Saturday, May 29, 2010

પાચનતંત્ર વ્યવસ્થિત કરે છે નૌકાસન...

જો આપને વધારે ઊંઘ આવતી હોય તો તેને નિયંત્રિત કરવામાં આ આસન સહાયક બનશે.

શું આપના પાચનતંત્રમાં કોઇ સમસ્યા છે?આંતરડામાં કોઇ નાની-મોટી બીમારી છે?હર્નિયાના રોગથી પીડાવ છો?વધારે ઊંઘ આવે છે?

જો આપ આમાંથી કોઇપણ સમસ્યાથી પરેશાન છો તો આ સમસ્યાઓમાં નૌકાસન ફાયદો કરાવશે.

નૌકાસન – આ આસનમાં આપણું શરીર નૌકા સમાન દેખાય છે, માટે જ તેને નૌકાસન કહે છે.

નૌકાસન કરવાની વિધિ – સમતળ સ્થાન ઊપર કોઇ આસન પાથરી તેના પર પીઠના બળે સૂઇ જાવ. હવે ચિત્રમાં બતાવ્યા મુજબ બંને હાથ, પગ અને માથાને ઊપર તરફ ઉઠાવો. આ અવસ્થાને નૌકાસન કહે છે. થોડી ક્ષણો સુધી આ પોઝીશન જાળવી રાખો. પછી ધામે-ધીમે હાથ, પગ અને માથું જમીન પર પરત લઇ આવો.

લાભ- આ આસન કરવાથી આપનું પાચનતંત્ર સ્વસ્થ રહેશે, હર્નિયાની સમસ્યામાં રાહત મળશે. અંગુઠાથી લઇને આંગળી સુધી ખેંચાણ થવાથી શુદ્ધ રક્ત વધારે ઝડપથી પ્રવાહિત થશે, જેનાથી શરીર નિરોગી બનશે. જો આપને વધારે ઊંઘ આવતી હોય તો તેને નિયંત્રિત કરવામાં આ આસન સહાયક બનશે.

આ આસન પોતાના ઇષ્ટદેવના મંત્રના જપ કરતા કરતા કરવામાં આવે તો ઝડપથી લાભ મળશે.

No comments: