Monday, July 12, 2010
ચાલો, છેવટે તમે કસરત કરવા તૈયાર થયા તો ખરા. આજ સુધી તમે કસરત નહીં કરવાનાં અનેક બહાનાં કાઢ્યાં. વહેલા ઉઠાતું નથી. કોઈની કંપની નથી. મને કોઈ રોગ નથી. કસરત કરનારા પણ મરી જાય છે અને કસરત નહીં કરનારા પણ મરી જાય છે. કેટલાંય બહાનાં કાઢ્યાં. આજે મારે તમને જુદી જુદી કસરતની વિગતો આપવાની છે અને કસરતના ફાયદા ગણાવવાના છે.
કસરત એટલે શું ? શા માટે કરવી જોઈએ
એક વાક્યમાં જણાવું તો ભગવાને જ્યારે માનવીનો દેહ ઘડ્યો ત્યારે હાથ ને પગની રચના કરી. હાથને હલાવો અને પગને ચલાવો એનું નામ કસરત. હાથ હલાવવા ને પગ ચલાવવા એ સ્વાભાવિક ક્રિયા છે. આ ક્રિયા કરતી વખતે તમારા સાંધા અને સ્નાયુને શક્તિ જોઈએ. શક્તિ મળે લોહીમાંથી. કારણ લોહીમાં સૂક્ષ્મ સ્વરૂપે તમે ખોરાકમાં લીધેલ કાર્બોહાઈડ્રેટ (સાકર) હોય અને આ સાકરનું દહન ઓક્સિજન કરે, જે તમે ફેફસા વાટે શ્વાસોશ્વાસની ક્રિયા કરતી વખતે શરીરમાં લો છો. હૃદયનાં દરેક ધબકારા વખતે ચોખ્ખું લોહી લોહીની નળીઓ મારફતે શરીરના દરેક અંગોના કોષમાં જાય.
જ્યારે તમે અટક્યા વગર કોઈપણ કસરત ૩૦ થી ૪૦ મિનિટ નિયમિત કરો તો હૃદયના સ્નાયુ ધીરે ધીરે એટલા મજબૂત થાય કે તેના ધબકારા જે એક મિનિટના ૭૫ થી ૮૦ સામાન્ય રીતે હોય તે ધીરે ધીરે ઓછા થાય. આનો અર્થ કે હૃદયના એક જ ધબકારામાં ખૂબ લોહી શરીરના ખૂણે ખૂણે પહોંચી જાય. બધાં જ અંગોને ચોખ્ખું ખૂબ શક્તિવાળું લોહી મળે અને બધાં અંગો જિંદગીના અંત સુધી તંદુરસ્ત રહે. આપણા શરીરને ઓક્સિજન વગર ના ચાલે. ઓક્સિજનને પ્રાણવાયુ શા માટે કહે છે? કારણ એ ‘શરીરમાં પ્રાણ ભરે છે.’ એક દાખલો લો. મીણબત્તીને સળગાવો તો સળગ્યા કરે.
એ સળગતી મીણબત્તી ઉપર કાચનું વાસણ ઢાંકી દો તો તે થોડી જ વારમાં હોલવાઈ જાય. આવું જ માનવીના શરીરનું છે. શરીરને નિયમિત જિંદગીના અંત સુધી તંદુરસ્ત રાખવું હોય તો કસરત કરવી પડે. કસરત ના કરો તો જેમ પેલી મીણબત્તી હોલવાઈ જાય તેમ શરીરનાં અંગોને ઓક્સિજન ના મળે તેથી શરીર પણ હોલવાઈ જાય એટલે કે જલદી ઘરડું થાય. વાળ ધોળા થાય, દાંત પડી જાય. આંખે ઓછું દેખાય. કાને ઓછું સંભળાય. યાદશક્તિ, પાચનશક્તિ, જાતીય શક્તિ ઓછી થઈ જાય. ચાલવામાં-ઉઠવા બેસવામાં તકલીફ થઈ જાય અને શરીર અનેક રોગોનું ઘર થઈ જાય.
કસરત નક્કી કરો એ પહેલાં કસરતના ફાયદા પણ જાણી લો
૧. શારીરિક રીતે તંદુરસ્ત જિંદગીના અંત સુધી રહેશો. ૨. ખૂબ સ્ફૂર્તિ લાગશે. ૩. શરીરનું વજન કાબુમાં રહેશે. ૪. તમારૂં આયુષ્ય ખૂબ લાંબુ થશે. ૪. ઊંઘ નિરાંતે આવશે. ૫. ડાયાબીટીસ, બી.પી., હૃદયરોગ, સ્ટ્રોક જેવા રોગ નહીં થાય. ૬. રોગપ્રતિકાર શક્તિ એટલે કે ઈમ્યુનીટી વધશે જેથી કોઈપણ પ્રકારના ચેપીરોગ થશે નહીં. ૭. કેન્સર જેવા ભયાનક દર્દો નહીં થાય. ૮. ઓસ્ટીઓ પોરોસીસ જેવો રોગ થતો નથી. ૯. સાંધાનો વા એટલે કે આર્થાઈટીસ થતો અટકે છે. ૧૦. કંપવા (પાર્કિન્સન્સડીસીઝ) થતો નથી. ૧૧. કસરતથી તમારો જીવન પ્રત્યેનો અભિગમ હકારાત્મક થાય છે. એટલે ખોટી ચિંતા થતી નથી. સારા કે નરસા દરેક પ્રસંગે માનસિક તનાવ થતો નથી.
કસરત વિષેના તમારા ખોટા ખ્યાલો કેટલા બધા છે !
૧. કસરત કરવાથી થાક લાગે છે ઃ આડેધડ વધારે પડતી કસરત કરો તો થાક લાગે. નિયમપાલન અને થોડી સાવધાની રાખો તો થાક નહીં લાગે.
૨. કસરતમાં ટાઈમ ઘણો બગડે ઃ વધારે કસરત કરવાની નથી. ફક્ત ૩૦ થી ૪૦ મિનિટ ૨૪ કલાકમાં કસરત કરવાની છે. જમ્યા પછી તરત નહીં પણ બીજા કોઈપણ સમયે કસરત કરી શકાય છે.
૩. સ્ત્રીઓ અને વડીલોએ કસરતની જરૂર નથી ઃ સ્ત્રીઓ ઘરકામ કરતી હોય તો તેમણે કસરત કરવાની જરૂર નથી. વૃદ્ધ માણસો અને સ્ત્રીઓ બન્ને લોકોએ કસરત કરવી જોઈએ. કારણ બન્નેને કસરતનો ફાયદો થવાનો જ છે.
૪. કસરત કરવાનો કંટાળો આવે છે ઃ શરૂઆતમાં થોડું અજુગતું લાગે પણ જેવા થોડા દિવસ જશે એટલે સારું લાગે. પછી કંટાળો નહીં આવે.
કસરતના નિયમો
૧. કોઈપણ કસરત શરૂ કરતાં પહેલાં મેડીકલ ચેકઅપ જરૂરી છે.
૨. કોઈપણ કસરતનો ફાયદો થવામાં થોડી વાર લાગે. માટે ઉતાવળ કરી કસરતનો વેગ (ઈન્ટેન્સીટી) અથવા પ્રમાણ વધારશો નહીં.
૩. કસરત કુલ ૪૦ મિનિટ કરવી જોઇએે, જેમાં ૩૦ મિનિટ એરોબીક (હૃદય-ફેફસા-રક્તવાહિનીની ક્ષમતા વધે તેવી), ૫ મિનિટ ફલેક્ષીબીલીટી (સાંધાની ક્ષમતા વધારનારી) અને ૫ મિનિટ મસલપાવર- એન્ડયોરન્સ (સ્નાયુની ક્ષમતા વધારનારી) કસરત એમ સમય રાખવો જોઈએ.
૪. કુટુંબમાં કોઈ વારસાગત બિમારી હોય તો ડૉક્ટરની સલાહ લઈને કસરત કરશો.
૫. સિઝન પ્રમાણે ગરમ કે પાતળા કોટનનાં કપડાં પહેરશો.
૬. કોઈપણ દબાણ હેઠળ કસરત ના કરશો એટલે કે ડાયાબીટીસ કે બી.પી. કાબુમાં આવી જાય માટે કસરત પરાણે કરો એવું ના થાય.
૭. કસરતના ફાયદા માટે ધીરજ રાખશો. કોઈપણ પ્રકારની ઉતાવળ ના કરશો.
૮. કસરત શરૂ કરીને થોડા વખતમાં છોડી દેવાની ચીજ નથી માટે કસરત માટે શરીરને તૈયાર કરો તે પહેલાં મનને મજબૂત કરો. તમે નિયમિત રહેશો તો તમને ફાયદો થવાનો જ છે. આ બન્ને વાત મનમાં પાકે પાયે નક્કી કરો તો તમે કસરત કરી શકશો.
૯. કસરત કરતી વખતે કે પછી શરીરના સ્નાયુ કે સાંધામાં દુખાવો થાય તેવી રીતે કે એટલી વધારે કસરત ના કરશો.
૧૦. તમે કે તમારા બાળકોએ જો નાનપણથી કસરત કરવાની ટેવ પાડી હશે તો મોટા પણે પણ તમે કસરત કોઈપણ તકલીફ વગર કરી શકશો.
તમારે કઈ કસરત પસંદ કરવી જોઈએ તે માટે જુદી જુદી કસરતોની વિગતો જાણો.
૧. ચાલવાની કસરત ઃ ચાલવાની ક્રિયા સરળ છે, સ્વાભાવિક છે. એક જગાએથી બીજી જગાએ જવા માટે પરમેશ્વરે માનવીને પગ આપ્યા છે. રોજેરોજની તમારી દિનચર્યામાં કે કામધંધામાં તમે ચાલો છો માટે કશું શીખવાનું નથી હોતું. શરીરની સંપૂર્ણ તંદુરસ્તી માટે અને રોગથી શરીરને દૂર રાખવા માટે ચાલવાની ક્રિયા કરવામાં આવે તેને ચાલવાની કસરત અથવા ‘ફીટનેસ વોકીંગ’ કહેવાય. પ્રયોગોથી સિદ્ધ થએલી વાત છે કે ચાલવાની ક્રિયા એ શ્રેષ્ઠ એરોબીક કસરત છે. એટલે કે તમારા હૃદય, ફેફસા અને રક્તવાહિનીની ક્ષમતા અને તંદુરસ્તી જાળવવા માટે ચાલવું એ શ્રેષ્ઠ અને સરળ કસરત છે.
કેવી રીતે ચાલવું જોઈએ ?ઃ ૧. રોલીંગ મુવમેન્ટ એટલે કે જે પગ આગળ મૂકો ત્યારે પહેલાં તે પગની એડી, પછી પગનો વચ્ચેનો ભાગ અને છેલ્લે પંજાનો ભાગ જમીનને અડે ત્યારે પાછળનો પગ જમીન પરથી ઊંચો થઈ આગળ આવે તે રીતે ચાલવું જોઈએ. ચાલો ત્યારે બન્ને પગમાંથી એક જમીનને અડેલો હોવો જોઈએ. ૨. પેટ બને તેટલું અંદર અને કમર સીધી રાખી ચાલવું જોઈએ. ૩. બન્ને હાથ સ્વાભફાવિક રીતે ચાલતી વખતે આગળ પાછળ જાય તે રીતે વધારે જોરથી પણ નહીં અને એકદમ ધીમેથી પણ નહીં તે રીતે હલાવીને ચાલવું જોઈએ. ૪. આંખો સામે અને થોડી થોડી વારે નીચે જમીન પર રાખવી જોઈએ.
૫. ચાલવાની શરૂઆત કરો ત્યારે શરૂમાં પાંચ મિનિટ વોર્મઅપ એટલે કે શરીરને ચાલવાની ક્રિયા માટે તૈયાર કરવાની ક્રિયા કરવી જોઈએ. જેમાં એક જગાએ ઊભા રહી હાથ ઉંચાનીચા કરવા, કમરેથી વળવું કે ગોળગોળ હાથ લાંબા કરી ધૂમવું કે સૈનિકની માફક વારાફરતી પગ ઊંચા કરી નીચે મૂકવા (ડ્રીલ કરવી) વગેરે ગણાય. ૬. ત્યાર પછી એકધારૂ ૩૦ મિનિટ ચાલવાની ક્રિયા કરવી જોઈએ જેમાં તમારી ઝડપ ૧૦ થી ૧૨ મિનિટમાં એક કિલોમીટરની રાખવી જોઈએ. આ ભાગ તમારી કસરતતો ‘‘એરોબીક પાર્ટ’’ ગણાય. ૭. ચાલવાનું (૩૦ મિનિટ) પૂરું થાય ત્યાર પછી પાંચ મિનિટ કુલડાઉન એટલે કે આસનો કરવા જોઈએ જેથી હૃદય અને ફેફસા તેમજ સાંધા અને સ્નાયુને આરામ મળે.
ચાલવાની કસરત કોણે ન કરવી જોઈએ ?
૧. જે વ્યક્તિઓને એનીમીયા હોય (લોહી ઓછું હોય), વાઈનું દર્દ હોય, ચક્કર આવતા હોય, કંપવાનું દરદ હોય, જન્મજાત ખોડ (પગની) હોય, રૂમેહોઈડ (વા) આર્થાઈટીસ હોય, હાર્ટ એટેક આવેલો હોય, થોડું પણ ચાલતાં શ્વાસ ચઢી જતો હોય તેવી ફેફસાની બિમારી (દમ) અથવા હૃદયની તકલીફ (હૃદય મોટું થઈ ગયું હોય), દારૂ જેવા કેફી દ્રવ્યો લીધા હોય, કોઈપણ બિમારી (તાવ) કે ઓપરેશનમાંથી હમણાં જ સાજા થયા હોય, લોહીના દબાણના રોગ- (બી.પી.)નો કાબુ ના રહેતો હોય, માનસિક રોગની દવા ચાલુ હોય, મોટી ઊંમર હોય અને પગના સાંધાની તકલીફ હોય. ગર્ભવતી સ્ત્રી હોય, બાયપાસ સર્જરી કરાવે એક મહિનો જ થયો હોય, આ બધી પરિસ્થિતિમાં ચાલવાની કસરત ના કરવી જોઈએ અથવા ડૉક્ટરની સલાહ લઈને કસરત કરવી જોઈએ.
૨. સ્વિમિંગ (તરવા)ની કસરત ઃ સ્વિમિંગ આદર્શ કસરત છે. કારણ તમે કંટાળ્યા વગર આખી જિંદગી કરી શકો છો. નુકશાન થવાનો સંભવ ઓછો છે. કારણ કે તમારું વજન પાણી ઝીલે છે, એટલે તમને શ્રમ પડતો નથી. સાંધા, સ્નાયુ અને હૃદય ફેફસા, રક્તવાહિનીની ક્ષમતા આખી જિંદગી સરસ રાખવા માટેની શ્રેષ્ઠ કસરત છે. સ્વિમિંગ આવડતું હોય અને સ્વિમિંગ કલબમાં મેમ્બરશીપ હોય તો મોટી ઊંમર સુધી કરી શકાય એવી આ એક માત્ર કસરત છે. તમારો ગોલ ૩૦ થી ૪૦ મિનિટમાં ૧ કિલોમિટરનું અંતર અટક્યા વગર તરવાનો રાખો. સ્વિમિંગ કરવામાં મઝા આવે છે. અદ્ભુત રીલેક્ષેશન મળે છે. બારે માસ સિઝનની ચિંતા કર્યા વગર કરી શકો તેવી આ એક માત્ર કસરત છે.
સ્વિમિંગની કસરત કોણેના કરવી જોઈએ ?ઃ કાનમાં કે ગળામાં કોઈ પણ પ્રકારનું ઈન્ફેકશન (ચેપ) હોય, ચામડીની બિમારી હોય. શરીરમાં કોઈ ઈજા થઈ હોય કે ઓપરેશન કરાવ્યું હોય, હાર્ટની કોઈ તકલીફ હોય, માનસિક બિમારી હોય, નશો કર્યો હોય, કોઈ દિવસ સ્વિમિંગ કર્યું ના હોય, શ્વાસની કોઈ બિમારી હોય તો સ્વિમિંગ કરવું ના જોઈએ. અને ઉપર ચાલવાની કસરતમાં જણાવેલી બધી જ વિગતો ઉમેરવી.
સ્વિમિંગ કેવી રીતે કરશો ? ઃ કસરત તરીકે સ્વિમિંગ કરો ત્યારે સ્ટાઈલ અગત્યની નથી. કાનમાં ઈયર પ્લગ અને આંખ ઉપર સ્વિમિંગ ગોગલ્સ પહેરી મનને આનંદ મળે માટે મિત્રો સાથે સ્વિમિંગ કરશો તો આનંદ આવશે.
૩. સાયકલીંગ (સાયકલ ચલાવવાની કસરત)ઃ નાના હશો ત્યારથી સાયકલ ચલાવતાં આવડે છે. કસરત તરીકે કરવા માટે સરસ કસરત છે કારણ તેમાં પણ તમારા શરીરનું વજન સીટ ઉપર વહેંચાઈ જાય છે. આઉટડોર સાઈકલીંગને પણ તમે સ્વિમિંગ માફક શ્રેષ્ઠ કસરત કહી શકો છો પણ સાયકલ આવડતી હોય પણ રસ્તા સારા ના હોય, ટ્રાફિક બહુ હોય તો કસરત માટે સાયકલીંગ યોગ્ય નથી. વિકલ્પે ઘરમાં સાયકલ લાવી અને એ ‘સ્ટેશનરી સાયકલ’ પર રોજ ધીરે ધીરે વધારીને ૩૦ થી ૪૦ મિનિટ સાયકલ ચલાવી ૮ થી ૧૦ કિ.મિ.નું અંતર કાપવાનું એવો નિયમ રાખો. હવે અંતર, સ્પિડ અને હાર્ટના ધબકારા તમે સાયકલ ચલાવો ત્યારે ખબર પડે એવા ‘બીલ્ટ ઈન મીટર’ સાયકલમાં ફીટ કરેલા હોય છે. તમારું વજન વધારે હોય, ચાલી શકતા ના હો અને સ્વિમિંગ આવડતું ના હોય કે કરતાં શરમ લાગતી હોય તો સાયકલ (ઈન્ડોર) ચલાવવાની કસરત સારી ગણાય.
૪. લાફીંગ કલબની કસરત
શરીરની સંપૂર્ણ તંદુરસ્તી માટે ‘હાસ્યથેરેપી’ની કસરત એ તદ્દન નવો પ્રયોગ છે. થોડાક જ સમય (૨૦૦૧) પહેલાં જે વાતને હસવામાં કાઢી નાખવા જેવી હતી તે ‘‘ખુલ્લા દિલે હસવાની ક્રિયા’’થી શરીર સ્વસ્થ થાય છે એ વાત પ્રયોગોથી સિદ્ધ થઈ છે. દેશપરદેશમાં લાખો લોકો નિયમિત બગીચામાં, જાહેર જગામાં, ઘરમાં કે બહાર આ લાફીંગ કલબની કસરત કરે છે.
લાફીંગકલબની કસરતની વિશેષતા શું છે ?ઃ ૧. કોઈપણ ઉમરે આ કસરત શરૂ કરી શકાય છે. ૨. આ કસરતમાં કસરતના ત્રણે અંગ (સ્નાયુ, સાંધા અને હૃદય તેમજ ફેફસા)ને કસરત મળે છે. ૩. થોડા સમયમાં ફાયદો થાય છે. ૪. ગમે તે ઊંમરે શરૂ કરી શકાય છે. ૫. કોઈ ફી નથી ૬. કશી ટ્રેઈનીંગ લેવાની નથી. ૭. કોઈ સાધન (બુટ-સ્વિમિંગ કોશ્યુમ)ની જરૂર નથી. ૭. એકલા ઘરમાં કરી શકો. ગાર્ડનમાં ગુ્રપમાં કરી શકો. ૮. પહેલો ભાગ હાસ્ય પ્રાણાયામ, જેમાં ત્રણ પ્રકારની હસવાની ક્રિયા છે તે કરવાથી ફક્ત ૨૦ દિવસમાં તમારા શરીરમાં ફેફસાની ક્ષમતા વધવાથી છ થી આઠ ગણો ઓક્સિજન તમારા શરીરમાં જાય છે. ૯. બીજા ભાગ ‘હોલબોડી એકસરસાઈઝ’થી તમારા શરીરના બધા જ સ્નાયુ અને સાંધાને કસરત મળે છે.
૧૦. કુલ ૨૩૦ કેલરી બળે છે. સ્થળસંકોચને કારણે બીજી કસરતો. ૧. રનિંગ (દોડવું) ૨. જોગીંગ (ધીમી ગતિની દોડ), ૩. સ્ટેપ કલાઈમ્બીંગ (દાદર ચઢવો ઉતરવો), ૪. ટોઇંગ (હલેસા મારી હોડી ચલાવવી), ૫. સ્કીપીંગ, ૬. ડાન્સીંગની વિગતો આપી શકાઈ નથી પણ છેલ્લે શ્રેષ્ઠ કસરત કોને કહેશો એ નક્કી કરીએ. ૧. જે કસરતમાં કશું શીખવાનું ના હોય, ૨. એક પણ પૈસાની ફી ના હોય, ૩. સમયનું કે સ્થળનું બંધન ના હોય, ૪. કોઈ સાધનની જરૂર ના હોય, ૫. કોઈ ખાસ ડ્રેસની જરૂર ના પડે, ૬. નુકશાન થવાનો સંભવ ના હોય, ૭. ફાયદો થોડા વખતમાં થાય. ૮. ગમે તે ઊંમરે કરી શકાય. ૯. પ્રયોગોથી સિદ્ધ થયેલ હોય કે તેનાથી વઘુમાં વઘુ શારીરિક અને માનસિક ફાયદા થયા હોય.
હવે તમે નક્કી કરજો કે કઈ કસરત સારી. મારું માનો તો આ વાંચીને તરત જ તમારા ગામમાં કે શહેરમાં લાફીંગ કલબ ચાલતી હોય ત્યાં જઈને સૌથી શ્રેષ્ઠ કસરત ગણાય છે તે લાફટર થેરેપીની કસરત બે ચાર દિવસ જઈ શીખી જાઓ. પછી જ્યારે સમય હોય ત્યારે ઘરમાં કે ઓફીસમાં કે ગાર્ડનમાં એકલા કે સમૂહમાં આ કસરત નિયમિત શરૂ કરો અને પછી જુઓ થોડા વખતમાં તમારા શરીરમાં વધારે પ્રાણવાયુ જવાથી કેટલા બધા ફાયદા થાય છે. અને શ્રેષ્ઠ વસ્તુ તો કેટલા બધા મિત્રો બને છે. જીવન જીવવા જેવું લાગશે કારણ કે થોડા સમયમાં માનસિક દુવિધાઓ જતી રહેશે અને શારીરિક વ્યાધી જતાં રહેશે અથવા કાબુમાં આવી જશે.
જેમ જેમ માણસ ઈંદ્રિયોની આસક્તિમાંથી દૂર થતો જશે અને આત્મા પ્રત્યે લીન થતો જશે, તેમ તેમ એના જીવનનું સંગીત બદલાતું જશે.
આપણી પાંચ ઈંદ્રિયો અને તેને પોતાની આજ્ઞા પ્રમાણે ઇચ્છે તેમ ચલાવતું, ફંગોળતું આપણું મન. તમે કલ્પના કરો કે પાંચ તોફાની, ઉદ્ધત, ખૂંખાર અને અત્યંત વેગથી દોડતા અશ્વોવાળો રથ હોય અને એ રથનો સારથિ આંખો મીંચીને રથ દોડાવતો હોય તો કેવું થાય? બસ, આવી છે આપણી પાંચ ઈંદ્રિયો અને તેના પર સવાર આપણું મન. એ ઈંદ્રિયો માનવીમાં વિકાર જગાવે છે અને એનું મન એને આંધળો ભીંત બનાવીને દોડાવ્યે જાય છે. જેઓ ઈંદ્રિયો દોડાવે તેમ દોડતા હોય છે અને સદા એની શરણાગતિ સેવતા હોય છે, એવા લોકો સતત દુઃખી અને સંતપ્ત રહે છે. વાસના પર જેનો વિજય ન હોય, એના મનને જરા બહાર કાઢીને જોશો, તો ખ્યાલ આવશે કે મનમાં વાસનાની પ્રાપ્તિ માટે કેવી દોડધામ મચેલી છે! સ્વાદલોલુપ માનવીની નજર સદૈવ વાનગીઓ પર ચકળવકળ ધુમતી હોય છે અને મીઠાઈની દુકાન જોતાં એનું મન કેટલું બઘું વિક્ષુબ્ધ બની જાય છે.
ઈંદ્રિયોનું શરણ એ માત્ર દુઃખનો માર્ગ તો છે જ, કિંતુ એ વિનાશનો પણ માર્ગ છે. એને શરણે જઈ વ્યક્તિ પોતે પોતાના વિનાશને સામે ચાલીને નિમંત્રણ આપતો હોય છે. ઈંદ્રિયોના તાલે એ કૂદી-કૂદીને નાચતો હોય છે, ત્યારે એને ખ્યાલ હોતો નથી કે એ શું કરી રહ્યો છે? કારણ કે ઈંદ્રિયોથી સાંપડતા સુખની કલ્પનામાં એ રમમાણ હોય છે. એ વિચારે છે કે આ ઈંદ્રિય સુખ મળશે એટલે કેટલો બધો અપાર આનંદ પ્રાપ્ત થશે; પરંતુ એ સુખ ક્ષણિક હોય છે અને પછી તો માત્ર દુઃખ જ રહે છે.
ખ્રિસ્તી ધર્મમાં કહ્યું છે, ‘કોઈ પણ વ્યક્તિ બે માલિકની સેવા કરી શકતી નથી.’ જ્યારે અહીં તો માત્ર બે માલિક નથી; પરંતુ એની પાંચેય ઈંદ્રિયો એની માલિક છે. આવી પાંચેય ઈંદ્રિયોના ભોગમાં ડૂબેલા માણસની કેવી દુર્દશા થતી હશે? જ્યાં બે ઈંદ્રિયોને સાચવવી મુશ્કેલ છે, ત્યાં પાંચ-પાંચ ઈંદ્રિયો ભેગી થાય ત્યારે કેવો ઉલ્કાપાત સર્જાતો હશે! વળી, માણસનું ચિત્ત એને ક્યારેક ભૂતકાળમાં, તો ક્યારેક ભવિષ્યકાળમાં ધુમાવતું રહે છે.
વાત છે માત્ર એટલી એ ઉછળતી, ઉધમાત કરતી ઈંદ્રિયો પર સંયમ રાખવાની. કવિઓએ નારીસૌંદર્યનાં વર્ણનો કર્યાં છે, ત્યારે એમણે નારીને વાસનાની દ્રષ્ટિથી જોઇ નથી; પરંતુ સુંદરતાની દ્રષ્ટિએ એને નિહાળી છે. માણસ પૌષ્ટિક ભોજન કરે એ આવશ્યક છે; પરંતુ જીભને વશ થઈને અત્યંત સ્વાદિષ્ટ ભોજન પાછળ ઘેલો બને તે ખોટું છે એટલે કે એને માટે ઈંદ્રિયોનો વ્યાપાર જરૂરી છે, જોવાનું, સાંભળવાનું, ભોજન કરવાનું - એ બઘું પણ આવશ્યક છે. આંખ, કાન, જીભ, દેહ વગેરેની સંભાળ પણ લેવી જોઈએ; પરંતુ એ સંભાળ એમના સ્વાસ્થ્ય પૂરતી છે. એની અતિ સંભાળ દુઃખદાયી બને છે. દેહની વઘુ પડતી ચિંતા કરતા અને એની ફૅશનમાં કલાકોના કલાકો ગાળતી વ્યક્તિને જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે, ત્યારે કેવું થાય છે? પહેલાં જે તેજસ્વી અને ચમકદાર ત્વચા જોતો, એ જ માણસ પોતાની કરચલીયુક્ત ત્વચા જોઈને કયો ભાવ અનુભવશે? શરીર પરત્વેની આપણી ઘેલછા આત્માને વિસ્મૃત કરાવી દે છે. શરીરસુખને જ સર્વસ્વ માનનારના શરીરમાં જ્યારે વ્યાધિ થાય છે, ત્યારે એને કેવો અનુભવ થાય છે?
એવરેસ્ટ વિજેતા શેરપા તેનસિંગ જગતના સૌથી ઉંચા શિખરને આંબનારો પહેલો માનવી હતો અને એ જ શેરપા તેનસિંગ એની જિંદગીના અંતિમ સમયમાં માંડ-માંડ ચાલી શકતો હતો. એને માટે એક ઊંબરો ઓળંગવો, એ એવરેસ્ટ ઓળંગવાથી પણ વઘુ યાતનાદાયક હતું, આથી જે શરીરસુખને જ પોતાના જીવનનું ઘ્યેય માને છે, એને નિરાશ થવું પડે છે.
કેટલાય ભવ સુધી એણે પોતાના દેહને સર્વસ્વ માન્યો છે અથવા તો દેહને મુખ્ય માનીને આત્માને તદ્દન ગૌણ ગણ્યો છે. જરા, આ જન્મમાં એ વિચાર કરીશું કે આપણા આત્માને મુખ્ય રાખીને એની પાછળ ગૌણ રૂપે દેહને રાખીએ. જો આ પરિવર્તન સધાય, તો આ જન્મમાં વ્યક્તિ ઘણું આઘ્યાત્મિક પાથેય પામી શકે. બીજા અર્થમાં કહીએ તો વ્યક્તિ એની ભવોભવની ભૂલ સુધારી શકે. આત્માને ભૂલનારો એ માનવી હવે આત્માને આગળ રાખીને ચાલતો હશે. ઈંદ્રિયોનો એ ગુલામ હવે ગુલામી ત્યજીને એનો માલિક બની બેઠો હશે. ચંચળ, આમતેમ ભટકતું એનું ચિત્ત હવે શાંત સમાધિમાં ડૂબેલું હશે.
જેમ જેમ એ ઈંદ્રિયોની આસક્તિમાંથી દૂર થતો જશે અને આત્મા પ્રત્યે લીન થતો જશે, તેમ તેમ એના જીવનનું સંગીત બદલાતું જશે. એક સમયે એના મનને કામોત્તેજક દ્રશ્યો આકર્ષતાં હતાં અને એ એની પાછળ દોટ લગાવતો હતો, હવે એવાં દ્રશ્યો તરફ એ જાણે નગણ્ય હોય એમ સામાન્ય નજરે જોતો હશે. જે વાનગી જોઈને એનું આખું અસ્તિત્વ ઝૂમી ઊઠતું હતું અને જેને આરોગવા માટે એ અતિ ઉત્સુક બની જતો હતો, એ જે વાનગી સામે પડી હશે અને એનું રુંવાડું પણ ફરકતું નહીં હોય. પહેલાં જ ગતિ ઈંદ્રિયો તરફ હતી, એ ગતિ હવે સાવ વળાંક લઈને આત્મા પ્રત્યે થાય છે. એક સમયે કાનને ઘોંઘાટનું સંગીત પસંદ હતું, હવે એ કાન સિતાર, વીણાં કે વાયોલીનના શાંત સૂરોની ઝંખના કરે છે. નરસિંહ, મીરાં, ગંગાસતીનાં ભજનો એને ગમે છે.
પહેલાં એ સતત બોલતો રહેતો હતો, વાણીવિલાસ કરતો હતો, મોબાઇલ પર કલાકોના કલાકો સુધી લાંબી વાતો કરતો હતો, હવે એને વાણીના બદલે મૌન વિશેષ ગમે છે. બહુ બોલવાને બદલે અતિ અલ્પ વચનો બોલે છે. પહેલાં બોલતાં પૂર્વે એ વિચાર કરતો નહોતો કે હું જે બોલું છું તે યોગ્ય, વિવેકપુરઃસરનું અને આવશ્યક છે ખરું? હવે, એ બોલે છે ત્યારે પહેલાં વિચારે છે કે મૌન તોડીને આટલું બોલવું જરૂરી છે ખરું, કે પછી મૌનમાં રહેવું જ આવશ્યક છે.
એ અનુભવશે કે એક સમયે જ્યાં ઈંદ્રિય - વાસનાનો મહાસાગર ધૂઘવતો હતો, તેવા હૃદયમાં ઉંચે ઉછળતાં મોજાંઓ આત્માની ઓળખને પરિણામે શાંત થઈ ગયા છે. એક સમયે વાસનાના વિચારોને કોઈ નિયંત્રણ નહોતું, હવે ધીરે ધીરે એ બધા આથમી ગયા છે અને હૃદય એ કામનાના ધૂઘવતા સાગરને બદલે સાક્ષીભાવનું શાંત સરોવર બની ગયુ છે. એમાં ક્યારેક, ક્યાંક, થોડીક વાર કોઈ વમળ જાગે છે, પણ એ જાગે છે તેવાં જ જળમાં વિલીન થઈ જાય છે. વાસનાના તોફાની સાગરને બદલે શુદ્ધ પ્રેમનું શાંત સરોવર જોવા મળે છે અને એને ખ્યાલ આવે છે કે હવે પૂર્વે બહારની આકર્ષક લાગતી દુનિયાનું આકર્ષણ આથમી જાય છે. એની ગતિ જ બદલાઈ જાય છે.
એ બહારને બદલે પોતાના ભીતર તરફ ગતિ કરે છે. પહેલાં બહારના કોલાહલ સાંભળવામાં એને ખૂબ આનંદ પડતો હતો. કોઈ ઘોંઘાટ ભરેલું સંગીત હોય, કોઇ ડિસ્કોનું ગીત હોય કે પછી કોઈ વ્યક્તિની નિંદા-કૂથલી હોય, એ એના કાનને ખૂબ ગમતા હતા. હવે? હવે એવી પરિસ્થિતિ છે કે ઘોંઘાટિયું સંગીત સાંભળીને એનાથી દૂર જવાનું મન થાય, કોઈની નિંદા સાંભળીને એનાથી અળગા રહેવાનું મન થાય અર્થાત્ કાનની ઈંદ્રિય તો છે જ; પરંતુ એ ઈંદ્રિયનું કાર્ય બદલાઈ ગયું છે.
આજ સુધી એ સુંદર સ્ત્રીના અંગોપાંગનો, સ્વાદિષ્ટ વાનગીનો, કોઈની ટીકાનો, મોહક દ્રશ્યોનો અને સુંવાળા સ્પર્શનો આશક હતો. હવે એ બધાને બદલે એ એના આત્માનો આશક બને છે. એ પોતાના ભીતરના સૂરને સાંભળવા પ્રયત્ન કરે છે, એ પોતાના સ્વ-રૂપને જોવા માટે થનગને છે, એને હવે બહારના સ્વાદ કે સુગંધમાં રસ રહ્યો નથી અને એ કોઈ વ્યક્તિને સુંવાળો સ્પર્શ કરવાને બદલે ઇશ્વરની મૂર્તિને મુલાયમ સ્પર્શ કરે છે. આ રીતે ઈંદ્રિયના વિષયોને અતિક્રમી જાય છે અને આત્મા સુધી પહોંચીને એના આનંદમાં રમમાણ બને છે.
આજકાલ માનવી એવી પરિસ્થિતિથી ઘેરાયેલો રહે છે જેનાથી એનું મન ખિન્ન, ઉદાસ અને ઉચાટથી ભરેલું રહે છે. આ દુર્ભાવોથી ચિંતા અને તનાવ પેદા થાય છે. આ રીતે મન તનાવગ્રસ્ત થાય છે એટલે એનું સમગ્ર શરીરતંત્ર ખોરવાઈ જાય છે અને એનાથી અનેક અસ્વસ્થતા ઉદ્ભવે છે.
મનોચિકિત્સકો જણાવે છે કે માનસિક અસંતુલન જ બધી આધિ-વ્યાધિનું મુખ્ય કારણ છે. આ ક્ષેત્રમાં કરવામાં આવેલાં સંશોધનોથી સિદ્ધ થયું છે કે ચિંતા, ક્રોધ, ભય, ઇર્ષા, આવેશ, તનાવ અનેક બીમારીઓ જન્માવે છે. અગ્રગણ્ય મનોવિજ્ઞાની ડૉ. રોજર્સે તનાવ, દબાણ અને મનોવિકારો માટે માનસિક ભાવનાઓને કારણભૂત માની છે. જ્યાં સુધી આ દુર્ભાવોનું નિષ્કાસન ન થાય ત્યાં સુધી બીમારીઓ દૂર થતી નથી. માનવીએ એના દોષ, દુર્ગુણ, પાપ, અપરાધ વગેરેને કોઈ યોગ્ય, સમજુ, વિશ્વાસપાત્ર વ્યક્તિ આગળ પ્રગટ કરી દેવા જોઈએ અથવા એમનું પ્રાયશ્ચિત્ત કરી લેવું જોઈએ
જેથી એમના મનમાં પડેલા એ દબાયેલા-કચડાયેલા ભાવો મનમાંથી બહાર નીકળી જાય. જો એમ ન થાય તો મનમાં બેચેની, ખિન્નતા, વ્યગ્રતા, ઉદાસીનતા છવાયેલી રહે છે, જે છેવટે બીમારીના રૂપે પરિવર્તિત થઈ જાય છે. શ્રદ્ધા, પ્રેમ, પ્રસન્નતા, સહયોગ, સમર્પણ જેવા સદ્ગુણ અને હકારાત્મક વિચારસરણી આવા મનોદૈહિક રોગોને પ્રગટ થવા દેતા નથી અથવા એમાંથી જલદી મુક્ત કરી દે છે.
‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’ના જણાવ્યા પ્રમાણે વિકસિત, ધનિક દેશોમાં જે વ્યક્તિઓના મરણ નીપજે છે એમાં અડધો અડધ તો હૃદયરોગથી જ નીપજે છે. આ રોગનું આટલું મોટું પ્રમાણ તબીબી સાધનોના અભાવે કે પરિસ્થિતિની પ્રતિકૂળતાને કારણે આવ્યું નથી પણ ચિંતા અને તનાવભરી જિંદગીને કારણે આવ્યું છે. સાન ફ્રાન્સિસ્કોના વિખ્યાત હૃદયરોગ વિશેષજ્ઞ ડૉ. ફ્રીડમેન અને રોઝમેને અતિ મહત્ત્વાકાંક્ષી, પ્રતિસ્પર્ધી, અસંયમી-નિરંકુશ જીવન જીવનારા અને એનાથી વિપરીત બિનમહત્ત્વાકાંક્ષી, સંતુષ્ટ, સંયમી, નૈતિક જીવન જીવનારા એમ બન્ને પ્રકારની પ્રકૃતિ ધરાવતા લોકો પર તુલનાત્મક અભ્યાસ કર્યો હતો.
આના આધારે એ જણાવે છે કે અતિમહત્ત્વાકાંક્ષી, અસંયમી, અનૈતિક જીવન જીવનારા લોકો વધારે તનાવગ્રસ્ત જોવામાં આવ્યા હતા અને એ હૃદયરોગનો ભોગ બન્યા હતા. આના જેવા અનેક સંશોધનો કરનારા અન્ય હૃદયરોગ વિશેષજ્ઞો પણ કહે છે કે મનોભાવ દબાવવાથી તનાવ પેદા થાય છે જેનાથી એડ્રિનલ ગ્રંથિઓમાંથી હોરમોન્સ વધારે પ્રમાણમાં સ્રવે છે. આને લીધે લોહીની ધમનીઓ સંકોચાઈ જાય છે અને હૃદય સુધી લોહીને પહોંચવામાં તકલીફ ઊભી થાય છે. આના લીધે હૃદયને નુકસાન થાય છે અને હૃદયરોગનો હુમલો થાય છે.
હૃદયરોગ વિશેષજ્ઞ ડૉ. ઈરવિન કહે છે કે આંતરિક શાંતિ, સંયમ અને આત્મ-વિશ્વાસ તનાવ, દબાણ અને હૃદયરોગની રામબાણ દવા છે. સહૃદયતા, સહકાર, પ્રેમ, પરોપકાર જેવા સદ્ભાવો હૃદયરોગની તકલીફને હળવી કરી દે છે. આવી જીવનશૈલી અપનાવનારા અનેક હાર્ટ એટેક આવી ચૂકેલ દર્દીઓ બીજા કરતાં વધારે જીવી શક્યા હતા. વિખ્યાત મનોરોગ ચિકિત્સક ડૉ. સ્ટેકલના મત પ્રમાણે માનવીના સ્વાસ્થ્ય અને સંતુલનનો આધાર તેના આહાર-વિહાર પર ઓછો પણ માનસિક ભાવો પર વધારે હોય છે!
વિખ્યાત સર્જન ડૉ. બર્ની સીગેલ કહે છે કે પ્રેમ અને સામીપ્ય, સહયોગ તંદુરસ્તી પર મોટી અસર નિપજાવે છે. આના અભાવે માનવી બીમાર પડે છે. બીમાર પડેલા માનવીને આવા સદ્ભાવો પ્રાપ્ત થાય તો એ જલદી સાજો થઈ જતો જોવામાં આવે છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ડૉ. ડેવિડ સ્પિગેલે આ માન્યતાને ચકાસવા પ્રયોગ પણ કર્યો. તેમણે કેન્સરના દર્દીઓને બે વિભાગમાં વહેંચ્યા અને એમની રહેણી-કરણીનો અભ્યાસ કરી એના પરિણામો જોયા. એક વિભાગના દર્દીઓને માત્ર દવા અને પરેજી આપ્યા. બીજા વિભાગના દર્દીઓને દવા અને પરેજી સાથે પ્રેમ અને સામાજિક સહયોગ પ્રાપ્ત થાય તેવી ગોઠવણ કરી. એના પરિણામોથી ડૉ. સ્પિગેલ આશ્ચર્યચકિત થઈ ગયા. પહેલા જૂથના દર્દીઓ જેમણે ચુસ્તપણે દવા ખાધી હતી અને પરેજી પણ પાળી હતી તે વહેલા મૃત્યુ પામ્યા હતા અને બીજા જૂથના દર્દીઓ જેમણે એ જ દવા અને પરેજી લીધા હતા પણ વધારામાં કોઈનો પ્રેમ, સહકાર કે સહયોગ પામ્યા હતા તે પેલા દર્દીઓ કરતાં ઘણું વધારે જીવ્યા હતા!
આવો જ એક પ્રયોગ હૃદયરોગના દર્દીઓ પર કરવામાં આવ્યો. ડૉ. મેયર ફ્રેડમેને આ દર્દીઓને ત્રણ જૂથમાં વહેંચી દીધા. પહેલા જૂથના દર્દીઓને યોગ્ય ખોરાક આપવામાં આવ્યો, સારામાં સારી દવા અને રોગની સમજ આપવામાં આવી પણ એમને એ સાથે કોઈનો સ્નેહ, સાથ કે સથવારો ન અપાયા. બીજા જૂથના દર્દીઓને યોગ્ય ખોરાક, પહેલા જૂથને આપવામાં આવી હતી એ જ સારામાં સારી દવા અને રોગની સમજ આપવામાં આવ્યા. એ ઉપરાંત પ્રેમાળ વ્યક્તિનો પ્રેમ અને હૂંફ મળે એવો સથવારો પણ આપવામાં આવ્યો.
જ્યારે ત્રીજા જૂથના દર્દીઓને માત્ર યોગ્ય ખોરાક અને પહેલા-બીજા જૂથના દર્દીઓને આપી હતી એ જ દવા આપી. પણ એમને રોગની સમજ ન આપી અને પ્રેમાળ સાથ-સહયોગથી પણ વંચિત રાખ્યા. પરિણામ ગજબનાક આવ્યું! પહેલાં જૂથના દર્દીઓમાંથી ૨૧ ટકાને જ ફરીથી હાર્ટએટેક આવ્યો. ત્રીજા જૂથના દર્દીઓમાંથી ૭૫ ટકાથી વધારેને ફરીથી હાર્ટ એટેક આવ્યો. જ્યારે બીજા જૂથના દર્દીઓમાંથી કોઈને પણ ફરીથી હાર્ટ એટેક ના આવ્યો! ડૉ. ડી.જે. વેસ્ટે એમના સંશોધનો બાદ એક સુંદર વિધાન કર્યું હતું - ‘લગભગ બધા રોગો પાછળ મનનો થોડો અમથો હાથ તો હોય જ છે અને ઘણાબધા રોગો પાછળ તો એનો બહુ મોટો હાથ હોય છે!’
મનને ‘રાંકડું’ કે ‘સાંકડું’ નહગીં, ‘ફાંકડું’ બનાવો
એક સંત પાસે શ્રઘ્ધાશીલ યુવક આશીર્વાદ લેવા ગયો. એ પોતાનાં સપનાંને સાકાર કરવા ઈચ્છતો હતો. સંતે એને કહ્યું ઃ ‘‘દીકરા, સપનાં માત્ર જોવાની વસ્તુ નથી, માત્ર પાળવા કે પંપાળવાની વસ્તુ નથી, સપનાંને તપાવીને પોલાદી બનાવવાં પડે છે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય વિના વિલંબે લેવો એ પણ સ્વપ્ન-સિઘ્ધિ ને ખતરામાંથી બચવાનો એક મહત્વનો ઉપાય છે!’’ થોડી વાર રોકાયા બાદ સંતે કહ્યું ઃ ‘‘બાણાવળી અર્જુન બાહોશ હતો, પણ દરેક વાતમાં વધારે પડતા તર્કને રવાડે ચઢીને નિર્ણય લેવામાં વિલંબ કરતો.’’
વાત મહાભારતના યુઘ્ધના દિવસોની છે. શ્રીકૃષ્ણ સાવધાનીપૂર્વક અર્જુનના રથનું સંચાલન કરતા હતા એટલે અર્જુન અનેક આફતોમાંથી બચી જતો. મહાભારતનું યુઘ્ધ સમાપ્તિને આરે હતું. સાંજનો સમય હતો. કૃષ્ણ અર્જુનના રથને પાંડવોની વિશ્રામછાવણી પાસે લઇ આવ્યા અને અર્જુનને રથમાંથી જલ્દી ઉતરી જવાની વિનંતી કરી. પરંતુ અર્જુન રથમાંથી ઉતર્યો નહીં. અર્જુન મનોમન વિચારી રહ્યો હતો કે - પોતાના પરમ આદરણીય સારથી શ્રીકૃષ્ણ રથમાં બેઠેલા હોય અને પોતે પ્રથમ કેવી રીતે ઉતરી શકે?
શ્રીકૃષ્ણે ભારપૂર્વક કહ્યું ઃ ‘‘અર્જુન, તમારા ભાઇઓ તમને મળવા આતુર છે. જલ્દી રથમાંથી ઉતરી તેમને મળી લો.’’
પણ અર્જુને શ્રીકૃષ્ણ જ પહેલા ઉતરે તેવી જીદ પકડી.
શ્રીકૃષ્ણે કહ્યું ઃ ‘‘અર્જુન, જલ્દી રથમાંથી ઉતરો. હું અત્યંત થાકેલો છું. તમે રથમાંથી ઉતરો એટલે હું પણ રથમાંથી કૂદી પડીશ.’’
અર્જુનને શ્રીકૃષ્ણના શબ્દો રહસ્યમય લાગ્યા. તે રથમાંથી તરત જ નીચે ઉતર્યો અને શ્રીકૃષ્ણ પણ રથમાંથી કૂદકો મારી જમીન પર પહોંચી ગયા.
શ્રીકૃષ્ણ રથમાંથી જેવા નીચે ઉતર્યા કે તરત જ રથમાં આગ પ્રજ્વલિત થઇ અને ભડભડ બળવા માંડ્યો.
અર્જુન વિસ્મિત હતો. એનું વિસ્મય દૂર કરવા કૃષ્ણે કહ્યું ઃ ‘‘અર્જુન, આજે આખો દિવસ શત્રુઓએ ‘અગ્નિ બાણ’નો મારો ચલાવ્યો હતો, પણ મેં મંત્રશક્તિથી એનો પ્રભાવ અને પરિણામ રોકી રાખ્યું હતું. હું જાણતો હતો કે હું રથમાંથી જેવો ઉતરીશ, એટલે અગ્નિ-બાણનો પ્રભાવ શરૂ થઇ જશે. એટલે જ હું તને રથમાંથી વહેલો અને ઝડપી રીતે ઉતરી જવાનો આગ્રહ કરતો હતો.’’
જિંદગીમાં દરેક સ્વપ્નશીલ અને સિઘ્ધિપિપાસુ માણસે અંતરાત્મા રૂપી સારથીનો આદેશ માનીને યોગ્ય સમયે ત્વરિત નિર્ણય કરવાનો છે. સપનાં તો કામધેનું છે. એને દોહી લેવા માટે બ્રાહ્મણને મુહૂર્ત પૂછવાની જરૂર નથી. કામધેનુના આંચળને નિચોવી લેવાની નહીં પણ શ્રઘ્ધાપૂર્વક તેની માવજત કરીને મનોવાંછિત દૂધ પ્રાપ્ત કરી લેવાની કુનેહ માણસે કેળવવી પડે છે!
જીવન એટલે વાવેતરની મોસમ. યોગ્ય બીજ વાવ્યા વગર ઉતાવળે આંબા પકવી લેવાનાં ખ્વાબમાં રાચનારના હાથમાં સરવાળે પશ્ચાત્તાપ જ આવે છે. કાર્ય માણસ પાસે જહેમત માગે છે, કામ માણસ પાસે ખંત અને ખમીર માગે છે. જેઓ કામને ‘પતાવવા’ માગે છે. મોકો મળે કામ તેને ‘પતાવી’ નાખે છે.
બહાનાંખોર, પ્રમાદી, નિષ્ઠાહીન અને બેજવાબદાર લોકો જીવનને ‘અભિશાપ’ કહી નિંદતા હોય છે. નજીવી બાબતની ઉપેક્ષાઓ જ ભયાનક હાનિની ભૂમિકા સર્જી દેતી હોય છે. પ્રત્યેક ક્ષણ કશુંક શ્રેષ્ઠ અર્પવા ઉત્સુક હોય છે- જો તમે તેનો લાભ લેવાની કળાથી માહિર બનો તો. સ્વપ્નસિઘ્ધિનો માર્ગ છે, ‘આજ’ની, મળેલી ઘડીની- ક્ષણની ‘લાજ’ રાખવાની પૂર્ણ તૈયારી. આપની ‘આજ’ વિશે ભવિષ્યવેત્તાઓ ગમે તેવી આગાહી કરે પણ આપની ચોકસાઇ, જવાબદારીની ભાવના, તકનો તકાજો સાંભળવા માટે સરવા કાન, નિયમિતતા, એકાગ્રતા, પરિશ્રમપ્રિયતા, ઉત્સાહ, સાહસિકતા અને કર્મ પરત્વેનો આદર અને શ્રઘ્ધા, આ બધાં તમારી સફળતાની યાત્રાને સલામત કાંઠે પહોંચાડનારી નૌકાનાં હલેસાં છે.
ભાગ્યનું સામ્રાજ્ય નિર્માલ્ય લોકોને ક્યારેય સુખ નામની સરહદમાં પ્રવેશવાનો ‘વિઝા’ આપતું નથી. એટલે જ ગેટે કહેતા કે તમે જ્યાં હો ત્યાં સંપૂર્ણ વ્યક્તિત્વ સાથે ઊભા રહો. કેમ ચાલવું એના કરતાં ક્યાં અને ક્યારે કેમ રોકાવું એ પણ એટલું જ અગત્યનું છે. એટલે જ સોક્રેટિસને કોઇ નવયુવક કે સ્વપ્નશીલ માણસ સ્વપ્નસિઘ્ધિ બાબતે મળવા જતો ત્યારે સોક્રેટિસ તેમને પૂછતા ઃ ‘‘તમે તમારી જાતને ઓળખો છો? ઓળખતા હો તો મને કહો કે તમે કઇ ધાતુમાંથી બનેલા છો? એ પણ સંભવ છે કે તમે મીણ અને માટીના બનેલા હો, પરંતુ એવા ભ્રમમાં રાચતા હો કે તમે પોલાદમાંથી બનેલા છો.’’
‘‘પણ એ નિર્ણય કરવાનું કામ તો અત્યંત અઘરું છે’’ - મુલાકાતી કહેતો.
‘‘પરંતુ એ કપરું કાર્ય તારે પાર પાડવું પડશે. માટીનો મોળો માણસ પોલાદી કાર્ય પાર ન પાડી શકે! એટલે જ કહું છું કે તું જાતને જાણ!’’ સપનાના પંખીને પાંજરામાં પૂરાઇ રહેવાની આદત નથી! સપનાંને ઉડવા મુક્ત આકાશ આપો તો તેઓ તમારે માટે સિઘ્ધિનો સંદેશો લઇ પાછાં ફરશે. સપનાં સ્વભાવે ચંચળ છે પણ તેઓ ઈચ્છે છે કે સ્વપ્નસેવી માણસ સ્વભાવે ચંચળ નહીં, મક્કમ મનોબળવાળો હોય. સપનાંથી આકર્ષાય નહીં, પણ સપનાંને પોતાનાથી આકર્ષિત થવાની ફરજ પાડે, સપનાં તેને બે હાથે સલામ કરતાં હોય છે.
ચંચળ સ્વભાવના માનવીઓ ઉતાવળીયા, એકાગ્રતાહીન અને પાયાહીન આત્મવિશ્વાસ ધરાવતા હોય છે. જાતને ઓળખવી એટલે પોતાની શક્તિઓ, કમજોરીઓ અને વિશેષતાઓને ઓળખવી. દરેક સ્વપ્નસિઘ્ધિયાત્રી અર્જુન છે, જે મુંઝાય છે, પણ અફસોસ! દરેકને શ્રીકૃષ્ણ જેવો પથપ્રદર્શક નથી મળતો. પણ એવા પથપ્રદર્શકને બહાર શોધવાની જરૂર નથી! એ ‘આતમરામ’ રૂપે તમારી અંદર જ બેઠેલો છો! એની સાથે વિવાદનો નહીં, સંવાદનો, સંબંધ રાખશો તો તમને સફળતાનો માર્ગ અવશ્ય્ ચીંધશે.
મોટાભાગના માણસોનું જિંદગીની દ્રષ્ટિનું હોકાયંત્ર બગડેલું હોય છે. એટલે તેનું મન ઉત્તર માટે ‘ઉત્તર દિશા’ તરફ ઘ્યાન રાખવાને બદલે પૂર્વ- પશ્ચિમ- ઉત્તર- દક્ષિણ એમ ચોતરફ ધૂમ્યા જ કરે છે. કેડબરી ચોકલેટના મૂળ નિર્માતા વિલિયમ કેડબરીએ પોતાની પ્રબળ ઈચ્છા શક્તિથી ધનિક બનવાનું સ્વપ્ન કેવી રીતે સિઘ્ધ કર્યું તેનો પ્રસંગ ‘જીવનમાંથી જડેલી વાતો’ના લેખક પ્રો. ધર્મેન્દ્ર માસ્તરે (મઘુરમ્) સુંદર રીતે અંકિત કર્યો છે. વિલિયમ કેડબરી એમના પિતાનું પાંચમું સંતાન હતા. બસો- અઢીસો વર્ષ પહેલાં ઇંગ્લેંડમાં તેઓ ઇંડાં, પાઊં, કૉફી, કોકો વેચીને પરાણે ગુજરાન ચલાવતા હતા. માતા મજૂરી કરતી અને પુત્ર વિલિયમને પણ નાનપણથી જ કઠોર પરિશ્રમના સંસ્કાર આપ્યા હતા.
એક વાર વિલિયમે દૂધમાં કોકો નાખ્યો અને વરસતા બરફ નીચે દૂધનું વાસણ દાટી દીઘું.બીજે દિવસે તે સખત ચોકલેટ બની ગઇ. એ દૂધ મીઠું હતું અને એમાં કોકો ભળતાં એનો સ્વાદ આહલાદક બની ગયો. એણે આ પ્રોડકટને ‘‘ચોકલેટ’’નું નામ આપ્યું. એ ચોકલેટ વેચવા જતો અને પિતાએ અપાવેલી નોકરી પણ કરતો. એવામાં એની માતા થોડાક પાઊંડ મૂકી અવસાન પામી. વિલિયમ અને તેના ભાઇએ તે રકમમાંથી સસ્તા ભાવે એક ભંગાર કારખાનું ખરીદી દીઘું અને બન્ને ભાઇઓ સવારે ચા-નાસ્તો કરીને કારખાને જાય અને ભૂખ્યા પેટે કામ કરે. એવામાં તત્કાલીન વડાપ્રધાન ગ્લેડસ્ટને કોકો ઉપરનો કર ઘણો ઓછો કર્યો. એટલે વિલિયમ કેડબરીને કારખાનામાંથી સારો નફો થવા લાગ્યો.
એ પછી એ નવાં-નવાં કારખાનાં વધારતો જ ગયો અને કેડબરી ચોકલેટ એવી બનાવતો કે અમેરિકા, ફ્રાન્સ વગેરે દેશોમાં એની ખપત અને ખ્યાતિ વધતી ગઇ. વિલિયમે કામદારો માટે નવા આવાસો, બાગ-બગીચા, હૉસ્પીટલની વ્યવસ્થા કરી. સહકારી સંસ્થાઓ સ્થાપી જીવન જરૂરી ચીજો સસ્તી અને સુલભ બનાવી. આમ વિલિયમ ગરીબ હતો પણ હિંમત ન હાર્યો અને સખત મહેનત કરી સંકલ્પને બળે આખા જગતમાં ‘કેડબરી ચોકલેટ’ના ઉત્પાદક તરીકે આગવી નામના મેળવી.
નિરાશા, રાબેતા મુજબનું કામ કરી જીવન જીવી નાખનાર, કંઇક કરવાની ઈચ્છાવાળા પણ રસ્તો ન મેળવી શકે તેવા, તેમ જ જહેમત અને સંકલ્પ દ્વારા જગતને નવો રસ્તો બતાવી નવીન ચીલો પાડનાર, એવા ચાર પ્રકારનાં માણસો જગતમાં જોવા મળે છે. વિલિયમ કેડબરી ચોથા વિરલ પ્રકારના માનવોમાં સ્થાન પામે છે. મનને ‘રાંકડું’ કે સાંકડું નહીં, શ્રેષ્ઠ સપનાં જોવાના અને પરિશ્રમથી સપનાં સિઘ્ધ કરવાના સંકલ્પ સાથે ફાંકડું બનાવો. સપનાં તો તરસી આંખે તમારી રાહ જોઇ રહ્યાં છે. મક્કમ પગ ધરતી પર રાખી નજર આકાશ તરફ રાખશો તો ક્ષિતિજ દૂર નહીં રહે!
ચેતો, ચેતો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસીઓ ચેતો!..
હવે કોંગ્રેસીઓ! સોનિયા ગાંધી અને રાહુલ નહીં ચેતો તો ઈંદિરા ગાંધીવાળી થશે!
આ ‘બંધ’ વિષે ભ્રમમાં ન રહેતા!
ઈંદિરા ગાંધી ભ્રમમાં રહેલા (રાખેલા) અને હાર્યા
‘બંધ’થી ગરીબો એક દિવસ ભૂખ્યા રહ્યા પણ મનમોહન સરકારે ગરીબોને ૩૬૫ દિવસ ભૂખ્યા રાખવાનું કાવતરું કર્યું છે એનું શું? અત્યારે જનતા ભૂખી રહી છે પણ ભૂખી જનતાનો જઠરાગ્નિ કોંગ્રેસીઓને ભૂખ્યા રાખશે એ ન ભૂલશો! ‘બંધ’ ગેરકાયદેસર છે તો સુપ્રિમ કોર્ટ કે મનમોહન સરકાર કેમ પગલાં નથી લેતાં?
મૃત્યુઘંટ વાગી ચુક્યો છે. કોંગ્રેસ એટલે કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આ સમજે તો એમના લાભમાં છે... બાકી મનમોહનસિંહ જેવા બ્યુરોકેટ અને બીજા બ્યુરોકેટની સલાહને જ સાચી માનીને દેશની સરકારની નીતિઓ ઘડનારા તથા પ્રણવ મુકરજી, શરદ પવાર, મુરલી દેવરા જેવા ખાયબદેલા અને આરે બેઠેલા રાજકારણીઓને કશી પડી નથી. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ સામે દિવાલ ઉપર લખેલું વાંચીને સમજી જવાનો તથા ઈંદિરા ગાંધીને પાટીલ-કામરાજ-મોરારજી વગેરે ખડ્ડુસ ટોળકીને કોંગ્રેસમાંથી કાઢી મૂકેલી એ રીતે સરકાર અને કોંગ્રેસમાંના બધા જ ખડ્ડુસોને એક જ ઝાટકે કાઢીને ફેંકી દેવાની હિંમત કરવાની જરૂર છે. એ હિંમત જો એ નહીં કરે તો એમણે મહામહેનતે અને એકલા પંડે પોતાના પતિના સાસુના અને વડાસસરાના વારસ જેવી કોંગ્રેસને બેઠી કરી છે એ ફરી મરણ પથારીએ પડશે અને મરણ પથારીએ પડેલા ભાજપ, ડાબેરીઓ, સમાજવાદી, જેડીયુ, આરજેડી વગેરે બધા જ ત્રેવડ કે આવડત નથી છતાં જનતા એમને બેઠા કરશે.
આ સ્થિતિની ચેતવણી ‘નેટવર્ક’ ચારચાર વર્ષથી આપતું રહ્યું છે. ભાજપ વિશે ‘નેટવર્ક’ જેમ દસ બાર વર્ષથી ચેતવણી આપતું રહ્યું છે એમ! એ ચેતવણી ભાજપ ગણકારતું ન રહ્યું અને એ ભાજપ પતન અને વઘુ પતન ભણી જતું રહ્યું એવું જ કોંગ્રેસનું થયું છે. ચાર ચાર વર્ષથી ચેતવણી આપવા છતાં કોંગ્રેસે વિરોધપક્ષોની નબળી સ્થિતિ જોઈને કેફમાં રહીને ચેતવણીઓને ઘ્યાનમાં ન લીધી પરિણામે છેલ્લા કેટલાય વર્ષોથી જનતાએ ફેંકી દીધેલા ભાજપ સહિતના બધા જ વિરોધપક્ષો એકઠા થઈ ગયા એટલું જ નહીં પણ સુપ્રિમ કોર્ટે ગેરકાયદેસર ગણાવેલા ‘બંધ’ને પ્રચંડ, સજ્જડ, જડબેસલાક ટેકો આપ્યો.
હજી કોંગ્રેસીઓ ભ્રમ ફેલાવી રહ્યા છે અથવા ભ્રમમાં છે કે... (૧) જ્યાં કોંગ્રેસ સત્તામાં છે એ રાજ્યોમાં ‘બંધ’ની અસર નહોતી (૨) ‘બંધ’ના કારણે અબજો રૂપિયાનું દેશને નુકસાન થયું. આ બન્ને મુદ્દા હડહડતું જૂઠાણું છે. સત્ય ઉપર, વાસ્તવિકતા ઉપર, હકીકત ઉપર ઢાંકપીછોડો કરવાનો નાચીઝ પ્રયત્ન છે. જ્યાં કોંગ્રેસનું રાજ્ય પૂરબહારમાં છે એ દિલ્લી, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં બંધની સજ્જડ અસર હતી એવું ટી.વી. ચેનલોમાં સ્પષ્ટપણે જોવાતું હતું. દા.ત. ચેનલોએ જયપુર, ઉદેપુર શહેરો રાજસ્થાનના દેખાડેલા. મહારાષ્ટ્રના મુંબઈ, નાગપુર, પૂના, ઔરંગાબાદ તથા દિલ્લી, નોઈડા, ગાઝીયાબાદ દેખાડેલા.
બધે બસો બંધ હતી, વિમાનો બંધ હતા, ટ્રેનો બંધ હતી. (બંધ પળાવવામાં નાનામોટા ઘર્ષણો થાય એ સ્વાભાવિક છે. હંમેશા જનતાને ડંડા મારવાનું શીખવનાર માયાવતીના ઉત્તર પ્રદેશમાં પોલિસ લાઠીચાર્જ કરે એ નવું નથી તો પણ ક્યાંય કોઈપણ ઠેકાણે ગોળીબાર નથી કરવો પડ્યો.) મોટાભાગનો બંધ સ્વયંભૂ હતો કારણ કે મનમોહન સરકાર અને શરદ પવાર તથા મુરલી દેવરાએ જે મોંઘવારીનો પહાડો ઉભા કર્યા છે એની નીચે દેશની અબજ સવા અબજની જનતા દબાયેલી છે. આ મોંઘવારી આપણા જનતાના પરસેવાના પૈસે જીવતા, મોટરામાં ફરતા, વિમાનોમાં ઉડતા રાજકારણીઓ સિવાયના દરેકે દરેકને પળેપળે બાળી રહી છે. એટલે પહેલો મુદ્દો હડહડતું જૂઠાણું અને ગેરમાર્ગે દોરનારો છે. (શેરહોલ્ડરોને ચારસો ચારસો ટકા ડિવિડન્ડ આપનાર પેટ્રોલ કંપનીઓ ખોટ કહે છે એના જેવું હડહડતું જૂઠાણું)
બીજો મુદ્દો... ‘દેશને અબજો અબજો રૂપિયાનું નુકસાન થયું’ એવો પ્રચાર કરવાનો... તો વળી વઘુ ગેરમાર્ગે દોરનારો અને વઘુ મોટું જૂઠાણું છે.
દેશને નુકસાન થવાની જે વાત છે એમાં દેશ એટલે હું કે તમે નહીં પણ સરકાર.
અને સરકાર એટલે કોણ?
અને એ નુકસાન ‘કરવેરા ન મળ્યાનું’ નુકસાન છે. આપણે એક દિવસ વેપાર ઉદ્યોગ ન કરીએ, ટ્રેનો ન ચાલે, બસો ન ચાલે, વિમાન ન ચાલે એટલે નુકસાન થાય એને નુકસાન કઈ રીતે કહેવાય?
ઉલટાનો ‘લાભ થયો’ કહેવાય! કારણ કે, ટ્રેનો, બસો, વિમાનો સરકાર ચલાવે છે અને એ ત્રણેય સરકાર જ કહે છે કે ખોટમાં ચાલે છે.
તો એ એક દિવસ ન ચાલ્યા તો એટલી ખોટ ઓછી થઈને? ખોટ ઓછી ને ‘નુકસાન’ કહેવાય કે ‘લાભ’? (જનતાને ઉલ્લુ જ બનાવવાની સરકારોને આદત પડી ગઈ છે પછી એ સરકાર કેન્દ્રની હોય કે ગુજરાતની હોય!)
જ્યારે કરવેરા એક દિવસ ઓછા મળ્યા એથી સરકારને શું ફેર પડવાનો હતો? એ શું પેટ્રોલ, ગેસના ભાવો ઘટાડત?
અચ્છા, એ નુકસાનના આંકડા પણ જૂઓ!
ેએક, તો એ આંકડા સાવ જ બોગસ હોય છે... કોણ ગણવા ગયું હતું? અડસટ્ટે!... જેમ મુરલી દેવરા પેટ્રોલ વગેરેમાં ખોટના આંકડા કહે છે અથવા શરદ પવાર અનાજ ખાંડ દૂધના ખોટા આંકડા કહે છે એ કોણ જોવા ગયું છે?
એટલે બંધ કારણે જે આર્થિક નુકસાન થવાની વાત છે એ ‘આર્થિક’ એટલે ‘આંકડાકીય’ નુકસાનની વાત છે... ‘રોકડીયા’ નુકસાનની વાત જ નથી રહેતી.
વિરોધપક્ષો પણ બોગસ છે. કોઈ આ ચોખવટ કરતું જ નથી! આ રીતે ચોખવટ થાય તો જનતા સમજેને!
હવે જૂઓ...
(૧) એક આંકડો ‘ફીક્કી’ નામનું ધનાઢ્યોનું એક યુનિયન છે એ ૧૩૦૦૦ કરોડ રૂા. કહે છે. (નુકસાન)
(૨) ધનાઢ્યોનું બીજું એક યુનિયન છે ‘એસો કામ’ એ રૂા. ૧૦,૦૦૦ કરોડ કહે છે!
(૩) જ્યારે સરકારના જૂદાજૂદા ખાતા જૂદા જૂદા આંકડા આપે છે... એક ખાતુ રૂા. ૨૦,૦૦૦ કરોડ નુકસાન કહે છે તો એક બીજો વિભાગ રૂા. ૩૦૦૦ કરોડ કહે છે!
ટૂંકમાં, બંધના કારણે આર્થિક નુકસાનની વાત સાવ બોગસ, આપણને ઉલ્લુ બનાવવાની, જૂઠાણા ભરેલી વાત છે.
અચ્છા, ‘રોજે રોજનું કમાઈને ખાનારા બંધના કારણે ભૂખ્યા રહ્યા’ એવો એક પ્રચાર કરનારા છે જે પણ સાવ નગ્ન જૂઠાણું છે.
પહેલી વાત તો એ કે... મનમોહન સરકારની નીતિઓ અને એના પ્રધાનોના કૃત્યો જ એવા છે કે ‘આમ આદમી’ ભૂખ્યો ન રહેતો હોય તો પણ ભૂખ્યો રહેવા લાગે!
બીજી વાત એ કે... જ્યાં મનમોહન સરકારની નીતિઓ આમ આદમીને ૩૬૫ દિવસ ભૂખ્યો રાખે એવી છે ત્યાં ૧ દિવસથી શું ફેર પડવાનો હતો?
ટૂંકમાં આ બંધ વિશે કોંગ્રેસે અને ખાસ કરીને સોનિયા ગાંધીએ આંખો બંધ કરવા જેવું નથી.
આ બંધ કોંગ્રેસ માટે ચેતવણી છે. બિહાર, બંગાળ અને ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનું ઉઠમણું થઈ ગયું છે. ત્યાં કોંગ્રેસને ફરી ઉભી કરવા રાહુલ ગાંધી છ છ વર્ષથી પરસેવો પાડી રહ્યા છે.
તેઓ કોંગ્રેસ માટે પોતાનું લગ્નજીવન પણ ભોગમાં આપી રહ્યા છે. એમની બધી મહેનત ઉપર મનમોહન સરકાર, મુરલી દેવરા, શરદ પવાર વગેરે ખાઈપીને પાણી ફેરવી રહ્યા છે.
બંધ વિશે એ માફીયા પ્રધાનો ઉઘું ચત્તું સમજાવવામાં પૂરા ઠગ છે. કોંગ્રેસ પક્ષ, જનતા, દેશ, બીજા નેતાઓ જહન્નમમાં જાય તો પણ એમને કશી પડી નથી. એમના પેટ, ખિસ્સા, ઘર અને તિજોરીઓ ભરાયેલા છે હજી ભરાતા જાય છે એટલે એમને શાની પડી હોય?
શરદ પવારે વળી વઘુ એક લુચ્ચાઈભરી ચાલ રમવી શરૂ કરી છે કે ‘મારી પાસેના ખાતા ઓછા કરો!’ ‘નેટવર્ક’માં તો ત્રણ વર્ષ પહેલાં જ લખેલું કે શરદ પવારનું ખાતુ બદલો કે તરત જ ભાવો એટલે કે મોંઘવારી ધડાઘડ ઘટવા લાગશે.
હવે શરદ પવારે બધી બાજી ગોઠવી દીધી છે પછી એ ખાતુ ઓછું કરવાની વાત કરે છે!
સોનિયા ગાંધી ચાર વર્ષ પહેલાં જાગ્યા હોત અને એમણે હિંમત બતાવી હોત તો જનતાએ આજના મોંઘવારીના દિવસોમાં પીડાવું પડતું ન હોત અને સોનિયા ગાંધીએ કોંગ્રેસનો મૃત્યુ ઘંટ સાંભળવો પડત નહીં.
- ગુણવંત છો. શાહ
શું વાત કરો છો ?
આડવાણી ક્યાં જઈ રહ્યા છે ? અને ભાજપને ક્યાં લઈ જશે ?
૮૨ વર્ષના આડવાણી હવે ભાજપના સર્વેસર્વાં થઈ ગયા છે અને ભાજપની બોચી એમણે બરોબરની પક્કડમાં લીધી છે. ભારતના ભાગલા મોહમ્મદ અલી જિન્હાના કારણે નહીં પણ સરદાર વલ્લભભાઈ પટેલને કારણે થયા છે અને જિન્હા (પોતાને ભલે કોમીવાદી કહે પણ) કોમવાદી નહીં પણ ‘‘સેક્યુલર’’ હતા એવું કહેનાર તથા એમ કહ્યા પછી એમને ભાજપમાંથી હાંકી કાઢવામાં આવ્યા પરંતુ આજે પણ પોતાનો એ અભિપ્રાય નહીં બદલનાર જશવંત સિંહને ભાજપની કે સંઘની સાડીબાર રાખ્યા વિના ભાજપમાં પાછા આડવાણીએ લઈ લીધા એટલે લઈ જ લીધા !
છતાં જશવંતસિંહે તો પોતાનો જિન્હા વિષેનો અભિપ્રાય તો નથી જ બદલ્યો !
ઉલટાનું જશવંતસિંહે ભાજપમાં કાઠું કાઢવા લાગેલા નરેન્દ્ર મોદી ઉપર તીર છોડ્યું ! એમણે એવું કહ્યું કે, મને ભાજપમાંથી કઢાવનાર નરેન્દ્ર મોદી હતા અને આજકાલ ભાજપમાં ભાજપીયા મુખ્યપ્રધાનોનું જ ચાલે છે, મોવડી મંડળનું નહીં ! આ બન્ને તીર ભલે દેખીતી રીતે જશવંતસિંહે છોડ્યા હોય પણ એની પાછળ આડવાણી ઊભેલા હોય એવું માનવા કશી સાબિતીની જરૂર નથી કારણ કે આડવાણીને નરેન્દ્ર મોદીમાં પોતાનો હરિફ....મજબૂત હરિફ દેખાઈ રહ્યો છે.
જશવંતસિંહના આ નિવેદનો પછીના દિવસે આડવાણી એ જશવંતસિંહ અને પેલા ઉમા ભારતીને સાથે લઈને પોતાના અંગત ચાર્ટર વિમાનમાં લઈને કોઈ ભાજપી માજી મુખ્યપ્રધાનના સસરા ગુજરી ગયેલા એનો ખરખરો કરવા ગયેલા ! (અંગત વિમાન રાખવા જેટલી કમાણી આડવાણી કઈ રીતે કરી આવ્યા ? કે પક્ષનું વિમાન છે ? કોઈ ઉદ્યોગપતિએ ભેટ આપ્યું છે ?)
ગુજરાતના ભાજપીઓ અને ભાજપપ્રેમીઓ આટલા ઉપરથી સમજી જશેને ?
બહુ કે’વાય!
પેરીસની દુકાને એક વર્ષમાં બે જ વખત ‘સેલ’ના પાટીયા મારે છે
આપણે ત્યાં જો ક ે કેટલાક ‘મોલ’ પણ એક વર્ષમાં બેત્રણ વારજ ‘સેલ’થી માલ વેચે છે જ્યારે કેટલીક દુકાનો ઉપર ‘સેલ’નું બોર્ડ ૩૬૫ દિવસ લાગેલું હોય છે તો કેટલીક દુકાનો ચોમાસુ પુરુ થતા અને નોરતા દિવાળીના તહેવારો આવતા ‘સેલ’થી માલ વેચે છે.
જ્યારે કુઆલાલમ્પુર, સિંગાપુર અને દુબઈ વળી દર વર્ષે ‘સેલ ફેસ્ટીવલ’ યોજે છે.
દુનિયાનું ફેશન શહેર વર્ષોથી ગણાતું આવેલું પેરીસ શહેર પણ દર વર્ષે બે જ વખત ‘સેલ’ યોજે છે... જાન્યુઆરી અને જુલાઈમાં.
એ વખતે દરેક દુકાનો પોતાનો માલ ઘણા ઓછા ભાવે વેચે છે.
Sunday, July 11, 2010
સુંદર અને સેક્સી દેખાવા માટે ગર્ભાસન બેસ્ટ
ગર્ભાસનનો પ્રયોગસમતળ સ્થાને ચાદર પાથરીને બેસી જાઓ.પદ્માસન કે પલાંઠી વાળીને બેસો. બંને હાથને જાંઘ તથા પગના ઘુંટણ વચ્ચેથી પસાર કરો. કોણીઓને બહારની તરફ ખેંચો. બંને કોણીઓને વાળીને બંને ઘુંટણ તરફ ઉપર ઉઠાવો. શરીરને સંતુલિત કરતા બંને હાથેથી કાન પકડવાની કોશિષ કરો. આસનની સ્થિતિમાં આવો ત્યારે શરીરનો સંપૂર્ણ ભાર નિતમ્બ તરફ ઝુકાવી દો.આ સ્થિતિમાં 1થી 5 મિનિટ સુધી રહો અને ફરી સામાન્ય સ્થિતિમાં આવી જાઓ.
ગર્ભાસન માટે સાવધાનીઆ આસન શરુ કરતી વખતે શરુઆતમાં થોડી મુશ્કેલીઓ નડશે પરંતુ થોડા દિવસમાં જ તમને તેનું સારું પરિણામ મળશે. થોડા દિવસ અભ્યાસ કરવાથી તમારું મન પ્રસન્ન રહેશે.આસનથી કરોડરજ્જુ મજબુત થાય છે. શરીરમાં માંસપેશીઓના દોષ દૂર થાય છે.આસન શરીરને હળવું બનાવે છે.સ્નાયુઓની દુર્ભળતાને દૂર કરે છે.સ્ત્રીઓ માટે તે ખૂબ લાભદાયી છે.ગર્ભાશયના રોગમાં ખૂબ ફાયદો કરનારું છે. તેનાથી ક્યારેય ગર્ભાશયની બિમારી થતી નથી.આ આસન પ્રસુતિના 40 દિવસ બાદ ફરી કરવું. તેનાથી શરીરની નબળાઈ દૂર થશે. મુખડું વધારે સુંદર બનશે. સ્ત્રી પુરુષ બંનેની સુંદરતા ટકાવી રાખવા માટે તે ખૂબ ફાયદાકારક છે.
Classified Ad Sites:-
www.usfreeads.com
www.craigslist.org
classifieds.yahoo.com
www.thefreeadforum.com
www.domesticsale.com
www.classifiedsforfree.com
www.adlandpro.com
www.classifiedads.com
www.citynews.com
www.theadnet.com
Article Sites
You can write an article or a review about the Trading In The Buff course. You can sumbit your article to any of these popular article directories.
www.ezinearticles.com
www.goarticles.com
www.searchwarp.com
www.articlecity.com
www.articledashboard.com
www.articlealley.com
www.bluearticles.com
Forums
One of the easiest way to bring direct traffic through your affiliate link is to post on forums. All you have to do is link to Trading In The Buff through your signature, and everytime you make a post, there is an automatic link. The key is to make useful and interesting posts. Here are some forums that you can post on:
forum.mabico.com
www.elitetrader.com
www.moneytec.com
www.goforex.net/forum
www.forexforum.net
www.traderonlineforum.com
www.talkgold.com
www.moneymakergroup.com
www.commoditytrader.net/forex_forum.htm
tfc-charts2.w2d.com/forum
www.retro-trader.com/forum
www.forexnews.com/fxforum/forum
મનમોહન સરકારે પહેલાં આપણને કઠોળ અને અનાજ ખાતા બંધ કર્યાં.....
આપણે જીવવું કઈ રીતે? મુરલી દેવરા, મનમોહનસિંહ અને શરદ પવાર દ્વારા
કોંગ્રેસનો મૃત્યુઘંટ વાગી રહ્યો છે
મનમોહનસિંહ કે કોંગ્રેસ કે સરકારને આપણી સામાન્ય જનતાની જરા પણ પડી નથી!
