Friday, April 29, 2011

ધન પ્રાપ્તિના અચૂક ઉપાય..

ધન પ્રાપ્તિના અચૂક ઉપાય

N.D
જીવનમાં ધન પ્રાપ્તિ ખૂબ જરૂરી છે. ધન ન હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ પણ બેઈમાની લાગે છે અને જો ધન છે તો દરેક દિવસ એક નવી ખુશી હોય છે. અનેક ધર્મ ગ્રંથોમાં પણ ધનના મહત્વનુ વર્ણન કરવામાં આવ્યુ છે. તંત્ર શાસ્ત્રના અંતર્ગત ઘણા એવા ઉપાય બતાવવામાં આવેલ છે. જેને કરવાથી ધનની ઈચ્છા પૂરી થાય છે અને જીવનમાં ફરી ક્યારેય ધનની કમી નથી આવતી.

ઉપાય

1. શનિવારના દિવસે પીપળનુ એક પાન તોડીને તેને ગંગાજળથી ધોઈને તેના પર હળદર અને દહીનુ મિશ્રણથી તમારા જમણા હાથની અનામિકા આંગળીથી હ્મીં લખો. ત્યારબાદ તેના પાનને અગરબત્તી-દિવો કરી તેને તમારા પર્સમાં રાખી લો. દરેક શનિવારે પૂજાની સાથે તે પાન બદલતા રહો. આ ઉપાય કરવાથી તમારુ પાકિટ ક્યારેય ધન થી ખાલી નથી રહેતુ. જુનુ પાન કોઈ પવિત્ર સ્થાન પર જ મુકો.

2. કાળા મરીના 5 દાણા તમારા માથા પરથી 7 વાર ઉતારીને 4 દાણા ચારેય દિશાઓમાં ફેંકો અને પાંચમો દાણાને આકાશ તરફ ઉછાળો. આ ટોટકો કરવાથી આકસ્મિકત ધન લાભ થાય છે.

3. અચાનક ધન પ્રાપ્તિ માટે સોમવારના દિવસે સ્મશાનમાં આવેલ મહાદેવ મંદિર જઈને દૂધમાં ચોખ્ખુ મધ નાખીને ચઢાવો.

4. જો ધન એકત્ર ન થઈ શકતુ હોય તો તિજોરીમાં લાલ વસ્ત્ર પાથરો.

5. તિજોરીમાં જેઠીમધનુ મૂળિયું મુકવાથી પણ ધનની પ્રાપ્તિ થાય છે.

6. જે ઘરમાં રોજ શ્રીસૂક્તનો પાઠ થાય છે, ત્યાં લક્ષ્મી જરૂર નિવાસ કરે છે.

જીવનની મુશ્કેલીઓ દૂર કરે છે કાચું દૂધ ...

જીવનની મુશ્કેલીઓ દૂર કરે છે કાચું દૂધ

N.D
સામાન્ય રીતે આપણને બધાને જીવનમાં ઘણી મુશ્ક્લીઓનો સામનો કરવો પડે છે, પરંતુ કેટલાક લોકોના જીવનમાં ઘણી મુસીબતો એક સાથે આવે છે. આ સમસ્યાઓને કારણે જીવન મુશ્કેલ બની જાય છે. આવા સમયે મનુષ્ય સુખ સમૃદ્ધિની કલ્પના પણ નથી કરી શકતુ. કેટલીક સમસ્યાઓ તો થોડા સમય માટે જ હોય છે જે આપમેળે જ સમાપ્ત થઈ જાય છે, પરંતુ કેટલીક મુશ્કેલીઓ ધીરે ધીરે દૂર થાય છે.

જો તમારી સાથે પણ આવુ જ થઈ રહ્યુ છે તો કોઈ સમસ્યા વારંવાર તમને સતાવી રહી છે, અને એ મુશ્કેલીનુ કોઈ નિરાકરણ નથી આવી રહ્યુ તો જ્યોતિષમાં એક નાનકડો પરંતુ યોગ્ય ઉપાય બતાવવામં આવ્યો છે. આને અપનાવવાથી થોડાક જ સમયમાં મુશ્કેલીઓનો પ્રભાવ ઓછો થવા માંડશે.

જો તમે એક સાથે ઘણી મુશ્કેલીઓથી ત્રસ્ત છો અને ઘણા પ્રયત્નો પછી પણ સફળતા નથી મળી રહી તો તમે ઘરની પાસે આવેલ કુવામાં કે અન્ય જળ સ્ત્રોતમાં કાચુ દૂધ નાખશો તો તમને ટૂંક સમયમાં જ લાભ મળશે.

આવુ કરવાથી નક્કી તમને લાભ મળશે. આ સાથે જ મુશ્કેલીઓને દૂર કરવામાં તમારા તરફથી બનતા પ્રત્યનો કરજો.

વેપારમાં નુકશાન થાય છે...કરો ઉપાય...

વેપારમાં નુકશાન થાય છે...કરો ઉપાય.

N.D
બિઝનેસમાં ઉતાર ચઢાવનો દોર ચાલે છે. ક્યારેય ફાયદો થાય છે તો ક્યારેક નુકશાન પણ. પરંતુ ઘણીવાર આવુ પણ હોય છે કે વેપારમાં સતત નુકશાન થતુ જાય છે. જેના કારણે વેપાર લગભગ બરબાદ થઈ જાય છે. જો તમારી સાથે પણ આવી જ પરેશાની છે તો નીચે લખેલ રામાયણની ચોપાઈનુ નિયમિત વિધિપૂર્વક જાપ કરવાથી તમારી સમસ્યા દૂર થઈ જશે અને બિઝનેસમાં સફળતા મળવા લાગશે.

ચોપાઈ - વિશ્વ ભરણ પોષણ કર જોઈ, તાકર નામ ભરત અસ હોઈ

જપ કરવાની વિધિ -

- સવારે જલ્દી ઉઠીને નાહીને, ચોખ્ખા વસ્ત્રો પહેરીને રામ દરબારની ફોટો લગાવીને ઘી નો દીવો અને એવી ધૂપ બત્તી અર્પિત કરો જે ઓછામાં ઓછી ત્રણ કલાક સળગે.

- ત્યારબાદ આ ચોપાઈનુ 1001વાર જપ કરો.

- જપ પૂરૂ થયા પછી ગાયને લીલું ઘાસ ખવડાવો

- આ ઉપાયને પૂર્ણ શ્રદ્ધાપૂર્વક કરવાથી બિઝનેસમાં સફળતા મળે છે.

- આ ચોપાઈને જપની સાથે દુકાન અથવા ઓફિસના મુખ્ય દરવાજા પર અશોક વૃક્ષના 9 પાન કાચા દોરામાં બાંધીને તોરણ જેવુ બાંધી દો. પાન સૂકાય જતા તેને બદલતા રહો તો વેપારમાં થઈ રહેલ નુકશાન થંભી જશે અને વેપરમાં ત્વરિત ઉન્નતિ થશે.

ગુજરાત ભારતનુ પ્રગતિશીલ રાજ્ય - ટાટા

ગુજરાત ભારતનુ પ્રગતિશીલ રાજ્ય - ટાટા

N.D
ટાટા સંસના ચેરમેન એંડ મેનેજિંગ ડિરેક્ટર રતન ટાટાએ જણાવ્યુ અહ્તુ કે કેટલાક વર્ષથી ગુજરાતનો વિકાસ નકશો બદલાય ગયો છે. તેનુ શ્રેય રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. ટાટા જૂથ રાજ્યમાં અંદાજે 30 હજાર કરોડના ટર્નઓવર સાથે 50 હજાર લોકોને રોજી પૂરી પાડે છે.

ગુજરાતને તેમણે દેશનુ અગ્રીમ પ્રગતિશીલ રાજ્ય ગણાવી રૂરલ ટ્રાંસપોર્ટ, સેનિટેશન વગેરે ક્ષેત્રે મૂડીરોકાણ કરવાની તત્પરતા વ્યક્ત કરી હતી. ઝી ગ્રુપના ચેરમેન સુભાષચંદ્રએ ગુજરાતની પ્રગતિને બેનમૂન ગણાવી સેફ્ટી એંડ ડેવલોપમેંટ ઉપરાંત પ્રાયમરી સ્કૂલના બાળકો માટે સ્કીલ ડેવલોપમેંટ વગેરે ક્ષેત્રે તેમના જૂથ દ્વારા મૂડી રોકાણની તત્પરતા વ્યક્ત કરી હતી.

ગોદરેજ ગ્રૂપના ચેરમેન આદિ ગોદરેજે રાજ્યમાં તેમના જૂથ વ્યવસાયની માહિતી આપી હતી અને ગુજરાતના આર્થિક વિકાસ માટે મુખ્યમંત્રીના દિર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજનને બિરદાવ્યુ હતુ.

મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદે બ્લોક બાય બ્લોક, એક પછી એક પગલા લઈને ગુજારતાને વિકાસની નવી ઉંચાઈએ લઈ જઈ રહ્યા છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમભાઈ અદાણી પોતાના વક્તવ્યમાં જણાવ્યુ હતુ કે અદાણી ગ્રૂપ આગામી વર્ષોમાં ઈંફાસ્ટ્રક્ચર અને પોર્ટ ડેવલોપમેંટ અને પાવર ક્ષેત્રે રૂ 80,000 કરોડનુ મૂડીરોકાણ કરશે. અદાણી ગ્રુપ દ્વારા મુદ્રા અને દહેજબંદરોનો પણ વધુ વિકાસ કરશે.

Thursday, February 10, 2011

સાચો પ્રેમ....જે દરેક વખતે તમારો સાથ આપે............

સાચો પ્રેમ....જે દરેક વખતે તમારો સાથ આપે

આજે અનેક લોકો સાચા પ્રેમની ડિંગો હાકે છે પરંતુ હકીકત તપાસીએ તો આપણને ખબર પડશે કે તે લોકો થોડી જ મુસીબત આવતાની સાથે જ પોતાની ફરજમાંથી મોં ફેરવી લે છે અને તે વખતે તેમના સાચા પ્રેમમાં કેટલી પોલમ-પોલ છે તે ખબર પડે છે.


એક વ્યક્તિએ પોતાના પરિવારની વિરુદ્ધ થઈ સુંદર છોકરી સાથે લગ્ન કર્યા અને દિવસ-રાત તેને ખુશ કરવામાં લાગી ગયો. એકવાર તે પત્નીની સાથે નૌકા વિહાર કરવા માટે ગયો હતો તે વખતે અચાનક તોફાન આવ્યું અને નાવ ડૂવલા લાગી. ત્યારે પત્નીને પરેશાન જોઈ તે કહેવા લાગ્યો ઘબરાઈશ નહીં હું તને ડૂબવા નહીં દઉં. અને પત્નીને પોતાના ખભા ઉપર બેસાડી તરવા લાગ્યો.ખૂબ જ તરવા છતાં કોઈ કિનારો ન આવ્યો અને તે યુવક પણ થાકી ગયો હતો ત્યારે તેના મનમાં સ્વાર્થ જાગવા લાગ્યો. તે પોતાની પત્નીને કહેવા લાગ્યો કે, જ્યાં સુધી મારામાં તાકાત હતી ત્યાં સુધી હું તેને બચાવી શક્યો. હવે હું થાકી ગયો છું અને જો હું તને આ જ રીતે લઈને તરતો રહ્યો તો હવે હું પણ ડૂબી જઈશ. હવે હું મારી જાનની પરવા કરીશ. કારણ કે હું જીવતો રહેશ તો બીજા લગ્ન પણ કરી શકીશ. આટલુ કહી તે પોતાની પત્નીને મઝધાર નદીની વચ્ચોવચ છોડીને ચાલ્યો ગયો.


કથાનો સાર એ છે કે, સાચા પ્રેમની ઓળખ કઠોર સમયમાં જ થાય છે. અને જે મુસિબતમાં સાથ આપે છે તે જ સાચો સાથી હોય છે.




Related Articles:

સુખી લગ્નજીવન માટે જરુરી છે પ્રેમ અને વિશ્વાસ
કુંડળીમાં પ્રેમ લગ્નનો યોગ કેવો હોય છે?
પતિ પત્ની વચ્ચે પ્રેમ વધારશે-ફેંગશુઈ
પ્રેમ બદલી શકે છે જીવનની દિશા
આશ્ચર્યજનક પરિણામો આપે છે પ્રેમ
પતિ-પત્નીના સંબંધોમાં વધારો પ્રેમ અને માધુર્ય

source by :-divya bhaskar press

વેલેન્ટાઇન-ડેઃ કયા લોકો ક્રેઝી હોય છે લવ મેરેજ માટે? ............

વેલેન્ટાઇન-ડેઃ કયા લોકો ક્રેઝી હોય છે લવ મેરેજ માટે?


આજના યુવાનો માટે લગ્ન પોતાની પસંદ-નાપસંદની બાબત છે. આજે મોટાભાગના યુવાનો પ્રેમલગ્ન ઉપર વધુ ભાર આપે છે. આજના શહેરી વિસ્તારોમાં તો મોટાભાગે લવ-મેરેજનું જ પ્રચલન વધી રહ્યું છે. આજના યુવાનો વધુ બોલ્ડ છે સાથે તમને એજ્યુકેશન અને મા-બાપ તરફથી મળતી છૂટ તેમને આ તરફ જવા માટે મોકળાશ પેદા કરે છે. એટલે તેઓ આસાનીથી વિજાતીય પાત્રો તરફ એટ્રેક્ટ થઈ જાય છે અને લગ્નની વાત આવતા તો લવમેજરની જ વાત કરે છે, પરંતુ દરેકની કુંડળીમાં પ્રેમલગ્ન યોગ હોય તે જરૂરી નથી. ઘણીવાર તેમને નિરાશા જ હાથ લાગતી હોય છે.


ભારતીય જ્યોતિષ શાસ્ત્રમાં એવી રાશિઓ છે જેમાં પ્રેમલગ્નની પ્રબળ સંભાવના હોય છે. કારણ કે જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને જ ભૌતિક સુખ અને વિવાહનો કારક ગ્રહ માનવામાં આવે છે.


વૃષભ રાશિ શુક્રદેવની રાશિ માનવામાં આવે છે અને આ રાશિવાળાઓ ચંદ્રમાનું શુભ ફળ પ્રાપ્ત કરે છે. કારણ કે તેમની રાશિમાં ચંદ્રમા પોતાની ઉચ્ચ સ્થિતિમાં હોય છે. ચંદ્રમા મનને પ્રભાવિત કરે છે અને શુક્રની રાશિમાં હોય તો મનપસંદ લગ્નને યોગ રચાય છે.


તુલા રાશિવાળાને પણ શુક્ર ખાસ અસર કરે છે કારણ કે તે શુક્રની રાશિ છે. તુલા રાશિવાળા સૌંદર્ય પ્રેમી અને રાજસિક જીવન જીવનાર હોય છે. એટલે આ રાશિવાળા પણ પ્રેમલગ્નમાં વિશ્વાસ કરે છે.


ધન રાશિના છોકરા અને છોકરીઓ પરંપરાઓમાં ઓછો વિશ્વાસ કરે છે. તેમને પારંપરિક લગ્ન અનુચિત અને વ્યર્થ લાગે છે. એવા લોકો હંમેશા નવું કરવામાં વિશ્વાસ રાખે છે. આ રાશિનો સ્વતંત્ર સ્વભાવ જ તેમને પરંપરાઓ- રિત-રિવાજો તોડવા માટે મજબૂર કરે છે. તેમનો આ સ્વભાવ તેમને લવ-મેરેજ તરફ લઈ જાય છે.




Related Articles:

વૃશ્ચિક રાશિનો પતિ છે? તો તેની સાથે કેવું રહેશે જીવન?
સિંહ રાશિ અને કુંભ રાશિનો મેળાપ કેવું ફળ આપશે?
શું ખરેખર રાશિ પણ કોઈ વ્યક્તિનો સ્વભાવ દર્શાવી શકે!
અત્યંત કામુક સ્વભાવ ધરાવે છે મિથુન રાશિના જાતક
વીંછીનો સ્વભાવ છે ડંખ મારવો અને આપણો...?
સ્વભાવ અને ચરિત્ર બદલી શકાતું નથી
શું તમારે જાણવો છે તમારી રાશિનો સ્વામીગ્રહ?

source by :- divya bhaskar press

તમારો પરફેક્ટ વેલેન્ટાઇન કોણ બની શકે? જુઓ અંક જ્યોતિષ....

તમારો પરફેક્ટ વેલેન્ટાઇન કોણ બની શકે? જુઓ અંક જ્યોતિષ


ન્યૂમરોલોજી પ્રમાણે અંકોની આપણા જીવનમાં ખૂબ જ ઊંડી અસર પડતી હોય છે. અંક આપણા મન તથા મગજ ઉપર ખાસ અસર કરે છે. જીવનસાથી, પ્રેમ અને મિત્રતા જેવા સંબંધો ઉપર પણ અંક પોતાની અસર પાડે છે. આપણે કોને જીવનસાથી બનાવવા જોઈએ. દોસ્તી કોની સાથે ટકશે, પ્રેમમાં કંઈ વ્યક્તિ તમને સમર્પિત રહેશે? એવા પ્રશ્નોના જવાબ તમે અંક જ્યોતિષ દ્વારા મેળવી શકો છો. તમે માત્ર તમારા સાથીની જન્મ તારીખથી જ જાણી શકો છો કે તેમની સાથે તમારા સંબંધો કેવા ખાટા-મીઠા રહેશે. જાણો તમારા માટે કયા નંબરનો જીવન સાથી શ્રેષ્ઠ રહેશે.

અંક- 1-

આ અંકવાળાઓ માટે 2,10,7,16,25,11,20,28 કે 29 તારીખનો જન્મ હોય તો તેઓ સારા પ્રેમી સાબિત થાય છે.

અંક-2-

આ અંક ચંદ્રમાનો અંક માનવામાં આવે છે. આ નંબરવાળા માટે 2,11,7,16,1,10,4,13 આ તારીખે જન્મેલા લોકો ભાગ્યશાળી માનવામાં આવેછે.

અંક-3-

કોઈ પણ મહિનાની 3,12,15,18,9,27,24,6,9,તારીખે જન્મેલા લોકો સૌથી સારા પ્રેમી સાબિત થઈ શકે છે.

અંક-4-

1, 2, 7, 8,11,16,17,26,25, આમાંથી કોઈપણ તારીખે જન્મ લેનાર લોકો અંક 4 વાળા માટે ઉત્તમ પ્રેમી સાબિત થાય છે.

અંક-5-

5,14, 15,16,11, 23, 6, 2, વગેરે તારીખે જન્મ લેનાર લોકો જ નંબર 5 વાળી વ્યક્તિ માટે શુભ અને સારા જીવનસાથીના રૂપમાં ઉપયુક્ત હોય છે.

અંક-6-

આ નંબરવાળા માટે 6,15,12,3,18 9,27 આમાંથી કોઈપણ દિવસે જન્મેલા લોકો આ નંબરના લોકો સાથે પરફેક્ટ વેલેન્ટાઇન સાબિત થાય છે.

અંક-7-

અંક 7 વાળા લોકો માટે 1, 2, 4, 7,10,11,16,13 તારીખે જન્મેલા લોકો જ સારા જીવનસાથી બની શકે છે.

અંક-8-

શનિનો અંક 8 વાળા માટે 2, 4, 8,11,13,16,26,17, આ દિવસે જન્મેલા વ્યક્તિ સારા જીવનસાથી બની શકે છે.

અંક-9-

આ નંબર મંગળનો છે એટલે આ નંબરવાળા સાચા જીવનસાથી તરીકે 3, 6, 9,15,12,27,18 વગેરે તારીખે જન્મેલા હોય તો વધુ સારા પ્રેમી અને સારા જીવનસાથી બની શકે છે.



Related Articles:

વેલેન્ટાઇન-ડેઃ કયા લોકો ક્રેઝી હોય છે લવ મેરેજ માટે?
તમારો વેલેન્ટાઇન, મોહિત થઈ જશે જો તમારા કપડાંનો રંગ...
બેજવાબદાર પ્રેમી હોય છે એ લોકો..
તુલા રાશિવાળા પ્રેમી પણ ગુસ્સાવાળા !!
પ્રેમી છોડી દેશે કે ભુલી જશે તો
અંક પ્રમાણે કયો રત્ન છે...તમારી માટે લકી?
અંક પ્રમાણે કયાં રંગના કપડાં છે, આપના માટે લકી!?
બીજાને ખુશી આપનારા હોય છે અંક 3 ધરાવનારા



source by :- divya bhaskar press

Monday, January 31, 2011

મારકણા બાળકની મોકાણ શી રીતે વારશો તોફાની-ધાંધલિયાં-ચીડિયાં ભૂલકાંને?



જ્યા રે કોઈ માતાપિતાને એવી ફરિયાદ સાંભળવા મળે કે તેમનું બાળક અત્યંત આક્રમક બની ગયું છે અને વાતવાતમાં ગુંડાગીરી પર ઊતરી આવે છે ત્યારે તેઓ આ વાત માની શકતા નથી. દરેક મા-બાપને મન તેમનું સંતાન કહ્યાગરું અને શાંત હોય છે. પરંતુ આજના ‘છોટા પરિવાર, સુખી પરિવાર’ના જમાનામાં બાળકો જરાય ‘સુખી’ નથી હોતા. વાસ્તવમાં તેઓ એકદમ એકલા પડી જાય છે. તેમને સાથ આપવાવાળું, તેમની વાત સાંભળવાવાળું કે તેમની સાથે રમવાવાળું કોઈ નથી હોતું. બાળમનોવૈજ્ઞાનિકો કહે છે કે આવી સ્થિતિમાં બાળક અકળાઈ જાય છે. પરિણામે તેનો સ્વભાવ આક્રમક બની જાય છે. ઘણીવાર એવું પણ બને છે કે ભૂલકામાં આવેલો નાનો નાનો ફેરફાર માતાપિતા નોંધી શકતા નથી. આ લક્ષણો સમય જતાં ઉગ્ર બને છે. અને ગુંડાગીરીમાં પરિણમે છે. પરંતુ પહેલેથી જ કાળજી લેવામાં આવે, અથવા સંતાનના વર્તનમાં થોડોઘણો ફરક દેખાય કે તરત જ તેને વાળવાનો પ્રયત્ન કરવામાં આવે તો વાત વણસી જતી અટકાવી શકાય છે.
સામાન્ય રીતે જોવામાં આવે છે કે મોટા શહેરમાં વસતા લોકો રાત્રે મોડા સુએ છે. પરિણામે બાળકોને પણ મોડાં સુવાની ટેવ પડી જાય છે. આને કારણે તેમને પૂરતી ઉંઘ નથી મળતી. બાળવયમાં અપૂરતી નીંદ્રા બાળકને અકળામણ અને પછી આક્રમકતા સુધી દોરી જાય છે. ભૂલકાના મગજને શાંત રાખવા પૂરતા કલાકો સુધી શાંત નીંદર આવશ્યક છે. તેથી બાળકને મોડામાં મોડું ૯.૩૦ વાગ્યા સુધી સુવડાવી દેવું જોઈએ.
વધારે પડતી ચોકલેટ કે ચીપ્સ જેવી વસ્તુઓ અને કેલેરી વિનાનો ખોેરાક પણ બાળકને તોફાની બનાવે છે. ભૂલકાને દરે બે કલાકે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને વીટામીનથી ભરપૂર પૌષ્ટિક આહાર આપો.
યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જણાઈ આવ્યું હતું કે વધારે કલાક સુધી ટી.વી. જોનારા બાળકો પણ ધમાલિયા અને આક્રમક બની જાય છે. ઘણા માતાપિતા તેમના બાળકને કલાકો સુધી કાર્ટુન ફિલ્મ જોવા આપે છે. તેઓ એમ માને છે કે કાર્ટુન ફિલ્મો નિર્દોષ હોવાથી ભૂલકા પર તેની કોઈ ખોટી અસર નહીં પડે. પણ આ માન્યતા સદંતર ખોટી છે. આપણે ‘ટોમ એન્ડ જેરી’નું જ ઉદાહરણ લઈએ. જેરી નાનો હોવા છતાં ટોમને સતત પજવતો રહે છે અને એવું બતાવવાનો પ્રયત્ન કરે છે કે આવું વર્તન કરવામાં કાંઈ ખોટું નથી. કાર્ટુનના આવા પાત્રોની માઠી અસર પણ બાળકોના મન પર થાય છે. તેઓ પણ આ પ્રકારનું વર્તન કરે છે અને તેને વ્યાજબી પણ ઠેરવે છે.
ઝગડી રહેલાં માતાપિતાની માઠી અસર બાળમાનસ પર થાય છે. બહેતર છે કે માતાપિતા ભૂલકાની હાજરીમાં ઝગડો કરવાનું ટાળે. બાળકની ગેરહાજરીમાં એકમેક સાથેની ગેરસમજ દૂર કરી લેવાથી તેઓ બાળ ઉછેર પણ સારી રીતે કરી શકશે.
બાળક શાળામાં જતું થાય ત્યાર બાદ બીજા ભૂલકાઓના વર્તનની અસર પણ તેમના ઉપર થાય છે. તોફાની કે મારકણા બાળકો સાથે રહીને શાંત બચ્ચું પણ તેમના જેવું થઈ જાય છે. ઘણીવાર એવું પણ બને કે બે-ત્રણ તોફાની બાળકો સાથે મળીને એક શાંત ભૂલકાને એટલું બઘું સતાવે કે તે કોઈક ઘડીએ ઉશ્કેરાઈને તેમના જેવું જ વર્તન કરી બેસે. આવી સ્થિતિ પેદા ન થાય તે જોવાની જવાબદારી શિક્ષકોની રહે છે.
ઘણાં બચ્ચાઓ મૂળભૂત રીતે જ આક્રમક હોય છે. આવા બાળકોને ‘ટાઈપ-એ’ પર્સનાલિટીના ભૂલકાઓ તરીકે ઓળખવામાં આવે છે. કોઈપણ દેખીતા કારણ વિના ધાંધલ-ધમાલ મચાવી મુકતા બાળકને સમયસર સારવાર આપવામાં આવે તો તે તેમના ભવિષ્ય માટે સલામતીભર્યું પગલું ગણાય.
ઘણીવાર ઘણાં બાળકો પોતાની ભાવનાઓ વ્યક્ત નથી કરી શકતાં. આવી સ્થિતિમાં અંદરોઅંદર ગુંગળાતા રહેતાં બચ્ચાં પોતાની અકળામણ કોઈકને મારીને વ્યક્ત કરે છે. ખાસ કરીને બોલતાં ન શીખ્યા હોય એટલાં નાના બાળકો ભૂખ લાગે ત્યારે સામી વ્યક્તિને મારે છે.
માતાપિતા જ્યારે પોતાના બાળક પ્રત્યે પૂરતું ઘ્યાન નથી આપતાં, તેમને માટે સમય નથી ફાળવતાં ત્યારે તેઓ તેમનું, બીજા બાળકોનું કે શિક્ષકનું ઘ્યાન પોતાની તરફ ખેંચવા આક્રમક વલણ અપનાવે છે. આ ઉપરાંત જે બચ્ચાઓનો ઉછેર વારંવાર માર ખાઈને થયો હોય તે ભૂલકાઓ પણ બીજાઓને મારતાં થઈ જાય છે.
સામાન્ય રીતે બધા માતાપિતા એમ જ માનતા હોય છે કે તેમનું સંતાન આક્રમક હોઈ જ ન શકે.
મનોવૈજ્ઞાનિકો કહે છે કે માતાપિતાએ તેમનું આ વલણ બદલવું જોઈએ. જે બાળક અત્યંત ધમાલિયું હોય તે કોઈકનું ભૂલકું તો હોય જ છે. તેથી પ્રત્યેક માતાપિતાએ તેમના બચ્ચાના વર્તન પર ચાંપતી નજર રાખવી જોઈએ. જોે વારંવાર તેમના આક્રમક વર્તનની ફરિયાદ આવે તો સમયસર ચેતી જવું આવશ્યક છે. જો બચ્ચાનું વર્તન અત્યંત ધમાલિયું કે આક્રમક હોય, તે કોઈને ગણકારતું ન હોય, તો તેને શારીરિક શિક્ષા કરવાને બદલે તેની સાથે સમજાવટથી કામ લો. તેને શું સાચું અને શું ખોેટું કહેવાય તેની સમજ આપો, પરંતુ જો તમે એને એમ કહેશો કે તે ખરાબ બાળક છે તો તેના મગજ પર તેની ખોટી અસર પડશે. આ વસ્તુ તેના ભવિષ્યને પણ બગાડી શકે.
ઘણીવાર બાળકો માતાપિતા અથવા અન્ય પરિવારજનોનું ઘ્યાન આકર્ષિત કરવાં બીજા ભૂલકાને મારે છે અથવા રમકડાં ફેંકી દેવા જેવી હરકતો કરે છે. સૌથી પહેલાં તો મારામારી કરી રહેલાં બે બચ્ચાઓને છૂટાં પાડો. ત્યારબાદ થોડીવાર સુધી તેની અવગણના કરો. આમ કરવાથી બાળક સમજી જશે કે માતાપિતાનું ઘ્યાન તે આ રીતે નહીં આકર્ષી શકે. તેવી જ રીતે જો ભૂલકાનું વર્તન સારું હોય તો તેની પ્રશંસા કરો. જેમ કે તે પોતાના રમકડાં યથાસ્થાને ગોઠવી દે તો તેની પ્રશંસા અચૂક કરો. આમ કરવાથી તે બીજીવાર આ પ્રકારનું કામ કરવા પ્રેરાશે.
બાળકને આક્રમક થતું અટકાવવા તે પૂરતું ઉંઘે, પૌષ્ટિક આહાર લે, સારી રીતે રમે, હમેશાં ખુશ રહે તેવો પ્રયત્ન કરો. આનંદમાં રહેતું બાળક ઓછું ધાંધલિયું બને છે. આ ઉપરાંત બાળકમાં નાનપણથી જ યોગ, સંગીત, ચિત્રકામ જેવી મનમગજને શાંત-આનંદિત રાખતી પ્રવૃત્તિ કરવાની ટેવ પાડો. આમ છતાં ભૂલકાની આક્રમકતા ઓછી ન થાય તો કાઉન્સેલરની મદદ લેતાં ન અચકાઓ.


this is nice picture as manfish gences....

આજ નું ઔષધ


કબજિયાત શી રીતે દૂર થાય ?

ખોરાક જ્યારે પેટમાં જાય ત્યારે હોજરીથી શરૃ કરી મળદ્વાર સુધીની માસપેશીઓમાં એક પ્રકારના તાલબદ્ધ સંકોચનની ક્રિયા થાય છે. જેને આકુંચન લહીર (Peristalsis) કહેવાય. જેનાં કારણે પાચનક્રિયાના ભાગરૃપે ખોરાક નાના આંતરડામાં જાય. સાથે-સાથે મોટાં આંતરડામાં પડયો રહેલો મળ કે કચરો પણ સરકીને નીચે ઊતરે. આ ક્રિયાનું સંવેદન જ્ઞાાનતંતુ (Nerves) થકી થતાં માણસને હાજત જવાની ઈચ્છા થાય. અને જો આ આખી ક્રિયા બરાબર રીતે ન થાય તો, પેટ પૂરતું સાફ ન આવે. મળ પડયો રહી, સૂકાઈને ગંઠાઈ જાય. પેટમાં ચૂંક આવે, બેચેની રહે. ખૂબ જોર કરવા છતાં પણ મળ અટકી રહે. આ સ્તિતિ એટલે કબજિયાત. (constipation).
બ્રિટિશ ડૉકટર સર વિલિયમ કબજિયાતને એંશ ટકાથી વધુ રોગોને જન્મ આપનારી માતા કહે છે. અમેરિકન આરોગ્યશાસ્ત્રી જે. એમ. કેલોગ આને 'ઓટોઈન્ટોકિસકેશન' એટલે પોતાની મેળે પેદા થતું ઝેર ગણે છે. આંતરડામાં લાંબા સમય સુધી પડી રહેલા મળમાં સડો (Putrifaction) થતાં પેદા થતું ઝેર (Toxin) લોહીમાં ભળીને જાત-જાતના રોગોને જન્મ આપે છે. જેમ કે લીવર, થાઈરોઈડ અને કાકડાનો સોજો, હરસ, મસા, ભગંદર, આંતરડાનું કેન્સર, હોજરી અને મોમાં ચાંદા પડવા, સાંધાનો વા (ગાઉટ), માથાનો દુઃખાવો, ન્યુરાઈટીસ, અનિંદ્રા, મોઢાની દુર્ગંધ, કાયમી થાક, આળસ વગેરે.
આજના ભાગદોડ ભર્યા સમયમાં રોજ એક વખત સવારે નિશ્ચિત સમયે પેટ સાફ થવું જ જોઈએ. એવા તનાવમાં નુકસાન કરે એવી રેચક દવાઓના બંધાણી થઈ જતાં માણસોની સંખ્યા ઘણી મોટી છે. વાસ્તવમાં પેટની સફાઈનો આધાર (૧) કેટલી માત્રામાં ખોરાક લેવાય છે, (૨) ખોરાકમાં રહેલાં રેષા (Fibre) અને પાણીનું પ્રમાણ અને (૩) પાચનક્રિયા પર આધાર રાખે છે. ચાર ટંક ભોજન લેનારને દિવસમાં બે-ત્રણ વખત, બે ટંક ભોજન લેનારને દિવમસાં એક વખત અને ખૂબ ઓછું ખાનાર, ઉપવાસ કરનાર, વૃદ્ધો કે બાળકોને એકાંતરે દિવસ પેટ સાફ આવવું સ્વાભાવિક છે. ભોજન પછી તરત હાજર માટે જવું એ પણ એટલું જ સ્વાભાવિક છે. આવી સ્થિતિને પેટના રોગો કે કબજિયાત સમજવાની ભૂલ ન કરવી.
હવે કબજિયાત નીવારવાના ઉપાય જોઈએ.
(૧) મળ ત્યાગ કરવાના સમયે ટેન્શન, ચિંતાજનક વિચારો નકરવા. જેથી જ્ઞાાનતંતુ દ્વારા થતાં હાજતના સંવેદનમાં રૃકાવટ થાય. ક્યારેય પણ હાજર જવાની ઈચ્છાને પ્રયત્નપૂર્વક રોકવી નહિ.
(૨) હાજત જવા માટે દેશી કમોડની પધ્ધતિ અપનાવવી- જેમાં પગ વાળીને બેસવાથી પેટ પર દબાણ આવે અને સરળતાથી મળોત્સર્ગ થાય. (વધારે પડતું વજન અને પગના સાંધાના દુઃખાવાની તકલીફવાળી વ્યક્તિઓ માટે આ સ્થિતિનો નિષેધ છે.) હાજત થતાં પહેલાં મળદ્વારમાં દેશી દિવેલ લગાવવું.
(૩) સર્વ રસાયનોમાં શ્રેષ્ટ એવાં જળનો પર્યાપ્ત માત્રામાં ઉપયોગ કરવો (એટલે કે રોજના આઠથી દસ પ્યાલા પાણી પીવું.) સવારે ઊઠીને બે-ત્રણ પ્યાલા હુંફાળુ-ગરમ કરેલું પાણી નરણાં કોઠે પીવું. પછી હાજત માટે જવું.
(૪) દાડમ, લસણ, કંદમૂળ, મેંદાનો ઉપયોગ વધુ માત્રામાં કરવાથી કબજિયાત થાય. વિટામીનની દવાઓ જેમાં આયર્ન (લોહતત્ત્વ) હોય, ઉધરસની દવાઓ (કોડિનયુક્ત), ઊંઘની અને મનને શાંત કરતી દવાઓ તથા પેઈનકિલર્સના ઉપયોગથી પણ કબજિયાત થઈ શકે. જેથી આ પ્રકારની ઔષધિઓ વિવેકપૂર્વક લેવી.
(૫) પોલિસ કરેલા ચોકા, ફોતરા કાઢી નાખેલી દાળ, થૂલું કાઢી નાખેલા ઘઉંનો વપરાશ બંધ કરવો. એની જગ્યાએ હાથ-છડના ચોખા, ફોતરાવાળી દાળ અને ઘઉંનો કરકરો લોટ વાપરવાનો આગ્રહ રાખવો. એમ કરવાથી ખોરાકમાં રેષા (Fibre) અને વિટામીન 'B1'નુ પ્રમાણ જળવાય છે. ઉપરાંત લીલા શાકભાજી અને તાજાં ફળોનો ઉપયોગ છાલ સાથે કરવાથી સારા એવા પ્રમાણમાં રેષા મળી રહે છે. દિવસ દરમ્યાન ખોરાકમાં ત્રીસથી ચાળીસ ગ્રામ જેટલાં રેષા લેવાં જરૃરી છે.
(૬) ઉતાવળે ખાવાની ટેવ બરાબર નથી. શાંતિપૂર્વક, એકાગ્રચિત્ત, સંતોષથી ભોજન લેવું. ભોજન દરમ્યાન અને ભોજન પછી તરત વધુ પડતું પાણીન લેવું. જેથી પાચનક્રિયા મંદ થઈ અપચો થાય. ભોજન પછી તલ, ધાણાની દાળ, ગળ્યા આમળા, વરિયાળી જેવા મુખવાસનો ઉપયોગ કરવો.
(૭) બેઠાડું જીવન ત્યાગી, સરળ અને સાદા વ્યાયામને અપનાવો. સવાર-સાંજ ભોજનના કલાક પછી અડદો કલાક શાંતિપૂર્વક ચાલવાની ટેવ કેળવવી. યથાશક્તિ એરોબિક કસરતો કરવી. યોગાસનો જેવા કે ઉત્તાનપાદાસન, શલભાસન, પશ્ચિમોત્તાનાસન, વજ્રાસન, સર્વાંગાસન જાણકારની સલાહમુજબ કરવા. જેનાથી પેટના સ્નાયુઓ મજબુત બનશે અને આંતરડાની કાર્યક્ષમતા વધશે.
(૮) અડધો કલાક પાણીમાં પલાળી રાખેલાં બેથી ત્રણ નંગ અંજીર બપોરના ભોજન પછી અને વીસ દાણાં કાળી સૂકી દ્રાક્ષ અડધો કલાક પાણીમાં પલાળી રાખી, ખૂબ ચાવી-ચાવીને રાત્રિ ભોજન પછી લેવાં.
(૯) કબજિયાત દૂર કરવા અઠવાડિયે એક વખત કરી શકાય એવો નિર્દોષ પ્રયોગ ઃ ઈસબગુલ, તકમરિયા, આમળા, વરિયાળી સમભાગે, દેશી દિવેલમાં શેકેલી હરડે અડધા ભાગે, મીંઢિઆવળ, સંચળ, અજમો, દસમા ભાગે. આ બધાં દ્રવ્યોના ચૂણો મિશ્રણમાંથી એક ચમચી રાત્રે સૂતી વખતે હુંફાળા પાણી સાથે લેવાથી પેટ સાફ આવશે.

પરણવા પહેલાં જ ‘પરણનાર’નો પૂરો પરિચય મેળવવા શું કરવું?




આખી જ્ઞાતિમાં ઉહાપોહ થઈ ગયો. આજ સુધી આવો બનાવ કદી બન્યો નથી. એક વર્ષ સુધી વિવાહ ચાલુ રહે. દર રવિવારે બંને સાથે ફરવા જાય, સાથે ફિલ્મ જોવા જાય, અરે, કોલેજની પિકનીક વખતે ક્યાંક રાત રોકાવું પડે તો સાથે રોકાય અને હવે વિવાહનો ભંગ થાય તો કેમ ચાલે? એમાંય છોકરો ના પાડે એવા બનાવો તો આજ સુધી બન્યા હતા પણ આતો છોકરી સામેથી ના પાડી દે એ કેમ ચાલે? હવે એ છોકરીની શી દશા થશે? એની સાથે પરણવા કોણ તૈયાર થશે? એનો હાથ કોણ પકડશે?
નવાઈની વાત તો એ હતી કે છોકરીનો બાપ સામાન્ય મઘ્યમ વર્ગનો માણસ હતો, એ નહોતો ખૂબ માલદાર કે નહોતો સત્તાધીશ. છતાં એણે છોકરી પર જરા પણ દબાણ કર્યા સિવાય વિવાહ ફોક કરવાની એની ઈચ્છાને સમર્થન આપ્યું. આખી જ્ઞાતિમાં આ સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા અને સૌ કોઈ એની ટીકા કરવા લાગ્યા, ‘છોકરીની જાત આટલો બધો પાવર કરે એ પોષાય નહીં એવી કેવી બાદી કે પહેલૅેથી એને ખબર ના પડી? આખું વરસ એની સાથે ફરીને હવે એને પડતો મુકે એટલે પેલા બિચારાને કેવું અપમાન લાગે?
આવી ચર્ચા ચોરેને ચૌટે થવા લાગી હતી પણ વાતનું રહસ્ય જાણતી હતી ફક્ત એ છોકરી, એના માતાપિતા અને વઘુમાં જાણતા હતા. વરપક્ષવાળા લોકો. વાત એમ બનેલી કે છોકરી એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરતી હતી ‘અને છોકરાવાળાએ પણ એવી જાહેરાત કરી હતી કે છોકરો મેડિકલમાં અભ્યાસ કરે છે. છોકરી હોેંશિયાર હતી. એટલે છોકરાને એના કોર્સ અંગે પૂછપરછ કરતી હતી. થોડા દિવસો તો છોકરાએ આડાં અવળાં ગપ્પાં માર્યા કર્યા પણ વર્ષના અંતે પરિણામ આવ્યુ ંત્યારે એ પકડાઈ ગયો. એ એમ.બી.બી.એસ. નો નહિ પણ એસ.સી.પી.એસ.નો અભ્યાસ કરતો હતો, છોકરાને એમ હતું કે થોડા સહવાસ થયા પછી છોકરી એને છોડી નહીં શકે. એની ઈચ્છા તો લગ્ન પૂર્વે જાતીય સંબંધ બાંધી એને પૂરેપૂરી કબજે કરી લેવાની હતી. આ બઘું થયા પછી પોતાનું જુઠાણુ પકડાઈ જશે તો પણ છોકરી વિરોધ નહિ કરે એવી એને ખાત્રી હતી. એથી તો એ રવિવારે છોકરીને મળતો ત્યારે એની સાથે અભ્યાસની વાતો કરવાના બદલે પ્રેમની વાતો કર્યા કરતો. એની ઈચ્છા પોતાનું જુઠાણું પકડાય એ પહેલાં એની વાગદત્તાને પૂરેપૂરી હિપ્નોટાઈઝ્ડ કરી દેવાની હતી. પણ છોકરી ભારે બુઘ્ધિશાળી અને હિંમતવાળી નીકળી, એણે વિવાહ ફોક કરી દીધો, એણે કહ્યું, ‘‘લગ્નના પાયામાં વિશ્વાસનું ચણતર ના હોય તો એ ઈમારત ટકી જ ના શકે, જે માણસ લગ્નપૂર્વે મને આ રીતે છેતરવા પ્રયાસ કરે એના વિશ્વાસે આખું જીવન સમર્પી કેવી રીતે શકાય?’’
આપણા સમાજના ઉપલા મઘ્યમ વર્ગમાં હવે છોકરા-છોકરીને લગ્ન પહેલાં મળવાની છૂટ આપવામાં આવે છે. એ છૂટનો અને સંવનનનો સર્વોત્તમ ગાળો છે, પરંતુ એ સમયના સહવાસ દરમિયાન જો તેમને એમ લાગે છે કે આ વ્યક્તિનો સ્વભાવ મારા સ્વભાવ સાથે સુસંગત થાય એમ નથી તો જરાય શરમ કે સંકોચ રાખ્યા વિના વિવાહ ફોક કરવો એ ડહાપણભર્યું પગલું છે. લગ્ન કર્યા પછી આખી જિંદગી રીબાઈ રીબાઈને પસાર કરવી અથવા તો છૂટાછેડા લેવા માટેની લાંબી કાર્યવાહીમાંથી પસાર થવું. એના કરતાં લગ્ન પૂર્વે જ સ્પષ્ટ થઈ જવું વધારે સારું છે.
ઉપરના દાખલામાં વાગ્દત્તાએ જે હિંમત બતાવી છે એ ધન્યવાદને પાત્ર છે. આવી હિંમત બતાવનાર છોકરીની પ્રશંસા કરવાના બદલે આપણો સમાજ એની નિંદા કરે છે, એ પછાતપણાની નિશાની છે, આવા પગલાની કદર કરીને બીજા યોગ્ય મૂરતિયા સાથે એ કન્યાના લગ્ન થાય એવો પ્રયાસ કરવો જોઈએ.
સંવનનના ગાળામાં એકબીજાનો સાચો પરિચય મેળવવા પ્રયાસ કરવો જોઈએ, એવા પ્રયાસના પરિણામે એમ લાગે કે અમુક મર્યાદાઓ એવી છે કે જે કાળે કરીને ઘસાઈ કે ભુંસાઈ જશે તો એ બાબતની ચિંતા ના રાખવી. પણ કોઈ એવી મર્યાદા હોય કે જે કદી દૂર થઈ શકે એમ ના હોય તો એ માટે ગંભીરપણે ચર્ચા કરી લેવી. દા.ત. તમને સિગારેટની વાસ જરા પણ ગમતી નથી અને તમારો વિવાહ થયો એ છોકરાને સિગારેટ વિના ચાલતું નથી, એને તમે સમજાવી જુઓ અને એ જો સિગારેટ છોડવા તૈયાર થાય અથવા લાંબા ગાળે છોડી શકે એમ લાગે તો ચલાવી લેવું. પણ તમને એમ લાગે કે એનાથી સિગારેટ કદી છોડાશે નહિ અને તમારાથી એની વાસ કદી સહન થશે નહિ તો એવા છોકરા સાથે સંબંધ જોડવાનું જોખમ ના ખેડાય.
આ તો તરત સમજાઈ જાય એવી બાહ્ય મર્યાદાઓ છે, પણ ઘણીવાર સામી વ્યક્તિના સ્વભાવની અમુક મર્યાદા તમારા ઘ્યાનમાં જલદી ના પણ આવે. ઉદાહરણ તરીકે યુવક તમારી સાથે ખૂબ વિનયથી વિવેકથી અને સૌજન્યથી વર્તતો હોય, તમને એમ લાગે કે એ ખૂબ સંસ્કારી અને સજ્જન છે. પણ એ કદાચ દંભ કરતો હોય, કુશળ ખેલાડીની જેમ એ પોતાની જાળ બિછાવતો હોય, તો એવે વખતે એનોે દંભ પકડવા માટે તમારે ખુબ બુઘ્ધિપૂર્વક કામ લેવું જોઈએ. એના માટે એક દાખલો યાદ રાખવા જેવો છે.
ભોજરાજાના દરબારમાં એક વાર અજાણ્યો માણસ આવ્યો. એ એક પછી એક અનેક ભાષાઓ બોલતો હતો. ઘડીમાં ફારસી બોલે તો ઘડીમાં હિન્દીમાં, ઘડીમાં બંગાળીમાં બોેલે તો ઘડીમાં મરાઠીમાં, આ બધી ભાષાઓ પર એનો કાબુૂ એવો હતો કે કોઈ કહી ના શકે કે એની માતૃભાષા કઈ હશે. આ વિચિત્ર માણસે રાજાને કહ્યું કે મારી માતૃભાષા કઈ હશે એ શોધી આપો નહિતર મને ઈનામ આપો. રાજાએ પોતાના બધા પંડિતોને આ પડકાર ઉપાડી લેવા કહ્યું પણ કોઈનાથી એ માણસની માતૃભાષા શોધી શકાઈ નહિ. ત્યારે રાજાએ એના માનીતા કવિ કાલીદાસ સામે જોયું. કવિ કાલિદાસે કહ્યું, ‘‘મહારાજ એ ભાઈને મારી સાથે મોકલો... આવતી કાલે હું એની માતૃભાષા કહી દઈશ.’’ રાજાએ એ માણસને કાલિદાસ સાથે જવાનું કહ્યું પેલો માણસ કાલીદાસના ઘેર ગયો પણ એ જુદી જુદી ભાષામાં જ બોલ્યા કરતો. એમ કરતા રાત પડી અને એ ભાઈ ઉંઘી ગયા. એ બરાબર ઘસઘસાટ ઉંઘી ગયો. એટલે કાલીદાસે એના મોંઢા પર પાણી છાંટ્યું. પેલો માણસ એકદમ ‘ઓ બાપરે’ કહીને ઊભો થઈ ગયો. કાલીદાસ સમજી ગયા કે એની માતૃભાષા ગુજરાતી હતી.
માણસ એના કુદરતી સ્વરૂપમાં હોય ત્યારે એનો મૂળ સ્વભાવ પકડાઈ જાય છે, એટલે તમે જે યુવક સાથે ફરતાં હો એને એના સહજ સ્વરૂપમાં લાવવાની કોઈ યુક્તિ શોધી કાઢો. એના સહજ સ્વરૂપમાં એ કેવો છે એનોે તમને તરત ખ્યાલ આવી જશે. એનું મ્હોરું, ઉતારી કાઢ્યા પછી એને જોેશો તો જ તમે એને સાચા સ્વરૂપમાં ઓળખી શકશો.
તમારા જીવનસાથીને એના કુદરતી સ્વરૂપમાં લાવવાના ઘણા માર્ગો છે. તમે સાથે ફિલ્મ જોવા જાઓ ત્યારે એ ફિલ્મના વિવિધ માદક દ્રશ્યો જોતાં કેવો પ્રતિભાવ વ્યક્ત કરે છે એ ઝીણવટથી જુઓ. એના પ્રતિભાવો પરથી તમને એના સાચા સ્વરૂપનો ખ્યાલ આવી જશે. અલબત્ત, આવો ખ્યાલ આવે ત્યારે એકદમ વઘુ પડતા ચોખલિયા કે વેદિયા પણ બની જવાની જરૂર નથી. ઉદાહરણ તરીકે તમે સાથે ફિલ્મ જોવા ગયાં હો અને પડદા પર પ્રણયનું એક ઉત્તેજક દ્રશ્ય ચાલી રહ્યું છે, તો સ્વાભાવિક રીતે જ એ તમારા ખભે હાથ મુકે કે તમારી કેડ પર હાથ મુકે. આ કુદરતી વૃત્તિ છે અને તમે પોતે પણ કબૂલ કરશો કે તમને પણ એની એવી ચેષ્ટા ગમશે. તમે પોતે પણ એના ખભે માથું ઢાળી દેવાનો સુખદ અનુભવ કરવાનું નહિ ચૂકો. આવા અનુભવો પરથી સામી વ્યક્તિમાં સંયમનો અભાવ છે અથવા એની નૈતિકતા ઓછી છે કે માતાપિતાએ એને સંસ્કાર જ આપ્યા નથી, એમ માનવાને કારણ નથી. પણ આવા દ્રશ્યોે વખતે એ કેવા ચેનચાળા કરે છે અથવા કેવા પ્રકારના બબડાટ કરે છે. એના પરથી એનું માપ કાઢી શકાય. સ્ત્રી-પુરુષના દૈહિક સંબંધ એ કુદરતી બાબત છે પણ એનું જાહેર પ્રદર્શન થાય એ બિભત્સ લાગે, જો તમારા મિત્રમાં આવી સમજ હોય તો એ સંસ્કારી છે એમ માનવામાં હરકત નથી.
એની કસોટી કરવા માટેનો બીજો પ્રસંગ છે. હોટેલમાં નાસ્તો કરવા જવા અંગેનો. રેસ્ટોરાંમાં તમે સાથે નાસ્તો કરવા ગયાં હો ત્યારે શું ખાવાનું પસંદ કરે છે, કેટલું ખાય છે, કેવી રીતે ખાય છે, એકદમ ખાવાનું શરૂ કરી દે છે કે તમને આગ્રહ કર્યાં પછી શરૂ કરે છે વગેરે ‘ટેબલ એટી કેટ’ પરથી પણ તમને એની સંસ્કારિતાની ખાત્રી થશે.
આવા પ્રસંગે તમે એની કસોટી કરતાં હશો એમ એ તમારી પણ કસોટી કરતો હોય એમ બને. એથી સારો માર્ગ એ છે કે તમે જેવાં હો એવા દેખાવાનો પ્રયત્ન કરો. અને એને પણ એના સાચા સ્વરૂપમાં જોઈ લો. સંવનનકાળમાં એકબીજાને બરાબર ઓળખી લેવા ખૂબ આવશ્યક છે કારણ કે લગ્ન પછી તો બંનેએ પોતે જેવા હોય એ રીતે વર્તવાનું છે, માણસ ચોવીસે કલાક મ્હોેરું પહેરીને ફરતો નથી. એ દંભ કે દેખાવ પણ લાંબા સમય સુધી કરી શકતો નથી. એથી સંવનન કાળમાં જો સ્પષ્ટતા ના કરી હોય તો પછીના આખા જીવન દરમિયાન પસ્તાવો કરવાનો રહે છે.
અને એના કુદરતી સ્વરૂપમાં જોવા માટે ત્રીજા સંજોગો છે પ્રવાસ પર્યટનના. તમે એની સાથે પ્રવાસે ગયાં હોે ત્યારે એ કેટલો સમય દંભ કરી શકશે? પૈસા વાપરતાં એનો જીવ ચાલે છે કે નહિ? બહારના લોકો સાથે એ કેવી રીતે વર્તે છે? એને લોજમાં ઉતરવું ગમે છે કે ધર્મશાળામાં? વગેરે બાબતો પરથી એના સ્વભાવનો તમને ખ્યાલ આવી જશે.
એનો એ સ્વભાવ તમારા સ્વભાવ સાથે સુસંગત થશે કે નહિ એનો તમને ખ્યાલ આવી જવો જોઈએ અને ખ્યાલ આવી ગયા પછી તમારી ઈચ્છા ના પાડવાની હોય તો ખૂબ હિંમતપૂર્વક ના પાડી દેવી જોઈએ એસમયે શરમમાં રહી, સંકોચ રાખી જો ના પાડશો નહિ તો આખી જિંદગી સુધી પસ્તાવાનું રહેશે. લગ્ન એ આખી એક જિંદગીનો પ્રશ્ન છે. પરણ્યા પછી એમાં બહુ ઝડપથી ફેરફાર થઈ શકતો નથી, એટલે તમને જો ડેટિંગનો સમય મળ્યો જ હોય તો એના લાભ ઉઠાવી પછી ના આખા જીવન માટેની તૈયારી કરી રાખજો. એ કાળ હવાઈ કલ્પનાઓ કરવા માટે કે ફિલ્મી પ્રેમ કરવા માટે વ્યર્થ વેડફી દેવાનો નથી. આઈ બાત સમજમેં!

પીડાદાયક રતિક્રીડાનું ટેન્શન..........


થોડી સાવચેતી રાખવાથી અને યોગ્ય તબીબી સલાહથી આવી સમસ્યાથી કાયમ માટે છુટકારો મેળવી શકાય છે


ક મહિલા અને પુરુષોના સંબંધોને ગાઢ બનાવવામાં શારીરિક નિકટતાનું પાસું અત્યંત મહત્ત્વનું છે. એક કહેવત છે કે જો પુરુષ અને મહિલા વચ્ચે શારીરિક સંબંધો મજબૂત હોય તો એ પરસ્પરના સંબંધોનો દસ ટકા હિસ્સો રોકે છે, પણ જો આ સંબંધો મજબૂત ન હોય તો એ પરસ્પરના સંબંધોનો નેવું ટકા હિસ્સો રોકી લે છે. આમ, સુખદ શારીરિક સંબંધો કોઈપણ યુગના સાયુજ્યનું મહત્ત્વનું પાસું છે. જોકે ઘણીવાર દંપતિને શારીરિક સંબંધો બાંધતી વખતે ભારે પીડાની અનુભવ થતો હોય છે અને જો આ પરિસ્થિતિ લાંબી ચાલે તો તેઓ પહેલાં એકબીજાથી શારીરિક રીતે અને પછી ક્રમશઃ માનસિક રીતે દુર થતા જાય છે. જો આ સમસ્યાને વધારે વિકટ બનતી અટકાવી હોય તો શરૂઆતના તબક્કામાં જ થોડી સાવચેતી રાખીને યોગ્ય તબીબી સલાહ લઈને ઉકેલ લાવી દેવો જોઈએ. અહીં કેટલીક એવી પરિસ્થિતિની ચર્ચા કરવામાં આવી છે જેમાં દંપતિને શારીરિક સંબંધો બાંધતી વખતે પીડાનો અનુભવ થઈ શકે છે.
નાની-મોટી ઇજા અને ઉઝરડાં ઃ શારીરિક સંબંધો દરમિયાન પીડા અનુભવતા મોટાભાગના દંપતિઓની સમસ્યા સંબંધ બાંધતી વખતે નાની-મોટી ઇજા અને ઉઝરડાં થઈ જવાની છે. આ પ્રકારની સમસ્યા થવાનું એકમાત્ર કારણ યોગ્ય પ્રમાણમાં શ્વ્લેષ્મ (લુબ્રિકન્ટ)ની કમી છે. હજી યોનિમાર્ગ પુરતો ભીનો ન થયો ત્યારે શુષ્ક યોનીમાર્ગમાં જ શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કરવાથી મહિલા અને પુરુષ બન્નેને પીડા અને ઇજાનો અનુભવ થાય છે.
આ સમસ્યાથી બચવા માટે શારીરિક સંબંધ બાંધતા પહેલાં ઓછામાં ઓછો વીસેક મિનીટ જેટલો સમય ફોરપ્લે (સંભોગ પહેલાંની રતિક્રિયા)માં ગાળવો જોઈએ. પુરુષ અને મહિલા બન્નેના પ્રજનનતંત્રમાં ખાસ પ્રકારની ગ્રંથિ હોય જેમાંથી ફોરપ્લે દરમિયાન શ્વ્લેષ્મનું નિર્માણ થાય છે અને શારીરિક સંબંધ સરળતાથી બાંધી શકાય છે. આમ, ફોરપ્લેને વધારે સમય ફાળવવાથી કુદરતી શ્વ્લેષમ ઉત્પન્ન થાય છે અને પીડા થવાની અને ઇજા થવાની ફરિયાદ દુર થાય છે.
સામાન્ય રીતે લગ્નજીવનની શરૂઆતમાં આ પ્રકારની સમસ્યા વિશેષ પ્રમાણમાં જોવા મળતી હોય છે. ઘણી યુવતીઓના મનમાં લગ્ન પહેલાં શારીરિક સંબંધોના મુદ્દે ઘણી ગ્રંથિઓ બંધાયેલી હોય છે અને આ કારણે જ શરૂઆતના તબક્કામાં શારીરિક સંબંધ બાંધવામાં તેમને સમસ્યા થતી હોય છે. આ સંજોગોમાં યુવતીના યોનિમાર્ગના સ્નાયુઓ કડક થઈ જતા હોય છે જેના કારણે પીડાનો અનુભવ થતો હોય છે. આ સંજોગોમાં શારીરિક સંબંધ બાંધતા પહેલાં થોડી ધીરજ રાખવી જરૂરી છે.
વધારે પડતો કડક યોેનીપટલ ઃ કેટલીક યુવતીઓનો જન્મથી જ યોનીપટલ વધારે પડતો કડક હોય છે જેનું છેદન સામાન્ય શારીરિક સંબંધોથી શક્ય નથી બનતું. આ સંજોગોમાં જો વધારે પડતું બળ વાપરવામાં આવે તો એને ઇજા થાય છે અને ભારે પીડા તથા રક્તસ્ત્રાવ થાય છે.
આ પ્રકારના યોનીપટલ ધરાવતી મહિલા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કરવાના બદલે એનેસ્થેશિયાની મદદથી બેભાનઅવસ્થામાં સર્જરી દ્વારા વધારે પડતા કડક યોનીપટલને દુર કરી દેવું જોઈએ. આ ઉપાય દ્વારા શારીરિક સંબંધ વખતની પીડાને દુર રાખી શકાય છે.
પેરાફીમોસીસ ઃ આ પ્રકારની સમસ્યાનો ભોગ પુરુષો બનતા હોય છે. આ પ્રકારના સંજોગોમાં પુરુષોના જનનાંગની બાહ્યત્વચા શારીરિક સંબંધો દરમિયાન એવી રીતે ફસાઈ જાય છે કે પછી સરકીને નીચે નથી ઉતરી શકતી. આ સંજોગોમાં બાહ્યત્વચા પર સોજો આવી જાય છે જેના કારણે પીડા અનુભવાય છે. જો આ પરિસ્થિત લાંબો સમય ચાલે અથવા તો રક્તનો પ્રવાહ અવરોધાય છે એવું લાગે તો તરત જ મેડિકલ સારવાર લેવી જોઈએ કારણ કે એના કારણે ગેંગ્રીન જેવી સ્થિતિ ઉભી થઈ શકે છે.
વિજાતીય પાત્ર સાથે શારીરિક સંબંધ બાંધવાના કારણે આવી સ્થિતિ ઉભી ન થાય એ માટે પહેલાં જ એકવાર પોતાની મેળે જનનાંગની સ્થિતિ ચકાસી લેવી જોઈએ.
પુરુષ જનનાંગ (શિશ્ન)નું ફ્રેક્ચર ઃ પુરુષ જનનાંગમાં હકીકતમાં કોઈ હાડકું નથી હોતું, પણ આમ છતાં એમાં ફ્રેક્ચર થઈ શકે છે. હકીકતમાં આ જનનાંગ જ્યારે ઉત્તેજિત અવસ્થામા કોઈ સખત કે કડક વસ્તુ સાથે અથડાઈ જાય છે ત્યારે આવી પરિસ્થિતિ ઉભી થઈ જાય છે. પુરુષ જ્યારે વધારે પડતી ઉત્તેજિત અવસ્થામાં જનનાંગને યોનિમાર્ગમાં દાખલ કરવાને બદલે આસપાસના વિસ્તારના હાડકાં સાથે દબાણપૂર્વક ભટકાડી દે છે ત્યારે આ ફ્રેક્ચર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ પ્રકારની સ્થિતિને કારણે પીડા, દુઃખાવો અને બીજી અનેક સમસ્યાઓ થઈ શકે છે.
ગુદામૈથુન ઃ ગુદામૈથુન કાનૂની રીતે ગુનો હોવા છતાં કેટલાક દંપતિઓને આ રીતે શારીરિક નિકટતાનો આનંદ માણવાનું અત્યંત પસંદ હોય છે જેના કારણે પછી શારીરિક તકલીફો ઉભી થાય છે. હકીકતમાં ગુદામાર્ગની રચના કુદરતી રીતે જ શારીરિક સંબંધો બાંધવા માટે નથી થઈ અને આ કારણે જ્યારે એમાં બળપુર્વક પુરુષ જનનાંગ નાખવાનો પ્રયાસ કરવામાં આવે છે તો એની અંદરની દિવાલ અને સ્નાયુઓને ભારે ઇજા પહોંચવાની સંભાવના રહે છે. ઘણીવાર આ નુકસાન એટલું ભયંકર હોય છે કે મળમાર્ગનો મળ પેટના પોલાણમાં કે પછી યોનિમાર્ગમાં દાખલ થઈ જાય છે જેના કારણે સર્જરી કરવી પડે એવી સ્થિતિ ઉભી થઈ જાય છે.
આ પ્રકારની સમસ્યાથી બચવું હોય તો ગુદામૈથુનથી દુર રહેવું એ એકમાત્ર વિકલ્પ છે.


print share

મુરતિયો શોધવામાં રખવાયા થશો નહીં.......


બાંધછોડના બહાને વહાલસોયીને દોઝખમાં ધકેલવી નહીં


દીકરીને મોટી થતાં વાર લાગતી નથી. તરુણાવસ્થાના ઊંબરે ડગ મૂકતી દીકરી ત્યારબાદ જાણે ખૂબ ઝડપથી યૌવાનાવસ્થાએ પહેોંચી જતી હોવાની અનુભૂતિ માતા-પિતાને થતી હોય છે અને આથી જ તેઓ પોતાની વહાલસોયી માટે યોગ્ય જીવનસાથી શોધવા માટે નજર દોડાવવા લાગે છે. આજની સુશિક્ષિત અને સંસ્કારી યુવતીઓ ‘દીકરીને ગાય દોરે ત્યાં જાય’ કહેવતને અનુસરવાને બદલે પોતાના વિચારો અનુસારનો જીવનસાથી ઈચ્છતી હોય છે. તેને મન પૈસા અને દેખાવ કરતાં યુવકના વિચારો અને સંસ્કાર વઘુ મહત્ત્વના હોય છે. આ જ કારણે પોતાની લાડકવાયી માટે યોગ્ય ભરથાર શોધતાં માતાપિતાની ઉંઘ ઊડી જાય છે.
લગ્નના હેતુસર પહેલી વખત ૨૧ વર્ષની વયે ઈશિતા માવાણીની યુવક સાથે મુલાકાત ગોઠવવામાં આવી હતી. નજીકના એક સગા દ્વારા માગું આવ્યું હતું અને તેમણે જ મઘ્યસ્થી તરીકે ભૂમિકા ભજવી બંને પક્ષની મુલાકાતનું આયોજન કર્યુ ંહતું. પરંતુ યુવક એકદમ પાતળો અને લાંબો હતો જ્યારે ઇશિતા ભારતીય યુવતી જેવી સપ્રમાણ કદકાઠી ધરાવતી યુવતી હોવાથી દેખીતી રીતે જ તેમની જોડી શોભે એવી નહોતી. તેમ છતાં મુલાકાતની તમામ ઔપચારિક્તા તો બંને પક્ષે પૂરી કરવી પડી હતી.
આજે ઈશિતા ૨૫ વર્ષની થઈ ગઈ છે અને યોગ્ય જીવનસાથી મેળવવાની તેની ઝંખના હવે પ્રબળ બની છે. પરિવારમાં રહેલી ત્રણ બહેનોમાં ઈશિતા સૌેથી મોટી છે. તેની જ્ઞાતિમાં ૧૮ થી ૨૦ વર્ષની ઊંમરે મોટાભાગની યુવતીઓ પરણી જતી હોય છે અને આ દ્રષ્ટિએ જોઈએ તો ઈશિતા હવે ઘણી મોટી થઈ ગઈ છે. એટલે તેણે જીવનસાથી સંબંધિત નિર્ણય લઈ લેવો જોઈએ એવું દબાણ પણ કરવામાં આવે છે.
જો કે અંગત રીતે યોેગ્ય જીવનસાથી માટે હજુ થોડાં વર્ષો રાહ જોવામાં ઇશિતાને કોઈ વાંધો નથી. તેણે પોતાના પ્રિન્ટીંગનો વ્યવસાય શરૂ કર્યો છે. ઈશિતા પોતાના વ્યવસાયમાં વ્યસ્ત હોય છે છતાં લગ્ન સંબંધિત મુલાકાતો માટે સમય કાઢે છે. તેના વડીલો સતત ‘આ જવાબદારી ક્યારે ઉતરશે’ તેની ચિંતામાં ડુબેલા હોય છે.
ઈશિતા જે મૂંઝવણ અનુભવે છે તે આજની મોટાભાગની શિક્ષિત અને પગભર યુવતીઓ અનુભવે છે. સ્વતંત્ર વિચારસરણી ધરાવતી અને હરવા ફરવાની શોખીન યુવતીઓની તમામ ઈચ્છા તેમના માતા-પિતા પૂરી કરે છે. પરંતુ પુત્રવઘૂ તરીકે તો તેમની પાસેથી માત્ર સેવા અને ત્યાગની જ અપેક્ષા રાખવામાં આવે છે. ત્યારે તેમના સ્વતંત્ર વ્યક્તિત્ત્વનો છેદ ઉડાડી દેવાય છે.
આજના ઘણા યુવકો જીવનસંગિની નહિ પરંતુ પોતાના માતાપિતાને સાચવે અને તેમની તમામ ઈચ્છા પૂરી કરે તેવી પૂત્રવઘૂ ઝંખતા હોય છે. તેમને પત્ની નહિ પણ સુપરવુમન જોઈતી હોય છે જે ઘરની જવાબદારીઓ ઉપાડવા સાથે આઘુનિક અર્ધાંગિની બની પોતાની તમામ ઈચ્છા પણ સંતોષે.
જ્ઞાતિમાં જ લગ્ન કરવા ઈચ્છતી યુવતીઓ સગાઓ દ્વારા દેખાડવામાં આવતાં યુવકને મળે છે. પોતાનો બાયોડેટા જ્ઞાતિના સામયિકમાં છપાવે છે તથા જાહેરખબર પણ આપે છે. લગ્નસંબંધિત સૌથી પહેલી મુલાકાત યુવતીના ઘરે ગોેઠવવામાં આવે છે. બીજી મુલાકાત રેસ્ટોરાંમાં ગોઠવાય છે અને યુવક-યુવતી એકમેકને પસંદ કરે તો ત્રીજી મુલાકાત યુવકના ઘરે ગોઠવવામાં આવે છે. જેથી યુવતી યુવકનું ઘર પણ જોઈ શકે.
પહેલી મુલાકાત વખતે જ યુવક-યુવતીમાંથી એક કે બંનેને પસંદ ન આવે તો તેઓ તરત જ જણાવતાં નથી. પરંતુ ‘બાદમાં ફોન કરીશું’ એવો જવાબ આપે છે. જો વિચારોમાં મેળ ન લાગતો હોવાના કારણસર યુવતી ના પાડે તો તેના વિશે જ્ઞાતિમાં જાતજાતની વાતો થવા લાગે છે. વળી યુવક-યુવતી બંને એકમેકને પસંદ કરે તો ક્યારેક જન્માક્ષર ‘વિલન’ બને છે. અથવા તો યુવક કે યુવતીનો મોટો પરિવાર પણ સંબંધમાં અવરોધક બને છે.
આ ઉપરાંત ભારતીય યુવક પોતે ભલે શ્યામ દેખાતો હોય છતાં પત્ની તો ગોરી જ હોવી જોેઈએ એવો આગ્રહ રાખે છે. આ કારણસર પણ ક્યારેક યુવતીનો શ્યામવર્ણ સંબંધમાં આડખીલીરૂપ બને છે.
સામાન્ય રીતે દીકરી ૧૮-૨૦ વર્ષની થતાં સુધીમાં તેના માટે યોગ્ય જીવનસાથી શોધવાની માતા-પિતાની કવાયત શરૂ થઈ જાય છે અને જો તે ૨૪-૨૫ વર્ષની થતાં સુધીમાં ક્યાંય મેળ બેસે નહીં તો ઘરનાંઓના ખાસ કરીને વડીલોેના જીવ અઘ્ધર થઈ જાય છે. તેઓ દીકરીને વળાવવા માટે અધીરા બની જાય છે. અને યુવતી પણ ચિંતીત બની જાય છે. આવા સમયે વડીલો તથા અન્ય સગા-સંબંધીઓ યુવતીને થોડી બાંધછોડ કરવાની સલાહ આપતાં હોય છે. પણ અહીં પ્રશ્ન એ છે કે બાંધછોડ ક્યાં કરવી? આજની મઘ્યમવર્ગની યુવતી એટલી સમજ તો ધરાવે છે કે તેને આમિર ખાન કે સલમાન ખાન જેવો દેખાવડો યુવક તો નહિ જ મળે. પણ શું તે સામાન્ય દેખાવની અપેક્ષા
પણ ન રાખે? તે જાણે છે કે ગાડી-બંગલાવાળો શ્રીમંત કુટુંબનો નબીરો તેને પસંદ નહીં કરે પણ યુવકનું પોતાનું નાનકડું ઘર હોવું જોેઈએ તેવી અપેક્ષા પણ ન રાખે?
પ્રત્યેક યુવતી ઘરનું ઘર અને સ્થિર આવક ધરાવતાં યુવકને જીવનસાથી તરીકે પસંદ કરવા ઈચ્છતી હોય છે અને તેમની આ ઈચ્છા ખોટી નથી. આજના મોેંઘવારીના જમાનામા ંસ્થિર આવક હોવી અત્યંત જરૂરી છે અને તેમાં બાંધછોડ કરવી અશક્ય છે. વળી આજે સમાજમાં બનતાં દહેજ મૃત્યુ કે આત્મહત્યાના બનાવોેને કારણે અજાણી જ્ઞાતિમાં સંબંધ બાંધતા ડર લાગવો પણ સહજ છે. આથી માતા-પિતાએ આવી સ્થિતિમાં દીકરીને સાથ આપવો જરૂરી છે. નવ મહિના કૂખમાં રાખીને જન્મ દેનારી માતા તથા લાડકોડથી દીકરીને ઉછેરનાર પિતાએ આવા સંજોગોમાં ધીરજ ખોવી જોઈએ નહીં. આ તમારી વ્હાલસોયીના જીવનનો સવાલ છે. એટલે થોડો વઘુ સમય રાહ જોઈ યોગ્ય યુવકના હાથમાં જ દીકરીનું જીવન સોંપવું. આમાં ઉતાવળ કરવી નહીં.

અતીન્દ્રિય શક્તિનું વૈજ્ઞાનિક રૂપ ટેલિપથી.........



અમે ભણતા ત્યારે એકવાર અમારા વર્ગ શિક્ષકે ‘ટેલીપથી’ની વાત કરેલી ત્યારે અમારા મનમાં તેનું ભારે કૂતુહલ જાગેલું એ સમયે આટલું સાહિત્ય ઉપલબ્ધ નહોતું, પણ ટેલીપથી જેવી ગૂઢવિદ્યા જાણવાની મારા મનમાં એક ઉંડી ઉત્સુકતા એક પ્રબળ જિજ્ઞાસા જાગેલી.
અભ્યાસ પૂરો થયા પછી સમયના ઘણા વહેણો બદલી ગયા. એની કથા અહીં અસ્થાને છે. પણ અતીન્દ્રિશક્તિઓ અને ગૂઢ વિદ્યાની જિજ્ઞાસાથી પ્રેરાઈને મેં જ્ઞાનદીક્ષા લીધી અને કાશીના નાગાબાવા અખાડાના મહંત પૂ. શ્રી ઉત્તમગિરિ લાલગિરિના સાનિઘ્યમાં અખાડામાં રહી મને ગૂઢ વિદ્યા, મંત્રોપાસના, તંત્રવિદ્યા, આયુર્વેદ, જ્યોતિષ વગેરે વિષયોનું અઘ્યયન કરવાનું સદ્ભાગ્ય મળ્યું અને એ પછી ઉત્તરકાશી (હિમાલય)માં પૂ. પાદશ્રી સ્વામી આત્માનંદ અવઘૂતના સાનિઘ્યમાં ત્રણેક વર્ષ રહ્યો ત્યારે કેટલાક અનુભવો થયા, ત્યારનો આ એક પ્રસંગ છે.
અમારા આશ્રમમાં દર (ધન-ત્રયોદશ)ના પવિત્ર દિવેસે ભગવાન ધન્વતરીનો યજ્ઞ કરવામાં આવતો તે વેળા, નવા ઔષધો તૈયાર કરવા, નવા નવા કલ્પ અને યોગો વિશે જાણવું, સંશોધન કરવું, ત્યાંની ગરીબ પ્રજાને ઉપયોગી ઔષધો આપવા વગેરે કાર્યક્રમ રહેતો.
એ વર્ષે ગુરુજીએ એક નવો જ આયુષ્યવર્ધક યોગ ‘સિદ્ધ રસાયણ કલ્પ’ બનાવવાનું નક્કી કર્યું. બધી ઔષધી એકત્ર કરવામાં આવી. પરંતુ અમારી પાસે સુવર્ણ ભસ્મ બનાવવા માટે સુવર્ણ નહોતું એટલે તે લેવા માટે ગુરુજીએ ઋષિકેશમાં બિરાજતા સ્વામી શિવાનંદજી પાસે એક શિષ્ય ત્યનારાયણ નંદજીને મોકલ્યા સત્યનારાયણનંદ આયુર્વેદનો ઉંડો અભ્યાસી હતો. એથી ઔષધીઓને લગતું કામકાજ તે સંભાળતો એ ઋષિકેષ ગયો, પાછળથી અમને એક ઔષધની તત્કાળ જરૂર પડી. જો સમયસર તે પાછો ન આવે તો, અમારો નવો તૈયાર થતો યોગ પૂરો થઈ શકે એમ ન હતો મોડું થાય, એ લાંબો સમય રાખી શકાય એમ નહોતું. સત્યનારાયણનંદનો સ્વભાવ હું જાણતો કે, તે ઋષિકેશ બે દિવસ માટે ગયો છે પણ અઠવાડીયું રોકાઈ જશે. એથી મેં ગુરુજીને વાત કરી. થોડીવાર તે કંઈ બોલ્યા નહીં. પછી કહ્યું, ‘સારું, એને તત્કાળ બોલાવી લઊં છું.’
આ પછી ત્રીજે જ દિવસે સત્યનારાયણનંદ પાછો આવ્યો મને આશ્ચર્ય થયુંઃ આટલો ઝડપથી એને સંદેશો શી રીતે મળી ગયો? બીજે દિવસે સવારના યજ્ઞ-યોગ અને ઘ્યાન વિધિ પૂરી થયા પછી ગુરુજીને મેં પૂછ્યું. ત્યારે ગુરુદેવે કહ્યું કે એમણે દૂર બેઠા મનોસંપ્રેક્ષણ વિદ્યા (ટેલીપથી)થી સત્યનારાયણનંદને પાછા આવવાની પ્રેરણા કરી હતી. આ પછી બીજાં કેટલાંક ઉદાહરણો ગુરુદેવના છે. તંદુપરાંત પૂ. પરમહંસ યોગાનંદજીએ લખેલા ‘ઓટોબાયોગ્રાફી ઑફ એ યોગી’માં પોતાના ગુરુશ્રી મુક્તેશ્વ્વર ગિરીના પ્રસંગો આપ્યા છે. એ અંગેનું અઘ્યયન કરતાં એક વાત સ્પષ્ટ જણાય છે કે, તેને વૈજ્ઞાનિક ભાષામાં કહ્યું તો દરેક વ્યક્તિના માનસરેડીઓની પોતાની ફ્રિકવન્સી અને વેવલેન્થ હોય છે. પરંતુ દરેક વ્યક્તિ સામી વ્યક્તિના રેડીઓની ફ્રિકવન્સી અને વેવલેન્થ સાથે જોડી શકતી નથી. જે વ્યક્તિ આ બન્નેનું સંયોજન કરી શકે છે તે સામા માણસના વિચાર આંદોલનને પકડી શકે છે, વિચારોને જાણી શકે છે. એવી જ રીતે પોતાના વિચારોનું સામી વ્યક્તિના માનસ રેડીઓના રિસીંવીંગ-સેન્ટરમાં આરોપણ કરી શકે છે. આ વિશે જરા વિગત જોઈએ અને ‘ટેલીપથી’નું આજના વૈજ્ઞાનિકો કઈ રીતે અર્થઘટન કરે છે તે જાણવું રસપ્રદ થઈ પડશે.
અંગ્રેજીમાં ‘ટેલી’ એટલે દૂર અને ‘થેરપી’ એટલે સાજા કરવાની પદ્ધતિ. બીજા શબ્દોમાં, યોગસૂત્ર જેને ‘મનોસંપ્રેક્ષણ’ કહે છે તે આ ટેલીપેથી. આ પદ્ધતિ ગૂઢ શક્તિનું પ્રમાણભૂત ઉદાહરણ છે. અતીન્દ્રિય શક્તિઓના કેટલાક માઘ્યમો છે. એક ભાગરૂપ જ આ ટેલીથેરપી છે, એમ આઘુનિક વૈજ્ઞાનિકો સ્વીકારે છે. આ વિશે જાણીતા વિદ્ધાન, વૈજ્ઞાનિકો ડૉ. ભટ્ટાચાર્યે ઘણું ઊંડું સંશોધન કરીને ‘ટેલીથેરપી’ની વૈજ્ઞાનિકતા સિઘ્ધ કરી બતાવી છે અને તેના મૂળ સ્ત્રોત ઉપનિષદમાંથી શોધી કાઢ્યા છે.
ટેલીથેરાપી ટ્રીટમેન્ટથી તે વ્યક્તિના ઓરા-તેજવલયમાં ધીરે ધીરે પરિવર્તન થવા માંડે છે. સૂર્યનો પ્રકાશ જેમ તેની પરિઘિમાં આવતા દરેક પદાર્થ અને વસ્તુઓને આવરી લે છે અને પોતાનો પ્રભાવ બતાવે છે એ જ રીતે ટેલીપથીની સારવાર પોતાની પરિધમાં આવનારને એનામાં રહેલી ઉણપને પૂરી કરે છે. આમ તે વ્યક્તિના ઓરા તેના મૂળભૂત રંગોમાં પ્રસ્થાપિત થતાં તે રોગમુક્ત બને છે. આમ શારીરિક માનસિક આર્થિક કે પારિવારિક પ્રતિકૂળ સંજોગોને અનુકૂળ બનાવે છે.
દરેક વસ્તુને નામ અને રૂપ હોય છે. મનુષ્ય દેહ પણ વિવિધ નામ-રૂપનું છે. જેમ, ઇન્દ્રધનુષના સાત રંગો છે, જુદા જુદા રંગોની પોતાની પ્રભા છે, એમાં વૈજ્ઞાનિક ગુણધર્મો છે. તેવી જ રીતે આ દેહની સંરચનામાં પણ સાત ધાતુઓ, સાત ચક્રો, સપ્તરંગો પંચ તત્ત્વો સપ્તગ્રહો મહત્વનો ભાગ ભજવે છે. બીજા શબ્દોમાં કહું તો શરીરના સપ્ત તત્ત્વો, સપ્ત રંગો, સપ્ત ગ્રહો, આ બધાના પારસ્પરિક સંબંધો, જ્ઞાનેન્દ્રિય સાથેનો સંબંધો, એન્ડોકટ્રાઈન ગ્લેન્ડઝ સાથેના સંબંધો એક ઘનિષ્ટ સાંકળથી સંકળાયેલા છે.
વાસ્તવમાં આપણુ આ શરીર આ બધા અણુઓનો એક સમૂહ છે પ્રત્યેક અણુઓ સાત રંગના ઘનિષ્ઠ બંધારણનું સંયોજન છે. એમાંથી રંગીન કિરણો સ્ફુરીત થાય છે. આ કિરણો એક આવરણ રૂપે છે. એ પહેલાં ઇથરનો ઓરા હોય છે. ત્યાર પછી આ રંગીન પટલ. આ રંગીન પટલમાં મેઘ ધનુષ સમા સાત રંગો રહેલા છે. જે ક્ષણે પુરુષબીજ અને સ્ત્રીબીજનું સંયોજન થાય છે તે સમયે ત્રણે જે અક્ષાંશ-રેખાંશ પર હોય છે, તે કોમ (એંગલ)થી તેના કિરણોને ધનિષ્ઠતા આ ‘સંયોજન’ પર હોય છે. એટલે જ તો કોઈ પણ બે વ્યક્તિ કે પ્રાણીના કદ, રૂપ, રંગ એક સરખા હોતા નથી. જે વ્યક્તિ જન્મે છે તે આ પરિસ્થિતિ પર આધારિત હોય છે. તેના તેજવલય ઓરામાં ચોક્કસ પ્રમાણમાં અમુક પ્રમાણસર રંગો હોય છે. વધતી વય અને સંસાર વહેવારને કારણે શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક અને વૈચારિક પરિસ્થિતિમાં ફેર પડે છે અને મનુષ્ય સંજોગોનો શિકાર બને છે.
આવી પરિસ્થિતિમાં, આ ફેરફારને એના મૂળભૂત પ્રમાણમાં પાછા લાવી શકાય તો તે એમાંથી મુક્ત થઈ શકે છે. અને આ કાર્ય ટેલીપથીના માઘ્યમથી કરી શકાય છે. સમય જે રંગની અપૂર્ણતા છે. ખામી છે. તે આનાથી પૂરક બને છે. ટેલીથેરપીની સારવાર કરતાં પહેલાં એ વ્યક્તિમાં કયા રંગનો અભાવ છે, (જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ કયો ગ્રહ નિર્બળ છે.) તે ટેલીથેરપીથી જાણી શકાય છે અને એ રીતે તે રંગની ‘ડેફીસિયન્સી’ને પૂરી કરવામાં આવે છે.
આ ‘કલર ડેફિસીયન્સી’ કેટલા પ્રમાણમાં છે તે ડાઉઝીંગથી જાણી શકાય. જે વ્યક્તિને સારવાર આપવાની હોય, તેની છબી (ફોટોગ્રાફ) પર ‘ડાઉઝીંગ’ કરતાં તેના પર જુદા જુદા રંગોનો પ્રભાવ જણાઈ આવે છે. એટલું જ નહિ, તે વ્યક્તિને સ્પર્શતા શારીરિક, માનસિક, આર્થિક કે પારીવારીક બધા જ પાસા વિશે જાણકારી મેળવી શકાય છે.
દરેક વ્યક્તિનું ચિત્ર-ફોટો એ વ્યક્તિનું એક પ્રતીક છે. કોસ્મિક રેંજ એ ‘એમ્ની સાયન્સ’ છે, ઓમ્ની પ્રેઝન્ટ છે. જેવો ફોટો આ કોસ્મિક કિરણના આવરણમાં આવે કે, તરત જ વિચારની ગતિથી તે વ્યક્તિ, વિશ્વ્વના કોઈ પણ ભાગમાં હશે ત્યાં તેની ઓરાને કોસ્મિક કલરના મહાસાગરમાંથી, તેના પૂરક રંગના કિરણો દ્વારા એ ઉણપને પૂરી કરે છે.
ઓફસફોર્ડમાં આવેલી ડેલાવર લેબોરેટરીમાં આ વિશે વૈજ્ઞાનિક સંશોધન કરવામાં આવ્યું છે. અને ઈ.સી.જી. જેવું એક યંત્ર પણ બનાવવામાં આવ્યું છે. આ યંત્ર અને તેના પરીક્ષણ માટે વૈજ્ઞાનિકોની એક ટુકડીને એમણે ન્યુયોર્ક મોકલી એક દર્દીની સારવારનો સમય નિશ્ચિત કર્યો. અહીં લેબોરેટરીમાં ડૉ. ડેલાવરે ફોટાવાળી વ્યક્તિને સાયકોપ્લૉટ યંત્રની નિરીક્ષણ હેઠળ મૂકવામાં આવ્યો અને ન્યૂ યોર્કમાં જે સમયે એ ફોટાને વેવલેન્થ આપવામાં આવી રહી હતી, એ જ વખતે દર્દીના સ્પંદનોની નોંધ લેવામાં આવી. આમ ફોટો અને તે વ્યક્તિ બન્નેની એક જ વેવલેન્થ તથા ઓસીલીએશ એકસરખા હોવાનું સાબિત કર્યું.
થોડા વખત પર જ, ટેલિપથી, ટેલીકેનીસીસ અને એટ્રેકશન રિપલઝનના પ્રયોગ કરતા, એક મહાનુભાવને મળવાનું થયું. ઘણા ઉંડા અભ્યાસથી તે દિશામાં કિશોરભાઈ શાહે સંશોધન કરી કેટલાંક આશ્ચર્યજનક પરિણામો મેળવ્યા છે.
આજથી ચારેક વર્ષ પૂર્વેની વાત છે. અમદાવાદમાં એક સંયુક્ત કુટુંબ રહે છે મા-બાપ, ભાઈઓ અને કાકાઓ એમાના એક ભાઇ, જેને આપણે સુરેશભાઈ તરીકે ઓળખીશું.
આ સુરેશભાઈ અવારનવાર પોતાના ધંધાર્થે મુંબઈ આવે અહીંના રોકાણ દરમિયાન તે એક યુવતીના પરિચયમાં આવ્યા.
સુરેશભાઈનો આ પરિચય ધીરેધીરે રંગ પકડતો ‘પ્રણય’ સુધી પહોંચ્યો. સુરેશભાઈ પેલી યુવતીના આકર્ષણમાં એટલા જકડાઈ ગયા કે, પેલી યુવતી સુરેશભાઈને પોતાનું કુટુંબ છોડીને પોતાની સાથે મુંબઈમાં રહેવા દબાણ કરવા લાગી. એથી સુરેશભાઈની મુંઝવણ વધી ગઈ. બીજી તરફ કુટુંબ પણ સુરેશભાઈના વર્તાવથી ચિંતિત બન્યું.
આ કિસ્સો કિશોરભાઈ પાસે આવતાં, તેમણે ટેલીથેરપી ઉપર સારવાર શરૂ કરી બન્નેના ઓરામાં જે ડેફિસીયન્સી સર્જાઈ હતી તે પુરી કરવાનો નિર્ણય કર્યો. આ ઉપરાંત એક બીજી પદ્ધતિ અપનાવવામાં આવી જેમાં બન્નેના ફોટા એટ્રેકશન રિપલઝન પર મૂક્યા આમ ત્રણેક મહિનાની સારવારને અંતે પરિણામ ધાર્યા પ્રમાણે જ આવ્યું.
એક બીજો કિસ્સો માયગ્રેનનો છે. એક વેપારી ભાઈને રોજ માથાનો દુઃખાવો રહ્યા કરે. ઘણી દવાઓ કરી, ડૉક્ટરો પાસે ચીકિત્સાઓ કરાવી. પણ કશો ફેર ન પડ્યો આ ભાઈનો કેસ કિશોરભાઈએ હાથમાં લીધો અને ચારેક મહિનાની ટેલીથેરપી સારવાર પછી સમૂળગો મટી ગયો.
૧૯૮૨ની આ ઘટના છે.
એક દિવસ અચાનક એક બહેન મળવા આવ્યા. દેખાવ પરથી સાધન-સંપન્ન અને શિક્ષિત જણાતા હતા.
સાથે બે બાળકો હતા. પતિ સાથે કોઈ બાબતમાં મનભેદ થતાં વાતે ઉગ્ર સ્વરૂપ પકડ્યું. છૂટાછેડા લેવા સુધી વાત પહોંચી ગઈ આ સ્થિતિથી મુંઝાઈને તે બહેન માર્ગદર્શન ઉપાયની આશા લઈને આવેલા.
કિશોરભાઈએ એમની પૂરી હકીકત જાણી પછી પતિ-પત્નીના ફોટા પરથી થેરીપી શરૂ કરી. જેથી એમના ઓરાઓમાં જે રંગની ડેફસીઅન્સી સર્જાઈ હતી, તે પૂરી થઈ જાય.
ટેલીથેરાપી સારવાર આપ્યા પછી બન્નેના ફોટાઓને એટ્રેકશન રિપલઝન પર મૂક્યા ધીરે ધીરે ઘર્ષણ ઓછું થવા લાગ્યું. ઉપરાંત એમના પતિ પર ટેલીકેનીસીસનો પ્રયોગ કર્યો, અને બહેનને ‘પોઝીટીવ થિંકીંગ’ પર મૂક્યાં. આમ બન્ને વચ્ચે પ્રવર્તતું ઘર્ષણ શમી ગયું, જે ક્ષતિઓ હતી તે પૂરક બની અને ઘર ભાંગતું બચી ગયું.
આ રીતે પતિ-પત્નીના મન દુઃખ, કલહ-ઘર્ષણ, પરિવારના ઝઘડાઓ, યુવાન છોકરા-છોકરીઓના પ્રણય કિસ્સાઓ વ્યાપાર ભાગીદારીના અણબનાવો, ધંધાકીય સફળતા-નિષ્ફળતા, માંદગી, વિચાર અને પ્રકૃતિની વિષમતા આત્મવિશ્વ્વાસનો અભાવ, માનસિક કે શારીરિક નિર્બળતા જેવી વિવિધ સમસ્યાઓને વિવિધ પ્રયોગો, ઉપચારો અને સંશોધનો દ્વારા કિશોરભાઈ શાહ નિવારણ કરે છે. તેઓ મેગ્નેટ થેરાપી, એક્યુપ્રેસરના ઉંડા અભ્યાસી અને મર્મજ્ઞ છે એટલું જ નહિ, આ દિશામાં વૈજ્ઞાનિક ઢબે એમણે કેટલુંક સંશોધન પણ કર્યું છે. જેનો બહુ સારા એવા પરિણામો જોવા મળ્યા છે.
ટેલી-કેનીસીસ
ટેલી-કેનીસીસ એટલે દૂર રહી અદ્રશ્ય રીતે વ્યક્તિના વિચારોમાં પરિવર્તન લાવવાની પદ્ધતિ (છહ છમૈનૈાઅર્ ા ૈહકનેીહબી ારી ાર્રેયરાજર્ કર્ ારીિ) એવો ઓક્સફર્ડ ડીકશનેરીમાં અર્થ આપ્યો છે.
આજના ઇલોકટ્રોનિક યુગમાં રીમોટ કંટ્રોલથી અવકાશયાન વગેરેને નિયંત્રિત કરવામાં આવે છે અને હવે ઘેર ઘેર ટેલિવિઝન સેટ પણ રિમોટ કન્ટ્રોલથી સંચાલિત - નિયંત્રિત કરવામાં આવે છે. ત્યારે આ ટેલી કેનીસીસ માનવ સર્જિક રિમોટ કન્ટ્રોલ છે. જે મનોબળથી પ્રાપ્ત કરી શકાય છે.
જમીલ સાઈકીક
અમેરિકામાં જમીલ સાઈકીક નામનો વિજ્ઞાની દૂર બેઠા ટેલી. કેનીસીના ’ઉરૈસસૈનીગ’ વિચાર-પ્રવાહનો મારો ચલાવીને પોતાનું ધાર્યું કાર્ય પાર પાડે છે અને અમેરિકામાં એની આ પદ્ધતિ અત્યંત લોકપ્રિય બની છે.
આઈ. સી.
દરેક વ્યક્તિના મગજમાં અસંખ્ય જ્ઞાનતંતુઓ રહેલા છે અને લાખ જેટલી આઈ. સી. (ૈંહાીયિચાીિગ બૈબેૈાિજ) છે. આઈ. સી. ઇલેક્ટ્રોનિકના આ યુગમાં ટીવી થ્રી ઈન વન, રેડિયો વગેરેમાં વપરાય છે. આ લાખ જેટલી આઈ. સી.માંથી સામાન્ય માણસ ખૂબજ જૂજ આઈ.સી.ઓનો ઉપયોગ કરે છે. સંશોધન કરનારા, ડૉક્ટરો, વૈજ્ઞાનિકોની આઈ.ક્યૂ.ટેસ્ટ ઘણી ઉંચી હોય તેઓ થોડી વઘુ આઈ. સી.ઓનો ઉપયોગ કરે છે.