Wednesday, May 26, 2010

ઈસાઈ ધર્મ અને જીવનના વણઉકલ્યા સવાલ..........

ઈશ્વર ઈશુના રુપમાં ફરી આવશે. ભલા લોકો કબરમાંથી ઊભા થશે. પુણ્યાત્માઓની મુક્તિ થશે. પાપી હંમેશા માટે નરકમાં જશે.



Christian religionઅનેક એવા મુદ્દાઓ છે જે મનુષ્ય અને તેના જીવનની સાથે શરુઆતથી જ જોડાયેલા છે. જેમ કે ઈશ્વર કોણ છે, ક્યાં અને કેવો છે? જિંદગીનું તાત્પર્ય શું છે? આપણે જન્મ પહેલા ક્યાં હતા અને મૃત્યુ બાદ ક્યાં હોઇશું? આ મુદ્દાઓ પર દુનિયાના જુદા-જુદા ધર્મો અને અલગ-અલગ વિભાગોમાં વિભિન્ન માન્યતાઓ જોવા મળે છે. આ મહત્વપૂર્ણ વિષયોમાં ઈસાઈ ધર્મ શું કહે છે અને શું માને છે, આવો જોઇએ...



કોણ છે ઈશ્વર - એક સત્તા છે પણ તેના ત્રણ રુપ છે. પિતા, પુત્ર અને પવિત્ર આત્મા.



મનુષ્યનું પતન કેવી રીતે - ઈશ્વરે મનુષ્યને પૂર્ણ બનાવ્યો પણ મનુષ્યએ ઈશ્વરના આદેશનું પાલન ન કરીને અપરાધ કર્યો. જેના લીધે માનવ જાતિ ઈશ્વરથી દૂર થઇ અને તેનું પતન થયું. (જૂની બાઇબલ)



અવતાર શું છે – મનુષ્ય અને ઈશ્વરના પુનર્મિલનને ફરીથી સ્થાપિત કરવા માટે ઈશ્વર ઈશુના રુપમાં મનુષ્ય બનીને ધરતી પર અવતરિત થયા. (નવી બાઇબલ)



કુંવારિકામાંથી જન્મ્યા ઈશુ- ઈશ્વરે ઈશુના રુપમાં ચમત્કાર પૂર્વક કુંવારી મરીયમના ગર્ભમાંથી જન્મ લીધો.



ઈશુના બે રુપ – ઈશુ એક જ સમયે ઈશ્વર પણ હતા અને મનુષ્ય પણ.



પ્રાયશ્વિત શા માટે – ઈશ્વરે ઈશુના રુપમાં કષ્ટ સહન કર્યો, મનુષ્ય બનીને બલિદાન આપ્યું.



પુનરુત્થાન કેવી રીતે – ઈશ્વરે ઈશુની કબરમાંથી ઉઠીને વિશ્વાસુ વ્યક્તિઓને અમરતા પ્રદાન કરી.



ચર્ચનો દેવી આધાર- ઈશ્વરે ઈશુના રુપમાં મનુષ્ય અને ઈશ્વરના સામ્રાજ્યને સ્થાપિત પદ્ધતિના રુપે ચર્ચનું નિર્માણ કર્યુ.



કૃપા ક્યારે અને શા માટે – ઈશ્વર પોતાના પ્રેમ દ્વારા મનુષ્યને પાપમાંથી બચવામાં મદદરુપ બને છે.



પુનરાગમન- ઈશ્વર ઈશુના રુપમાં ફરી આવશે. ભલા લોકો કબરમાંથી ઊભા થશે. પુણ્યાત્માઓની મુક્તિ થશે. પાપી હંમેશા માટે નરકમાં જશે.

No comments: