Monday, January 31, 2011

રાશિ અનુસાર મંત્ર જાપથી દૂર થશે પૈસાની તંગી..

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિના જીવન પર તેની રાશિનો વિશેષ પ્રભાવ પડે છે. દરેક વ્યક્તિ પોતાની રાશિની નિયમિત સ્વરુપથી પૂજા કરે તો તેમની આર્થિક સમસ્યા દૂર થાય છે. પૂજાથી અને મંત્રજાપથી અશુભ પ્રભાવના દોષ દૂર થાય છે.

એ જ પ્રકારે જો કોઈ ઘરમાં લક્ષ્મી નિવાસ કરે તો આર્થિક સમસ્યાઓ ઓછી થાય છે. પોતાની રાશિ અનુસાર લક્ષ્મી મંત્રનો જાપ કરવો. આ મંત્રોના જાપથી તમારી ગરીબી દૂર થશે અને સાથે જ મંત્ર ધન સંપદા વધારવામાં તથા ભૌતિક સુખ પ્રદાન કરવામાં ખૂબ સફળ માનવામાં આવે છે. એટલા માટે જો તમે ઈચ્છો છો કે તમને ક્યારેય ધનની કમી કે પૈસાની તંગી પડે છે તો રાશિ અનુસાર લક્ષ્મી મંત્રનો નિશ્ચિત જાપ કરવાથી ફાયદો થાય છે.

મેષ- ऊं ऐं क्लीं सौ:


વૃષભ- ऊं ऐं क्लीं श्रीं


મિથુન- ऊं क्ली ऐं सौ:


કર્ક-ऊं ऐं क्ली श्रीं


સિંહ- ऊं ह्रीं श्रीं सौ:


કન્યા- ऊं श्रीं ऐं सौ:


તુલા- ऊं ह्रीं श्रीं सौं


વૃશ્ચિક- ऊं ऐं क्लीं सौ:


ધન- ऊं ह्रीं क्लीं सौ:


મકર-ऊं ह्रीं क्लीं ह्रीं श्रीं सौ:


કુંભ- ऊं ह्रीं ऐं क्लीं श्रीं


મીન- ऊं ह्रीं क्लीं सौ:

No comments: