Monday, July 5, 2010

ધોરણ-૧૨ પછીના વિકલ્પો...

એચએસસી પછી કારકિર્દી પસંદગીની ખરેખરી મૂંઝવણ શરૂ થાય છે. પરંતુ અહીં આપેલા વિકલ્પો તપાસી લઇએ તો રસ્તો આસાન રહેશે.

ધોરણ ૧૨ પછી વિદ્યાર્થીઓએ અને તેના વાલીઓએ કારકિર્દી/ એડમિશન સંસ્થા પસંદ કરતા પહેલાં પોતાના માટે કેટલીક ઇન્કવાયરી અને કેટલીક તપાસ કરવી પડે છે. જેના મુખ્ય તબક્કા છે.

Attitude (અભિરુચિ) કસોટી અને Aptitude (અભિક્ષમતા) કસોટી. જાતને ત્રણ પ્રશ્નો પૂછો: ‘મને ક્યા પ્રકારના કાર્યમાં વિશેષ આનંદ આવે છે? કર્યું કામ ગમતું છે?‘મારામાં ક્યા પ્રકારની આવડત કે લાક્ષણિકતા છે જે મને ગમતા કામમાં મદદરૂપ છે? ‘મારે કારકિર્દીને ક્યાં સુધી લઇ જવી છે? એટલે કે જીવનમાં શું શું મેળવવું છે? આ મંથન પ્રક્રિયા પછી ચાલો જોઇએ ધો.૧૨ પછીના કેટલા વિકલ્પો
ઉપલબ્ધ છે...

ધો.૧૨ પછીના વિકલ્પો:

આર્ટસ/ કોમર્સ/ સાયન્સ આ ત્રણેય પ્રકારના વિભાગના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ અભિરુચિ અને અભિક્ષમતા અનુસાર ઉપલબ્ધ અભ્યાસક્રમો નીચે મુજબ છે.

BSc-MSc-PhD, BA-MA, BCom-MCom, BBA-MBA, BCA-MCA, BEd-Med, CA, BCJP (Journalism), BHM-MHM
(હોટલ મેનેજમેન્ટ)
‘સ્નાતક પછી GPSC, UPSC, CAT-GCET વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તરફનું ધ્યેય પૂર્વ નિશ્વિત હોય તો ધો.૧૨ પછીનો કોર્સ પસંદ કરવામાં આ ફેકટર ધ્યાન પર રાખી પસંદગી કરવી આવશ્યક છે.

ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહ પછીના કારકિર્દી વિકલ્પો:

A-group- Phy. Chem., Maths.

એન્જિનિયરિંગ (આઇટી, કમ્પ્યૂટર, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ્સ, મિકેનિકલ, સિવિલ, ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ, એન્વાર્યમેન્ટલ એન્જિનિયરિંગ વગેરે) ઉપરાંત ઇન્ટિરિયર ડિઝાઈનિંગ, આર્કિટેક્ચર, બિલ્ડિંગ કન્સ્ટ્રકશન વગેરે કોર્સિસ ઉપલબ્ધ છે.

‘ઓટોમોબાઇલ, ટેક્સ્ટાઇલ, ફેશન ડિઝાઈનિંગ, એરોનોટિક્સ એન્જિનિયરિંગ, બાયોટેક્નોલોજી, બાયોમેડિકલ, સિવિલ એન્જિનિયરિંગ, રોબોટિક્સ એન્જિનિયરિંગ વગેરે પણ ઉપલબ્ધ છે. રોબોટિક્સ એન્જિનિયરિંગ વિકસતી શાખા છે. જેનું ભાવિ ખૂબ જ ઉજ્જવળ છે. તેનો મહત્તમ ઉપયોગ જાપાનમાં થઇ રહ્યો છે.

B. Group- Phy. Chem. Bio...

મેડિકલ (એમબીબીએસ, ડેન્ટલ-બીડીએસ, ફિઝિયોથેરાપી-બીપીટી, આયુર્વેદ- બીએએમએસ, હોમિયોપેથી-બીએચએમએસ, ફાર્મસી-બી. ફાર્મ., ઓકયુપેશનલ થેરપિસ, બીએસસી (નર્સિંગ, ઓપ્ટોમેટ્રી), ઓર્થોટિક્સ- પ્રોસ્થેટિક્સ, નેચરોપથી.

