Monday, January 31, 2011

તો દુર્ભાગ્ય નહીં છોડે સાથ............







ઘરમાં ઉત્તર- પૂર્વ ખૂણાને પ્રધાન ગ્રહનો ગુરુ માનવામાં આવે છે. જ્યોતિષ અનુસાર ગુરુ આધ્યાત્મ અને ધર્મનો ગ્રહ માનવામાં આવે છે. આ માટે આ ખૂણામાં સૌથી વધારે સાફ સફાઈ કરવા માટે વાસ્તુશાસ્ત્રમાં મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુના આ ખૂણાને ઈશાન કોણ કહેવામાં આવે છે. ઈશાનનો અર્થ થાય છે ઈશ એટલે કે ઈશ્વર અને સ્થાન.



આ જ કારણે આ ખૂણામાં દોષ હોય તો તેને ખાલી રાખવાનું કહેવામાં આવે છે. જો ઘરનો ઈશાન કોણવાળો ભાગ કાપેલો હોય તો તે અશુભ માનવામાં આવે છે. આ ખૂણામાં ઘરની ઉન્નતિ નથી થતી. ભાગ પર આવવા જવાનો રસ્તો હોય તો તે ભાગ ઉન્નતિ માટે બાધક હશે. કેમ કે આ જ કારણે ભાગ પર જૂતા અને ચંપલ મૂકવામાં આવશે.


જો ઘરનો આ ભાગ કપાયેલો હોય તો તુરંત તેને બંધ કરી દેવો જોઈએ. આ માટે ઘરનો આ ખૂણો કપાયેલો હોય અને અહીં કોઈ દોષ હોય તો તે દુર્ભાગ્યનું સૂચક માનવામાં આવે છે. એ દોષ હોવાથી સ્થાન શુદ્ધ કરીને ત્યાં ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. ધર્માનુસાર ઈષ્ટ દેવની મૂર્તિ કે ધર્મથી સંબંધિત પવિત્ર વસ્તુઓ ત્યાં રાખવી જોઈએ. આ ખૂણામાં દોષ હોવાથી આર્થિક બાધાઓ વધે છે. ઘરના મુખ્ય વ્યક્તિને તેનો સામનો કરવો પડે છે. જો કંઈ બીજું રાખવાની જગ્યા હોય તો તે સ્થાન પર પાણીનું માટલું અને લીલા છોડનું કુંડું પણ મુકવું જોઈએ. જો કંઈ ન રાખવામાં આવે તો અન્ય ભાગ જ્યાં મોટો હોય તે ઉત્તમ પરિણામ આપનાર બનશે. જે આ સ્થાન પર રુમમાં રહેશે તેનું જીવન સદાય ઉન્નતિ પ્રાપ્ત કરશે.



પાણીની ટાંકી જમીનમાં બનેલી હોવી જોઈએ અને મકાનની અંદરની બાજુ નિર્મિત હોવી જોઈએ. આ દરવાજાને બંદ કરીને બીજા સ્થાનેથી દરવાજો બનાવવો જોઈએ. આ સ્થાન પર શૌચ વગેરે હોય તો તે તુરંત બંધ કરી દેવું જોઈએ. અન્યથા આ સુવિધા ત્યાં જ બનાવવી જોઈએ. પશ્ચિમ- દક્ષિણમાં હોય તો સારું રહે. શૌચ સ્થાન ઉત્તર પૂર્વ કે ઈશાનમાં ન હોવું જોઈએ.

No comments: