Monday, May 3, 2010

જેની આંખોનું પાણી સુકાઇ જાય, તે ભક્ત નથી.....

ત્રીજી વાત છે ભક્ત હોવા માટે થોડી આગવી હિંમત પણ હોય. જ્યારે તમે ભક્ત બનવાની તૈયારી કરી રહ્યા હશો ત્યારે દુનિયા આપની મશ્કરી પણ કરી શકે છે.

True devotion of lordભક્તિ સંવેદના અને પ્રેમની બાબત છે, તેમાં કઠોરતાને કોઇ સ્થાન નથી. ભક્તિ જો કઠોર બની જાય તો પછી પરમાત્માની પ્રાપ્તિ શક્ય નથી. ભક્તિ પણ એક પ્રકારની યોગ્યતા છે, ગુણ છે, ભક્તિ તેને જ મળી શકે છે જેના મનમાં સંવેદનાઓ જીવંત હોય, જેની આંખોમાં પાણી હોય. જો આંખો સુકાઇ જાય તો ભક્તિ પણ ચાલી જાય છે.

તમે જીવનના કોઇપણ ક્ષેત્રમાં હોવ, ભક્ત બનવાની તૈયારી ચાલુ રાખો. ભક્તિના માર્ગે જવું બનવું એ કંઇ એક દિવસનું કાર્ય નથી, તે એક અવિરત પ્રયાસ છે. ભક્ત હોવું અઘરું નથી અને તે સરળ પણ નથી. ભક્ત શિરોમણી નારદે નારદ-ભક્તિ સૂત્રનામ રચનામાં આ અંગેનું વિસ્તારથી વર્ણન કર્યું છે, પહેલી વાત છે ભક્તની આંખોમાં નમી-ભીનાશ જળવાઇ રહે. જેની આંખોની ભીનાશ સુકાઇ જાય તે ભક્ત ન હોઇ શકે. જીવનની ઊંડાઇને આંખો જ નહીં તેની અંદરના આંસુ પણ જોઇ શકે છે. તેનો સીધો અર્થ છે વ્યક્તિત્વમાં સંવેદનશીલતા હોવી. બીજી વાત છે, થોડું અસહાય બની રહેવું. સઘળું હું જ કરી લઇશ તેવી ભાવના ન રાખો, થોડું ઉપરવાળાનો પણ કરવા દો. એ અહેસાસને જાળવી રાખો કે જીવન ભગવાન ભરોસે પણ ચાલે છે.

ત્રીજી વાત છે ભક્ત હોવા માટે થોડી આગવી હિંમત પણ હોય. જ્યારે તમે ભક્ત બનવાની તૈયારી કરી રહ્યા હશો ત્યારે દુનિયા આપની મશ્કરી પણ કરી શકે છે. કેટલાક સંસારી લોકો ભક્તિને નબળા લોકોનું કર્મ ગણે છે. વાસ્તવમાં ભક્તિ હિંમતનું કાર્ય છે. ભક્ત હોવા માટે ચોથી અને અંતિમ વાત થોડીક દાર્શનિક છે. ભક્તિ બુદ્ધિનો નહીં હૃદયનો વિષય છે. ભક્ત પોતાની બુદ્ધિને વિશ્રામ કરાવવાનું જાણે છે. સંસારી લોકોની બુદ્ધિ જ્યારે મરી પરવારે છે ત્યારે તેઓ પાગલમાં ગણાવા લાગે છે, પણ ભક્તની બુદ્ધિ ક્યારેય મરતી નથી. ભક્ત દ્વારા તેને વિશિષ્ટ વિશ્રામ આપવામાં આવે છે. તે પોતાની બુદ્ધિને નિવૃત્ત નથી કરતો, વિશ્રામ આપી દે છે. જેમ આપણે તરોતાજા થવા માટે વિશ્રામ કરીએ છીએ તે જ રીતે ભક્ત પોતાની બુદ્ધિને વિશ્રામ કરાવે છે, બુદ્ધિના આ વિશ્રામથી જ પરમાત્માનો પ્રવેશ થાય છે.

No comments: