Monday, January 31, 2011

કયા મહિનામાં શું ખાવું અને શું કરવું?......



તંદુરસ્તી માટે જરુરી છે સંતુલિત આહાર. યોગશાસ્ત્ર અનુસાર 12 મહિનાના ખોરાક માટે અલગ અલગ વસ્તુઓ દર્શાવવામાં આવી છે. નવા વર્ષમાં કેલેન્ડર પ્રમાણે જમવાની રીત દર્શાવવામાં આવે છે. જાણીએ કયા મહિનામાં શું ખાવું જોઈએ. તંદુરસ્ત અને નિરોગી રહેવા માટે શું ખાવું જોઈએ..

આપણું ખાન-પાન આપણા શરીરને સંપૂર્ણ તંદુરસ્ત રાખે છે. સારા ભોજનથી આપણી કાર્યક્ષમતા વધે છે. જલ્દી થાક નથી લાગતો અને સાથે જ નાની નાની બિમારીઓ દૂર થાય છે.

મહિનો- શું ખાવું શું ન ખાવું?


જાન્યુઆરી- ફેબ્રુઆરી- ઘી, ખીચડી

ફેબ્રુઆરી-માર્ચ- ઘી, ખીચડી અને સવારે નહાવું ફાયદાકારક છે.

માર્ચ- એપ્રિલ- ચણાનું સેવન કરવું.

એપ્રિલ-મે- જમરુખ


મે-જૂન - આ મહિનામાં પર્યાપ્ત ઉંઘ લેવી અતિ આવશ્યક છે. નહીં તો તેનો ખોટો પ્રભાવ શરીરને નુક્સાન કરે છે.

જૂન-જુલાઈ - વધારે વ્યયામ અને ખેલ-કૂદની ક્રિયા કરવી.

જુલાઈ- ઓગસ્ટ- હરડેનું સેવન કરવું.

ઓગસ્ટ- સપ્ટેમ્બર- તલ ખાવા.



સપ્ટેમ્બર- ઓક્ટોબર- ગોળનું સેવન કરવું, ખૂબ ફાયદામંદ છે..

ઓક્ટોબર- નવેમ્બર- મૂળી

નવેમ્બર ડિસેમ્બર- તેલ, તેલથી બનેલી વાનગી વધુ આરોગવી.

ડિસેમ્બર- જાન્યુઆરી- નિયમિત સ્વરુપે દૂધ અવશ્ય પીવું. સાથે જ એક સફરજન અવશ્ય ખાવું.

No comments: