Saturday, May 29, 2010

Rupee at 1-wk high supported by euro, shares..

The rupee rose to its highest in a week on Friday, as risk aversion over the euro zone debt crisis receded, bolstering dollar supplies from local exporters while a rally in domestic shares aided sentiment.

The partially convertible rupee ended at 46.35/36 per dollar, off an intraday peak of 46.32, its strongest since May 20, and more than 2 percent stronger than Wednesday's close of 47.29/30. It rose 1.3 percent on the week.

The market was closed on Thursday for a local holiday.

The euro gained on month-end fixing demand for euros and ahead of a long weekend in both the U.S. and U.K. markets. The dollar index against six majors was down about 0.1 percent.

"The euro's rise led to dollar selling from exporters from the beginning of trade. The undertone is bullish and I see a range of 46.20 to 46.50 for Monday," said a dealer with a foreign bank.

Traders said a rise in domestic share prices also supported sentiment.

The benchmark BSE (^BSESN : 16863.06 +196.66) share index posted its biggest weekly gain since early March, as it rose 1.2 percent on the day, tracking a rally in global markets and China's assurance that Europe will remain a major investment market.

The People's Bank of China said a Financial Times report that the State Administration of Foreign Exchange (SAFE) was concerned about its exposure to euro zone debt was groundless, lifting world stocks.

One-month offshore non-deliverable forward contracts were quoted at 46.46, weaker than the onshore spot rate.

In the currency futures market , the most traded near-month dollar-rupee contracts on the National Stock Exchange (^NSEI : 5066.55 +63.45) and MCX-SX ended at 46.5050 and 46.51 respectively, with the total traded volume on the two exchanges at about $7.8 billion.

કરિયરની કશ્મકશ : બાય ચોઈસ or બાય ચાન્સ...

કારકિર્દીનું ઘડતર અને તેનું મૂલ્ય માત્ર પરીક્ષાનાં પરિણામોને આધારે આંકવું એ ભૂલભરેલું છે. પરીક્ષામાં યોગ્યતા પુરવાર કરવા સારી ટકાવારી ચોક્કસ જરૃરી છે. કોઈ કારણસર ટકાવારી ઓછી આવે તો પણ કારકિર્દીના ઘડતર માટે વિવિધ વિકલ્પો રહેલા છે.

વિદ્યાર્થી દસમા ધોરણમાં આવે ત્યારથી જ તેમના વાલીઓ ભવિષ્યની ચિંતા કરતા થઈ જતા હોય છે. એક રીતે આ ચિંતા બરાબર પણ છે, કારણ કે ઉજ્જવળ ભવિષ્યનો બધો મદાર આ પરીક્ષામાં મેળવેલા પરિણામ પર હોય છે. જીવનમાં અને કારકિર્દીમાં યોગ્યતા પુરવાર કરવા મહેનત, આવડત, યોગ્ય નિર્ણય અને લક્ષ્યની જરૃર રહે છે. એ સમયની રાહ જોવાની જરૃર નથી કે ક્યારે આપણી શિક્ષણ પદ્ધતિમાં ક્યારે બદલાવ આવશે. રાહ તો એ સમયની જોવાની રાખો કે ક્યારે તમે એ બદલાવ કરવા સક્ષમ બની શકશો. કારકિર્દીને પસંદ કરવાની, તમને ગમતા ક્ષેત્રમાં ડગ માંડવાની અને સપનાં સાકાર કરવાની તક એટલે દસમું અને બારમું ધોરણ. એના પરિણામને આધારે જીવનની દિશા નક્કી કરવામાં આવતી હોય છે કે પછી નક્કી કરતા હો છો. કારકિર્દીની પસંદગીમાં મુખ્યત્વે ચાર પરિબળો ભાગ ભજવતાં હોય છે. ટકાવારી, શોખ, સર્જનાત્મકતા અને લક્ષ્ય.

કારકિર્દીની પસંદગી

ટકાવારીને આધારે

કારકિર્દીની પસંદગીમાં આજે પણ સૌથી મોટું પરિબળ ભાગ ભજવતું હોય તો તે ટકાવારી છે. પરિણામને આધારે સ્ટ્રીમ એટલે કે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સની પસંદગી કરવામાં આવે છે. એક વણલખ્યો નિયમ આપણે ત્યાં ઘડી નાખવામાં આવ્યો છે કે જો પરિણામ ૬૦ ટકાથી ઓછું હોય તો વિદ્યાર્થીઓ આર્ટ્સમાં જતા હોય છે. જો પરિણામ ૬૦થી ૮૦ ટકાની વચ્ચે આવે તો કોમર્સની સ્ટ્રીમ અને જો પરિણામમાં ટકાવારી ૮૦થી વધુ હોય તો સાયન્સ પસંદ કરવામાં આવે છે. વિદ્યાર્થી પોતાની પસંદગીથી વિદ્યાશાખાની પસંદગી કરે છે તો એ વાત અલગ છે. હવે તો મેરિટના આધારે ફેકલ્ટી પસંદ કરવામાં આવે છે પરિણામ ઓછું હોય તો નાસીપાસ થઈ જવાની જરૃર નથી. આર્ટ્સ કોમર્સ અને સાયન્સ લાઈન પસંદ કર્યા બાદ પણ કારકિર્દીની સારી તકો રહેલી છે.

શોખ

તમારા શોખને તમારી કારકિર્દી તરીકે અપનાવી શકો છો. તેના માટે કોઈ સારા કે ખરાબ પરિણામને ધ્યાનમાં નથી લેવાનું હોતું. કોઈ પણ ફેકલ્ટીના વિદ્યાર્થી હો જો તમને પેઈન્ટિંગનો શોખ હોય તો ફાઈન આર્ટ્સમાં ડિપ્લોમા લઈ શકો છો. ફાઈન આર્ટ્સ અંતર્ગત જ્વેલરી મેકિંગ, વિઝ્યુઅલ આર્ટ, સિરામિક પેઈન્ટિંગ, ગ્રાફિક પેઈન્ટિંગને લગતા વિવિધ કોર્સ કરીને તેમાં કારકિર્દી બનાવી શકો છો. આ સિવાય પરફોર્મિંગ આર્ટ્સને લગતા કોર્સ જેવા કે મ્યુઝિક, ડ્રામા અને ડાન્સમાં પણ ડિપ્લોમા, અન્ડર ગ્રેજ્યુએટ ડિપ્લોમા તેમજ માસ્ટર ડિગ્રી પણ મેળવી શકો છો. થોડી હટકે કારકિર્દી ઘડી શકો છો.

સર્જનાત્મકતા

દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ કળામાં સર્જનાત્મકતા રહેલી હોય છે. જરૃર હોય છે તેને ઓળખીને ખીલવવાની. ઈન્ટિરિયર ડિઝાઈનર, ફેશન ડિઝાઈનર તેમજ ગાર્ડનિંગને લગતા કોર્સ કરી શકો છો.આ બધા કોર્સમાં ગુણની નહીં પણ તમારી આવડત અને સર્જનાત્મકતાની જરૃર હોય છે. રીઅલ ઈન્ડસ્ટ્રી અને પ્રોપર્ટી બૂમના આ સમયગાળામાં ઇન્ટિરિયર ડિઝાઈનરના ક્ષેત્રમાં સારો સ્કોપ રહેલો છે. એ જ રીતે ફેશનવર્લ્ડ હંમેશાંથી આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આ ઇન્ડસ્ટ્રીમાં જો તમે તમારી કાબેલિયતને પુરવાર કરી શકો તો સરળતાથી નામ અને દામ મેળવી શકો છો.

લક્ષ્ય

કારકિર્દીમાં સફળતા મેળવવા માટે લક્ષ્ય પાયાની ભૂમિકા ભજવે છે. તમારા લક્ષ્યને લઈને હંમેશાં ક્લિયર રહો. તમે શું બનવા ઇચ્છો છો, શું મહત્ત્વાકાંક્ષા છે અને કયાં સપનાં છે જેને સાકાર કરવાં છે તેના પર હંમેશાં તમારું ધ્યાન કેન્દ્રિત રાખો અને કારકિર્દીની પસંદગી કરો. આ તો વાત થઈ બંને બોર્ડના સંદર્ભમાં. દસમા ધોરણમાં સારા માર્ક્સ ના મેળવી શક્યા હો તો આર્ટ્સ, કોમર્સ કે સાયન્સને સ્થાને કેટલાક પ્રોફેશનલ ર્કોિસસમાં જોડાઈ પ્રગતિનો પથ કંડારી શકો છો.

આઈટીઆઈ અને પોલિટેકનિક

આઈટીઆઈમાં દસમા પછી તમે પ્રવેશ મેળવી શકો છો. ટૂંકા ગાળાના વિવિધ કોર્સ અહીં ઉપલબ્ધ છે, જે તમને પગભર થવામાં મદદરૃપ થઈ શકે છે. આઈટીઆઈમાં ઇલેક્ટ્રિશિયન, વાયરમેન તેમજ કમ્પ્યુટર અને ગર્લ્સ ક્વોટામાં સીવણ તેમજ એમ્બ્રોઈડરી વગેરે જેવા વિવિધ અભ્યાસક્રમોની લાંબી યાદી છે. જેમાં જોડાઈને તમે સર્ટિફિકેટ મેળવી શકો છો અને કારકિર્દી ઘડી શકો છો.

ડિપ્લોમા

દસમા ધોરણ બાદ ડિપ્લોમામાં પ્રવેશ મેળવી શકો છો અને અભ્યાસકાળમાં થોડું ધ્યાન આપીને ડિગ્રી એન્જિનિયરિંગમાં પણ પ્રવેશ મેળવવાની ક્ષમતા કેળવી શકો છો. ડિપ્લોમામાં એડમિશન મેરિટના આધારે મળે છે એટલે એવા વિષયોની પસંદગી કરવાની રાખો કે જેમાં તમારા ગુણને આધારે પ્રવેશ મેળવી શકવા સક્ષમ હો.

ઈગ્નૂ અને બાબા સાહેબ

આંબેડકર ઓપન યુનિવર્સિટી

ઈંદિરા ગાંધી ઓપન યુનિ. અને આંબેડકર ઓપન યુનિ.માં વિવિધ અભ્યાસક્રમો ચાલે છે. જેમાં વિવિધ વિષયોની પસંદગીનો અવકાશ પણ રહેલો છે. ઈગ્નુ અને આંબેડકર ઓપન યુનિ. ડિસ્ટન્સ ર્લિંનગ મોડ પ્રકારની સુવિધા પૂરી પાડે છે. જેમાં અસાઈગ્નમેન્ટ્સ ભરીને આપવાના રહે છે અને આંતરિક પરીક્ષા પાસ કરવાની રહે છેે.

બારમા ધોરણ પછીના વિકલ્પોઃ જો બીએ, બીકોમ કે બીએસસીમાં ના જોડાવવું હોય તો અન્ય કેટલાક અભ્યાસક્રમોને પ્રાધાન્ય આપી શકો છો.

મલ્ટિમીડિયા અને વેબ ડિઝાઈનિંગ

કમ્પ્યુટરના ફિલ્ડમાં કારકિર્દી ઘડવામાં રસ હોય તો સોફ્ટવેર અને હાર્ડવેર કોર્સનો અવકાશ ઉપલબ્ધ છે. આ સિવાય વેબ ડિઝાઈનિંગ, મલ્ટિમીડિયા અને એનિમેશનના ફિલ્ડમાં પણ ઝુકાવી શકો છો. આ માટે તમારે સતત પ્રેક્ટિસની જરૃર રહે છે અને નોલેજ અપડેટ રાખવું પડે છે.

હોટલ મેનેજમેન્ટ અને એવિયેશન

હોટલ મેનેજમેન્ટ અને એવિયેશન એવાં ક્ષેત્રો છે જે તમને વિદેશમાં પણ કારકિર્દી ઘડવાની તક આપે છે. આ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા માટે ભલે ગુણ મહત્ત્વ ના ધરાવતા હોય પણ અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોય તે આવશ્યક છે. જનરલ નોલેજ, સોશિયલ એટીકેટ, લોકોને પોતાના બનાવવાની આવડત તેમજ લાંબી મુસાફરી કરવાની તૈયારી હોય તો તમે આ કોર્સમાં જોડાઈ શકો છો.

નર્સિંગ

એવું નથી કે માત્ર સાયન્સ સ્ટ્રીમ ધરાવનારા વિદ્યાર્થીઓ જ નર્સિંગનો કોર્સ કરી શકે છે. આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ પણ નર્સિંગના કોર્સમાં જોડાઈ શકે છે. નર્સિંગના અભ્યાસક્રમ બાદ દેશમાં અને વિદેશમાં સારી એવી નોકરીની તકો રહેલી છે.

પીટીસી

અન્ય એક ઓપ્શન છે પીટીસી. છેલ્લા કેટલાક સમયમાં પીટીસીના અભ્યાસક્રમની બોલબાલા એટલી વધી ગઈ છે કે હવે તેમાં પણ એડમિશન મેળવવા માટે મેરિટ દિવસે ને દિવસે ઊંચું જઈ રહ્યું છે. જોકે પીટીસીનો વિકલ્પ એ દરેક સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે ખુલ્લો જ છે. એટલે જો ટકાવારીનું પ્રમાણ સારું હોય અને શિક્ષણ ક્ષેત્રમાં રુચિ હોય તો પીટીસીમાં જોડાઈ શકો છો.

સ્પર્ધાત્મક પરીક્ષા

એવાં ઘણાં ફિલ્ડ છે જે દરેક વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને યોગ્યતા પુરવાર કરવાની અને કારકિર્દી બનાવવાની એકસરખી તક પૂરી પાડે છે. રાષ્ટ્રીય સુરક્ષાને લગતી સેવાઓ તેમજ સરકારમાં વિવિધ ખાતાઓમાં નોકરી મેળવવા માટે, બેંક, ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ વગેરે ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવી હોય તો સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી જરૃરી બની જાય છે. જોકે સ્પર્ધાત્મક પરીક્ષાની એ જ ખાસિયત છે કે તેમાં કોઈ પણ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ ઉપસ્થિત થઈ શકે છે. તેના માટે કોઈ ચોક્કસ મેરિટ કે ટકાવારીની જરૃર નથી રહેતી. બધો આધાર તમારી મહેનત અને સામાન્ય જ્ઞાાન પર રહેલો હોય છે.

એડમિશન ફોર્મ ભરવા માટે જરૃરી પ્રમાણપત્રો

એસ.એસ.સીની પરીક્ષાનું પ્રમાણપત્રક, એકથી વધુ પ્રયત્નો હોય તો તેનું પ્રમાણપત્રક

ધો-૧૧નું શાળાએ આપેલું પરીક્ષાનું ગુણ પત્રક

ધો-૧૨માનું અથવા સમકક્ષ પરીક્ષાનું ગુણપત્રક, એકથી વધુ પ્રયત્નો હોય તો તેનું પ્રમાણપત્રક

લિવિંગ સર્ટિફિકેટ

વિકલાંગતા અંગેનું નિયત નમૂનામાં પ્રમાણપત્ર

સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગમાં સમાવિષ્ટ અને તે અંગેના અનામતનો લાભ મેળવવા ઈચ્છતા અરજદારે સક્ષમ અધિકારી પાસેથી મેળવેલું પ્રમાણપત્ર

અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક જૂથમાં સમાવિષ્ટ નહોય તેવી વિચરતી અને વિમુક્ત જાતિ માટેનું પ્રમાણપત્ર

માજી સૈનિક અને સશસ્ત્રદળની વ્યક્તિના પરિવારમાંથી આવતા અરજદારનું તે અંગેનું પ્રમાણપત્ર

Gold rebounds on wedding season demand....

Gold prices rebounded by Rs 115 to Rs 18,790 per ten gram in the bullion market on aggressive buying by stockists and jewellers for the ongoing marriage season amid a firming global trend.

The precious metal gained 2.30 dollar to 1,214.30 dollar an ounce in overseas markets.

Standard gold and ornaments recovered sharply by Rs 115 each to Rs 18,790 and Rs 18,640 per ten gram respectively.

They had lost Rs 135 in the previous trading session.

Sovereign gained Rs 50 to Rs 14,600 per piece of eight gram.

Spurred by an all-round boom in buying for the wedding season and a firming global trend, gold prices climbed to a record level of Rs 18,810 on Wednesday.

However, silver ready held steady at Rs 29,600 per kg and weekly-based delivery gained Rs 20 to Rs 29,275 per kg.

Silver coins continue to be asked around the previous level of Rs 34,400 for buying and Rs 34,500 for selling of 100 pieces.

ભૂલી જાઓ હવે ભૂલવાન...

જો કોઇ વ્યક્તિનું નામ યાદ રાખવામાં મુશ્કેલી પડતી હોય તો તે વ્યક્તિની ઇમેજ સાથે જોડાયેલી કોઇ વસ્તુને મગજમાં રાખો. જે સમયે તમારે તેને બીજી વાર યાદ રાખવાની જરૃર પડે ત્યારે આંખો બંધ કરીને તે ઇમેજને યાદ કરો. એટલે કે જે વ્યક્તિનું નામ તમને યાદ નથી આવી રહ્યું, તે ક્યાં રહે છે. જો તમે આ વિષયમાં પહેલાં કાંઇ પૂછયું હોય તો તમે તેના રહેવાના સ્થાનને યાદ કરીને તેને પણ યાદ કરી શકો છો. આ સિવાય કોઇ વ્યક્તિનું નામ સરળતાથી યાદ રાખવું હોય તો તે વ્યક્તિની કોઇ ખાસિયતને યાદ રાખશો તો પણ તરત જ તેનું નામ મગજમાં આવી જશે.

ઘણી વાર આપણે આપણા ઘરની, ગાડીની કે તિજોરીની ચાવી ક્યાંક મૂકીને ભૂલી જઇએ છીએ કે ચાવી ક્યાં મૂકી હતી. મગજ પર જોર આપવા છતાં પણ યાદ આવતું નથી કે ચાવી ક્યાં મૂકી છે. માત્ર ચાવી જ નહીં, ફોનની ડાયરી, જરૃરી કાગળો કે દસ્તાવેજો તે જ પ્રમાણે ઘણી વસ્તુઓ જેને સંભાળીને રાખવાની હોય છે તેને ક્યાંક મૂકીને આપણે ભૂલી જઇએ છીએ. અને જરૃર પડે ત્યારે આપણને તે વસ્તુ પણ નથી મળતી કે ક્યાં મૂકી છે તે પણ યાદ આવતું નથી.

આ તો થઇ માત્ર વસ્તુઓની વાત, પરંતુ ઘણી વાર તો આપણે સંબંધી કે ઓળખીતા લોકોને પણ ભૂલી જઇએ છીએ. જેની સાથે આપણી એક કે બે વાર મુલાકાત થઇ હોય તેવા લોકોને પણ આપણે યાદ રાખી શક્તા નથી. થોડા સમય માટે વસ્તુઓને ભૂલી જવું અને મગજ કસવા છતાં પણ યાદ ના આવવું તે એક સામાન્ય સમસ્યા છે. જ્યારે આપણે ઘણી વસ્તુ શીખીએ અથવા ઘણી સૂચનાઓને ગ્રહણ કરીએ ત્યારે તેમાંથી બધી યાદ રાખી શક્તા નથી અને મોટા ભાગની ભૂલી જઇએ છીએ. આ કોઇ અનોખી વાત નથી. વારંવાર કાંઇક ભૂલવું તે એ વાતનું સૂચક છે કે આપણે કોઇ બાબત કે વસ્તુ અંગે ચિંતિત છીએ અને આ જ ચિંતાઓને કારણે આપણે ઘણી વસ્તુઓ યાદ રાખી શક્તા નથી. થોડા સમય માટે સ્મરણશક્તિ નબળી પડી જવી એ સામાન્ય બાબત છે. આપણામાંથી દર બીજી વ્યક્તિ આ પ્રકારના ભુલક્કણપણાનો શિકાર હોય છે. નાની-નાની બાબતોને ભૂલી જવી, વસ્તુઓને યાદ રાખવા માટે મગજ પર વારંવાર જોર નાખવું, મગજ કસવા છતાં પણ કશું યાદ ના આવવું. પછી એકાએક યાદ આવી જવી જેવી બાબતો આપણી સાથે હંમેશાં ઘટતી રહે છે, લગભગ બધાની સાથે. તો જાણીએ આવી જ કેટલીક ભૂલી જતા હોઇએ તેવી બાબતો અને તેને યાદ રાખવાના ઉપાયો વિશે.

એક સાઇકિયાટ્રિસ્ટના મતે આપણું મગજ સૂચનાઓને બે રીતે ગ્રહણ કરે છે. જેમાં એક છે શોર્ટ ટર્મ મેમરી અને બીજી છે લોંગ ટર્મ મેમરી. શોર્ટ ટર્મ મેમરીમાં આપણે ૩૦ સેકન્ડમાં સાત વસ્તુઓને એકસાથે યાદ રાખી શકીએ છીએ. તેના અંતર્ગત જ્યારે આપણે ફોન કરવા માટે ડાયરી ઉઠાવીએ છીએ ત્યારે આપણે ફોન નંબર જોઇએ છીએ. ફોનની પાસે ચાલીને જઇએ છીએ અને ફોન ડાયલ કરીએ છીએ. લોંગ ટર્મ મેમરીમાં સૂચનાઓ આજીવન માટે સંગ્રહિત થઇ જાય છે. તેમાં આપણે જ્યારે કેટલીક વસ્તુઓને યાદ કરીએ છીએ ત્યારે આપણે માત્ર મગજ પર થોડું જોર નાખવું પડે છે અને તે વાત કે વસ્તુ આપણને તરત જ યાદ આવી જાય છે.

જોકે કેટલાય એવા ઉપાયો હોય છે જેનાથી આપણે આપણી સ્મરણશક્તિને તીવ્ર બનાવી શકીએ છીએ. સૌથી પહેલા જ્યારે આપણે ગાડીની ચાવી કે અન્ય કોઇ વસ્તુને ક્યાંક મૂકી રહ્યા હોઇએ તે દરમિયાન પૂર્ણ સજાગ રહીએ તો આપણને યાદ રહે છે કે આપણે વસ્તુને ક્યાં મૂકી હતી. આથી કોઇ પણ વસ્તુને મૂકતી વખતે તેના સ્થાનને યાદ રાખો, તે ધીરે ધીરે તમારી ટેવમાં પરિણમશે અને જ્યારે તમને તે વસ્તુની જરૃર પડે ત્યારે તે વગર શોધે જ મળી જશે. ઘણી વાર મગજ પર જોર આપવા છતાં પણ વસ્તુ યાદ આવતી નથી, આથી યાદ કરવા માટે મગજ પર જોર ના નાખશો. તેનાથી તણાવ પણ આવી શકે છે. આ માટે એક જ સમયે એક જ કામ કરો અને જે કામ કરો તેના પર પૂરતું ધ્યાન આપો. વધારે પડતા અવાજ કે ઘોંઘાટમાં રહેવાને કારણે એકાગ્રતા ભંગ થાય છે. આથી વધારે ઘોંઘાટથી બચવું જોઇએ.

કોઇ વસ્તુને જ્યારે તમે ક્યાંક મૂકો અથવા જે સૂચનાને યાદ રાખવી અઘરી લાગતી હોય તેને તમારી જાતને જોરથી બોલીને સાંભળવાની ટેવ રાખો. જ્યારે તમે કોઇ વસ્તુને તમે તમારાથી કેટલીક દૂર મૂકી રહ્યા હોવ ત્યારે યાદ રાખો કે તે સમયે તમે શું કરતાં હતા. કોઇને એક-બે વાર મળ્યા પછી પણ નામ યાદ ના રહે અથવા તમે તેને ઓળખવામાં અસમર્થ થઇ જાઓ તો કોઇ નવા નામને તમારી મેમરીમાં જોડવા માટે તમે જ્યારે તેની સાથે પહેલી મુલાકાત કરો ત્યારે તેના નામને યાદ રાખવા માટે તમારી જાતને (તે વ્યક્તિનું નામ. દા.ત., શ્વેતા) જ કહો કે શ્વેતા તમને મળીને આનંદ થયો.

ચિકિત્સકો સ્મરણશક્તિને વધારવા માટે વસ્તુઓને લખવી અને વસ્તુઓ સાથે સંબંધિત ઝીણવટભરી જાણકારીઓને યાદ રાખવા માટે પરંપરાગત માધ્યમ એટલે કે લખાણને ઉત્તમ માને છે. કોઇ પણ વસ્તુ વિશે નાની-નાની જાણકારીને લખી લેવી, વસ્તુઓની સૂચિ તૈયાર કરવી તે વસ્તુઓની લયબદ્ધતા બનાવવામાં મદદરૃપ બની શકે છે. વસ્તુઓને લખવાથી સૂચનાઓને જો કોડ દ્વારા યાદ રાખવામાં તો તે સરળતાથી યાદ રહી જાય છે. આથી ઘરે હોવ કે બહાર હંમેશાં તમારી પાસે એક નોટપેડ જરૃરથી રાખો. ડાયરીમાં વસ્તુઓને નોંધો. ઘરની બહાર જ્યારે આપણે શોપિંગ કરવા નીકળીએ ત્યારે હંમેશાં વાહન ક્યાં પાર્ક કર્યું હતું તે ભૂલી જઇએ છીએ અને તેને કારણે ઘણી વાર મુશ્કેલી પડે છે. વાહનોની લાંબી કતાર વચ્ચે આપણે આપણું વાહન શોધી શક્તા નથી, આથી વાહન મૂકતી વખતે તેની આસપાસના નકશાને તમારા મગજમાં તૈયાર કરી દો.

દિવસ પૂરો થયા પછી જ્યારે આપણે રાત્રે સૂવાની તૈયારી કરીએ છીએ ત્યારે આપણને યાદ આવે છે કે ઘણાં એવાં કામ હતાં જે આજે કરવાનાં ભૂલી ગયાં છીએ. આમ ના થાય તે માટે આગલા દિવસની રાત્રે જ કરવાનાં કામોનું લિસ્ટ તૈયારી કરી દો અને નિર્ધારિત કાર્યક્રમોને સમયસર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો.

જો કોઇ વ્યક્તિનું નામ યાદ રાખવામાં મુશ્કેલી પડતી હોય તો તે વ્યક્તિની ઇમેજ સાથે જોડાયેલી કોઇ વસ્તુને મગજમાં રાખો. જે સમયે તમારે તેને બીજી વાર યાદ રાખવાની જરૃર પડે ત્યારે આંખો બંધ કરીને તે ઇમેજને યાદ કરો. એટલે કે જે વ્યક્તિનું નામ તમને યાદ નથી આવી રહ્યું, તે ક્યાં રહે છે. જો તમે આ વિષયમાં પહેલાં કાંઇ પૂછયું હોય તો તમે તેના રહેવાના સ્થાનને યાદ કરીને તેને પણ યાદ કરી શકો છો. આ સિવાય કોઇ વ્યક્તિનું નામ સરળતાથી યાદ રાખવું હોય તો તે વ્યક્તિની કોઇ ખાસિયતને યાદ રાખશો તો પણ તરત જ તેનું નામ મગજમાં આવી જશે.આ બધી બાબતો સિવાય કોઇનો બર્થ-ડે, મેરેજ એનિવર્સરી યાદ રાખવા માટે કેલેન્ડર પર નિશાની કરી લો અને વચ્ચે વચ્ચે તેને જોતા રહો. જેથી આવનારો ખાસ દિવસ તમને યાદ રહે.

સંયમિત ભોજન રાખે સ્વસ્થ....

કુપોષણને કારણે હાર્ટએટેક જેવી મોટી અને બીજી ઘણી સમસ્યાઓ થઇ શકે છે. કુપોષણનો શિકાર હંમેશાં એવા લોકો થતા હોય છે જેઓ પોતાના ભોજનમાં કેલેરી, પ્રોટિન અને વિટામિનની પર્યાપ્ત માત્રા લઇ શકતા નથી. ખાન-પાનની ખોટી ટેવો અને માત્રાને કારણે પણ પોષણ પર અસર થાય છે. જરૃરિયાત કરતાં વધારે પ્રમાણમાં ભોજન કરવાને કારણે પણ શરીરને જોઇતું પોષણ મળતું નથી. કુપોષણને કારણે હાર્ટ બ્લોકેજની સંભાવના રહે છે. જો પૌષ્ટિક અને યોગ્ય માત્રામાં ભોજન લેવામાં આવે તો આપણે સ્વસ્થ રહી શકીએ છીએ અને બીમારીઓથી પણ કોસો દૂર રહીશું.

જ્યારે ભૂખ લાગે ત્યારે જ ખાવાનું રાખો. ક્યારેય જોર જબરજસ્તીથી કે દેખાડો કરવા માટે ખાશો નહીં. ખાવાનું હંમેશાં ધીરે-ધીરે અને ચાવીને જ ખાઓ. ઓછું ખાઓ અને રાત્રીનું ભોજન બપોરના ભોજન કરતાં ઓછું હોવું જોઇએ.જમતી વખતે એક કોળિયો મોઢામાં નાખી, બરાબર ચાવો અને ગળામાં ઉતાર્યા પછી જ બીજો કોળિયો લેવો જોઇએ.ભોજન કરતી વખતે ટીવી જોશો નહીં, વાતો કરશો નહીં, કાંઇ રમત રમશો નહીં, તેનાથી વ્યક્તિ બેધ્યાન બની જાય છે અને જરૃરિયાત કરતાં વધારે ખાઇ લે છે.તમારે કેટલું ખાવાનું છે તે નક્કી કરીને ક્યારેય ભોજન કરશો નહીં. સ્કિમ્ડ માઇલ્ડ ડેરી ઉત્પાદનોનો ઉપયોગ કરો.

સંયમિત ભોજન રાખે સ્વસ્થ

આપણા મસાલાઓમાં રંગ માટે ઉપયોગમાં લેવાતી હળદર ઘણા ગુણો ધરાવે છે. હળદર એ દુનિયાનું સૌથી શ્રેષ્ઠ એન્ટિસેપ્ટિક છે. હળદરમાં રહેલ ચોક્કસ એક્ટિવ ઇંગ્રિડિઅન્ટ્સ (સામગ્રી) તેને ઓષધિ બનાવે છે. આ તત્ત્વ સ્વાસ્થ્યની દૃષ્ટિએ ઘણું મહત્ત્વપૂર્ણ છે. કારણ કે તેમાં એન્ટિ-ઓક્સિડેન્ટ, એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ છે. આ જ કારણે હળદર એ આપણા ભોજનની મહત્ત્વપૂર્ણ વસ્તુ, મસાલો કે ઔષધ છે. તેના કેટલાક ફાયદા નીચે મુજબ છે.હળદર મેદસ્વીપણું ઘટાડે છે, લોહીનું ભ્રમણ વધારે છે અને તેને શુદ્ધ રાખવામાં મદદ કરે છે.હળદર ગૈસ્ટિક-મ્યૂકશ (કફ) બનવાની પ્રક્રિયાને વધારે છે, જે ભોજનને પચવામાં મદદ કરે છે.તે અસ્થમાથી બચાવે છે. કેટલાંક સંશોધનો દ્વારા સિદ્ધ થયું છે કે હળદર બ્રોંકિયલ અસ્થમાના ઉપચારમાં ઘણી ઉપયોગી છે.એવું પણ માનવામાં આવે છે કે હળદર અલ્ઝાયમરને વધતું અટકાવવામાં મદદ કરે છે.હળદર લોહીમાં ખાંડની માત્રાને સ્થિર રાખવામાં મદદ કરે છે. બીજી ઔષધિઓ સાથે તેના એન્ટિ ડાયાબિટિક ગુણ પણ જોવા

મળે છે.ચહેરા પરના ડાઘા અને કરચલીઓ દૂર કરવા કાળા તલ અને હળદર સરખા પ્રમાણમાં વાટીને તેની પેસ્ટ બનાવ્યા બાદ ચહેરા પર લગાવવી.

રજોનિવૃત્તિથી ગભરાશો નહી...

રજોનિવૃત્તિ માટે મેડિકલ ટર્મ છે મેનોપોઝ. મેનો એટલે મહિનો અને પોઝ એટલે એટકી જવું. આધેડાવસ્થામાં આશરે ૪૫-૫૦ વર્ષની આસપાસ સ્ત્રીઓને મેનોપોઝ થઇ જાય છે.આ જાણીતું તથ્ય છે કે આપણા જીવનનું સરેરાશ આયુષ્ય પહેલાં કરતાં ઘણું વધી ગયું છે. વૃદ્ધોની સંખ્યા પહેલાં કરતાં વધી છે. સ્ત્રીઓનો મૃત્યુદર પુરુષોની તુલનામાં ઓછો થઇ રહ્યો છે. શરીરથી કમજોર કે નબળી લાગતી સ્ત્રીઓ અંદરથી મજબૂત હોય છે. રજોનિવૃત્તિ પછી પણ સ્ત્રીઓ માટે લાંબંુ જીવન ગાળવાનું હોય છે. આજે તે વાતને વધારે મહત્ત્વ આપવામાં આવે છે કે આગળનું જીવન તે કેવી રીતે સ્વસ્થ તન-મનથી જીવી શકે.

રજોનિવૃત્તિનો સમય સ્ત્રી માટે વેઠવો ખૂબ જ મુશ્કેલ હોય છે. જેમ જેમ સ્ત્રીના જીવનમાં આ સમય નજીક આવતો જાય છે તેમ તેમ માસિક ધર્મમાં અનિયમિતતા આવવા લાગે છે. ક્યારેક બે-ત્રણ મહિના સુધી માસિક ધર્મ નથી થતો. ક્યારેક વધારે બ્લીડિંગ થવા લાગે છે. ત્યારબાદ માસિક ધર્મ એકદમ બંધ થઇ જાય છે. પરંતુ આ જ સમસ્યા કેન્સરમાં પણ ઉદ્ભવી શકે છે, આથી ડોક્ટરની સલાહ લેવી જરૃરી થઇ પડે છે. જોકે આ કાળમાં અંડાશય કામ કરવાનું બંધ કરી દે છે. શરીરમાં હોર્મોનનું સંતુલન બગડી જાય છે. ખૂબ જ પરસેવો થાય છે અને બેચેની અનુભવાય છે, પરંતુ તેમાં ગભરાવા જેવી કોઇ વાત નથી. કારણ કે થોડી વાર અથવા થોડા સમય માટે જ આવું થાય છે. હા! તેના ઉપચાર તરીકે ઠંડું પાણી અવશ્ય પીવું જોઇએ. રાત્રે સૂતી વખતે ગરમીમાં રાહત મળે અને ઊંઘ સારી આવે તે માટે સૂઇ જતા પહેલાં ઠંડા પાણીથી સ્નાન કરી લો. સુતરાઉ તથા ઢીલાં વસ્ત્રો પહેરો તથા વધારે પડતો શારીરિક શ્રમ કરશો નહીં. તડકામાં નીકળવાથી બચો.

એક ઉંમર વીતી ગયા પછી અંગ વિશેષમાં શુષ્કતા આવવાને કારણે દુખાવો, ખરજ તથા દાહ અનુભવાય છે. તેનું મુખ્ય કારણ છે શરીરમાં એસ્ટ્રોજન હોરમોનની ઊણપ. ડોક્ટરની સલાહ હોય તો એસ્ટ્રોજન ક્રીમનો પ્રયોગ કરી શકાય. ઉંમરના પાંચમા દશક પછી હાડકાં પહેલાં જેવા મજબૂત રહેતાં નથી. નાનકડો અકસ્માત થાય કે વાગે તો પણ હાડકાં તૂટી જાય છે. હાડકાંના નબળાં પડવાનું કારણ એસ્ટ્રોજન હોર્મોનની ઊણપ છે. આથી ડોક્ટરની સલાહ લઇ હોરમોન, વિટામિન ડી તથા કેલ્શિયમની યોગ્ય માત્રા થોડો સમય માટે લઇ શકાય.

રજોનિવૃત્તિની અસર જેવી તન પર પડે છે તેવી મન પર પણ પડે છે. સૌથી મોટી ફરિયાદ હોય છે ડિપ્રેશન એટલે કે તણાવની. તેની સાથે જીવન પ્રત્યે અરુચિ, શારીરિક ચેતનામાં ઊણપ, માથાનો દુખાવો, થાક લાગવો, સુસ્તી લાગવી વગેરે રજોનિવૃત્ત મહિલાને જીવનથી વિમુખ કરી નાખે છે. મેનોપોઝ પછી મહિલાના હોર્મોનમાં ઊણપ આવે છે. હોર્મોન કે જે સ્ત્રીના સ્વાસ્થ્ય માટે જરૃરી છે, આ કમી કે ઊણપને એચઆરટી (હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી) પૂરી કરી છે. અહીં વિશેષ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે આ થેરાપી માત્ર એક્સપર્ટ ડોક્ટરની સલાહ પછી જ લેવી જોઇએ, કારણ કે તેનાથી જેટલો ફાયદો થાય છે તેટલી જ પ્રતિક્રિયા પ્રતિકૂળ પણ હોઇ શકે છે. એવું પણ માનવામાં આવે છે કે હોર્મોન થેરાપીથી સ્તન અને ગર્ભાશયમાં કેન્સર થવાનું જોખમ રહે છે. સંશોધનો દ્વારા એટલું સિદ્ધ થયું છે કે ઓછી માત્રાવાળું એસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રાન સાથે આપવામાં આવે તો કોઇ જોખમ રહેતું નથી. માત્ર એસ્ટ્રોજનના પ્રયોગને કારણે ગર્ભાશયનું કદ વધી જાય છે જે યોગ્ય નથી. જે મહિલાઓએ ગર્ભાશય કઢાવી નાખ્યું હોય તેમણે હોર્મોન લેવાની જરૃર નથી.

મોનોપોઝ દરમિયાન એક્સપર્ટ ડોક્ટરોની સલાહ લઇને એચઆરટી લેવાથી ડિપ્રેશન, ચીડિયો સ્વભાવ, યોનિની શુષ્કતા વગેરે દૂર થાય છે. હાડકાંમાં તાકાત આવે છે તથા મજબૂત બને છે. સ્ત્રીના ભાવનાત્મક અસંતુલનમાં સ્થિરતા આવે છે. જેના પરિણામ સ્વરૃપ તે પોતાનું ભાવિ જીવન સ્વસ્થ રહીને પ્રસન્નતાપૂર્વક વિતાવે છે.

મોહ-માયા વિનાનું જીવન..

જીવનભરનો સત્સંગ પણ આપણું મૃત્યુ બગાડે છે. મૃત્યુની છેલ્લી પળો પણ આસક્તિમાં ડૂબી જાય ત્યારે મનુષ્યે જન્મનું ચક્કર લગાવવું પડે છે. શ્રીમદ્ ભાગવતની ભરતજીની કથા માનવમાત્રને પ્રેરક બની રહે તેવી છે. ભરતજી રાજા હતા. તેઓ જીવનના અંતિમ દિવસોમાં પ્રભુભક્તિ કરવા જંગલમાં આવ્યા છે. તેઓ એક ઝૂંપડી બનાવીને રહે છે અને આખો દિવસ પ્રભુભક્તિમાં લીન રહે છે. એક દિવસ તેઓ સ્નાન કરવા માટે નદી કિનારે જાય છે. ઉનાળાની ઋતુ હતી. એક તરસી ગર્ભવતી હરણી ત્યાં પાણી પીવા આવે છે. તે પાણી પી રહી હતી. તે જ સમયે સિંહે ભયાનક ગર્જના કરી. આ ગર્જનાથી હરણી ભયભીત થઇ ગઇ અને તેને પોતાનો જીવ જોખમમાં લાગ્યો. તે જીવ બચાવવા માટે ગંડકી નદીના સામે કિનારે પહોંચવા છલાંગ મારવા ગઇ. બરાબર આ જ સમયે તેને પ્રસવ થઇ ગયો. તે બચ્ચાને જન્મ આપીને મૃત્યુ પામી. ભરતજી તો પ્રભુના ભક્ત હતા અને સાથે દયાળુ પણ. તેઓ પ્રાણીમાત્રમાં પ્રભુનાં દર્શન કરતા હતા. એમને આ હરણબાળ પર દયા આવી અને તેને પોતાની ઝૂંપડીમાં લઇ ગયા. તેઓ હરણબાળની પ્રેમપૂર્વક સાર-સાંભળ રાખીને તેને ઉછેરવા લાગ્યા. તેઓ જ્યારે ધ્યાનમાં બેસે ત્યારે પણ હરણબાળ સુરક્ષિત હશે કે નહીં તેવી ચિંતા તેમને સતાવ્યા કરતી. તેને કારણે તેમની ભક્તિમાં ભંગ પડતો. પણ હવે થાય શું? તેમને મનમાં ને મનમાં થયા કરતું કે હું નહી હોઉં તો આ હરણબાળનું શું થશે? આવી ચિંતા તેમને દરેક ક્ષણે રહેતી. માયાની ગતિ પણ કેટલી વિચિત્ર છે! શું તેઓ નહોતા જાણતા કે દરેક જીવનું રક્ષણ કરનાર હજાર હાથવાળો સર્જનહાર બેઠો છે? તેમનો હરણબાળ પ્રત્યેનો પ્રેમ, માયા અને મોહ વધી ગયા હતા. તેને આસક્તિ કહી શકાય. આ આસક્તિ ભરતજીની ભક્તિમાં બાધા ઊભી કરે છે. ભરતજી પોતાના રાજપાટની મોહ-માયા મૂકીને જંગલમાં ભક્તિ કરવા આવ્યા હતા, પરંતુ અહીં પણ માયા ઊભી થઇ ગઇ અને અંતે ન બનવાનું બની ગયું. મૃત્યુ સમયે તેમનાથી પ્રભુ વિસરાઇ ગયા. હરણબાળની ચિંતામાં જ ભરતજીએ દેહત્યાગ કર્યો. તેમનો જીવ હરણબાળમાં જ રહી ગયો. આ મોહ-માયાને કારણે ભરતજીને ફરીથી જન્મ લેવો પડયો.

આ કથા પરથી સમજી શકાય છે કે આધ્યાત્મિક જ્ઞાનના સાધક માટે આસક્તિ બાધક સાબિત થાય છે. આસક્તિ આપણને અન્ય પર આધારિત રાખે છે. જેટલે અંશે આપણે તેમાંથી મુક્ત થઇએ તેટલે અંશે આપણે તેમાંથી સ્વતંત્ર થઇએ છીએ. શ્રીમદ્ ભગવદ્ ગીતા પણ કહે છે- ‘ફળમાં આસક્ત થયા વિના નિરંતર કર્તવ્ય કર્મ તું સારી રીતે કર, કેમ કે આસક્તિરહિત થઇ કર્મ કરતો પુરુષ મોક્ષ પામે છે.’

મીરાંની કૃષ્ણભક્તિ પણ ઇતિહાસમાં અમર થઇ ગઇ. ‘મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ના આવે રે’ પ્રભુ સિવાય મીરાંના મનમાં કાંઇ હોય જ નહીં. ગોપીઓનો કૃષ્ણપ્રેમ પણ આવો જ હતો. અહીં પણ આસક્તિ છે પરંતુ માત્ર પ્રભુમાં. ભક્ત જ્યારે તેનું મન પ્રભુમાં જોડી દે ત્યારે તે અનાસક્ત સ્થિતિ પ્રાપ્ત કરે છે અને અંતે તે પ્રભુમય બની જાય છે. જ્ઞાનમાર્ગી તેને આનંદની અનુભૂતિ કહે છે. સંસાર પ્રત્યેની આસક્તિ ડૂબાડે છે, જ્યારે પ્રભુ પ્રત્યેની આસક્તિ માનવીને તારે છે.

પસંદગીના વિષયો માટે જીઆરઈ પાસ કરો...

જીઆરઈ અને જીમેટ બંને લગભગ સમાન જ છે. જે રીતે વિદેશમાં બી-સ્કૂલમાં એડમિશન મેળવવા માટે જીમેટ પાસ કરવાથી એડમિશન સિક્યોર કરી શકાય છે એ જ રીતે જીઆરઈ પાસ કરવાથી પણ કોઈ પણ ઈન્ટરનેશનલ ગ્રેજ્યુએટ સ્કૂલમાં એડમિશન મેળવવામાં સરળતા રહે છે. જીમેટ અને જીઆરઆઈ વચ્ચે તફાવત એટલો જ છે કે કોઈ એક વિષય પર પસંદગી ઉતારી હોય તો આ પરીક્ષામાં તે વિષયને લઈને વિકલ્પો પણ આપવામાં આવેે છે, જેથી તે વિષય પર તમારું પ્રભુત્વ અને તેના વિશેની સમજની ખરાઈ થઈ શકે. જીઆરઈની પરીક્ષા ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન બોર્ડ વતીથી એજ્યુકેશન ટેસ્ટિંગ ર્સિવસ દ્વારા લેવામાં આવે છે. જનરલ જીઆરઈ એક્ઝામ સિવાય તેમાં વિદ્યાર્થીને જે કોર્સ કરવો હોય તેને લગતા વિષયો પણ વૈકલ્પિક પસંદગી તરીકે આપવામાં આવે છે. જેમાં ૧૨ જેટલા વિષયોને આવરી લેવામાં આવ્યા છે. જો જીઆરઈની પરીક્ષા વિષયોની પસંદગીના આધારે આપવી હોય તો તે પ્રમાણે અરજી કરવાની રહે છે.

જીઆરઈના બે વર્ઝન છે.

જનરલ વર્ઝન અને સબજેક્ટ વર્ઝન

જનરલ વર્ઝન

જીઆરઈ જનરલ વર્ઝનમાં વર્બલ સેક્શન, જીઆરઈ મેથ્સ અને જીઆરઈ એસે એટલે કે નિબંધનો સમાવેશ થાય છે. જીઆરઈ વર્બલ અને જીઆરઈ મેથ્સ એટલે કે ગણિતમાં કુલ ગુણ ૨૦૦થી ૮૦૦ની વચ્ચે આપવામાં આવે છે. જ્યારે નિબંધ પ્રકારના પ્રશ્નમાં ૦થી ૬ની વચ્ચે માર્ક્સ ગણવામાં આવે છે.

સબ્જેક્ટ વર્ઝન

જો સબ્જેક્ટ વર્ઝનના આધારે પરીક્ષા આપી હોય તો કોલેજમાં જે તે વિષયોને લઈને સ્કોરની ગણતરી કરવામાં આવે છે. જીઆરઈની એક્ઝામ બે રીતે લેવામાં આવે છે.

પેપર બેઝ્ડ ટેસ્ટ

કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ

વર્બલ અને મેથ્સ સિવાય એનાલિસિસ સેક્શન બે ભાગમાં વહેંચાયેલો છે. પહેલા ભાગમાં કોઈ એક ટોપિક પર નિબંધ લખવાનો રહે છે, જેના માટે ૪૫ મિનિટનો સમયગાળો આપવામાં આવે છે. જ્યારે બીજા ભાગમાં કોઈ એક દલીલ પર વર્ણનાત્મક લખાણ લખવાનું રહે છે, જેના માટે ૩૦ મિનિટનો સમયગાળો આપવામાં આવે છે.

જીઆરઈ પરીક્ષા આપવા માટેના અમુક નિયમ નક્કી કરવામાં આવ્યા છે.

મહિનામાં એક જ વાર આ પરીક્ષા આપી શકાય છે અને વર્ષમાં કુલ પાંચ પ્રયત્નોમાં એપિયર થઈ શકો છો.

જીમેટની જેમ જ પરીક્ષા આપ્યા બાદ લગભગ ૧૫ દિવસમાં તેનું પરિણામ વિદ્યાર્થીને અને તેણે જે કોલેજમાં પ્રવેશ માટે એપ્લાય કર્યું છે તેને મોકલી આપવામાં આવે છે. પ્રવેશ પ્રક્રિયામાં કેટલા ગુણ આપવા તેનો નિર્ણય જે તે કોલેજને આધીન હોય છે.

આકર્ષણનો નિયમ હકારાત્મક બનો..

રોન્ડા બાયર્નનું ‘સિક્રેટ’ પુસ્તક બેસ્ટસેલર બન્યું અને આકર્ષણના નિયમને ધરમૂળથી બદલીને તેણે દરેક વ્યક્તિની છૂપી શક્તિને રાહ ચીંધી તે પહેલાંથી જ આકર્ષણનો નિયમ અસ્તિત્વ ધરાવતો હતો. પ્રાચીન સમયથી, કદાચ જીવનના પ્રારંભથી જ આ નિયમ પ્રવર્તતો હતો. આપણે જ સર્જેલા સારા-નરસા વિચારોને આકર્ષીને આપણે રોજ-બરોજના આપણા જીવનમાં તેનો અનુભવ કરીએ છીએ. આપણા બ્રહ્માંડના સર્જનહાર આપણે સ્વયં છીએ. આપણે જ વિચારો, માન્યતાઓ અને કાર્યો વડે આપણા ભાવિનું નિર્માણ કરીએ છીએ.

તમારા જીવનમાં કદી તમે કલ્પના કરી હોય કે તમે જે ડર અનુભવ્યો હોય તે જ વાસ્તવિક જીવનમાં નજર સામે આવીને ઊભો રહ્યો હોય એવું બન્યું છે?

* જેમ કે એવોર્ડ જીતવો

* જેમ કે નોકરી ગુમાવવી

* જેમ કે મનગમતા જીવનસાથી સાથે લગ્ન થવાં

* જેમ કે તમારા નવજાત શિશુને પહેલી જ વખત જોવું

* જેમ કે પ્રમોશન મળવું

* જેમ કે કોઈ બીમારી હોવાનું નિદાન થવું

* જેમ કે આકસ્મિક લાભ થવો

* જેમ કે વૈભવી કાર ખરીદવી

* જેમ કે ઇન્ટરવ્યૂમાં મોડા પહોંચવું

* જેમ કે લોકપ્રિયતા મેળવવી

શું તમારો જવાબ ‘હા’ છે? વેલ! તો પછી મારો જવાબ પણ હકારાત્મક જ છે.

મારી બીજી મિત્રની વાત કરું. તે ભણવામાં ઘણી નબળી હતી અને એક વખત છ વિષયમાં નાપાસ થઈ. તેમ છતાં તેવે વખતે પણ તે પ્રસિદ્ધ હસ્તીઓના હસ્તે પોતે એવોર્ડ સ્વીકારતી હોય, લોકો તાળીઓના ગડગડાટ કરતા હોય અને તે ખુશીથી ઝૂમી ઊઠી હોય તેવાં સ્વપ્નો સેવતી. થોડાં વર્ષો પછી તેણે રાજ્યપાલના હસ્તે એક નહીં, પણ બબ્બે એવોર્ડ્સ સ્વીકાર્યા અને ઓડિયન્સે તેને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી. હા, તેણે ઘણી આકરી મહેનત કરી હતી, પરંતુ જો તેને એક કે બે માર્ક ઓછા મળ્યા હોત તો બીજું કોઈ તે ગોલ્ડ મેડલનું હકદાર બન્યું હોત.

તો શું વિચારવાની સાતત્યપૂર્ણ પેટર્ને આ ચમત્કાર સર્જ્યો હતો?

ચાહે તમે તેને પોઝિટિવ થિન્કિંગ કહો, તીવ્ર ઉત્કટતા કહો કે બીજું કોઈ નામ આપો, પરંતુ અર્થઘટન તો એક સમાન જ રહે છે. લાગણીઓ અને સંવેદનાઓને સાથે રાખીને તમે જે વિચારણા કરો છો તે જ વિચારણા વાસ્તવિક પરિસ્થિતિ બનીને તમારી સામે આવીને ઊભી રહે છે. દરેક ધર્મગ્રંથ આપણને આ જ સમજાવે છેઃ ‘તમે જે માગો છો, તે જ તમને મળે છે.’

કેટલાક સંશયવાદી લોકો મોં મચકોડીને કહેશે, “આ વળી નવું તૂત!”

આ સિદ્ધાંતની યથાર્થતા અંગે શંકા ધરાવતા લોકો સાથે હું ચર્ચામાં નથી ઉતરવા માગતી પણ મારી તેમને માત્ર આટલી સલાહ છે- એક વખત પ્રયત્ન કરવામાં શું ખોટું છે?

પણ હા, કરો તો પૂરેપૂરી શ્રદ્ધા સાથે અને પૂરી લાગણી સાથે કરો. તો તમે આ કેવી રીતે કરશો?

સૌપ્રથમ તો ફરિયાદ કરવાનું બંધ કરો. ટ્રાફિકની સમસ્યા હોય, ભંડોળ ના મળતું હોય કે પછી ગમે તે હોય, ફરિયાદ બિલકુલ નહીં કરવાની. (ફરિયાદ કરનારા લોકોને ઉનાળામાં ખૂબ ગરમીની, શિયાળામાં અતિશય ઠંડીની અને ચોમાસામાં ભયંકર વરસાદની ફરિયાદ રહે છે!)

બીજું, તમારી પાસે જે કંઈ પણ સારી વસ્તુઓ, બાબતો છે તે બદલ કૃતજ્ઞા રહો. કેટલીક વખત મોટી ચીજ મેળવવાની ઘેલછામાં આપણે આપણા જીવનની નાની, પરંતુ અતિ મહત્ત્વની બાબતો તરફ કૃતજ્ઞાતાની લાગણી અનુભવવાનું ભૂલી જતા હોઈએ છીએ. આવી બાબતોને યાદ કરો, તમને મળેલા તમામ આશીર્વાદને યાદ કરો અને તે સર્વ માટે ઇશ્વરનો આભાર માનો. ત્રીજું, તમારી આવશ્યકતા નક્કી કરો. તેને સંતોષવા માટે કામ કરો અને તે દિશામાં આગળ વધતી વખતે તમે એ લક્ષ્ય હાંસલ કરી લીધું છે એવી કલ્પના કરો. મતલબ કે જો તમે તમારી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર બનવા ઇચ્છો છો તો તે હોદ્દા સુધી પહોંચવાના પ્રયત્નો શરૃ કરી દો અને સાથે જ પોતાની જાતને તે ‘આદરપાત્ર ખુરશી’ પર બેઠેલી નિહાળો. આ સ્વપ્ન સાકાર કરવા માટે તમારી મહેનત અને તમારા વિચારો તમારા સ્વપ્નો સાથે સુસંગત હોવા જોઈએ. .

ચોથું, તમામ નકામા વહેમો અને શંકાઓને દિમાગમાંથી કાઢી નાખો. ચાહે ગમે તેટલા પ્રયત્ન કરવા પડે, તમારી ઇચ્છાશક્તિ અને તમારી કલ્પનાશક્તિ વિચારવાની તમારી પ્રબળ તાકાતથી ધાર્યું લક્ષ્ય પાર પાડશે. વોલેસ ડી. વોટલ્સે તેમના પુસ્તક ‘ધ સાયન્સ ઓફ ગેટિંગ રિચ’માં કહ્યું છે, “બીમારીમાં સપડાયા હોય ત્યારે તંદુરસ્ત હોવાનું વિચારવા માટે, દરિદ્રતાએ માથું ઉંચક્યું હોય ત્યારે સમૃદ્ધિની કલ્પના કરવા માટે તાકાતની જરૃર પડે છે, અને જે આ તાકાત મેળવી લે છે તે બને છે ‘માસ્ટર માઇન્ડ’. તે નસીબને વશમાં કરી લે છે. જે ઇચ્છે તે તેને મળે છે.”

હંમેશાં યાદ રાખો. જ્યારે પણ તમે તમારા ઉત્સાહની આડે ‘શંકા’નો કીડો લાવો છો ત્યારે તમે નિષ્ફળતાને આમંત્રણ આપો છો.

પાંચમું, હંમેશાં ખુશ રહો અને અન્યને પણ ખુશ રાખો. છઠ્ઠું અને સૌથી મહત્ત્વનું પાસું છે શાણપણ વાપરીને માગો. તમને તબેલો મેળવવાની ઇચ્છા નથી તો પણ તમને ઘોડાઓનો તબેલો મળે છે ત્યારે ઘોડાની સાફ-સફાઈના કામને પસંદ ન કરો.

ખરું ને? બેપરવા બનવું તો સહેજ પણ પોસાય નહીં. ઊલટું, વધારે તકેદારી રાખો. વધારે સુસજ્જ બનો અને વિજેતાના જુસ્સા સાથે આગળ વધો. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, “આપણે જે છીએ તે આપણા વિચારોનું પરિણામ છીએ, તેથી જે પણ વિચારો તે સમજીને પૂરેપૂરી તકેદારી સાથે વિચારો. શબ્દો ગૌણ છે, વિચારો જીવંત છે અને શબ્દો કરતાં વિચારો વધુ ઝડપથી અસર કરે છે.”

તો, જે સારી છે તેવી જ બાબતોને તમારા તરફ આકર્ષો. ધાર્યા કરતાં અનેકગણું પરિણામ સામે આવીને ઊભું રહેશે.

શિશ્નના ઉત્થાનની તકલીફ(બિડેલાં દ્વાર )..

પ્રશ્ન : મારી ઉંમર ૫૯ વર્ષની છે. છેલ્લા બે વર્ષથી મને ડાયાબિટીસની તકલીફ છે. જેથી મને શિશ્ન ઉત્થાન થતું નથી. કોઈ વાર થાય તો શીઘ્ર સ્ખલન થઈ જાય છે. શું ડાયાબિટીસ કાબૂમાં આવ્યા પછી શિશ્નના ઉત્થાનની તકલીફ દૂર થઈ શકે છે ? બીજું આપને રૃબરૃ સલાહ હોય તો કયા સરનામે મળી શકાય તે જણાવશો.

ડો. પારસ શાહ : ડાયાબિટીસના પચાસ ટકા પુરુષોને જો ડાયાબિટીસ કાબૂમાં ના રહે તો જાતીય સમસ્યાઓ જેવી કે નપુંસકતા, શીઘ્રસ્ખલન, શિશ્નની અગ્રત્વચા જાડી થઈ જવી, પેશાબમાં ચેપ લાગવો વગેરે થતી હોય છે, પરંતુ પોતાને ડાયાબિટીસ છે આથી નપુંસક થઈ જવાશે એવી બીકના કારણે પણ ઇન્દ્રિયમાં નપુંસકતા અથવા ઉત્થાનની તકલીફ સર્જી શકે છે. ડાયાબિટીસના દર્દીઓની લોહીની નાનકડી નલિકાઓ બારીક થઈ જાય છે, સંકોચાઈ જાય છે. જેને માઈક્રો એન્જિયોપથી કહેવાય છે. પુરુષની ઈન્દ્રિયમાં સ્નાયુ કે હાડકું હોતું નથી. માત્ર આ નલિકાઓ પહોળી થવાથી લોહીનો પ્રવાહ વધે છે અને પુરુષની ઇન્દ્રિયમાં પૂરતું ઉત્થાન આવે છે. જેથી તે જાતીય સંબંધ માણી શકે છે.

ડાયાબિટીસના દર્દીઓમાં આ નલિકા બારીક થવાથી શિશ્નને લોહીનો પૂરતો જથ્થો મળતો નથી અને તેનાથી નપુંસકતા આવે છે. વળી આ દર્દીઓમાં જ્ઞાનતંતુઓમાં થતાં બગાડ (ઓટોન્યુરોપથી)ને લીધે પણ શિશ્નનું ઉત્થાન નબળું પડી શકે છે, પરંતુ ડાયાબિટીસમાં યોગ્ય દવાઓ અને આહાર નિયંત્રણ સાથે નિયમિત કસરતોથી જો કાબૂમાં રાખવામાં આવે તો નપુંસકતા આવતી નથી અને જો ભૂતકાળમાં ડાયાબિટીસને કારણે નપુંસકતા આવેલ હોય તો પણ તે દૂર થઈ શકે છે.

ઉપરાંત આ ડાયાબિટીસના દર્દીઓમાં અક્સીર ઇલાજ થઈ શકે તેવી દવાઓ પણ ઉપલબ્ધ છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓને ઘણી વાર બ્લડપ્રેશર, કોલેસ્ટોરલ અને હૃદયરોગની બીજી બીમારીઓ પણ સાથે હોય છે માટે ક્વોલિફાઈડ ડોક્ટર પાસે યોગ્ય નિદાન કરાવીને જ દવા લેવી જોઈએ. બાકી આપની શીઘ્ર સ્ખલન માટે ઇલાજની જરૃર નથી. કોઈ પણ વ્યક્તિને લાંબાગાળાના અનિયમિત જાતીય સંબંધથી શીઘ્ર સ્ખલનની તકલીફ થઈ શકે છે. જો સંભોગ નિયમિત કરવામાં આવે તો તે દવા વગર પણ મટી શકે છે. આપ મને અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં દર સોમવારે અને બુધવારે બપોરે મળી શકે છે. અહીં તપાસ મફત થાય છે.

પત્નીનું શરીર વધી જાય ?

પ્રશ્ન : અમારા લગ્નને ૧૦ વર્ષ થયેલ છે. બે બાળકો છે. અત્યાર સુધી અમે ગર્ભનિરોધ તરીકે નિરોધનો પ્રયોગ કરતાં હતાં, પરંતુ છ મહિના પહેલાં પત્નીએ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવેલ છે. મારી પત્નીને થાય છે કે, વધુ પડતા જાતીય સંબંધથી વીર્ય શરીરમાં વારંવાર જવાથી તેનું વજન વધી જશે અને તેનું શરીર બેડોળ બની જશે. શું આવું થઈ શકે છે?

ડો. પારસ શાહ : જાતીય જીવનને લગતી આપણા સમાજમાં કેટલી બધી ગેરમાન્યતાઓ છે તે આ સવાલથી જોઈ શકાય છે. કહેવાતા જાહેરખબરિયા, ખાનદાની સેક્સોલોજિસ્ટોએ સદીઓથી લોકોના મનમાં ઠસાવી દીધું છે કે, વીર્ય શક્તિશાળી છે અને વારંવાર સંભોગ કરવાથી એ સ્ત્રીના શરીરમાં જમા થતું રહેવાથી સ્ત્રીનું શરીર ફૂલી જાય છે અને પુરુષ નબળો પડવો, વૃદ્ધ થતો જાય છે. આ વાતમાં માત્ર બકવાસ સિવાય કોઈ જ સચ્ચાઈ નથી. એ વાત સાચી છે કે, વીર્યમાં ફુકટોઝ નામની સુગર આવેલી હોય છે, પણ તે માત્ર વીર્યમાં રહેલા શુક્રાણુને પોષણ અને હલનચલન માટે જ પૂરતી છે અને એક સ્ત્રીના વજનમાં ફેરફાર કરી શકે એટલી હરગીઝ નથી હોતી.

ઊલટું એક્ટિવ સેક્સ માણનાર એક વખતના જાતીય સમાગમમાં આશરે દોઢસો કેલરી ઓછી વપરાય છે. આ કેલરી વીર્યને કારણે નહીં, પરંતુ હલનચલન થવાથી ઓછી થાય છે. એટલે જો સ્થૂળ વ્યક્તિ નિયમિત એક્ટિવ જાતીય જીવન માણે તો ચોક્કસ શરીર ઉતારી શકે છે. સેક્સ એ એક એવી કસરત છે જે ક્યારેય કંટાળાદાયક નથી.

સુહાગરાતે શું થશે ?

પ્રશ્ન : મારી ઉંમર ૨૯ વર્ષની છે. થોડાક જ સમયમાં મારા લગ્ન થવાના છે. મારા મિત્રો સેક્સ વિશેની જાતજાતની વાતો કરે છે, પરંતુ મને આજદિન સુધી હસ્તમૈથુન સિવાય સેક્સનો કોઈ જ અનુભવ નથી. લગ્નના દિવસ જેમ જેમ નજીક આવતા જાય છે તેમ તેમ ગભરામણ વધતી જાય છે. સુહાગરાતે શું થશે એની ચિંતા સતાવે છે. તો શું કરું લગ્ન પાછા ઠેલવી દઉં ?

ડો. પારસ શાહ : તમારી જ જેમ ઘણાખરા અનુભવી અને બિનઅનુભવી યુવક-યુવતીઓ લગ્ન પૂર્વે સુહાગરાતની ચિંતા કરતાં જોવા મળે છે. આ ગભરાટ-ચિંતા ઘણી વાર તેમના ‘કહેવાતા અનુભવી’ મિત્રોએ તેમના મગજમાં ભરેલ સાચી-ખોટી વાતના ઢગલાને કારણે અનુભવાતી હોય છે. હકીકતમાં આ સુહાગરાત કોઈ અજાયબી રાત નથી. એ પણ જીવનના અન્ય અનુભવો જેવો જ એક પહેલી વારનો અનુભવ છે.

હા, પ્રથમ વખતના સમાગમ વખતે કેટલાકને સામાન્ય મુશ્કેલીઓનો અનુભવ જરૃર થાય. જેવું કે સ્ખલન જલદી થઈ જવું, ઇન્દ્રિયમાં ઉત્થાન ના થવું કે પ્રવેશ પહેલાં જ ઢીલાશ આવી જવી, લોહી નીકળવું, પીડા થવી વગેરે, પરંતુ આ કોઈ મોટી સમસ્યા નથી કે જેના કારણે લગ્ન પાછું ઠેલવવું પડે. કિનારે બેસી રહેવાથી ક્યારેય સામે પાર જઈ શકાતું નથી. તમે પહેલી વાર સાઈકલ ચલાવેલી કે શેવિંગ કરેલું ત્યારે પરફેક્ટ જ થયેલું ? શું એમાં કોઈ મુશ્કેલી નહોતી પડી ? પરંતુ જેમ તમે આજે તમે બાઈક કોઈ વ્યક્તિ પાછળ બેસીને પણ ચલાવી શકો છો કે આંખ બંધ કરીને પણ દાઢી કરી શકો છો તેમ જાતીય જીવનમાં શરૃઆતમાં પડતી તકલીફ પણ ધીરેધીરે દૂર થઈ જતી હોય છે.
પહેલી રાતે કેવળ નજીક આવો. એકબીજા જોડે માત્ર વાતો કરજો. સ્પર્શ કરજો અને ઓળખવાનો પ્રયત્ન કરશો. સેક્સની કોશિશ ના કરતાં. ઇન્દ્રિયમાં ઉત્થાન આવે છે કે નહીં તે તરફ નજર પણ ના કરશો. ચિંતા પોતે જ એક મોટી આડખીલી બની રહે છે. કોમનસેન્સની સાયકોલોજી વાપરો. બે અવયવો છે. એક પુરુષનું, એક સ્ત્રીનું. બેઉને એકમેકમાં હળવેથી પરોવવાના છે. એમાં કોઈ મોટી તોપ ફોડવાની નથી. ધીરજ રાખજો તથા વિશ્વાસ રાખવો. જો બીજા યુગલો જાતીય જીવન માણી શકતા હોય તો તમે કેમ નહીં ? ચિંતા કર્યા વગર લગ્ન કરી લો.


(article  from sandesh)

શિશ્નના ઉત્થાનની તકલીફ(બિડેલાં દ્વાર )..

પ્રશ્ન : મારી ઉંમર ૫૯ વર્ષની છે. છેલ્લા બે વર્ષથી મને ડાયાબિટીસની તકલીફ છે. જેથી મને શિશ્ન ઉત્થાન થતું નથી. કોઈ વાર થાય તો શીઘ્ર સ્ખલન થઈ જાય છે. શું ડાયાબિટીસ કાબૂમાં આવ્યા પછી શિશ્નના ઉત્થાનની તકલીફ દૂર થઈ શકે છે ? બીજું આપને રૃબરૃ સલાહ હોય તો કયા સરનામે મળી શકાય તે જણાવશો.

ડો. પારસ શાહ : ડાયાબિટીસના પચાસ ટકા પુરુષોને જો ડાયાબિટીસ કાબૂમાં ના રહે તો જાતીય સમસ્યાઓ જેવી કે નપુંસકતા, શીઘ્રસ્ખલન, શિશ્નની અગ્રત્વચા જાડી થઈ જવી, પેશાબમાં ચેપ લાગવો વગેરે થતી હોય છે, પરંતુ પોતાને ડાયાબિટીસ છે આથી નપુંસક થઈ જવાશે એવી બીકના કારણે પણ ઇન્દ્રિયમાં નપુંસકતા અથવા ઉત્થાનની તકલીફ સર્જી શકે છે. ડાયાબિટીસના દર્દીઓની લોહીની નાનકડી નલિકાઓ બારીક થઈ જાય છે, સંકોચાઈ જાય છે. જેને માઈક્રો એન્જિયોપથી કહેવાય છે. પુરુષની ઈન્દ્રિયમાં સ્નાયુ કે હાડકું હોતું નથી. માત્ર આ નલિકાઓ પહોળી થવાથી લોહીનો પ્રવાહ વધે છે અને પુરુષની ઇન્દ્રિયમાં પૂરતું ઉત્થાન આવે છે. જેથી તે જાતીય સંબંધ માણી શકે છે.

ડાયાબિટીસના દર્દીઓમાં આ નલિકા બારીક થવાથી શિશ્નને લોહીનો પૂરતો જથ્થો મળતો નથી અને તેનાથી નપુંસકતા આવે છે. વળી આ દર્દીઓમાં જ્ઞાનતંતુઓમાં થતાં બગાડ (ઓટોન્યુરોપથી)ને લીધે પણ શિશ્નનું ઉત્થાન નબળું પડી શકે છે, પરંતુ ડાયાબિટીસમાં યોગ્ય દવાઓ અને આહાર નિયંત્રણ સાથે નિયમિત કસરતોથી જો કાબૂમાં રાખવામાં આવે તો નપુંસકતા આવતી નથી અને જો ભૂતકાળમાં ડાયાબિટીસને કારણે નપુંસકતા આવેલ હોય તો પણ તે દૂર થઈ શકે છે.

ઉપરાંત આ ડાયાબિટીસના દર્દીઓમાં અક્સીર ઇલાજ થઈ શકે તેવી દવાઓ પણ ઉપલબ્ધ છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓને ઘણી વાર બ્લડપ્રેશર, કોલેસ્ટોરલ અને હૃદયરોગની બીજી બીમારીઓ પણ સાથે હોય છે માટે ક્વોલિફાઈડ ડોક્ટર પાસે યોગ્ય નિદાન કરાવીને જ દવા લેવી જોઈએ. બાકી આપની શીઘ્ર સ્ખલન માટે ઇલાજની જરૃર નથી. કોઈ પણ વ્યક્તિને લાંબાગાળાના અનિયમિત જાતીય સંબંધથી શીઘ્ર સ્ખલનની તકલીફ થઈ શકે છે. જો સંભોગ નિયમિત કરવામાં આવે તો તે દવા વગર પણ મટી શકે છે. આપ મને અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં દર સોમવારે અને બુધવારે બપોરે મળી શકે છે. અહીં તપાસ મફત થાય છે.

પત્નીનું શરીર વધી જાય ?

પ્રશ્ન : અમારા લગ્નને ૧૦ વર્ષ થયેલ છે. બે બાળકો છે. અત્યાર સુધી અમે ગર્ભનિરોધ તરીકે નિરોધનો પ્રયોગ કરતાં હતાં, પરંતુ છ મહિના પહેલાં પત્નીએ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવેલ છે. મારી પત્નીને થાય છે કે, વધુ પડતા જાતીય સંબંધથી વીર્ય શરીરમાં વારંવાર જવાથી તેનું વજન વધી જશે અને તેનું શરીર બેડોળ બની જશે. શું આવું થઈ શકે છે?

ડો. પારસ શાહ : જાતીય જીવનને લગતી આપણા સમાજમાં કેટલી બધી ગેરમાન્યતાઓ છે તે આ સવાલથી જોઈ શકાય છે. કહેવાતા જાહેરખબરિયા, ખાનદાની સેક્સોલોજિસ્ટોએ સદીઓથી લોકોના મનમાં ઠસાવી દીધું છે કે, વીર્ય શક્તિશાળી છે અને વારંવાર સંભોગ કરવાથી એ સ્ત્રીના શરીરમાં જમા થતું રહેવાથી સ્ત્રીનું શરીર ફૂલી જાય છે અને પુરુષ નબળો પડવો, વૃદ્ધ થતો જાય છે. આ વાતમાં માત્ર બકવાસ સિવાય કોઈ જ સચ્ચાઈ નથી. એ વાત સાચી છે કે, વીર્યમાં ફુકટોઝ નામની સુગર આવેલી હોય છે, પણ તે માત્ર વીર્યમાં રહેલા શુક્રાણુને પોષણ અને હલનચલન માટે જ પૂરતી છે અને એક સ્ત્રીના વજનમાં ફેરફાર કરી શકે એટલી હરગીઝ નથી હોતી.

ઊલટું એક્ટિવ સેક્સ માણનાર એક વખતના જાતીય સમાગમમાં આશરે દોઢસો કેલરી ઓછી વપરાય છે. આ કેલરી વીર્યને કારણે નહીં, પરંતુ હલનચલન થવાથી ઓછી થાય છે. એટલે જો સ્થૂળ વ્યક્તિ નિયમિત એક્ટિવ જાતીય જીવન માણે તો ચોક્કસ શરીર ઉતારી શકે છે. સેક્સ એ એક એવી કસરત છે જે ક્યારેય કંટાળાદાયક નથી.

સુહાગરાતે શું થશે ?

પ્રશ્ન : મારી ઉંમર ૨૯ વર્ષની છે. થોડાક જ સમયમાં મારા લગ્ન થવાના છે. મારા મિત્રો સેક્સ વિશેની જાતજાતની વાતો કરે છે, પરંતુ મને આજદિન સુધી હસ્તમૈથુન સિવાય સેક્સનો કોઈ જ અનુભવ નથી. લગ્નના દિવસ જેમ જેમ નજીક આવતા જાય છે તેમ તેમ ગભરામણ વધતી જાય છે. સુહાગરાતે શું થશે એની ચિંતા સતાવે છે. તો શું કરું લગ્ન પાછા ઠેલવી દઉં ?

ડો. પારસ શાહ : તમારી જ જેમ ઘણાખરા અનુભવી અને બિનઅનુભવી યુવક-યુવતીઓ લગ્ન પૂર્વે સુહાગરાતની ચિંતા કરતાં જોવા મળે છે. આ ગભરાટ-ચિંતા ઘણી વાર તેમના ‘કહેવાતા અનુભવી’ મિત્રોએ તેમના મગજમાં ભરેલ સાચી-ખોટી વાતના ઢગલાને કારણે અનુભવાતી હોય છે. હકીકતમાં આ સુહાગરાત કોઈ અજાયબી રાત નથી. એ પણ જીવનના અન્ય અનુભવો જેવો જ એક પહેલી વારનો અનુભવ છે.

હા, પ્રથમ વખતના સમાગમ વખતે કેટલાકને સામાન્ય મુશ્કેલીઓનો અનુભવ જરૃર થાય. જેવું કે સ્ખલન જલદી થઈ જવું, ઇન્દ્રિયમાં ઉત્થાન ના થવું કે પ્રવેશ પહેલાં જ ઢીલાશ આવી જવી, લોહી નીકળવું, પીડા થવી વગેરે, પરંતુ આ કોઈ મોટી સમસ્યા નથી કે જેના કારણે લગ્ન પાછું ઠેલવવું પડે. કિનારે બેસી રહેવાથી ક્યારેય સામે પાર જઈ શકાતું નથી. તમે પહેલી વાર સાઈકલ ચલાવેલી કે શેવિંગ કરેલું ત્યારે પરફેક્ટ જ થયેલું ? શું એમાં કોઈ મુશ્કેલી નહોતી પડી ? પરંતુ જેમ તમે આજે તમે બાઈક કોઈ વ્યક્તિ પાછળ બેસીને પણ ચલાવી શકો છો કે આંખ બંધ કરીને પણ દાઢી કરી શકો છો તેમ જાતીય જીવનમાં શરૃઆતમાં પડતી તકલીફ પણ ધીરેધીરે દૂર થઈ જતી હોય છે.
પહેલી રાતે કેવળ નજીક આવો. એકબીજા જોડે માત્ર વાતો કરજો. સ્પર્શ કરજો અને ઓળખવાનો પ્રયત્ન કરશો. સેક્સની કોશિશ ના કરતાં. ઇન્દ્રિયમાં ઉત્થાન આવે છે કે નહીં તે તરફ નજર પણ ના કરશો. ચિંતા પોતે જ એક મોટી આડખીલી બની રહે છે. કોમનસેન્સની સાયકોલોજી વાપરો. બે અવયવો છે. એક પુરુષનું, એક સ્ત્રીનું. બેઉને એકમેકમાં હળવેથી પરોવવાના છે. એમાં કોઈ મોટી તોપ ફોડવાની નથી. ધીરજ રાખજો તથા વિશ્વાસ રાખવો. જો બીજા યુગલો જાતીય જીવન માણી શકતા હોય તો તમે કેમ નહીં ? ચિંતા કર્યા વગર લગ્ન કરી લો.


(article  from sandesh)

દેવી-દેવતાઓના સૂચક બીજમંત્ર....

મંત્રોમાં છુપાયેલી અલૌકિક શક્તિનો પ્રયોગ કરીને જીવનને સફળ તથા સાર્થક બનાવી શકાય છે. અહીં સૌથી પહેલો પ્રશ્ન એ છે કે મંત્ર વાસ્તવમાં છે શું? તેને કેવી રીતે પરિભાષિત કરી શકાય. આ સંદર્ભમાં એવું કહી શકાય કે મંત્રનો વાસ્તવિક અર્થ તો અસીમિત છે. કોઇ દેવી-દેવતાને પ્રસન્ન કરવા માટે પ્રયુક્ત શબ્દસમૂહને મંત્ર કહેવામાં આવે છે. જે શબ્દ જે દેવતા અથવા શક્તિને પ્રગટ કરે છે તેને તે દેવતા અથવા શક્તિનો બીજ મંત્ર કહે છે. મંત્ર એક એની ગુપ્ત ઊર્જા છે, જેને જાગૃત કરીને આપણે બ્રહ્માંડમાં પહેલેથી જ ઉપસ્થિત આ જ પ્રકારની ઊર્જા સાથે એકાત્મ કરીને તે ઊર્જા માટે દેવતા કે શક્તિનો સીધો સાક્ષાતકાર કરી શકીએ છીએ.

અવિનાશિતા (જેનો વિનાશ નથી)ના નિયમ મુજબ ઊર્જા ક્યારેય નષ્ટ થતી નથી. એટલે કે તે એક રૃપમાંથી બીજા રૃપમાં પરિર્વિતત થતી રહે છે. આથી જ્યારે આપણે મંત્રોનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે તેનાથી ઉત્પન્ન ધ્વનિ એક ઊર્જાના સ્વરૃપમાં બ્રહ્માંડમાં ફરીને જ્યારે તેવા જ પ્રકારની ઊર્જા સાથે સંયોગ કરે છે ત્યારે આપણને તે ઊર્જામાં છુપાયેલી શક્તિઓનો આભાસ થવા લાગે છે. મંત્રોમાં પ્રયુક્ત સ્વર, વ્યંજન, નાદ તથા બિંદુ દેવતાઓ અથવા શક્તિનાં વિભિન્ન રૃપ તથા ગુણોને પ્રર્દિશત કરે છે. મંત્રાક્ષરો, નાદ, બિંદુઓમાં દૈવીય શક્તિ રહેલી હોય છે.

મંત્ર ઉચ્ચારણથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થયેલ ધ્વનિનો મંત્રની સાથે વિશેષ પ્રભાવ હોય છે. જે પ્રમાણે કોઇ વ્યક્તિ, સ્થાન, વસ્તુના જ્ઞાનાર્થ કેટલાક સંકેત પ્રયુક્ત કરવામાં એટલે કે પ્રયોજવામાં આવે છે, તે જ પ્રમાણે મંત્રો સાથે સંબંધિત દેવી-દેવતાઓને સંકેત દ્વારા સંબંધિત કરવામાં આવે છે, આ મંત્રોને બીજમંત્ર કહે છે. મંત્રોમાં દેવી-દેવતાઓનાં નામ પણ સંકેત માત્રા દ્વારા જ દર્શાવવામાં આવે છે. જેમ કે ભગવાન શ્રીરામ માટે ‘રાં’, હનુમાનજી માટે ‘હં’, ગણેશજી માટે ‘ગં’, દુર્ગા માતા માટે ‘દું’નો પ્રયોગ કરવામાં આવે છે. આ બીજાક્ષરોમાં જે અનુસ્વાર અથવા અનુનાસિક સંકેતનો ઉપયોગ કરવામાં આવે છે તેને નાદ કહેવામાં આવે છે. આ નાદ દ્વારા દેવી-દેવતાઓની અપ્રગટ શક્તિને પ્રગટ કરવામાં આવે છે. અલગ-અલગ પ્રકારના બીજમંત્ર તથા તેના અર્થ આ પ્રમાણે છે.

બીજ મંત્રોના અક્ષરો ગૂઢ સંકેત હોય છે. તેમનો અર્થ ઘણો વિશાળ હોય છે. બીજમંત્રોના ઉચ્ચારણથી મંત્રોની શક્તિ વધે છે, કારણ કે તે વિભિન્ન દેવી-દેવતાઓના સૂચક છે.

હ્રીં : માયા બીજમાં હ્= શિવ, ર= પ્રકૃતિ, નાદ= વિશ્વમાતા તથા બિંદુ= દુખહરણ છે. આથી આ માયાબીજનો અર્થ છે, ‘શિવયુક્ત જનની આધ્યશક્તિ મારાં દુઃખોને દૂર કરો.’

શ્રીં : લક્ષ્મી બીજ અથવા શ્રી બીજ. આ લક્ષ્મી બીજમાં શશ્મહાલક્ષ્મી, ર=ધન-સંપત્તિ, ઈ=મહામાયા, નાદ= વિશ્વમાતા તથા બિંદુ= દુખહરણ છે. તેનો અર્થ એવો છે કે ‘ધન-સંપત્તિની અધિષ્ઠાત્રી જગતજનની મા લક્ષ્મી મારા દુઃખ દૂર કરો.’

એં : સરસ્વતી બીજ અથવા વાગ્ભવ બીજ. આ સરસ્વતી બીજમાં એં= સરસ્વતી, નાદ= જગન્માતા અને બિંદુ= દુખહરણ છે. આથી આ બીજનો અર્થ છે- ‘જગન્માતા સરસ્વતી મારા ઉપર તમારી કૃપા વરસાવો.’

ક્લીં : કામ બીજ અથવા કૃષ્ણ બીજ. આ કામબીજમાં ક= યોગસ્ત અથવા શ્રીકૃષ્ણ, લ= દિવ્યતેજ, ઈ= યોગીશ્વરી અથવા યોગેશ્વર તથા બિંદુ= દુખહરણ. આ પ્રમાણે આ કામબીજનો અર્થ છે- ‘રાજરાજેશ્વરી જોગમાયા મારા દુઃખ દૂર કરો’ અને કૃષ્ણ બીજનો અર્થ છે-’યોગેશ્વર શ્રીકૃષ્ણ મારા દુઃખ દૂર કરો.’

ક્રીં : કાલીબીજ અથવા કર્પૂર બીજ. આ બીજના મંત્રમાં ક= કાલી, ર= પ્રકૃત્તિ, ઈ= મહામાયા, નાદ= વિશ્વમાતા, બિંદુ= દુખહરણ છે. આ પ્રમાણે આ બીજ મંત્રનો અર્થ છે- ‘જગન્માતા મહાકાલી મારા દુઃખ દૂર કરો.’

ગં : ગણપતિ બીજ. આ બીજમાં ગગણએશ, અ=વિ/નનાશક તથા બિંદુ= દુખહરણ છે. આ પ્રમાણે આ બીજ મંત્રનો અર્થ ‘વિ/નનાશક શ્રીગણેશ મારા દુઃખ દૂર કરો’ છે.

દું : દુર્ગાબીજમાં દદ્દુર્ગતિનાશની દુર્ગા તથા બિંદુ= દુખહરણ છે. આ પ્રમાણે તેનો અર્થ છે- ‘દુર્ગતિનાશની દુર્ગા મારી રક્ષા કરો અને મારા દુઃખ દૂર કરો.’

ઓમ (હ્રૌં) : પ્રસાદ બીજ અથવા શિવ બીજ. આ પ્રસાદ બીજમાં હ્= શિવ, ઔ= સદાશિવ તથા બિંદુ= દુખહરણ છે. આ બીજનો અર્થ ‘ભગવાન શિવ તથા સદાશિવ મારા દુઃખોને દૂર કરો’ એવો થાય છે.

આ પ્રમાણે બીજ મંત્રોની શક્તિ એટલી અસીમ હોય છે કે દેવતાઓને પણ વશીભૂત કરી નાખે છે તથા જપ અનુષ્ઠાન દ્વારા દેવતાનો સાક્ષાત્કાર કરાવી દે છે. બીજમંત્રોના અક્ષરોમાં રહેલ ગૂઢ શક્તિઓનો સંકેત છે જે પ્રત્યેકની સ્વતંત્ર તથા દિવ્યશક્તિ મળીને દેવતાના વિરાટ સ્વરૃપનો સંકેત આપે છે.

મંત્રોના ત્રણ ભેદ

મંત્રોમાં પણ ત્રણ ભેદ હોય છે. પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. યુદ્ધ ક્રિયાઓમાં સ્ત્રીલિંગ અને અન્ય માટે નપુંસકલિંગ જાતિના મંત્રોનો પ્રયોગ સિદ્ધ કરવો જોઇએ. મંત્રોના ભેદ આ પ્રમાણે છે.

પુલિંગઃ જે મંત્રોમાં છેલ્લે (અંતમાં)હૂં અથવા ફટ આવે તેને પુલિંગ મંત્ર કહેવામાં આવે છે.

સ્ત્રીલિંગઃ જે મંત્રોમાં છેલ્લે ‘સ્વાહા’નો પ્રયોગ થાય છે તે સ્ત્રીલિંગ મંત્ર છે.

નપુંસકલિંગઃ જે મંત્રોમાં છેલ્લે ‘નમઃ’ પ્રયુક્ત થાય છે તેને નપુંસકલિંગ મંત્ર કહેવાય છે.

મંત્રોની સાધના

આવશ્યકતા અનુસાર મંત્રોની પસંદગી કરીને તેમાં રહેલી ઊર્જાની પ્રભાવકારી શક્તિને પ્રાપ્ત કરી શકાય છે. મંત્ર, સાધક તથા ઇશ્વરનું મિલન કરાવવામાં મંત્ર એ મધ્યસ્થી તરીકેનું કામ કરે છે. મંત્રની સાધના કરતા પહેલાં મંત્ર પર પૂર્ણ શ્રદ્ધા, ભાવ, વિશ્વાસ હોવો જરૃરી છે તથા મંત્રનું યોગ્ય ઉચ્ચારણ તો ખૂબ જ જરૃરી છે. મંત્ર એ લય, નાદયોગ અંતર્ગત આવે છે. મંત્રોના પ્રયોગથી આર્િથક, સામાજિક, દૈહિક, દૈનિક, ભૌતિક તાપોથી ઉત્પન્ન વ્યાધિઓમાંથી મુક્તિ કે છુટકારો મેળવી શકાય છે.

મંત્ર પ્રયોગની વિધિ

મંત્રોનો પ્રયોગ કેવી રીતે કરવો જોઇએ તથા કઇ વિધિ અનુસાર કરવો જોઇએ, તેના પણ કેટલાક નિયમો હોય છે. સાધક બનવાના નિયમો તથા કયા સ્થાને મંત્રસાધના કરવી જોઇએ તે જાણીએ.

સાધનાસ્થળ

મંત્રની સાધનાની સફળતામાં સાધનાનું સ્થાન ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. જે સ્થાન મંત્રની સફળતા અપાવે છે તેને સિદ્ધ પીઠ કહે છે. મંત્રની સાધના માટે ઉચિત સ્થાન તરીકે, તીર્થ સ્થાન, પર્વત, શિખર, નદી, તટ, વન-ઉપવન, ગુફા તથા બિલ્વપત્રનું વૃક્ષ, પીપળાનું વૃક્ષ અથવા તુલસીનો છોડ સિદ્ધ સ્થળ માનવામાં આવ્યું છે.

આહાર

મંત્ર સાધકે હંમેશાં શુદ્ધ તથા પવિત્ર અને સાત્ત્વિક આહાર લેવો જોઇએ. દૂષિત આહાર કે મસાલાથી ભરપૂર એવો આહાર સાધકે ગ્રહણ કરવો જોઇએ નહીં. જેથી શરીરની ચયાપચયની ક્રિયા એક સમાન રહે તથા શરીરમાં આહાર સંબંધી કોઇ રોગ ઉત્પન્ન ન થાય.

મંત્ર શક્તિથી રોગ નિવારણ

રોગ નિવારણમાં મંત્રનો પ્રયોગ રામબાણ ઔષધિનું કામ કરે છે. માનવશરીરમાં ૧૦૮ જૈવિકીય કેન્દ્ર હોય છે, જેને કારણે મસ્તિષ્કમાંથી ૧૦૮ તરંગોને ઉર્ત્સિજત કરે છે. સકારાત્મક ધ્વનિઓ શરીરના તંત્ર પર સકારાત્મક પ્રભાવ છોડે છે. મંત્ર એ બીજું કશું જ નહીં, પરંતુ સકારાત્મક ધ્વનિઓનો સમૂહ છે, જે વિભિન્ન શબ્દોના સંયોગથી ઉત્પન્ન થાય છે. દુનિયાના બધા જ ધર્મોમાં મંત્રોના મહત્ત્વને સ્વીકારવામાં આવ્યું છે. મંત્રોનો ઉપયોગ સ્વાસ્થ્ય લાભ અને રોગ નિવારણ માટે પણ કરવામાં આવે છે. આપણા ઋષિમુનિઓએ એ જાણી લીધું હતું કે ખાસ પ્રકારનો ધ્વનિ મસ્તિષ્કના વિશેષ ભાગને ઉત્તેજિક કરવામાં સક્ષમ છે. જેનાથી અદ્વિતીય શક્તિઓ જાગૃત થાય છે, જેને સિદ્ધિ કહેવામાં આવે છે.

મંત્રોનો આપણા શરીર અને મસ્તિષ્ક પર બે કારણસર પ્રભાવ પડે છે. પહેલો એ કે ધ્વનિ તરંગો સમગ્ર શરીરને પ્રભાવિત કરે છે. બીજું એ કે સતત થઇ રહેલા શબ્દોચ્ચારની સાથે ભાવનાત્મક ઊર્જાનો પ્રભાવ આપણા સુધી પહોંચે છે. મંત્રોનો આપણા શરીરના સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ છે. મંત્રોમાંથી નીકળતો ધ્વનિ શરીરના એવા કોષો કે પોતાની સ્વાભાવિક ગતિ કે લય ગુમાવી બેસે છે તેને ગતિ આપીને ઠીક કરે છે. મંત્રોના ધ્વનિથી આપણું સ્થૂળ અને સૂક્ષ્મ બંને સકારાત્મક રીતે પ્રભાવિત થાય છે.

આપણા શરીરને ઘેરી રાખનારું રક્ષાકવચ અથવા ‘ઓરા’ પર પણ આવો જ પ્રભાવ પડે છે. આપણે કોઇ શબ્દ જ્યારે સાંભળીએ છીએ ત્યારે તેના પ્રત્યે ભાવનાત્મક રીતે પ્રતિક્રિયા આપીએ છીએ. જેમ કે ‘મા’ શબ્દથી નીકળવાવાળા ધ્વનિથી ભાવનાત્મક ઊર્જા વ્યવસ્થિત થઇ જાય છે.

બીજમંત્ર ઓમકારનો મહિમા

ઓમકાર ધ્વનિ ‘ઓમ’ને દુનિયાના બધા જ મંત્રોનો સાર કહેવામાં આવે છે. તેનું ઉચ્ચારણ કરવાની સાથે જ તે શરીર પર સકારાત્મક પ્રભાવ પાડે છે. ભારતીય સભ્યતાના પ્રારંભથી જ ઓમકાર ધ્વનિના મહત્ત્વથી બધા જ પરિચિત છે. શાસ્ત્રોમાં ઓમકાર ધ્વનિના સોથી વધારે અર્થ આપવામાં આવ્યા છે. તે અનાદિ અને અનંત તથા નિર્વાણની અવસ્થાનું પ્રતીક છે. તંત્રયોગમાં એકાક્ષર મંત્રોનું પણ વિશેષ મહત્ત્વ રહ્યું છે.

ઓમ નમઃ શિવાય મંત્રનો પહેલો અક્ષર બીજમંત્ર છે. જેમાં ત્રણ અક્ષરનો યોગ છે. અ, ઉ અને મ અક્ષરોના સ્પંદનથી ઓમ બને છે. આ સ્પંદન જ અલૌકિક શક્તિની ઓળખ છે, જે આપણી અંદર આત્મબળનો સંચાર કરે છે. તે આપણી અંદર રહેલી કુપ્રવૃત્તિઓને નષ્ટ કરીને કલ્યાણના માર્ગે આગળ વધવા માટે ઉત્તેજન આપે છે. માત્ર શિવ જ નહીં, જેટલાં પણ દેવી-દેવતાઓની પરિકલ્પના કરવામાં આવી છે એ બધી જ આવાં સ્પંદનો પર આધારિત છે. વાસ્તવમાં બધાં જ દેવી-દેવતાઓનું સંયુક્ત સ્વરૃપ એક જ પરમ બ્રહ્મ છે. જે આ (ઓમ) સ્પંદનથી જ પ્રભાવિત થાય છે. મંત્રોનું સ્પંદન વિભિન્ન દિશાઓ તરફ ઉર્ત્સિજત થાય છે. આમ પણ એક એક સ્પંદનનું મૂળ આ જ બીજ મંત્ર છે. ભારતમાં મહર્ષિઓએ લાંબા સમય સુધી ઘોર તપસ્યા કરીને મંત્રોનું દર્શન કર્યું છે. જેનાથી દેવી-દેવતાઓ સુધી પહોંચી શકાય છે. વેદોમાં પણ મંત્રોને સંકલિત કરવામાં આવ્યા છે. એ મહર્ષિઓએ ભગવાન શિવના સ્વરૃપને સારી રીતે ઓળખી લીધું હતું. તેઓ જાણી ગયા હતા કે ભગવાન શિવ તો વાસ્તવમાં નિર્ગુણ નિરાકાર છે. પરંતુ તેમની ઉપાસના સામાન્ય શ્રદ્ધાળુ ભક્ત કેવી રીતે કરી શકશે. આથી તેમણે ભગવાન શિવને સગુણ સાકાર સ્વરૃપે જોયા અને સંસારવાસીઓને પણ તેમનું સ્વરૃપ સમજાવ્યું. તેમની પૂજા-અર્ચના કરવી લાભપ્રદ માનવામાં આવે છે. પરંતુ સર્વોપરી હોય છે મંત્ર જેને બોલીને અર્ચના કરવામાં આવે છે. મંત્રના પ્રયોગ વિના અર્ચનાનો અર્થ જ વ્યર્થ થઇ જાય છે.

તડબૂચ ખાવાથી પણ વાયગ્રા જેવી અસર થાય...

viral morbia

મૂળ લોહીના દબાણને કાબૂમાં રાખવા શોધાયેલી અને સેક્સ પાવર વધારનાર તરીકે વિશ્વવિખ્યાત બની ગયેલી વાયગ્રા જેવી જ અસર ઉનાળામાં આપણે ત્યાં છૂટથી ખાવામાં આવતા તડબૂચથી થાય છે તેમ તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું. પ્રજનન અંગના ઉત્થાનની નબળાઈને દૂર કરનાર વાયગ્રા ઉપરાંત હજારો જાતની દવાઓ વિશ્વના પુરુષો લેતા હોવાનું જાણવા મળ્યું છે. તેમાં વધુ સહેલાઈથી મળતું અને સસ્તું તડબૂચ પણ ઉમેરાઈ જશે.

ટેકસાસની 'એ એન્ડ એમ'ના નિષ્ણાતોએ તડબૂચના પોષક તત્ત્વોનો અભ્યાસ કરતાં જાણવા મળ્યું હતું કે, તેમાં ૯૨ ટકા પાણી ઉપરાંતના તત્ત્વોમાં મોટા ભાગનાં તત્ત્વો વાયગ્રાની જેમ અસર કરનાર રસાયણો છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે તડબૂચમાં સાઈટ્રુલિન નામનું રસાયણ છે જે શરીરની રક્તનલિકાઓને તાણમુક્ત કરી દે છે. આ રસાયણ તડબૂચના લાલ રંગના ગરમાં હોય છે તેથી વધુ તેની છાલ નજીકના સફેદ પડમાં હોય છે.

સાઈટ્રુલિન શરીરના એન્ઝાઈમ્સ સાથે રસાયણિક પ્રક્રિયા કરે છે. તેમાંથી આર્િજનાઈન નામનું એમિનો એસિડ બને છે. તે હૃદયની કામગીરી સુધારે છે અને લોહીનું પરિભ્રમણ સરળ બનાવે છે. આર્િજનાઈનથી લોહીમાં નાઈટ્રીક ઓક્સાઈડનું પ્રમાણ વધે છેે તેથી રક્તનલિકાઓને હળવાશ વર્તાય છે. વાયગ્રા પણ શરીરમાં ગયા પછી આ જ રીતે અસર કરે છે.

નિષ્ણાતોએ વધુમાં જણાવ્યું હતું કે વાયગ્રા સીધું પુરુષના પ્રજનન પર અસર કરે તે રીતે બનાવવામાં આવે છે, જ્યારે તડબૂચ કોઈ એક અંગ ઉપર નહીં, સમગ્ર શરીર પર અસર કરે છે. અને બીજું તડબૂચની અસર થોડાક કલાકો જ રહે છે. પરંતુ આ એક નબળાઈની સામે તડબૂચનો સૌથી મોટો લાભ એ છે કે તેનાથી કોઈ આડઅસર થતી નથી. વાયગ્રાથી આડઅસર થઈ શકે છે અને અનેક નબળાઈઓમાં તો તે જીવલેણ બને છે. આ લાભકારી તત્ત્વ દરેક પ્રકારના અને દરેક રંગના ફળમાં હોય છે, પરંતુ પીળી છાલના તડબૂચમાં તે વધુ હોવાનું નિષ્ણાતોને જાણવા મળ્યું હતું. આખા તડબૂચમાં સાઈટ્રુલિન હોય છે તેના ૬૦ ટકા તેની છાલ પાસેના સફેદ પટામાં હોવાનું સાબિત થયું હતું.

અભ્યાસ કરનાર નિષ્ણાતોએ જણાવ્યા પ્રમાણે તડબૂચ ખાવાથી કિડનીનું કામ ઝડપથી થાય છે તેથી વ્યક્તિએ વધુ વખત બાથરૃમ જવું પડે છે. મોટા ભાગના હોમિયોપથી ઉપચારોમાં પથરીના દર્દીઓને તડબૂચ ખાવાનું કહેવાય છે.

મનુષ્યજીવન પર યોગનો પ્રભાવ(યોગ ભગાવે રોગ)...

યોગ એટલે શું? ફક્ત આજે જ નહીં પરંતુ પ્રાચીનકાળથી જ ‘યોગ’ શબ્દનો ઉલ્લેખ વેદો, ઉપનિષદો, ગીતા, પુરાણોમાં થતો આવ્યો છે. ભારતીય દર્શનમાં યોગ શબ્દ ઘણો મહત્ત્વનો છે. યોગદર્શનના ઉપદેશક મર્હિષ પતંજલિ અનુસાર ચિત્તવૃદ્ધિનો નિરોધ (મનની પ્રવૃત્તિ પર અંકુશ) જ યોગ છે. ચિત્ત મનને કહેવાય છે. મનમાં શબ્દ, રૂપ, રસ, ગંધ તથા સ્પર્શ બાબતના વિચારરૂપી તરંગો સતત ઊઠયા કરે છે અથવા કામ, ક્રોધ, લોભ, ભય, દ્વેષયુક્ત એક ભાવના હંમેશાં હોય છે. વિચારરૂપી આ તરંગો અને રાગ વગેરેવાળી આ ભાવનાઓને જ ‘વૃત્તિ’ કહેવાય છે. જ્યારે મનમાં શબ્દ વગેરે વિષયાત્મક તરંગો તથા રાગ વગેરે ભાવની સ્થિતિ વિરુદ્ધ થઈ જાય છે એટલે કે રોકાય છે, તે અવસ્થાને યોગ કહેવાય છે.

મર્હિષ પતંજલિ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ સ્વરૂપવાળા અષ્ટાંગયોગનું વર્ણન પણ કર્યું છે. જેમાં જણાવ્યું છે કે અહિંસા, સત્ય વગેરે સાર્વભૌમ મહાવ્રત છે. આના પાલન વિના આત્મિક અને વૈશ્વિક શાંતિ અશક્ય છે. મર્હિષ પતંજલિના આ કથનથી જ ખબર પડી જાય છે કે માનવજીવનમાં યોગનું કેટલું મહત્ત્વ છે.

મર્હિષ વ્યાસ અનુસાર યોગનો અર્થ સમાધિ છે. વ્યાકરણશાસ્ત્રમાં (યુજ) ધાતુથી ભાવમાં ધન્ પ્રત્યય લગાવવાથી યોગ શબ્દ ઉત્પન્ન થાય છે. મર્હિષ પાણિની ધાતુપાઠના દેવાદિગણમાં (યુજ સમાધૌ), રૂધાદિગણમાં (યુજિર, યોગે) તથા ચુરાદિગણમાં (યુજ સંયમને) અર્થમાં યુજ ધાતુ આવે છે. સંયમપૂર્વક સાધન કરતા આત્માને પરમાત્મા સાથે યોગ કરીને (જોડીને) સમાધિનો આનંદ લેવો એ યોગ છે.

ગીતામાં યોગેશ્વર કૃષ્ણ યોગને વિભિન્ન અર્થોમાં વાપરે છે. અનુકૂળતા-પ્રતિકૂળતા, સિદ્ધિ-અસિદ્ધિ, સફળતા-નિષ્ફળતા, જય-પરાજય આ બધા ભાવોમાં આત્મસ્થ રહેતા સમ રહેવાને ‘યોગ’ કહેવાય છે.

જૈનાચાર્યો અનુસાર જે સાધનોથી આત્માની સિદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેને યોગ કહેવાય. મહાયોગી શ્રી અરવિંદ અનુસાર પરમાત્મા સાથે એક થવા માટે પ્રયત્ન કરવો તથા તેને મેળવવો એ જ બધા યોગોનું સ્વરૂપ છે.

યોગના પ્રકાર : યોગરાજ ઉપનિષદ અને દત્તાત્રેય યોગશાસ્ત્રમાં યોગના ચાર પ્રકાર માનવામાં આવ્યા છે.

(૧) મંત્રયોગ (૨) લયયોગ (૩) હઠયોગ (૪) રાજયોગ.

મંત્રયોગ : એવું માનવામાં આવે છે કે માતૃકાદિયુક્ત મંત્ર વિધિસર ૧૨ વર્ષ સુધી જપવાથી સાધકને અણીમા વગેરે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.

લયયોગ : દૈનિક ક્રિયાઓને સંપાદિત કરતા હંમેશાં ઈશ્વરનું ધ્યાન ધરવું એ જ લયયોગ કહેવાય.

હઠયોગ : વિભિન્ન મુદ્રાઓ, આસનો, પ્રાણાયામ અને બંધોના અભ્યાસથી શરીરને નિર્મળ અને મનને એકાગ્ર કરવું એ જ હઠયોગ કહેવાય.

રાજયોગ : યમ-નિયમ વગેરે અભ્યાસથી ચિત્ત (મન)ને નિર્મળ કરી જ્યોતિર્મય આત્માનો સાક્ષાત્કાર કરવો એ જ રાજયોગ છે.

માનવશરીર પર યોગનો પ્રભાવ : યોગથી આપણી સુપ્ત ચેતનશક્તિનો વિકાસ થાય છે. સુપ્ત (ડેડ) તંતુઓનું પુનર્જાગરણ થાય છે અને કોશિકાઓનું નિર્માણ થાય છે. યોગ આપણા સૂક્ષ્મ સ્નાયુતંત્રને સૂક્ષ્મ ક્રિયાઓ દ્વારા ચુસ્ત રાખે છે. જેથી તેમાં સારી રીતે રક્તસંચાર થાય. યોગથી બધી જ રીતે સમ્યક રીતે, રક્તસંચાર થવા લાગે છે. આસન અને પ્રાણાયામ દ્વારા શરીરની ગ્રંથિઓ અને માંસપેશીઓમાં કર્ષણ-વિકર્ષણ, સંકોચન-પ્રસરણ તથા શિથિલીકરણની ક્રિયાઓ દ્વારા તેનું આરોગ્ય વધે છે. રક્તને લઈ જનારી ધમનીઓ અને શિરાઓ પણ સ્વસ્થ થાય છે. આ રીતે આસન અને અન્ય યૌગિક ક્રિયાઓથી પેન્ક્રિયાઝ સક્રિય થઈ ઈન્સ્યુલિન સારા પ્રમાણમાં બનાવવા લાગે છે. જેથી ડાયાબિટીસ રોગ મટે છે. યોગથી પાચનતંત્ર સ્વસ્થ થાય છે. જેથી આખું શરીર સ્વસ્થ, હલકું અને ર્સ્ફૂિતદાયક બને છે. યોગના પ્રયોગથી હૃદયરોગ (હાર્ટ ડિસીઝ) જેવી ભયંકર બીમારીથી છુટકારો મેળવી શકાય છે. યોગથી ફેફસાંને ઓક્સિજન મળે છે. જેથી ફેફસાં સ્વસ્થ થાય છે અને દમ, શ્વાસ, એલર્જી વગેરેથી છુટકારો મળે છે. યૌગિક ક્રિયાથી પાચન થઈ શરીરનું વજન ઘટે છે અને શરીર સુડોળ અને સુંદર બને છે. યોગથી ઈન્દ્રિયો અને મન પર કાબૂ રાખી શકાય છે. આજે લોકોને ઘણા પ્રકારની સમસ્યાઓ હોય છે. જેથી લોકોને માનસિક તણાવ થાય છે અને પછી બીમારીઓથી ઘેરાય છે. આ પરિસ્થિતિમાં શરીર અને મનની રક્ષા કરી શકાય છે.

આસનથી સરળ બને છે જીવન...

યોગ માટે આસનની સિદ્ધિ એટલે એક જ સ્થળ પર સુવિધાપૂર્વક બેસીને અભ્યાસ કરવો.

આસન અષ્ટાંગ યોગનું ત્રીજુ ચરણ છે. પહેલા બે ચરણ યમ અને નિયમમાંથી શાંતિ અને પવિત્રતા મેળવી આસનના રુપમાં ત્રીજા ચરણમાં પ્રવેશ કરીએ. આસનનો અર્થ શરીર સંતુલન સાથે છે. અર્થાત્ યોગ માટે આપણે કેવી રીતે બેસવું જોઇએ તે પણ જાણવું જરૂરી છે.

મહર્ષિ પતંજલિના યોગસૂત્રમાં આસન વિશેની જાણકારી આપવામાં આવી છે. લાંબા સમય સુધી નિશ્ચલ થઇને એક જ સ્થિતિમાં બેસવું આસન છે. ઓછામાં ઓછું ત્રણ કલાક 36 મિનિટ સુધી અને વધારેમાં વધારે ચાર કલાક 48 મિનિટ બેસવાથી આસન સિદ્ધિ થાય છે. યોગદર્શનમાં કહેવામાં આવ્યું છે કે શરીરની સ્વાભાવિક ક્રિયાઓ શાંત કરી મનને પરમાત્મામાં તન્મય કરવાથી આસનની સિદ્ધિ થાય છે.

યોગ માટે આસનની સિદ્ધિ એટલે એક જ સ્થળ પર સુવિધાપૂર્વક બેસીને અભ્યાસ કરવો. બેસવાની આ પ્રક્રિયા અને સ્થિતિ જ આસન છે.

CONTACT ME


                   YOU CAN MAIL ME AT:- VIRAL.MORBIA@GMAIL.COM

                                                                   VIRALMORBIA007@GMAIL.COM

                                                                   VIRAL_RAVECHI@YAHOO.COM

                                                                   VIRAL_CHALAK007@REDIFFMAIL.COM


પાચનતંત્ર વ્યવસ્થિત કરે છે નૌકાસન...

જો આપને વધારે ઊંઘ આવતી હોય તો તેને નિયંત્રિત કરવામાં આ આસન સહાયક બનશે.

શું આપના પાચનતંત્રમાં કોઇ સમસ્યા છે?આંતરડામાં કોઇ નાની-મોટી બીમારી છે?હર્નિયાના રોગથી પીડાવ છો?વધારે ઊંઘ આવે છે?

જો આપ આમાંથી કોઇપણ સમસ્યાથી પરેશાન છો તો આ સમસ્યાઓમાં નૌકાસન ફાયદો કરાવશે.

નૌકાસન – આ આસનમાં આપણું શરીર નૌકા સમાન દેખાય છે, માટે જ તેને નૌકાસન કહે છે.

નૌકાસન કરવાની વિધિ – સમતળ સ્થાન ઊપર કોઇ આસન પાથરી તેના પર પીઠના બળે સૂઇ જાવ. હવે ચિત્રમાં બતાવ્યા મુજબ બંને હાથ, પગ અને માથાને ઊપર તરફ ઉઠાવો. આ અવસ્થાને નૌકાસન કહે છે. થોડી ક્ષણો સુધી આ પોઝીશન જાળવી રાખો. પછી ધામે-ધીમે હાથ, પગ અને માથું જમીન પર પરત લઇ આવો.

લાભ- આ આસન કરવાથી આપનું પાચનતંત્ર સ્વસ્થ રહેશે, હર્નિયાની સમસ્યામાં રાહત મળશે. અંગુઠાથી લઇને આંગળી સુધી ખેંચાણ થવાથી શુદ્ધ રક્ત વધારે ઝડપથી પ્રવાહિત થશે, જેનાથી શરીર નિરોગી બનશે. જો આપને વધારે ઊંઘ આવતી હોય તો તેને નિયંત્રિત કરવામાં આ આસન સહાયક બનશે.

આ આસન પોતાના ઇષ્ટદેવના મંત્રના જપ કરતા કરતા કરવામાં આવે તો ઝડપથી લાભ મળશે.

ગીતાનું તત્વજ્ઞાન જે સમજે છે તેની જીવન પ્રત્યેની દ્રષ્ટિ બછ...

ગોળ જ્યાંથી પણ ખાશો ત્યાંથી ગળ્યો જ લાગવાનો. શ્રીમદ ભગવદ્ગીતાનું પણ તેવું જ છે.

વિશ્વના અનેક ચિંતકો અને વિચારવંત મહાપુરુષોએ શ્રીમદ ભગવદગીતાના વિચારોને એકઅવાજે માથે ચડાવ્યો છે અને જીવનની કૃતકૃત્યતા અનુભવી છે, પરંતુ વૈજ્ઞાનિકોએ પણ તેની મહાનતાને માન્યતા આપી છે. ૧૯૪૫ની સોળમી જુલાઈએ મેક્સિકોના ગોદોંમાં અણુબોમ્બનો વિસ્ફોટ થવાનો હતો. એ વખતે મહાન વૈજ્ઞાનિક ઓપેન હાસ્મેર અણુવિસ્ફોટથી દસ કિલોમીટર દૂર પોતાની પોલાદની સ્પેશિયલ કેબિનમાં વિસ્ફોટનો અભ્યાસ કરતા બેઠા હતા ત્યારે ગીતાના અગિયારમા અધ્યાયનો શ્લોક ‘દિવિ સૂર્ય સહસ્રસ્ય...’ હજારો સૂર્યનું તેજ આકાશમાં એક જ વખતે પ્રકાશી ઊઠે છે - તો તે તેજ પરમાત્માના વિશ્વરૂપનું તેજ જેવું લાગે છે - ત્યારે ગીતાનું પુસ્તક તેમના ટેબલ પર હતું અને અગિયારમા અધ્યાયનો આ જ શ્લોકવાળું પાનું તેમના ટેબલ પર ખુલ્લું પડ્યું હતું.

એ ક્ષણે જ; અણુમાં રહેલી એ પ્રચંડ શક્તિના વિસ્ફોટ સમયે વૈજ્ઞાનિક ઓપન હાસ્મેરને શ્રીમદ ભગવદ્ગીતાની મહાનતા સમજાઈ. આ ગીતાનું મહત્વ સાર્વજનિક અને સર્વકાલીન છે, પરંતુ તે આપણા ધ્યાનમાં જ નથી આવતું. આ આપણો વારસો છે, આપણી સંસ્કૃતિ છે, આપણી સંસ્કારિતા છે. સંસ્કારિતાને નામે આજે ઊલટું કહેવાતા સુસંસ્કારી અને શિક્ષિત સમાજે જાણેઅજાણે આપણા વારસાની, આપણી સંસ્કૃતિની ઉપેક્ષા કરી છે. તેઓ પશ્ચિમીકરણનું આંધળું અનુકરણ કરે છે.

તેમનાં સંતાનો પણ તેમનું જ અનુકરણ કરે તેમાં કોઈ નવાઈની વાત નથી. આજે યુવા પેઢી ક્યાં જઈને ઊભી છે? એક ભ્રાંત વિચાર આ કહેવાતા સુસંસ્કારી અને શિક્ષિત સમાજે યુવા પેઢીના મનમાં ઘુસાડી દીધો છે કે ગીતા તો ઘરડા થયા પછી જ વાંચવાનો ગ્રંથ છે. કાં તો મૃત્યુ પછી મૃત્યુ પામનારની માટે પાઠ કરવાનો ગ્રંથ છે. ગીતાનાં તો અનેકવિધ પાસાં છે.

ગોળ જ્યાંથી પણ ખાશો ત્યાંથી ગળ્યો જ લાગવાનો. શ્રીમદ ભગવદ્ગીતાનું પણ તેવું જ છે. માનવી શરીર કેવળ હાડમાંસનો એક ગોળો છે એવું કહેનારાઓએ ગીતાનું તત્વજ્ઞાન વાંચ્યું જ નથીને! તેથી આજે માનવીને તેની મહત્તાનું ભાન જ નથી. માનવ દેહની શ્રેષ્ઠતા અને અલૌકિકતા તેના ધ્યાનમાં જ આવતી નથી. ગીતાનું તત્વજ્ઞાન તો સિંહણનું ધાવણ છે. તે પીધું નથી તેથી જ તો આપણે બકરાંની જેમ બેં બેં બેં કરીને રડતા રહ્યા છીએ. ગીતા સમજાવે છે કે જીવનમાં અગવડો જ નથી. ઊઠ, ઊભો થા. હું શું કરું એમ લમણે હાથ દઈ રડતો શું બેઠો છે? સિંહને વળી અગવડ કેવી? વિઘ્નોને દૂર કરવાનું સામર્થ્ય તારામાં છે જ; પણ આપણને તેની સમજણ મળી નથી. ગીતાનું તત્વજ્ઞાન જીવનમાં આવતાં જ માનવીની ખોપરી જ બદલાઈ જાય છે. કોઈ અનેરી મસ્તી અને ઉલ્લાસથી જીવન ભરાઈ જાય છે.

Thursday, May 27, 2010



FRIENDS,

IT IS VERY GLOBAL WARMING.THIS IS VERY HARD TIME OF EARTH.
IF,WE WANT TO SAVE OUR EARTH.WE MUST SAVE TREES,ANIMALS,ETC.
AND GROW TREES..WE MUST NOT INJURY ANY ALIVE..
THIS IS NATURE..WE SHOULD NOT INJURY TO WORK OF NATURE..
AND WE MUST WORK OF OURS.
SO,PLEASE DO I TOLD...


SAVE ANIMAL..TREES..
AND NOT INJURY ANY ALIVE OVER WORLD...


ઘઉંને ખતરો ......


વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ઘાતક ફંગસ એટલે કે ફફૂંદની એક નવી ઝેરીલી જાત દુનિયાના ઘઉંના પુરવઠા માટે મોટો ખતરો બની શકે છે. રૂસમાં થયેલ એક બેઠક બાદ સંશોધનકર્તાઓએ આ ખતરનાક પ્રકારના ફફૂંદા અંગે નવી જાણકારી આપી છે.

તેમના મતે કેટલાંક દેશોમાં આ ઘાતક ફંગસ અંદાજે 80 ટકા સુધીનો પાક ખરાબ કરી દે છે. યૂજી99 નામની આ ભૂરા રંગની ફફૂંદ એક દાયકા પહેલાં પૂર્વી આફ્રિકામાં શોધવામાં આવી હતી. આ ઘઉંના ડૂંડા પર આક્રમણ કરી તેને ખોખલી કરી દે છે.

વૈજ્ઞાનિકોના મતે આ ફંગસનો મુકાબલો કરી શકનાર ઘઉંની કેટલીય પ્રકારની જાતો તૈયાર કરી છે પરંતુ આફ્રિકામાં જોવા મળેલ યૂજી99 ફંગસની આ નવી ઝેરીલી જાતની સામે કોઇનું પણ જોર ચાલતું નથી. સંશોધનકર્તાના મતે આ ઝેરીલી ફંગસ એક દિવસમાં અંદાજે 160 કિલોમીટનું અંતર કાપી શકે છે અને તેના લીધે તેને રોકવું મુશ્કેલ થઇ જાય છે.

બરબાદી

કેન્યામાં આ સમસ્યા એક મહામારી ની શકલ અખ્તિયાર કરી ચૂકી છે. ત્યાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘઉંની કેટલોય પાક 80 ટકા સુધીનો બરબાદ થઇ ચૂક્યો છે. ચિંતાની વાત એ છે કે નવી શોધ પ્રમાણે ઘઉં પર વાર કરવા માટે આ ખતરનાર ફંગસ સતત ફેલાતી જતી રહી છે.

અમેરિકાના કોર્નેલ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર રૉની કૉફમેન ઘઉં પર આવનાર બીમારીઓના નિષ્ણાત છે. તેમણે આ નવી ફંગસનું કારણ કહ્યું, 'છેલ્લાં ત્રીસ વર્ષોમાં ઘઉંની એવી જાતો તૈયાર કરવામાં આવી છે જે ઘાતક ફંગસ સામે લડી શકે. પરંતુ આ નવી જાતની ફંગસથી વિશ્વના 90 ટકા ઘઉ સમક્ષ ખતરો ઉભો થઇ શકે છે. ઘઉં વિશ્વમાં 30 ટકાથી પણ વધુ લોકોનો મુખ્ય ખોરાક છે અને તેના માટે આ એક મોટો ખતરો છે.'

શોધકર્તાઓનું કહેવું છે કે જો દુનિયાને આ ઘાતક પ્રકારની ફંગસથી જંગ જીતવી છે તો જેનેટિક એન્જિનિયરિંગને અપનાવવી પડશે. ઘઉં વિશ્વભરમાં ખાવાનું મુખ્ય સાધન છે.

Wednesday, May 26, 2010

માલિકોનો જીવ લેતો મોબાઈલ નંબર!..

બલ્ગેરિયામાં એક એવો મોબાઈલ નંબર છે જે છેલ્લા દસ વર્ષથી પોતાના દરેક માલિકને મારીને જ છોડે છે. ફોન અધિકારીઓએ હવે આ મોબાઈલ નંબર પર જ પ્રતિબંધ લાદી દીધો છે. આ નંબર છે 0888 888 888. છેલ્લા દસ વર્ષમાં જે કોઈ વ્યક્તિએ આ નંબર પોતાની પાસે રાખ્યો હતો તેનું મોત થઈ ગયું છે. મોબાઈલ નંબરનો પહેલો માલિક બલ્ગેરિયાની મોબાઈલ કંપની મોબિટેલનો ભૂતપૂર્વ સીઈઓ બ્લાદિમીર ગ્લાશ્રોવ હતો. 2001ના વર્ષમાં તેનું 48 વર્ષની વયે કેન્સરની બિમારીને કારણે મોત થઈ ગયું હતું. એવી પણ અફવાઓ ફેલાઈ હતી કે તેની પ્રતિસ્પર્ધી કંપનીએ તેને રેડિયોએક્ટિવ ઝેર આપીને કેન્સરનો રોગી બનાવી દીધો હતો. ત્યાર બાદ આ નંબર બલ્ગેરિયાના માફિયા ડોન દિમિત્રોવ પાસે પહોંચ્યો હતો. 2003ના વર્ષમાં તે પોતાની 50 કરોડની લૂંટનો સામાન જોવા માટે પહોંચ્યો ત્યારે બંદૂકની ગોળીનો શિકાર બની ગયો હતો. તેની ઉંમર 33 વર્ષની હતી. ત્યાર બાદ આ નંબર અન્ય એક ડોન દિશિલેવ પાસે પહોંચ્યો. 2005માં બલ્ગેરિયાની રાજધાની સોફિયામાં ઈન્ડિયન રેસ્ટોરન્ટ બહાર તેની હત્યા થઈ ગઈ હતી. તે કોકેઈનનો વેપાર કરતો હતો. ત્યાર બાદ આ નંબર દિશિલેવના કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારી પાસે હતો. થોડા સમય સુધી આ નંબર પર ફોન કરતા એવો અવાજ આવતો હતો કે, ‘ફોન કરવેજ વિસ્તારની બહાર છે’. હવે મોબાઈલ કંપનીએ આ નંબરને બંધ કરી દીધો છે..

ચીનમાં મળેલું આ પ્રાણી ક્યું?????????

ચીનના એક માછીમારે એક એવું પ્રાણી પકડ્યું છે જે ડાયનાસોર અને કાચબાના વચ્ચેના વર્ગનું છે. સુન યોંગચેન નામના માછીમારે અનહુઈ વિસ્તારની વિશેન ખાડીમાંથી આ પ્રાણી પકડ્યું છે. પ્રાણીની શરીર રચના ધ્યાનમાં રાખીને તેની ઓળખાણ મગર અને કાચબાના વચ્ચેના પ્રાણી તરીકે કરવામાં આવી છે.
સ્થાનિક માછીમારી વિભાગના જણાવ્યા પ્રમાણે પ્રાણીઓની આવી જાત ફક્ત ઉત્તર અમેરિકામાં જોવા મળે છે. એવું બની શકે કે પ્રાણીને ખાડીમાં ફેંકતા પહેલા આ પ્રાણી કોઈનું પાલતું પ્રાણી રહ્યું હોય. સૂત્રોના જણાવ્યા પ્રમાણે માછીમારની જાળમાં ફસાયેલું આ પ્રાણી બહાર નિકળવાનો પ્રયાસ કરી રહ્યું હતું. પ્રાણી 76 સેન્ટીમિટર લાંબુ, 30 સેન્ટીમિટર પહોળું છે, તેમજ તેનું વજન સાત કિલોગ્રામ છે.ચીનના એક માછીમારે એક એવું પ્રાણી પકડ્યું છે જે ડાયનાસોર અને કાચબાના વચ્ચેના વર્ગનું છે. સુન યોંગચેન નામના માછીમારે અનહુઈ વિસ્તારની વિશેન ખાડીમાંથી આ પ્રાણી પકડ્યું છે. પ્રાણીની શરીર રચના ધ્યાનમાં રાખીને તેની ઓળખાણ મગર અને કાચબાના વચ્ચેના પ્રાણી તરીકે કરવામાં આવી છે.
સ્થાનિક માછીમારી વિભાગના જણાવ્યા પ્રમાણે પ્રાણીઓની આવી જાત ફક્ત ઉત્તર અમેરિકામાં જોવા મળે છે. એવું બની શકે કે પ્રાણીને ખાડીમાં ફેંકતા પહેલા આ પ્રાણી કોઈનું પાલતું પ્રાણી રહ્યું હોય. સૂત્રોના જણાવ્યા પ્રમાણે માછીમારની જાળમાં ફસાયેલું આ પ્રાણી બહાર નિકળવાનો પ્રયાસ કરી રહ્યું હતું. પ્રાણી 76 સેન્ટીમિટર લાંબુ, 30 સેન્ટીમિટર પહોળું છે, તેમજ તેનું વજન સાત કિલોગ્રામ છે.ચીનના એક માછીમારે એક એવું પ્રાણી પકડ્યું છે જે ડાયનાસોર અને કાચબાના વચ્ચેના વર્ગનું છે. સુન યોંગચેન નામના માછીમારે અનહુઈ વિસ્તારની વિશેન ખાડીમાંથી આ પ્રાણી પકડ્યું છે. પ્રાણીની શરીર રચના ધ્યાનમાં રાખીને તેની ઓળખાણ મગર અને કાચબાના વચ્ચેના પ્રાણી તરીકે કરવામાં આવી છે.
સ્થાનિક માછીમારી વિભાગના જણાવ્યા પ્રમાણે પ્રાણીઓની આવી જાત ફક્ત ઉત્તર અમેરિકામાં જોવા મળે છે. એવું બની શકે કે પ્રાણીને ખાડીમાં ફેંકતા પહેલા આ પ્રાણી કોઈનું પાલતું પ્રાણી રહ્યું હોય. સૂત્રોના જણાવ્યા પ્રમાણે માછીમારની જાળમાં ફસાયેલું આ પ્રાણી બહાર નિકળવાનો પ્રયાસ કરી રહ્યું હતું. પ્રાણી 76 સેન્ટીમિટર લાંબુ, 30 સેન્ટીમિટર પહોળું છે, તેમજ તેનું વજન સાત કિલોગ્રામ છે.

અમેરિકાની કૂટનીતિ ટિ્વટર, ફેસબુક પર....

ફેસબુક, ટિ્વટર અને ફ્લિકર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટનો ઉપયોગ કરવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા સૌથી આગળ છે. અમેરિકાના અધિકારીઓ કૂટનીતિને આગળ વધારવામાં આ વેબસાઈટોને ઉપયોગી માને છે.
આ અધિકારીઓ આ વેબસાઈટો પર દિવસ-રાત ટ્વિટ કરતા રહે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા પી.જે.ક્રોલેએ જણાવ્યું કે, સમાજનો એક મોટા વર્ગ સુધી પહોંચવા અને સરકારની નીતિઓ પર તેમનો અભિપ્રાય જાણવા માટે આ વેબસાઈટો ઘણી ઉપયોગી છે.
આ સાઈટો પર ક્રોલેના બે હજાર ફોલોવર છે. તેમણે જણાવ્યું કે, અમેરિકાની સરકારની નીતિઓથી લોકોને માહિતગાર કરવાની સાથે-સાથે ભાવિ પડકારોનો સામનો કરવામાં પણ આ સાઈટો અસરકારક છે.

લગ્ન સ્થાન બતાવે છે વ્યક્તિનો સ્વભાવ....

જો લગ્નમાં રાહુ હોય તો જાતક કડવા વચનો બોલનારો હોય છે. પણ જો લગ્નમાં કેતુ હોય તો સમ પ્રકૃતિવાળો હોય છે.

Know the Nature of man with help of Janma Kundali જન્માક્ષર જોઇને કોઇપણ વ્યક્તિનો સ્વભાવ જાણી શકાય છે. લગ્ન સ્થાન જાતકના સમગ્ર સ્વભાવનો પરિચય આપે છે. જેને પ્રથમ ભાવ પણ કહે છે. લગ્નમાં જો સૂર્ય સારો હોય તો જાતક મિલનસાર, નબળી આંખોવાળો, દિલદાર હોય છે. આ જ સૂર્ય જો નબળો હોય તો જાતક મિતભાષી, ચીડીયા સ્વભાવનો હોય છે. જો ચંદ્ર હોય તો તે સુંદર હોય છે. મંગળ હોય તો ક્રોધી હોય છે, તે માંગલિક પણ હોય છે. બુધ લગ્નમાં હોય તો તે બુદ્ધિમાન હોય છે અને જો ગુરુ હોય તો ધાર્મિક અને બળવાન હોય છે. લગ્નમાં જો શુક્ર હોય તો કામુક, હોશિયાર હોય છે. જો શનિ હોય તો જાતકનો ચહેરો પિતાના ચહેરાને મળતો આવે છે, આવા જાતકો સમજદાર હોય છે. જો લગ્નમાં રાહુ હોય તો જાતક કડવા વચનો બોલનારો હોય છે. પણ જો લગ્નમાં કેતુ હોય તો સમ પ્રકૃતિવાળો હોય છે.

લગ્ન, કેવા-કેવા ?............

આઠ વિધિઓમાં 4 વિધિઓ શ્રેષ્ઠ અને નૈતિક તેમજ અન્ય 4ને અનૈતિક માનવામાં આવી છે.



kind of marriagesલગ્નનો અવસર સામાન્ય રીતે દરેકના જીવનમાં એકવાર તો ચોક્કસ આવે જ છે. બધા ધર્મમાં લગ્નની અલગ-અલગ વિધિઓ જણાવવામાં આવી છે. જે મુજબ સ્ત્રી-પુરુષ જીવનભર એક સંબંધમાં બંધાઇ જાય છે. હિન્દુ શાસ્ત્ર અનુસાર લગ્નની આઠ વિધિઓ છે. આ આઠ વિધિઓમાં 4 વિધિઓ શ્રેષ્ઠ અને નૈતિક તેમજ અન્ય 4ને અનૈતિક માનવામાં આવી છે.



લગ્નની શ્રેષ્ઠ તેમજ નૈતિક વિધિઓ- દેવ, આર્ણુ, બાહ્ય અને પ્રાજાન્ય.
લગ્નની અનૈતિક વિધિઓ- ગંધર્વ, અસુર, રાક્ષસ અને પિશાચ.
સામાન્ય રીતે આપણા સમાજમાં શ્રેષ્ઠ અને નૈતિક વિધિઓ દ્વારા જ લગ્ન કરાવવામાં આવે છે.

સ્વમાં શાંતિની શોધનો માર્ગ : ધ્યાન..........

ધ્યાનની ઉપમા તેલની ધારા સાથે કરવામાં આવી છે.



Dhyanયોગ સાધનાનું સાતમું ચરણ છે ધ્યાન. યોગી પ્રત્યાહાર દ્વારા ઇન્દ્રિઓને ચિત્તમાં સ્થિર કરે છે અને ધારણા દ્વારા તેને એક સ્થાન પર બાંધી લે છે. ત્યારબાદ ધ્યાનની સ્થિતિ આવે છે. ધારણાની નિરંતરતા જ ધ્યાન છે.



ધ્યાનની ઉપમા તેલની ધારા સાથે કરવામાં આવી છે. જ્યારે વૃત્તિ સમાન રુપમાંથી અવિચ્છિન્ન પ્રવાહિત થાય એટલે કે વચ્ચે કોઇ બીજી વૃત્તિ ન આવે તે સ્થિતિને ધ્યાન કહે છે.



પતંજલિ યોગ સૂત્ર દ્વારા તેને સ્પષ્ટ કરતા કહે છે -



તત્ર પ્રત્યૈકતાનસા ધ્યાનમ્ | - વિભૂતિ પાદ-2



અર્થાત ચિત્ત (વસ્તુ વિષયક જ્ઞાન) નિરંતર રુપથી પ્રવાહિત થતા રહેવું તેને ધ્યાન કહે છે.

એકાંતનું ધ્યાન પ્રભુની નજીક લઈ જાય છે............

કેટલીક વખત આપણે સારું કામ કરતાં હોઈએ છીએ, પરંતુ તેમાં બૂરાઈના છાંટા પડી જાય છે. પૂજા કરીએ છીએ તો દેખાડો વધુ થઈ જાય છે, ધ્યાન ધરીએ છીએ તો ઊંઘ પ્રભાવી થઈ જાય છે, પ્રાર્થના કરીએ છીએ તો પ્રદર્શન વધુ થાય છે અને સેવા કરીએ છીએ તો ઘમંડ પ્રવેશી જાય છે. ક્યારેક એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે એવું શા માટે થતું હોય છે? કેમ કે મન પોતાનો પ્રભાવ બતાવતું હોય છે. આપણા દરેક કામમાં ઇચ્છાઓ અને અપેક્ષાઓની છાંટ આવી જાય છે.

આથી આપણે કરીએ છીએ કંઈ અને થાય છે કંઈ બીજું. કોઈ પણ જાતિ હોય, મનનો માર બધા પર એક સરખો જ પડે છે. હાજી મોહમ્મદ નામના ફકીર સંતાઈને નમાજ પઢતા હતા. તેમનું નામ હાજી એટલા માટે હતું કે તેઓ કેટલીય વખત હજ પઢી ચૂકયા હતા. તે નમાજના પાબંદી હતા. ધીમે-ધીમે લોકો અંદર-અંદર ચર્ચા કરવા લાગ્યા કે આ પોતાને ઘણા સંતાડે છે, કંઈક ગરબડ લાગે છે. એક દિવસ તેમના કોઈ શિષ્યએ તેમને કંઈક પૂછ્યું તો તેમણે થોડા સમય પહેલાં જોયેલા એક સપનાનો ઉલ્લેખ કર્યો.

સપનામાં તેઓ મરી ગયા અને રસ્તામાં તેમને ખુદાનો એક દૂત મળે છે. જે વ્યક્તિએ પૃથ્વી પર જે કામ કર્યું હતું તેના અનુસાર તે દૂત તેને સ્વર્ગ અને નર્કમાં મોકલી રહ્યો હતો. હાજીને જોઈને તેણે તેમને નર્કના રસ્તે રવાના કરી દીધા. હાજી બોલ્યો, શું મારી હજયાત્રા બેકાર ગઈ છે. તે દૂત બોલ્યો, તમે એકાંતમાં ઓછી અને જાહેરમાં વધુ નમાજ પઢી છે. આથી તમારી નજર ઉપરવાળા પર ઓછી અને નીચેવાળા પર વધુ રહેતી હતી. પરિણામે હજયાત્રાનું પરિણામ શૂન્ય રહ્યું છે. તે સપના બાદ હાજી સમજી ગયા કે પ્રાર્થના એવી સંપત્તિ છે જેને સંતાડવામાં આવે તો ઓર વધે છે.

પ્રભુભક્તિમાં લીન થવા માટે એકાંતવાસ જરૂરી છે.

dhyan

ધ્યાન માટે કયો સમય ઉત્તમ ગણાય ?..........

રાત્રે ઊંઘ પૂરી થવાથી આપણા મનના વિકારો પણ શાંત થઇ ગયા હોય છે. ઊંઘમાંથી જાગતાની સાથે જ ધ્યાન કરવા બેસવાથી એકાગ્રતા વધે છે.



proper time for meditationમેડિટેશન એટલે કે ધ્યાન માટે આમ તો કોઇ બંધન નથી પણ તેમ છતાં શ્રેષ્ઠ પરિણામ માટે સમય નક્કી કરવામાં આવે તે યોગ્ય છે. ધ્યાન માટે સહુથી વધારે જો કોઇ ચીજની આવશ્યકતા હોય તો તે છે શાંતિ અને એકાગ્રતાની. આ બંને જ્યારે સુલભ બને તે સમય ધ્યાન માટે સહુથી યોગ્ય સમય બનશે.



યોગી માટે સમયનું કોઇ બંધન નથી હોતું પણ નવા સાધક માટે સમયની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ મર્યાદા અભ્યાસને મજબૂત કરવા માટે રાખવામાં આવીછે. નિશ્વિત સમયે જ ધ્યાનનો અભ્યાસ કરવાથી માત્ર સંકલ્પ શક્તિ જ દ્રઢ નથી થતી તેની સાથે સફળતા મેળવવામાં પણ સરળતા રહે છે. ધ્યાન માટે સવાર, બપોર અને મધ્યરાત્રિનો સમય યોગ્ય છે. આને સંધિકાળ કહે છે. સંધિકાળ એટલે જ્યારે બે પ્રહર મળે તે. જેમ કે સવારે રાત અને સૂર્યોદય, મધ્યાનમાં સવાર અને બપોર મળે છે.



સહુથી ઉત્તમ સમય બ્રહ્મ મુહૂર્તનો(સૂર્યોદય પહેલાનો સમય)છે. માન્યતા છે કે આ સમયે ધ્યાન કરવાથી વિશેષ લાભ મળે છે. કારણ કે રાત્રે ઊંઘ પૂરી થવાથી આપણા મનના વિકારો પણ શાંત થઇ ગયા હોય છે. ઊંઘમાંથી જાગતાની સાથે જ ધ્યાન કરવા બેસવાથી એકાગ્રતા વધે છે.

ઈસાઈ ધર્મ અને જીવનના વણઉકલ્યા સવાલ..........

ઈશ્વર ઈશુના રુપમાં ફરી આવશે. ભલા લોકો કબરમાંથી ઊભા થશે. પુણ્યાત્માઓની મુક્તિ થશે. પાપી હંમેશા માટે નરકમાં જશે.



Christian religionઅનેક એવા મુદ્દાઓ છે જે મનુષ્ય અને તેના જીવનની સાથે શરુઆતથી જ જોડાયેલા છે. જેમ કે ઈશ્વર કોણ છે, ક્યાં અને કેવો છે? જિંદગીનું તાત્પર્ય શું છે? આપણે જન્મ પહેલા ક્યાં હતા અને મૃત્યુ બાદ ક્યાં હોઇશું? આ મુદ્દાઓ પર દુનિયાના જુદા-જુદા ધર્મો અને અલગ-અલગ વિભાગોમાં વિભિન્ન માન્યતાઓ જોવા મળે છે. આ મહત્વપૂર્ણ વિષયોમાં ઈસાઈ ધર્મ શું કહે છે અને શું માને છે, આવો જોઇએ...



કોણ છે ઈશ્વર - એક સત્તા છે પણ તેના ત્રણ રુપ છે. પિતા, પુત્ર અને પવિત્ર આત્મા.



મનુષ્યનું પતન કેવી રીતે - ઈશ્વરે મનુષ્યને પૂર્ણ બનાવ્યો પણ મનુષ્યએ ઈશ્વરના આદેશનું પાલન ન કરીને અપરાધ કર્યો. જેના લીધે માનવ જાતિ ઈશ્વરથી દૂર થઇ અને તેનું પતન થયું. (જૂની બાઇબલ)



અવતાર શું છે – મનુષ્ય અને ઈશ્વરના પુનર્મિલનને ફરીથી સ્થાપિત કરવા માટે ઈશ્વર ઈશુના રુપમાં મનુષ્ય બનીને ધરતી પર અવતરિત થયા. (નવી બાઇબલ)



કુંવારિકામાંથી જન્મ્યા ઈશુ- ઈશ્વરે ઈશુના રુપમાં ચમત્કાર પૂર્વક કુંવારી મરીયમના ગર્ભમાંથી જન્મ લીધો.



ઈશુના બે રુપ – ઈશુ એક જ સમયે ઈશ્વર પણ હતા અને મનુષ્ય પણ.



પ્રાયશ્વિત શા માટે – ઈશ્વરે ઈશુના રુપમાં કષ્ટ સહન કર્યો, મનુષ્ય બનીને બલિદાન આપ્યું.



પુનરુત્થાન કેવી રીતે – ઈશ્વરે ઈશુની કબરમાંથી ઉઠીને વિશ્વાસુ વ્યક્તિઓને અમરતા પ્રદાન કરી.



ચર્ચનો દેવી આધાર- ઈશ્વરે ઈશુના રુપમાં મનુષ્ય અને ઈશ્વરના સામ્રાજ્યને સ્થાપિત પદ્ધતિના રુપે ચર્ચનું નિર્માણ કર્યુ.



કૃપા ક્યારે અને શા માટે – ઈશ્વર પોતાના પ્રેમ દ્વારા મનુષ્યને પાપમાંથી બચવામાં મદદરુપ બને છે.



પુનરાગમન- ઈશ્વર ઈશુના રુપમાં ફરી આવશે. ભલા લોકો કબરમાંથી ઊભા થશે. પુણ્યાત્માઓની મુક્તિ થશે. પાપી હંમેશા માટે નરકમાં જશે.

વિજ્ઞાન ધર્મના શરણે....

હવે વિજ્ઞાન એ નિર્ણય પર પહોંચ્યું છે કે આ સમસ્ત સૃષ્ટિને કોઇ અજ્ઞાત શક્તિ સંચાલિત કરી રહી છે.



science considers religionઆપણે જાણીએ છીએ કે વિજ્ઞાન પદાર્થના વિષયમાં શોધખોળ કરે છે અને આધ્યાત્મ ચેતનાના વિષયમાં. બંનેનું મહત્વ ઉપયોગિતા અને ઉપલબ્ધિઓમાં પોત-પોતાના સ્થાને અત્યંત મહત્વપૂર્ણ છે.



વિશ્વના એક સુવિખ્યાત વૈજ્ઞાનિકે ભવિષ્યવાણી કરી છે કે હવે પછીની શતાબ્દીમાં ધર્મને વિજ્ઞાનનું અને વિજ્ઞાનને ધર્મનું અભિન્ન અંગ અને સહયોગી માની લેવામાં આવશે. વિજ્ઞાન અને ધર્મના સમન્વયથી માનવીય પ્રગતિનો સંતુલિત આધાર બની શકશે.



આજે આપણે જોઇ શકીએ છીએ કે વિજ્ઞાનની જુદી-જુદી શાખાઓમાં નિષ્ણાત મૂર્ધન્ય વૈજ્ઞાનિક પણ ભારતીય આધ્યાત્મના ક્ષેત્રમાં વર્ણિત ઋષિ-સિદ્ધિઓના આધાર શોધવા પાછળ વ્યસ્ત છે. પ્રયાસને અનુરુપ સફળતા પણ મળી રહી છે. અને આધ્યાત્મિક શક્તિઓને વિજ્ઞાન સમાન માનવામાં આવી રહી છે. હવે વિજ્ઞાન એ નિર્ણય પર પહોંચ્યું છે કે આ સમસ્ત સૃષ્ટિને કોઇ અજ્ઞાત શક્તિ સંચાલિત કરી રહી છે. હવે વિજ્ઞાનનો જડ પદાર્થો તરફનો લગાવ સમાપ્ત થઇ રહ્યો છે. ચેતના, મન, આત્માનું અસ્તિત્વ સાચું માનવામાં આવી રહ્યું છે. ચેતન સત્તા જ જડ જગતની ઉત્પત્તિનું મૂળ કારણ છે.

બાળકોને પરમાત્મા સાથે જોડો...

પરંતુ જેવા હનુમાનજી અંગૂઠી નીચે નાખ્યા બાદ સીતાજીની સામે આવ્યા ત્યારે સીતાજીએ મોંઢુ ફેરવી લીધું.



child with godસંતાનોના પાલન પોષણમાં ઘ્યાન રાખવાની વાત કહેવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે, બાળકોને પણ પરમાત્મા સાથે જોડીને રાખો. તેમને પણ ભક્ત બનાવો. ભકતોમાં તમામ ગુણ હોય છે. જ્ઞાનીમાં બધા જ ગુણ નથી હોતા. કર્મયોગીમાં બધા જ ગુણ નથી હોતા. ભક્ત કર્મયોગી પણ હોઈ શકે છે અને તે જ્ઞાની પણ હોઈ શકે છે તેથી તેને ભક્ત બનાવો.



ભક્તનો અર્થ એ નથી કે, વ્યક્તિ તિલક કરી લે, લાંબી ચોટલી રાખી લે, મંદિરમાં જાય અને બે-ચાર કલાક પૂજા કરે. ભક્ત એક આચરણ છે, સંપૂર્ણ આચરણ. પરમાત્મા સંપૂર્ણ ભક્તને ચાહે છે. તેઓ કહે છે કે અડધો ભક્ત ન ચાલે. તેથી તમે ભક્ત બનો અને સંતાનોને પણ ભક્ત બનાવવાની જવાબદારી નિભાવો. આનો સીધો મતલબ છે કે, માતા-પિતા જે કંઈ પણ સંતાનોને આપશે તે જ તેમની પાસે પરત આવશે. નરકથી બચવા માટે ઘ્યાન કરો. નામનું ખૂબ જ મહત્વ છે. તેથી તમારા પ્રિયનું નામ હંમેશાં લેતા રહો.



તમને યાદ હશે કે, જ્યારે હનુમાનજી ભગવાન પાસેથી વિરહ સંદેશ લઈને માતા સીતાજી પાસે પહોંરયા અને તેમણે માતા સીતાને સંદેશો આપ્યો. જે લોકો સુંદરકાંડ વાંચે છે તેમને ખબર હશે કે હનુમાનજીએ સીતાને સંપૂર્ણ કથા સંભળાવી ત્યારે સીતાજીનું સંપૂર્ણ દુ:ખ દૂર થઈ ગયું. પરંતુ જેવા હનુમાનજી અંગૂઠી નીચે નાખ્યા બાદ સીતાજીની સામે આવ્યા ત્યારે સીતાજીએ મોંઢુ ફેરવી લીધું. આ સમય હનુમાનજીના જીવનનો સૌથી મોટો પ્રસંગ હતો. જ્યારે માતા સામે જ ઊભા હોય, સીતાજીનાં દર્શન થતા હોય ત્યારે જ ભક્તિ દેવી મોંઢુ ફેરવી લે છે. હનુમાનજી ચોંકી ઊઠ્યા.

નામ તમને પરમાત્મા સુધી પહોંચાડશે...

નામને જીવનમાં જાળવી રાખો, તે તમને પરમાત્મા સુધી પહોંચાડશે.



Name will help you દરેક પતિ-પત્નીના સંબંધો વચ્ચે કોઈને કોઈ એવી વાત હોય છે જે અન્ય કોઈ વ્યક્તિને ખબર નથી હોતી. પત્ની પતિને કંઈક કહે છે અને પતિ પત્નીને કંઈક કહે છે. આમ તો આ વાત બંને જણાં જાણતાં જ હોય છે, જે અન્ય કોઈ જાણતું નથી. ભગવાન રામજીએ કહ્યું - હું તમને એક વાત કહું છું. તમે એ કહેજો અને તે માની જશે, છતાં સીતાજીએ આ બાજુ મોઢું ફેરવ્યું નહીં.



હનુમાનજીને યાદ આવ્યું કે, ભગવાન રામે જે કહ્યું છે તે બોલી જાઉ. તેમણે તત્કાળ કહ્યું - ‘હું રામદૂત, તમે માતા જાનકી, સત્ય શપથ કરુણાનિધાન કી.’ રામજી અને સીતાજી જ્યારે એકબીજા સાથે વાત કરતાં હતાં ત્યારે એકાંતમાં સીતાજી ભગવાન રામને કરુણાનિધાન કહેતાં હતાં. આ વાત માત્ર સીતામાતા અને ભગવાન રામજીને જ ખબર હતી. જેવા હનુમાનજી આ વાત બોલ્યા કે તરત જ સીતાજી વિચારમાં પડી ગયાં કે આ કોઈ નજીકની વ્યક્તિ છે અને તેઓ ફરી ગયાં. પુત્રનો સ્વીકાર કર્યો.



નામનું આવું મહત્વ છે. કરુણાનિધાન નામ હતું, તેથી નામને જીવનમાં જાળવી રાખો, તે તમને પરમાત્મા સુધી પહોંચાડશે. આ ઉપરાંત પરીક્ષિતજીએ કહ્યું - હે મહામુનિ, મને પરમ પુરુષ પરમાત્મા દ્વારા દેવતા, મનુષ્ય, નાગ અને પક્ષી વગેરેની સૃષ્ટિનું વિસ્તારથી વર્ણન કરી સમજાવવાની કૃપા કરો. ત્યારે શુકદેવજીએ કહ્યું, રાજા પ્રાચીન બર્હિના દસ પુત્રો તપસ્યા કરી સમુદ્રથી બહાર નીકળ્યા. તેમણે જોયું કે, સંપૂર્ણ પૃથ્વી લતા, વૃક્ષ વગેરેથી લીલીછમ થઈ ગઈ છે.

નારાયણ બોલવાથી પરમાત્મા મળે છે....

યમદૂતો યમરાજ પાસે પહોંચ્યા અને કહ્યું કે ત્યાં તો દેવદૂતો આવી ગયા. તેમણે અમારા કાર્યમાં અવરોધ ઊભો કર્યો અને અમે જેને લેવા ગયા હતા તેને લાવવા ન દીધો.



get god by saying Narayanબીમાર અજામિલ પુત્રને બોલાવવા લાગ્યો, નારાયણ... નારાયણ... જેના પગલે ભગવાન વિષ્ણુના દેવદૂતો દોડી આવ્યા. તેમણે જોયું તો સામે યમદૂતો ઊભા હતા. યમદૂતોએ કહ્યું - તમે અહીં કઈ રીતે? ત્યારે તેમણે કહ્યું કે, આણે નારાયણ-નારાયણ કહ્યું અને અમે આવી ગયા. તેઓ બોલ્યા- જ્યાં સુધી આ નારાયણ નારાયણ બોલશે ત્યાં સુધી તમે આને નહીં લઈ જઈ શકો. તેમણે કહ્યું આ તો સંભવ નથી. બંને પક્ષમાં યુદ્ધ થયું. દેવદૂતોએ યમદૂતોની જોરદાર ધોલાઈ કરી.



યમદૂતો યમરાજ પાસે પહોંચ્યા અને કહ્યું કે ત્યાં તો દેવદૂતો આવી ગયા. તેમણે અમારા કાર્યમાં અવરોધ ઊભો કર્યો અને અમે જેને લેવા ગયા હતા તેને લાવવા ન દીધો. યમરાજ બોલ્યા- કેમ ન લાવી શક્યા? દેવદૂતો કઈ રીતે આવ્યા? તે શું કરી રહ્યાં હતા? દૂતો બોલ્યા - તે નારાયણ નારાયણ બોલતો હતો. યમરાજે કહ્યું - ઠીક છે, આપણે બે બાબતમાં સંશોધન કરીશું. વ્યક્તિ જ્યારે સત્સંગ કરતી હોય, ગુરુ પાસે બેઠો હોય કે ભગવાનનું નામ લેતી હોય ત્યારે આપણે રાહ જોવી પડશે.



આ કથા આપણને બતાવે છે કે, અજામિલ શું કરતો હતો તેની તેને પણ ખબર ન હતી, પરંતુ તે ભગવાનનું નામ લેતો હતો જે તેનો ભાવ હતો અને ભગવાન ભાવના ભૂખ્યા છે. ભગવાને કહ્યું કે, આ મારો હિસાબ છે. દેવદૂતોએ અજામિલને જગાડયું. ત્યારે તેને સમજાયું કે, નારાયણ કહેવાથી મારી આ સ્થિતિ થઈ, હું કેટલો મૂર્ખ હતો, સંપૂર્ણ જીવન ગુમાવી દીધું. હું નારાયણ નારાયણ બોલ્યો અને મને નારાયણ પરમાત્મા મળી ગયા, હવે હું નારાયણ નારાયણ જ કરીશ.

ડરીને પણ પરમાત્મા પામી શકાય છે.....

કેટલાય ભક્તો આ ભૂલ થવાના ભયને લીધે અસમંજસમાં પડી જાય છે. તેમના ચિંતનની ઊર્જા એ વાતમાં જ વપરાઇ જાય છે કે ક્યાંક ભૂલ ન થઇ જાય.



your strength after afraidભક્તિ કરતી વખતે મનમાં ભયનો ભાવ ન રહેવો જોઇએ, કે ભક્તિ પણ ભયમાં ન હોવી જોઇએ. આ બંને એક-બીજાથી વિપરિત છે. તેમ છતાંય મનુષ્યનો સ્વભાવ તેને અનેકવાર ડરતા ડરતા ભગવાનમાં માનતો કરી દે છે. ભયમાં પણ ભગવાન મળે છે, પણ તેનો એક પ્રકાર હોય છે. ભય પણ પરમાત્માનો ભેટો કરાવી શકે છે.



ભય અને ભક્તિ એકબીજાની તરફ પીઠ ફેરવતા હોવા જોઇએ. જેઓ ભક્તિ કરી રહ્યા હોય તેમણે ભયભીત ન થવું જોઇએ. પણ જોવા મળે છે કે કોઇ ને કોઇ ભય કોઇ પણ રુપમાં દરેકના જીવનમાં સમાયેલો જ હોય છે. જ્ઞાત ભય તો સમજી શકાય પણ અનેક લોકો અજ્ઞાત ભયમાં જ જીવે છે. ડરી-ડરીને જીવતા લોકો પરમાત્માને કેવી રીતે પામી શકે? આવો આજે એક એવા ડરની વાત કરીએ જે આધ્યાત્મિક જીવનમાં અચાનક જ આવી જાય છે. આ ડર છે – ક્યાંક ભૂલ ન થઇ જાય.



કેટલાય ભક્તો આ ભૂલ થવાના ભયને લીધે અસમંજસમાં પડી જાય છે. તેમના ચિંતનની ઊર્જા એ વાતમાં જ વપરાઇ જાય છે કે ક્યાંક ભૂલ ન થઇ જાય. ભૂલ થવી સ્વાભાવિક છે. ભૂલ પ્રત્યે સાવધાની રાખવી જોઇએ, ચિંતા નહીં. ઊર્જા એ વાતમાં વાપરવી જોઇએ કે ભૂલને સુધારવામાં કોઇ ચૂક ન રહી જાય. જો એ ડરમાં જ જીવશો કે ક્યાંક ભૂલ ન થઇ જાય તો જીવનમાં કોઇ મોટું સર્જન કરી શકશો નહીં. આવા લોકો એટલા માટે મિત્ર નથી બનાવી શકતા કારણ કે તેમને મિત્રતામાં પણ પહેલા શત્રુ ભાવ દેખાય છે. તેમને શત્રુતા મળે કે ના મળે પણ તેઓ મિત્રતાથી ચોક્કસ વંચિત રહી જાય છે.



આવા લોકો એટલા માટે પ્રેમ નથી કરી શકતા કારણ કે તે પહેલા જ તેમને ઇર્ષ્યાનો ભય સતાવે છે. બધી ઊર્જા મિત્રતા, પ્રેમ, ભક્તિમાં વાપરવી જોઇ. ભૂલ થશે, પરમાત્મા સંભાળી લેશે. પોતાની શ્રદ્ધાને બળવાન કરી ભૂલોને ઈશ્વર પર છોડી દો. સાવધાની રાખવી જોઇએ પણ સાવધાનીના ચક્કરમાં બધી ઊર્જાને ભૂલ ન થાય તેમાં જ વાપરી દેવાની નથી.

જ્યાં પ્રકૃતિ ઈશ્વરનું રુપ છે.....

પુરાણોમાં લખવામાં આવ્યું છે કે માનવે રાગ, દ્વેષ, મોહ, માયા જેવા લૌકિક બંધનોમાંથી છૂટકારો મેળવવા તીર્થયાત્રા કરવી જોઇએ.

nature is godકર્મયોગી ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં ઈશ્વરના વિરાટ સ્વરુપ વિશે કહ્યું છે કે હું જ જગત અને પ્રકૃતિના કણ-કણમાં વ્યાપ્ત છું. ઈશ્વરના આ વિરાટ સ્વરુપ અને સૌંદર્યની અનુભૂતિ થાય છે ચાર ધામની યાત્રામાં. ચાર ધામ ધાર્મિક દ્રષ્ટિએ પુણ્ય લાભ આપે છે સાથે-સાથે આ પવિત્ર સ્થાનોમાં વ્યાપ્ત કુદરતી સૌંદર્ય પણ અહીં આવનારને અભિભૂત કરી દે છે. આ પ્રાકૃતિક દ્રશ્યો જોવાથી મળતી આનંદમયી અને આધ્યાત્મિક અનુભૂતિ દરેક તીર્થયાત્રીને ઊંડી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે. જેના દ્વારા તેનામાં તાજગી અને માનસિક ઊર્જાનો સંચાર થાય છે. આ જ કારણ છે કે આ તીર્થોની ઊંચાઇ પરથી નીચે ઊતરતો દરેક શ્રદ્ધાળુ એ માનસિક શાંતિનો અહેસાસ કરે છે કે તેણે પહાડોની ઊંચાઇને સ્પર્શીને જીવનની ઊંચાઇઓ પ્રાપ્ત કરી છે.

પુરાણોમાં લખવામાં આવ્યું છે કે માનવે રાગ, દ્વેષ, મોહ, માયા જેવા લૌકિક બંધનોમાંથી છૂટકારો મેળવવા તીર્થયાત્રા કરવી જોઇએ. ત્યાં સાધુ-સંતોની સંગતથી ઈશ્વરીય તત્વનો અનુભવ મેળવવો જોઇએ. માટે યથાસંભવ આ પુણ્યસભર અવસરનો આધ્યાત્મિક લાભ ચોક્કસ લેવો જોઇએ.

મૃત્યુ અને જીવનનું રહસ્ય...

સમયાંતરે આ દુનિયામાં કેટલાક એવા નરરત્નો, તત્વજ્ઞાનીઓ અને યોગીઓએ જન્મ લીધો છે જેમણે પોતાના જીવનકાળમાં આ મહત્વના રહસ્યને ઉકેલ્યું છે. આવા આત્મજ્ઞાની મહાપુરુષો સમાધિના ઉચ્ચતમ સ્તર પર પહોંચીને સમયના બંધનમાંથી મુક્ત બને છે અને એવી અવસ્થામાં પહોંચે છે કે જ્યાં સમયનો અવરોધ તેમને નડતો નથી.



punarjanmaદુનિયાના દરેક મનુષ્યના મનમાં ક્યારેક તો એ પ્રશ્ન ઉદ્ભવે જ છે કે છેવટે મૃત્યુ અને જીવનનું રહસ્ય શું છે? જ્યારે પણ મનમાં મૃત્યુ વિષે વિચાર આવે છે કે કોઇ મૃત્યુ પામેવી વ્યક્તિને નીહાળીએ છીએ ત્યારે મન રોમાંચિત થઇ ઉઠે છે કે આખરે આ મૃત્યુ છે શું? શું થાય છે મૃત્યુ બાદ ?



મૃત્યુને લઇને વિશ્વભરમાં અલગ-અલગ પ્રકારની વાતો અને માન્યતાઓ પ્રચલિત છે. આમાંની મોટાભાગની માન્યતાઓ અને ધારણાઓ કાલ્પનિક હોય છે જેનો વાસ્તવિકતા સાથે કોઇ સંબંધ નથી હોતો.



પરંતુ સમયાંતરે આ દુનિયામાં કેટલાક એવા નરરત્નો, તત્વજ્ઞાનીઓ અને યોગીઓએ જન્મ લીધો છે જેમણે પોતાના જીવનકાળમાં આ મહત્વના રહસ્યને ઉકેલ્યું છે. આવા આત્મજ્ઞાની મહાપુરુષો સમાધિના ઉચ્ચતમ સ્તર પર પહોંચીને સમયના બંધનમાંથી મુક્ત બને છે અને એવી અવસ્થામાં પહોંચે છે કે જ્યાં સમયનો અવરોધ તેમને નડતો નથી.



અને માટે જ આ અવસ્થામાં પહોંચીને તે સરળતાથી જાણી શકે છે કે મૃત્યુ પહેલાનું જીવન શું હતું અને મૃત્યુ બાદ જીવનની ગતિ શું હશે.આવા જ મહાન સિદ્ધ યોગીઓનું સ્પષ્ટ કહેવું છે કે કાળની જેમ જ જીવન અનંત છે. જીવનનો ન તો ક્યારેય પ્રારંભ થાય છે કે ન ક્યારેય અંત. લોકો જેને મૃત્યુ કહે છે તે માત્ર શરીરનો અંત છે જે પ્રકૃતિના પાંચ તત્વો પૃથ્વી, વાયુ, જળ, અગ્નિ અને આકાશનું બનેલું હતું.

આ રીતે મેળવો પ્રકૃતિ પર વિજય...

તંત્ર વિજ્ઞાન દ્વારા પરમાણુ શક્તિ જેવી જ મહાન શક્તિ પ્રાપ્ત થઇ શકે છે.



victory on natureબ્રહ્મશક્તિનું બીજુ રુપ સ્થૂળ પરમાણુમયી સાવિત્રી છે. તેને સ્થૂળ પ્રકૃતિ, પંચમહાભૂત, ભૌતિક સૃષ્ટિ વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે. પરમાણુઓની સ્વાભાવિક ક્રિયામાં ફેરફાર કરીને તેને પોતાના માટે વધારે ઉપયોગી બનાવવાની ક્રિયાનું નામ જ છે ‘તંત્ર વિજ્ઞાન’.



તંત્ર વિજ્ઞાન અંતર્ગત યંત્રોના સ્થાને આંતરિક શક્તિઓમાં રહેતી વિદ્યુત શક્તિને અમુક એવી વિશેષતાથી સંપન્ન કરવામાં આવે છે જેના દ્વારા પ્રકૃતિના સૂક્ષ્મ પરમાણુઓ ઐચ્છિક સ્થિતિ ધારણ કરી શકે. પદાર્થોની રચના, પરિવર્તન અને વિનાશનું આટલું મોટું કાર્ય કોઇ યંત્ર-ઉપકરણની મદદ વગર તંત્ર વિજ્ઞાનની મદદથી સરળતાથી પૂર્ણ થઇ શકે છે. તંત્ર વિજ્ઞાન દ્વારા પરમાણુ શક્તિ જેવી જ મહાન શક્તિ પ્રાપ્ત થઇ શકે છે. વિજ્ઞાનના આ તાંત્રિક ભાગને સાવિત્રી વિદ્યા, તંત્ર સાધના, વામ માર્ગ વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે.

જો સીધાજ પરમાત્મા સુધી પહોંચવું હોય તો...?

જન્નત અને દોઝખના ભયથી લોકો ઉપરવાળાની ઈબાદત કરે તે ખોટું છે. વ્યક્તિ નિર્લેભ, નિર્ભય અને નિર્દોષ હોવી જોઇએ.



It we directly want to reach with godપરમાત્મા,એટલે કે તે પરમશક્તિ સુધી આપણે સીધા જ પહોંચી શકીએ છીએ. તેના માટે આપણે ભક્તિ નહીં, પ્રયાસ કરવો પડશે, પ્રયાસ પોતાની જાતને સાધવાનો. પોતાના સ્વભાવને ફકીર જેવો બનાવવો પડશે. આપણે તીર્થ સ્થાનોએ જઇએ છીએ ત્યારે મંદિર અને મૂર્તિઓ સુધી જ સીમિત બની જઇએ છીએ, ક્યારેય ધર્મની અંદર જવાનો એટલે કે પરમાત્માને સમજવાનો પ્રયત્ન સુદ્ધા નથી કરતા.



ફકીરી વૃત્તિ આપણી ભીતર સીધાજ ઈશ્વર સુધી પહોંચવાની ઘેલછા લાવી દે છે. મુસ્લિમ ફકીરોની પરંપરામાં શિબલીનું નામ સન્માન સાથે લેવામાં આવે છે. તેમનો આગ્રહ રહેતો કે સીધાજ ઈશ્વર અલ્લાહ સુધી પહોંચો. પોતાની આ વાત કહેવાની તેમની રીતો નિરાળી રહેતી. ધર્મસ્થાનો ઉપયોગ મોટાભાગના લોકોએ માત્ર દેખાડો કરવા જ કર્યો છે, આ માટે શિબલીના મનમાં ગુસ્સો પણ રહેતો. એકવાર તેઓ હાથમાં સળગતા અંગારા લઇને ફરી રહ્યા હતા. લોકોએ આ અંગે પ્રશ્નો પૂછ્યા તો શિબલીએ જવાબ આપ્યો કે આની મદદથી ખાન-એ-કાબાને સળગાવવાની તૈયારી કરી છે. લોકો નારાજ થાય તે સ્વાભાવિક હતું. શિબલી મુસલમાન બનીને કાબા એટલે કે મુસલમાનોના સર્વશ્રેષ્ઠ પવિત્ર સ્થાન વિશે આવું કહી રહ્યા હતા, પણ જ્યારે શિબલી ફકીરે પોતાની વાતને વધારે સ્પષ્ટ કરીને રજુ કરી ત્યારે લોકો ચોંકી ગયા અને શરમથી નતમસ્તક બની ગયા, ખુશ પણ થયા.



તેમની વાત ઇશારામય હતી. તેમના કહેવાનો અર્થ હતો કે પોતે આમ કરવા ઇચ્છે છે કારણ કે લોકો સામાન્ય ઈબાદત પર જ ટકી જાય છે અને સીધા ખુદા તરફ જતા નથી. શિબલીનો ઇશારો હતો કે લોકો માત્ર કાબાની જગ્યા પર ન ટકે પરંતુ સાહબે કાબા(પરમાત્મા, તે સ્થાનના માલિક) પર ટકે. ખરેખર આપણું જીવન એવું બની જાય છે કે આપણે ખુદાને સાંભળીએ છીએ, ખુદાની નથી સાંભળતા. ફરી એકવાર શિબલીના હાથમાં સળગતા લાકડા જોઇ ફરીથી પ્રશ્ન પૂછવામાં આવ્યો, હવે કોને સળગાવવાનો ઇરાદો છે? જવાબ બેમિસાલ હતો. જન્નત(સ્વર્ગ) અને દોઝખ(નરક) બંનેને સળગાવી દઇશ. ફકીરે કહ્યું જન્નત અને દોઝખના ભયથી લોકો ઉપરવાળાની ઈબાદત કરે તે ખોટું છે. વ્યક્તિ નિર્લેભ, નિર્ભય અને નિર્દોષ હોવી જોઇએ. આપણે સમજવું પડશે કે જીવન એક સતત પ્રશિક્ષણ છે. સંતો-ફકીરો પોતપોતાના અંદાજ સાથે આપણને આ વિશેની શીખ આપતા રહે છે.

મોહ, માયાનો ત્યાગ છે પરમાત્મા તરફનો માર્ગ...

પરમાત્મા અને જીવાત્માની વચ્ચે જ્યાં સુધી માયા છે પરમાત્મા દ્રશ્યમાન નહીં થાય. જીવનના કોઇ માર્ગ પર ચાલતા જો થોડા સમય માટે પણ માયા દૂર થાય તો પરમાત્માના દર્શન થઇ જાય છે. ભક્તિમાં આવા વળાંકો આવતા રહે છે.



ram_sita_lakshmanદરેક વ્યક્તિ પરમાત્માને જોવા, તેમની નજીક જવા અને તેમને અનુભવવા ઇચ્છે છે. પણ પરમાત્માની જ માયા છે જે આમ નથી થવા દેતી. માયા આપણા અને ઈશ્વર વચ્ચેની કડી છે. સંસાર, સમાજ અને પરિવારમાં રહેવા માટે માયા હોવી જરુરી છે. જો માયા ન હોય તો તમામ મોહબંધન તુરંત જ તૂટી જશે. આપણે સ્વજનોથી અલગ, આપણા કર્તવ્યોથી અલગ બની જઇશું. પણ આપણે હંમેશા માયામાં જકડાયેલા પણ નથી રહી શકતા. આનાથી દૂર જવાનો એક ઉપાય છે, થોડી ક્ષણો માટે માયામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરો, પરમાત્માનો અહેસાસ થવા લાગશે.



આવશ્યકતા અને મોહ આ બંનેમાં જે ફરક છે તે અંતરને સમજવાનો સમય આવી રહ્યો છે. આધ્યાત્મના માર્ગ પર ચાલતા લોકોએ ધ્યાનમાં રાખવું પડશે કે જરુરી વસ્તુઓ તો વસાવવી પણ તેના મોહમાં ન રહેવું. કારણ કે મોહ ધીરે-ધીરે લોભમાં પરિવર્તિત થતો જાય છે અને આ લોભ ભક્તિમાં બાધક બને છે.



પરમહંસ રામકૃષ્ણ કહેતા હતા કે માયાને સરળતાથી સમજવી હોય તો રામકથાના એક દ્રશ્યમાં પ્રવેશ કરો. વનવાસ દરમિયાન શ્રીરામ આગળ ચાલતા હતા, મધ્યમાં સીતાજી રહેતા અને તેમની પાછળ લક્ષ્મણ ચાલતા. આ દ્રશ્ય પર તુલસીદાસજીએ લખ્યું છે



‘આગે રામ અનુજ પુનિ પાછેં મુનિબર બેષ બને અનિ કાછેં, ઉભય બીચ સિય સોહતિ કૈસે, બાહ્ય જીવ બિચ માયા જૈસે'



આનો અર્થ છે ભગવાન શ્રીરામ પરમાત્માનું રુપ છે, લક્ષ્મણજી આત્મા કે કહો જીવાત્મા છે અને આ બંનેની વચ્ચે માયા સ્વરુપમાં સીતાજી છે. સીતાજી રામજીના ચરણોના અનુગામી હતા. જ્યાં શ્રીરામ પગ મૂકે ત્યાં સીતાજી ચાલતા અને આ જ કારણે લક્ષ્મણજી શ્રીરામને સારી રીતે જોઇ શકતા ન હતા. સંયોગથી ક્યારેક ક્યારેક શ્રીરામ દેખાઇ જતા હતા.



સંદેશ એ છે કે પરમાત્મા અને જીવાત્માની વચ્ચે જ્યાં સુધી માયા છે પરમાત્મા દ્રશ્યમાન નહીં થાય. જીવનના કોઇ માર્ગ પર ચાલતા જો થોડા સમય માટે પણ માયા દૂર થાય તો પરમાત્માના દર્શન થઇ જાય છે. ભક્તિમાં આવા વળાંકો આવતા રહે છે. માટે જ આવનારા સાત દિવસોમાં માયા તો રહેશે જ પણ આપણે યોગ્ય વળાંક બનાવી રાખવાનો છે. આ જ આપણી ભક્તિની પરીક્ષા છે.

પ્રકૃતિ સાથે જોડાવ, પરમાત્મા મળી જશે....

પરમાત્માની કૃપા જોઇએ તો પ્રકૃતિનું સન્માન કરો.



connected with nature પરમાત્માને અનુભવવાનો સહુથી સરળ માર્ગ છે પ્રકૃતિ. કહેવાય છે કે પ્રકૃતિ પરમાત્માની પ્રતિનિધિ છે. નદીઓ, પહાડ, જંગલ, વનસ્પતિ અને જીવ, બધા પરમાત્માના પ્રતિનિધિ છે. ભારતીય મુનિઓએ મનુષ્યને પરમાત્મા સાથે જોડાણ કરવા પ્રકૃતિના માધ્યમથી જ પ્રયાસ કરવા જણાવ્યું છે. આવા પ્રકારો જ આપણા જીવનમાં વ્રત-તહેવાર અને ઉત્સવ બનીને આવ્યા. આ ઉત્સવોના મર્મને સમજો, તેના આનંદને અનુભવશો તો પરમાત્મા પોતે આપને અનુભવવા લાગશે.



પરમાત્માએ મનુષ્યને એ સંભાવના આપી છે કે તે પોતાની ચેતનાને ઉપર ઉઠાવી શકશે ત્યારે તે દેવ સમાન બની જશે. ચેતનાનો સ્વભાવ છે કે જો તેને ઉપર ઉઠાવવામાં આવે તો તે નીચે વહી જશે, આવા સમયે પતન નિશ્વિત છે. આમ, મનુષ્ય પાસે વિકલ્પ છે કે તે ઇચ્છે તે તરફ જઇ શકે છે, શ્રેષ્ઠ તરફ અને શ્રેષ્ઠ નથી તે તરફ પણ. ચેતનાને જો શ્રેષ્ઠ તરફ ગતિ આપવી હોય તો તેનો પ્રકૃતિ સાથે જોડાવાનો પ્રકાર પણ અપનાવી શકાય છે.



પ્રકૃતિ પરમાત્માની પ્રતિનિધિ છે. આપણા પર્યાવરણ દોષે આપણને પ્રકૃતિથી દૂર કર્યા છે, જેથી આપણે પરમાત્માથી દૂર થઇ ગયા છીએ. ભારતીય શાસ્ત્રોએ કેટલાક તહેવારોને અદ્ભૂત રુપ આપ્યું છે. આવો જ એક તહેવાર છે ગોવત્સ દ્વાદશી. એટલે કે ગોવત્સ બારસ. આ દિવસે ગૌપૂજનનું મહત્વ છે. ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં ગાય સાચી પ્રતિનિધિ છે. માનવામાં આવે છે કે ધરતીને જે અમૃત મળે છે તે ગાયના દૂધના રુપમાં મળે છે. આપણે ગાયને જેટલી વધુ પૂજીશું, માની લેવું કે આપણે પ્રકૃતિ પ્રત્યે એટલું જ સન્માન દર્શાવી રહ્યા છીએ. કેવી રીતે સંભવ છે કે કોઇ પ્રકૃતિને પ્રેમ કરે અને ગાય પર અત્યાચાર!



ગાય સાથે જોડાવાનો અર્થ છે પોતાના અસ્તિત્વમાંથી અહંકારને દૂર કરવો. આપણે બુદ્ધિ અને અહંકારથી એટલા સરભર બની ગયા છીએ કે પરમાત્મા માટે કોઇ જગ્યા જ નથી બચાવી. હિન્દુઓના બે મુખ્ય અવતાર શ્રીરામ અને શ્રીકૃષ્ણએ પ્રકૃતિના બે પ્રતિનિધિઓને પોતાની લીલામાં વિશેષ સ્થાન આપ્યું. ભગવાન શ્રીરામે વાનરોને અને શ્રીકૃષ્ણએ ગાયોને. મનુષ્યનું શરીર જો વાનરોના શરીરનો વિકાસ છે તો તેની આત્મા ગાયની આત્માનો વિકાસ છે. જો ગાયની આંખમાં આંખ નાંખીને આપણે પાંચ મિનિટ થોભી જઇશું તો ધ્યાન પ્રાપ્ત કરીશું. પરમાત્માની કૃપા જોઇએ તો પ્રકૃતિનું સન્માન કરો.

Tuesday, May 25, 2010

ધો. ૧૨ સાયન્સ પછી વિશિષ્ટ પસંદગીવાળા કોર્સ.....

ધો. ૧૨ સાયન્સ પછી વિશિષ્ટ પસંદગીવાળા કોર્સ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૦ માં લેવાયેલી ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ હાથમાં આવી ગયા બાદ હજારો વિદ્યાર્થી અને વાલીઓની મુંઝવણ છે કે હવે શું કરવું ? ૯૦ ટકાથી વઘુ માર્કસ આવ્યા હોય કે ૭૦ ટકાથી ઓછા માર્કસ આવ્યા હોય તો કઈ બ્રાન્ચમાં પ્રવેશ લેવો, તેના ફોર્મ કયાંથી અને કયારે લાવવા, આખી પ્રોસીજર શું છે વગેરે માહિતી સામાન્ય લાગતી હોવા છતાં વિદ્યાર્થીઓ આ બાબતે ભારે મુશ્કેલી અનુભવે છે. -વાલીઓને ધો. ૧૨ પછીના વિકલ્પો કયાં છે તેની વિગતો આપવામાં આવી છે.



મેડિકલ તથા એન્જીનીયરીંગ વિદ્યાશાખામાં પ્રવેશ આપવા માટે કેન્દ્રીય પ્રવેશ સમિતિ નિમવામાં આવી છે. મેડિકલ તેમજ ઇજનેરીમાં પ્રવેશ માટે અલગ-અલગ ફોર્મ ભરવાનું હોય છે. મેડિકલમાં બી ગુ્રપના વિદ્યાર્થીઓ માટે એમબીબીએસ, બીડીએસ, બી ફાર્મા, બીએએમએસ, બીપીટી (ફિઝીયોથેરાપી), બી.એસ.સી. નર્સીંગ, ઓકયુપેશનમાં ઓરટોપમ એનોર્થેટ્રિક બીએચએમએસ (હોમિયોપથી) તથા બી.એસ.સી. નર્સંિગનો સમાવેશ થાય છે.

જયારે એ ગુ્રપના વિદ્યાર્થીઓ માટે ઇલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં કે ઇલેકટ્રોનિકસમાં ડીગ્રી કોર્સ, કમ્પ્યુટર એન્જિનિયરીંગ, સેપ્ટમાં ચાલતાં ઇન્ટીરિયર ડિઝાઇનર, આર્કિટેકચર અને બિલ્ડિંગ કન્સ્ટર્શનનાં કોર્સમાંથી કોઇપણ કોર્ષ, ઇન્ફર્મેશન ટેકનોલોજી, મિકેનિકલ એન્જિનિયરીંગ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કન્ટ્રોલ એન્જિનિયરીંગ, ઇલેકિટ્રકલ એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનીયરીંગ તેમજ એનવાયરમેન્ટલ એન્જિનીયરીંગ તથા મેકાટ્રોનિકસનો સમાવેશ થાય છે.


ગુજરાતની તમામ મેડિકલ, આયુર્વેદિક, હોમિયોપથી, ફિઝિયોથેરાપી, બીએસસી, નર્સંિગ, ઓકયુપેશનલ, ઓપ્ટોમેટ્રી કોલેજો માટે એક ફોર્મ તથા એન્જિનીયરીંગ - ફાર્મસી માટે બીજું ફોર્મ અને બે ફોર્મ અલગથી ભરવાના હોય છે. એપ્લિકેશન ફોર્મ સમગ્ર ગુજરાતમાં પસંદગીની શિક્ષણ સંસ્થાઓમાંથી મળે છે. ઇજનેરી- ફાર્મસી મેનેજમેન્ટ કવોટાની બેઠકો માટે અલગ- અલગ ફોર્મ ભરવાના રહેશે. નિયમો ચકાસીને જ મેનેજમેન્ટ કવોટામાં ફોર્મ ભરવા. ઇજનેરી-ફાર્મસીમાં પ્રવેશમાં લેવા હેલ્પ સેન્ટર પર રજિસ્ટ્રેશન ફી ભરીને માહિતી પુસ્તિકા લઇ લેવી.

હેલ્થ સેન્ટરોની યાદી www.jacpcldce.ac.in, www.gujacpc.nic.in પરથી મળી શકશે.

ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ લઇ જરૂરી અસલી અને સ્વપ્રમાણિત દસ્તાવેજો- પ્રમાણપત્રો સાથે હેલ્પ સેન્ટર પર તેને જમા કરાવી રજિસ્ટ્રેશન એકનોલોજમેન્ટ સ્લિપ મેળવી લેવી. અન્યથા પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઇ શકાશે નહીં. આર્કિટેકચર એન્જિનીયર બનવા માટે અમદાવાદ, વડોદરા, વલ્લભવિદ્યાનગર, અને સુરતમાં કોર્ષ ચાલે છે.

અરજી ફોર્મ અમદાવાદનાં સેન્ટર ફોર એનવાયરમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી, કસ્તુરભાઈ લાલભાઈ કેમ્પસ, ગુજરાત યુનિવર્સિટી ખાતેથી મળશે. કુલ ૮૦૦ માંથી ૪૦૦ થી વઘુ માર્કસ હોય તો જ ફોમ ભરી શકાય છે. આ જ રીતે બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી (પશુ માટેના ડોકટર), બીએસસી, એગ્રિકલ્ચર, બેચલર ઓફ એગ્રો એન્જિનીયરીંગ બીએસસી, હોર્ટિકલ્રચર, ફોરેસ્ટ્રી, ફિશરીઝ વગેરે તમામ બેચલર ડીગ્રી કોર્ષ માટે જુદા જુદા ફોર્મ ભરવાના રહેશે.

ધો. ૧૨ સાયન્સ પછી જિલ્લાવાર નર્સંિગ અને મિડવાઇફરીનો કોર્સ ચાલે છે અને તેના ફોર્મ દરેક જિલ્લાની સિવિલ હોસ્પિટલમાંથી મળે છે. જયારે એન્જિનીયરીંગ માં ૨૬જેટલી જુદી જુદી વિદ્યાશાખાઓ છે. જેમાં સિવિલ, મિકેનિકલ, ઇલેકિટ્રકલ, કેમિકલ, કમ્પ્યુટર, ઇન્ફર્મેશન ટેકનોલોજી, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ, ઇલેકટ્રોનિક એન્ડ કમ્યુનિકેશન, પાવર ઇલેકટ્રોનિકસ, મેટલર્જી, ટેલિકોમ્યુનિકેશન, ટેકસાઇટલ ટેકનોલોજી, ટેકસટાઇલ એન્જિનીયરીંગ, ટેકસટાઇલ પ્રોસેસીંગ, પ્લાસ્ટિક, ઇલેકટ્રોનિક ઓટોમોબાઈલ, મરીન એરોનોટિકલ, એન્વાયરમેન્ટ, પ્રોડકશન, રબ્બર, ઇરીગેશન વોટર મેનેજમેન્ટ, બાયો મેડિકલ, મેકાટ્રોનિકસ, કન્સ્ટ્રકશન ટેકનોલોજી મેનેજમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે.


તેજસ્વી વિદ્યાર્થીઓ પેટ્રોકેમિકલ એન્જિનીયરીંગ ક્ષેત્રમાં પણ પોતાની કારકિર્દી ઘડી શકે છે આ ક્ષેત્રમાં તેલ અને ગેસની શોધ તેમજ રિફાઇનીંગમાં પ્રતિભાશાળી વ્યકિતઓની હંમેશા ખોટ વર્તાતી આવી છે. યુપીના રાયબરેલીમાં જિલ્લામાં જેરા ખાતેની ડીમ્ડ યુનિવર્સિટી રાજીવ ગાંધી ઇન્સ્ટિટયુટ ઓફ પેટ્રોલિયમ ટેકનોલોજીમાંથી અભ્યાસ કરી શકાય છે. પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ભારત સરકારનાં પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના સંયુકત ઉપક્રમે રાજીવ ગાંધી ઇન્સ્ટિટયુટ ઓફ પેટ્રોલિયમ ટેકનોલોજી સંસ્થા કામ કરે છે. કાનપુર વિશ્વ વિદ્યાલય, કલ્યાણપુર, કાનપુર અલીગઢ મુસ્લિમ વિશ્વ વિદ્યાલય, ઇન્સ્ટિટયુટ ઓફ પેટ્રોલિયમ સ્ટડિઝ એન્ડ કેમિકલ એન્જિનીયરીંગ અલીગઢ ખાતેથી પણ આ કોર્ષ કરી શકાય છે.


જયારે ભૌતિક શાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત અને અંગ્રેજી સાથે ધો. ૧૨ પાસ કરનારા વિદ્યાર્થીઓ ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ ધનબાદ ખાતે પેટ્રોલિયમ પ્રોસેસિંગ અને પેટ્રોકેમિકલમાં અનુસ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ કરી શકે છે. ઉપરાંત યુનિવર્સિટી ઓફ પેટ્રોલિયમ એન્ડ એનર્જી સ્ટડીઝ, દેહરાદૂન તથા ગુજરાત પેટ્રોલિયમ યુનિવર્સિટી ગાંધીનગર ખાતેથી પણ પેટ્રોકેમ ક્ષેત્રનો અભ્યાસક્રમ ઉપલબ્ધ છે.
સંજય વિભાકર

ગૃહપ્રધાન ચિદંબરમના હાથ વિતંડાવાદીઓની ટોળીએ બાંધી દીધા છે... એમને કશી જ સત્તા નથી ! ...

નકસલવાદનો નાશ આમ કદી નહીં થાય
આપણે નિર્દોષ જનતાને નકસલવાદીઓ કે આતંકવાદીઓ નથી મારી નાંખતા પણ આવા ભીરુ વિતંડવાદીઓ મારી રહ્યા છે !
આપણી પાસે અણુબોમ્બ હોય તેથી શું ?... ભજન કરો... ભજન !
ચોખ્ખી વાત છે.
આમ કદી રાજ્ય ન થાય.
આમ કદી રાજ્ય ન ચાલે.

લશ્કરના હાથમાં બંદૂક આપવામાં આવે પણ ગોળી ન આપવામાં આવે એનો શું અર્થ ?
નકસલવાદીઓએ દંતેવાડા છત્તીસગઢમાં નાગરિકોને લઇને જતી બસને ઉડાડી દીધી અને આપણા દેશના લગભગ ૪૦ આપણા બંઘુઓને મોત ભેગા કર્યા ત્યારે છત્તીસગઢના પાટનગર રાયપુરમાં કેન્દ્રિય અનામત દળ (સીઆરપીએફ એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સ)ના વડાની ઓફિસની ટેલિફોનની ઘંટડી વાગી.
ટેલિફોન કરનાર કોણ હતું ખબર છે ?
મનમોહનસિંહ ?
ના.
સોનિયા ગાંધી ?
ના.
ગૃહપ્રધાન ચિદંબરમ ?
ના.
સંરક્ષણ પ્રધાન એન્થની ?
ના.
વિરોધ પક્ષના કોઈ નેતા ?
ના.
તો ?
એ ફોન કરનાર સહેતા દિગ્વિજય સિંહ.
દિગ્વિજયસિંહ ? કોણ દિગ્વિજય સિંહ ? ભારતના લશ્કરના કોઈ વડા ?
ના.
તો ?
કોંગ્રેસના મહામંત્રીઓના એક.
અગાઉ મઘ્યપ્રદેશમાં મુખ્યપ્રધાન હતા એ.
ચૂંટણીમાં ભાજપ સામે હારી ગયા પણ સોનિયા ગાંધીનો વિશ્વાસ મેળવેલો હોવાથી કોંગ્રેસના કેટલાક મહામંત્રી છે એમાંના તેઓ પણ એક છે.
ગેરમાર્ગે દોરે એવી સલાહો એ સોનિયા ગાંધીને આપતા હોય છે.

ઉત્તર પ્રદેશની ચૂંટણીનો કોંગ્રેસને જીતાડવાનો હવાલો (જવાબદારી) એમને સોંપાયેલી અને ત્યાં wednet1.gifએમણે કોંગ્રેસને હરાવેલી. ગુજરાતની ચૂંટણીનો હવાલો પણ (પેલો વિશ્વાસ સંપાદન કર્યો હોવાથી) એમને સોંપાયેલો તો ત્યાં પણ કોંગ્રેસ હારી.

એટલે કે આ દિગ્વિજયસિંહે સીઆરપીએફના સ્પેશ્યલ ડિરેકટર જનરલ એન્ડ સેન્ટ્રલ ટાસ્ક ફોર્સ કમાન્ડર વિજય રમનને (એટલે એન્ટી નકસલ દળના વડા) બીજા કોઈપણ કરે (સોનિયા, મનમોહન, ચિદમ્બરમ જેવા કે જેઓ ખરેખર સત્તા ધરાવે છે અને જવાબદારી જેમની છે) એ પહેલાં ફોન કરીને બધી માહિતી આપવા જણાવ્યું.

આ દિગ્વિજયસિંહને નકસલવાદીઓ માટે બીજા નકસલવાદીને હોય એટલી સહાનુભૂતિ છે. ગૃહપ્રધાન ચિદમ્બરમની નકસલવાદીઓ સામેની નીતિના તેઓ ટીકાકાર, વિરોધી છે. દોઢ મહિના પહેલાં આ જ દાંતેવાડામાં નકસલવાદીઓએ ૭૨ જવાનોને શહીદ બનાવેલા ત્યાર પછી એમણે અંગ્રેજીમાં એક લેખ અખબારોમાં પ્રગટ કરાવીને નકસલવાદીઓની વકીલાત કરી હતી અને ચિદમ્બરમની ટીકા હતી. ચિદંમ્બરમને એમણે ‘વધારે પડતા અક્કડ’ તથા ‘ઘમંડી બુઘ્ધિશાળી’ કહ્યા હતા. એમણે લખેલું કે, ‘ગૃહપ્રધાન નકસલવાદીઓને આદિવાસી બાંધવો સમજવાના બદલે ગુનાખોર ગણીને એમની સાથે એ રીતે કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ જૂએ છે.’
એ પછી પણ એ દિગ્વિજયસિંહે એક ઇન્ટરવ્યુમાં કહેલું કે ‘નકસલવાદીઓ હિંસક સાધનોનો ઉપયોગ કરે છે પણ તેઓ આતંકવાદી (ટેરરીસ્ટ) નથી કારણ કે આપણા દેશમાં સરહદની પેલી બાજુથી આવનારાઓને જ આતંકવાદી ગણવામાં આવે છે.’
હવે, પ્રશ્ન એ થાય છે કે (૧) કોંગ્રેસમાં કે કોંગ્રેસની બહાર નકસલવાદીઓ માટે દિગ્વિજયસિંહ જેટલો અને જેવો રસ લે છે એવો રસ કોઈ નથી લેતું... તો દિગ્વિજયસિંહને એટલો બધો રસ લેવાનું કારણ શું છે ? (૨) નકસલવાદીઓને ‘આતંકવાદી’ કહેવામાં એમને કેમ વાંધો આવ્યો ? ઉલટાનું એમણે નકસલવાદીઓ ‘આતંકવાદી’ નહીં પણ દેશદ્રોહી છે એવું કહેવું જોઇએ (૩) આપણા દેશબાંધવો અને દેશને હિંસા કરનાર ગમે તે હોય પણ એ આતંકવાદી જ છે. દિગ્વિજયસિંહને આપણો દેશ અને દેશબાંધવો વહાલા છે કે દેશના દુશ્મન બનેલા નકસલવાદીઓ વહાલા છે ?
દિગ્વિજયસિંહ નકસલવાદીઓને ‘ભાનભુલેલા સિઘ્ધાંતવાદી’ તરીકે ઓળખાવે છે !
આમા, મુખ્યવાત એ છે કે... નકસલવાદીઓમાં દિગ્વિજયસિંહને આટલો બધો રસ લેવાનું કારણ શું ?
અને પાછું દંતેવાડામાં હુમલો થયો ત્યારે એમણે આટલા ફોન શા માટે કરવા જોઇએ ? અને એ પણ સીધો લશ્કરી વડાને !? તેઓ ગૃહપ્રધાનને પૂછી શકત, નહીંતર સંરક્ષણ પ્રધાનને પૂછી શકત, અરે.. છત્તીસગઢના મુખ્યપ્રધાનને પૂછી શકત.
દિગ્વિજયસિંહ આટલું બઘું કરવા ઉપરાંત સીઆરપીએફના વડાને હુક્મો પણ કરતા હોય છે કે... નકસલવાદીઓ સાથે કડક હાથે કામ ન કરવું (સીઆરપીએફના બોસ ગણાય એવા ગૃહપ્રધાન અથવા સંરક્ષણ પ્રધાન પણ આવો હુક્મ નથી કરતા પણ દિગ્વિજયસિંહ કરે છે એટલે શંકા જાય છે...તેઓ નકસલવાદીઓમાં આટલો બધો રસ કેમ લે છે ? કોંગ્રેસના મહામંત્રી તરીકે કોંગ્રેસ સંસ્થામાં એમણે ઘ્યાન આપવાનું હોય કે બીજા કોઈ પ્રધાનના ખાતામાં આ રીતે ઘોંચપરોણો કરવાનો હોય ?
નકસલવાદને નાબુદ કરવાની આડે જેમ આવા દિગ્વિજયસિંહો આવે છે એમ બ્યુરોકેટો એટલે આઈએએસ ઓફિસરો પણ આવે છે. દા.ત., ગૃહખાતાના સચિવ (સેક્રેટરી) જી.કે.પિલ્લઇ છે. તેઓ (લગભગ બધા જ... મનમોહનસિંહ પણ) નકસલવાદીઓને ‘માઓવાદી’ કહે છે. આ ‘સાહેબ’ એમની ટીકા કરે છે પણ પછી નકસલવાદીઓ દ્વારા કરાતી હિંસાને આ ‘સાહેબ’ ભય ફેલાવવા માટે’ હિંસા કરે છે એવું કહે છે ! (ભલા માણસ, ભય ફેલાવવા માટે હિંસા કરતા હોય તો શું આટલા બધા માણસોની હિંસા કરવાની ? અને વર્ષો સુધી હિંસા કર્યા જ કરવાની ?)
આવા લોકોનો તર્ક જૂઓ ! એ ‘સાહેબ’ કહે છે કે, સામાન્ય લોકોમાં ભય ફેલાવીને એમને વિકાસના કાર્યોથી દૂર રાખવા માંગે છે.

ત્યારે છત્તીસગઢના ભાજપી મુખ્યપ્રધાન રમનસિંહવળી બીજું જ ગતકડું કાઢે છે ! એ કહે છે કે.. નકસલીઓ સામાન્ય જનતા અને સલામતિદળોનું મનોબળ તોડવા માંગે છે.

જ્યારે સરકારના સલાહકારો જેઓ છે (આ બધા આઈએએસ ઓફિસરો એટલે કે બ્યુરોકેટો છે. આપણા વડાપ્રધાન પણ ‘સુપર બ્યુરોકેટ’ છે. જ્યારે ચિદંમબરમ્ રાજકારણી અને વકીલ છે. એ તેઓ યુવાન હતા ત્યારે નકસલવાદીઓના ભાઈ એવા ડાબેરીઓ સાથે કામ કરવાનો અનુભવ ધરાવે છે... એટલે નકસલવાદીઓ સામે કઇ રીતે કામ કરવું એ તેઓ સારી રીતે જાણે છે. પરંતુ પેલા બધાએ ભેગા થઇને એમના હાથ બાંધી દીધા છે. દંતેવાડામાં બીજી વખતનો હત્યાકાંડ નકસલવાદીઓએ કર્યો ત્યારે ટીવી. પર પ્રશ્નકર્તાએ આપણા સૌના મનમાં જે પ્રશ્ન સળવળતો સળગે છે એ પ્રશ્ન પૂછેલો જેના જવાબમાં એમણે કહેલું કે... નકસલીઓને ઠેકાણે પાડવા માટે એણની પાસે ‘બહુ જ મર્યાદિત સત્તા છે.’


એમણે વડાપ્રધાન પાસે વઘુ સત્તા આપવા માટે માંગણી કરેલી પણ કંઇ વળેલું નહીં.

ચિંદબરમને હવાઈ ઉપયોગ કરવા માટે ટીવીએ પૂછેલું તો એમણે કહ્યું કે... ‘મને જેટલી સત્તા આપવામાં આવી છે એનો જ હું ઉપયોગ કરી શકું છું.’

ટૂંકમાં, નકસલવાદ હોય કે આતંકવાદ હોય કે શિવસેના જેવાના તોફાનો હોય કે સંસદમાં દેકારાપડકારા હોય કે ચીન અને પાકિસ્તાનની ધુસણખોરી હોય પરંતુ એને આ રીતે હાથ જોડી ભાઈસા’બ ભાઈસા’બ કરીને નાથી શકાય નહીં. બ્રિટિશરો સામે અહિંસા વપરાય બાકી હિટલર કે માઓ સામે ના વપરાય. આતંકવાદને આતંકવાદથી જ મારી નંખાય અને માઓવાદને માઓવાદી બનીને જ મારી નંખાય.
કાનમાં કહું!
સત્તા માટે આડવાણી-ભાજપ આંધળા બન્યા છે! હજી પણ જ્યોતિષ જ!
કેટલોય માર ખાધો અને ઘણા ઝંઝાવાતો આવ્યા પણ ભાજપ- આડવાણીને શાબાશી આપવી જોઇએ કે એ ડગ્યા નથી... હજી પણ એ એમ જ માને છે કે મનમોહનસિંહની સરકાર ગમે ત્યારે ઉથલી જશે અને આડવાણી વડાપ્રધાન થશે! સત્તા માટેની એમની ભૂખ ભાંગતી કે ભાગતી નથી તે નથી જ!

હમણાં આડવાણીએ કહ્યું હતું કે.. ગ્રહ નક્ષત્રો ઉપરથી લાગે છે કે.. એક વર્ષમાં મનમોહનસિંહની સરકાર ભાંગી પડશે અને દેશમાં વચગાળાની ચૂંટણી આવશે અને એમાં ભાજપ જોડીદાર પક્ષોના ટેકાથી સત્તામાં આવશે તથા એના એક માત્ર વડાપ્રધાનના દાવેદાર આડવાણી વડાપ્રધાન થશે. ટૂંકમાં, આડવાણીને ઉડવા માટે નવી પાંખો મળી ગઇ.

આ તમે નહીં જાણતા હો !
આપણા રાજ્યકર્તાઓ આ કદી શીખશે ખરા ?
હમણાં બ્રિટનમાં ચૂંટણીઓ થઈ અને લેબર પક્ષ સત્તામાં આવ્યો. એના વડાપ્રધાન ડેવિડ કામેરોનને નિયમ મુજબ પોલિસોનું રક્ષણ મળે, મોટરો તથા બાઈક સવારોનો અને સાઇરનવાળી મોટરોનો પણ મળે પરંતુ આ વડાપ્રધાને એના સ્ટાફને કહી દીઘું કે.. ‘મારે આવું કશું ન જોઇએ. ટ્રાફીક વચ્ચે મારી મોટર ‘જામ’ થઇ જાય એનો મને વાંધો નથી. સામાન્ય મોટરીસ્ટની જેમ જવાનું મને ગમે છે.’ (જ્યારે આપણા નેતાઓ ? બધા જ ડરપોક ! બધા જ ડેંડાટવાળા !)

બ્રિટનનું બજેટ ખાધવાળું છે એટલે નવી સરકારે નવા કરવેરા નાંખ્યા કે વધાર્યા પહેલાં પોતાના ખરચાઓમાં કાપ મૂકવા માંડ્યો છે. (જ્યારે આપણે ત્યાં ? પ્રધાનોના ખર્ચામાં કે સરકારના ખર્ચમાં કદી કાપ મૂક્યો નથી)