Saturday, June 12, 2010

નવ બાધાઓ, જે ઈશ્વરથી દૂર રાખે છે....

ચિત્ત એટલે કે મનનું નિયંત્રિત અને પ્રશિક્ષિત ન હોવું એ પણ સાધનામાં મોટી બાધા છે.



ઈશ્વરને મળવા કે જ્ઞાન મેળવવાના અનેક માર્ગો છે. જેટલા ધર્મ એટલા માર્ગ. એટલું જનહીં તત્વજ્ઞાની તો ત્યાં સુધી કહે છે કે દરેક મનુષ્યના માર્ગ અલગ-અલગ હોય છે. પ્રારબ્ધ, સંસ્કાર અને પ્રકૃતિ અનુસાર જ મનુષ્યની પાત્રતા બને છે. એક જ રસ્તા પર ચાલીને બધાને આત્મજ્ઞાન થઇ જાય તે જરૂરી નથી. પણ ઈશ્વર પ્રાપ્તિના માર્ગમાં જે અડચણો છે તે લગભગ બધા સાધકોને સમાન રુપે નડે છે. સમસ્યા કે શત્રુ જ્યાં સુધી સામે નથી હોતા, તેમને દૂર કરવા સંભવ નથી. તો આવો જાણીએ એ કારણોને જે ઈશ્વર મિલનમાં સહુથી મોટા પથ્થર સમાન છે...

સ્ત્યાન – એટલે કે વ્યાધિ. ઉત્તમ સ્વાસ્થ્યના અભાવમાં ઈશ્વરને મેળવી શકાતા નથી.
અકર્મણ્યતા – જ્યાં સુધી લક્ષ્યને મેળવવા માટે પૂર્ણ સમર્પણ અને લગન સાથે સતત કાર્ય નહીં કરવામાં આવે ત્યાં સુધી સફળતા નહીં મળે.
સંશય – જ્યાં સુધી પોતાના માર્ગ, લક્ષ્ય અને ઈષ્ટ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ નહીં બને ત્યાં સુધી સફળતા દૂર રહેશે.
પ્રમાદ- બેદરકારી હશે ત્યાં લક્ષ્યની પ્રાપ્તિ સંભવ નથી.
આળસ- જ્યાં સુધી આળસ રહેશે ત્યાં સુધી મંજિલ આપનાથી દૂર ભાગશે.
અવિરતિ – એટલે કે શારીરિક ભોગોમાં રસ રહેશે તો લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત નહીં થઇ શકે.
ભ્રાંતિ – અધૂરું અને ભ્રામક જ્ઞાન પણ સાધકને સાચા માર્ગ પરથી ભટકાવી દે છે.
અલબ્ધ ભૂમિકત્વ – એટલે કે પૂર્ણ એકાગ્રતા અને સ્થિરતા ન હોય તે પણ એક મોટી અડચણ છે.
વિઘ્ર – ચિત્ત એટલે કે મનનું નિયંત્રિત અને પ્રશિક્ષિત ન હોવું એ પણ સાધનામાં મોટી બાધા છે

No comments: