પોતાની કામના પૂર્તિ માટે દરેક શક્ય પ્રયાસ કરવો એ જ જીવંતતાની નિશાની છે.
કહેવત છે કે – ‘કિસી કો મુકમ્મિલ જહાં નહીં મિલતા, કભી જમી તો કભી આસમાં નહીં મિલતા.’ આ કહેવત ઘણાબધા લોકો પર લાગુ પડે છે, બધા ઉપર નહીં. દુનિયામાં એવી હિંમતવાળા પુરુષાર્થી મનુષ્યો હોય જ છે જેમણે નસીબ આગળ ઘૂંટણ ન ટેકવ્યા હોય. તે માણસ જ શું કહેવાય જે ઇચ્છાપૂર્તિ માટે કોઇ બીજા પર નિર્ભર રહે. પોતાની કામના પૂર્તિ માટે દરેક શક્ય પ્રયાસ કરવો એ જ જીવંતતાની નિશાની છે. પ્રયાસ અનેક પ્રકારના હોય છે, તંત્ર-મંત્રના પ્રયોગો પણ પ્રયાસોની શ્રેણીમાં જ આવે છે. મનોકામના પૂર્તિ માટે આવા જ પ્રયાસો નીચે આપવામાં આવ્યા છે, જેના અમલથી અનેક લોકોની ઇચ્છા પૂર્ણ થઇ છે-
અટકેલા કાર્યો પૂર્ણ કરવા હોય તો-
- કોઇપણ વિશિષ્ટ કાર્ય માટે જતા પહેલા ભગવાન શિવને ત્રણ બિલિપત્ર ચઢાવો.
- ઘરની બહાર નીકળતા પહેલા ગણેશજીને પુષ્પો ચઢાવો, તેમાંથી એક ફૂલ પોતાના ઉપરના ખિસ્સામાં રાખીને બહાર જવું.
- ઘરની બહાર નીકળતી વખતે જે સ્વર ચાલતો હોય તે તરફનો પગ પહેલા ઘરની બહાર રાખવો. જમણો સ્વર ચાલતો હોય ત્યારે ઘરની બહાર નીકળવું વધારે ફળદાયી રહે છે.
No comments:
Post a Comment