આ મોંઘવારી કોંગ્રેસને પણ ડૂબાડશે અને રાહુલ ગાંધીને વડાપ્રધાનપદેથી દૂરના દૂર રાખશે
‘‘મોંઘવારી સરકાર જ વધારે છે’’, ‘‘મોંઘવારી ભાજપની સરકાર હતી ત્યારે ભાજપ વધારતી હતી અને કોંગ્રેસની સરકાર છે ત્યારે કોંગ્રેસ વધારે છે’’, ‘‘મોંઘવારી શરદ પવાર વધારે છે’’, ‘‘મોંઘવારી મનમોહનસિંહ વધારે છે’’ વગેરે વાક્યો આખા દેશમાં ફક્ત ગુજરાત સમાચાર ‘નેટવર્ક’ જ વર્ષોથી લખતું રહ્યું છે અને એ સાચું પણ પડતું રહ્યું છે. મોંઘવારી વધારવાનું કારણ એક જ છે... આપણી જનતાની કેડ ઉપર તાગડધિન્ના કરવાની દાનત.
આ દાનતથી કોંગ્રેસનો હોય કે ભાજપનો હોય પણ દરેક નેતા પીડાય છે પણ મનમોહનસિંહ અને સોનિયા ગાંધી પીડાતા નહીં હોય એવું માનવામાં આવતું હતું પણ એ માનવું ભૂલ ભરેલું હતું એ હવે સાબિત થઈ ગયું છે.
સોનિયા અને મનમોહનસિંહ આમઆદમીના માણસ છે એવો આપણો ભ્રમ હતો એ એ બન્નેએ સાબિત કરી દીઘું છે પરંતુ તેઓ એ ભૂલી જાય છે કે... આમ આદમીએ જ એમને સત્તા આપી છે અને આમઆદમી જ એમને સત્તા ઉપરથી ફેંકી પણ શકે છે.
પહેલાં કઠોળ અને અનાજના ભાવ વધે એવા પગલાં લેવાયા ત્યારે લાગેલું કે મનમોહનસિંહ અને સોનિયા ગાંધી કંઈક કડક વલણ લેશે પણ એમણે કશું કરવાના બદલે મૂંગામૂંગા જોયા કર્યું. ભાવો વઘ્યા, ફુગાવો વધવા લાગ્યો અને બૂમરાણ પડી એટલે અજાણ્યા થઈને મનમોહનસિંહ અને પ્રણવ મુકરજી કહેવા લાગ્યા કે થોડાંક સમયમાં ભાવો ઘટશે.
એમ કહેવામાં એમની લુચ્ચાઈ હતી. ભાવો વધે એવી એમની જ દાનત હતી એટલે એ જાણતા હતા કે ભાવો ઘટવાના નથી પરંતુ વધવાના છે પણ ભડકેલી જનતાને શાંત રાખવા એમણે લુચ્ચાઈ કરેલી.
કઠોળ અનાજના ભાવ ધીરે ધીરે વધે એવી લુચ્ચાઈ જ વાપરેલી. એ ઉહાપોહ થાળે પડ્યો એટલે ખાંડ અને ગોળના ભાવો વધારવાનું ચક્કર કોંગ્રેસ સરકારે ચલાવ્યું.
બીજી બાજુ પેટ્રોલ અને ડીઝલ વગેરેના ભાવો વધારવા પ્રચાર શરૂ કરીને જનતાને માનસિક રીતે તૈયાર કરવાની લુચ્ચાઈ મનમોહન સરકારે કરી.
પરિણામે ફુગાવો વધવા લાગ્યો. બુમરાણ થવા લાગી. બુમરાણ થવા લાગી. એની ભેળા વડાપ્રધાન અને નાણાપ્રધાન પણ પોતાના અવાજ સાથે ભળવા લાગ્યા.
આમ જનતા ત્રાહીમામ થઈ ગઈ.
વિરોધપક્ષો નપાણીઓ થઈ ગયા છે એટલે આમજનતા ‘બિચારી’ થઈ ગઈ. એનું કોઈ ધણીધોરી ન રહ્યું.
આ ઉહાપોહ થાળે પાડવા લાગ્યો અને વધેલી મોંઘવારી આમઆદમીને કોઠે પડવા લાગી.
એટલે મનમોહન સરકારે છાનામાના એવા પગલાં લીધા કે ફળો અને શાકભાજીના ભાવ રોકેટની જેમ ઊંચે જવા લાગ્યા.
ફરી હાહાકાર મચી ગયો.
પરંતુ ઔદ્યોગિક દર વધે છે, દુનિયાની મંદીની અસર આપણને થતી નથી, મોટરોનું વેચાણ વધે છે, પેટ્રોલનું વેચાણ ઓછું થયું નથી, પગારો વધે છે... વગેરેના કારણે મનમોહન સરકારને મોંઘવારી સામેનો ઉહાપોહ ખોટો લાગે છે.
એટલે મનમોહન સરકાર મોંઘવારી વધારવા આગળ વધી. પેટ્રોલ-ડિઝલના ભાવ ફરી વધારવાના ગાણા ગાવા શરૂ કરાયા અને થોડાંક દિવસો નાટક કરીને ભાવ વધારી દેવાયા.
ેએ સાથે બસ અને રીક્ષાના ભાડા પણ વધારવાની માંગણી થવા લાગી.
બઘું જ નાટક.
બધી જ લુચ્ચાઈ.
આટલું બઘું થવા છતાં, ભાવો વધવામાં વિક્રમ કર્યો હોવા છતાં, મોંઘવારીએ માઝા મૂકી હોવા છતાં કોઈ કશું બોલતું નથી એ જોઈને કોંગ્રેસ સરકારે અત્યાર સુધી નહીં કરેલો જનોઈવધ ઘા કર્યો... કેરોસીનના પણ ભાવ વધાર્યા અને રાંધણ ગેસના પણ ભાવ વધાર્યા. એ સાથે બીજો આડો ઘા ભાવોને અંકુશમુક્ત કરીને મનમોહન સરકારે પુરવાર કર્યું કે એની સરકાર આમઆદમીની નથી પણ ખાસ આદમીની જ છે.
એ સાથે મનમોહનસિંહે હુંકાર પણ કર્યો કે... ‘જાવ, ભાવ વધાર્યા છે એ પાછા નહીં ખેંચાઈ અને હજી ભાવ વધશે!’
પરિણામે શાકભાજી સહિત બધી જ ખાદ્ય ચીજોના ભાવો ઉછળવા લાગ્યા. જે શાકભાજી પાંચ દર રૂપિયે કીલો વેચાતી હતી એના પચ્ચીસ ત્રીસ રૂપિયા થઈ ગયા.
પેલી બાજુ પેટ્રોલના ભાવ અંકુશમુક્ત હતા કાલ સવારે પેટ્રોલના ભાવ ૧ લીટરના ૧૦૦ રૂ. પણ થઈ જાય!
ડીઝલના ભાવોને પણ અંકુશમુક્ત કરવાની મનમોહનસિંહે ધમકી પણ આપવા માંડી છે.
ટૂંકમાં, મનમોહનસિંહનું નામ ઇતિહાસમાં મોંઘવારી વધારનાર વડાપ્રધાન તરીકે કાળા અક્ષરે લખાશે.
વિરોધપક્ષો પુરૂત્વહીન થઈ ગયા છે એનું આ પરિણામ છે.
કોંગ્રેસ સરકારને પોતાના ખર્ચમાં, પ્રધાનોના ખર્ચમાં ક્યાંય કાપ નથી મૂકવો. બધા પ્રધાનો અને સંસદ સભ્યો, ધારાસભ્યો, સુધરાઈ સભ્યો, સરકારી નોકરો, વગેરે સમગ્ર સરકારી અને રાજકીય તંત્ર જેટલું પેટ્રોલ વાપરે છે, જેટલું રાંધે ખાઈ છે એ બઘું આપણી કેડ ઉપર જ કરે છે. એમના ખિસ્સામાંથી ફાટેલી નોટ પણ એ વાપરતા નથી.
એટલે પેટ્રોલ કે ગેસના ભાવો વધારવાથી એમના કોઈના પિતાશ્રીનું કશું જવાનું નથી.
આમ જનતાની જો એમને દરકાર હોત તો તેઓ ભાવો વધારવા સાથે પોતાના ખર્ચમાં એક રૂપિયાનો પણ કાપ મુક્ત તો જનતાને થાત કે... ના, મનમોહનસિંહને, કોંગ્રેસને, સોનિયાને આમજનતા માટે લાગણી છે.
વિરોધપક્ષો પણ કોંગ્રેસથી ઓછા ઉતરે એવા નથી. તેઓ ભેગા થઈને ‘ભારત બંધ’નું એલાન આપે છે પણ એમ નથી જાહેર કરતા કે...‘અમે અમારા ખર્ચમાં કાપ મૂકીશું.’
વિરોધપક્ષના નેતાઓને પગાર, પેટ્રોલ, ખાવાનું, બઘું જ મળતું હોય છે.
આ આપણા આજના ‘રાજા મહારાજા’ઓ પાછળ આપણે કેટલો ખર્ચ કરીએ છીએ અને તેઓ કેવા તાગડધિન્ના કરે છે એ હવે અજાણ્યું નથી રહ્યું. ફ્રાન્સની અને રશિયાની આમઆદમીની ક્રાંતિ આવા રાજકારણીઓના કારણે જ થઈ હતી. મનમોહનસિંહની કોંગ્રેસ સરકાર આમ આદમીને એ માર્ગે જ લઈ જઈ રહી છે. આમ આદમી કંઈ બોલતો નથી અત્યારે... પણ એની સહનશક્તિનો જ્યારે અંત આવશે અને આમ આદમી જ્યારે વિફરશે ત્યારે આપણા એકપણ રાજકારણીનું શિર સલામત નહીં રહે.
વિરોધ પક્ષો દેખાવો કરે કે બંધના એલાન આપે પણ એનો કંઈ જ અર્થ નથી. વિરોધ પક્ષો જે કંઈ કરે છે એ સત્તાધારી પક્ષ સામે આંખો મિચકારીને કરે છે.
એટલે વિરોધપક્ષો અને સત્તાધારી પક્ષ બન્ને આપણને જનતાને ઉલ્લુ જ બનાવે છે.
આ બધા રાજકારણીઓ ઉપર જે ખર્ચ થાય છે.. એમના ખર્ચા આપવા આપણે આમઆદમી જેવો નીચોવાઈ છે એવું દુનિયામાં એક પણ દેશમાં નથી. આપણા આ રાજકારણીઓએ એમના પગાર વધારાનો આજદિન સુધી ક્યારેય વિરોધ નથી કર્યો. એ ઉપરાંત આ રાજકારણીઓની વઘુ લુચ્ચાઈ જુઓ! સંસદના ખર્ચને એમણે ઓડીટની બહાર રાખ્યો છે. એટલે એમના તાગડધિન્ના પાછળ આપણા કેટલા રૂપિયા ખર્ચાય છે, આપણે કેટલા એમના તાગડધિન્ના માટે નીચોવાઈએ છીએ એનો હિસાબ તપાસવાનો નહિ એવો ઠરાવ એમણે કર્યો છે. એ ઠરાવનો એકપણ વિરોધ પક્ષી નેતાએ વિરોધ નથી કર્યો!
એનો અર્થ શું થયો?
વિરોધપક્ષ હોય કે સત્તાધારી પક્ષ હોય બન્ને આપણને જનતાને ઉલ્લુ જ બનાવે છે. કોંગ્રેસનો હાથ ગરીબો ઉપર હથોડા ચલાવી રહ્યો છે અને ભાજપનું કમળ ગરીબોને કાદવમાં ડૂબાડી રહ્યું છે.
પરંતુ એમ કરીને મનમોહનસિંહ પોતાના અને કોંગ્રેસના પગ ઉપર કુહાડો મારી રહ્યા છે. મનમોહનસિંહને કોંગ્રેસની પડી નથી પણ સોનિયા ગાંધીને પડી છે. સોનિયા ગાંધી પણ મૂંગા રહીને કોંગ્રેસને ડૂબાડી રહ્યા છે.
મોંઘવારી એમના પુત્ર રાહુલ ગાંધીને વડાપ્રધાનપદેથી દૂરની દૂર જ રાખશે... એ તેઓ ના ભૂલે!
- ગુણવંત છો. શાહ
આ તમે જાણો છો?
* દર વર્ષે દુનિયામાં ૫,૦૦,૦૦૦ ધરતીકંપ થાય છે. એટલે કે ધરતીકંપ થતા જ રહે છે. દર મિનિટે ધરતીકંપ થાય છે... એવો એનો અર્થ કરી શકાય. આ પાંચ લાખ ધરતીકંપમાંથી ૧ લાખ ધરતીકંપ આપણે અનુભવી શકીએ તેવા હોય છે. પણ આપણે અનુભવીએ જ એવું નથી.
* યુરોપના વેનિસમાં ૧૬૪૬ થી ૧૬૮૪ દરમ્યાન થયેલી ગણિતજ્ઞ એલના પ્રિસ્કોપિયાને ૧૬૭૮માં ડોક્ટર ઓફ ફિલોસોફીની ડીગ્રી અપાયેલી. દુનિયામાં કદાચ એ જ પહેલી મહિલા હતી કે જે પીએચડી થઈ હોય.
કાનમાં કહું!
સંઘ આર.એસ.એસ.ને થપ્પડ ઉપર થપ્પડ મારી રહેલા લાલકૃષ્ણ આડવાણી
મહાશક્તિશાળી હોવાની છાપ ઊભી કરવામાં સફળ રહેલા આર.એસ.એસ.ને ભાજપની ચિંતા હોય એ સ્વાભાવિક છે કારણ કે ભાજપનો જન્મદાતા એ છે અને એને પુખ્ય વયનો બનાવનાર પણ આર.એસ.એસ. એટલે કે સંઘ છે. એ ભાજપને ડૂબાડનાર સંઘે જ ઉભા કરેલા આડવાણી. ભાજપ ઉપર બાજપાયીનું કાઠું વધી રહેલું જોઈને સંઘના ત્યારે જેઓ વડા હતા એ સુદર્શને ત્યારે એમની ચમચાગીરી કરી રહેલા આડવાણીને ઊભા કર્યાં.
એ આડવાણી જ છેવટે ભાજપ ઉપર ચઢી બેઠા. સંઘનું વડપણ એમને કઠવા લાગ્યું. એટલે સંઘે ભાજપ ઉપર પોતાનું વર્ચસ્વ પ્રસ્થાપિત રાખવા આડવાણીને પડદા પાછળ ધકેલવાની યોજના કરી. પરિણામે આડવાણી અને સંઘ વચ્ચે પાંચ વર્ષથી ઠંડું યુઘ્ધ શરૂ થયું. જેમાં આડવાણીએ સંઘને ક્યાંય ફાવવા દીધો નહીં. સંઘે પેલા સુદર્શનને ઘરે બેસાડીને મોહનજી ભાગવતના હાથમાં સંઘનો હવાલો આપ્યો. એમણે આવીને આડવાણીને ઘેર બેસાડવાના ધમપછાડા શરૂ કર્યા પણ આડવાણીએ એમને ક્યાંય ફાવવા દીધા નહીં ઉલટાનું ભાજપ ઉપર પોતાની પકડ વઘુને વઘુ સજ્જડ કરવા માંડી.
રાજ્યસભામાં બાજપેયીના દુશ્મન અને સંઘ પણ જેમને નથી ઇચ્છતો એવા વયોવૃઘ્ધ જેઠમલાણીને બેસાડવામાં આવ્યા અને પેલા ઝિન્નાને આજે હજી પણ વખાણનાર જશવંત સિંહને ભાજપમાં પાછા લાવવાનો નિર્ણય એના તાજા જ દાખલા છે. આ બન્ને કૃત્ય સંઘની ઇચ્છા વિરૂઘ્ધના છે અને એ રીતે ૮૨ વર્ષના આડવાણી જ સંઘને થપ્પડ ઉપર થપ્પડ મારી રહ્યા છે. આવા ભાજપ સાથેનો સંબંધ તોડી નાંખવા કે નહીં એનું મંથન સંઘમાં ચાલી રહ્યું છે. હવે આડવાણી રામ જેઠમલાણીને ભાજપના ઉપપ્રમુખ બનાવવાની વેતરણમાં છે જેથી ગડકરીનું મહત્વ જ ન રહે.
શું વાત કરો છો?
સીઝેરીયનથી અવતરાયેલા બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે
આપણા ડોક્ટરો દર્દીના ભોગે પોતાની કમાણી વધારવા સગર્ભાઓને કુદરતી પ્રસવ કરવાના બદલે સીઝેરીઅન એટલે માતાના પેટનું ઓપરેશન કરીને બાળકને અવતરાવે છે. પણ એવું અકુદરતી રીતે જન્માવેલું બાળક રોગપ્રતિકારની શક્તિ ઓછી ધરાવે છે એવું અમેરિકાની નેશનલ સાયન્સ એકેડેમીએ પ્રગટ કરેલા રિપોર્ટમાં જણાવ્યું છે.
આ રિપોર્ટમાં જણાવ્યું છે કે... આવા બાળકોના મોંમાં સ્ટેફાયલોસિસ નામના જીવાણુઓના વંશ સાથે સંબંધ હોય એવા કીટાણુઓ મળી આવે છે. આ સ્ટેફાયલોસિસ જીવાણુઓ નુકસાનકારક નથી હોતા પણ એના વંશજમાં કોઈક કીટાણુ નુકસાનકારક હોય છે. એવા કીટાણુ એમ.આર.એસ.એ. કહેવાય છે. આ કીટાણુ ઘાતક રોગો ઉત્પન્ન કરી શકે છે. કોલોરેડો યુનિવર્સિટીના મુખ્ય સંશોધનકાર ડૉ. નોહ ફીશર છે. તેઓ કહે છે કે આવા બાળકોની ત્વચા ઉપર રોગકારક જીવાણુઓ જલદી હુમલો કરતા હોય છે.
Monday, July 5, 2010
ટીવી જર્નલિસ્ટ બનવા શું કરવું?..
પહેલાં તમે જર્નલિસ્ટ બનો. લોકો મેનેજમેન્ટનું શિક્ષણ લેવા માગે છે અને એક સારી શિક્ષણ સંસ્થામાં એડમિશન લે છે, એવી જ રીતે જર્નલિસ્ટ બનવા માટે પણ જર્નલિસ્ટ કે મીડિયા ઈન્સ્ટિટયુટ્સ હોય છે. જો કે દરેક સફળ ટીવી, પ્રિન્ટ અને ઇન્ટરનેટ જર્નલિસ્ટ જર્નલિઝમ સ્કૂલમાં ભણ્યા હોય એ બિલકુલ જરૂરી નથી. અસંખ્ય સફળ પત્રકારો પોતાની ટેલેન્ટ, મહેનત, જ્ઞાન અને અનુભવને આધારે આગળ આવ્યા છે.
ભારતમાં પત્રકારત્વનો કોર્સ તો છેલ્લાં ચાળીસ વર્ષથી ચાલે છે, પણ ટીવી ચેનલો અને ઈન્ટરનેટ જેવા નવા મીડિયાના ઉદ્ભવ અને વિકાસ પછી આ કોર્સ પ્રકાશમાં આવ્યો છે.આ કોર્સ માટેનું સિલેકશન પ્રવેશપરીક્ષા, ગ્રુપ ડિસ્કશન અને ઇન્ટરવ્યુ લીધા પછી થાય છે. પ્રવેશપરીક્ષામાં સામાન્ય જ્ઞાનના વિષયને આધારિત પ્રશ્ન પુછાય છે.બ્રોડકાસ્ટ જર્નલિઝમનો કોર્સ કરાવતી કેટલીક ઉચ્ચ સંસ્થાઓ છે-
૧. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કમ્યૂનિકેશન, નવી દિલ્હી
૨. માસ કમ્યૂનિકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી, નવી દિલ્હી
૩. સિમ્બાયોસિસ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કમ્યૂનિકેશન, પૂણે
૪. એશિયન કોલેજ ઓફ જર્નલિઝમ, ચેન્નાઇ
૫. સેન્ટ ઝેવિયર્સ કોલેજ ઇન્સ્ટિટયૂટ ઓફ કમ્યૂનિકેશન, મુંબઇ
૬. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ જર્નલિઝમ એન્ડ ન્યૂ મિડિયા, બેંગ્લોર
૭. મણીપાલ ઇન્સ્ટિટયૂટ ઓફ કમ્યૂનિકેશન, મણીપાલ, કર્ણાટક
મોટાભાગની ઇન્સ્ટિટયૂટ્સ વિધાર્થીઓને ઇન્ટર્નશિપ માટે અલગ અલગ મીડિયા હાઉસમાં મોકલે છે. જો કે એનડીટીવી, આજ તક અને સ્ટાર ન્યૂઝ જેવી કેટલીક મોટી ટીવી કંપનીઓ સ્ટુડન્ટ્સને ઇન્ટર્નશિપ પર લેતા નથી, પણ દૂરદર્શન, ઝી ન્યૂઝ, ઈ ટીવી અને અનેક નવી ચેનલો ઇન્ટર્નશિપ કરવાનો મોકો આપે છે.
કોર્સ કરતી વખતે એવી અપેક્ષા ન રાખવી કે એ તમને એકદમ સ્ક્રીન પર જવા માટે તૈયાર કરી દેશે. જર્નલિઝમ એક નોલેજ-બેઝ્ડ ક્ષેત્ર છે. એમાં સતત શીખતાં રહેવું પડે છે. જર્નલિઝમનો કોર્સ એક હથિયાર છે, જે આગળ જતાં તમારા વ્યવસાયમાં ઉપયોગી સાબિત થાય છે, પણ એને ધારદાર બનાવવાનું કામ તમારે જ કરવું પડે છે. અનુભવ વધારતા જાઓ અને અંગ્રેજીના પાંચ ડબલ્યૂ (વ્હાય, વ્હોટ, વ્હેન, વ્હેર અને હુ )ને ક્યારેય આંખથી ઓઝલ ન થવા દેતા. ટીવી એક દ્રશ્ય માઘ્યમ છે, એટલે આકર્ષક વ્યક્તિત્વ હોવું પણ એટલું જ જરૂરી છે.
ધોરણ-૧૨ પછીના વિકલ્પો...
ધોરણ ૧૨ પછી વિદ્યાર્થીઓએ અને તેના વાલીઓએ કારકિર્દી/ એડમિશન સંસ્થા પસંદ કરતા પહેલાં પોતાના માટે કેટલીક ઇન્કવાયરી અને કેટલીક તપાસ કરવી પડે છે. જેના મુખ્ય તબક્કા છે.
Attitude (અભિરુચિ) કસોટી અને Aptitude (અભિક્ષમતા) કસોટી. જાતને ત્રણ પ્રશ્નો પૂછો: ‘મને ક્યા પ્રકારના કાર્યમાં વિશેષ આનંદ આવે છે? કર્યું કામ ગમતું છે?‘મારામાં ક્યા પ્રકારની આવડત કે લાક્ષણિકતા છે જે મને ગમતા કામમાં મદદરૂપ છે? ‘મારે કારકિર્દીને ક્યાં સુધી લઇ જવી છે? એટલે કે જીવનમાં શું શું મેળવવું છે? આ મંથન પ્રક્રિયા પછી ચાલો જોઇએ ધો.૧૨ પછીના કેટલા વિકલ્પો
ઉપલબ્ધ છે...
ધો.૧૨ પછીના વિકલ્પો:
આર્ટસ/ કોમર્સ/ સાયન્સ આ ત્રણેય પ્રકારના વિભાગના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ અભિરુચિ અને અભિક્ષમતા અનુસાર ઉપલબ્ધ અભ્યાસક્રમો નીચે મુજબ છે.
BSc-MSc-PhD, BA-MA, BCom-MCom, BBA-MBA, BCA-MCA, BEd-Med, CA, BCJP (Journalism), BHM-MHM
(હોટલ મેનેજમેન્ટ)
‘સ્નાતક પછી GPSC, UPSC, CAT-GCET વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તરફનું ધ્યેય પૂર્વ નિશ્વિત હોય તો ધો.૧૨ પછીનો કોર્સ પસંદ કરવામાં આ ફેકટર ધ્યાન પર રાખી પસંદગી કરવી આવશ્યક છે.
ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહ પછીના કારકિર્દી વિકલ્પો:
A-group- Phy. Chem., Maths.
એન્જિનિયરિંગ (આઇટી, કમ્પ્યૂટર, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ્સ, મિકેનિકલ, સિવિલ, ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ, એન્વાર્યમેન્ટલ એન્જિનિયરિંગ વગેરે) ઉપરાંત ઇન્ટિરિયર ડિઝાઈનિંગ, આર્કિટેક્ચર, બિલ્ડિંગ કન્સ્ટ્રકશન વગેરે કોર્સિસ ઉપલબ્ધ છે.
‘ઓટોમોબાઇલ, ટેક્સ્ટાઇલ, ફેશન ડિઝાઈનિંગ, એરોનોટિક્સ એન્જિનિયરિંગ, બાયોટેક્નોલોજી, બાયોમેડિકલ, સિવિલ એન્જિનિયરિંગ, રોબોટિક્સ એન્જિનિયરિંગ વગેરે પણ ઉપલબ્ધ છે. રોબોટિક્સ એન્જિનિયરિંગ વિકસતી શાખા છે. જેનું ભાવિ ખૂબ જ ઉજ્જવળ છે. તેનો મહત્તમ ઉપયોગ જાપાનમાં થઇ રહ્યો છે.
B. Group- Phy. Chem. Bio...
મેડિકલ (એમબીબીએસ, ડેન્ટલ-બીડીએસ, ફિઝિયોથેરાપી-બીપીટી, આયુર્વેદ- બીએએમએસ, હોમિયોપેથી-બીએચએમએસ, ફાર્મસી-બી. ફાર્મ., ઓકયુપેશનલ થેરપિસ, બીએસસી (નર્સિંગ, ઓપ્ટોમેટ્રી), ઓર્થોટિક્સ- પ્રોસ્થેટિક્સ, નેચરોપથી.
‘આ ઉપરાંત પણ અન્ય અભ્યાસક્રમો રૂચિ પ્રમાણે કે પરિવારના વ્યવસાય પ્રમાણે પસંદ કરી શકાય છે. જેમ કે, આયુર્વેદમાં બેચલર ઓફ ફાર્મસી, બાયોમેડિકલ એન્જિનિયરિંગ, ફૂડ પ્રોસેસિંગ એન્ડ ટેક્નોલોજી, એગ્રિકલ્ચર યુનિ.માં ચાલતો વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી, આણંદમાં ચાલતો ડેરી ટેક્નોલોજી કોર્સ, એગ્રિકલ્ચર યુનિ. અન્ય ડિગ્રી કોર્સ, બીએસસી ઇન માઇક્રોબાયોલોજી, બાયોટેક્નોલોજી, ઝૂલોજી, બોટની વગેરે, તથા પ્રાયમરી ટીચર બનવા માટે પીટીસીનો કોર્સ, કોઇપણ વિષય સાથે બીએસસીમાં આગળ અભ્યાસ ન કરવો હોય તો બીએ વિથ ઇંગ્લિશ કે અન્ય કોઇ વિષય.
વિવિધ કોર્સના પ્રવેશની વિધિ:
કેન્દ્રીય પ્રવેશ સમિતિ: જોઇન્ટ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ-અમદાવાદ) (વેબસાઇટ: www.ldceindia.org) દ્વારા ડિગ્રી/ ડિપ્લોમા, એન્જિનિયરિંગ/ ફાર્મસી, ઉપરાંત મેડિકલમાં એડમિશન માટે સેન્ટ્રલાઇડ મેડિકલ એડમિશન કમિટી- બી.જે. મેડિકલ કોલેજ- અમદાવાદ દ્વારા ઉપરોકત મેડિકલ કોર્સિસમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ આપવામાં આવે છે.
ધીરુભાઇ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ-ગાંધીનગર:
આ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજીનો કોર્સ ચલાવે છે. જેમાં કુલ ૨૪૦ સીટ હોય છે, જેમાં AIEEE ના આધારે એડમિશન મળે છે.
નિરમા યુનિવર્સિટી: અહીં બી.ટેક.ના અભ્યાસક્રમો ચાલે છે, જેમાં AIEEE ના આધારે, ગુજરાતી સ્કૂલમાંથી ૧૨ સાયન્સ પાસ કર્યું હોય તેને અને અખિલ ભારતીય ધોરણે Rank ના આધારે નિયમાનુસાર ભરવામાં આવે છે.
નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી- અમદાવાદ ઉપરાંત, DDIT - નડિયાદ, ગણપત યુનિ.- વિદ્યાનગર, ખેરવા- મહેસાણા, સર્વ વિદ્યાલય-ગાંધીનગરને ખાનગી- સ્વાયત્ત- યુનિવર્સિટીનો દરજજો આપવામાં આવ્યો છે.
નેશનલ લેવલની એડમિશન ટેસ્ટ:
ધો.૧૨ સાયન્સ પછી ભારતની શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કે મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે દ્વિતીય કક્ષાની પ્રવેશ પરીક્ષાઓ લેવાતી હોય છે.
પ્રિમેડિકલ ટેસ્ટ - PMT
‘MBBS/ BDS માં માટે ભારતની મેડિકલ અને ડેન્ટલ કોલેજોની ૧૫ ટકા સીટ PMT ના વિદ્યાર્થીઓ માટે રિર્ઝવ હોય છે.
‘જેમાં Phy., Chem., Bio. ની ઓબ્જેક્ટિવ પ્રકારની પરીક્ષા લેવાય છે. જે અંગ્રેજી માધ્યમમાં હોય છે. તેનું ફોર્મ ડિસેમ્બરમાં બહાર પડે છે. દર વર્ષે મે મહિનામાં આ પરીક્ષા લેવાય છે.
‘આઇઆઇટીની JEE-Joint Entrance Exam માટેની જાહેરાત દર વર્ષે જુલાઇના છેલ્લા અઠવાડિયામાં આવે છે.
‘AIEEE-All India Engineering Architecture Entrance Exam CBSE દ્વારા જ લેવામાં આવે છે.
અન્ય પરીક્ષાઓ: અંગ્રેજી માધ્યમમાં લેવામાં આવે છે.
‘ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ- દિલ્હી
‘રૂરકી યુનિ.ની એન્જિનિયરિંગ કોલેજ
‘ભારતી વિદ્યાપીઠ મેડિકલ-એન્જિનિયરિંગ કોલેજ- પૂણે
‘આર્મી અને નેવીની કોલેજોમાં પણ ફોર્મ ભરી શકો છો.
અન્ય કોર્સમાં એડમિશન: વિમાનમાં પાઇલટ, એરફોર્સના ઓફિસર, નેવીમાં ઓફિસર, મર્ચન્ટ નેવીનો કોર્સ, સાયિન્ટસ્ટ બનવા માટે પણ ૧૨ સાયન્સ પાસ કરવું ખૂબ જ જરૂરી છે.‘
ધોરણ-૧૦ પછીના રસ્તા..
ધોરણ દસને કારકિર્દી ઘડતર માટેનું જંકશન કહીએ તો જરાય ખોટું નથી. આવો, દસમા ધોરણ પછી ઉપલબ્ધ મુખ્ય વિદ્યાશાખાઓની જાણકારી મેળવીએ.
હાયર સેકન્ડરી (ધોરણ ૧૧ અને ૧૨) : કારકિર્દીમાં ખૂબ આગળ વધવા ગ્રેજ્યુએટ અને એ પછી મેળવેલી પોસ્ટગ્રેજ્યુએટ ડિગ્રી ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. તેથી જ પસંદગીની વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ થઇ ઉચ્ચ હાયર સેકન્ડરીના ધોરણ ૧૧માં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓને પસંદગી માટે નીચે મુજબના કુલ છ પ્રવાહ ઉપલબ્ધ છે:
‘વિજ્ઞાન પ્રવાહ (સાયન્સ સ્ટ્રીમ) ‘ સામાન્ય પ્રવાહ (જનરલ સ્ટ્રીમ) ‘ ગૃહ વિજ્ઞાન પ્રવાહ
‘ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ ‘વ્યવસાયલક્ષી પ્રવાહ
સાયન્સ પ્રવાહ: ડોક્ટર, એન્જિનિયર, વિજ્ઞાની, ભૂસ્તરશાસ્ત્રી, ફાર્માસિસ્ટ, આર્કિટેક્ટ, ફિઝિયોથેરપિસ્ટ, હોર્ટિકલ્ચરિસ્ટ, વેટરિનરી ડોક્ટર વગેરે બનવા ઇચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓએ ધોરણ ૧૧ના સાયન્સ પ્રવાહમાં પ્રવેશ લેવો જોઇએ. ધોરણ ૧૧માં સાયન્સ પ્રવાસ પસંદ કરવા માટેનું એક મુખ્ય કારણ તેમાં મળતા ઉચ્ચ અભ્યાસના અસંખ્ય વિકલ્પો છે. તેમને સાયન્સ પ્રવાહમાં ભણવા માટે
નીચે મુજબના ત્રણ પ્રકારના વિષય જૂથની પસંદગીના વિકલ્પ મળે છે:
‘‘એ’ જૂથ: આ જૂથમાં મેથેમેટિક્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રરી, અંગ્રેજી વગેરે વિષયો ભણવાના હોય છે. આ વિષય જૂથ સાથે ધોરણ ૧૨ પાસ થતાં વિદ્યાર્થીને એન્જિનિયરિંગ, આર્કિટેક, બી.એસ.સી., એમી.બી.એ. વગેરે અભ્યાસક્રમમાં પ્રવેશ મળી શકે છે પરંતુ મેડિકલ લાઇનમાં પ્રવેશ મળી શકતો નથી.
‘‘બી’ જૂથ: આ જૂથમાં મેથેમેટિક્સ સિવાયના બાયોલોજી, કેમિસ્ટ્રરી, ફિઝિક્સ, અંગ્રેજી વગેરે વિષયો ભણવાના હોય છે. આ વિષય જૂથ પસંદ કરનાર વિદ્યાર્થી ધોરણ ૧૨ પાસ કર્યા પછી મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરાપી, આયુર્વેદિક, હોમિયોપેથી, ફાર્મસી, બી.એસ.સી. વગેરે વિદ્યાશાખામાં પ્રવેશ મેળવી શકે છે, પરંતુ સાયન્સ સ્ટ્રીમમાં પાસ થવા છતાં એન્જિનિયરિંગ, આર્કિટેક વગેરે અભ્યાસક્રમમાં તેને પ્રવેશ મળી શકતો નથી.
‘‘એ-બી’ જૂથ: ‘એ’ અને ‘બી’ જૂથનું સંયોજન એટલે જ ‘એ-બી’ જૂથ. સાયન્સ પ્રવાહમાં ભણી ધોરણ ૧૨ સાયન્સ પછી ઉપલબ્ધ તમામ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવાના લાભ ઉઠાવવા ઇચ્છતા અને ગણિત અને વિજ્ઞાન બન્ને વિષયોથી ન ગભરાતાં વિદ્યાર્થીઓએ આ જૂથ પસંદ કરવું એકદમ ફાયદાકારક છે.
‘સામાન્ય પ્રવાહ: વિજ્ઞાન પ્રવાહ પછી આર્ટસ અને કોમર્સના વિષયો ધરાવતા કોમર્સ (વાણિજ્ય) અને આર્ટસ (વિનયન) એમ બે અલગ અલગ જૂથને બદલે સામાન્ય પ્રવાહ (જનરલ સ્ટ્રીમ) નામનો એક જ પ્રવાહ રાખવામાં આવ્યો છે, જેમાં આગળ બી.એ., બી.કોમ., બી.બી.એ., બી.આર.એસ., બી.મ્યુઝ. બી.પી.એડ., પી.ટી.સી., હોટલ મેનેજમેન્ટ, જનરલ નર્સિંગ વગેરેમાં જવાની તક મળે છે.
‘ગૃહ વિજ્ઞાન પ્રવાહ: ગૃહ-સંચાલનનો વૈજ્ઞાનિક અભિગમ એટલે જ હોમ સાયન્સ. ધોરણ ૧૨ પાસ થયા પછી બી.એ. (હોમ સાયન્સ) તેમજ બી.એસસી. (હોમ સાયન્સ) થઇ શકાય છે. ભાવનગર ખાતે સર ભાવસિંહજી પોલિટેક્નિકલમાં ડિપ્લોમા ઇન હોમ સાયન્સનો અભ્યાસક્રમ પણ ચલાવવામાં આવે છે.
‘ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ: ગ્રામ્ય અર્થકારણ અને સમાજ વ્યવસ્થાને અનુરૂપ ખેતી/ખાદી ઉદ્યોગને લગતા અભ્યાસ માટે આ પ્રવાહ પસંદ કરી શકાય.
‘વ્યવસાયલક્ષી પ્રવાહ: વિવિધ રોજગારલક્ષી વ્યવસાયો માટે વ્યાવસાયિક ક્ષમતા ઊભી કરવા માટે કેટલીક શાળાઓમાં આ પ્રવાહ પણ ઉપલબ્ધ છે.
ડિપ્લોમા એન્જિનિયિંરગ અભ્યાસક્રમો:
ગુજરાતમાં ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા આશરે ૨૪ સરકારી પોલિટેક્નિકો, ૩ ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓ અને ૨૨ જેટલી ખાનગી પોલિટેક્નિકોમાં ૨૦ પ્રકારના વિવિધ એન્જિનિયરિંગ ડિપ્લોમા અને ૬ અન્ય વ્યવસાયલક્ષી ડિપ્લોમા અભ્યાસક્રમો ચલાવાય છે.
ટી.ઈ.બી. પેટર્નના વ્યવસાયલક્ષી સર્ટિ. અભ્યાસક્રમો:
ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ ન મેળવી શકનાર વિદ્યાર્થીઓને ટેક્નિકલ કોર્સ કરવા માટે રાજ્યમાં ૧૦૫ જેટલી સંસ્થાઓમાં ટેક્નિકલ એકઝામશિન બોર્ડ દ્વારા માન્ય આશરે ૫૦ જેટલા ૧થી ૨ વર્ષના વ્યવસાયલક્ષી સર્ટિફિકેટ કોર્સિસ ચલાવાય છે. આમાંથી કેટલાક કોર્સિસ પછી જે તે સંબંધિત ડિપ્લોમા-એન્જિ.માં ૧૫:૧ ની અનામત જગ્યા પર પ્રવેશનો
હક્ક મળે છે.
આઇટીઆઇ: વ્યવસાયલક્ષી તાલીમ મેળવવા રાજ્યમાં ૨૨૫ જેટલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં સો કરતાં પણ વધુ કોર્સિસ ચાલે છે.
અન્ય અભ્યાસક્રમો:
‘પ્રિપીટીસી: બાલમંદિર-બાલવાડીઓમાં કારકિર્દી ઘડવા માટે ૧૦ જેટલી સંસ્થાઓમાં એક વર્ષનો કોર્સ ચાલે છે.
‘ફાઈન આર્ટસ: ધો-૧૦માં ચિત્ર વિષય રાખનાર કે ડ્રોઇંગ ઇન્ટરમીડિયેટ પરીક્ષા પાસ થયેલાં વિદ્યાર્થી ૧૬ જેટલી ફાઈન આર્ટસ કોલેજોમાં પાંચ વર્ષના કોર્સ કરી શકે છે.
‘કૃષિ અભ્યાસક્રમો: ૧૬ જેટલાં કૃષિ વિદ્યાલયોમાં ૨ વર્ષનો ‘કૃષિ ડિપ્લોમા’ તથા પશુધન નિરીક્ષક તાલીમ કેન્દ્ર ખાતે એક વર્ષનો ‘લાઇવ સ્ટોક ઇન્સપેક્ટર’નો કોર્સ છે.
‘સી.પી.એડ.: પ્રાથમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષક તરીકેની કારકિર્દી ઘડવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ધોરણ ૧૦ પછી ૨ વર્ષની મુદતનો ‘સર્ટિફિકેટ ઇન ફિઝીકલ એજ્યુકેશન’ (સી.પી.એડ.)નો કોર્સ ૭ જેટલી સંસ્થાઓમાં ઉપલબ્ધ છે.
‘અમદાવાદ ખાતે ‘ઈન્ડો-જર્મન ટૂલ રૂમ’ સંસ્થામાં ‘ડિપ્લોમા ઇન ટુલ એન્ડ ડાઇ-મેકિંગ’ તેમજ ‘સર્ટિફિકેટ ઇન મશિનિસ્ટ ટુલ રૂમ’ નામના કોર્સ પણ છે.
‘ગર્વમેંટ આયુર્વેદિક કોલેજ, વડોદરા ખાતે ‘આયુર્વેદ કંપાઉન્ડર’ તેમજ જિલ્લા પંચાયત હેઠળની સરકારી હોસ્પિટલોમાં ‘ફિલ્મ હેલ્થ વર્કર’નો કોર્સ કરી શકાય.
નજર સામે તરવરે બસ, IAS, IPS, IFS, IRS...
ઉપરાંત વિભિન્ન દેશની સંસદનું નામ, રાજ્ય મુદ્દા, રાજધાની, સરકારી-અર્ધસરકારી શાસનવ્યવસ્થા અંગેની માહિતી, સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના, તેની સલંગ્ન સંસ્થાઓ, સંબંધિત ઘટનાક્રમ, બેઠક સ્થળો, વિભિન્ન આનુષંગિક, સંસ્થાઓ જેવી કે ILO, યુનિસેફ, WHO, યુનેસ્કો વગેરેના કેન્દ્રો તથા કાર્યો અંગેના પ્રશ્નો પણ પૂછાય છે. NAM, NATO, SAARC, યુરોપિયન યુનિયન જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશેની માહિતી રાખવી આવશ્યક છે.
સિવિલ સર્વિસિસ મુખ્ય પરીક્ષામાં ઉત્તમ દેખાવ કરવા માટે વ્યૂહનીતિ ઘડવી જોઇએ, જેમાં દેશની સાયન્સ એન્ડ ટેક્નોલોજી પોલિસી, હેલ્થ સેક્ટર, પર્યાવરણ, ઓઝોન સમસ્યા, પ્રદૂષણના પ્રકારો, સરકારી પર્યાવરણ વિષયક કાયદાઓ તથા નિયમો, પ્રદૂષણની અસરો તથા ઘટાડવાના ઉપાયોની જાણકારીઓનો સમાવેશ થાય તેવા માહિતીસંગ્રહ હાથ ઉપર રાખવો અનિવાર્ય છે. સાયન્સ અને ટેક્નોલોજીથી શરૂ કરી ભારતીય બંધારણ- રાજ્યશાસન વ્યવસ્થાની તૈયારી વિશેષ મહત્વની છે.
‘મુખ્ય પરીક્ષાની રણનીતિમાં અર્થશાસ્ત્ર સંલગ્ન સાયન્સ એન્ડ ટેક્નોલોજીનું અધ્યતન જ્ઞાન: આ ખંડ છેલ્લા વર્ષોથી પરીક્ષામાં મહત્તાપૂર્ણ છે. UPSCનો મુખ્ય ઉદ્દેશ વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં થતાં પરિવર્તનો અને વિકાસ પરત્વે ઉમેદવારની રુચિ અને સતર્કતાનું પરીક્ષણ કરવાનો છે. કોઇ ઉમેદવારની પાસે વૈજ્ઞાનિક કે વિજ્ઞાન વિશેષજ્ઞની માફક જવાબ લખવાની આશા રાખવામાં આવતી નથી. કોઇ પણ ટોપિક પર એક સામાન્ય વિચાર રજૂ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. આ ખંડનો અભ્યાસક્રમ સ્પષ્ટ દર્શાવાયો ન હોવાથી તેના વિભિન્ન પેટામુદ્દાની પસંદગીમાં મુશ્કેલી થવી સ્વભાવિક છે.
અત્યાર સુધી પૂછાયેલા પ્રશ્નો મુજબ બાયોટેક્નોલોજી, ઇન્ફર્મેશન ટેક્નોલોજી (I.T.), અંતરિક્ષ તથા સંદેશાવ્યવહાર પદ્ધતિ, પરમાણુ ઊર્જા, (IAEA), પરમાણુ ઊર્જા શિખર પરિષદો, વિવિધ અણુ સંધિઓ વગેરે અત્યંત મહત્વપૂર્ણ છે.
ઉપરોક્ત વિષય વસ્તુઓનું અર્થતંત્ર જેવા કેન્દ્રીય મહત્વના વિષયના વિભિન્ન સંદર્ભોમાં કઇ અસરો થશે તે જોવામાં આવે છે. મુખ્ય પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ઉદાહરણરૂપ સંદર્ભગ્રંથો અને સાયન્સ અને ટેક્નોલોજીના મહત્વના વિષયક્ષેત્રો આ મુજબ છે: ‘ ભારતીય અર્થવ્યવસ્થા: દત્ત, સુંદરમ્ ‘ ભારતીય અર્થવ્યવસ્થા: મિશ્ર, પૂરી ‘ આર્થિક સર્વેક્ષણ (Economic Survey) અધ્યતન અંક- ભારત સરકાર. ‘ ‘ભારત’ ઇયરબુક- પ્રકાશન વિભાગ, ભારત સરકાર, સંબંધિત પ્રકરણો. ‘ ‘યોજના’ તથા ‘ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી’ જેવા મેગેઝિનો ‘રાષ્ટ્રીય સ્તરના કોઇ એક મુખ્ય, આર્થિક વર્તમાનપત્ર, આર્થિક મેગેઝિન ‘ વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વ્યાપ. સામાન્ય વિજ્ઞાનમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર તથા જીવવિજ્ઞાનનો સમાવેશ થાય છે.
તેમાં પણ જીવવિજ્ઞાનને માકર્સની દ્રષ્ટિએ વિશેષ મહત્તા મળે છે. એટલે કે તેના વધુ પ્રશ્નો પૂછાય છે. આ પ્રશ્ન જીનેટિક એન્જિનિયરિંગના અધ્યતન વિકાસની જાણકારી વિશેષ રીતે અપેક્ષિત હોય છે. ‘સામાન્ય વિજ્ઞાનમાં વ્યવહારુ પ્રશ્નોને વધુ મહત્વ અપાય છે. ‘ ભૌતિક વિજ્ઞાન અને રસાયણવિજ્ઞાનમાં સંબંધિત સંકલ્પનાઓ પર જ વધુ ધ્યાન અપાય છે.બાયોટેક્નોલોજી, જિનેટિક એન્જિનિયરિંગ ઉપરાંત મહત્વપૂર્ણ મુદ્દાઓમાં કોષવિજ્ઞાન, વનસ્પતિ ક્રિયા, પરિસંચરણ તંત્ર, શ્ચસનતંત્ર, ઉત્સર્જનતંત્ર, ચેતાતંત્ર, પ્રજનનતંત્ર, અંત:સ્રાવીતંત્ર, આનુવંશિકતા, પોષણ, હાડકાં અને માંસપેશીઓ, સ્વાસ્થ્ય અને રોગ, વિવિધ સ્વાસ્થ્ય સંગઠનોની માહિતી વગેરેનો સમાવેશ થાય છે.
સંદર્ભગ્રંથોની યાદી: ‘એન.સી.ઇ.આર.ટી.ના ધોરણ ૮થી ૧૨ના પુસ્તકો. ‘માનવયંત્ર (ધ હ્યુમન મશીન, નેશનલ બૂક ટ્રસ્ટ) ‘ભારતના સંદર્ભમાં બાયોટેક્નોલોજીનું ક્ષેત્ર વિસ્તરી રહ્યું છે. આ ક્ષેત્ર તથા સાયન્સ અને ટેક્નોલોજીના અન્ય વિભિન્ન મુદ્દાઓના મુખ્ય પરીક્ષાના સંદર્ભમાં સમીક્ષા આવતા અંકે કરીશું. સર્વેને શુભકામનાઓ.
સ્પાર્ક પ્લગ: બેફામ થાકી જનારાંમાં જે બંદો બે કદમ Extra ભરે છે તે જ બાજીગર બને છે! અને તે બાકીની તમામ જિંદગી માટે માનસિક Comfort નો હક્કદાર બને છે!
જન્મકુંડળીના ગ્રહો અને કારકિર્દી..
વ્યવસાય અને નોકરીમાં સફળતા કે નિષ્ફળતાનો પ્રશ્ન આજના આબાલવૃદ્ધ સૌને મૂંઝવતો અને સળગતો પ્રશ્ન કહેવાય. વ્યવસાયની પસંદગીમાં જયોતિષની ભૂમિકા અતિ મહત્વની છે. સફળતા નામના રથને બે પૈડાં હોય છે. એક પ્રયત્ન અને બીજું ભાગ્ય. પુરુષાર્થ અને ભાગ્ય બંને પૈડાં જો માનવીને સાથ આપે તો તે માનવી સફળ બને. દા.ત. તમે કોઇ વ્યક્તિને મળવા ટેલિફોન કરો અને ટેલિફોન પર તમને તે વ્યક્તિ મળવાનો સમય જણાવી દે તે બાબતને તમારો પ્રયત્ન કહેવાય અને તમે તેની ઓફિસે પહોંચો ત્યારે અનિવાર્ય સંજોગોને કારણે તે વ્યક્તિ તમને મળે તો તે તમારું ભાગ્ય અને ના મળે તો કમભાગ્ય કહેવાય.
વ્યવસાય અને નોકરી બાબતે જાણવા જન્મકુંડળીનો દસમ ભાગ અર્થાત્ દસમું કર્મસ્થાન ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જાતકના વ્યવસાય-નોકરીના નિર્ણય પર આવતા પહેલાં લગ્ન, ચંદ્ર અને સૂર્યથી વ્યક્તિનું દસમું સ્થાન તપાસવું જરૂરી છે. સામાન્ય રીતે લગ્નથી દસમો ભાવ બળવાન બનતો હોય તેવી વ્યક્તિ પોતાના પરિશ્રમ અને શારીરિક શ્રમથી આજીવિકા મેળવે છે. ચંદ્ર કુંડળીથી દસમું સ્થાન જે વ્યક્તિનું બળવાન હોય તે જાતક પોતાની બુદ્ધિ પ્રતિભાથી વ્યવસાયમાં સફળતા મેળવે છે.
જે જાતકનો દસમો ભાવ સૂર્ય લગ્નથી બળવાન હોય તેવો જાતક પોતાના ધનથી ધન ખેંચે છે. દસમો ભાવ-દસમા સ્થાનમાં આવેલા ગ્રહો-દસમા સ્થાનના માલિક અને દસમા ભાવ પર ગ્રહોની દ્રષ્ટિના આધારે વ્યક્તિના વ્યવસાય અને નોકરી બાબતે નિર્ણયો પર આવી શકાય છે. ઉપરાંત કુંડળીમાં જે ગ્રહ બળવાન હોય તેના આધારે પણ આજીવિકા-વ્યવસાય-નોકરીનું માર્ગદર્શન મેળવી શકાય છે. ક્યા ગ્રહ સાથે કયો વ્યવસાય-નોકરી સંકળાયેલા છે તે અહીં જણાવ્યું છે તેના આધારે આપ આપનું ક્ષેત્ર નક્કી કરી શકો છો.
સૂર્ય : સોનું, અનાજ, ગોળ, તેલ, વીજળીનો સામાન, ફોટોગ્રાફી, લાલ પથ્થર, સુગંધિત વસ્તુ, સટ્ટો, આડત, દલાલી, ઠેકેદારી, ઊન, આયાત-નિકાસ, અગ્નિશામક યંત્રો, કેમિસ્ટ, વાહનવ્યવહાર, ઇન્જિનિયરિંગ, ઝવેરાત, ઔષધ અને તબીબી વિજ્ઞાન.
ચંદ્ર : કરિયાણાનો વેપાર, ફેન્સી સ્ટોર, રમકડાંનો ધંધો,
રેડીમેડ, દહીં, દૂધ, ડેરી, પ્રવાહી પદાર્થ, ટ્રાવેલિંગ, વિદેશ વેપાર, ફળોનાં રસ, પીણાં, ડ્રાઇવિંગ, વકીલાત, ચોખાનો ધંધો, રેલવે, સિંચાઇ વિભાગ, ગ્લાસવેર વગેરે.
મંગળ : જંગલમાં ઉત્પન્ન થતી પેદાશ, ભોજનાલય, ખાણ
ઉદ્યોગ, જમીન લે-વેચ, બાંધકામ, ફટાકડા, રસાયણ, ભૂમગિત પેદાશો, વીજળીનો સામાન, વાસણો, લાલ વસ્તુ, ઇંટો, પોલીસ વિભાગ, સંરક્ષણ- સેના વિભાગ, ફાયર બ્રિગેડ, દૂતાવાસ, વિદેશ વિભાગ, પાકેલાં ફળનો વેપાર, ખેતી વિષયક ધંધો વગેરે.
બુધ : શેરબજાર, સટ્ટાબજાર, લાકડું, ફર્નિચર, તમાકુ, રેડિયો, ટીવી અને સંદેશા વ્યવહાર, દલાલી, સેલ્સમેનશપિ, પુસ્તકો, છાપકામ, વકીલાત, ન્યાયતંત્ર, સી.એ., ફાઇનાન્સ, બેંક, પોસ્ટઓફિસ, જડીબુટ્ટી, ઇન્સ્યોરન્સ વિભાગ.
ગુરુ : ધર્મ, પ્રવચન, શિક્ષણ, ખનીજ સંબંધિત વેપાર, લેખનકાર્ય, આભૂષણ, પીળી વસ્તુઓ, ચણા, સરસવ, જનસંપર્ક વિભાગ, ન્યાયાધીશ, કોઠારી, નંગ-રત્નો વગેરે.
શુક્ર : મીઠાઇ, કપડાં, આભૂષણ, સૌંદર્ય પ્રસાધન, બ્યુટિપાર્લર, ફર્નિચર, વ્યાજ પર નાણાં ધીરનારનો ધંધો, કોન્ટ્રાક્ટર, હોટલ, ફેન્સી સ્ટોર્સ, ફિલ્મ, ટી.વી., અભિનય, સંગીત, કલા, નૃત્ય, કામુકતાને લગતી ઔષધીઓ, ઇમ્પોર્ટ-એક્સપોર્ટ, સુગંધિત દ્રવ્ય, અગરબત્તી, મનોરંજન, યાત્રા, ટુરિસ્ટ કંપની વગેરેના ધંધા-વ્યવસાય.
શનિ : લોખંડ, તેલ, રબર, કાળી વસ્તુઓ, લોખંડના સ્પેરપાટ્ર્સ, કોલસો, ડામર, ચામડું, પથ્થર, દારૂ, ડ્રગ્સ, ગેસનો ધંધો અને ડિટેક્ટિવ એજન્સી વગેરે.
રાહુ : લાકડું, તંત્ર-મંત્ર, અગમ-નિગમ, દરજીકામ,
એડવટાઇઝમેન્ટ, અગર તો જન્મકુંડળીમાં રાહુ જે શનિ અગર ગ્રહ સાથે બેઠો હોય તે ગ્રહના કાર્યક્ષેત્રમાં આવતા ધંધા-વ્યવસાય.
કેતુ : કેતુનું કાર્યક્ષેત્ર રાહુ સમાન ઉપર જણાવ્યા મુજબ સમજવું.
આ ઉપરાંત જન્મકુંડળીમાં ગ્રહો એકબીજાની યુતિમાં હોય ત્યારે ધંધા-વ્યવસાય-નોકરી બાબતે અર્થઘટન અલગ અલગ હોય છે તેની ચર્ચા ફરી ક્યારેક કરીશું.
ક્યો સમય સારો છે ધ્યાનમમાંટે?..
યોગીમાટે સમયનુ કોઇ બંધન હોય નહીં પરંતુ નવા લોકોમાંટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.આ અભ્યાસને મજબુત કરવામાંટે છે.નક્કી કરેલા સમયે ધ્યાનનો અભ્યાસ કરવાથી માત્ર સંકલ્પ શક્તિ દ્રઢ નથી થતી પરંતુ સફળતા પણ સરળ બને છે.
કેવી રીતે રહેવુ ભણવામાં અવ્વલ?
મોઢુ પૂર્વ દિશાની તરફ હોવુ જોઇએ. ભણવાના સમયે હાથ-પગ-મોઢુ ધોઈને પૂર્વ દિશામાં મોઢુ રાખીને ભણવુ. પૂર્વ દિશા સંભવના હોય તો ઉતર અથવા પષ્ચિમમાં મોઢુ રાખવુ. દક્ષિણમાં ક્યારેય ના રાખવુ. ભણવાના સમયે સ્વચ્છ અને ઢીલા કપડા પહેરવા.સ્ટડી રૂમમા ગાયત્રી માતા, સરસ્વતિ, ગણેશના ફોટા લગાવવા.
સફળતા માટે સંઘર્ષ..
ચાર્લ્સને નાનપણથી જ લખવાનો ભારે શોખ. એક સજ્જન દ્વારા જ્યારે ચાર્લ્સને પૂછવામાં આવ્યું કે તમે શું લખવાનું વિચાર્યું છે ત્યારે તેમણે જવાબ આપ્યો કે ઘર ખાલી , પેટ ખાલી તો હું શું લખું?
ત્યારે સજ્જને ચાર્લ્સને જવાબ આપ્યો તારું ખાલી ઘર અને ખાલી પેટ ભરવા તારે જાતે જ મહેનત કરવી પડશે. આ વાત સાંભળીને ચાર્લ્સે સંકલ્પ કર્યો કે અડગ ઈચ્છાશક્તિ દ્વારા કંઈ પણ કરી શકાય છે.થોડાક સમય પછી તેમને એક ગોડાઉનમાં લેબલ ચોંટાડવાનું કામ મળી ગયું. ત્યાં ઉંદર બહુ હતા અને દુર્ગંધના લીધે થોડો સમય બેસવું પણ મુશ્કેલ હતું. પરંતુ પરિવાર માટે થઈને ચાર્લ્સે એ કામ સ્વાકારી લીધું.
કામ સિવાયના સમયમાં ચાર્લ્સ લેખ લખતા અને પત્રિકાઓમાં પોતાનો લેખ છપાવતા. એક દિવસ તેમનો એક લેખ એક મેગેઝિનમાં પ્રકાશિત થયો. આ લેખની ઘણી પ્રશંસા થઈ.સંપાદકે ચાર્લ્સના લેખનમાં નવો ઉત્સાહ અને પ્રાણ પૂર્યા. તેઓ વધુ મહેનત કરીને લેખ લખવા લાગ્યા અને ધીરે ધીરે સુપ્રસિદ્ધ લેખક બની ગયા. તેમણે યશની સાથે સાથે ખૂબ ધન કમાયું.
સાર એ છે કે સાધનોનો અભાવ અને સંઘર્ષ આવવાથી દ્ઢ સંકલ્પશક્તિ વધે છે.આ સમગ્ર સંસાર મનુષ્યના સંકલ્પ અને ઈચ્છાશક્તિ દ્વારા જ ચાલે છે. અંતે એક જ વાત મનમાં રાખવી કે દુર્બળ વિચારોને જાકારો આપીને સંકલ્પવાન બનવું જ એ જ સફળતાની નિશાની છે.
વશમાં કરે છે કામદેવ મંત્ર..
ધર્મશાસ્ત્રોમાં કામદેવને પ્રેમ, સૌંદર્ય અને કામનો દેવ માનવામાં આવે છે. એટલે જ તો પ્રેમ સંબંધોમાં કામદેવની ઉપાસના અને આરાધના નું મહ્ત્વ રહેલું છે. આ જ બાબતે તંત્રવિજ્ઞાનમાં કામદેવ વશીકરણ મંત્રનો જાપ કરવાનું મહત્વ આંકવામાં આવ્યું છે. આ મંત્ર હાનિરહિત હોવા છતાં ખુબ જ માનવામાં આવે છે.
"ॐ नमः काम-देवाय। सहकल सहद्रश सहमसह लिए वन्हे धुनन जनममदर्शनं उत्कण्ठितं कुरु कुरु, दक्ष दक्षु-धर कुसुम-वाणेन हन हन स्वाहा"
કામદેવનાં આ મંત્રને સવારે, બપોર અને રાત્રે એમ દિવસમાં ત્રણ વાર એક એક માળા જાપ કરવી. કહેવામાં આવે છે કે આ મંત્રનો જાપ કરવાથી એક મહિનામાં જ સફળતા પ્રાપ્ત થાય છે. મંત્ર સિધ્ધ થયા પછી તમે મનમાં મંત્રનો જાપ કરી જેની સામે પણ દેખશો તે તમારી તરફ આર્કષાસે..
કુદરતની કેટલીક વિચિત્ર ઘટનાઓ..
સામાન્ય રીતે તો બધા એક ઢાંચા અને બીબામાં ઢળીને આવે છે.
હંમેશાં નિરપવાદપણે આવું જ બનતું હોય તો પદાર્થ અને પ્રકૃતિની સત્તાને જ સર્વોપરી માનવી પડે. પણ એવી ‘રચનાઓ’ પણ બને છે જે ચોક્કસ ‘ઢાંચા’ અને ‘બીબા’ કરતાં સાવ જુદી જ હોય છે, જે આપણને એમ સ્વીકારવા વિવશ બનાવે છે કે આ બન્નેથી પર કોઇ બીજી મહાન સત્તા છે, જેની ઈચ્છાથી આમાં પરિવર્તન આવતા રહે છે. આપણે અમુક બાબતોને ‘કુદરતની વિચિત્રતા’ કહીને અટકી જઇએ એ ઠીક નથી. એના પર સંશોધન કરીએ તો ખ્યાલ આવે છે કે એ ‘અલૌકિક- દૈવી શક્તિની ઈચ્છાથી આવેલી વિશિષ્ટતા’ હોય છે.
ફ્રાંસના ટૂરકુઇંગ નગરમાં ઈ.સ. ૧૭૯૩માં ક્લેમેન્ટ નામની એક છોકરી જન્મી હતી. એને માત્ર એક જ આંખ હતી અને તે પણ બન્ને ભ્રમરની વચ્ચેના ભાગમાં હતી! એનાથી એ બહુ જ સરસ રીતે જોઇ શકતી હતી. એટલું જ નહીં, બીજા ન જોઇ શકે એવું દૂરગામી અને અનાગત પણ જોઇ શકતી હતી. આના પર સંશોધન કરનારા શરીરશાસ્ત્રીઓએ કહ્યું કે એ આંખ જે જગ્યાએ છે તે જગ્યાનું બહુ મહત્ત્વ છે અને તે જગ્યાએ હોવાથી જ તેનામાં આવી અસાધારણ દ્રષ્ટિક્ષમતા આવી છે. આપણું યોગવિજ્ઞાન કહે છે કે આ જગ્યાએ આજ્ઞાચક્ર આવેલું છે. એ જગ્યા ક્રિયાન્વિત થાય તો દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે.
કેટલીક શારીરિક વિચિત્રતાઓ કોઇપણ આનુવંશિક ગુણ (Heriditary Character) પર આધારિત ન હોવાથી એ વધારે અચરજપૂર્ણ બને છે. કોઇ જન્મથી અંધ પેદા થાય એવું બને. કોઇને એક આંખ ન હોય એવું પણ બને. પણ કોઇને આંખોનો કોઇ ભાગ ચહેરા પર હોય જ નહીં એવું બનતું નથી. આંખોની જગ્યાએ બે બાકોરા જેવું પોલાણ તો અંધ વ્યક્તિઓને હોય જ છે. પણ ફ્રાંસમાં સબેલનાસી ઑક્સમાં એક એવો છોકરો જન્મ્યો હતો જેને એકે આંખ નહોતી અને એની જગ્યાએ ત્યાં સપાટ ચામડી હતી અને બાકોરા જેવા કોઇ ખાડા નહોતા. એના કુટુંબમાં આવી કોઇ આનુવંશિકતા નહોતી. એને બીજા છ ભાઇ-બહેન હતા પણ કોઇનામાં આવા લક્ષણ નહોતા. આનુવંશિકતાને કારણે કેટલાક ભૂરી આંખોવાળા તો કેટલાક લીલી આંખોવાળા જન્મે છે. પણ ડબલ્યુ જે. બ્રાસર્ડ નામનો એક એવો છોકરો જન્મ્યો જેની એક આંખ ભૂરી તો બીજી એક આંખ લીલી હતી.
કુદરત દરેક પ્રાણીની રચનામાં કંઇક વિશેષતા સર્જે છે. ભમરાની આંખોનો લેન્સ એવો હોય છે કે તે પહેલાં એક આકૃતિની હજાર આકૃતિઓ બનાવીને મોકલે છે પણ છેલ્લે એને દેખાય છે તો એક જ આકૃતિ! માખી અને પતંગિયાની આંખો પણ આવી જ હોય છે. સમુદ્રની કેટલીક માછલીઓ ચાર આંખો ધરાવે છે. સ્ક્વિડ નામની માછલી આઠ હાથ-પગ ધરાવે છે. કરોળિયાને આઠ આંખો હોય છે.
કોલંબિયાના ડેનવરમાં એક ખેડૂત છે એની પાસે હરફોર્ડ નામની ગાય છે, જેના શરીર પર બે જગ્યાએ આંચળ આવેલા છે. એક દરેક ગાયને હોય છે એ કાયમી જગ્યાએ અને બીજા પીઠમાં આવેલા છે. આશ્ચર્યની વાત એ છે કે બન્ને જગ્યાએ આવેલા આંચળોમાંથી દૂધ નીકળે છે! પિટ્યુટરી ગ્લેન્ડની પ્રક્રિયાથી દૂધ બને છે એટલે બન્ને સ્થાનના આંચળોનો પિટ્યુટરી ગ્લેન્ડ સાથે સંબંધ જોડાયો હોય તો જ આવું બની શકે. કુદરતે આ ગાયમાં એવી વિશેષતા સર્જીને પોતાની ક્ષમતા બતાવી છે. મનુષ્ય દેહમાં પણ આવી વિશેષતા ઉદ્ભવે છે. કેટલીક સ્ત્રીઓ બેને બદલે ત્રણ સ્તનો ધરાવતી હોય છે તો કેટલીક સ્ત્રીઓને એક સ્તન પર બે ડીંટડીઓ (નીપલ) અને બીજા સ્તન પર એક ડીંટડી એમ ત્રણ ડીંટડીઓ હોય એવું બને છે. સ્ત્રીઓના સ્તનોમાંથી દૂધ નીકળે એ તો કુદરતી સામાન્ય પ્રક્રિયા છે પણ કોઇ પુરુષની છાતી સ્ત્રીના સ્તન જેવી થઇ જાય અને એમાંથી પુષ્કળ દૂધ નીકળે એવી ઘટનાને શું કહેવું? શરીરવિજ્ઞાનીઓ પાસે આનો કોઇ જવાબ નથી.
સ્પેનના મેડ્રિડ નગરમાં આવી ઘટના બની છે. ત્યાંની મેડિકલ ફેકલ્ટીના એક રિપોર્ટમાં ડૉ. જોન કેસ્લરે આનો ઉલ્લેખ અને ચર્ચા કરી છે. તે જણાવે છે કે લોજાનો નામના એક પુરુષની છાતી સ્ત્રીના સ્તન જેવી થઇ ગઇ હતી અને એમાંથી પુષ્કળ દૂધ નીકળવા લાગ્યું હતું. એનાથી એણે પાંચ મહિના સુધી પોતાના જોડિયા બાળકોને દૂધ પીવડાવ્યું હતું અને એમને પોષણ આપ્યું હતું. થોડા સમય પહેલા જ્યોર્જિયાના ગ્રીનવિલે શહેરમાં એક વિચિત્ર ઘટના બની હતી. એ.એફ. ડાડી નામની સ્ત્રીને પ્રસૂતિ સમયે એક ઇંડુ નીકળ્યું. એ જોઇ ડૉકટરો આશ્ચર્ય પામ્યા હતા. એ ઇંડામાંથી કંઇક નીકળે છે કે કેમ એની રાહ જોતા એ બેસી રહ્યા પણ એમાં કોઇ હલનચલન ન થયું એટલે એને ફોડીને જોયું તો એમાંથી નીકળ્યો એક મગફળીનો દાણો!
આયર્લેન્ડના લિસે નમડીયર પ્રદેશની ઘટના તો અતિ વિચિત્ર છે. ત્યાં બ્રિદી કેશન્સ નામની એક સ્ત્રી ગર્ભવતી થઇ. પ્રસવકાળ આવ્યો ત્યારે એના ગર્ભમાંથી મરઘીના બે-ચાર નહીં, સો ઇંડા નીકળ્યા! માતૃસહજ ભાવનાથી કે પૂર્વજન્મની સ્મૃતિથી- ગમે તે કારણે તેણે એક મોટો માળો બાંઘ્યો. એમાં એ ઇંડાને સુરક્ષિત મૂકાવી એમાં એ પોતે પણ રહીને એમને સાવધાનીપૂર્વક મરઘીની જેમ સેવતી રહી. ત્રણ અઠવાડિયા પછી એ તમામ ઇંડાઓમાંથી સો એ સો બચ્ચા જન્મ્યા. એ બધા બચ્ચા પૂરેપૂરી રીતે મરઘીના બચ્ચા જેવાજ હતાં! એક મનુષ્ય સ્ત્રીના ઉદરથી મરઘીના સો ઇંડા કેવી રીતે નીકળે અને એમાંથી બચ્ચા પણ નીકળે અને જીવતા રહે એ ઘટનાનું રહસ્ય શરીરવિજ્ઞાનીઓ હજુ સુધી ઉકેલી શક્યા નથી!
બાળકનું સ્વાસ્થ્ય કેવી રીતે જાળવવું?
ટોટી-મધ અથવા ગ્લીસરીન લગાડેલું ચુસણિયું એક સરખું મોઢામાં રાખવાની ટેવ નુકસાનકારક છે. ટોટી વારંવાર નીચે પડી જવા અને ફરી પાછી મોઢામાં આપતાં પેટમાં અસ્વચ્છતા-કચરો જવાનો સંભવ છે અને આ કચરો-જંતુ, ઝાડા, ઊલટીના કારણરૂપ બને છે. મધ અથવા ગળપણવાળી ટોટીથી દાંતમાં સડો થવાનો ભય વધે છે, અને દાંત આડાઅવળા અથવા બહાર નીકળેલા આવે છે, તથા મોઢાંને બેડોળ બનાવે છે.
ટોટી આવાથી પેટમાં હવા પણ જાય છે અને પેટનો દુખાવો, ચૂંક પણ ચાલુ થાય છે. જો ટોટી ચૂસવાથી રડતું બાળક શાંત થઈ જાય તો આનું કારણ મોટેભાગે અપૂરતું પોષણ, ભૂખ હોઈ શકે. ત્યાર પછી ટેવ-વ્યસન થઈ જવાથી ટોટી વગર તે શાંત રહેતું નથી.રમતમાં તે ચુસણિયું, ધુઘરો અથવા કોઈપણ રમકડું મોઢામાં નાખે તે સ્વાભાવિક છે, પરંતુ રડતું બાળક શાંત રહે માટે તેના મોઢામાં આંગળી, અંગૂઠો કે ટોટી ન આપવાં જોઈએ.
બાકને ફળનો રસ, ફળ,સૂપ વગેરે ક્યારથી આપવાનું ચાલુ કરી શકાય?
જન્મના ત્રણેક મહિના પછી ફળનો રસ, સૂપ, દાળનું પાણી વગેરે દૂધ સિવાયનાં બીજાં પ્રવાહી ચાલુ કરી શકાય. ફળના રસમાંથી વિટામીન ‘સી’ અને ‘બી’ મળે છે. સૂપ, દાળનું પાણી આપવાથી વિટામીન નજીવાં પ્રમાણમાં મળે છે, ક્ષાર અને પ્રોટીન પણ મળે છે. બાળક દૂધ અને ધાવણ સિવાયની બીજી ચીજોનો સ્વાદ ઓળખતા અને માણતા શીખે છે. પછીને તબક્કે બીજા ઘટ્ટ પદાર્થ આપવાનું અને તેની ટેવ પાડવાનું પણ સહેલું બને છે.
મોસંબી કે સંતરાનો રસ પણ આપી શકાય. ફળનો રસ આપવાથી બાળકને શરદી થશે અથવા છાતી ભરાઈ જશે એવી માન્યતાને લીધે ઘણી માતા આ આપવાનું ટાળે છે અથવા હુંફાળું ગરમ કરીને આપે છે. આ ભય પાયાવગરનો છે. ફળના રસથી શરદી થતી નથી. જો બાળકને આમાંના કોઈ તત્ત્વની એલર્જી હોય તો જ તેની નુકસાનકારક અસર થાય છે, ફળનો રસ તપાવીને કે ગરમ કરી આપવાથી તેમાં રહેલાં વિટામીન નષ્ટ થઈ જાય છે અને ફક્ત સાકરનાં પાણીની જ અસર રહે છે. રસ, સૂપવગેરે બાટલીમાં ભરી ન પીવડાવતાં પ્યાલી-ચમચીથી પીવડાવવા જોઈએ.
બાટલીની ટેવ હોય તોે પણ આ નવા સ્વાદવાળા પદાર્થ અને નવી પઘ્ધતિ બાટલી મૂકાવવા મદદગાર થશે.
રસનું પ્રમાણ શરૂઆતમાં ૫-૬ ચમચીથી ચાલુ કરી એક ફળનો રસ અથવા ૨-૩ ઔંસ (૬૦-૯૦ સી.સી.) જેટલું કરી શકાય. આથી વધારે પ્રમાણ આપવાથી ભૂખ ઓછી થવા અને ઘટ્ટ પદાર્થ કે દૂધનું પ્રમાણ આહારમાંથી ઘટી જવાનો ભય રહે છે. ફળનો રસ બને ત્યાં સુધી બાળક ૧-૧।। વર્ષનું થાય ત્યાં સુધી આપવા. પોષાતું ન હોય તો બાળક ૬-૮ મહિનાનું થાય ત્યાં સુધી આપી બંંધ કરી શકાય. આ ઊંમરે બીજો આહાર શરૂ કરવાથી તેમાંથી વિટામીન, ક્ષાર વગેરે જરૂર પૂરતાં પણ ઓછી કિંમતે આપી શકાશે.
વિટામીન અથવા બીજા ટોનિકનાં ટીપાં આપવા જરૂરી છે? તે ક્યારથી શરૂ કરવાં જોઈએ? કેટલી વય સુધી આપવાં જોઈએ?
ઘણા ડોક્ટરો બાળકને હોસ્પિટલમાંથી ઘેર મોકલતી વખતે જ ટોનિક-વિટામીનનાં ટીપાં વગેરે લખી આપે છે, અને ચાલુ કરવાનું કહે છે. આ પઘ્ધતિ જૂની અંગ્રેજી (મ્ૈૌિજર જીઅજાીસ) પઘ્ધતિનું અનુકરણ અને થોડે ઘણે અંશે દવા બનાવતી કંપનીના વેચાણ વધારવાનાં ધરખમ પ્રયાસનું પરિણામ છે. માતાનું ધાવણ શરૂઆતનો દોઢ મહિનો બાળકની વિટામીનની જરૂરિયાત પૂર્ણ કરે છે. સગર્ભાવસ્થા દરમિયાન અમુક વિટામીન અને ક્ષાર બાળકને મળ્યાં હોય છે અને તે થોડા સમય સુધી શરીરમાં જળવાઈ રહે છે.
દોઢ મહિનાની વયથી વિટામીનનાં પાંચ ટીપાં દરરોજ પીવડાવવાં જોઈએ. આ ટીપાનું પ્રમાણ વધારીન ૩ મહિને જ ૧૦ ટીપાનું કરવું જોઈએ. ૬-૭ મહિનાની વયે બાળકને બીજો આહાર શરૂ કર્યો હોવાથી આ ટીપાં બંધ કરી શકાય. જો બાળક બરાબર આહાર ન લેતું હોય અથવા નબળું હોય-વિટામીનની ખામી હોય તો ટીપાંને બદલે ૧/૨ ચમચી વિટામીનનો સીરપ (શરબત) આપી શકાય.
જો બાળક અઘૂરે મહિને જન્મ્યું હોય, જન્મ વખતે કદમાં બહુ નાનું હોય-૨ કિલોથી ઓછું અથવા ગર્ભાવસ્થા દરમિયાન માતાનું સ્વાસ્થ્ય નબળું હોય તો બાળકના શરીરમાં લોહ, કેલ્શ્યિમ, વિટામીન ડી, એ,નો જથ્થો નહિવત્ હોવાથી ૧૫ દિવત્ની વયથી જ આ તત્ત્વો દવા તરીકે આપવાં જરૂરી છે, અને ટીપાંરૂપે આપવાનું સહેલું પડે છે. આવાં બાળકો જન્મ પછી ઘણીવાર વધારે ઝડપથી વધે છે અને બીજા સામાન્ય બાળકની સરખામણીમાં તેમની વિટામીન, ક્ષાર અને આહારની જરૂરિયાત પણ વધારે હોય છે.
બાળકને વિટામીન-સી આપવું જરૂરી છે?
વિટામીન ‘સી’ ખોેરાકની બહુ જરૂરી ચીજ હોવાથી ૫-૬ અઠવાડિયાંની વયથી આપવું જોઈએ. માતાના અને ગાયના દૂધમાં આનું પ્રમાણ બહુ થોડું હોવાથી વિટામીન-સી આપવું જરૂરી છે. નારંગી, ટમેટાં વગેરે પદાર્થોમાં વિટામીન-સી હોય છે. તેનો રસ આપી શકાય, પણ એટલું યાદ રાખવું કે ઠંડીમાં પણ આ રસ ગરમ કરીને કે ઉકાળીને ન જ આપવો જોઈએ. ઉકાળેલું પાણી ભેળવી શકાય. રસ ખાટો હોય તો સાકર પણ નાખી શકાય. ગરમીથી વિટામીન -સીનો નાશ થાય છે તેથી એ રસને ગરમીથી દૂર રાખવો જરૂરી છે. વિટામીન-સીનાં કે એમ.વી.નાં (વિટામીનનાં)ટીપાં જેમાં વિટામીન-સી પણ હોય છે તે શરૂ કરી બાળક એક વર્ષનું થાય ત્યાં સુધી આપવા જોઈએ. દિવસનાં પાંચ ટીપાં પૂરતાં થઈ રહેશે.
ઘટ્ટ પદાર્થો ક્યારે ચાલુ કરી શકાય?
ખરી રીતે ઘટ્ટ પદાર્થો ત્રણેક મહિનાની આસપાસ શરૂ કરી શકાય. ઘઊંની રાબ, ઘઊંનો રવો કે બીજો નરમ, સુંવાળો આહાર આપી શકાય. આ ઉપરાંત કેળું પણ આપી શકાય. ઓછી આવકવાળાં કુટુંબ કાંજી, ઘઊં, ભાત, દાળની ખીચડી જેવા ઘટ્ટ પદાર્થો ૩ મહિના પછી ચાલુ કરી શકે. આ ઉપરાંત શક્ય હોય તેટલું વધારે દૂધ મળવું જોેઈએ. થોડા જ વખતમાં ખીર, શીરો, પુડીંગ વગેરે આપવાનું શરૂ કરવું જોઈએ. પાંચ મહિનાની વયે મીઠું નાખીને બાફેલાં બટાટાં, લીલાં શાકભાજી અને દાળ છૂંદી કે ફીણીને અથવા સૂપના રૂપમાં આપી શકાય.
બાળકને કેવા કઠણ પદાર્થ આપી શકાય? તે ક્યારે શરૂ કરવા જોઈએ?
૩ મહિનાની વયે કઠણ ઘટ્ટ પદાર્થ અને ૬ મહિનાની વયે કઠણ પદાર્થ ચાલુ કરી શકાય. જો બાળકનું કદ મોટું હોય, માતાનું દૂધ પૂરતું ન હોય અને (એકલા ધાવણથી) પોષણ પૂરું પાડવા માતા અસમર્થ હોય તો ઘટ્ટ પદાર્થો આથી વહેલા પણ ચાલુ કરી શકાય. રાબ, રવાની ખીર, નરમ ખીચડી, નરમ દાળ જેવા પદાર્થોનું અમે સૂચન કરીએ છીએ. પછી ઉકાળેલાં ઈંડાનો પીળો ભાગ ૧/૨ ચમચી જેટલો ચાલુ કરી બાળક પૂરેપૂરો પીળો ભાગ ખાય ત્યાં સુધી વધારતા જવું. પછી ઈંડાનો સફેદ ભાગ ચાલુ કરી વધારતાં જવું અને આમ બાળક એક આખુ ઈંડુ લેતું થઈ જશે. ૫-૬ મહિને ચોખાની ખીર, રવાની ખીર વગેરે આપી શકાય. મીઠું નાખેલું દહીં, બાફેલું બટેટું, બાફેલાં અને છૂંદેલા શાક, ભાત અને દાળ પણ બાળકને આપવાં જોઈએ. દહીં ૨-૩ મહિનાની વયે ચાલુ કરી શકાય. કડક (કઠણ) પદાર્થો દા.ત. બિસ્કિટ, પાંઉ વગેરે દાંત આવ્યા પછી ચાલુ કરવા.
નાનાં બાળકને ચા, કૉફી કે શરબત જેવા પીણાં કઈ વયથી આપી શકાય?
૪-૫ વર્ષની વય સુધી મોળું અથવા સાકર નાખેલું દૂધ આપવાનું સારું, કારણ કે દૂધનાં પૌષ્ટિક તત્ત્વો પેટમાં જવાથી બાળકનો શારીરિક વિકાસ, હાડકાંનું બંધારણ અને શરીરનું બંધારણ બરાબર થાય છે. કોફી પીવાની ઈચ્છા મોટી વ્યક્તિને થાય છે તેમ બાળકને થતી નથી. ઘણીવાર વડીલો રમત રમતમાં બાળકને ચા અથવા કોફી પીવડાવે છે અને બાળકને સ્વાદથી પીતાં જુએ એટલે આ ક્રિયા વારંવાર કરે છે અને પછી બાળકને વડીલના ચાના પ્યાલામાંથી ભાગ પડાવવાની ટેવ પડે છે. આ સ્વાદ અને પીણાંનો રંગ ઘણીવાર દૂધ કરતાં વધારે આકર્ષક લાગવાથી બાળકને ચૉ-કોફી પીવાની ઈચ્છા થાય છે. જો બાળક દૂધ ઓછા પ્રમાણમાં પીતું હોય તો આપણી મોટી વ્યક્તિની માન્યતા પ્રમાણે
તેમાં એલચી, શરબત, કોફી, ચોકલેટ વગેરે ભેળવી તેને ‘‘સ્વાદિષ્ટ’’ કરવામાં આવે છે અને બાળકને આવાં પીણાંનો ચસકો લાગે છે. રંગ બે રંગી શરબત પણ આકર્ષક દેખાવાથી બાળક તે પીવાનું મન કરે છે. પીણામાં રહેલાં તત્ત્વની દા.ત., રંગ, સુગંધ અથવા કોફી જેવા પદાર્થની નુકસાનકારક અસર, દાંતનો સડો અને ખર્ચાળ ટેવ ઉપરાંત આ પીણાંને લીધે ભૂખ ઓછી લાગવાથી અથવા પેટ ભરાઈ જવાથી બાળકના દૂધ, પૌષ્ટિક તત્વો અને કસદાર આહાર ઓછા થઈ જવાથી બને ત્યાં સુધી આ પીણાનો ઉપયોગ બને તેટલો મોડો કરવો.
બાળકને પોતાને હાથે ખાવાનું અથવા જમવાનું ક્યારથી શરૂ કરાવું જોઈએ?
પાંચ-છ મહિનાની વયથી બાળક હાથમાં આવેલી વસ્તુ મોઢામાં નાખે છે. માતા દૂધ પીવડાવતી હોય અથવા ખવડાવતી હોય ત્યારે પણ તે ચમચી પકડવાનો - પોતાની મેળે ખાવાનો પ્રયાસ કરે છે. આ વૃત્તિને ઉત્તેજન આપવું જોઈએ. જો કે આ ક્રિયામાં ખાવાની વસ્તુ નીચે પડે, કપડાં પર પડે અને બાળકના શરીર પણ પડે તેથી થોડું કામ વધે છે પણ લાંબેગાળ તેનો ફાયદો થાય છે. બાળક બેસતાં શીખે (૮-૧૦ મહિનાની વય) ત્યારથી તેને એક વાટકીમાં અથવા થાળીમાં ખાવાની વસ્તુ આપવી શરૂ કરવી જોઈએ. જેથી કુટુંબની રહેણીકરણી પ્રત્યે તે સજાગ બને. કુટુંબની બીજી વ્યક્તિ સાથે જમવા બેઠી હોય અથવા નાસ્તો કરતી હ ોય ત્યારે પણ બાળકને તેમની સાથે એક બાજુએ બેસાડવાથી તે હાથેથી જમવાનો પ્રયાસ કરશે.
જ્યાં સુધી બાળક પોતાને હાથે બરાબર જમતું ન થાય ત્યાં સુધી માતાએ તેને ખવડાવવાનું, જમાડવાનું ચાલુ રાખવું જોઈએ અને પછી તેને સાફ કરી, કપડાં બદલાવી રમવા કે સુવા દેવું જોઈએ. બાળકને જમાડવા એક નિયતસ્થળે બેસાડવાની ટેવ પાડવી જરૂરી છે. બાળક આખા ઘરમાં ફરતું જાય અને માતા તેની પાછળ થાળી લઈ તેને વાર્તા કરતાં અને ઘ્યાન બીજે દોરતાં જમાડે તે બરાબર નથી. જો બાળક ભૂખ્યું ન હોય તો તેને જબરજસ્તી કરી જમાડવાનો પ્રયાસ કરવો પણ નુકસાનકારક છે. આ ક્રિયાથી તેનો જમવા પ્રત્યે અણગમો વધશે અને મહેનત કરી જમાડેલું અન્ન તે ઓકી નાખવાનો સંભવ પણ વધશે. બાળકને હાથેથી જમતાં શીખવવું કે ચમચીથી તેનો આધાર કુટુંબના રિવાજ પર રહે છે.
મારું એક વર્ષનું બાળક ખોરાક લેવાની સાફ ના પાડે છે. બળજબરી કરીને દૂધ પાવામાં આવે તોે ઓકી નાખે છે. ડોક્ટર કહે છે કે તેને કોઈપણ માંદગી નથી. આનો ઉપાય કરવો જરૂરી છે?
બાળકને શારીરિક બીમારી ન હોય છતાં ખોેરાક પ્રત્યે અરુચી હોય તો એની માનસિક સ્થિતિ કે ઘરનું વાતાવરણ જવાબદાર હોઈ શકે છે. બાળકને ભૂખ ન હોય છતાં સમયપત્રક પ્રમાણે ખોરાક આપવાની ચિંતામાં માતા બળજબરી કરે છે ત્યારે બાળક હઠ કરવાની શરૂઆત કરે છે. ચિંતામાં ગુસ્સે થઈ રડતાં બાળકને આહાર આપવાના પ્રયાસમાં બાળક દૂધ-ખોરાક પ્રત્યે અરુચિ ધરાવવા માંડે છે. બાળકના ગમા-અણગમાની પરવા કર્યા વગર તેને માતાની ઈચ્છા પ્રમાણે ખોરાક આપવામાં આવે તો પણ બાળક ખાતું નથી. કેટલીકવાર પોતા તરફ વડીલોનું ખાસ કરીને માતાનું ઘ્યાન કેન્દ્રિત કરવા બાળક ખાતું નથી અને આ વર્તણૂંકને લીધે ચિંતાગ્રસ્ત વડીલો તેની તરફ વધારે ઘ્યાન આપે તેવી અભાન કે સભાન ઈચ્છા કેળવે છે.
બાળક ભૂખ્યું થાય અને ખોરાક પ્રત્યે તે આકર્ષાય તે કુદરતી વૃત્તિ છે. આ વૃત્તિને વડીલોની વર્તણૂક બગાડી શકે. જ્યારે બાળખ ભૂખ્યું ન હોય ત્યારે તેને ખોેરાક લેવાનો આગ્રહ-દુરાગ્રહ ન કરવાં જોઈએ. બાળકનું ઘ્યાન બીજે દોરી ધમકી આપી કે લાલચ આપી તેને ખોેરાક આપવાથી થોડા સમય માટે કદાચ સરળતા રહે છે પણ પછી બમણા જોરથી આ સમસ્યા પાછી આવે છે. બાળક ભૂખ્યું હોય ત્યારે તેને વ્હાલથી ખોળામાં બેસાડી તેની ભૂખ પ્રમાણે દૂધ કે આહાર લેવા દેવું જોઈએ. વધારે પડતું થાકેલું બાળક દૂધ ન પીએ કે ખોેરાક ન લે તો તેની ચિંતા મા-બાપે ન કરવી જોઈએ. ટૂંકમાં વધારે પડતી ચિંતા કરી બાળકની પાછળ પડી તેને આહાર આપવા કરતાં તેની અરુચિ પ્રત્યે થોડું બેઘ્યાન રહેવામાં ફાયદો છે. કોઈવાર માંદગીની શરૂઆતનું લક્ષણ અરુચિ હોઈ શકે તે બાબત ઘ્યાનમાં રાખવી જોઈએ.
મારું એક વર્ષનું બાળક ફક્ત દૂધ જ પીએ છે કોઈ વસ્તુ ખાતું નથી. આહાર તરીકે ફક્ત દૂધ કેટલી વાર આપી શકાય?
આહાર તરીકે ફક્ત દૂધ ત્રણેક મહિનાની વય સુધી બાળકને આપી શકાય. દૂધમાં ખનિજ-લોહનું પ્રમાણ ઓછું હોવાથી અને ક્ષારનું પ્રમાણ પણ ઓછું હોવાથી બીજો આહાર શરૂ કરવાની જરૂર પડે છે. દૂધમાં રહેલી કેલેરીનું પ્રમાણ તેટલા જ કદના ઘટ્ટ આહાર કરતાં ઓછું હોવાથી ફક્ત દૂધ જ આપવામાં આવે તેનું પ્રમાણ એટલું વધી જાય કે બાળક તેટલું દૂધ પી શકે નહિ. નાની વયથી જુદા જુદા સ્વાદની ઘટ્ટ પદાર્થની ટેવ પાડવામાં આવે તો બાળક તે આનંદથી ખાય છે અને આ વૈવિઘ્ય માણતાં શીખે છે. આથી જ ૩ મહિનાની વયથી નરમ દાળ, ગળેલું કેળું, શીરો, ખીચડી વગેરે ધીરે ધીરે બાળકને આપવાનું ચાલુ કરવું જોઈએ. એક વર્ષનું બાળક ફક્ત દૂધ પીતું હોય તો માતા તેને વધારે દૂધ પીવડાવવા લલચાય છે, કારણ કે તે બીજી વસ્તુ ખાતું નથી. આનું પરિણામ એવું આવે છે કે બાળકને ભૂખ લાગતી જ નથી.
આથી એક વર્ષની વયનાં બાળકને દિવસમાં ફક્ત ૩ પ્યાલા દૂધ પૂરતું છે, અને ફક્ત તેટલું જ આપવું જેથી તેની ભૂખ મરી નહિ જાય. ત્યાર પછી ધીમે ધીમે રાબ-કાંજી જેવા ઘટ્ટ આહાર બાળકને ખોળામાં બેસાડી, સમજાવી, ધીરજથી ખવડાવવાનું શરૂ કરવું જોઈએ. શરૂઆતમાં બે-ત્રણ ચમચી ખાઈ ઊઠી જતું બાળક ધીરે ધીરે વધારે પ્રમાણમાં ખાશે. કુટુંબની બીજી વ્યક્તિ જમવા બેઠી હોય ત્યારે અને ત્યાં જમાડવાનો પ્રયાસ કરવાથી વધારે સફળતા મળશે. શરૂઆતમાં બાળક ન ખાય, થૂંકી નાખે, શરીર પર, કપડાં પર અને જમીન પર પાડે અથવા ઊલટી કરે તો ગુસ્સો કે ચિંતા વ્યક્ત ન કરતાં ધીરજથી પ્રયાસ ચાલુ રાખવો. દૂધ પીવડાવતાં પહેલાં ઘટ્ટ વસ્તુ ખવડાવવાનો પ્રયાસ - ભલેને બહુ થોડા પ્રમાણમાં કરવાથી બાળક તે સંપૂર્ણપણે તું થઈ જશે.
આઘુનિક સમયમાં ઉદ્ભવેલી કેટલીક સામાજિક સમસ્યાઓ....
કશી અપેક્ષા વિના મા પોતાના પરિવારની સતત ચિંતા અને દેખભાળ કરતી હોય છે. આવી મા હયાત ન હોય ત્યારે એનું મહત્વ સમજાય છે. ગઝલકાર રતિલાલ સોલંકી મા વિષયક પોતાની ગઝલમાં માની હેસિયત સંબોધનાત્મક શૈલીમાં રજૂ કરે છે ઃ
તું હતી તો ઘર ખરેખર ઘર હતું મા,
એક મીઠું આંગણે સરવર હતું, મા.
માની હૂંફથી જ ઘર સાચા અર્થમાં ઘર બને છે. જીવનનો પ્રખર તાપ ઝીલીને એ પોતાના સંતાનોના માથે વાદળની જેમ હંમેશા અમીવર્ષાની ઝરમર કરતી રહે છે ઃ
ધોમધખતા તાપ સામે ઢાલ જેવું,
એક માથે વાદળું ઝરમર હતું, મા.
કશી સુખ-સુવિધાઓ કે ધન-દોલત વિનાનું ઘર પણ માની ઉપસ્થિતિને કારણે કુબેરભવન જેવું લાગતું. આવો શૂન્યાવકાશ એના વાત્સલ્ય અને લાગણીથી છલકાઈ ઊઠતું. એ ઘરની સઘ્ધરતા હતી ઃ
સાવ ખાલીખમ હતું, પણ તું હતી તો,
એમ લાગે ખોરડું પગભર હતું, મા.
જીવનના સુખ-દુઃખ અને તડકા-છાયા વચ્ચે એ હંમેશા પોતાના આત્મીયજનો માટે પ્રફુલ્લિત રહેતી. પોતાના સ્વજનોને દુઃખનો અહેસાસ કયારેય થવા દેતી નહીં. હૈયું રડતું હોય છતાં ચહેરો મલકતો રાખતી ઃ
યાતના વચ્ચે મલકતું ને હરખાતું,
એ વદન હેતાળ ને મનહર હતું, મા.
એ ક્યારેય નફા-નુકસાનનું ગણિત રાખતી નહીં. કશા બદલાની અપેક્ષા વિના એ પોતાના સંતાનોનો ઉછેર કરે છે. એમના સુખે સુખી અને દુઃખે દુઃખી થાય છે. એની પાસે હિસાબના સરવાળા-બાદબાકી નથી. એ તો કેવળ અને કેવળ નિઃસ્વાર્થ પ્રેમ કરે છે ઃ
ફાયદા-નુકસાનનો હિસાબ શાનો
તારૂં બસ હોવાપણું સરભર હતું , મા.
કમરતોડ મોંઘવારીમાં રાહતરૂપ ‘બચત’નું શસ્ત્ર..
ગૃહિણીએ બજેટ
બનાવી બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવો
સાકર ૪૦ રૂપિયે કિલો, બટેટા ૨૨-૨૫ રૂપિયે કિલો, કાંદા ૩૦ રૂપિયે કિલો, તુવેરદાળ ૮૦ રૂપિયે કિલો, ચોખા ૪૦ રૂપિયે કિલો....... ગેસના સિલિન્ડરના ભાવ વઘ્યા, બાળકોની શાળાની ફી વધી, ફિલ્મની ટિકિટ મોંઘી થઇ, રેસ્ટોરાંમાં વાનગીઓની કિંમતમાં વધારો...... જ્યાં નજર પડે ત્યાં મોંઘવારી-મોંઘવારી અને મોંઘવારી. જીવનાવશ્યક તમામ વસ્તુઓના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે.
સરકાર ભાવ વધારો રોકવામાં નિષ્ફળ રહી છે અને તેનો ભોગ બન્યા છે. મઘ્યમવર્ગીયો. વિશ્વબેંકના જણાવ્યા અનુસાર વધતી જતી મોંઘવારીને કારણે ૩૩ દેશમાં રાજકીય અને સામાજીક અશાંતિની સ્થિતિ પેદા થઇ ગઇ છે. મોંઘવારી વધવાના અનેક કારણો છે પણ તેના કારણે ગૃહિણીની હાલત કફોડી થઇ રહી છે. આજે તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે પણ ગૃહિણીએ તો બાંધી આવકમાં જ ઘર ચલાવવું પડે છે.
કાંદા, બટેટા, શાકભાજીથી લઇને તેલ અને અનાજના ભાવ આભને આંબી રહ્યા છે. આ કારણે મહિલાઓની જવાબદારી વધી ગઇ છે. મોંઘવારીને લીધે ઘરનું બજેટ ડામાડોળ ન થાય તેનું ઘ્યાન મહિલાએ રાખવાનું હોય છે. આ માટે થોડી કુશળતા જરૂરી છે જેથી મોંઘવારીમાં પણ સારી રીતે ઘર ચલાવી શકાય.
ઘર ખર્ચનું બજેટ બનાવોઃ
જો તમે અત્યાર સુધી વગર બજેટે ખરીદી કરતાં હો તો હવે થોભી જાવ. અત્યાર સુધી કદાચ આ વાતથી કોઇ ફરક પડતો નહિ હોય પણ વધતી જતી મોંઘવારીમાં આવી લાપરવાહી મુશ્કેલીમાં મુકી દેશે. ખરીદી કરતાં પૂર્વે જો બજેટ બનાવવામાં આવે તો કયા ખર્ચા જરૂરી છે અને કયા ખર્ચા બીનજરૂરી છે તેની ખબર પડશે. આથી બીનજરૂરી ખર્ચા બંધ કરવાથી બચત થશે.
આ અંગે પોતાનો અનુભવ જણાવતાં અનિષા માવાણીએ કહ્યું હતું કે, ‘અમે બધી બેનપણીઓ મહિનામાં બે ફિલ્મો જોવા જતી હતી અને તે દિવસે અમે લંચ પણ બહાર જ કરતા હતા. જોકે બજેટ બનાવતી વખતે અમને લાગ્યું કે જો અમે ઇચ્છીએ તો આ ખર્ચ ઓછો કરી શકીએ. હવે અમે બધા ફિલ્મ જોઇએ છીએ પણ ડીવીડી પર. કોઇ એકના ઘરમાં આ પ્રોગ્રામ રાખીએ છીએ.
લંચ માટે અમે બધા પોત-પોતાના ઘરેથી એક-એક વાનગી બનાવીને લાવીએ છીએ. આથી ખર્ચ પણ ઓછો થઇ જાય છે અને અમે પાર્ટીની મજા લઇ શકીએ છીએ. જો અમે બજેટ ન બનાવત તો વધારાના આ ખર્ચની અમને ખબર જ પડત.’
આમ તમે પણ બજેટ બનાવીને બીન જરૂરી ખર્ચા પર કાપ મૂકી શકશો. આ દ્વારા થતી બચતની રકમ ભલે નાની હશે પણ તે મુશ્કેલીના સમયમાં મીઠી લાગશે.
શોપિંગ લિસ્ટ બનાવોઃ
ખરીદી કરવા જતાં પહેલાં શોપિંગ લિસ્ટ બનાવવાની આદત પાડો. આથી ખરીદી કરવા જતી વખતે શું લેવાનું છે તેનું સ્પષ્ટ ચિત્ર મનમાં રહેશે. આજની મોલ સંસ્કૃતિમાં વિવિધ સ્ટોરમાં રહેલી આકર્ષક વસ્તુઓને જોઇને તે ખરીદવાની લાલચ રોકી શકાતી નથી. આ કારણે બીનજરૂરી વસ્તુની ખરીદી થઇ જાય છે. પણ જો તમે શોપિંગ લિસ્ટ બનાવીને જશો તો તમે વધારાની વસ્તુઓ ખરીદશો નહિ. આથી આપોઆપ બચત થઇ જશે.
બીન જરૂરી ખર્ચ પર કાપ મૂકોઃ
‘મોંઘવારી વધી રહી છે એટલે બીનજરૂરી ખર્ચ પર કાપ મૂકો’ એમ કહેવું ખૂબ સહેલું છે પણ તેના પર અમલ કરવો મુશ્કેલ છે. આથી સૌથી પહેલાં આપણે આપણી પ્રાથમિક્તાઓ સમજવી પડશે. પછી તે અનુસાર પ્લાનીંગ કરવાનું છે. જરૂરિયાત વગર ખરીદી કરવી, પહેલાં ખરીદી કરવી અને પછી પૈસા ચૂકવવા, દેખાડો કરવાની ટેવ, વારંવાર પાર્ટીઓ કરવી જેવી આદતો દૂર કરવી પડશે.
હેતલ મહેતાએ કહ્યું હતું કે, ‘પહેલાં અમે દર અઠવાડિયાના અંતે મુંબઇની બહાર જતા હતા અને માનસિક તાણમાંથી મુક્ત થઇને પાછા આવતા હતા. પરંતુ હવે મોંઘવારી વધતા છેલ્લા બે મહિનાથી અમે બહાર જવાનું બંધ કર્યું છે. વર્ષોથી જે આદત પડી હતી તેના કારણે ઘરમાં રહેવું થોડું મુશ્કેલ બને છે. પણ અમે ધીમેધીમે આ બદલાવને સ્વીકારી રહ્યા છે. જોકે આ કારણે સારી એવી બચત થાય છે ખરી.’
પહેલાનાં બજેટમાં જ ચલાવવુંઃ
ખાવા-પીવાની વસ્તુઓ, પેટ્રોલ, ગેસ, વીજળી જેવી જીવનાશ્યક વસ્તુઓના વધતાં જતાં ભાવ સામે બધા ઝઝુમી રહ્યાં છે. વસ્તુઓના વધતાં જતાં ભાવને તો આપણે અટકાવી નહિ શકીએ પણ આપણે આપણી જીવનશૈલી અને આહારશૈલીમાં પરિવર્તન કરવું પડશે. કમ્પ્યુટર એન્જિનીયર સોનાક્ષી ગોહિલે કહ્યું હતું કે, મને પહેલાં દરરોજ બહારની વાનગીઓ ખાવાની આદત હતી.
નોકરી પર જતાં-આવતાં કે લંચમાં, એકાદ વખત તો બહારની વાનગી ખાવાની લાલચ રોકી શકતી નહોતી. પણ હવે મોંઘવારીને કારણે મેં મારી ખાન-પાનની આદતમાં ફેરફાર કર્યો છે. પહેલાં અમારા ઘરમાં બે શાક બનતાં હતા. પણ હવે હું એક જ શાક બનાવું છું. પહેલાં અમે બાસમતી ચોખા ખાતા હતા. પણ મોંઘવારીને કારણે હવે ચોખાની ક્વૉલિટી બદલી નાંખી છે. આવા નાના-નાના ફેરફારને કારણે પહેલાંના બજેટમાં જ ઘર ચાલે છે.
‘સેલ’માં જતાં પૂર્વે સાવધાનઃ
ઘણી ગૃહિણીઓ દુકાન પર ‘સેલ’નું બોર્ડ જોતાં જ ખરીદી કરવા પહોંચી જાય છે. ક્યારેક ટાઇમપાસ કરવાના હેતુસર પણ ‘સેલ’ના સ્થળે જવામાં આવે છે. પણ આ ટાઇમ પાસ મોંઘો પડે છે. કારણ કે ત્યાં જતાં આકર્ષક વસ્તુઓ ખરીદવા મન લલચાઇ જાય છે અને જરૂરત ન હોવા છતાં તે ખરીદાઇ જાય છે. ઘણી વખત સેલમાં વધેલો, જુનો, યુરોપ કે ચીનની માર્કેટનો ડિફેક્ટેડ માલ કે સેકેન્ડહેન્ડ માલ વેચવામાં આવે છે. એટલે સસ્તી વસ્તુ ખરીદવાના ચક્કરમાં નકામો માલ જ ખરીદાઇ જાય છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે ‘સેલ’ના પાટિયા જોઇને ઉત્સાહિત થવાને બદલે સમજી-વિચારીને નિર્ણય કરવો.
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઓછો કરવોઃ
આજકાલ ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવાને પ્રતિષ્ઠાના પ્રતિક તરીકે જોવામાં આવે છે. જેટલા વઘુ ક્રેડિટ કાર્ડ એટલું ઉંચું સ્ટાન્ડર્ડ એમ માનવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને તમે તમારા ખર્ચને વધારી રહ્યા છો? હા, ક્રેડિટ કાર્ડ વડે રોકડ રકમ ન હોય તો પણ ખરીદી કરવાની છૂટ મળે છે. પણ તમે ભૂલી જાવ છો કે ક્રેડિટ કાર્ડની પણ ફી આપવી પડે છે. એટલે જો તમે કોઇ વસ્તુ સસ્તી સમજીને ખરીદી રહ્યા છો અને તેનું બીલ ક્રેડિટ કાર્ડથી ચૂકવો છો તો સરવાળે તમે ખોટમાં છો, એ વાત સ્વીકારી લેજો. કારણ કે ક્રેડિટ કાર્ડની ફી ઉમેરાતાં તે સામાન મોંઘો પડશે. આથી શક્યતઃ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ અત્યંત જરૂરી હોય તો જ કરવો.
જથ્થાબંધ બજારમાંથી ખરીદી કરવીઃ
છૂટક બજારને બદલે જથ્થાબંધ બજારમાંથી ખરીદી કરવામાં આવે તો ઘણી બચત થઇ શકે છે. કારણ કે ત્યાં ભાવ ઓછા હોય છે. કરિયાણું પણ જથ્થાબંધ ખરીદશો તો ઉચ્ચ ગુણવત્તાનો માલ મળશે તથા વારંવાર જવા-આવવાનો ખર્ચ પણ બચી જશે.
અઠવાડિયાના શાક અને ફળ ખરીદોઃ
એક સપ્તાહના ફળ અને શાકભાજી ખરીદીને ફ્રિઝમાં મૂકી દેવા. ફળ અને શાક વધારે પ્રમાણમાં લેવાથી ભાવ ઓછો થશે. જોકે ભાજી જલ્દી ખરાબ થઇ જાય છે એટલે તેને સાધારણ ઉકાળીને, વાટીને, હવા બંધ ડબ્બામાં ભરી ફ્રીઝમાં મૂકો. પછી જ્યારે ઇચ્છો ત્યારે તેને ઉપયોગમાં લઇ શકાશે. તેજ પ્રમાણે કાંદા, બટેટા અને લસણનો પણ સ્ટોક રાખવો. શાક અને ફળોના ભાવ પર નજર રાખો. કારણ કે આના ભાવ વધતાં-ઘટતાં રહે છે.
ખાવાની વસ્તુઓ ઘરે બનાવોઃ
આજે અથાણાં, પાપડ, ચટણી નાસ્તા વગેરે પણ બહારથી લાવવાની આદત પડી ગઇ છે. મોલ સંસ્કૃતિ, સરળ ઉપલબ્ધતા અને નોકરિયાત માનુનીઓની વ્યસતતાએ આ આદતમાં ઈંધણ પૂર્યું છે. પરંતુ કમરતોડ મોંઘવારીથી બચવું હશે તો આ આદત છોડવી પડશે. સપ્તાહમાં એક- બે કલાક ફાળવી લીલી ચટણી, લસણની ચટણી, ખાટી-મીઠી ચટણી બનાવીને ફ્રિઝમાં મૂકી દેવાથી તે ૧૫ દિવસ સુધી સારી રહે છે. આ ઉપરાંત સૉસ અને ગરમ મસાલા પણ ઘરે બનાવી શકાય છે. ઘરમાં બનેલી વસ્તુઓ તાજી અને સારી હશે તથા પૈસાની બચત પણ થશે.
બચત કરવાની તરકીબઃ
* વીજળી બચાવાનો પ્રયાસ કરવો. આનાથી ઘણો ફાયદો થશે. આ માટે એસીનો ઉપયોગ ઓછો કરવો. પંખા અને લાઇટને નકામા ચાલુ ન રાખવા. ઇલેક્ટ્રીક ગીઝરને બદલે સૌર ઊર્જાથી ચાલતું ગીઝર લગાડવું. ૨૪ કલાક ગરમ પાણી પણ મળશે અને વીજળીની જરૂર નહિ પડે.
* ઘણી વખત સ્કુલ બસનો ખર્ચ વઘુ હોય છે. જો એમ હોય તો સ્કુલ બસ બંધ કરી થોડા બાળકોને ભેગા કરી કારપૂલનો ઉપયોગ કરવો. જો તે શક્ય ન હોય તો બાળકોનું એક ગુ્રપ બનાવી તમામ વાલીઓ વારાફરતી બાળકને લેવા-મૂકવા જાય તેવી ગોઠવણ કરવી. આ ઉપાયથી બચત પણ થશે અને અગવડ પણ નહિ પડે.
* બાળકોને શોપિંગ કરવા સાથે ન લઇ જવા. કારણ કે ઘણીવખત તેમની જીદને કારણે વસ્તુઓ ખરીદવી પડે છે. અને બજેટ ડગમગી જાય છે. બાળકોની બધી જીદ પૂરી ન કરવી.
* થિયેટર, હોટલ કે રેસ્ટોરાંમાં જવાનું ઓછું કરવું. જન્મદિવસ, લગ્નતિથિ જેવા ખાસ અવસરે જ ફિલ્મ જોવા કે રેસ્ટોરાંમાં ડિનર માટે જવું.
* બાળકોના ટિફિનમાં બહારનું ખાવાનું કે જંકફૂડ આપવાને બદલે ઘરમાં બનાવેલા નાસ્તા, ફણગાવેલા કઠોળ કે ફળ આપવા. જો બાળકને સ્કુલમાં ખાવા માટે રોજ અથવા સપ્તાહમાં બે-ત્રણ વખત પૈસા અપાતાં હોય તો તે બંધ કરવા. બાળકોને પણ વધતી જતી મોંઘવારી અને બચત વિશે સમજાવો અને મહિનામાં માત્ર એકવખત પૈસા આપવા.
* વધેલા ભોજનનો ઉપયોગ કરવો. ઘરમાં જ સ્વાદિષ્ટ રેસિપી બનાવો. બચત પણ થશે અને પ્રશંસા પણ મળશે.
* ઘણી વખત સામાન ખરીદતી વખતે ઉત્પાદનનું પેકિંગ મોટું દેખાય છે પણ અંદરથી માત્રા ઓછી નીકળે છે. આથી ખરીદી કરતી વેળા પ્રોડક્ટની સાઇઝ અને પ્રાઇઝ બંનેની તુલના કરવી.
* જો ઘરની બધી વ્યક્તિ પાસે મોબાઇલ ફોન હોય અને લેન્ડલાઇનનો ખાસ ઉપયોગ ન હોય તો તે ફોન બંધ કરી દેવો.
* વાંચનનો શોખ હોય અને દર મહિને સામયિકો ખરીદવાની આદત હોય તો કોઇ લાઇબ્રેરીના સભ્ય બનો. આનાથી દર મહિનાનો ખર્ચ ઓછો થશે અને વાંચનનો શોખ જળવાઇ રહેશે. મોંઘવારી તો ઓછી થવાની નથી. આપણે જ આપણી જરૂરીયાતો પર કાપ મૂકવો પડશે. બચતના ઉપાયો અજમાવ્યા પછી પણ મહિનાના છેલ્લા દિવસોમાં હાથ ખાલી રહે તો સાવધ બની જવું.
આવી નાની-મોટી બચતથી કંઇ નહિ વળે. તમારે તમારી આવકના સ્ત્રોત વધારવા પડશે. આથી ઓવર ટાઇમ કરવો અથવા નવી પાર્ટટાઇમ નોકરી શોધવી.
આગોગ્ય પ્રશ્નોત્તરી - હાઈબ્લડ પ્રેશર, અપચો, કબજિયાત.......
* ઉંમરલાયક થયા છતાં બેબી પથારીમાં પેશાબ કરી જાય છે * શ્વાસ, હાંફ, સુકલકડી શરીર, થાક, કમરનો દુખાવો * અનિયમિત માસિક * મણકાના ઘસારાના કારણે હાથમાં અને બોચીમાં દુખાવો
* ઉંમર લાયક થવા છતાં બેબી પથારીમાં પેશાબ કરી જાય છે
* સમજણી થતી જાય છે તેમ શરમ અનુભવે છે
પ્રશ્ન ઃ મારે સાત વર્ષની બેબી છે. દિવસ દરમિયાન એને પેશાબ કરવાનો ખ્યાલ રહે છે અને એની મેળે બાથરૂમમાં જઈ કરી આવે છે. પરંતુ રાત્રે પેશાબ કરીને સુવડાવીએ છીએ છતાં રાત્રે કાયમ પથારી ભીની કરી દે છે. ઘણી દવાઓ કરી પણ ફાયદો થતો નથી. બેબી હવે સમજણી થઈ તેથી શરમ અનુભવે છે તો ‘સહિયર’ ના આવતા અંકમાં જવાબ આપી આભારી કરશો.
- એક બહેન (ઉમરેઠ)
ઉત્તર ઃ બાળકની ઉંમર વધે અને છતાં રાત્રે પથારી ભીની કરવાનો (શય્યામૂત્રનો) પ્રશ્ન હલ ન થાય તો માબાપની ચિંતા વધી જાય તે સ્વાભાવિક છે. પુત્ર કરતાંય પુત્રીને જો આ તકલીફ થતી હોય તો માબાપની ચિંતા ખૂબ જ વધી જાય છે અને સમજણું થાય તેમ તેમ એના પોતાના મનમાં પણ સંકોચ તથા લધુતાગ્રંથિનો અનુભવ ઘર કરવા લાગે છે. ઘણીવાર કૃમિના કારણે પણ રાત્રે બાળક પથારીમાં પેશાબ કરી જતું હોય છે.
આ તકલીફમાંથી મુક્ત થવા માટે ઉપચાર આ પ્રમાણે શરૂ કરી શકાય.
* બાળકને સૂવાના સમયથી બે કલાક પહેલા જમાડી દેવું. જમીને તરત સૂવાથી અને દૂધ, છાશ, દાળ, કઢી તથા પાણી જેવા પદાર્થો વઘુ પ્રમાણમાં લેવાથી રાત્રિ દરમિયાન પેશાબ થઈ જાય છે. પથારીમાં પેશાબ કરી જવાની આદત પાછળ ઉત્સર્ગતંત્રની ખામી હોય છે તેમ પેશાબની હાજત પર કન્ટ્રોલ કરતા નાડી તંત્રની તથા પેશાબની હાજતનો ખ્યાલ આવે એ માટે મનના તંત્રની પણ થોડીક નબળાઈ ગણી શકાય.
બાળકને રાત્રે મઘુર, ઠંડા, ભારે અને ચીકણા પદાર્થ ઓછા આપવા. પેશાબ કરાવ્યા પછી જ બાળકને સુવડાવવું. તથા રાત્રિ દરમિયાન એકાદવાર ઉઠાડીને પેશાબ કરાવી લેવો. બાળકને કોઈ પણ પ્રકારનો ડર ન લાગે તેનું ઘ્યાન રાખવું. વારંવાર એની આ તકલીફ વિશે જાહેરમાં કોઈને કહેવું નહીં અને આ માટે બાળકને કવખોડવું નહીં. ઔષધોમાં
(૧) અગ્નિતુંડી વટી તથા કૃમિ કુઠાર રસની એકએક ગોળી સવાર સાંજ પાણી સાથે આપવી.
(૨) બહુ મૂત્રાન્તક રસ તથા નીઓની એકએક ટીકડી સવાર સાંજ પાણી સાથે આપવી.
(૩) બે ચમચી લોઘ્રાસવમાં એટલું જ પાણી ઉમેરી જમ્યા બાદ પાવું.
* શ્વાસ, હાંફ, સુકલકડી શરીર, થાક, કમરનો દુખાવો
* વારંવાર શરદી, ખોરાક પ્રત્યે અરુચિ, અનિયમિત માસિક
પ્રશ્ન ઃ મારી ઉંમર ૨૬ વર્ષ અને વજન ૪૫ કિલો છે. છેલ્લા દસ વર્ષથી મને શ્વાસ (દમ)ની તકલીફ છે. શરીર એકદમ સૂકલકડી બની ગયેલ છે. ચાલતા પણ થાક લાગે છે. શ્રમવાળું કામ કરતાં હાંફી જવાય છે. વાયુના કારણે કમરદર્દ પણ થાય છે. ખોરાકમાં દાળભાત, શાક, રોટલી, ફ્રૂટ્સ વગેરે લઉં છું. શિયાળામાં કફ અને ઉધરસ વઘુ આવે છે. શરીર દિવસે દિવસે ઓગળી જતું હોય તેમ લાગે છે. શરીર હૃષ્યપુષ્ટ બને તથા શ્વાસ સંપૂર્ણપણે મટી જાય તેવી આયુર્વેદિક દવાઓ જણાવશો.
મારી બેબીની ઉંમર ૩ વર્ષ છે. શરદી વારંવાર થઈ જાય છે. શરીર સુકલકડી જેવું છે. ખોરાક બરાબર લેતી નથી. યોગ્ય ઉપચાર જણાવશો.
મારી વાઈફ શિક્ષિકા છે. તેનું માસિક અનિયમિત બની ગયું છે. પ્રથમ ખોળે બેબી છે. ડિલિવરી નોર્મલ થયેલ છે. શરીર સારૂં બને તેવી દવા જણાવશો.
- રમેશભાઈ (નડિયાદ)
ઉત્તર ઃ સોળ વર્ષની નાની-વિકસતી વયથી જ તમને શ્વાસની તકલીફ શરૂ થઈ છે અને છેલ્લા દસ વર્ષથી આ તકલીફ ચાલુ છે એટલે શરીર અને મન પર એની જે અસર થઈ હોય તે હું સમજી શકું છું. ખાધેલા ખોરાકમાંથી રક્ત વગેરે ધાતુઓનું અને શક્તિનું જે નિર્માણ થવું જોઈએ તે બરાબર થતું નથી. આહારમાંથી આમ અને પછી કફ બની જતો હશે અને દસેક વર્ષથી જે (એન્ટિબાયોટિક) દવાઓ લેતા હશો તેનાથી ફેફસામાં કફ સૂકાઈ ગયો હશે. પરિણામે ફેફસામાં પ્રાણવાયુ માટેની જે જગ્યા જોઈએ તે ઘટી જવાથી શ્વાસની તકલીફ શરૂ થઈ છે. ફેફસા પણ નબળા પડવાથી થાક લાગતો હશે.
ઔષધો તમે આ પ્રમાણે શરૂ કરી શકો છો.
(૧) શ્વાસકુઠાર રસ તથા શ્વાસદમની રસની એક એક ગોળી સવાર સાંજ મધ સાથે લેવી.
(૨) સિતોપલાદિ ચૂર્ણ ૧ ગ્રામ, શ્વાસહર ચૂર્ણ ૧ ગ્રામ અને સોમકલ્પ ચૂર્ણ ૧ ગ્રામ આ બઘું મેળવી સવાર સાંજ મધ અથવા પાણી સાથે લેવું.
(૩) ચાર ચમચી સોમાસવમાં ચાર ચમચી અશ્વગંધારિષ્ટ મેળવી એટલું જ સામે પાણી ઉમેરી જમ્યા બાદ પીવું. તેનાથી શ્વાસની તકલીફમાં રાહત મળશે અને બળ તથા વજનમાં વૃઘ્ધિ થશે.
(૪) વજન વધે તે માટે સવાર સાંજ એકએક ચમચી અશ્વગંધા ચૂર્ણ ફાકી ઉપર પાણી પીવું. આ ચૂર્ણ નિયમિત લેતા રહેવાથી કમરનો દુખાવો પણ દૂર થશે.
(૫) કમરમાં થતો દુખાવો દૂર થાય તે માટે પંચગુણ તેલ અથવા તો મહાનારાયણ તેલની માલિશ કરવી.
ખોરાકમાં તમે લસણ, સરગવો, મેથી, હિંગ, આદું, અજમો, રીંગણ, મગ, પરવળ, દાળ, ભાત, શાક રોટલી જેવો પથ્ય ખોરાક લઈ શકાય. બાજરીના રોટલા પણ ચાલે. વાલ, વટાણા, ચોળા, પાપડી, ગુવાર, બટાકા, ચણા અને વાલોળ જેવા વાયુ કરનારા પદાર્થો તથા દહીં, શિખંડ, ઠંડું પાણી, આઈસક્રીમ, મીઠાઈ તથા ગોળ પણ બંધ કરી દેશો. નાનપણમાં તમને કૃમિ હતા કે કેમ તે અંગે જાણ કરશો. પપૈયા સિવાયના કોઈ ફળ હમણા લેશો નહીં.
તમારી ત્રણ વર્ષની બેબીને ચપટીક સિતોપલાદિ ચૂર્ણમાં મધ મેળવી સવારસાંજ ચટાડતા રહેશો. નારદીય લક્ષ્મીવિલાસ રસ તથા નાગગૂટી એક એક ગોળી સવારસાંજ મધમાં મેળવી ચટાડી દેવી. તેનાથી શરદી મટશે. ખોરાક પ્રત્યે રુચિ વધે એ માટે આદુંના રસમાં મધ મેળવી ચટાડી દેવું. સવાર સાંજ એકએક ગોળી અગ્નિતુંડી વટીની આપવી. તમારા પત્નીનું માસિક નિયમિત થાય તે માટે રજોદોષહરી વટી તથા કન્યાલોહાદિ વટીની બેબે ગોળી સવાર સાંજ પાણી સાથે આપવી. ચાર ચમચી કુમારી આસવ તથા ચાર ચમચી દશમૂલારિષ્ટમાં એટલું જ પાણી ઉમેરી જમ્યા બાદ પીવાથી એમનું શરીર સારું થશે. પ્રસૂતિ પછીની નબળાઈ પણ દૂર થશે.
* મણકાના ઘસારાના કારણે જમણા હાથમાં અને ગરદન તથા બોચીમાં દુખાવો, સર્વાઈકલ સ્પોન્ડિલાઈટીસ
પ્રશ્ન ઃ મારી ઉંમર ૪૬ વર્ષ અને વજન ૬૦ કિલો છે. ઘરકામ કરૂં છું. મારો પ્રશ્ન એ છે કે પાંચ વર્ષથી મણકાના ઘસારાના કારણે જમણા હાથમાં અને ગરદન તથા બોચીમાં સતત દુખાવો થાય છે.
વાંચવાનું, અનાજ વીણવાનું કે ઘરનું તમામ કામ જાતે જ કરવાનું હોવાથી દુખ્યા કરે છે. મણકાના સ્પેશિયાલિસ્ટને બતાવવા
રિપોર્ટમાં પાંચમા અને છટ્ઠા મણકાની ગાદીમાં ઘસારો હોવાથી દુખ્યા કરે છે. ઘણા બધા પૈસા બગાડ્યા છતાં દુખાવો દૂર ન થવાથી જ હવે આપની પાસે આવી છું. મને વિશ્વાસ છે કે આયુર્વેદની દવાથી મને જરૂર આરામ મળશે. હું એક નાનકડા ગામમાં રહેતી હોવાથી પંચકર્મની કોઈ ક્રિયા વિશે જાણતી નથી. પણ સહિયર પૂર્તિમાં વાંચ્યા પછી મને શ્રદ્ધા જાગી છે અને આપ કહો તે સારવાર કરાવવા તૈયાર છું. આપ કહો તો હું રૂબરૂ આવી જાઉં પણ મારું આ દર્દ મટાડો. બે બાળકો તથા પતિની સંભાળના કારણે મને ઘણું કામ રહે છે. અને તેથી ખભામાં તથા ડોકમાં દુખાવો થયા જ કરે છે. તો મારી આ તકલીફને ઘ્યાનમાં લઈ સલાહ આપવા વિનંતી.
- એક બહેન (પણસોરા, જિ. આણંદ)
ઉત્તર ઃ કુદરતે આપણા દરેક મણકાની વચ્ચે ‘બફર’ની જેમ જેલી જેવો એક પદાર્થ મૂકેલો છે. આયુર્વેદમાં આ પદાર્થને શ્વ્લેષક કફ કહે છે. જે બે મણકાને સામસામે ટકરાવા દેતો નથી. ઉપરથી ભૂસકો મારીએ કે ઝટકો લાગે એવું કોઈ કામ કરીએ તો પણ આ મણકા ટકરાતા નથી. જ્યારે આ મણકા વચ્ચેનું ઊંઝણ અથવા તો લુબ્રીકેશન સૂકાઈને સંકોચાવા લાગે છે ત્યારે મણકા વચ્ચેની જગા ઘટી જાય છે. લોકભાષામાં આ તકલીફને હાડકાના સાંધા અથવા તો મણકા ઘસાય છે એવું કહેવામાં આવે છે.
હાડકા સામસામે ટકરાય અથવા તો આજુબાજુના જ્ઞાનતંતુ પર દબાણ આવે તો વ્યક્તિને પીડા થતી હોય છે. લોકો પીડાશામક દવા લઈને દુખ ભૂલવાનો પ્રયત્ન કરે છે પણ આવી પેઈન કીલરથી દુખ મૂળમાંથી જતું નથી. આયુર્વેદના ઔષધો દુખાવાના મૂળમાં જઈને મૂળ કારણને જ દૂર કરવા માટેના હોય છે અને તેથી લેતાની સાથે જ દુઃખાવો દૂર થાય એવું બનતું નથી. મૂળ કારણને દૂર કરવામાં થોડી વાર તો લાગે જ ને!... તો તમને આ પ્રમાણે દવાઓ લેવાની ભલામણ કરું છું.
(૧) મહાવાત વિઘ્વંસન રસ તથા મહાયોગરાજ ગૂગળની બે બે ગોળી સવારસાંજ પાણી સાથે લેવી.
(૨) મહારાસ્નાદિ કવાથમાં દશમૂલ કવાથનો ભૂકો સરખાભાગે મેળવી તેમાંથી પચીસ ગ્રામ જેટલો ભૂકો ૪૦૦ મિ.લિ. પાણીમાં પલાળી ધીમા તાપે ઉકળવા દેવો. પોણો કપ જેટલું પ્રવાહી બાકી રહે ત્યારે ઉતારી હૂંફાળું હોય ત્યારે પી જવું.
(૩) પંચકર્મના નિષ્ણાત ચિકિત્સક પાસે ‘ગ્રીવા બસ્તિ’ને અભ્યંગ સ્વેદન વગેરે જે જરૂરી લાગે તે કરાવી લેવું.
(૪) ખભામાં તથા બોચીના ભાગમાં થતા દુખાવાને દુર કરવા મહામાષ તેલ અથવા તો મહાનારાયણ તેલની માલિશ કરી શેક કરવો.
પરેજીમાં વાલ, વટાણા, ચોળા, પાપડી, ગુવાર, બટાકા, ચણા, વાલોળ કે કોદરી જેવા પદાર્થો ન લેશો. લસણ, સરગવો, મેથી, ફુદીનો, અજમો અને તલના તેલ જેવા વાયુને દૂર કરનારા પદાર્થો વિશેષ લેશો. ચિંતા કરશો નહીં. એકધારી, મૂળગામી સારવારથી પરિણામ ચોક્કસ મળશે.
* હાઈબ્લડ પ્રેશર, અપચો, કબજિયાત, અતિશય ઓડકાર
પ્રશ્ન ઃ મારી બાની ઉંમર હાલમાં ૭૪ વર્ષની છે. અને તેઓ હાઈ બી.પી.ના પેશન્ટ છે. બી.પી.ની દવા ચાલુ છે. બીજું તેઓને ખોરાકનું પાચન બરાબર થતું નથી અને પેટ સાફ આવતું નથી. કબજિયાત રહે છે. આપના અગાઉના લેખમાં કબજિયાત વિશે માહિતી અને ઉપચાર આપેલ તે પૂર્તિ હાલમાં મળતી નથી. તો મારા આ પ્રશ્નને ઘ્યાનમાં રાખી ઉપચાર સૂચવવા વિનંતી. વાયુનું પ્રમાણ વધારે રહે છે અને ઓડકાર ખૂબજ આવે છે. તો બરાબર ભૂખ લાગી ખાધેલા ખોરાકનું પાચન થાય અને કબજિયાત ન રહે તેવી સારવાર જણાવવા વિનંતી.
- હંસા બહેન (પ્રહલાદ પ્લોટ, રાજકોટ-૧)
ઉત્તર ઃ જેમ જેમ ઉંમર વધે અને ૬૦ વર્ષ પછીનો સમય આવે એમ વ્યક્તિએ પોતાના પાચનતંત્ર બાબત સજાગ બની જવું જોઈએ. આ સિવાય બ્લડપ્રેશર, હૃદયરોગ, પ્રમેહ અને ડિપ્રેશન જેવા વ્યાધિઓ તરફ પણ ઘ્યાન આપવું જોઈએ. પોતાના શરીરમા એના કોઈ લક્ષણ જોવા મળે તો સમયસર સલાહ લઈ સારવાર શરૂ કરી દેવી જોઈએ. પત્રમાં લખેલી આપના માતુશ્રીની તકલીફને ઘ્યાનમાં રાખી સારવાર આ પ્રમાણે સૂચવું છું.
(૧) દિવેલમાં ભૂંજેલી હરડે એટલે કે એરંડભૃષ્ટ હરીતકી એ કબજિયાત માટેની સાદી સરળ છતાં અસરકારક દવા છે. રોજ રાત્રે એક ચમચી જેટલું ચૂર્ણ ફાકી જવાથી સવારે પેટ સાફ આવે છે. એમને હાઈ બ્લ્ડપ્રેશર રહે છે નહીં તો શિવાક્ષાર પાચનની ફાકી પણ લાભ કરે જ. દીનદયાળ ચૂર્ણ પણ ચાલે. જે ચૂર્ણમાં ક્ષાર એટલે કે ખારાશયુક્ત દ્રવ્યો આવતા હોય તે હાઈ બ્લડપ્રેશરના દરદીએ ન લેવા એવી મારી ભલામણ છે. બાકી જેમને હાઈ બ્લ્ડપ્રેશર ન હોય અને ગેસ તથા કબજિયાતની તકલીફ રહેતી હોય તેમને આવા ચૂર્ણથી જરૂર લાભ થશે.
(૨) વઘુ પડતા ઓડકાર આવવાનું એક કારણ એ છે કે ખાધેલા ખોરાકનું બરાબર પાચન થતું નથી. ખાધેલા ખોરાકમાંથી ગેસ એટલે કે વાયુની ઉત્પત્તિ વધારે પ્રમાણમાં થાય છે અને એ વાયુ નીચે તરફ જવાના બદલે અવળી ગતિમાં ઉપર ચડતો હોવાથી ઓડકાર આવ્યા કરે છે. અજીર્ણ અને વાયુના કારણે જ કબજિયાત થાય છે.
આ માટે આપના માતુશ્રીને શંખવટી અથવા તો લશુનાદિ વટીની બે બે ગોળી જમ્યા બાદ ચૂસવા માટે આપવી.
(૩) ચાર ચમચી અભયારિષ્ટમાં એટલું જ પાણી મેળવી જમ્યા બાદ પાવામાં આવે તો પાચન સુધરશે. વાયુની સવળી (અનુલોમ) ગતિ થવાથી પેટ સાફ આવશે. થોડી વાછૂટ થશે પણ એ કારણે ઓડકારનું પ્રમાણ ઘટી ધીમે ધીમે આ તકલીફમાંથી મુક્તિ મળશે.
તમારા માતુશ્રીને વાયુ કરે તેવા - વાલ, વટાણા, ચોળા, પાપડી, ગુવાર, બટાકા, ચણા, શકરિયા કે વાલોળ જેવા પદાર્થો ન આપશો. રોજિંદા ખોરાકમાં મીઠાનું પ્રમાણ એકદમ ઓછું અથવા દિવસના એકાદવાર મીઠા વિનાનું ભોજન આપવું. બાજરીના રોટલા બંધ પચવામાં ભારે હોય એવો ખોરાક ન ખાવો. હળવો, સુપાચ્ય અને ઢીલો કે પ્રવાહી ખોરાક આપવામાં આવશે તો લાભ થશે. ઊંઘ બરાબર આવવી જોઈએ. ચિંતા અને ટેન્શનવાળો સ્વભાવ હોય તો છોડી દેવો.
- from news papers..
Cross border firing in JK, BSF jawan killed
Buzz up!
Once again violating the ceasefire, Pakistani troops fired at a forward Indian border outpost along the border in Jammu.
Pakistani troops fired at the Chak Sagwari border outpost in Paragwal sector, 20 kms from Jammu.
Sultan Ali, a BSF jawan, was killed in the firing.
Indian army guarding the border struck back and the firing ended in the early morning on Jul 6.
There are many instances, which show that this is not the first time that Pakistani troops violated the ceasefire this year 2010.
Pakistani troops had last violated the ceasefire on Jun 21 when they fired at a forward outpost along the International Border (IB) in Jammu where the BSF foiled an infiltration bid by militants.