‘આ ઉપરાંત પણ અન્ય અભ્યાસક્રમો રૂચિ પ્રમાણે કે પરિવારના વ્યવસાય પ્રમાણે પસંદ કરી શકાય છે. જેમ કે, આયુર્વેદમાં બેચલર ઓફ ફાર્મસી, બાયોમેડિકલ એન્જિનિયરિંગ, ફૂડ પ્રોસેસિંગ એન્ડ ટેક્નોલોજી, એગ્રિકલ્ચર યુનિ.માં ચાલતો વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી, આણંદમાં ચાલતો ડેરી ટેક્નોલોજી કોર્સ, એગ્રિકલ્ચર યુનિ. અન્ય ડિગ્રી કોર્સ, બીએસસી ઇન માઇક્રોબાયોલોજી, બાયોટેક્નોલોજી, ઝૂલોજી, બોટની વગેરે, તથા પ્રાયમરી ટીચર બનવા માટે પીટીસીનો કોર્સ, કોઇપણ વિષય સાથે બીએસસીમાં આગળ અભ્યાસ ન કરવો હોય તો બીએ વિથ ઇંગ્લિશ કે અન્ય કોઇ વિષય.

વિવિધ કોર્સના પ્રવેશની વિધિ:

કેન્દ્રીય પ્રવેશ સમિતિ: જોઇન્ટ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ-અમદાવાદ) (વેબસાઇટ: www.ldceindia.org) દ્વારા ડિગ્રી/ ડિપ્લોમા, એન્જિનિયરિંગ/ ફાર્મસી, ઉપરાંત મેડિકલમાં એડમિશન માટે સેન્ટ્રલાઇડ મેડિકલ એડમિશન કમિટી- બી.જે. મેડિકલ કોલેજ- અમદાવાદ દ્વારા ઉપરોકત મેડિકલ કોર્સિસમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ આપવામાં આવે છે.

ધીરુભાઇ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ-ગાંધીનગર:

આ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજીનો કોર્સ ચલાવે છે. જેમાં કુલ ૨૪૦ સીટ હોય છે, જેમાં AIEEE ના આધારે એડમિશન મળે છે.

નિરમા યુનિવર્સિટી: અહીં બી.ટેક.ના અભ્યાસક્રમો ચાલે છે, જેમાં AIEEE ના આધારે, ગુજરાતી સ્કૂલમાંથી ૧૨ સાયન્સ પાસ કર્યું હોય તેને અને અખિલ ભારતીય ધોરણે Rank ના આધારે નિયમાનુસાર ભરવામાં આવે છે.

નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી- અમદાવાદ ઉપરાંત, DDIT - નડિયાદ, ગણપત યુનિ.- વિદ્યાનગર, ખેરવા- મહેસાણા, સર્વ વિદ્યાલય-ગાંધીનગરને ખાનગી- સ્વાયત્ત- યુનિવર્સિટીનો દરજજો આપવામાં આવ્યો છે.

નેશનલ લેવલની એડમિશન ટેસ્ટ:

ધો.૧૨ સાયન્સ પછી ભારતની શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કે મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે દ્વિતીય કક્ષાની પ્રવેશ પરીક્ષાઓ લેવાતી હોય છે.

પ્રિમેડિકલ ટેસ્ટ - PMT

‘MBBS/ BDS માં માટે ભારતની મેડિકલ અને ડેન્ટલ કોલેજોની ૧૫ ટકા સીટ PMT ના વિદ્યાર્થીઓ માટે રિર્ઝવ હોય છે.
‘જેમાં Phy., Chem., Bio. ની ઓબ્જેક્ટિવ પ્રકારની પરીક્ષા લેવાય છે. જે અંગ્રેજી માધ્યમમાં હોય છે. તેનું ફોર્મ ડિસેમ્બરમાં બહાર પડે છે. દર વર્ષે મે મહિનામાં આ પરીક્ષા લેવાય છે.

‘આઇઆઇટીની JEE-Joint Entrance Exam માટેની જાહેરાત દર વર્ષે જુલાઇના છેલ્લા અઠવાડિયામાં આવે છે.
‘AIEEE-All India Engineering Architecture Entrance Exam CBSE દ્વારા જ લેવામાં આવે છે.

અન્ય પરીક્ષાઓ: અંગ્રેજી માધ્યમમાં લેવામાં આવે છે.

‘ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ- દિલ્હી
‘રૂરકી યુનિ.ની એન્જિનિયરિંગ કોલેજ
‘ભારતી વિદ્યાપીઠ મેડિકલ-એન્જિનિયરિંગ કોલેજ- પૂણે
‘આર્મી અને નેવીની કોલેજોમાં પણ ફોર્મ ભરી શકો છો.
અન્ય કોર્સમાં એડમિશન: વિમાનમાં પાઇલટ, એરફોર્સના ઓફિસર, નેવીમાં ઓફિસર, મર્ચન્ટ નેવીનો કોર્સ, સાયિન્ટસ્ટ બનવા માટે પણ ૧૨ સાયન્સ પાસ કરવું ખૂબ જ જરૂરી છે.‘

No comments: