Saturday, June 12, 2010

કેવી રીતે મેળવશો મનચાહી નોકરી?.....


યુવાનોની સામે કેરિયર સૌથી મોટી સમસ્યા પણ છે અને પડકાર પણ છે. કેટલાંય યુવાનોને યોગ્યતા હોવા છતાં પણ મનચાહી નોકરી મળી શક્તી નથી. તેનું કારણ પણ સમજથી પર હોય છે. જ્યોતિષ દ્વારા આ સમસ્યાનું સમાધાન કરી શકાય છે. જન્મપત્રિકા જોઈને તેનો ઉપાય કરી શકાય છે. જન્મપત્રિકામાં તૃતિય, પંચમ, સપ્તમ, દશમ અને એકાદશ સ્થાન નોકરી અને આવક સંબંધિત હોય છે. જો આ સ્થાનો દૂષિત હોય અથવા તેના પર શુભ ગ્રહોની દ્રષ્ટિ ન હોય અથવા તેમાં કોઈ અશુભ ગ્રહ આવેલો હોય તો જાતકને રોજગાર મેળવવામાં કઠિનાઈ આવે છે. ખાસકરીને પંચમ અને સપ્તમ પૂર્ણ સુરક્ષિત હોવા જોઈએ. તેના સિવાય કેટલાંક નાના-નાના ઉપાય કરવાથી પણ આ સમસ્યાઓના સમાધાનમાં સહાયતા મળે છે. પરિસ્થિતિઓ આપણને અનુકૂળ બનતી જાય છે. શું ઉપાય કરવો? પંચમ અને સપ્તમ સ્થાન પર સ્થિત અશુભ ગ્રહનો ઉપચાર કરવો જોઈએ. રામરક્ષા કવચનો પાઠ કરવો જોઈએ. વિઘ્નહર્તા ગણેશના દર્શન કરવા જોઈએ| ગાયને ગુરુવારે લીલો ચારો નાખવો જોઈએ. સાંજના સમયે શિવજીના મંદિરમાં દિપ દાન કરવું જોઈએ

No comments: