમાંની એક બોધકથાનું ઉદાહરણ મળ્યું :

સમય સમય બલવાન હૈ, નહિ મનુષ્ય બલવાન.
કાબે અર્જુન લૂંટિયો વોહી ધનુષ વોહી બાણ.

[કુલ પાન : 306. કિંમત રૂ. 200. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન +91 79 26564279]

શાંતિનો સીધો મારગ ..

[ ‘ડૉક્ટરની ડાયરી : ભાગ-3’માંથી સાભાર. આપ ડૉ. શરદભાઈનો આ નંબર પર +91 9426344618 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

જાવું બહુ કઠિન છે, કાગળ સુધી તો જા,
તળની મમત ન રાખ, પ્રથમ જળ સુધી તો જા.

આબુના ભયંકર ખતરનાક અને છતાં પણ રમ્ય ઢોળાવો પર રમકડાંની જેમ સરકતી જતી કાર આખરે એક આશ્રમ પાસે આવીને ઊભી રહી. ફટાફટ દરવાજા ઊઘડ્યાં અને અંદરથી ‘અમે બે, અમારાં બે’ની જાહેરાતના ચિત્રમાં હોય છે એવું નાનું, ચાર જણાંનું બનેલું, સુખી કુટુંબ નીચે ઊતરી પડ્યું. પુરુષ, સ્ત્રી અને બે બાળકો. પુરુષે આશ્રમના બગીચાને પાણી પાઈ રહેલાં માળીને પૂછ્યું : ‘સચ્ચિદાનંદજીનો આશ્રમ આ જ છે ને ?’
‘હા.જી.’ માળીએ વિવેકપૂર્વક જવાબ આપ્યો : ‘પધારોને ! માતાજી અંદર જ છે.’

હા, સચ્ચિદાનંદજી એ કોઈ સંતપુરુષ નહોતાં, પણ સ્ત્રી હતાં, સાધ્વીજી હતાં. સત ચિત અને આનંદના સરવાળાને સ્ત્રીલિંગ કે પુંલિંગ નથી હોતું, હોઈ પણ ન શકે. એ તો મનની અંદર વ્યાપ્ત પવિત્ર આનંદની સમાધિ અવસ્થા છે. માળીએ પ્રેમપૂર્વક મહેમાનોને આવકાર આપ્યો અને અંદરના મોટા ખંડમાં દોરી ગયો. પરસેવાથી રેબઝેબ ચારેય જણાં ઠંડુ પાણી પીને જરા સ્વસ્થ થયા.
‘કહાં સે આતે હો ?’ માતાજીએ શિષ્ટ અવાજે શરૂઆત કરી.
‘ગુજરાતસે.’
‘તો આપણે ગુજરાતીમાં વાત કરીએ.’ માતાજી હસ્યાં : ‘હું પણ જન્મે ગુજરાતી છું. તમારું નામ ?’
‘પ્રશાંત.’
‘શું કરો છો ?’
‘ડૉક્ટર છું. એમ.એસ. થયો છું. જનરલ સર્જરીમાં માસ્ટર ડીગ્રી મેળવેલી છે. પ્રાઈવેટ સર્જીકલ હોમ ધરાવું છું. આ મારી પત્ની છે. આ બાબો છે, નાની છે એ બેબી છે.’
‘કમાઈને બેઠા છો ?’
‘ધરાઈ જવાય એટલું. સમૃદ્ધ છું.’
‘તો પછી અહીં સુધી લાંબા થવાનું કારણ ?’
‘સમૃદ્ધ ખરો, પણ સુખી નથી. મનની શાંતિ માટે ભટકું છું. ક્યાંકથી તમારો રેફરન્સ મળ્યો, એટલે અહીં આવ્યો છું.’

સાધ્વીજી હસ્યાં. ડૉક્ટર સામે નજર નોંધીને જોયું. પાંચ ફીટ દસ ઈંચની હાઈટ, મજબૂત દેહકાઠી, મોંઘાદાટ પેન્ટ-શર્ટ, પ્રેમિકા જેવી પત્ની, રમકડાં જેવાં બાળકો અને આશ્રમના ઝાંપા પાસે પડેલી રૂપકડી કાર ! સુખ તો આટલામાં જ પરખાઈ આવતું હતું. સમૃદ્ધિ ઘરે હશે. પણ શાંતિ ? મનનું ચેન ? ચિત્તનો આનંદ ? એ તો આદમીની અંદર વસતો હોય, એને પારખવો શી રીતે ? સાધ્વીજીએ નજરને ધારદાર બનાવી. ડૉક્ટરના મગજના પોલાણમાં ઉતારીને પાછી ખેંચી લીધી. માણસ સાચો લાગ્યો, સાત્વિક પણ…..! ખરેખર એને શાંતિની ઝંખના હતી અને જબરજસ્ત હતી.
‘ખરેખર શાંતિ મેળવવી છે ? હું મેળવી આપું એવી !’
‘હા. પણ મારા દિલને એનાથી સમાધાન મળવું જોઈએ.’
‘હું કહું એમ કરવું પડશે. છે તૈયારી ?’
‘કસોટી કરી જુઓ. માથું માગો તો એ પણ ઉતારી દઉં.’ ડૉક્ટરે કમળપૂજા કરવાના અભિનય સાથે કહ્યું.
‘તો ચાલો, ઊભા થાવ. તમારી ગાડી ભલે અહીં જ રહી. આપણે બીજી ગાડીમાં જઈએ છીએ.’
‘પણ ક્યાં ?’
‘નીચે. આબુ રોડ.’ આટલું કહીને માતાજી ઊભાં થયાં. બીજા એક ભક્ત ગાડી લઈને થોડી વાર પહેલાં જ એમને મળવા માટે આવ્યા હતા. એમની ગાડી ઉછીની લીધી. એમનો ડ્રાઈવર પણ માંગી લીધો. ‘હમણાં જ આવું છું.’ કહીને નીકળી પડ્યા. સીધા જઈ પહોંચ્યા આબુરોડની એક રેડીમેઈડ કપડાની દુકાનમાં. દુકાનદારને હુકમ કર્યો : ‘એક જોડી ઝભ્ભો-લેંઘો આપ.’ પેલો માતાજીને ઓળખતો હતો. એમની કાર્યપદ્ધતિને પણ ઓળખતો હતો. એટલે સૌથી સસ્તો, ઘરાકોના હાથમાં ફરીને ચોળાઈ ગયેલો, મેલોદાટ ઝભ્ભો-લેંધો કાઢી આપ્યો.

‘ડૉક્ટર, અંદરની ઓરડીમાં જઈને કપડાં બદલી આવો. તમારા કિંમતી શર્ટ-પેન્ટ અહીં જ મૂકી દો અને આ પહેરી લો.’
‘કેમ, એનાથી શું વળશે ?’
‘એ ધીમે ધીમે સમજાશે.’ માતાજી મર્માળુ સ્મિત કરી રહ્યાં હતાં. ડૉ. પ્રશાંતે આદેશનું પાલન કર્યું. ઓરડીના અરીસામાં જોયું તો હસવાનું પણ ભૂલી ગયા. આ કપડામાં એમનું તેજ, ડૉક્ટર તરીકેનું ગૌરવ, એમની આભા બધું જ ઓસરી જતું હતું.
‘હવે ?’
‘હવે અમે જઈએ છીએ આશ્રમ તરફ ગાડીમાં બેસીને, તમારે અહીં જ રહેવાનું છે. સાંજ સુધીમાં આશ્રમ ઉપર આવી જજો. મને ખબર છે કે તમારું પાકીટ તમારી પત્ની પાસે પડ્યું છે. તમારે ઘડીયાળ, વીંટી કે ચેઈન વેચવાના નથી. કોઈની પાસેથી ઉછીના પૈસા માંગવાના નથી. તમે ડૉક્ટર છો એવી ઓળખાણ કોઈને આપવાની નથી. તમારી પાસે બે કલાકનો સમય છે. જો તમે એટલા સમયમાં આવી નહીં પહોંચો તો ખોટી માથાકૂટ પડતી મૂકજો. હું તમારી ગાડી અને પરિવારને અહીં મોકલી આપીશ. સીધા અમદાવાદ જવાનો રસ્તો પકડી લેજો. શાંતિ નામનું સ્ટેશન તમારા જેવા પ્રવાસી માટે નથી એમ સમજી લેજો.’ માતાજી કોઈ ગુરુ જેમ શિષ્યની આકરી કસોટી કરે એમ ડૉક્ટરની સામે બીજી વાર જોયા પણ વગર ગાડીમાં બેસીને સડસડાટ ઊપડી ગયાં.

ડૉક્ટર હતપ્રભ બનીને જોતા રહ્યાં. દુકાનદારે લાકડી ઉપર બાંધેલું કપડું ઝાટકીને માંખો ઉડાડવાનો અભિનય કર્યો. ઈશારો ખુલ્લો હતો : ‘દુકાન આગળથી ટળો. હવા આવવા દો. અહીં શું ભિખારીની જેમ ઊભા રહ્યા છો ?’ હા….! ભિખારી જ ! ડૉ. પ્રશાંતના પેટમાં આંતરડાનું બુમરાણ ઊઠ્યું. કકડીને ભૂખ લાગી હતી. સવારનું કશું ખાધું ન હતું. મનમાં હતું કે માતાજીનાં આશ્રમે જઈને પેટપૂજા કરીશું. પણ માતાજીએ તો ભારે કરી. કપડાં ઉતારી લીધાં. પાછું કોઈની પાસેથી ઉધાર માંગવાની પણ મનાઈ કરતાં ગયાં.

અચાનક એમના મગજમાં વિચાર ઝબક્યો. ઉધાર માગવાની મનાઈ છે, પણ માગવાની ક્યાં ના છે ? તરત જ મનમાંથી બ્રેક લાગી, માગવું એ તો ભીખ કહેવાય. તો શું કરવું ? પદયાત્રા શરૂ કરી દેવી ? ભૂખ્યા પેટે બળવો કર્યો. પગ કરતાં હાથને તકલીફ દેવી બહેતર રહેશે. ભીખ તો ભીખ, અહીં કોણ પોતાને ઓળખવા નવરું બેઠું છે ? ડૉક્ટરે આજુબાજુ નજર દોડાવી. સામે મંદિરના પગથિયાં પાસે પાંચ-સાત ભિખારીઓ બેઠા હતા. ગંદા, ફાટેલા કપડાં પહેરેલાં, વધેલી દાઢીવાળા, નિસ્તેજ ચહેરાવાળા, અપંગ, જુગુપ્સા ઉત્પન્ન થાય એવા…! ડૉક્ટરે વધુ વિચાર કરવાનું માંડી વાળ્યું. ભિખારીઓની વચ્ચે જઈને ગોઠવાઈ ગયા. આવતા-જતા શ્રદ્ધાળુઓ સામે હાથ લાંબો કરીને ભીખ માટે યાચના કરી.
‘શું છે ?’ એમનો કલીનશેવ્ડ ચહેરો અને આંખ પરના સોનેરી ફ્રેમના ચશ્માં જોઈને એક પુરુષે પૂછપરછ કરી.
‘પૈસાની જરૂર છે.’
‘શરમાતો નથી ? ગળામાં સોનાની ચેઈન છે, હાથમાં વીંટી અને ઘડિયાળ છે. મારા બેટા ભીખ માગીને દાગીના પહેરે છે અને અહીં સોનું જોવાના સાંસા છે ! શું જમાનો આવ્યો છે ?’ બબડતો બબડતો પેલો પગથિયા ચડી ગયો. કદાચ આજે એ ભગવાન પાસે હાથ જોડીને માગણી પણ આવા નસીબદાર ભિખારી થવાની જ કરવાનો હશે.

ડૉક્ટરે બીજી જ મિનિટે શરીર ઉપરનો તમામ શણગાર ઉતારીને ઝભ્ભાના ખિસ્સાને હવાલે કરી દીધો. પણ ચહેરા ઉપર ઝલકતી સુંવાળપને ક્યાં સંતાડવી ? ભિખારીનો અભિનય અસલી ભિખારીઓની પંગતમાં તો નહીં જ જામે એમ સમજીને એ ઊભા થઈ ગયા. બાજુમાં થોડે દૂર પાનનો ગલ્લો હતો, ત્યાં જઈને ગલ્લાવાળાને આજીજી કરી, ‘બોસ, વખાનો માર્યો હું વધુ કંઈ કહી શકું એમ નથી. ઉપર સુધી જવા માટેનું ભાડું આપ. તારો ઉપકાર કદી નહિ ભૂલું.’
પણ પાનવાળો પીગળ્યો નહીં. ભિખારીઓ એણે કરેલા ઉપકારને યાદ રાખે એ બાબતમાં એને ખાસ રસ જેવું લાગ્યું નહીં હોય. બહુ બહુ તો એણે મફત પાન બનાવી આપવાની ઓફર કરી. પણ એ વાત ડૉક્ટરને મંજૂર નહોતી. પાન ખાતાં ભિખારીને તો કોઈ પૈસોયે ના આપે ! સમય સરકી રહ્યો હતો. ડૉક્ટર એક અવળવાણી જેવો પડકાર હારી જવાની અણી પર હતા. ભીખ માગવી અને મેળવવી પણ કેટલી મુશ્કેલ વાત છે એ આજે સમજાયું. એમણે હવે શરમ સાથે છુટાછેડા લઈ લીધા. રસ્તા ઉપર ચાલતા એક એક માણસને રોકીને રૂપિયા માગવાનું શરૂ કર્યું. છેવટે એક જણ હરિનો લાલ નીકળ્યો. એમને સાવ ભિખારી માનીને નહીં, પણ સંજોગોનો શિકાર બનેલા ગૃહસ્થ સમજીને વીસ રૂપિયા આપી દીધા.

ડૉક્ટરની આંખમાં આંસુ આવી ગયા. રૂપિયાનું આ મૂલ્ય છે ? પેશન્ટની પલ્સ પર અડધી મિનિટ હાથ મૂકીને એ સો-દોઢસો રૂપિયા કમાઈ લેતા હતા. એકાદ કલાકનું ઓપરેશન દસ-પંદર હજાર રૂપિયા તાણી લાવતું હતું. પૈસો એમની પાસે બહુ સરળતાથી આવતો હતો. પણ એ તો એમની પાસે ! એ જેમની પાસેથી આવતો હતો એમનું શું ? એમના અસંખ્ય દર્દીઓ ગામડાંના હતા. ગરીબ હતા. એમણે આપેલી નોટોમાં પરસેવાની ભીનાશ હતી. એ ભીખ નહોતી, મજૂરી હતી અને ભીખ કરતાં મજૂરીની ટંકશાળમાં બહાર પડતી કરન્સી વધુ મોંઘી હોય છે. આ વાત આજે સમજાણી. એક ટેક્સીવાળો જોરજોરથી ઘરાકોને ખેંચી રહ્યો હતો : ‘એક સવારી કે બારહ રૂપયે…. એક સવારી કે બારહ રૂપયે !….’ ડૉ. પ્રશાંતે ગણતરી કરી જોઈ. ભાડું કાઢતાં આઠ રૂપિયા વધતા હતા. એટલામાં પેટ ભરીને નાસ્તો પણ થઈ જાય. પણ કોણ જાણે કેમ. હવે ‘ભૂખ’ મરી ગઈ હતી. વધારાના આઠ રૂપિયા મંદિરની બહાર બેઠેલાં ‘જાતભાઈઓ’માં વહેંચીને એ ટેક્સીમાં ગોઠવાઈ ગયા. સવારી ‘પેક’ થઈ ગઈ એટલે ડ્રાઈવરે ગાડી ઉપાડી. થોડી જ વાર પછી ડૉક્ટર મા સચ્ચિદાનંદની સન્મુખ બેઠા હતા.

માતાજીએ વહાલપૂર્વક એમની સામે જોયું. પ્રસાદની થાળી મંગાવીને આગ્રહપૂર્વક ભોજન કરાવ્યું. પાણી પાયું. પછી શાંતિથી પૂછ્યું : ‘બેટા, કંઈ ફરક જેવું લાગે છે ?’
‘હા, મા ! મનમાંથી અહંકાર ઓગળી ગયો. મારો પૈસો તો મારી ડીગ્રીને આભારી છે, મારી ચમક-દમકને આભારી છે. મારા કપડાંને આભારી છે. મારી ઓળખમાંથી આ બધું કાઢી નાખું તો બાકી શું રહે છે ? ઊભી બજારે એક કલાક સુધી અથડાયા કરું તો યે કોઈ આ દેહને એક રૂપિયો પણ આપતું નથી.’
‘બેટા, દુનિયાની કડવી વાસ્તવિકતા જોઈ લીધી ને ?’
‘જોઈ લીધી, મા…..!’
‘તારા માટે ભીખ માગી એવી બીજા માટે માગી શકાશે, બેટા ?’ માતાજી ધીમે ધીમે વાતનાં મર્મ તરફ આવી રહ્યાં હતાં.
‘એટલે ?’
‘છોડી દે આ માયા તમામ ! તારી જે દશા આ એક કલાક દરમ્યાન હતી, એવી જ દશા, એના કરતાં પણ વધુ દયાજનક, વધુ ક્ષોભજનક સ્થિતિ આ દેશના એંશી ટકા લોકોની છે. ઈશ્વરે તારા હાથમાં જાદુ મૂક્યો છે. એ કુદરતની કૃપાને કમાણીનું સાધન બનાવવાનું બંધ કરી દે. તારા ઈલમને છુટ્ટો મેલી દે. ચેરીટેબલ હોસ્પિટલ શરૂ કર. સાવ પડતર ભાવે સારવાર, ઓપરેશન કરવાનું ચાલુ કર. પૈસા ખૂટે તો તવંગરોની પાસે જઈને હાથ લાંબો કરજે. આ જગત માત્ર ભિખારીઓથી જ ભરેલું નથી. એમાં જગડુશા જેવા દાતાઓ પણ વસે છે. તું મારી પાસે શાંતિની ખોજમાં આવ્યો હતો ને ? જા, તને મારાં આશીર્વાદ છે. તું ગરીબ દર્દીઓને તનની શાંતિ આપ. તારા મનની શાંતિનું મૂળ એમાં જ પડેલું છે.’ માતાજીએ હથેળી ઊંચી કરી. ડૉ. પ્રશાંત પ્રણિપાતની મુદ્રામાં ઢળી પડ્યા.

આ લેખ એ મારી કવિકલ્પના નથી. આ માની ન શકાય એવી વાત જ્યારે તમે વાંચી રહ્યા હશો, બરાબર એ જ સમયે ડૉ. પ્રશાંતનું અદ્યતન ચેરીટેબલ દવાખાનું અમદાવાદના ધરણીધર દેરાસર વિસ્તારમાં શુભારંભ પામી રહ્યું હશે. તાલુકાના શહેરમાં આવેલી એમની ખાનગી, ધીકતી પ્રેક્ટીસ એમણે બંધ કરી દીધી છે. આખા પરિવારે જિંદગીની જાહોજલાલી જોઈ લીધી છે, હવે ફકીરીનો માર્ગ સ્વીકાર્યો છે. એમની પત્ની રાજીખુશીથી એમની પાછળ જ છે, અદ્દલ એ જ રીતે જે રીતે આજથી બાર વર્ષ પહેલાં લગ્નની ચૉરી ફરતે ચાર ફેરા ફરવામાં પતિની સાથે હતાં.

આજે એક વાત મારા ડૉક્ટર મિત્રોને પણ કહેવી છે. ગુજરાતભરના જુનિયર-સિનિયર તબીબોએ ‘ડૉ.ની ડાયરી’ને ખૂબ ખૂબ પ્રેમ આપ્યો છે. એટલે જ મારા મનમાં પડેલી વાત એમની આગળ રમતી મૂકું છું. જિંદગીના દસ, વીસ કે ત્રીસ વર્ષ ભલે નોટો છાપવામાં ગાળી દો, દુકાનો ખોલો કે પોલીકલીનિકના અડ્ડાઓ ચલાવો, પણ ઓડકાર આવી ગયા પછી તો કંઈક વિચારો ! પ્રત્યેક શહેરમાં કમ સે કમ એક તો એવો મર્દ પાકે જે આપણી જમાતને ઊજળી દેખાડી બતાવે. એમ ન માનશો કે નિશાન ફક્ત તમારી જ દિશામાં નોંધાયેલું છે, હું પણ તમારી વચ્ચે જ ઊભો છું. બાપદાદાની બાંધેલ ડહેલી, એક મેડીબંધ હોલ હવેલી, ગામની ચિંતા ગોંદરે મેલી, સૌ સૂતાં હોય એમ કાં લાગે ? આપણામાંથી કો’ક તો જાગે ! (જેને જાગવું હોય એ મારો સંપર્ક કરી શકે છે, બાકી ઊંઘવું જ હોય તો બિછાનાં ક્યાં કમ છે ? હા, પૈસો પથારી આપી શકે છે, ઊંઘ નહીં.)

[કુલ પાન : 323. કિંમત રૂ. 170. પ્રાપ્તિસ્થાન : પાર્શ્વ પબ્લિકેશન. નિશાપોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ, અમદાવાદ-380001.]

Who can invest in Indian Stocks?

As you might know, most investors in any stock market in the world can be divided into two broad groups- Individual investors and Institutional investors .
*Individual investor* means an investor like you and me who is investing own money.
On the other hand, an *institutional investor* is a mutual fund, pension fund or a company like Microsoft who is investing others' money (I mean clients' money or shareholders' money).

Another dimension for looking at investors is- Foreign or Domestic. So an Individual Investor can be placed in one of the two groups: Resident or the Non-Resident. Citizen or non-citizen.
Similarly an institutional investor can be domestic or foreign.

So broadly speaking, there are 4 different types of market participants when it comes to investing in any country or stock market. Countries like the USA have free markets and few investing/ trading restrictions but most emerging countries have different rules and restrictions for different entities. So let us take a look at investing implications for these four groups in India.

Resident Indian Individuals: They can, directly or thro stock market, invest/trade in India without much restrictions. So if you are a citizen of India who lives in India, there are no restrictions on you to invest/trade in Indian stocks. (SEBI and NSE/BSE's regulations like Insider trading in India still apply to you like any other market participant in India.)
Domestic Institutions: Subject to the Articles of Association and MoA of the charter and subject to SEBI's rules and regulations, a domestic company (including mutual funds, financial institutions) can also freely (I mean at will) invest, directly or through stock market, in Indian securities.
People who are not resident of India. Let us divide them in two subgroups
Nonresident Indians (NRIs) and institutions controlled by them: Subject to certain special provisions, more or less, NRIs can also, directly or thro Indian stock exchanges, invest/trade in Indian stocks. (Remember to read this whole article for details about how an NRI can buy and sell stocks bonds real estate in India.)
Foreign *Individual* Investors: Sorry, if you are a citizen of any other country (other than Nepal, Bhutan, Pakistan) and if you, or your parent or grandparents, had no ties with India at any time, currently you can **not** invest directly or through Indian Stock Exchanges in India. However there are some indirect ways for you to invest in India. Two most prominent ways are through ADRs (American Depository Receipts) issued by Indian companies in foreign markets or through mutual funds floated by foreign or domestic Institutional Investors. (Remember to read toward end of this page for details about how you can invest in India stocks and securities.)
Foreign Institutional Investors (FIIs): Subject to certain regulations by India's central bank, Reserve Bank of India, and India's security markets watchdog, SEC like entity- Securities and Exchange Board of India (SEBI), foreign institutions investors can invest/trade almost in any Indian securities.(If you fall in this group, please look at this page which has information for you!)


IMPORTANT::::You might want to look at this big picture Master Document about who can invest in what in India.

Now let us look at the third group- NRIs and Foreign Nationals- and how they can purchase Indian stocks or trade through India based stock brokerWho is a Nonresident Indian?

NON-RESIDENT INDIAN (NRI ):
An Indian citizen or a foreign citizen of Indian origin who stays abroad for employment/carrying on business or vocation or under circumstances indicating an intention for an uncertain duration of stay abroad is a NONRESIDENT INDIAN ( NRI ). ( Those who stay abroad on business visit, medical treatment, study or such other purposes which do not indicate an intention to stay there for an indefinite period will not be considered as NRIs. Students who go abroad for studies with an intention to stay there for an uncertain period and who stayed abroad for more than 180 days in the preceding financial year will be treated as Non Resident Indians).

FOREIGN CITIZEN OF INDIAN ORIGIN (POI- Persons of Indian Origin):
For the purposes of availing of the facilities of opening and maintenance of bank accounts , a foreign citizen (but not a citizen of Pakistan or Bangladesh) is deemed to be of Indian Origin, if he, at any time was an Indian citizen or either of his parents or any of his grandparents was a citizen of India. A spouse (not being a citizen of Pakistan or Bangladesh) of an NRI is also treated as an NRI for the above purposes. For investments in shares/securities in India, a foreign citizen (but not a citizen of Pakistan, Bangladesh or Sri Lanka) is deemed to be of Indian Origin, subject to satisfaction of the other conditions above. For investments in immovable properties, a foreign citizen (but not a citizen of Pakistan, Bangladesh, Afghanistan, Bhutan, Nepal or Sri Lanka) is deemed to be of Indian Origin, if he, at any time, was an Indian citizen or his father or paternal grandfather was an Indian citizen.

(Unless specifically mentioned, "NRIs" in this document usually means "NRIs" and "POIs")
What are the investment opportunities available to NRIs in India?

Before we dig into the details of investment alternatives to NRIs, it would be helpful to define two terms: REPATRIATION BASIS and NON-REPATRIATION BASIS. Investment on REPATRIATION BASIS can be taken back to the country of residence of NRI. That means, if you are a NRI living in the USA, you can convert the sale proceeds of your REPATRIABLE INVSETMENTS in US dollars and can transfer to your bank account in USA without any restrictions. If your investment is on NON_REPATRIATION BASIS, you can not convert your rupees in any foreign currency. Most of the investments made out of your NRE accounts are usually on the REPATRIATION basis.


* Government Securities/Units/ National Savings Certificates:

NRIs are freely permitted to invest their funds in Government securities or Units of UTI through authorized dealers. Units can also be purchased directly from UTI. Investments in National Savings Certificates can be made by NRIs subject to the terms and conditions applicable to the sale/issue of such certificates. However, NRIs are not permitted to invest in bearer securities like Indira Vikas Patra/Kisan Vikas Patra.
These investments can be freely transferred or sold, provided the transfers/sales are arranged through an authorized dealer. Units can, however, be repurchased directly by UTI.

If such securities were purchased out of funds remitted from abroad or out of NRE/FCNR accounts, sale/maturity proceeds can be repatriated. Sale/maturity proceeds of securities purchased out of funds in NRO accounts can only be credited to NRO accounts and cannot be remitted abroad.

* Company Shares/Debentures
NRIs are permitted to make direct investments in proprietary/partnership concerns in India as also in shares/debentures of Indian companies. They are also permitted to make portfolio investments i.e. purchase of shares/debentures of Indian companies through stock exchange/s in India. These facilities are granted both on repatriation and non-repatriation basis.

(How much can NRIs invest in individual companies in India? In the case of NRIs under PIS it is to be ensured that the paid-up value of shares/ convertible debentures purchased by an NRI under PIS route should not exceed 5% of the paid up capital/ paid up value of each series of debentures. The aggregate paid-up value of shares/ convertible debentures purchased by all NRIs should not exceed 10% of the paid-up capital of the company/paid-up value of series of debentures of the company. The aggregate ceiling of 10% can be raised to 24%, if the General Body of the Indian company concerned passes a special resolution to that effect. The NRI investor should take delivery of the shares purchased and give delivery of shares sold. Payment for purchase of shares and/or debentures is made by inward remittance in foreign exchange through normal banking channels or out of funds held in NRE/FCNR account maintained in India if the shares are purchased on repatriation basis and by inward remittance or out of funds held in NRE/FCNR/NRO account of the NRI concerned, maintained in India where shares/debentures are purchased on non-repatriation basis.

There is no limit on NRI purchasing shares/ convertible debentures issued by an Indian company on non-repatriation basis whether by public issue or private placement. Amount of consideration for such purchase shall be paid by inward remittance through normal banking channels from abroad or out of funds held in NRE/FCNR/NRO account maintained with the AD. NRI can also, without any limit, purchase on non-repatriation basis dated Government securities, treasury bills, units of domestic mutual funds, units of Money Market Mutual Funds. )

* Investment in Immovable Property
Reserve Bank has granted general permission to foreign citizens of Indian origin, whether resident in India or abroad, to purchase immovable property in India for their bona fide residential purpose. They are, therefore, not required to obtain any **prior** permission of Reserve Bank. (One important note: If you are NRI (Nonresident but still citizen of India, you are at an advantage. If you are POI (Nonresident and also not citizen of India), you have to buy property with Foreign Exchange or out of funds from your NRE/FCNR(B)/NRO account.)
However after the purchase is made, they are required to file a declaration in form IPI 7 with the Central Office of Reserve Bank at Mumbai within a period of 90 days from the date of purchase of immovable property or final payment of purchase consideration along with a certified copy of the document evidencing the transaction and bank certificate regarding the consideration paid.
Can such property be sold without the permission of Reserve Bank? Yes. Reserve Bank has granted general permission for sale of such property.

As the focus of this page is INVESTING IN INDIA, let me add some relevant information: Can sale proceeds of such property if and when sold be remitted out of India? In respect of residential properties purchased on or after 26th May 1993, Reserve Bank considers applications for repatriation of sale proceeds up to the consideration amount remitted in foreign exchange for the acquisition of the property for two such properties. The balance amount of sale proceeds if any or sale proceeds in respect of properties purchased prior to 26th May 1993, will have to be credited to the ordinary nonresident rupee account of the owner of the property. Applications for necessary permission for remittance of sale proceeds should be made in form IPI 8 to the Central Office of Reserve Bank at Mumbai within 90 days of the sale of the property.



How can an NRI invest/trade in Indian stock markets?

Step 1: Get PAN Number, Open three types of accounts and get Reserve Bank of India's one time permission.

Obtain PAN number from IncomeTax Department of India if you don't have one. Since Jan 1, 2007, it is compulsory to have PAN if you want to place any trade with a broker in India.
What is a PAN card? Is it compulsory to have a PAN card if I am an NRI?
Permanent Account Number (PAN) card is issued to anybody who pays or will have to pay taxes in due time in India. As per the new rules and guidelines, even NRI’s are required to have a PAN card
Need more information about PAN card and how to get it? Don't worry. All you need for getting a PAN card is right here on this website. Please click here for PAN Card form and instructions.
Important: PAN Card application requires very odd sized photos 35mm x 25 mm and only way is to get PAN Card photos at reasonable rates in the USA is with http://www.onlinepassportphotos.com

Open two bank accounts with RBI (Reserve Bank of India) approved *Designated* Bank Branch- NRE Account and NRO Account
(What is a designated branch? It is a bank branch which is selected/approved by Reserve Bank of India to open NRE accounts that are intended to be used for buying and selling stocks on stock exchanges. Such branches also have the expertise and infrastructure to handle NRI's trading under RBI's Portfolio Investment Scheme. They help you get necessary approvals and help RBI watch NRIs holdings in various companies. Want to know more? Email me.)

Some tips about which bank to select:
Compare various banks and choose a bank to open NRE and NRO accounts with it. Few prominent Indian banks are SBI, ICICI Bank, Citibank. Be prepared to fill up some papers, produce evidences to prove that you are an NRI and notorize some forms.
Here is a list of some important factors in choosing a bank:
Does the bank have a branch in your local town/city in India?
Does it have a branch in your current city of residence abroad (I mean USA, England, Russia wherever you are living?
Does the bank offer online banking facility?
Does it have dedicated staff for providing trading/investing needs of NRI investors like yourself?
Is the bank-branch a designated branch by RBI under Portfolio Scheme (for investment by NRIs thro stock exchangers)?
Does the bank prefer or work with any SEBI registered stock brokers?
Does the bank itself offer any stock broking/brokerage services?
Is the bank Depository Participant? Does it open *Individual's demat accounts?
Very important: What are their charges and fees? (Some of the banks charge too high fees for even basic services. So do your homework.)Banks which offer Accounts for NRIs
Citi Bank, HDFC Bank
Global Trust Bank, UTI Bank
Vysya Bank, Times Bank, Canara Bank
IndusInd Bank, Oriental Bank of India



Open a Demat Account with a Depository Participant
(What is this? If you are in the USA or some developed country, you probably don't know about such accounts even though you might have one or more such accounts! If you have a brokerage account with any broker like Ameritrade or E*Trade, you also have a depository account somewhere. This depository account maintains your stock balances so you get stock splits, dividends, Meeting notices and Annual reports etc.
The depository concept is similar to the Banking system with the exception that banks handle funds whereas a depository handles securities of the investors. A depository can therefore be conceived of as a "Bank" for securities. An investor wishing to utilize the services offered by a depository has to open an account with the depository through the Depository Participant. This is very similar to opening an account with any of the branches of a bank in order to utilize the services of that bank.)

How to choose a good DP for you?
Open a Demat account. You can check with your banker or broker above. Chances are they are also Depository Participant.
Here is a list of Important factors in choosing a DP:
Is it Depository Participant with NSDL or CDCL? NSDL is the biggest depository institution in India.
Does it offer online account viewing?
Does it let you transfer stocks into and out of it to your brokers' account for clearing purposes?
What is its fee structure?
What extra services does it offer?
If you are going to demat your old share certificates in India, make sure the DP is easily reachable in person.
Do they seem knowledgeable about demat accounts by NRIs?

Open an account with a stock broker. Well, you need a stock broker to execute your buy and sell orders. (There are two major stock exchanges in India- Bombay Stock Exchange (BSE) and National Stock Exchange (NSE). Each of them have several hundred members. So open an account with a stockbroker who is a member of either of the stock exchange. As NSE has nationwide coverage and is professionally run, an account with a NSE member is more desirable over an account with a BSE member. One such stock broker who is in the process of setting up services for NRI is InvestMentor Securities Ltd (a SEBI registered stock with membership of National Stock Exchange. The company is in the process of acquiring BSE membership. Plus, InvestMentor is a depository participant with several thousand demat account (see item 2 above). So you can open your Demat as well as stock trading account with InvestMentor Online.)

How to select a stock broker for trading stocks in India?
Compare various stock brokers and choose a broker to open your stock trading account. Make sure your broker likes your banker (where you have decided to open your bank accounts.) Settlement of trades in India is now T+2 (which happens to be speedier than what you will find in advanced country like USA! Mera Bharat Mahan. Jai Hind.)
Here is a list of Important factors in choosing a stock-broker in India:
Is it registered with SEBI as a stock broker?
Which stock exchanges the broker is a member of? If it is a member of both NSE and BSE, it is much better.
If you are looking to trade Indian stocks and derivatives, check if the broker is a member of Equity as well as Derivatives segments of the National Stock Exchange/Bombay Stock Exchange.
What are the brokerage commissions?
Does it offer online stock trading facility?
How seamlessly does the brokers' infrastructure work with your bank and DP?
Does it have dedicated/expert staff to handle details of investing by NRIs like yourself?

Once these three accounts are in place, see if you have a local relative/representative ***IN INDIA** who can spare some time for you if and when needed. Can you trust him or her? Can you give her a power of attorney? Would she be motivated to do follow up on behalf of you if needed? If you do not have such person, you may be getting into some dirty waters. So be very careful before you proceed without having a local rep for you. (Important tip about investing in India: Remember to compensate him or her for his/her services as an agent/power of attorney-holder for you. Don't expect anyone to work for free for you. Period. This aligns his/her interests with yours.)
I strongly recommend that in order to make your investing in India smoother, please find a relative or a person who you can trust and who you think has right motivation to take care of your stuff. Give a Power of Attorney to such a person.
Get Reserve Bank of India's approval for investing in Indian stocks under Portfolio scheme. The application is to be submitted to Reserve Bank through a designated branch of a bank in India in one of the prescribed forms, i.e. NRC/NRI/RPC/RPI. Reserve Bank issues general permission for a period of 5 years which can be renewed further by authorized dealer concerned for a period of 5 years at a time. The approval you get is general approval and you don't need to get any other approval from RBI over the next 5 or so years.
The purpose of such approvals is not to reject your application but to keep records/traces of your investments in the country so most of NRIs would get this approval within around 2 weeks.

Click here to see the list of items/forms you need in filling up forms to open bank, trading and demat accounts.

Step 2: Now you are ready to invest/trade in Indian stocks. So here are the routine things you will need to do.

STOCK SELECTION: As always, you will need to do research before you take a plunge. So do your research and select the stocks you want to invest in.
CLEARANCE FROM YOUR BANK: Contact your bank with the list of stock you are intending to invest in and your bank will clear you for trading/investing in those stocks. (As per Indian rules, NRIs can not collectively acquire more than 24%, 40% or X % of the paid up capital of an Indian company. So RBI maintains the current levels of NRI holding in various companies thro the designated branches. After you give your list to your banker, she would check her lists and make sure there is room in individual companies for NRIs to invest. If the limit is exceeded, you might not be able to invest in those stocks. So make sure you get prior clearance about your investments from your banker.)
PLACE TRADES THROUGH STOCK BROKER: Place your order(s) with your stock broker. With many stock brokers, you an place now online orders. Thanks to Internet, this step is much easier now.
FORWARD COPY OF TRADE CONFIRMATION TO YOUR BANK. After you order is confirmed, forward a copy of the TRADE CONFIRMATION to your bank
PAY TO YOUR BROKER FOR PURCHASES AND TELL HIM ABOUT YOUR DEMAT ACCOUNT: Write a check out of your NRE/NRO account to the stock broker. On the settlement date, your stock broker will send the stocks to your demat account so you might want to verify with your depository participant if the stocks are credited in your account. If your demat account is also with the broker you are trading with, your life will be a bit simpler- one less institution to deal with. Also, thanks to the Internet, currently many banks and demat institutions offer online access to your accounts which comes handy in managing your investments in India.
CLOSING/ SELLING YOUR INVESTMENT: Fortunately, repeat step 3 and 4 above. Place a SELL order with your broker. When your order is confirmed, transfer shares to your broker's clearing account from your demat account. After settlement, your broker will give you a check. Take that check and a copy of broker's bill showing the SELL transaction to your bank account for deposit. The bank will withhold some taxes on the gains you had and deposit the rest amount in your account. (Certain bank branches may require you to get a certificate about how much to withhold from your accountant or lawyer.)
FILE YOUR TAX RETURNS EVERY YEAR: Most of the time, you might be able to get refund from the withholdings done by your banker. Sometimes you might owe additional taxes to Indian government. Check with your tax consultant in India. (There is only FEDERAL type of tax in India. There are no STATE or local taxes levied on individuals.)


Also, if you are looking for more info, you might want to look at this FEMA Circular 20 Section 3 about investments in India by NRIs

How can a Foreign Individual Investor invest in India?

Following are few alternatives for Foreign Individual Investors to invest in India.

If you are a citizen of Nepal or Bhutan, Indian markets are open for you to invest directly or thro stock markets. Citizens of Nepal and Bhutan are permitted to invest in Indian Securities on repatriation basis subject to the condition that the amount of consideration for such purchase on repatriation basis shall be paid only by way of inward remittance in free foreign exchange through normal banking channels or by debit to their NRE/ FCNR(B) accounts.
ADR/GDR. American/Global Depository Receipt. Many prominent Indian companies have issued ADR/ADS in foreign stock markets. They are traded in the US and European stock exchanges.
What is an ADR? An Indian company wanting to raise money in foreign capital markets may issue some stocks to a depository or a trust company which in turn would issue foreign currency dominated stocks based on the holding of Indian companies stock.
One prominent example is INFY (INFOSYS) traded on NASDAQ. Infosys is India's #1 software company. As of today, May 16, 2005, INFY is trading at around 63 dollars on NASDAQ. Each stock of INFY you buy in the USA is equivalent to buying one stock of Infosys in India. So this is one alternative for foreign citizens to invest in India.

Notes: Because there may be greater demand for certain Indian stocks in international market, their ADR/GDR may be quoted at steep premium in the USA. As an example, the price of INFY in Indian rupees as of today is around 2740 Rs. (63$ * 43.5 = 2740 Indian Rupees) However if you were a lucky Indian, Non-resident Indian or Foreign Institutional investor, you can buy the same stock in Indian market for around 2050 RS on Indian stock exchanges. So my point is: INFY ADR opened up the Indian market for Foreign Individual investors like you but you are expected to pay around 35% premium for owning Infosys stocks in the USA.
Look at the following link to see quotes of some Indian ADRs and how much premium or discount they are traded at in foreign currency compared to their value in local stock exchange in India.
http://www.equitymaster.com/stockquotes/adr.asp
http://www.indiainfoline.com/stok/gdrp/
Through Indian funds: IFN, IGF.

સરળ રાજયોગ (Rajyog)..

ઘણાં વખતથી મારે રાજયોગ વીશે લખવું હતું, પરંતુ યોગ્ય સમયની રાહ જોતો હતો. અને ગઈકાલે જ સુરેશદાદાની એ વીશેની પૃચ્છાએ આ લેખ લખવા મને ઇંધણ પુરું પાડ્યું.

ઋષી પતંજલીએ આજથી લગભગ 2500 વર્ષ પહેલાં ‘યોગસુત્ર‘ લખ્યાં છે, જેમાં રાજયોગનાં સીધ્ધાંતો પ્રતીપાદીત કરવામાં આવ્યાં છે. શ્વેતાશ્વતર ઉપનીષદમાં પણ સમાધી, કૈવલ્યપદ વગેરેની સુક્ષ્મ સમજુતી આપવામાં આવી છે. સ્વામી વીવેકાનંદે એમનાં ‘રાજયોગ’ પુસ્તકમાં દરેક સીધ્ધાંતોની વીસ્તૃત ચર્ચા કરી છે. અહીં હું એમના પુસ્તકનો આધાર લઈને સરળ રાજયોગની પધ્ધતી જણાવું છું. સાથે, મારા પોતાના અનુભવો પણ વર્ણવીશ.

રાજયોગ દ્વૈત અથવા અદ્વૈત બન્નેનાં અંતીમ ધ્યેયને પ્રાપ્ત કરવાનાં ઘણાં સાધનોમાંનો એક છે. ભક્તી, સંન્યાસ, કર્મ વગેરે અનેક જુદાં જુદાં રસ્તાઓ અંતે તો એક જ બની જાય છે. શરુઆતમાં દરેક રસ્તા અલગ અલગ જણાય છે, પરંતુ એકનું ચુસ્ત પાલન આપોઆપ અંતે તો એક જ સામાન્ય માર્ગે દોરી જાય છે.
રાજયોગનાં આઠ પગથીયાં (8 steps of Rajyog):

1. યમ:
જેમાં સત્ય - હકીકત જેવી છે તેવી જણાવવી, અહીંસા - કોઇ પણ પદાર્થ/જીવને હાની ના પહોંચાડવી, અસ્તેય - કોઇની વસ્તુ પડાવી ના લેવી, અપરીગ્રહ - ગમે તે સંજોગોમાં કોઇની પાસેથી દાન ના લેવું, બ્રહ્મચર્ય - ઇંદ્રીયોનો સંયમ (દમન નહીં) જેવાં પાંચ કર્મ આધારીત પદ છે. દરેક પદ વીશે ઘણું લખી શકાય તેમ છે, પરંતું અંતે તો એ જે તે પાલનકર્તાની વીવેકબુધ્ધી અને સામાજીક નીયમો પર આધારીત છે. અહીંસામાં દ્રઢ થવાથી વૈરભાવ નીકળી જાય છે. સત્યમાં પ્રતીષ્ઠીત થવાથી કર્મો કર્યા વીના કર્મોનું ફળ પ્રાપ્ત થાય છે. અસ્તેયમાં દ્રઢ થવાથી સર્વ રત્નો પ્રાપ્ત થાય છે. બ્રહ્મચર્યમાં સ્થીર થવાથી શક્તી મળે છે. અપરીગ્રહમાં દ્રઢ થવાથી પાછલા જન્મોની સ્મૃતી થાય છે.

2. નીયમ:
જેમાં તપ - શારીરીક કષ્ટ સહન કરવાં, સ્વાધ્યાય - સતત શાબ્દીક/અર્ધશાબ્દીક/માનસીક જપ, શૌચ - બાહ્ય (શારીરીક) અને આંતરીક (માનસીક) શુધ્ધી, સંતોષ - હકીકત જેવી છે તેવી સ્વીકારવી, ઇશ્વર પ્રણીધાન - ભજન, કીર્તન, પ્રાર્થના, પુજા, અર્ચના; એમ પાંચ પદ છે. ફરીથી, આ દરેક પાલનકર્તાની વીવેકબુધ્ધી, સામાજીક નીયમો અને દેશ-કાળ પર આધાર રાખે છે. તપ વડે શરીર અને ઈંદ્રીયોની સીધ્ધીઓ આવે છે. શૌચથી ચીત્તની શુધ્ધી, પ્રસન્નતા, એકાગ્રતા, ઈન્દ્રીયજય અને આત્મદર્શનની યોગ્યતા આવે છે. સંતોષથી સર્વોત્તમ સુખ પ્રાપ્ત થાય છે. સ્વાધ્યાય વડે ઈષ્ટદેવનો સાક્ષાત્કાર થાય છે. ઈશ્વર પ્રણીધાનથી સમાધી પ્રાપ્ત થાય છે.

3. આસન:
ગરદન, માથું, કરોડ ટટ્ટાર રાખીને એક સ્થીતીમાં લાંબા સમય સુધી બેસવું. દરેકને પોતાની પ્રકૃતી પ્રમાણે પદ્માસન, સુખાસન, સીધ્ધાસન, મુળબંધનાસન, વજ્રાસન વગેરે આસનોમાંથી એક અનુકુળ આવી શકે છે. આસનથી દ્વંદ્વોની અસર નાબુદ થાય છે.

4. પ્રાણાયામ:
આપણે ત્રણ નાડીઓ દ્વારા શ્વાસ લઇએ છીએ: ઇડા (સુર્ય, ડાબી), પીંગળા (ચંદ્ર, જમણી), સુશુમ્ણા (મધ્ય). વારાફરતી દરેક નાડી દ્વારા શ્વાસોચ્છવાસની પ્રક્રીયા ચાલતી રહે છે. શ્વાસ અંદર લેવાની પ્રક્રીયાને પુરક કહે છે. શ્વાસ શરીરની બહાર કાઢવાની પ્રક્રીયાને રેચક કહે છે. શ્વાસને શરીરની અંદર રોકવાની પ્રક્રીયાને આંતરીક કુંભક કહે છે, અને શ્વાસને શરીરની બહાર રોકવાની પ્રક્રીયાને બાહ્ય કુંભક કહે છે. પ્રાણાયામ જો માનસીક મંત્રજાપ સાથે કરવામાં આવે તો તેને ‘સગર્ભ’ પ્રાણાયામ કહે છે, મંત્રજાપ વગરનાં પ્રાણાયામને ‘અગર્ભ’ પ્રાણાયામ કહે છે. પ્રાણાયામ કરતાં પહેલાં નાડીશુધ્ધી કરવી જરુરી છે. અને ‘સગર્ભ’ પ્રાણાયામ કફ વગેરે દુર કરવામાં સહાયભુત થાય છે. પ્રાણાયામથી મન ધારણા માટે યોગ્ય બને છે.

5. પ્રત્યાહાર:
ઇંદ્રીયોનો પોતાના વીષયોનો ત્યાગ અને તેમને મનની અંદર વાળવાની ક્રીયા. ધ્યાનની સાધનામાં પ્રથમ પગથીયું છે. તેનાથી ઈન્દ્રીયો પર કાબુ આવે છે.

6. ધારણા:
12 સેકંડ સુધી કોઇ એક લક્ષ્ય પર મન એકાગ્ર થાય તો તેને ધારણા કહે છે.

7. ધ્યાન:
3 મીનીટ સુધીની મનની એકાગ્રતા એટલે ધ્યાન.

8. સમાધી:
30 મીનીટ સુધીની મનની એકાગ્રતા સમાધી છે. સમાધીના ઘણાં બધાં પ્રકાર છે.

ચુંટેલા વાક્યો: —————————————

- ધર્મ પ્રાચીન કાળના અનુભવો પર રચાયેલો છે એટલું જ નહીં, પણ જ્યાં સુધી એ અનુભવોને પોતે પ્રાપ્ત કરે નહીં ત્યાં સુધી કોઈ પણ માણસ ધાર્મીક થઈ શકે નહીં.

- યોગ્ય પૃથક્કરણ વીના કોઈ પણ વીજ્ઞાન નકામું નીવડવાનું - એ માત્ર સીધ્ધાંતનીરુપણ જ રહેવાનું.

- સઘળાં દુ:ખનું મુળ છે ભય, અતૃપ્ત વાસના.

- રાજયોગના સઘળા ઉપદેશોનું ધ્યેય એ છે કે મનને કેવી રીતે એકાગ્ર કરવું, ત્યાર પછી આપણા પોતાના મનનાં ઊંડામાં ઊંડા રહસ્યોને કેવી રીતે શોધી કાઢવાં, ત્યાર પછી તે બધા વીષયો પરથી સામાન્ય નીયમો કેવી રીતે તારવવા; અને તેમના પરથી આપણા પોતાના નીર્ણયો કેવી રીતે બાંધવા.

- ધર્મના ક્ષેત્રમાં પણ જે કંઈ તમને નબળા બનાવે તે બધાનો ત્યાગ કરો, તેની સાથે કશો સંબંધ ન રાખો. રહસ્યમયતાનો શોખ મનુષ્યના મગજને નબળું બનાવે છે. યોગવીદ્યા કે જે એક ભવ્ય વીજ્ઞાન છે, તેનો રહસ્યમયતાએ લગભગ નાશ કરી નાંખ્યો છે.

- બધી સાધનાઓનો હેતુ, અંતીમ ધ્યેય તો આત્માની મુક્તી છે. પ્રકૃતી પર સંપુર્ણ કાબુ, અને એથી ઓછું જરાય નહીં, એ ધ્યેય હોવું જોઈએ.

- મધ્યમ વર્ગના મનુષ્યોમાંથી જ દુનીયાના મહાન પુરુષો આવે છે.

- જ્યારે યોગી પુર્ણ બને છે ત્યારે કુદરતમાં એવું કંઈ જ નથી રહેતું કે જે તેના કાબુ નીચે ન આવે.

- પ્રાણાયામ એટલે શ્વાસ લેવાની ક્રીયા નહીં, પણ ફેફસાંને ચલાવનારી માંસપેશીની શક્તી પર કાબુ મેળવવો.

- કુદરતને પોતાને પ્રચંડ પ્રવાહોને મોકલવા કોઈ તારની જરુર નથી પડતી. તાર વીના ચલાવી શકવાની આપણી અશક્તી જ તાર વાપરવાની આપણને ફરજ પાડે છે.

- અજ્ઞાન અને સંપુર્ણ જ્ઞાન બન્નેમાં જ્ઞાતાની સ્થીતી સરખી જ હોય છે, પરંતુ એ બન્ને અવસ્થામાં ઘણો ઘણો ફેર છે.

- ઈશ્વર ગુરુઓનો પણ ગુરુ છે અને ૐ તેનો બોધક શબ્દ છે.

- નવા વીચારો અને નવી ઘટના મગજમાં નવા ચીલા પાડે છે, તેને ખળભળાવી મુકે છે; અને મન એને સ્વીકારવાની ના પાડે છે.

- યોગની સચ્ચાઈ વીશે શંકાશીલ હોય તે થોડા અભ્યાસ પછી અનુભવે તેની શંકાઓ મટી જશે.

- તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણીધાનને ‘ક્રીયાયોગ‘ કહે છે.

- ધારણા, ધ્યાન અને સમાધી એક જ વસ્તુ પર કરવામાં આવે, ત્યારે તેને ‘સંયમ‘ કહે છે.

ધ્યાનના પ્રકારો: ————————————-

- ભ્રુકુટી મધ્યે આજ્ઞાચક્રમાં

- હ્રદયની કમળરુપે કલ્પના કરો અને ધ્યાન કરો

- મનને હજાર પાંખડીનું કમળ ધારી એનું ધ્યાન

- હ્રદયમાં જ્યોતીરુપે આત્મા અને તેની મધ્યે પરમ જ્યોતી ધારીને ધ્યાન કરો

- કોઈ પણ પરમાણુથી માંડી પરમ મહત સુધી મનગમતી અને પવીત્ર વસ્તુ પ્રત્યે ધ્યાન કરો

જાપ અને પ્રાણાયામમાં સહાયભુત મંત્રો: —————————-

1. ૐ

2. સોડ્મ

3. ૐ તત સત ૐ

4. ૐ ઐં હ્રીં ક્લીં સૌં શ્રીં ૐ
સરળ રાજયોગ -મારા અનુભવો

Sunday, September 9th in ધર્મ | 8 comments

સરળ રાજયોગ 2 Sep 09, 2007

આજે હું મારા અનુભવોની વાત કરીશ. આ અનુભવો જે મારા રાજયોગની સાધનાનું પરીણામ છે. અને તેની સચ્ચાઈની ખાતરી હું કરાવી શકું તેમ નથી, પરંતુ આપને જાતે જ પ્રયોગો કરીને અનુભવ મેળવવા કહી શકું. આપની સાધના અને વ્યક્તીત્વ મુજબ અનુભવોમાં થોડાં ફેરફાર હોઈ શકે છે.

સૌ પ્રથમ હું જે રોજ કરું છું તે જણાવું. મેં ઘણીબધી વાર વાંચ્યું છે કે, આધ્યાત્મીક અનુભવો પોતાના પુરતા સીમીત રાખવાં. પરંતુ, હું માનું છું કે કોઈ તે સ્વીકારે કે ના સ્વીકારે, તેને જાહેર કરવાં જ જોઈએ, તેમાં ગોપનીયતા જેવું કાંઇ છે જ નહીં. શું આપણે વૈજ્ઞાનીક પ્રયોગોનાં તારણો છુપાવીને રાખીએ છીએ? આ જ વાતનું સમર્થન સ્વામી વીવેકાનંદને વાંચતાં થયું, એટલે એ વીચારોને પુષ્ટી મળી, અને હવે તમારી સમક્ષ સઘળું ઠાલવી રહ્યો છું. મને તમારી ટીકાઓ અને ટીપ્પણીઓની આવશ્યક્તા રહેશે. મારી સાધના મારી પોતાની છે, તમે એમાં તમને યોગ્ય લાગે તે ફેરફાર કરીને પાલન કરી શકો છો, પરંતુ તમારા અંતરાત્માને પુછેને!

સતત ‘ૐ તત સત ૐ’ નો માનસીક જાપ હું કરતો જ રહું છું. ઉઠતાં-બેસતાં, ખાતાં-પીતાં, અહર્નીશ; જ્યારે પણ મન નવરું પડે કે ‘ૐ તત સત ૐ’. કોઈ પણ ક્રીયા કરું, ગમે તેટલી સારી-નરસી, એ સર્વે ‘મા’ને અર્પણ કરીને જ કરું છું. અને સાથે ‘ૐ તત સત ૐ’ તો ખરું જ. કોઈ પણ પરીસ્થીતીને સ્વીકારીને ચાલવાં પ્રયત્ન કરું છું. ‘મા’ પ્રત્યે સંપુર્ણ સમર્પણ કરવાનો પ્રયત્ન કરું છું. પ્રાર્થના, ભજન, આરતી વગેરેનો આનંદ માણું છું.

દરેક યમો અને નીયમોનું પાલન કરવાં નીષ્ઠાપુર્વક પ્રયત્ન કરું છું.

દરરોજ સવારે સુર્યનમસ્કારનાં 5 ચક્રો કરું છું. આંખની કસરત નીયમીત કરું છું (જે મારા વ્યવસાય માટે ખુબ જ ઉપયોગી છે). ચહેરો હલાવ્યાં વગર આંખોને 5-5 વાર ડાબે-જમણે, ઉપર-નીચે, ડાબી બાજુથી ત્રાંસમાં ઉપર-નીચે, જમણી બાજુથી ત્રાંસમાં ઉપર-નીચે, ઘડીયાળના કાંટાની દીશામાં ચક્રાકારે, ઘડીયાળના કાંટાની વીરુધ્ધ દીશામાં ચક્રાકારે ફેરવવી. 5 વખત જોરથી ઉઘાડ-બંધ કરવી. 5 વખત ખુબ જ નજીકની વસ્તુને 5 સેકંડ માટે જોઈને તરત જ 20 ફુટ દુરની વસ્તુને 5 સેકંડ સુધી જોવી.

ન્હાતી વખતે એવી ભાવના કરું કે પાણી મારી અશુધ્ધીઓને દુર કરીને મને પવીત્ર કરી રહ્યું છે. એ પાણીમાં ગંગા/યમુના/સરસ્વતી/સીંધુ/નર્મદા/ગોદાવરીનો સંગમ થયો છે; એવી ભાવના કરું.

ન્હાયા બાદ, ઘરનાં મંદીર સમક્ષ પદ્માસનમાં બેસું. સૌપ્રથમ નાડી શુધ્ધી કરું. ‘ૐ તત સત ૐ’ જપતાં ખુબ જ ઉંડો શ્વાસ લઉં અને પછી ધીરે-ધીરે છોડું. એક શ્વાસોચ્છવાસમાં લગભગ 15 સેકંડ થાય એટલો સમય રાખું. આવાં 4 ઉંડાં શ્વાસ લઉં. ત્યારબાદ, પુરેપુરો શ્વાસ બહાર કાઢી, જમણા હાથના અંગુઠાથી જમણું નસકોરું બંધ કરી ઉંડો શ્વાસ ભરી લઉં, અને તરત જ અનામીકા અને તર્જની આંગળીઓ વડે ડાબું નસકોરું બંધ કરી પુરેપુરો શ્વાસ જમણાં નસકોરાં વડે કાઢી નાંખું. તરત જ જમણાં નસકોરા વડે ઉંડો શ્વાસ લઈ, અંગુઠા વડે જમણું નસકોરું બંધ કરીને, ડાબા નસકોરાં વડે બહાર કાઢું. આ પ્રક્રીયા ચાર વખત કરું.

નાડીશુધ્ધી બાદ, આંતરીક કુંભક કરું. જમણું નસકોરું બંધ કરી ડાબાં નસકોરાં વડે ચાર વખત ૐ જપતાં ઉંડો શ્વાસ ભરાય તેવું કરું. પછી સોળ સેકંડ સુધી ૐ જપતાં શ્વાસને રોકી રાખું અને એવો ભાવ કરું કે મગજમાંથી શક્તી કરોડરજ્જુનાં મુળમાં આઘાત કરી રહી છે. ત્યાર બાદ આઠ વખત ૐ જપતાં પુરેપુરો શ્વાસ જમણાં નસકોરાં વતી નીકળી જાય તેવું કરું. ફરી 4-16-4 નું ચક્ર જમણેથી પુરક, આંતરીક કુંભક, ડાબેથી રેચક કરું. આ આખું ચક્ર 4 વખત કરું.

બાદમાં બાહ્ય કુંભક કરું. 4 ૐ માં ડાબા નસકોરાં વતી પુરક, 8 ૐમાં જમણાં નસકોરેથી રેચક અને 16 ૐમાં બાહ્ય કુંભક. આ જ પ્રક્રીયા હવે જમણેથી પુરક, ડાબેથી રેચક અને બાહ્ય કુંભક. આ આખું ચક્ર 4 વખત કરું.

ત્યારબાદ ‘મા’ની પ્રાર્થના કરું અને તેની પાસેથી ‘શાશ્વત પ્રેમ, હંમેશનું તેનું સાન્નીધ્ય અને તેની અનન્ય ભક્તી’ માંગું. ગુરુજનોને વંદન કરું અને તેમની પાસેથી ‘મા’ની અનન્ય ભક્તે, અહર્નીશ સાન્નીધ્ય અને અનંત પ્રેમ માંગું.

ગાયત્રી મંત્ર ‘ૐ ભુર્ભુવઃ સ્વઃ ૐ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત ૐ’ નો સસ્વર જાપ કરું. સાતેય ચક્રોમાં ૐનો માનસીક જાપ કરતો ફરી વળું. મુળાધાર (કરોડનો છેડો), સ્વાધીશ્ઠાન (પ્રજનન અવયવનો છેડો), મણીપુર (નાભી), અનાહત (મધ્ય હ્રદયે), વીશુધ્ધ (કંઠ મધ્યે), આજ્ઞા (બે ભ્રુકુટી વચ્ચે), સહસ્ત્રાર (મસ્તકની ટોચે, શીખામુળે) ૐનો આઘાત કરું.

મને પોતાને બ્રહ્માંડનું કેંદ્ર ધારી, ‘ૐ તત સત ૐ’ જપતાં મારી આગળની દીશાથી જમણી બાજુની દીશામાં (90 અંશ) ફરતાં ગોળાની કલ્પના કરી પ્રાર્થના કરું “સર્વેનું કલ્યાણ થાઓ, સર્વેને સુખની પ્રાપ્તી થાઓ, સર્વેને શાંતી પ્રાપ્ત થાઓ, સર્વે નીરોગી રહો, સર્વેને માની ભક્તી પ્રાપ્ત થાઓ’. વળી 90 અંશ, મારી જમણી દીશામાંથી ફરતાં પાછળની દીશામાં ફરતાં ‘ૐ તત સત ૐ’ જપતાં ગોળાની કલ્પના કરી એ જ પ્રાર્થના કરું. આમ જ, પાછળની દીશામાંથી ડાબી બાજુની દીશામાં અને ડાબી બાજુની દીશામાંથી આગળની દીશામાં આવું અને બ્રહ્માંડને પુર્ણ કરું.

ત્યારબાદ, હ્રદયાકાશમાં રહેલ આત્મજ્યોતીની કલ્પના કરું અને તેની પણ મધ્યે રહેલાં પરમ જ્યોતી રુપ ‘મા’ની કલ્પના કરી પ્રાર્થના કરું કે, ‘મને તારું શાશ્વત સાન્નીધ્ય, અનંત પ્રેમ અને અનન્ય ભક્તી આપ’.

પછી, ધીરે-ધીરે ભ્રુકુટી મધ્યે (આજ્ઞાચક્રમાં) એકાગ્રતા મેળવી, કોઈ જ જાપ વગર અવલોકન કરું. મનમાં ઉઠતાં તરંગોને નીહાળવાં પ્રયત્ન કરું અને એમાં જોડાવાથી દુર રહું. જેટલો સમય રહી શકાય તેટલો રહું. બાદમાં આંખો ખોલીને નીચેના મંત્રોનું ઉચ્ચારણ કરું.

ૐ ઐં હ્રીં ક્લીં ચામુંડાયૈ વીચ્ચે ૐ ॥
ૐ ઐં હ્રીં ક્લીં સૌં શ્રીં ૐ ॥
ૐ હ્રીં બલે મહાદેવી હ્રીં મહાબલે, ક્લીં ચતુર્વિધપુરુષાર્થ સિધ્ધિપ્રદે, તત સવિતુર્વરદાત્મિકે હ્રીં વરેણ્યં ભર્ગો દેવસ્ય વરદાત્મિકે, અતિબલે સર્વદયામૂર્તે બલે સર્વ ક્ષુદભ્રમોપનાશિનિ ધીમહિ, ધિયો યો નો જાતે પ્રચુર્યઃ યા પ્રચોદયાદાત્મિકે, પ્રણવશિરસ્કાત્મિકે હું ફટ સ્વાહા ૐ ॥ (બલાતિબલા મહામંત્ર) (આ મંત્રની ક્યારેક ચર્ચા કરીશું.)

પછી, કોઈ પણ ધાર્મીક પુસ્તકનાં ચાર પાનાંનું વાંચન કરું.

સાંજે કામેથી આવ્યાં બાદ પણ, નાડીશુધ્ધી, બાહ્ય કુંભક, આંતરીક કુંભક, પ્રાર્થના અને ધ્યાન કરું.

વર્ષ દરમ્યાન ક્યારેક માત્ર લીંબું નીચોવેલાં પાણી પર જ આખો દીવસ રહી ઉપવાસ કરું. એક સંપુર્ણ દીવસનાં મૌનવ્રતનું પાલન કરવું પણ હવે શરું કર્યું છે.

આ સાધનાથી મને થયેલો અનુભવો હવે જણાવું છું. ક્યાંય કશી પણ અતીશયોક્તી નથી કે મને મહત્વ આપવાની કોશીશ નથી કરી રહ્યો. પરંતુ જે થયું માત્ર અને માત્ર તેને જણાવવાના હેતુસર આ એક સન્નીષ્ઠ પ્રયાસ છે.

મને નાનપણથી વર્ષમાં 4-5 વાર શરદી, તાવ વગેરે આવતાં હતાં. હવે શરદી તો સંપુર્ણ ગાયબ થઈ ગઈ છે (અમેરીકા આવ્યાં પછી પણ મને 3 વર્ષ આ તકલીફ રહી છે, પરંતુ ઉપર જણાવેલ પધ્ધતીનું ચુસ્ત પાલન કરવાથી આ ફેરફાર થયો છે.). તાવ પણ ક્યારેક નામનો અને એ પણ વર્ષે એક વાર દેખા દે છે. શરીરમાં ઘણી ઘણી સ્ફુર્તી અનુભવું છું. શારીરીક રીતે વધારે ચપળ અને સુસજ્જ રહું છું. શરીરનું બંધારણ લગભગ જળવાઈ રહ્યું છે, ચરબી નામ પુરતી જ રહી છે. શરીર સુડોળ રહ્યું છે, અને માનસીક શાંતીનો સતત અનુભવ રહે છે.

ઊંઘ ખુબ જ ગાઢ થઈ ગઈ છે. સ્વપ્નો ક્યારેક જ આવે છે, અને એ પણ એવાં આવે છે કે જેમાં હું અજબ-અજબનાં સંસ્કૃત શ્લોકો બોલતો હોઉં છું. આ બધાં શ્લોકો જાગ્યાં પછી યાદ નથી રહેતાં. અને મેં ક્યારેય વાંચ્યાં હોય એવું પણ મારી જાણમાં નથી. ક્યાંક સાંભળ્યાં હોય તેવો પણ સંભવ નથી. મને સંસ્કૃત શબ્દોનો અર્થ લગભગ ખ્યાલમાં આવી જતો હોય છે, પરંતુ આ બધાં શ્લોકોમાંથી સમખાવાં પુરતું પણ મને કશું ખબર નથી પડતું.

જ્યારે જ્યારે મનમાં ઘણાં વીચારોનો ઉદ્ભવ થાય તે જ ઘટના થોડા દીવસ પછી ઘટી હોવાનો અનુભવ તો અનેકગણી વાર થયો છે (છતાં આ બાબતને હું ચર્ચાસ્પદ માનું છું.).

ધ્યાન વખતે મને શરુઆતમાં આજ્ઞાચક્રમાં જુદાં જુદાં રંગનાં વમળો દેખાતાં હતાં. પરંતું થોડાં અભ્યાસ પછી, હવે તો માત્ર નાનું શું ઘેરાં ભુરાં રંગનું વર્તુળ જ દેખાય છે, અને દરેક વીચારો તે વર્તુળમાં સમાઈ જતાં દેખાય છે. આ વર્તુળ મને ખુબ ખુબ ખુબ શાંતી અને આનંદનો અનુભવ કરાવે છે.

બે વખત મને શરીર અને મન અલગ અલગ હોવાનું અને મન કેવી રીતે શરીરનું સંચાલન કરે છે તેવો અનુભવ થયો છે. એક વાર, મને મૃત્યુ પછી આત્મા આ જગતને કેવું દેખે છે તેવો અનુભવ પણ થયો છે.

શરુઆતનાં અભ્યાસ પછી, ધ્યાનમાં બેસું ત્યારે નાનો સરખો પણ અવાજ મારાં મન પર ઘણ પડતો હોય અને મને હલબલાવી દે તેવો લાગતો. હવે, કોઈ પણ અવાજ અસર નથી કરી શકતો.

હવે, આગળ ઉપર શું થાય છે જોઈએ. પણ, મને મારું ધ્યેય તો લાધી જ ગયું છે: ‘મા’નો અનન્ય પ્રેમ, શાશ્વત સાન્નીધ્ય અને તેની ભક્તી! એ સીવાયનું બધું જ માત્ર અને માત્ર ધેય સુધી પહોંચવાનું સાધન છે.
મારું ઘડતર – એ. પી. જે. અબ્દુલ કલામ

Tuesday, July 13, 2010 · પ્રકાર : જીવનચરિત્ર · સાહિત્યકાર : અબ્દુલ કલામ · 2 પ્રતિભાવો

[‘અગનપંખ’માંથી કેટલાક અંશો સાભાર.]

મારો જન્મ તત્કાલીન મદ્રાસ રાજ્યમાં આવેલ ટાપુ – ગામ રામેશ્વરમમાં એક મધ્યમવર્ગીય તામિલ કુટુંબમાં થયો હતો. મારા પિતા જૈનુલબ્દીને ન તો વ્યવસ્થિત શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું કે ન તો તેમના પાસે ધન હતું; આવી પ્રતિકૂળતાઓ વચ્ચે પણ તે જન્મજાત, સહજ અને ભરપૂર ડહાપણ તથા ઉદાર ચિત્ત ધરાવતા હતા. આ બાબતોમાં તેમને મારી માતા, આશિયામ્મા, એક આદર્શ સહધર્મચારિણી તરીકે મળી ગયાં હતાં. તે દરરોજ કેટલાક લોકોને ભોજન કરાવતાં તે હું કંઈ ચોક્કસ કહી શકું તેમ નથી, પણ મને ખાતરી છે કે અમારા કુટુંબના બધા સભ્યોનો સરવાળો કરીએ તે કરતાં વધારે સંખ્યામાં બહારના લોકો અમારી સાથે જમતાં હતા.

મારાં માતાપિતાની સમાજમાં એક આદર્શ દંપતી તરીકે ગણતરી થતી હતી. મારાં માતાના પૂર્વજો ગૌરવપ્રદ રીતે જીવ્યા હતા. એક પૂર્વજને બ્રિટિશરોએ ‘બહાદુર’નો ઈલ્કાબ પણ આપ્યો હતો. હું અનેક સંતાનોમાંનો એક હતો. મારાં માતાપિતા ઊંચાં અને દેખાવડાં હતાં, પણ હું ઓછી ઊંચાઈ ધરાવતો અને ઓછો ધ્યાનાકર્ષક દેખાવ ધરાવતો છોકરો હતો. અમે ઓગણીસમી સદીના મધ્યમાં બંધાયેલ અમારા પૂર્વજોના ઘરમાં રહેતાં હતાં. તે રામેશ્વરમની મસ્જિદ શેરીમાં આવેલ, ચૂના તથા ઈંટોનું બનેલ, વિશાળ અને પાકું મકાન હતું. ચુસ્ત સાદાઈમાં માનતા મારા પિતા બિનજરૂરી સગવડો અને મોજમજાને ટાળતા. અલબત્ત, તેઓ ખોરાક, દવાઓ કે વસ્ત્રો જેવી જરૂરિયાતો સરસ રીતે પૂરી પાડતા. હું ખાતરીપૂર્વક કહી શકું છું કે ભૌતિક રીતે અને સાંવેગિક રીતે મારું બાળપણ પૂરું સલામત રહ્યું હતું. સામાન્ય રીતે હું ભોજન મારાં માતા સાથે, રસોડાની જમીન પર બેસીને લેતો. તેઓ મારી પાસે કેળનું પાંદડું મૂકતાં, જેના પર ભાત, ખુશ્બોદાર સંભાર, ઘેર બનાવેલ તીખાં વિવિધ અથાણાં અને નાળિયેરીની તાજી ચટણીનો લોંદો કડછીથી પીરસતાં.

ભગવાન શંકરનું પ્રખ્યાત મંદિર, જેના કારણે રામેશ્વરમ યાત્રાળુઓ માટે પવિત્ર ધામ બન્યું હતું, અમારા ઘરથી દસ મિનિટના અંતરે હતું. અમારો વિસ્તાર મહદ અંશે મુસ્લિમ કુટુંબોનો હતો, પરંતુ ત્યાં થોડાં હિન્દુ કુટુંબો પણ વસતાં હતાં અને બધાં ખૂબ હળીમળીને રહેતાં હતાં. અમારા વિસ્તારમાં એક ખૂબ જૂની મસ્જિદ હતી. મારા પિતા મને દરરોજ સાંજે નમાજ માટે લઈ જતા. અરબી ભાષામાં ગવાતી આ પ્રાર્થનાઓનો અર્થ શો થાય છે તેની મને કશી ખબર ન હતી; મને તો પૂરી શ્રદ્ધા હતી કે તે ખુદાને પહોંચે જ છે. જ્યારે મારા પિતા નમાજ પૂરી કરી મસ્જિદ બહાર આવતા, ત્યારે વિવિધ પંથો અને સંપ્રદાયોના લોકો તેમની રાહ જોતા રહેતા. ઘણા તેમને પાણીનું વાસણ ધરતા. તેઓ પોતાની આંગળી બોળી તેને સ્પર્શતા અને પ્રાર્થના કરતા. આ પાણી પછી વિવિધ ઘરોમાં અપંગો માટે જતું. મને એ પણ યાદ છે કે ઘણા લોકો પોતે સાજા થઈ ગયા બાદ મારા પિતા પાસે કૃતજ્ઞતા વ્યક્ત કરવા આવતા. મારા પિતા માત્ર સ્મિત કરતા અને તેમને દયાળુ એવા પરવરદિગાર અલ્લાહનો આભાર માનવાનું કહેતા.

રામેશ્વરમ મંદિરના મુખ્ય પૂજારી પાક્ષી લક્ષ્મણ શાસ્ત્રી મારા પિતાના ગાઢ દોસ્ત હતા. મારા બાળપણની જે મધુર અને સ્પષ્ટ સ્મૃતિઓ છે તેમાંની એકમાં હું આ બે વડીલોને, તેમનાં પરંપરાગત વસ્ત્રોમાં, ધાર્મિક અને આધ્યાત્મિક ચર્ચામાં મશગૂલ જોઈ શકું છું. જ્યારે મારી ઉંમર પ્રશ્નો પૂછવા જેટલી થઈ, ત્યારે હું મારા પિતાને નમાજ કે પ્રાર્થનાની ઉપયોગિતા વિશે પૂછતો. મારા પિતા મને જવાબ આપતા તેમ નમાજમાં કશું રહસ્યમય ન હતું. પ્રાર્થના તો, ઊલટી, લોકો વચ્ચે આત્મિક સંવાદને શક્ય બનાવે છે. ‘જ્યારે તમે પ્રાર્થના કરો છો’ તે કહેતા, ‘ત્યારે તમે તમારા દેહભાવને અતિક્રમો છો અને અસ્તિત્વનો જ એક હિસ્સો બની જાવ છો, જ્યાં ધન, વય, જ્ઞાતિ, કર્મ વગેરે વિશે કોઈ ભેદભાવ નથી હોતો.’ મારા પિતાની એક વિશિષ્ટતા એ હતી કે તેઓ ગમે તેવા કઠિન ધાર્મિક વિચારોને ખૂબ સરળ અને વ્યવહારુ તામિલમાં સમજાવી શકતા. તેમણે એક વાર મને કહેલું, ‘પોતાના કાળમાં, પોતાના સ્થળમાં, પોતે જે વાસ્તવિક છે, અને શુભ-અશુભ જે સ્તરે પહોંચેલ છે, દરેક મનુષ્ય પૂર્ણ વ્યક્ત પરમાત્માનો એક વિશિષ્ટ અંશ છે. એટલે તકલીફો, પીડાઓ અને સમસ્યાઓથી શા માટે ગભરાવું જોઈએ ? જ્યારે મુશ્કેલીઓ આવે, ત્યારે આ પીડાઓનો સંદર્ભ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. પ્રતિકૂળતા હંમેશાં આત્મચિંતન માટે વિશાળ તકો પૂરી પાડે છે.’
‘જે લોકો તમારી પાસે સહાય અને સલાહ લેવા આવે છે તેમને તમે શા માટે આ નથી કહેતા ?’ મેં મારા પિતાને પ્રશ્ન કર્યો, ત્યારે તેમણે મારા ખભા પર સ્નેહથી હાથ મૂકી અને મારી આંખોમાં આંખ પરોવી થોડી પળો સુધી કશો જવાબ ન આપ્યો, જાણે કે હું તેમને જવાબ સમજી શકીશ કે નહીં તેમ માનીને મારી શક્તિને તેઓ ચકાસતા હતા. પછી ધીમા, ઘેરા અવાજે બોલ્યા, જે ઉત્તરથી હું એક અદશ્ય શક્તિ અને ઉત્સાહથી ઊભરાઈ ગયો હતો : ‘જ્યારે જ્યારે મનુષ્યો પોતાને એકલા કે વિખૂટા અનુભવે છે, ત્યારે – સહજ પ્રત્યાઘાતરૂપે – તેઓ કોઈ સાથને શોધવાનો પ્રયત્ન કરે છે; જ્યારે તેઓ મુશ્કેલીમાં મુકાય છે, ત્યારે કોઈ પોતાને સહાય કરે તેવી વ્યક્તિની શોધ કરે છે; જ્યારે કોઈ મડાગાંઠની પરિસ્થિતિમાં મુકાય છે, ત્યારે તેઓ કોઈ માર્ગદર્શકની શોધમાં રહે છે. ફરી ફરીને સર્જાતાં પીડા, ઈચ્છાઓ અને અપેક્ષાઓ પોતપોતાના ખાસ મદદગારોને શોધી લેતાં હોય છે. દુઃખમાં ફસાયેલ જે લોકો મારી પાસે આવે છે, તેમના માટે હું, પ્રાર્થના અને અર્ચના વડે, તેમને સતાવતાં પાશવી તત્વોને શાંત કરવાના પ્રયાસોમાં માધ્યમ જ હોઉં છું. આ અભિગમ જરા પણ સાચો નથી અને તેને અનુસરવા જેવું પણ નથી. વ્યક્તિએ નિયતિનાં ભયગ્રસ્ત દર્શન તથા એ દર્શન, જે આપણામાં રહેલ પૂર્ણતાને આડખીલીરૂપ શત્રુઓને શક્તિમાન બનાવે છે – તે બે વચ્ચેનો તફાવત સમજી લેવો જોઈએ.’

મને બરાબર યાદ છે કે મારા પિતાનો દિવસ બરાબર સવારે ચારને ટકોરે શરૂ થઈ જતો. ભળભાંખળું થાય તે પહેલાં તે નમાજ કરતા. નમાજ પછી અમારા ઘરથી ચાર માઈલ દૂર આવેલ અમારી માલિકીના નાળિયેરીના વનમાં ચાલ્યા જતા. પાછા વળતાં તેઓ પોતાના ખભા પર એકાદ ડઝન નાળિયેર બાંધીને લઈ આવતા. ત્યાર પછી જ તેઓ નાસ્તો કરતા. આ નિયમ તેમણે પોતે છ દાયકા પસાર કરી ગયા ત્યાં સુધી ચાલુ રાખ્યો હતો. મારા સમગ્ર જીવન દરમિયાન મેં મારા વિજ્ઞાન અને ટેકનોલૉજીના જગતમાં પણ મારા પિતાને અનુસરવાનો પ્રયાસ કર્યો છે. મારા પિતાએ મારી સામે પ્રગટ કરેલ પાયાનાં સત્યોને સમજવા પ્રયત્ન કર્યો છે અને નિશ્ચયાત્મક રીતે અનુભૂતિ કરી છે કે વિશ્વમાં એક એવી દિવ્ય શક્તિ અસ્તિત્વ ધરાવે છે, જે વ્યક્તિને તેની મૂંઝવણ, દુઃખો, ઉદાસીનતા અને નિષ્ફળતાની પળોમાં તેનાથી ઉપર ઉઠાવે છે અને તેના સાચા – આદિમ સ્થળ તરફ દોરે છે અને એક વખત વ્યક્તિ પોતાનાં શારીરિક અને સાંવેગિક બંધનોથી મુક્ત થાય છે, તરત તે મુક્તિ, આનંદ અને મનની શાંતિના માર્ગ પર ગતિ કરવા લાગે છે.

હું લગભગ છ વર્ષનો હોઈશ ત્યારે મારા પિતાએ યાત્રાળુઓને રામેશ્વરમથી ધનુષકોડી (તેને ‘સેતુ કરાઈ’ પણ કહેતા) લઈ જવા લાકડાનું વહાણ બાંધવાનું શરૂ કર્યું. તેમણે આ કામ પોતાના એક સંબંધી અહમદ જલાલુદ્દીન – જે પાછળથી મારાં બહેનને પરણ્યા –ની મદદથી દરિયાકાંઠે શરૂ કર્યું. હું આ વહાણને આકાર લેતું જોતો. વહાણનું કાઠું તથા તળિયું વનની આગની ગરમીથી મજબૂત બન્યાં હતાં. મારા પિતા આ વહાણની મદદથી પોતાનો વ્યવસાય ખૂબ જ સારી રીતે કરી રહ્યા હતા, જ્યારે એક દિવસ સો માઈલની ઝડપે આવેલ પવનનું વાવાઝોડુ સેતુ કરાઈની થોડી જમીન સાથે વહાણને પણ તાણી ગયું. ત્યાં આવેલ પંબન-પુલ પણ તેના પરથી જતી, મુસાફરોથી લદાયેલી ટ્રેન સાથે તૂટી પડ્યો. અત્યાર સુધી મેં દરિયાનું માત્ર સૌંદર્ય જ જોયું હતું. હવે તેની અનિયંત્રિત ઊર્જા મને તેનું નવું જ દર્શન આપી ગઈ. જ્યારે વહાણનો અકાળે અંત આવ્યો ત્યારે જલાલુદ્દીન, અમારી ઉંમર વચ્ચે તફાવત છતાં, મારા ગાઢ મિત્ર બની ચૂક્યા હતા. તેઓ મારાથી લગભગ પંદર વર્ષ મોટા હતા અને મને ‘આઝાદ’ કહીને બોલાવતા. અમે દરરોજ સાંજે લાંબે સુધી ફરવા જતા. મસ્જિદ શેરીથી શરૂઆત કરી ટાપુના રેતાળ દરિયાકિનારા સુધી પહોંચતા ત્યાં સુધી જલાલુદ્દીન અને હું મુખ્યત્વે આધ્યાત્મિક વિષયો પર જ વાત કરતા. યાત્રાળુઓથી સતત છલકાતા રામેશ્વરમનું વાતાવરણ જ આવી ચર્ચાને ઉત્તેજન પૂરું પાડતું. અમારું પ્રથમ રોકાણ ભગવાન શંકરના વિશાળ મંદિર પાસે જ હોય. દેશના દૂરસુદૂરના ભાગોમાંથી આવતા યાત્રાળુઓ જે પૂજ્યભાવથી મંદિરની પ્રદક્ષિણા કરે, તેવા જ ભાવથી અમે પણ પ્રદક્ષિણા કરતા અને અમારાં મન અને શરીરમાં અદશ્ય શક્તિનો આવિર્ભાવ થતો અનુભવતા.

જલાલુદ્દીન ખુદા વિશે એવી રીતે વાત કરતા, જાણે કે તેઓ એના કોઈ ભાગીદાર હોય, તેમજ તેમની શંકાઓ ખુદા સામે એવી રીતે રજૂ કરતા, જાણે કે ખુદા તેમની સામે તેનો નિકાલ કરવા જ ઊભા હોય. હું જલાલુદ્દીન સામે એકીટશે જોયા કરતો. પછી સમુદ્રમાં પવિત્ર સ્નાન કરતા, મંત્રો બોલતા, વિધિઓ કરતા અને નિર્ગુણ, સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યે ઊંડો પૂજ્યભાવ પ્રગટ કરતા તથા મંદિરની પ્રદક્ષિણા કરતા. હું વિશાળ યાત્રાળુઓના સમૂહને જોતો. મને એ બાબતે કદી પણ શંકા ન થતી કે મંદિરમાં થતી પ્રાર્થના પણ અમારી મસ્જિદમાં થતી નમાજની જેમ એક જ સ્થાને પહોંચે છે, પણ જલાલુદ્દીનની વાતો સાંભળ્યા પછી મને એ વિચાર આવતો કે શું જલાલુદ્દીનને ખુદા સાથે કોઈ વિશિષ્ટ સંપર્ક તો નથી ને ! જલાલુદ્દીનનું શાળાકીય શિક્ષણ તેમના કુટુંબની તાણભરી પરિસ્થિતિને કારણે ખૂબ જ ઓછું હતું. કદાચ આ જ પરિબળ હશે કે તેઓ મને હમેશાં મારા અભ્યાસમાં શ્રેષ્ઠત્વ મેળવવા પ્રોત્સાહિત કરતા અને મારી સફળતાને જાણે પોતાની સિદ્ધિ હોય તે રીતે ભરપેટ માણતા. પોતાની ઓછપ માટેનો આંશિક ગુસ્સો પણ મેં તેમનામાં ક્યારેય નથી જોયો. ઉલ્ટાનું, જિંદગીએ તેમને જે કંઈ આપ્યું હતું તે માટે તેઓ હંમેશાં કૃતજ્ઞતા પ્રગટ કરતા.

દરેક બાળક એક વિશિષ્ટ સામાજિક-આર્થિક અને ભાવનાત્મક પર્યાવરણમાં કેટલાંક વારસાગત લક્ષણો લઈને જન્મે છે અને વડીલો દ્વારા એક ચોક્કસ પ્રકારની તાલીમ મેળવે છે. મને વારસામાં મારા પિતા પાસેથી પ્રામાણિકતા અને આત્મશિસ્ત મળ્યાં; મારી માતા પાસેથી ભલાઈમાં વિશ્વાસ અને ઊંડી કરુણા મળ્યાં. મારાં ત્રણ ભાઈ-બહેનોને પણ તે મળ્યાં. મને લાગે છે કે મેં જે સમય જલાલુદ્દીન અને સમશુદ્દીન સાથે ગાળ્યો, તેણે મારા બાળપણને વિશિષ્ટ ઘાટ આપ્યો અને તેને પરિણામે જ મારી પછીની જિંદગીમાં મોટું પરિવર્તન આવી શક્યું. જલાલુદ્દીન તથા સમશુદ્દીનને જીવનની શાળામાંથી મળેલ ડહાપણ નિઃશબ્દ સંદેશાઓ દ્વારા એવું આંતરપ્રેરિત અને સંવેદનશીલ હતું કે નિઃશંકપણે કહી શકું છું કે મારામાં આગળ જતાં જે સર્જનાત્મકતા પ્રગટી તે બાળપણમાં મળેલી તેમની સંગતનું જ પરિણામ હતું. બાળપણમાં મારા ત્રણ ગાઢ મિત્રો હતા – રામાનંદ શાસ્ત્રી, અરવિંદન અને શિવપ્રકાશન. આ ત્રણે છોકરાઓ રૂઢિચુસ્ત હિન્દુ બ્રાહ્મણ કુટુંબોમાંથી આવતા હતા, પરંતુ બાળકો તરીકે, અમારામાંથી કોઈ પણ, ધાર્મિક તફાવત કે ઉછેર છતાં, પરસ્પર જુદાપણું અનુભવતા ન હતા. અગત્યની બાબત તો એ હતી કે રામાનંદ શાસ્ત્રી તો રામેશ્વરમ મંદિરના મુખ્ય પૂજારી પાક્ષી લક્ષ્મણન શાસ્ત્રીનો પુત્ર હતો. મોટો થયો ત્યારે તેણે જ પિતા પાસેથી મંદિરનું પૂજારીપદ સંભાળ્યું હતું. અરવિંદન ત્યાં આવતાં યાત્રાળુઓને વાહનવ્યવહારની વ્યવસ્થા ગોઠવી આપવાના વ્યવસાયમાં પડ્યો અને શિવપ્રકાશન રેલવેમાં ભોજન પૂરું પાડવાના કોન્ટ્રેક્ટમાં પડ્યો હતો. દર વર્ષે યોજાતા શ્રી સીતારામ કલ્યાણમ ઉત્સવમાં અમારું કુટુંબ ખાસ પ્લેટફૉર્મવાળા વહાણની ગોઠવણ કરી આપતું. જેમાં અમારા ઘર નજીક આવેલ રામતીર્થ નામના તળાવની વચ્ચે આવેલ લગ્નની જગ્યાએ (મંદિરથી) ભગવાનની મૂર્તિને લઈ જવામાં આવતી. મારાં મા તથા દાદી અમને બાળકોને દરરોજ રાત્રે સૂવા વખતે રામાયણના પ્રસંગો તથા પયગંબરના જીવનપ્રસંગોની વાર્તાઓ કરતાં.

રામેશ્વરમ એલિમેન્ટરી સ્કૂલમાં હું પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે, એક દિવસ, એક નવા શિક્ષક અમારા વર્ગમાં આવ્યા. હું ત્યારે ટોપી પહેરતો, જેને કારણે મુસ્લિમ તરીકે ઓળખાતો હતો. હું હંમેશાં પ્રથમ બાંકડે અને રામાનંદ શાસ્ત્રીની બાજુમાં જ બેસતો. તે ત્યારે યજ્ઞોપવીત પહેરતો. આ નવા શિક્ષક હિન્દુ પૂજારીનો છોકરો મુસલમાન છોકરા સાથે બેસે તે સહન કરી ન શક્યા. ત્યારે સમાજમાં જે ઊંચ-નીચની વ્યવસ્થા હતી તે ન્યાયે મને છેલ્લે બાંકડે જઈ બેસવાની તેમણે આજ્ઞા કરી, હું તો ખૂબ ઉદાસીન થઈ ગયો. રામાનંદ શાસ્ત્રી પણ. મેં જ્યારે છેલ્લે બાંકડે મારી બેઠક બદલાવી, ત્યારે તેની આંખમાં હતાશા પથરાઈ ગઈ. ત્યારની તેની રડતી છબી મારા પર અમીટ છાપ મૂકી ગઈ છે. શાળા પૂરી થયા બાદ અમે બંને ઘેર ગયા અને અમારા વડીલોને આ ઘટનાની વાત કરી. લક્ષ્મણન શાસ્ત્રીએ તરત જ શિક્ષકને બોલાવ્યા અને અમારી હાજરીમાં જ શિક્ષકને કડક સૂચના આપી કે આ નિર્દોષ બાળકોના મનમાં સામાજિક અસમાનતા અને ધાર્મિક અસહિષ્ણુતાનું ઝેર ન પ્રસરાવવું. તેમણે શિક્ષકને સ્પષ્ટ કહ્યું કે કાં તો તે માફી માગે અથવા ગામ છોડી દે. શિક્ષકે માફી માગી, એટલું જ નહીં, પણ લક્ષ્મણન શાસ્ત્રીની નિશ્ચયાત્મક દષ્ટિને પરિણામે તેઓ સુધરી પણ ગયા.

પણ, એકંદરે જોઈએ તો, રામેશ્વરમનો નાનકડો સમાજ જુદાં જુદાં ચોક્કસ સ્તરોમાં વહેંચાયેલો હતો અને વિવિધ સમાજિક જૂથોના ભેદભાવની બાબતોમાં આત્યંતિક રીતે રૂઢિચુસ્ત હતો. આ બધા વચ્ચે પણ, જોકે, અમારા વિજ્ઞાનશિક્ષક શિવસુબ્રમણ્યા ઐયર, ભલે પોતે જુનવાણી બ્રાહ્મણ તથા ખૂબ જ રૂઢિચુસ્ત પત્નીવાળા હોવા છતાં, કંઈક બળવાખોર જેવા હતા. તેઓ સામાજિક બંધનો તોડવાનો ખૂબ પ્રયાસ કરતા, જેથી વિવિધ સમાજોમાંથી આવતા લોકો સરળતાથી હળીમળી શકે. તે મારી સાથે કલાકો ગાળતા અને કહેતા, ‘કલામ, હું તને એટલો વિકસિત જોવા માગું છું, જેથી તું મોટાં શહેરોમાં ખૂબ શિક્ષિત લોકોની સમકક્ષ ઊભો રહી શકે.’

એક દિવસ તેમણે મને ભોજન માટે આમંત્રણ આપ્યું. એક મુસ્લિમ છોકરો પોતાના વૈદિક પવિત્ર રસોડામાં આવીને જમે તે ખ્યાલે જ તેમનાં પત્ની તો છળી જ મર્યાં ! તેમણે મને રસોડામાં પીરસવાની ચોખ્ખી ના પાડી દીધી. શિવસુબ્રમણ્યા ઐયરને ન તો ખલેલ પહોંચી કે ન તો તે પત્ની પર ગુસ્સે થયા. તેને બદલે તેમણે મને પોતાના હાથે ભોજન પીરસ્યું અને મારી બાજુમાં જ જમવા બેઠા. તેમનાં પત્ની રસોડાનાં બારણાં પાછળ ઊભાં અમને નીરખતાં હતાં. મને વિચાર આવતો હતો કે હું જે રીતે ભાત ખાતો હતો, પાણી પીતો હતો કે ભોજન પછી જે રીતે જમીન સાફ કરતો હતો, તેમાં કોઈ તફાવત જોઈ શક્યાં હશે ? હું જ્યારે વિદાય લેતો હતો, ત્યારે શિવસુબ્રમણ્યા ઐયરે પછીના અઠવાડિયે ફરી જમવા આવવાનું મને આમંત્રણ આપ્યું. મારો ખચકાટ જોઈ, મને મૂંઝવણ ન અનુભવવાનું કહી તેઓ બોલ્યા, ‘એક વાર એક પ્રથા બદલાવવાનો તમે નિર્ણય લો છો, તો આવી સમસ્યાઓનો સામનો તો તમારે કરવો જ પડે.’ જ્યારે હું બીજા અઠવાડિયે તેમના ઘેર ગયો, ત્યારે શિવસુબ્રમણ્યા ઐયરનાં પત્ની મને પોતાના રસોડામાં લઈ ગયાં અને પોતાના હાથે ભોજન પીરસ્યું.

વિનોબા ભાવે..

સાધનાનાં અંગ – વિનોબા ભાવે

Friday, June 18, 2010 · પ્રકાર : આધ્યાત્મિક લેખ · સાહિત્યકાર : વિનોબા ભાવે · 6 પ્રતિભાવો

[ વિનોબાની જીવન-ઝાંખી વિનોબાના શબ્દોમાં કરાવતા સુંદર પુસ્તક ‘અહિંસાની ખોજ’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

સાધનાની દષ્ટિએ જ્યારથી મારો પ્રયાસ આદરાયો ત્યારથી રોજ પરોઢિયે ઊઠીને સંકલ્પ કરતો કે અત્યારે મંગળ પ્રભાત છે તો એક શુભ સંકલ્પ કરું છું. પછી આખો દિવસ એ સંકલ્પ મુજબ સાધનામાં વીતતો. સાંજને ટાણે પંખી માળામાં પાછું ફરે એ જ રીતે ચિત્તને પાછું અંદર ખેંચી લેતો. આખો દિવસ જે કાંઈ સાધના થઈ તેને ભગવદચરણોમાં ધરી દેતો. ત્યાર પછી રાતે સૂવા જતો ત્યારે સઘળા સંકલ્પો છોડી દઈ સમાધિમાં લીન થઈ રહ્યો છું, એ ભાવનાપૂર્વક સૂઈ જતો. આ અભ્યાસ અત્યાર સુધી આમ જ ચાલ્યો. સંકલ્પ, સાધના, સમર્પણ અને સમાધિ – આ આખા દિવસનો કાર્યક્રમ રહેતો.

સૂરદાસે કહ્યું છે ‘सूर क्रूर इहि लायक नाहीं ।’ હું ક્રૂર તો નહીં, પરંતુ કઠોર જરૂર છું. પરંતુ ‘इहि लायक नाहीं’ હવે હું નથી રહ્યો. ભગવાનની પ્રીતિ માટે હવે હું ભારે લાયક બની ગયો છું. એની પ્રીતિ મને નિરંતર મળી રહી છે. અને એની પ્રીતિના અનુભવ વગર મારો એક દિવસ પણ નથી જતો.

હું કઠોર છું, એનો મને પસ્તાવો નથી. કારણ કે કઠોરતા મારી ઢાલ છે. ગાંધીબાપુએ પોતા વિષે લખ્યું કે શરમાળપણું એમની ઢાલ છે. હું શરમાળ નથી. આક્રમણખોરોનો મને કદી ભય નથી લાગ્યો. પરંતુ હું ભારે કઠોર છું. નારિયેળની જેમ, એ મારી ઢાલ છે. નારિયેળ ઉપરથી ભારે સખત હોય છે. પરંતુ એની ભીતર રસ ભર્યો છે. આજે મારી આંખોમાંથી જે રીતે આંસુ વહે છે એ જ રીતે સાબરમતી આશ્રમમાં હતો, ત્યારે પણ વહેતાં. આજે સૌની સામે વહે છે, ત્યારે એકાંતમાં ઝરતાં. પરમેશ્વર સિવાય બીજો કોઈ મારો ઉદ્દેશ નથી. પરંતુ મેં મારું જીવન ભારે કઠોર બનાવી લીધું હતું. વહેવારમાં એ કઠોરતા દોષ મનાય છે, પરંતુ ક્યાંક એ ગુણ પણ બની જાય છે. જે વિષ સૌને માટે મારક હોય છે, તે ભગવાન શંકર માટે નામસ્મરણ કરવાનું સાધન બની જાય છે.
વધુ આગળ વાંચો »

Published By : ReadGujarati · Permalink · Comments (6)
સૃષ્ટિ સાથે માણસનો આત્મીય નાતો – વિનોબા ભાવે

Friday, April 9, 2010 · પ્રકાર : આધ્યાત્મિક લેખ · સાહિત્યકાર : વિનોબા ભાવે · 5 પ્રતિભાવો

[‘વિચારવલોણું’ માર્ચ-2010માંથી સાભાર.]

મને યાદ આવે છે, મારું બાળપણ. હું જમવા બેસતો, ત્યારે મારી મા મને પૂછતી, ‘તુલસીને પાણી પાયું ?’ જ્યાં સુધી હું તુલસીને પાણી ન પાઉં, ત્યાં સુધી મા મને ખાવા નહોતી આપતી. બાળપણથી જ આ કેવા સારા સંસ્કાર મને મા તરફથી મળ્યા ! ઝાડપાનની સેવા કર્યા વિના ખાવું નહીં. ખાધા પહેલાં તુલસીના છોડને પાણી પાવું, ગાય ને કૂતરા માટે કાંઈક અલગ રાખવું, એ ભારતીય સંસ્કૃતિનો વિચાર છે. તેમાં મૂળ વાત એ છે કે માણસ એકલો નથી, આ વૃક્ષ-વનસ્પતિ છે, પશુ-પંખી છે, એ બધાંનોય આપણે જે ખાઈએ-પીએ છીએ, તેમાં કાંઈક ને કાંઈક હિસ્સો છે, એવી ભાવના ભારતીય સંસ્કૃતિમાં રૂઢ થયેલી છે. આપણને આ જે મહાન વારસો મળ્યો છે, તેને કાયમ રાખવાની અને વધારતા રહેવાની જવાબદારી આપણા ઉપર છે.

‘ઈશાવાસ્યં ઈદં સર્વમ….’ – ઈશાવાસ્ય ઉપનિષદનો આ પ્રથમ મંત્ર ભારતીય દર્શનના સાર રૂપ છે. તેમાં ભારતીય સંસ્કૃતિનો નિચોડ આવી જાય છે. આ સમસ્ત સૃષ્ટિ ઈશ્વરમય છે, માણસે ત્યાગવૃત્તિથી જીવન જીવવાનું છે, બીજાની ભોગવૃત્તિની ઈર્ષ્યા કરવાની નથી – આવો ત્રિવિધ સંદેશ આ એક જ મંત્રમાં આપી દેવાયો છે. આપણા સમાજશાસ્ત્રનો આ પાયો છે. માણસે પોતાના ભોગને યોગમય કરવાનો છે. આપણે જો ભોગ પાછળ પડીશું, તો આપણી સંસ્કૃતિથી વિરુદ્ધ જઈશું અને માર ખાઈશું.

આખીયે સચરાચર સૃષ્ટિ ઈશ્વરથી ભરી છે, કોઈ ચીજ તેના વિના ખાલી નથી. આટલું સમજીને આપણે બધું એને અર્પણ કરવું જોઈએ અને જે કાંઈ એની પાસેથી મળે, તે પ્રસાદ માનીને ગ્રહણ કરવું જોઈએ. મારું કાંઈ નથી, બધું ઈશ્વરનું છે, એવી ભાવના રાખવી જોઈએ. સૃષ્ટિ તરફ જોવાની અને માનવ-જીવન તરફ જોવાની એક સ્વસ્થ નરવી દષ્ટિ તેમાં જોવા મળે છે. આવી નીતરી નરવી જીવનદષ્ટિની દુનિયાને આજે તાતી જરૂર છે. આ દેશમાં આપણે લોકો નદીઓને માતા માનીએ છીએ. આપણી કન્યાઓનાં નામ પણ ગંગા, જમના, ગોદાવરી વગેરે નદીઓનાં નામ પરથી રાખીએ છીએ. આપણે ત્યાં પાણી પ્રત્યે એટલી વિલક્ષણ શ્રદ્ધા છે કે જ્યાં-જ્યાં નદીઓ છે, ત્યાં આપણે તીર્થક્ષેત્ર ઊભાં કરી દીધાં છે. વૈદિક ઋષિ નદીને કહે છે, ‘હે દેવી ! દૂધ જેવાં પવિત્ર, પાવન, મધુર જળ લાવનારી તું ધેનુ જેવી છે. જેમ ગાય વાછરડાંને છોડીને જંગલમાં નથી રહી શકતી, તેમ તમે નદીઓ પણ પર્વતોમાં નથી રહી શકતી. તમે તરસ્યાં બાળકોને મળવા એકદમ દોડી આવો છો.’
વધુ આગળ વાંચો »

Published By : ReadGujarati · Permalink · Comments (5)
વિજ્ઞાન અને અહિંસા – વિનોબા ભાવે

Tuesday, March 23, 2010 · પ્રકાર : સાહિત્ય લેખ · સાહિત્યકાર : વિનોબા ભાવે · 12 પ્રતિભાવો

[‘વિજ્ઞાન અને અધ્યાત્મ’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

વિજ્ઞાનયુગ આજે ભારે ઝડપથી આગળ વધી રહ્યો છે. આજે હવે માણસને માત્ર પૃથ્વીથી સંતોષ નથી, તે બીજા ગ્રહો ઉપર પણ પહોંચવા માગે છે અને એમની સાથે સંપર્ક રાખવા ઈચ્છે છે. પાંચસો વરસ પહેલાં કોલંબસ જેવા શોધકોએ અમેરિકા શોધ્યો અને આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને નવા નવા પ્રદેશોની ભાળ કાઢી. આને લીધે દુનિયા આખીના જીવનમાં અનેકાનેક પરિવર્તન આવ્યાં. પરંતુ એ બધી ખોજ પૃથ્વી પરની જ હતી. આજે હવે માણસ પૃથ્વીને અતિક્રમી જવા તત્પર બન્યો છે. પાંચસો વરસ પહેલાં જે જિજ્ઞાસા પૃથ્વીની ખોજ કરવા માટેની હતી, એ જ આજે પૃથ્વીની બહારની અન્ય પૃથ્વીઓ સુધી આગળ વધી ગઈ છે. માણસ હવે અન્ય ગ્રહો સાથે સંપર્ક સાધવા મથી રહ્યો છે. આ ભારે મોટી પ્રગતિ છે. આ અભિનવ વિજ્ઞાનયુગ શરૂ થઈ ગયો છે. તેને આપણે ‘અપાર્થિવ વિજ્ઞાનયુગ’ પણ કહી શકીએ.

આ અભિનવ વિજ્ઞાનયુગનાં મુખ્ય બે લક્ષણ નોંધપાત્ર છે. એક તો આજે વિરાટમાં પ્રવેશવાનું વલણ છે, અને બીજું સૂક્ષ્મમાં પ્રવેશવાનું. એક બાજુ માણસ આ વિરાટ સૃષ્ટિનો તાગ લેવા મથી રહ્યો છે, તો બીજી બાજુ સૂક્ષ્મ અણુની શક્તિનું આકલન કરવા મથે છે. વિરાટ અને અણુ બેઉનો તાગ લેવાનું વલણ આ અભિનય વિજ્ઞાનયુગનું છે. આવો આ વિજ્ઞાનયુગ આજે ઝડપથી આગળ વધી રહ્યો છે. વિજ્ઞાનની આ પ્રગતિ રોકાવી ન જોઈએ, તેને મોકળું મેદાન મળવું જોઈએ. પરંતુ આની સાથોસાથ વિજ્ઞાનની આ પ્રગતિ માનવજાત માટે સર્વ રીતે સર્વથા કલ્યાણકારી બની રહે, તેનુંયે ચિંતન થવું જોઈએ.
વધુ આગળ વાંચો »

Published By : ReadGujarati · Permalink · Comments (12)
એક નહીં, અનેક બારી જોઈએ – વિનોબા ભાવે

Thursday, March 4, 2010 · પ્રકાર : અન્ય લેખ · સાહિત્યકાર : વિનોબા ભાવે · 24 પ્રતિભાવો

[ આજથી શરૂ થતી ધોરણ-10 (SSC) અને ધોરણ-12(HSC)ની પરીક્ષાના સૌ વિદ્યાર્થીમિત્રોને શુભકામનાઓ. પ્રસ્તુત છે ભાષા-શિક્ષણના માધ્યમ પર વિનોબાજીના વિચારો રજૂ કરતા પુસ્તક ‘શિક્ષણમાં અંગ્રેજીનું સ્થાન’માંથી એક લેખ સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

ઘણા લોકોને એમ લાગે છે કે અંગ્રેજી વગર શિક્ષણ અધૂરું રહી જશે, કારણ કે દુનિયાને માટે તે એક ‘વિન્ડો’ – બારી છે. આ વાતમાં કાંઈક તથ્ય છે, તેની ના નહીં. પરંતુ મારું કહેવું એમ છે કે તે ‘એક’ બારી છે. બુદ્ધિશાળી લોકો પોતાના ઘરમાં માત્ર એક બારી નથી રાખતા, ચારે દિશામાં અલગ અલગ બારી રાખે છે. ત્યારે ચારેય બાજુનું દર્શન થાય છે. એક જ બારી હંમેશા એક જ બાજુનું દર્શન કરાવશે. અને તે એકાંગી દર્શન હશે. એવી રીતે તમે જો માત્ર અંગ્રેજીની એક જ બારી રાખશો, તો સર્વાંગી દર્શન નહીં થાય, એક જ અંગનું દર્શન થશે. માત્ર અંગ્રેજી ભાષા દ્વારા જ આપણે દુનિયાને જોઈશું, તો આપણને તદ્દન એકાંગી દર્શન થશે. તે સમ્યક ને સાચું દર્શન નહીં હોય, ખોટું ને અધૂરું દર્શન હશે. આપણે અંગ્રેજી ભાષાને આધીન થઈ જઈશું અને સ્વતંત્ર બુદ્ધિથી વિચારવાનો આપણને મોકો નહીં મળે.

તેથી હું તો એમ કહીશ કે આપણે ઓછામાં ઓછી આઠ બારી રાખવી પડશે. માત્ર અંગ્રેજી જ નહીં, દુનિયાની ઓછામાં ઓછી આઠ ભાષા આપણે શીખવી પડશે. અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ અને રશિયન એ પાંચ યુરોપની, ચીની અને જાપાની એ બે દૂર પૂર્વની, અને એક અરબી ઈરાનથી સીરિયા સુધીના વિસ્તાર માટે. ત્યારે દુનિયાનું સમ્યક દર્શન થશે. એ વાત સાચી છે કે આપણે ત્યાં અંગ્રેજીના શિક્ષણની સગવડ ઘણી સારી છે, એટલે અંગ્રેજી શીખનારા વધારે નીકળશે, બીજી ભાષાના ઓછા નીકળશે. પરંતુ આ આઠ ભાષાના ઉત્તમ જાણકાર આપણે ત્યાં હોવા જોઈએ. તો જ ઠીક ચાલશે. નહીં તો જાણ્યે-અજાણ્યે આપણે ઈંગ્લેન્ડ-અમેરિકા તરફ ઢળી જઈશું. આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, તોયે આપણું ચિંતન એકાંગી બનશે.
વધુ આગળ વાંચો »

Published By : ReadGujarati · Permalink · Comments (24)
વિજ્ઞાન-અધ્યાત્મ – વિનોબા ભાવે

Monday, February 8, 2010 · પ્રકાર : આધ્યાત્મિક લેખ · સાહિત્યકાર : વિનોબા ભાવે · 12 પ્રતિભાવો

[વિશેષ નોંધ : પ્રિય વાચકમિત્રો, આમ તો આપ સૌ તમામ લેખો એકાગ્રતાથી જ વાંચતા હશો, આમ છતાં કેટલાક લેખોમાં હું આપની વિશેષ એકાગ્રતા ચાહું છું. આ લેખ તેમાંનો એક છે. ‘આપણે તે વળી ધ્યાન કરવાનો ક્યાં સમય છે ?’ એમ સમજીને કૃપયા આ લેખને એકબાજુ મુકી ન દેશો. ધ્યાનને આપણે ફક્ત અધ્યાત્મિક પ્રક્રિયા તરીકે ગણ્યું છે, જે તેનો ખૂબ સીમિત અર્થ છે. ધ્યાન એટલે આપણે આપણા મનને સ્વસ્થ કરવાની પ્રક્રિયા. એ ખુલ્લી આંખે પણ થઈ શકે છે. અહીં એ અર્થમાં ધ્યાનની વાત કરવામાં આવી છે, જે ખૂબ રસપ્રદ છે. આપણે સૌ સ્વસ્થ જીવનના ચાહક છે અને તેથી મન તેમજ ચિત્તની સ્વસ્થતા અને પ્રસન્નતામાં વધારો કરે એવી બાબતોની આપણી ખોજ સતત રહેવી જોઈએ. આવો, આચાર્ય વિનોબાના શબ્દે આપણે ધ્યાનના અર્થને એક નવા પરિપ્રેક્ષ્યમાં સમજીએ. આ પુસ્તકમાં વિજ્ઞાનનો યર્થાથ ઉપયોગ કરવાની અને અધ્યાત્મને વ્યવહારિક અર્થમાં સમજવાની બાબત પર વિશેષ સમજ આપવામાં આવી છે. પુસ્તક ખરેખર વસાવવા લાયક છે. આ વિચારો આપણા સૌ પરિવારજનો સુધી પહોંચે તે આજના સમયમાં અત્યંત જરૂરી છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી.]

[1] ધ્યાન પ્રક્રિયાની એક રૂપરેખા

ઘણીવાર લોકો મને પૂછે છે કે તમને ધ્યાન કેવી રીતે સધાય છે ? હું કહું છું કે હું આળસું છું એટલા માટે મને ધ્યાન ઝટ સધાય છે. મને થાય છે કે આપણા મનને આપણે ચારેકોર મોકલતા રહીએ છીએ તો તકલીફ થાય છે. એવી તકલીફ શું કામ વહોરી લેવી ? તેથી મારા જેવા આળસુને ધ્યાન સહજ સધાય છે. મનને એકાગ્ર કરવા માટે મારે કાંઈ કરવું નથી પડતું. અનેકાગ્ર કરવા માટે કોશિશ કરવી પડે છે.

મારું કહેવું છે કે આ આળસુપણાની કીંમત જ્યાં સુધી લોકોને નહીં સમજાય, ત્યાં સુધી ધ્યાન સહજ નહીં બને. મનની પાછળ દોડી-દોડીને ખુવાર થતા રહેવાને બદલે મનથી આપણે અલગ છીએ, મન તો આપણું કહ્યાગરું છે, તેની પાસેથી આપણે આપણી મરજી મુજબ કામ લઈ શકીએ છીએ, એ વાતનું ભાન થવું, એ અત્યંત મહત્વનું છે. એક વાર મનથી અલગ થઈ જશો કે ધ્યાન વગેરે સાવ રમત વાત બની જશે. રાગ-દ્વેષ, તીવ્ર ગમા-અણગમા, પૂર્વગ્રહ ને પક્ષપાત, એ બધા મનના ખેલ છે. એટલે મનથી અલગ થવું, એ સાધનાનો આરંભ છે. ત્યારબાદ મનથી ઉપર ઊઠવાનું છે. મનથી અલગ થવું એક વાત છે અને મનથી ઉપર ઊઠવું બીજી વાત છે. હું તો કહીશ કે ધ્યાનની કોશિશ કરવા કરતાંયે મનથી ઉપર ઊઠવું વધારે મહત્વનું છે. મનથી ઉપર ઊઠીશું, ત્યારે પ્રત્યેક વિચાર શાંત બુદ્ધિના સ્તરેથી થશે, અને મન આપણું કહ્યાગરું થઈને વર્તશે.
વધુ આગળ વાંચો »

Published By : ReadGujarati · Permalink · Comments (12)
ગીતા-પ્રવચનો – વિનોબા

Saturday, October 17, 2009 · પ્રકાર : આધ્યાત્મિક લેખ · સાહિત્યકાર : વિનોબા ભાવે · 3 પ્રતિભાવો

[‘ગીતા-પ્રવચનો’ એ ભારતીય લોકોના હૃદયમાં વસેલું પુસ્તક છે. માતાના દૂધ જેવું તે સુપાચ્ય છે. વિદ્યાર્થીથી લઈને વિદ્વાન સુધી કોઈ પણ પ્રકારના લોકો સમજી શકે તેવી સરળ ભાષામાં વિનોબાજીએ શ્રીમદ ભગવદગીતાના અઢારેય અધ્યાયોનો સાર ધૂળિયા જેલવાસ દરમ્યાન કહ્યો હતો. આ કહેતી વખતે તેમની અવસ્થા કેવી હતી, તે વિશે તેમણે કહ્યું છે કે : ‘ગીતા પર પ્રવચન કરતી વખતે મારી કેવી વૃત્તિ હતી, એ હું શબ્દોમાં કહી નથી શકતો. પરંતુ જો પરમેશ્વર મનુષ્ય પાસેથી કેટલાક શબ્દ બોલાવી લે છે એમ માનીએ, તો એ બધા શબ્દો પરમેશ્વરે જ મારી પાસે બોલાવડાવ્યા છે. પ્રવચન કરતી વખતે, હું બોલી રહ્યો છું એવું ભાન મને ન હતું તેમજ સાંભળનારાઓને પણ એવો આભાસ ન હતો થતો કે, વિનોબા બોલી રહ્યો છે.’ આવું આ અદ્દભુત પુસ્તક આજે રીડગુજરાતીના વાચકો માટે દિવાળી ભેટ રૂપે પ્રકાશિત કરતાં હું અત્યંત આનંદ અનુભવું છું. આ સંપૂર્ણ પુસ્તક આપ ડાઉનલોડ વિભાગમાંથી PDF સ્વરૂપે ડાઉનલોડ (Click Here) કરી શકો છો. 239 પાનના આ પુસ્તકને કૉમ્પ્યુટર પર ઉતારવાનો એટલે કે ટાઈપિંગનો સંપૂર્ણ શ્રેય મુરબ્બી શ્રી કાંતિલાલભાઈ પરમારને (હીચીન, યુ.કે.) જાય છે. તેમજ તેને રીડગુજરાતી.કૉમ સુધી પહોંચાડવા માટે શ્રી અતુભાઈ જાની (ભાવનગર)નો આભાર માનીએ એટલો ઓછો છે. રીડગુજરાતી આ શુભકાર્યમાં નિમિત્ત બને છે તેનો આનંદ છે. આશા છે, સૌ વાચકમિત્રોને ‘ગીતા-પ્રવચનો’ ઉપયોગી થઈ રહેશે. ચાલો, માણીએ આ પુસ્તકમાંનો કેટલોક અંશ. – તંત્રી, મૃગેશ શાહ. ]

[અધ્યાય છઠ્ઠો]

આત્મોદ્ધારની આકાંક્ષા :

માણસનો ઊંચામાં ઊંચો કૂદકો કેટલે સુધી પહોંચી શકે છે તે કલ્પનાથી તેમ જ વિચારથી આપણે પાંચમાં અધ્યાયમાં જોઈ શક્યા. કર્મ, વિકર્મ અને આકર્મ મળીને સર્વ સાધના પૂર્ણ થાય છે. કર્મ સ્થૂળ વસ્તુ છે. જે સ્વધર્મકર્મ આપણે કરીએ તેમાં આપણા મનનો સહકાર હોવો જોઈએ. મનની કેળવણીને માટે જે કર્મ કરવાનું છે તે વિકર્મ, વિશેષ કર્મ અથવા સૂક્ષ્મ કર્મ છે. કર્મ ને વિકર્મ બંને જોઈએ. એ બંનેનો પ્રયોગ કરતાં કરતાં અકર્મની ભૂમિકા તૈયાર થાય છે. પાછલા અધ્યાયમાં આપણે જોયું કે એ ભૂમિકામાં કર્મ અને સંન્યાસ બંને એકરૂપ જ થઈ જાય છે. હવે છઠ્ઠા અધ્યાયની શરૂઆતમાં ફરીથી કહ્યું છે કે કર્મયોગની ભૂમિકા સંન્યાસની ભૂમિકા કરતાં અલગ દેખાતી હોય તો પણ અક્ષરશઃ એકરૂપ છે. ફક્ત દ્રષ્ટિમાં ફેર છે. હવે પછીના અધ્યાયનો વિષય પાંચમા અધ્યાયમાં વર્ણવેલી અવસ્થાનાં સાધનો વિચારવાનો છે.

કેટલાક લોકોના મનમાં એવો ભ્રામક ખ્યાલ ઘર કરી ગયો છે કે પરમાર્થ, ગીતા વગેરે ગ્રંથો કેવળ સાધુઓને માટે છે. એક ગૃહસ્થે મને કહ્યું, ‘ હું કંઈ સાધુ નથી. ’ એમના કહેવાનો અર્થ એવો હતો કે સાધુ નામે ઓળખાતાં જે કેટલાંક પ્રાણી છે તેમાંના પોતે નથી. જેવાં ઘોડા, સિંહ, રીંછ, ગાય વગેરે જાનવરો છે તેવાં સાધુ નામનાં પણ જાનવરો છે, અને પરમાર્થની કલ્પના માત્ર તેમને માટે છે. બાકીના બીજા વહેવારમાં રહેનારા તે જાણે કંઈક જુદા, તેમના વિચાર જુદા, આચાર પણ જુદા ! આ ખ્યાલને લીધે સાધુસંતો અને વહેવારૂ લોકોને એકબીજાથી અળગા પાડી નાખવામાં આવ્યા છે. ગીતારહસ્યમાં લોકમાન્ય તિલકે આ બાબત પર ખાસ ધ્યાન ખેંચ્યું છે. ગીતા એ ગ્રંથ સર્વસાધારણ વહેવારૂ લોકોને માટે છે એ લોકમાન્યની ભૂમિકા હું અક્ષરશઃ ખરી માનું છું. ભગવદ્ગીતા તમામ દુનિયાને સારૂ છે. પરમાર્થમાં આવતું એકેએક સાધન હરેક વહેવારૂ માણસને માટે છે. આપણો વહેવાર શુદ્ધ તેમ જ નિર્મળ થાય અને મનને સમાધાન તેમ જ શાંતિ કઈ પેરે મળે એ વાત પરમાર્થ શીખવે છે. વહેવાર કેમ શુદ્ધ કરવો તે શીખવવાને માટે ગીતા છે. તમે જ્યાં જ્યાં વહેવાર કરો ત્યાં બધે ગીતા આવે છે. પણ તે તમને ત્યાં ને ત્યાં રહેવા દેવા માગતી નથી. તમારો હાથ ઝાલીને તે તમને છેવટને મુકામે પહોંચાડશે. પેલી પ્રસિદ્ધ કહેવત છે ને કે ‘ पर्वत महमद पासे आवतो नहीं होय तो महमद पर्वत पासे जशे. ’ પોતાનો સંદેશો જડ પર્વતને પણ પહોંચે એવી ફિકર મહમદને છે. પર્વત જડ હોવાથી તેના આવવાની વાટ જોઈને મહમદ બેસી રહેવા માગતો નથી. એ જ વાત ગીતા ગ્રંથને પણ લાગુ પડે છે. ગરીબ, દૂબળો, અણઘડમાં અણઘડ જે કોઈ હોય તે સૌની પાસે ગીતા પહોંચી જશે. પણ તે જ્યાં હશે ત્યાં તેને કાયમ રાખવાને નહીં, તેનો હાથ ઝાલી તેને આગળ લઈ જવાને, ઊંચે ઉઠાવવાને જશે. માણસ પોતાનો વહેવાર શુદ્ધ કરતો પરમોચ્ચ સ્થિતિએ પહોંચે એટલી જ ગીતાની ઈચ્છા છે, એટલા ખાતર જ ગીતાની હયાતી છે.
વધુ આગળ વાંચો »

Published By : ReadGujarati · Permalink · Comments (3)
સામ્યસૂત્ર – વિનોબા ભાવે

Thursday, August 6, 2009 · પ્રકાર : આધ્યાત્મિક લેખ · સાહિત્યકાર : વિનોબા ભાવે · 4 પ્રતિભાવો

[આચાર્ય, ઋષિ અને સંતની બહુમુખી પ્રતિભા ધરાવનાર પૂ.વિનોબાજીના ‘ગીતા પ્રવચનો’ જેટલા જ પ્રસિદ્ધ પુસ્તક ‘સામ્યસૂત્ર’માંથી આજે માણીએ આ પુસ્તકનો પરિચય અને તે પછી પ્રથમ સૂત્રનું વિશ્લેષણ, ‘સામ્યસૂત્ર’ પુસ્તકમાંથી સાભાર.]

‘સામ્યયોગ-સૂત્રો’ એ એક નવી ચીજ તો છે, પણ કાંઈ છેક જ નવી ચીજ નથી. ‘ગીતા પ્રવચનો’ના પુસ્તકમાં જે મથાળાં આવે છે, તેમને જ અહીં સંસ્કૃત સૂત્રોમાં ગૂંથી લીધાં છે. પણ આ સૂત્રોની રચના એવી નથી કે ‘ગીતા પ્રવચનો’માં જે ભાષ્ય થયું છે તેટલા પૂરતો જ એમનો અર્થ મર્યાદિત થઈ જાય. આ સૂત્રોની રચના બહુ યોગપૂર્વક કરવામાં આવી છે. એ સૂત્રો યોગસૂત્રનાં સૂત્રો જેવાં છે અને એમની સંખ્યા એકંદરે 108ની છે. કોરાપુટનાં જંગલોમાં અત્યંત એકાંત અને રમણીય સૃષ્ટિનો સ્પર્શ મને મળતો રહ્યો અને એટલે મારા જીવનઆદર્શને સૂત્રોમાં ગૂંથી લેવાની મારી વરસો-જૂની ઈચ્છા જાગી ઊઠી.

આપણે ત્યાં તત્વ-વિચારને ગણ્યાંગાઠ્યાં સૂત્રોમાં પરોવી લેવાની પ્રથા પ્રાચીનકાળથી ઊતરી આવી છે. એની પાછળ ત્રણ હેતુઓ હોય છે. એક તો એ કે અધ્યયન કરનારાઓને અખૂટ ઊંડો ખજાનો મળી રહે. વળી સતત ચિંતન કરવા જેવી કોઈ વસ્તુ પાછળ મૂકતા જવાય અને તે પણ એવી હોય કે જેને સહેલાઈથી મોઢે કરી શકાય. સૂત્ર તે છે જે સૂચક છે. જે સૂચન કરે છે તે સૂત્ર છે. જે તમને કંઈક સૂચવી જાય છે તે સૂત્ર છે. સહેજ ઈશારો કરી દીધો કે તમે આપોઆપ વધુ વિચારી શકો. વધુ પ્રકાશ પોતાની મેળે પામી શકો. આવાં સૂચક વચનોને સૂત્ર કહે છે. મેં મારા જીવનઆદર્શોને આવી જાતનાં સૂત્રોમાં ગૂંથી લેવા વિચાર્યું.

મેં છેક બચપણથી ગીતાને જીવનગ્રંથ માન્યો છે. અનેક ભાષાના અનેક ધર્મગ્રંથોનું અધ્યયન મેં કર્યું છે, પણ એ સર્વ અધ્યયનને અંતે ગીતા જ મારા હૃદય પર રાજ્ય કરતી રહી છે. આવું શાથી થાય છે તેનું હું કાંઈ કારણ આપી શકું તેમ નથી. શું ગીતા પાસે એવું કંઈક વિશેષ છે તેથી આમ થયું છે કે પછી મારો ને એનો સ્નેહ-સંબંધ જ કાંઈક એવો બંધાઈ ગયો છે, તે તો રામ જાણે ! ગીતા જેવો જાદુ બીજા ગ્રંથમાં છે જ નહીં એવું મારું કહેવું નથી. એમ તો હું કઈ રીતે કહી શકું ? નિરનિરાળા મનુષ્યોને પોતપોતાની રુચિ-મતિ મુજબ નિરનિરાળી વસ્તુ પ્રિય થઈ પડે અને એ જ પૂર્ણ પણ ભાસે. એ સાવ સંભવિત છે. ગમે તેમ, ગીતા મારે માટે તો જાણે કે એક પરિપૂર્ણ ગ્રંથ જ થઈ પડ્યો છે. એ ગ્રંથને આધારે રચાયેલાં, પરંતુ ચિંતનને માટે તદ્દન સ્વતંત્ર એવાં આ ‘સામ્યસૂત્ર’ છે. જેમ પક્ષી એની પાંખો વડે ચોમેર ઊડાઊડ કરી શકે છે, તેમ આપણે આ સૂત્રોને આધારે ચોમેર ઘૂમી વળી શકીશું, ઉડ્ડયન કરી શકીશું.