બૌદ્ધ પણ કહે છે કે જેણે દિવ્ય અવસ્થા પ્રાપ્ત કરી લીધી અને મૌન થઇ ગયા તેઓ અરિહંત છે. જેમણે મેળવ્યું અને સંસારને વહેંચી દીધું તે બોધિસત્વ છે.
આપણે બંને હાથે સુખ ભેગુ કરવામાં જોતરાઇ જઇએ છીએ. પણ તેની પળોજણમાં એ ભૂલી જઇએ છીએ કે જે સુખને ભેગું કરી રાખ્યું છે તે કેવી રીતે મળે. વગર વિચાર્યે, વિવેક વગર મેળવેલું સુખ પણ દુખદ જ હોય છે. જ્યારે પણ સુખની શોધમાં નીકળો ત્યારે મન ચૈતન્ય હોવું જોઇએ.
દરેક વ્યક્તિ સુખની શોધમાં લાગેલી છે અને શા માટે ન લાગે, પણ સુખ મેળવી લીઘા બાદ જીવનમાં અશાંતિ ન હોવી જોઇએ. વગર વિચાર્યે, વગર સમજે જે લોકો સુખ પ્રાપ્ત કરવા લાગે તેમને સુખ પણ એક દિવસ દુખદાયક લાગવા લાગશે. સુખ એવું ઊંડાણભર્યુ તત્વ છે કે તે જ્યારે કોઇને શાંતિના સહયોગ સાથે પ્રાપ્ત થાય છે ત્યારે તેને મેળવનારી વ્યક્તિ માટે તે અનુભૂતિનો ઉલ્લેખ કરવો પણ અઘરું બની જાય છે.
જેના જીવનમાં સુખ અને શાંતિનું કોમ્બિનેશન બની જાય છે તે લોકો મોટાભાગે મૌન મેળવી લે છે. જૈન ધર્મએ આવા જ લોકોને જિન કહ્યા છે, જેમણે પરમ્ અવસ્થાને જાણી લીધી છે અને તેઓ મૌન રહ્યા છે. અને આ બીજી અવસ્થાને જૈનિઓએ તીર્થંકર કહ્યા છે. તીર્થનો અર્થ છે ઘાટ. આ પ્રકારે તીર્થંકરનો અર્થ થયો જેણે પોતે જ ઘાટ પ્રાપ્ત કરી લીધો છે અને અન્યો માટે પણ તેની સ્થાપનાની તૈયારી કરી લીધી છે. ‘અમે તે તરફ જવાનો માર્ગ મેળવી લીધો હવે આપને પણ લઇ જઇશું.’ આ ભાવ સાથે મનુષ્યની અંદર તીર્થંકરનો જન્મ થાય છે.
બૌદ્ધ પણ કહે છે કે જેણે દિવ્ય અવસ્થા પ્રાપ્ત કરી લીધી અને મૌન થઇ ગયા તેઓ અરિહંત છે. જેમણે મેળવ્યું અને સંસારને વહેંચી દીધું તે બોધિસત્વ છે. મહાપુરુષોનો એ સ્વભાવ બની જાય છે કે અમે તે પરમાત્માને પ્રાપ્ત કરી લીધા છે અને અમે તે તરફ ચાલી રહ્યા છીએ, પણ એકલા નહીં જઇએ, આપને પણ સાથે લઇને જઇશું. તેમના આ પરોપકાર, કરુણાના ભાવમાં સંતત્વ છુપાયેલું છે. આને સામાન્ય ભાષામાં કહી શકાય કે તેમને સુખ મળ્યું છે જે સંસારના અન્ય લોકોને પણ મળ્યું છે પણ આ લોકોને સુખની સાથે અશાંતિ મળી છે અને સંસાર હજુ શાંતિની શોધમાં લાગલો છે. સુખ-શાંતિ એકસાથે મળે તે માટે સત્સંગની આવશ્યકતા છે.
No comments:
Post a Comment