Sunday, January 30, 2011

ગુરુમંત્ર પ્રભુ પાસે લઇ જાય.....

દુનિયામાં ત્રણ વસ્તુઓ છે, જે મૃત્યુ પછી પણ સાથ નથી છોડતી. એક પુણ્ય. પુણ્ય મૃત્યુ પછી વ્યક્તિને સ્વર્ગમાં લઇ જાય છે. બીજી પાપ. પાપ મૃત્યુ પછી વ્યક્તિને નરકમાં લઇ જાય છે. ત્રીજી ગુરુમંત્ર. સમર્થ ગુરુ દ્વારા પ્રદત્ત ગુરુમંત્રને જો શ્રદ્ધા અને ભક્તિથી જપવામાં આવે તો તે ઇશ્વર પાસે લઇ જાય છે. મહાપુરુષના જે શબ્દ અથવા વાક્યથી તમારી જિંદગી બદલાઇ જાય, બસ! એ શબ્દ અને વાક્ય જ ‘ગુરુમંત્ર’ છે.

No comments: