Monday, January 31, 2011

તિજોરીને રાખો ધનથી ભરપુર !!








એક સારું જીવન ત્યારે જ વ્યતીત કરી શકાય છે જ્યારે તમારી પાસે ભૌતિક સુખ પણ હોય. ભૈતિક સુખ ધનના અભાવથી ક્યારેય પ્રાપ્ત નથી થઈ શકતું. આ માટે પૈસા કમાવવા માટે દિવસ રાત એક કરીને મહેનત કરવી પડે. તેમ છતાં દરેકના જીવનમાં સારું ધન પ્રાપ્ત કરવાના યોગ નથી બની શકતા. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેના માટેના કેટલાક વિશેષ ઉપાયો જાણવા જરુરી છે. જેના માટે માધ્યમથી તમે વિશેષ ધનની પ્રાપ્ત કરી શકો છો.


કુબેરને ધનના દેવતા માનવામાં આવે છે તે દેવતાઓનો કોષાધ્યક્ષ છે. તેમની કૃપાથી કોઈ પણ વ્યક્તિ ધન પ્રાપ્ત કરી શકે છે. તેમને પ્રસન્ન કરવા માટે કેટલાક સ્ફટિક મંત્ર આપવામાં આવ્યા છે જેનાથી તમે કુબેરની કૃપા પ્રાપ્ત કરી શકો છો.

કુબેર દેવનો મંત્ર- ऊँ यक्षाय कुबेराय वैश्रवणाय, धन धन्याधिपतये धन धान्य समृद्धि मे देहित दापय स्वाहा।

આ દેવતાઓના કોષાધ્યક્ષ કુબેર દેવનો અમોઘ મંત્ર છે. આ મંત્રનો જાપ મહિનામાં 3 વાર કરવાથી તમને ઈચ્છિત ફળ મળી શકે છે. તેના જાપ દરરોજ 108 વાર કરવા. જાપ કરતી વખતે ધનલક્ષ્મીની કોડી રાખવી. 3 મહિના બાદ જ્યારે જાપ પૂર્ણ થાય ત્યારે એ કોડી તિજોરીમાં રાખવી. એમ કરવાથી કુબેર દેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તમારું લોકર ક્યારેય ખાલી નથી રહેતું. તે ધનથી ભરેલું રહે છે.

print

No comments: