
પરિસ્થિતિ અનુસાર પરિવર્તન કરીને ધર્મ પાળી શકવાની સુવિધા ધર્મ આપે છે. સારું બોલવું, સારું વિચારવું અને સારું કરવું, સુખી અને સફળ જીવન માટેના આ ત્રણ સૂત્રો છે. તેને કેવી રીતે જીવી શકાય તે ધર્મ શીખવે છે. ધર્મને જાણ્યા બાદ એક પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે આધ્યાત્મ શું છે ?
જો સીધી રીતે સમજવામાં આવે તો ધર્મ શરીર છે તો આધ્યાત્મ તેની આત્મા છે. ધર્મ વ્યવહાક છે તો આધ્યાત્મ સ્વભાવ છે. ધર્મ એક ક્રિયા છે તો આધ્યાત્મ તેનું પરિણામ છે. ધર્મ પિતાનો પ્રેમ છે તો આધ્યાત્મ માતાની મમતા છે. સનાતન ધર્મના જ્ઞાન-કર્મ-ઉપાસનામાં જે કોઇ વાતો આવે છે તેનો આધાર માત્ર આધ્યાત્મિક જ નથી પણ તાર્કિક અને વૈજ્ઞાનિક પણ છે. અહીં કંઇજ વ્યર્થ નથી. માટે જે ધર્મને જાણીને જીવે છે તે સમર્થ બને છે. સમર્થ વ્યક્તિ પાસે ઉમદા જીવનનું નિયંત્રણ રહે છે, માટે ધર્મ કહે છે જીવો તો આવું જીવો...
No comments:
Post a Comment