Monday, July 5, 2010

ધોરણ-૧૦ પછીના રસ્તા..

કારકિર્દીની પસંદગીનું પહેલું પગથિયું એટલે ધોરણ-૧૦.આ પહેલી પાયદાન વટાવ્યા પછી કારકિર્દીના ઘણા વિકલ્પો છે.

ધોરણ દસને કારકિર્દી ઘડતર માટેનું જંકશન કહીએ તો જરાય ખોટું નથી. આવો, દસમા ધોરણ પછી ઉપલબ્ધ મુખ્ય વિદ્યાશાખાઓની જાણકારી મેળવીએ.

હાયર સેકન્ડરી (ધોરણ ૧૧ અને ૧૨) : કારકિર્દીમાં ખૂબ આગળ વધવા ગ્રેજ્યુએટ અને એ પછી મેળવેલી પોસ્ટગ્રેજ્યુએટ ડિગ્રી ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. તેથી જ પસંદગીની વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ થઇ ઉચ્ચ હાયર સેકન્ડરીના ધોરણ ૧૧માં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓને પસંદગી માટે નીચે મુજબના કુલ છ પ્રવાહ ઉપલબ્ધ છે:

‘વિજ્ઞાન પ્રવાહ (સાયન્સ સ્ટ્રીમ) ‘ સામાન્ય પ્રવાહ (જનરલ સ્ટ્રીમ) ‘ ગૃહ વિજ્ઞાન પ્રવાહ

‘ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ ‘વ્યવસાયલક્ષી પ્રવાહ

સાયન્સ પ્રવાહ: ડોક્ટર, એન્જિનિયર, વિજ્ઞાની, ભૂસ્તરશાસ્ત્રી, ફાર્માસિસ્ટ, આર્કિટેક્ટ, ફિઝિયોથેરપિસ્ટ, હોર્ટિકલ્ચરિસ્ટ, વેટરિનરી ડોક્ટર વગેરે બનવા ઇચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓએ ધોરણ ૧૧ના સાયન્સ પ્રવાહમાં પ્રવેશ લેવો જોઇએ. ધોરણ ૧૧માં સાયન્સ પ્રવાસ પસંદ કરવા માટેનું એક મુખ્ય કારણ તેમાં મળતા ઉચ્ચ અભ્યાસના અસંખ્ય વિકલ્પો છે. તેમને સાયન્સ પ્રવાહમાં ભણવા માટે

નીચે મુજબના ત્રણ પ્રકારના વિષય જૂથની પસંદગીના વિકલ્પ મળે છે:

‘‘એ’ જૂથ: આ જૂથમાં મેથેમેટિક્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રરી, અંગ્રેજી વગેરે વિષયો ભણવાના હોય છે. આ વિષય જૂથ સાથે ધોરણ ૧૨ પાસ થતાં વિદ્યાર્થીને એન્જિનિયરિંગ, આર્કિટેક, બી.એસ.સી., એમી.બી.એ. વગેરે અભ્યાસક્રમમાં પ્રવેશ મળી શકે છે પરંતુ મેડિકલ લાઇનમાં પ્રવેશ મળી શકતો નથી.

‘‘બી’ જૂથ: આ જૂથમાં મેથેમેટિક્સ સિવાયના બાયોલોજી, કેમિસ્ટ્રરી, ફિઝિક્સ, અંગ્રેજી વગેરે વિષયો ભણવાના હોય છે. આ વિષય જૂથ પસંદ કરનાર વિદ્યાર્થી ધોરણ ૧૨ પાસ કર્યા પછી મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરાપી, આયુર્વેદિક, હોમિયોપેથી, ફાર્મસી, બી.એસ.સી. વગેરે વિદ્યાશાખામાં પ્રવેશ મેળવી શકે છે, પરંતુ સાયન્સ સ્ટ્રીમમાં પાસ થવા છતાં એન્જિનિયરિંગ, આર્કિટેક વગેરે અભ્યાસક્રમમાં તેને પ્રવેશ મળી શકતો નથી.

‘‘એ-બી’ જૂથ: ‘એ’ અને ‘બી’ જૂથનું સંયોજન એટલે જ ‘એ-બી’ જૂથ. સાયન્સ પ્રવાહમાં ભણી ધોરણ ૧૨ સાયન્સ પછી ઉપલબ્ધ તમામ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવાના લાભ ઉઠાવવા ઇચ્છતા અને ગણિત અને વિજ્ઞાન બન્ને વિષયોથી ન ગભરાતાં વિદ્યાર્થીઓએ આ જૂથ પસંદ કરવું એકદમ ફાયદાકારક છે.

‘સામાન્ય પ્રવાહ: વિજ્ઞાન પ્રવાહ પછી આર્ટસ અને કોમર્સના વિષયો ધરાવતા કોમર્સ (વાણિજ્ય) અને આર્ટસ (વિનયન) એમ બે અલગ અલગ જૂથને બદલે સામાન્ય પ્રવાહ (જનરલ સ્ટ્રીમ) નામનો એક જ પ્રવાહ રાખવામાં આવ્યો છે, જેમાં આગળ બી.એ., બી.કોમ., બી.બી.એ., બી.આર.એસ., બી.મ્યુઝ. બી.પી.એડ., પી.ટી.સી., હોટલ મેનેજમેન્ટ, જનરલ નર્સિંગ વગેરેમાં જવાની તક મળે છે.

‘ગૃહ વિજ્ઞાન પ્રવાહ: ગૃહ-સંચાલનનો વૈજ્ઞાનિક અભિગમ એટલે જ હોમ સાયન્સ. ધોરણ ૧૨ પાસ થયા પછી બી.એ. (હોમ સાયન્સ) તેમજ બી.એસસી. (હોમ સાયન્સ) થઇ શકાય છે. ભાવનગર ખાતે સર ભાવસિંહજી પોલિટેક્નિકલમાં ડિપ્લોમા ઇન હોમ સાયન્સનો અભ્યાસક્રમ પણ ચલાવવામાં આવે છે.

‘ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ: ગ્રામ્ય અર્થકારણ અને સમાજ વ્યવસ્થાને અનુરૂપ ખેતી/ખાદી ઉદ્યોગને લગતા અભ્યાસ માટે આ પ્રવાહ પસંદ કરી શકાય.

‘વ્યવસાયલક્ષી પ્રવાહ: વિવિધ રોજગારલક્ષી વ્યવસાયો માટે વ્યાવસાયિક ક્ષમતા ઊભી કરવા માટે કેટલીક શાળાઓમાં આ પ્રવાહ પણ ઉપલબ્ધ છે.

ડિપ્લોમા એન્જિનિયિંરગ અભ્યાસક્રમો:

ગુજરાતમાં ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા આશરે ૨૪ સરકારી પોલિટેક્નિકો, ૩ ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓ અને ૨૨ જેટલી ખાનગી પોલિટેક્નિકોમાં ૨૦ પ્રકારના વિવિધ એન્જિનિયરિંગ ડિપ્લોમા અને ૬ અન્ય વ્યવસાયલક્ષી ડિપ્લોમા અભ્યાસક્રમો ચલાવાય છે.

ટી.ઈ.બી. પેટર્નના વ્યવસાયલક્ષી સર્ટિ. અભ્યાસક્રમો:

ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ ન મેળવી શકનાર વિદ્યાર્થીઓને ટેક્નિકલ કોર્સ કરવા માટે રાજ્યમાં ૧૦૫ જેટલી સંસ્થાઓમાં ટેક્નિકલ એકઝામશિન બોર્ડ દ્વારા માન્ય આશરે ૫૦ જેટલા ૧થી ૨ વર્ષના વ્યવસાયલક્ષી સર્ટિફિકેટ કોર્સિસ ચલાવાય છે. આમાંથી કેટલાક કોર્સિસ પછી જે તે સંબંધિત ડિપ્લોમા-એન્જિ.માં ૧૫:૧ ની અનામત જગ્યા પર પ્રવેશનો
હક્ક મળે છે.

આઇટીઆઇ: વ્યવસાયલક્ષી તાલીમ મેળવવા રાજ્યમાં ૨૨૫ જેટલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં સો કરતાં પણ વધુ કોર્સિસ ચાલે છે.

અન્ય અભ્યાસક્રમો:

‘પ્રિપીટીસી: બાલમંદિર-બાલવાડીઓમાં કારકિર્દી ઘડવા માટે ૧૦ જેટલી સંસ્થાઓમાં એક વર્ષનો કોર્સ ચાલે છે.

‘ફાઈન આર્ટસ: ધો-૧૦માં ચિત્ર વિષય રાખનાર કે ડ્રોઇંગ ઇન્ટરમીડિયેટ પરીક્ષા પાસ થયેલાં વિદ્યાર્થી ૧૬ જેટલી ફાઈન આર્ટસ કોલેજોમાં પાંચ વર્ષના કોર્સ કરી શકે છે.

‘કૃષિ અભ્યાસક્રમો: ૧૬ જેટલાં કૃષિ વિદ્યાલયોમાં ૨ વર્ષનો ‘કૃષિ ડિપ્લોમા’ તથા પશુધન નિરીક્ષક તાલીમ કેન્દ્ર ખાતે એક વર્ષનો ‘લાઇવ સ્ટોક ઇન્સપેક્ટર’નો કોર્સ છે.

‘સી.પી.એડ.: પ્રાથમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષક તરીકેની કારકિર્દી ઘડવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ધોરણ ૧૦ પછી ૨ વર્ષની મુદતનો ‘સર્ટિફિકેટ ઇન ફિઝીકલ એજ્યુકેશન’ (સી.પી.એડ.)નો કોર્સ ૭ જેટલી સંસ્થાઓમાં ઉપલબ્ધ છે.
‘અમદાવાદ ખાતે ‘ઈન્ડો-જર્મન ટૂલ રૂમ’ સંસ્થામાં ‘ડિપ્લોમા ઇન ટુલ એન્ડ ડાઇ-મેકિંગ’ તેમજ ‘સર્ટિફિકેટ ઇન મશિનિસ્ટ ટુલ રૂમ’ નામના કોર્સ પણ છે.

‘ગર્વમેંટ આયુર્વેદિક કોલેજ, વડોદરા ખાતે ‘આયુર્વેદ કંપાઉન્ડર’ તેમજ જિલ્લા પંચાયત હેઠળની સરકારી હોસ્પિટલોમાં ‘ફિલ્મ હેલ્થ વર્કર’નો કોર્સ કરી શકાય.

No comments: