
શ્રીમદભાગવતમાં જે ભગવાનની કૃપા મેળવનાર હોય છે તે ધનહીન અને ગરીબ થવા લાગે છે. પરિવારજનો તેની ઉપેક્ષા કરવા લાગે છે. પરિવારજનો પાસેથી તેને અલગાવનો અનુભવ થાય છે. ધન માટે કરેલી મહેનત બેકાર થઈ જાય છે. આ રીતે વારંવાર તેમને નિષ્ફળતા મળે છે. દુખી અને વિરક્ત મનોદશામાં જ તે વ્યક્તિ ભગવાનનું સ્મરણ કરે છે અને ભગવાનની શરણમાં આવે છે. જેનાથી તે વ્યક્તિ સુખ અને ચેનનો અનુભવ કરે છે.
એ પરિસ્થિતીમાં પસાર થતા સામાન્ય વ્યક્તિ ભગવાન અને ભક્તિને કઠિન માનીને બેચેન અને અશાંત રહે છે. જેનાથી દુખમાં ભગવાનના સુમિરન અને સુખમાં તેમને ભૂલવાના સત્યની પ્રતીત થાય છે. પરંતુ શ્રીમદભાગવતમાં દર્શાવવામાં આવેલી વાતો સાફ ઈશારા કરે છે કે વિપરીત અને ખોટી પરિસ્થિતીમાં વ્યક્તિએ હિંમત ન હારવી જોઈએ. જે સત્યની સ્થિતી છે તેને જ ભગવાનનું વિધાન અને ઘટિત થનારું હિત માનવું જોઈએ અને તેનો સ્વીકાર કરવો જોઈએ. ત્યાં જ સુખમાં ભગવાનમાં ધ્યાન આપીને તેનું સ્મરણ જરુર કરવું જોઈએ.
No comments:
Post a Comment