Monday, January 31, 2011

ગરીબીની બેડીઓમાંથી છોડાવે છે આ પ્રયત્નો..........



ગરીબી એક અભિશ્રાપ જેવી હોય છે. ધનના અભાવે વ્યક્તિ બધા જ સુખોથી વંચિત થઈ જાય છે. ઘણીવાર લાખ પ્રયત્ન પછી પણ ધનને લગતી પરેશાનીઓ દૂર થતી નથી. જો અનેક પ્રયત્નો પછી પણ જરૂરી ધન પ્રાપ્તિ થતી નથી તો બની શકે તે કોઈ ગ્રહ બાધાને લીધે તમને ગરીબી સહન કરવી પડી રહી હોય.

જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક એવા ઉપાય બતાવવામાં આવ્યા છે જેનાથી કોઈપણ પ્રકારની ગ્રહ બાધાને લીધે પરિસ્થિતિઓ આપણને અનુકૂળ થાય છે અને પરિસ્થિતિઓનો પ્રભાવ કેટલીક હદ સુધી ઓછો થાય છે.

જો તમારા જીવનમાં ખૂબ જ પરેશાનીઓ વધી રહી હોય, આર્થિક, માનસિક, સામાજિક બધા પ્રકારની પરેશાનીઓથી ગ્રસ્ત હોવ અને તમને કોઈ રસ્તો જ ન જડતો તો તમે પોતાનો જૂનો ઉપયોગ કરેલો કાળો કે કોઈપણ ઉપયોગ કરેલ કામળો શનિવારના દિવસે કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો. જો ઉપયોગ કરેલ કામળો ન મળે તો કોઈપણ ઉપયોગ થયેલી ગરમ વસ્ત્રનું દાન કરી શકો છો.

જો તમે ગરીબીથી પરેશાન છો ધન કમાણીના તમારા પ્રયત્નો નિષ્ફળ થઈ રહ્યા હોય તો રવિવાર કે સોમવારના દિવસે બજારમાંથી ત્રણ લાડુ ખરીદી સવારે જ્યારે તમે કોઈ જુવે નહી તેવા સમયે આ ત્રણેય લાડુને કોઈ મંદિરમાં મૂકી આવો, એમ કરવાથી તમે ઝડપથી દરિદ્રતાથી મુક્તિ મેળવશો. યાદ રાખો કે તેની સાથે તમે પોતે મહેનત દ્વારા પ્રયત્ન શરૂ કરવા પડશે






Related Articles:

તો ઘરમાં નહીં રહે દરિદ્રતા..
આજે કાયમી દરિદ્રતા દૂર કરવા કુબેરયંત્ર પૂજા ઉત્તમ

source by :- divya bhaskar press

No comments: