Monday, May 3, 2010

કોઇને નીચા પાડવામાં શું સુખ મળે ?....

કોઇને નીચો પાડવામાં માણસને પશુ સંસ્કારોની તૃપ્તિ થાય છે સાથે-સાથે માણસનો અહંકાર પોષાય છે.

પશ્વિમી વિજ્ઞાનનો ડાર્વિનવાદ કહે છે કે આજનો માણસ પહેલા પશુ હતો. તો બીજી તરફ પૂર્વીય આધ્યાત્મિક વિજ્ઞાન કહે છે કે માણસને મનુષ્ય શરીર પ્રાપ્ત થયા પૂર્વે 84 લાખ યોનિઓમાંથી પસાર થવું પડ્યું છે. બંને સિદ્ધાંતો કે માન્યતમાં એક સમાનતા ચોક્કસ છે. તે એ કે આજે જે રુપમાં આપણે મનુષ્યને જોઇ રહ્યા છીએ પહેલા તે એવો ન હતો, આજનો માણસ પહેલા પશુ-જાનવર જેવો જ કંઇક હતો. એક વાતની નિશ્વિતતાથી સહુ કોઇ પરિચિત હશે કે કોઇ પણ જાતના સંસ્કાર ક્યારેય સંપૂર્ણત: નાશ નથી પામતા.

જ્યારે કોઇને પોતાના જૂના વાતાવરણ કે સંસ્કારોમાં પાછા ફરવાનો મોકો મળે છે ત્યારે તેને અજીબ પ્રકારની અનુભૂતિ થાય છે. આ જ ઘટના કોઇને નીચો બતાવનારી વ્યક્તિ સાથે પણ ઘટે છે. આમ કરવાથી તેની અંદર ઊંડાણમાં ઊંઘી રહેલા પશુને તૃપ્તિ મળે છે.

કોઇને નીચો પાડવામાં માણસને પશુ સંસ્કારોની તૃપ્તિ થાય છે સાથે-સાથે માણસનો અહંકાર પોષાય છે. બદલાની ભાવના, ઇર્ષ્યા-દ્વેષ જેવા અન્ય કારણો હોય છે જે માણસને આવા અયોગ્ય કાર્યો કરવા માટે પ્રેરે છે. પણ મુખ્ય કારણ તો માણસની અંદર પડી રહેલી પશુતા હોય છે.

No comments: