જીવધારીઓને ઈન્દ્રીયોંની સંખ્યાના આધારે વર્ગીકૃત કરવામાં આવી છે. જેમની ઈન્દ્રીયોં જેટલી ઓછી વિકસિત છે, તેમને શરીર ત્યાગવામાં એટલું જ ઓછું કષ્ટ થાય છે. માટે જ એક ઈન્દ્રીય જીવો જેવા કે વનસ્પતિ,કંદ,ફૂલ-ફળ વગેરેને જ જૈન ધર્મીઓ ગ્રહણ કરે છે. જૈન ધર્મમાં આચાર-વિચારનું ઘણું ધ્યાન રાખવામાં આવે છે.
જૈન ધર્મનો સાર એ છે કે મનુષ્યે સદૈવ સત્કર્મ કરવું જોઈએ. જીવનની દરેક ક્ષણ આત્મજ્ઞાન (કૈવલ્ય)ની પ્રાપ્તિમાં લગાવવી જોઈએ. સત્ય, પ્રેમ, અહિંસા, દયા,કરુણા, પરોપકાર અને સેવા જેવા ઉચ્ચ સાત્વિક ગુણોને જીવનમાં અવશ્યપણે અપનાવવા જોઈએ. ભોગ-વિલાસથી દૂર રહીને પ્રત્યેક કર્મ પવિત્ર અને સાત્વિક જ કરવું જોઈએ. નૈતિક જીવન અપનાવીને જ મનુષ્ય આ માયા (જન્મ-મરણનું ચક્ર)ના બંધનથી મુક્ત થઈ શકે છે.
જૈન ધર્મની મુખ્ય માન્યતાઓ અને સિદ્ધાંત: જૈન ધર્મના ધાર્મિક ઉપદેશ મૂલત: નૈતિક મૂલ્યો પર આધારિત છે. આ ઉપદેશોમાં મોટા ભાગે પાશ્વનાથ અને મહાવીરની શિક્ષાઓ છે. પાશ્વનાથજી પ્રમાણે, ચાર મહાવ્રતો છે-(1) અહિંસા (2) સત્ય (3) અસ્તેય (4) અપરિગ્રહ.
ચોવીસમા તીર્થંકર વર્ધમાન મહાવીરે આ ચાર મહાવ્રતોમાં બ્રહ્મચર્યને પણ જોડયું છે. આમ જૈન ધર્મના પાંચ મહાવ્રતો થયા છે. જૈન ધર્મમાં ભિક્ષુઓ માટે આ પાંચ મહાવ્રતોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે. અહિંસા વાસ્તવમાં જૈન ધર્મનો મૂળ આધાર છે. મન,વચન અને કર્મથી કોઈને પણ દુ:ખ કે કષ્ટ ન પહોંચાડવી અહિંસા છે.
જીવધારીઓને ઈન્દ્રીયોંની સંખ્યાના આધારે વર્ગીકૃત કરવામાં આવી છે. જેમની ઈન્દ્રીયોં જેટલી ઓછી વિકસિત છે, તેમને શરીર ત્યાગવામાં એટલું જ ઓછું કષ્ટ થાય છે. માટે જ એક ઈન્દ્રીય જીવો જેવા કે વનસ્પતિ,કંદ,ફૂલ-ફળ વગેરેને જ જૈન ધર્મીઓ ગ્રહણ કરે છે. જૈન ધર્મમાં આચાર-વિચારનું ઘણું ધ્યાન રાખવામાં આવે છે. નાનામાં નાના વ્યવહાર માટે પણ ધાર્મિક અને નૈતિક નિયમોનું વિધાન કરાયું છે.
જૈન ધર્મની માન્યતાઓ: જૈન ધર્મની માન્યતાઓ પ્રમાણે, વિશ્વ સદૈવથી છે, સદૈવ રહ્યું છે અનમે સદૈવ બનેલું રહેશે. જૈન ધર્મ પ્રમાણે, આ વિશ્વ બે અંતિમો, સનાતન અને સ્વતંત્ર પદાર્થોમાં વિભક્ત છે. તે છે- (1) જીવ (2) અજીવ. આ પદાર્થોમાં એખ જડ છે અને એક ચેતન છે. જૈન ધર્મમાં અજીવના પાંચ પ્રકારો ગણાવ્યા છે. જે આ પ્રકારે છે-(1) પુદ્રલ (પ્રકૃતિ) (2) ધર્મ (ગતિ) (3) અધર્મ (અગતિ અથવા લય) (4) આકાશ (દેશ) (5) કાળ (સમય). જૈન ધર્મની માન્યતાઓ અનુસાર સંપૂર્ણ જીવધારી આત્મા અને પ્રકૃતિના સૂક્ષ્મ મિશ્રણથી બને છે. તેમની વચ્ચે સંબંધ જોડવાની કડી છે, કર્મ.
કર્મનો સિદ્ધાંત: કર્મના આઠ પ્રકાર અને અગણિત ઉપપ્રકાર છે. કર્મના ફળથી જોડાયેલા હોવાને કારણે આત્માને અનેક શરીર ધારણ કરવા પડે છે અને તેના કારણે આત્મા જન્મ-મરણના બંધનમાં ફસાય છે. જૈન ધર્મમાં પાશ્વનાથના ઉપદેશોને ચાતુર્યામ સમ્વર-સંવાદ કહે છે. આ ચાતુર્યામ સંવાદ હતા. (1) હિંસાનો ત્યાગ (2) અસત્યનો ત્યાગ (3) સ્તેયનો ત્યાગ (4) પરિગ્રહનો ત્યાગ. મહત્વપૂર્ણ વાત એ છે કે પાશ્વનાથના પહેલા અહિંસા કેવળ તપસ્વીઓના આચરણમાં જ સામેલ હતી. પરંતુ પાશ્વનાથ મુનિએ અહિંસાને સત્ય, અસ્તેય અને અપરિગ્રહ સાથે જોડીને તમામ માટે વ્યવહારિક બનાવી દીધી છે.
Sunday, January 30, 2011
આ શીખવાડે છે, જૈન ધર્મ.........
જો શ્રેષ્ઠ સંતાન પ્રાપ્ત કરવું હોય તો.........
જે રીતે વિવાહ, સગાઇ, અન્ય શુભ કાર્યોના મુહૂર્ત હોય છે તે જ રીતે ગર્ભધાન માટેનું પણ મુહૂર્ત હોય છે. આપણા શાસ્ત્રોમાં ઓજસ્વી સંતાન પ્રાપ્ત કરવાના હેતુ માટે કેટલાક સફળ મુહૂર્ત બતાવવામાં આવ્યા છે. શાસ્ત્રોમાં તે પણ વર્ણન છે કે ફક્ત એક કે બે સંતાન જ ઉત્પન્ન કરવા. બાકીનું જીવન ગૃહસ્થ રહીને બ્રહ્મચર્યનું પાલન કરવામાં વ્યતિત કરવું. આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ આપણા ધર્મ ગ્રંથોમાં છે .જ્યારે એક કે બે સંતાનો મેળવવા હોય ત્યારે શું કામ તે શ્રેષ્ઠ ન હોય! આ માટે શાસ્ત્રોએ ગર્ભધાનના મુહૂર્ત બતાવ્યા છે. તેના પાલનથી ચોક્કસ શ્રેષ્ઠ સંતાન પ્રાપ્ત થશે.
- સ્ત્રીના માસિક ધર્મની ચાર રાત્રિ બાદ સમ રાત્રિમાં સંગમ કરો.
- જો કન્યા પ્રાપ્તિની ઇચ્છા હોય તો વિષમ રાત્રિમાં સંગમ કરો.
- આપની પત્નીને હંમેશા ડાબી તરફ સુવા દો.
- દિવસે ગર્ભાધાન કરવાથી અલ્પાયુ સંતાન પ્રાપ્ત થશે.
- સૂર્ય-ચંદ્ર ગ્રહણ; મૂળ, ભરણી, અશ્વિની, રેવતી, મધા, નક્ષત્ર; અમાસ, પૂર્ણિમા, અષ્ટમી, ચતુર્દશી જેવી તિથિના રોજ; શ્રાદ્ધના દિવસે; બપોરના સમયે; શનિવાર, મંગળવાર, બુધવાર, ગુરુવારના દિવસે ગર્ભાધાનની ક્રિયા ન કરવી.
- જે તિથિના દિવસે માતા-પિતાનું નિધન થયું હોય તે દિવસે પણ ગર્ભાધાન ક્રિયા ન કરવી.
ગુરુમંત્ર પ્રભુ પાસે લઇ જાય.....
કર્મનો મહિમા અને સુખ-દુખ......
જૂની સર્વવિદિત કહેવત છે જેસી કરની, વેસી ભરની અર્થાત્ જેવું કરો, તેવું ભરો. આ વાત ભગવાન મહાવીરે કહી છે. કોઇ સાવ સામાન્ય મહેનત કરીને પણ વધારે સફળતા મેળવી જાય છે તો કોઇ અત્યંત મહેનત કરીને પણ અસફળતા મેળવે છે. ભારતીય સંસ્કૃતિમાં આ બધું પૂર્વે કરેલા કાર્યો પર આધારિત છે. ભગવાન મહાવીરે મનુષ્ય જીવનમાં સુખ-દુખ કેમ? આ રહસ્યની શોધ કરી અને તપના બળ પર તેમને એ જ્ઞાન થયું કે આપણે પોતે જ સુખ અને દુખનું કારણ છીએ. કોઇ અન્ય આપણને સુખી કે દુખી નથી કરી શકતું. તેમ છતાં જો કોઇ આપણું ખરાબ કરે છે, તે એ વ્યક્તિના ખરાબ કર્મોમાં ગણના પામે છે. પણ તેની સફળતા આપણા ખરાબ કર્મોનું ફળ નથી......
હનુમાન પાસે શીખો ભક્તિ કરવાના...4 સૂત્રો
| |
આ ચાર સૂત્રો છે—
કર્મ, ઉપાસના, જ્ઞાન અને શરણાગતિ.
આ ચાર સૂત્રોની સાથે સાધના અને ભક્તિને લીધે જ હનુમાન અદભૂત અને ચમત્કારિક દેવતા ગણવામાં આવ્યા છે.
આ કારણે જ શ્રી હનુમાનની પૂજા-અર્ચના આધ્યાત્મિક અને વ્યવહારિક જીવનના લક્ષ્યો સુધી પહોંચવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ ભક્તિના આ ચાર માર્ગોમાંથી કોઈ એકને પસંદ કરી કોઈપણ ભક્ત પોતાના ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકે છે.
શાસ્ત્રોમાં એવું પણ સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું છે કે ભક્તિના આ ચાર રસ્તાઓ પસંદ કરવા માટે કયા પ્રકારની ક્ષમતા જરૂરી છે? જેને સાંભળીને કોઈપણ ભક્ત ભક્તિનું સુખ અને આનંદની ઊંડાઈ સુધી ડુબી શકે છે.
-જ્ઞાનમાર્ગઃ- વિદ્યા, વિચાર અને બૌદ્ધિક રીતે સક્ષમ ભક્ત માટે ભક્તિનો આ માર્ગ શ્રેષ્ઠ છે.
-ઉપાસનાઃ- ભાવનાનું સ્તરે સબળ ભક્ત માટે ઉપાસનાનો રસ્તો શ્રેષ્ઠ માનવામાં આવે છે.
-કર્મઃ- પુરુષાર્થ, પરિશ્રમના સ્તરે દ્રડ અને મજબૂત ભક્ત માટે કર્મ કે કર્મકાન્ડનો રસ્તો ભક્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
-શરણાગતિઃ- જો કોઈ ભક્ત અન્ય ત્રણ રસ્તાઓને અપનાવવામાં અસહજ, અસક્ષમ મહેસૂસ કરવા લાગે ત્યારે તો ભક્તિનો આ સર્વશ્રેષ્ઠ રસ્તો છે. જે પ્રમાણે સમર્પણ અને શરણાગત થઈ ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકાય છે.
આ ચારમાંથી ત્રણ સૂત્રોમાં સાધના મુખ્ય છે. જ્યારે ચોથા સૂત્રમાં ભગવત્કૃપા મુખ્ય છે. શ્રી હનુમાને ચારેયનો સુમેળ કરીને ભક્ત અને ભગવાનના સંબંધને પાવન-પવિત્ર અને શ્રેષ્ઠ બનાવ્યો છે. એટલે જ હનુમાનજીની પ્રસન્નતા માટે રામ અને રામની કૃપા મેળવવા માટે હનુમાન ભક્તિ ઉપર લોકજીવમાં ઊંડી આસ્થા છે.
Related Articles:
આ પાંચ દુઃખ હરી લે છે હનુમાન
શનિવારે શનિને ખુશ કરો હનુમાન પૂજાથી….
હનુમાન જ અપાવી શકે છે યશ અને લક્ષ્મીઃ-
હનુમાન ચાલીસાના ઉચ્ચારણ સાથે કરો પ્રાણાયમ
તંત્ર-મંત્ર અને ભગવાન હનુમાન
હનુમાન મંત્રથી મેળવો કાલસર્પ દોષ શાંતિ
source by :-divya bhaskar press
સુખ આગમનનો સંકેત આપે છે.....આ પ્રકારના દુઃખ !!!
શ્રીમદભાગવદમાં જે ભગવાનની કૃપા થવાની હોય તે નિર્ધન થવા લાગે છે અર્થાત ગરીબ થવા લાગે છે. પોતાના સંબંધીઓની ઉપેક્ષા મળે છે અને ઘરમાં અલગાવ પણ પેદા થવા લાગે છે. ધન કમાવા માટે કરવામાં આવેલી મહેનત બેકાર જાય છે. આ રીતે વારંવાર અસફળતાથી દુઃખી અને વિરક્ત મનોદશામાં તે વ્યક્તિ ભગવાનનું સ્મરણ કરી, ભગવાનની શરણમાં જાય છે. જેનાથી તે વાસ્તવિક સુખ અને શાંતિ મેળવે છે.
આવી સ્થિતિમાંથી પસાર થનાર વ્યક્તિ ભગવાન અને ભક્તિને કઠોર ગણી બેચેન અને અશાંત રહે છે. પરંતુ શ્રીમદ ભાગવદમાં બતાવવામાં આવેલી વાતો એ તરફ ઇશારો કરે છે કે વિપરિત અને ખરાબ સ્થિતિમાં પણ વ્યક્તિને કોઈપણ પ્રકારે હિંમ્મત હાર્યા વગર હકીકત અને ભગવાનના વિધાન અને પેદા થનાર હિત માની સ્વીકાર કરી લેવું જોઈએ. એ સુખમાં જ ભગવાનનું ધ્યાન અને સ્મરણ જરૂર કરવું જોઈએ.
12ના બદલે 13 રાશિ, તમારી રાશિ કઈ?
નવી રાશિની જન્મ કુંડળી પર કોઈ અસર નહીં પડે
તમારી રાશિ કઈ છે? આ પ્રશ્નનો જવાબ આપતા પહેલા જરા થોભો, કારણ કે પૃથ્વીનું એલાઈમેન્ટ બદલાવાને કારણે બધી રાશિઓના સમયમાં પરિવર્તન આવ્યું છે. આ ઉપરાંત 12ની જગ્યાએ 13 રાશિ થઈ ગઈ છે.
નિષ્ણાંતોનું માનવું છે કે આ બદલાવ રાતોરાત આવ્યો નથી. છેલ્લા ત્રણ હજાર વર્ષમાં અલગ-અલગ સમય માટે 12 રાશિઓ નક્કી હતી. આ સમય દરમિયાન તારાઓ પોતાની ચાલ બદલી ચુક્યા છે, તેમજ સૂર્યની સતત પરિક્રમા કરી રહેલી પૃથ્વીની સ્થિતિમાં પણ પરિવર્તન આવ્યું છે. જેના કારણે રાશિઓ લગભગ એક મહિનો આગળ ચાલી ગઈ છે.
અત્યાર સુધી આપણે સનસાઈન એટલે કે સૂર્ય રાશિ જોતાં આવ્યા છીએ, પરંતુ ચંદ્રમા તરફ ગુરુત્વાકર્ષણનું બળ વધવાને કારણે તારાઓની સ્થિતમાં પરિવર્તન આવ્યું છે. આવું થવાથી એક વધુ રાશિ બની ગઈ છે, જેનું નામ ઓફિયૂકસ રાખવામાં આવ્યું છે. આ રાશિ વૃશ્ચિક બાદ અને ધન પહેલા આવે છે.
આથી નવી પદ્ધતિ પ્રમાણે મોટા ભાગના લોકોની રાશિ બદલાઈ જશે, તેમજ દુનિયાના મોટા મોટા જ્યોતિષિઓ આના પર ચર્ચામાં લાગી ગયા છે. જાણકારોનું કહેવું છે કે નવી પદ્ધતિ પ્રમાણે ભલે વ્યક્તિઓની રાશિ બદલાઈ જાય પરંતુ જન્મ કુંડળી પર તેની કોઈ અસર નહીં પડે. જ્યોતિષાચાર્યોનું કહેવું છે કે ઓફિયૂક્સ રાશિ વાળા વ્યક્તિઓ ઈમાનદાર, બુદ્ધજીવી, ઈર્ષ્યાળુ અને સેક્સ અપીલ વાળા હશે.નવી પદ્ધતિ પ્રમાણે તમારી રાશિ કઈ હશે?
મકરઃ 20 જાન્યુઆરી થી 16 ફેબ્રુઆરી
કુંભઃ 16 ફેબ્રુઆરીથી 11મી માર્ચ
મીનઃ 11 માર્ચથી 18 એપ્રિલમેષઃ 18 એપ્રિલથી 13 મે
વૃષભઃ 13 મેથી 21 જૂન
મિથુનઃ 21 જૂનથી 20 જુલાઈ
કર્કઃ 20 જુલાઈથી 10 ઓગસ્ટ
સિંહઃ 10 ઓગસ્ટથી 16 સપ્ટેમ્બર
કન્યાઃ 16 સપ્ટેમ્બરથી 30 ઓક્ટોબર
તુલાઃ 30 ઓક્ટબરથી 23 નવેમ્બર
વૃશ્ચિકઃ 23 નવેમ્બરથી 29 નવેમ્બર
ઓફિયૂક્સઃ 29 નવેમ્બરથી 17 ડિસેમ્બર
ધનઃ 17 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી
સિદ્ધિ અને શક્તિદાતા છે...સૂર્યના આ 21 નામ..
શાસ્ત્રો પ્રમાણે સૂર્યદેવના પુત્ર શનિ અને યમ તથા પુત્રી યમુના પણ પ્રમુખ પૂજનીય દેવી-દેવતા છે. આ રીતે સંકચમોચક દેવતા શ્રીહનુમાનના ગુરુ પણ સૂર્યદેવ જ છે. આ કારણ છે કે સૂર્ય દેવની ઉપાસના શક્તિ, સિદ્ધિ, સ્વાસ્થ્ય, યશ, એશ્વર્ય અને સૌંદર્ય આપનાર માનવામાં આવે છે.
સૂર્યના સ્મરણ માટે જ શાસ્ત્રોમાં એવા 21 નામો બતાવ્યા છે, જેના ધ્યાન માત્રથી અપાર વૈભવ, આયુ, સ્વાસ્થ્ય, શક્તિ, સિદ્ધિ અને સન્માન પ્રાપ્ત થાય છે. ધાર્મિક માન્યતા છે કે સ્વયં સૂર્યદેવે આ 21 નામોને જગતકલ્યાણ માટે ઉજાગર કર્યા. આ 21 નામ સ્તવરાજના નામે પણ ઓળખાય છે. આ નામોનો જપ સૂર્યના હજાર નામો સ્મરણ કરવા સમાન છે. ધાર્મિક દ્રષ્ટિએ સૂર્યની પ્રસન્નતા અને અનુકૂળતા માટે આ 21 નામોને સવાર અને સાંજે સ્મરણ કરવાનું મહત્વ બતાવવામાં આવ્યું છે. જાણો છો આ 21 નામ—
- भास्कर - रवि - लोक साक्षी - लोक प्रकाशक - तपन - तापन- शुचि पावन - लोक चक्षु - श्रीमान- त्रिलोकेश - कर्ता- गृहेश्वर - हर्ता - ब्रह्मा
- गभस्तिहस्त (જેના કિરણરૂપી હાથ છે)
- तमिस्त्रहा (અંધારાનો નાશ કરનાર)
- सप्ताश्ववाहन (સાત ઘોડાના વાહન ઉપર બેસનાર)
- विकर्तन (સંકટને હરનાર કે નાશ કરનાર)
- विवस्वान (તેજરૂપ)
- मार्तंड (જે અંડમાં લાંબા સમય સુધી રહે)
- सर्वदेवनमस्कृत
નિષ્કામ કર્મ કરનારા પરમધામ (સ્વર્ગ) પામે છે.....
‘‘અભિક્રન્દ સ્તનય ગર્ભસા ઘા ઉદ્ન્વતા પરિદીયા રથેન, દ્રુતિં સુકર્શ વિશિંત ન્યષ્ચં સમાભવન્તૂદ્રૂતો નિપાદા:’’ અથૉત હે શક્તિશાળી પર્જન્ય (મેઘ) તમે ગડગડાટ કરતાં-કરતાં પધારો અને વરસતા રહી ઔષધિઓમાં ગર્ભ ધારણ કરો.
જળથી ભરેલા રથ ઉપર સવાર થઇને ચારે બાજુ ભ્રમણ કરો અને એવા વરસો કે ભરેલો કુંભ ઊંધો કરીને જાણે ખાલી કરી રહ્યા હોવ. જેના કારણે ઊંચાણવાળા કે નીચાણવાળા તમામ પ્રદેશ જળથી તૃપ્ત થઇ જાય. નિષ્કામ કર્મો કરવા વાળા પુરુષો પરમધામ (સ્વર્ગ) પામે છે. શક્તિ સ્વરૂપ સીતાજીને સતી અનસુયાજી અનેક દિવ્ય વસ્ત્ર તેમજ અલંકાર પ્રદાન કરીને મહત્વપૂર્ણ ઉપદેશ આપે છે.
નારીના ધર્મ (કર્મ) અંગેની રજુઆત અનસુયાજી સિવાય અન્ય કોઇ નારી ન કરી શકત. રામાયણના અરણ્યકાંડમાં દોહા ૪માં પતિવ્રતાના ચાર પ્રકાર દર્શાવાયા છે. તે મુજબ સપનામાં પણ પર પુરુષનાં દર્શન ન કરે તેવી, મધ્યમ પુરુષને પિતા અને ભાઇ, પુત્રને એક સમાન જોનારી, ધર્મ અનુસાર ભય (ડર)થી રહેનારી નારી પતિવ્રતા છે. એટલે કે પવિત્ર નારી (સ્ત્રીઓ) સંસારનું હિત (સારું) કરે છે. તેઓ ચારિત્રવાન નાગરિકોને જન્મ આપે છે.
આ 3 વાતો વિના અધૂરી છે ભક્તિ...
મહત્વની રીતે કહીએ તો ભક્તિનો મૂળ ભાવ છે ભાવનાની ચરમ સ્થિતી અને ભગવાનના અનેક સ્વરુપો પ્રતિ આપણો ઉંડો પ્રેમ, વ્યવહારિક સ્વરુપથી જોઈએ તો એવી ભક્તિ કેટલાક ખાસ લોકોના જીવનમાં જ ઉતરે છે. જેમની ઓળખ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવી છે. જાણીએ એવી ભક્તિના સંકેત આપણા જીવનમાં કેવી રીતે મળે છે.
- જ્યારે કોઈ દુખી વ્યક્તિને જોઈને મનમાં દયા અને કરુણા આવે.
- કોઈ ભૂખ્યાને જોઈને ભોજન આપવાનું મન થાય.
- કોઈ ખોટા કે ભટકેલી રાહ પર ચાલનારા વ્યક્તિનું હીત કે તેને યોગ્ય દિશામાં લાવવા માટે મદદ કે સહાયતાની ઈચ્છા.
આ રીતે નિશ્ચિક છે કે વાસ્તવિક ભક્તિ ભગવાનના મંત્ર જાપ, ભજન અને આરતી કરવી એટલું જ નથી પરંતુ સાચા ભક્તની ઓળખ પણ છે દુખી લોકોની મદદ કરવી અને સેવા કરવી પણ હોય છે.
Related Articles:
ચિત્તના શુદ્ધિકરણમાં કર્મ સહાયરૂપ બને છે
નિષ્કામ કર્મ કરનારા પરમધામ (સ્વર્ગ) પામે છે
ભાગવત- 47 કર્તા અને કર્મ વચ્ચે અંતર દર્શાવે છે ભાગવત
દરેક કર્મ વિચારીને કરવું એ ધર્મ
મહેનતથી કરેલું કર્મ લાભદાયક હોય છે
મહાભારતનો સંદેશ : કર્મ
મન, વચન અને કર્મ ત્રણેયથી અહિંસા હોવી જોઈએ
કર્મ કરતાં રહો, ફળની ક્યારેય અપેક્ષા ન રાખો
source by:- divya bhaskar press
સફળતા મેળવવી છે? તો પસંદ કરો આ રસ્તો...
આધ્યાત્મિક રીતે જોઈએ તો મનમાં જે વિચાર પેદા થાય છે તે ફરીથી મનમાં આવીને સારું કે ખરાબ પરિણામ આપે છે. આ વાત ઈર્ષા ઉપર પણ લાગુ પડે છે. જેની ખરાબ અસર વ્યક્તિની ચાલ-ચલગત ઉપર પણ પડે છે.
ધર્મ અને અધ્યાત્મિક શાસ્ત્રોમાં ઇર્ષાભાવથી બચીને સફળ બનવાના ઉપાય બતાવવામાં આવ્યા છે—
-પોતાની કુશળતા અને પરિસ્થિતિઓને યાદ રાખીને મહેનત અને પુરુષાર્થ કરવાનો ભાવ રાખો.
-હંમેશા આગળ વધવાનું જ વિચારો.
-બીજાની માટે પ્રેમ, સન્માન અને દયાનો ભાવ રાખો જેનાથી બદલીમાં પણ તમે એવો જ વ્યવહાર પ્રાપ્ત કરી શકો.
-કોઈની રહેણી-કરણી, પહેરવેશ કે ખાણીપીણીની ઈર્ષા કરવાને બદલે પોતાની ક્ષમતાઓ ઉપર ભરોસો રાખી ઉન્નતિ અને પ્રગતિ વિશે વિચારો.
..તો જ, રાજા કે પ્રજા, ભ્રષ્ટ નહી થાય!!..
26મી જાન્યુઆરીનો દિવસ ભારતના ગણતંત્ર દિન તરીકે મનાવવામાં આવે છે. સરળ શબ્દોમાં સમજીએ તો આ દિવસે આઝાદ હિન્દુસ્તાનના નાગરિકોને “જીઓ ઓર જીને દો” ભાવના સાથે પ્રજાકસત્તા અર્થાત પ્રજાને સત્તા પ્રાપ્ત થઈ હતી. એ ભાવના સાથે એવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી હતી જેનાથી દેશનો દરેક વ્યક્તિ, સમાજ, પરિવાર અને વ્યક્તિગત સ્તરે જવાબદાર અને કર્તવ્યપરાયણ બની પોતાના સ્વાભાવિક અધિકારો સાથે જીવન વિતાવી શકે.
ગણતંત્ર લાગુ થવાથી લગભાગ છ દાયકામાં હિન્દુસ્તાને દરેક ક્ષેત્રમાં વિકાસ કર્યા અને બધી જ ઉપલબ્ધીઓ પ્રાપ્ત કરી છે. પરંતુ આટલો ગૌરવશાળી ઇતિહાસ હોવા છતાં આ દેશની જનતા આજે શાસનમાં ફેલાયેલા ભ્રષ્ટ અને ખામીઓથી ભરેલી અવ્યવસ્થાથી દુઃખી જોવા મળે છે. ભ્રષ્ટ આચરણ, બેઇમાની, એનૈતિકતા શાસનતંત્રનો ભાગ બની ગઈ છે. જેની માટે એક-બીજાને જવાબદાર ઠેરવી દેવામાં આવે છે. શાસનમાં ઉચ્ચ હોદ્દાઓ ઉપર બેઠેલાઓ પણ એકબીજા ઉપર દોષારોપણ કરી પોતાનું પલ્લુ ઝાડી દે છે. આવા ભ્રષ્ટ વાતાવરણમાં એ જ પ્રશ્ન થાય છે કે, આખરે કોણ છે આ ખરાબ વ્યવસ્થા માટે જવાબદાર?
આ સમસ્યાઓ હલ કરવા આ પ્રશ્નોનો જવાબ આપે છે- ધર્મશાસ્ત્ર. ખાસ કરીને સનાતન ધર્મમાં બતાવવામાં આવેલ રાજધર્મ કર્તવ્યોને બતાવે છે. જેનું ઇમાનદારીથી પાલન જ પ્રજાનું સુખ-દુઃખ નક્કી કરે છે. આ વાતો આજની શાસન વ્યવસ્થા અને સરકાર માટે મુખ્ય સબક છે.
દુષ્ટને દંડ આપવોઃ-
શાંતિ અને તણાવ રહિત રાષ્ટ્ર અને શાસન માટે સૌથી મહત્વ છે—દંડ આપવો. ધર્મ કહે છે કે, દુષ્ટ અર્થાત ખરાબ કામો, ખરાબ આચરણ અને ખરાબ વિચારોથી બીજાને કષ્ટ અને અસુવિધા પેદા કરનાર વ્યક્તિને દંડ જરૂર આપવો જોઈએ. જેનાથી બીજાઓ સુધી દુરાચાર ન કરવાનો સંદેશો ફેલાય.
સ્વજનોની પૂજા કરવીઃ-
સ્વજન અર્થાત પરિવાર જ નહીં, સમગ્ર પ્રજાની સાથે સદભાવ અને આત્મિયતાનો વ્યવહાર. તેમની સ્વાભાવિક ખામીઓ, અસુવિધાઓને દૂર કરવાની સાથે તેના ગુણ, પ્રતિભાને નિખારવામાં શક્ય હોય ત્યાં સુધી મદદ કરવી એક રાજાનું પરમ કર્તવ્ય છે.
ન્યાયથી રાજકોષને વધારવોઃ-
કોઈ પણ રાજ્યની મજબૂત અર્થ વ્યવસ્થા તેની તાકાત હોય છે. પરંતુ રાજા માટે એ જરૂરી છે કે આ આર્થિક પ્રગતિ ન્યાય ઉપર આધારિત હોય અર્થાત ખજાનાનું ધન જનતાનું શોષણ કરીને એકઠુ ન કરવુ જોઈએ. ધન એવું હોય જે રાજ્ય અને પ્રજા માટે પ્રગતિ અને ઉન્નત્તિનું કારણ બને છે.
પક્ષપાત ન કરવોઃ-
રાજ્યમાં રહેનાર કોઈપણ વ્યક્તિની સાથે જાતિ, વર્ણ, ધર્મ કે ધનના આધારે ઊંચ-નીચનો વ્યવહાર ન થવો જોઈએ. દરેક વ્યક્તિને સમાન રીતે ખાન-પાન, રહન-સહન કે જીવન સાથે જોડાયેલી બધી સુખ-સુવિધાઓનો હક પ્રાપ્ત થાય. રાજા અને પ્રજા વચ્ચેના મીઠા સંબંધો માટે આ મુખ્ય બાબત છે.
રાષ્ટ્રનું રક્ષણ કરવું-
કોઈપણ રાજાનો સૌથી મોટો રાજધર્મ એ છે કે તે રાષ્ટ્રની બાહ્ય અને આંતરિક ખતરાઓથી રક્ષણ કરે. નહીં કે માત્ર શાસન હાથમાં આવતા જ સુખ-સુવિધાના નશામાં ડૂબીને પોતાનું જ હિત કરે.
સાર એટલો જ છે કે સિંહાસન ઉપર બેઠેલા રાજાએ રાજ્ય અને પ્રજાના સુખ માટે પોતાના પ્રાણો આપતા પણ પીછેહઠ ન કરવી જોઈએ. તેની સાથે રાજ્યમાં અન્યાય કે અન્યાય થતો ન જુવે તે જરૂરી છે. એવો સંકલ્પ જ રાજાની સાથે પ્રજાના આચરણને પણ પાવન રાખશે.
વૃષભ રાશિ ઘરાવનારાઓ માટે કેવું રહેશે વર્ષ-2011
જાણો, તમારા માટે કેવું રહેશે વર્ષ ૨૦૧૧? કરિયર, પ્રેમ
અને વ્યવસાયમાં શું ઉતાર-ચઢાવ આવશે? પારિવારિક
અને વ્યાવસાયિક સંબંધો કેવાં રહેશે? પ્રત્યેક રાશિનું
માસવાર ભવિષ્યફળ, જે તૈયાર કર્યું છે સુપ્રસિદ્ધ જયોતિષી
દાતી મહારાજે. વાસ્તુસંબંધી નાની નાની પણ અસરકારક
વાસ્તુ ટિપ્સ. તો ચાલો તૈયાર થઈ જાવ એ જાણવા માટે
કે કેવું રહેશે તમારું નવું વર્ષ-૨૦૧૧?
વૃષભ
બ.વ.ઉ.
રાશિ સ્વભાવ
આ રાશિના જાતકોને પોતાની ધૂનમાં જ મસ્ત રહેવું ગમે છે. તેઓ ખૂબ વ્યવહારકુશળ હોય છે. લોકોની આગતા-સ્વાગતા કરવામાં તેઓ આનંદ અનુભવે છે. કુટુંબીજનો સાથે હળીમળીને રહેવું ગમે છે. તીવ્ર યાદશક્તિ ધરાવે છે. તેઓ ધીમે ધીમે જીવનની બધી કળામાં પારંગત બને છે.
શુભ દિવસ-શુક્રવાર, શુભ રંગ-સફેદ, શુભ અંક-૫ પ્રેમ
આ રાશિનો અધપિતિ ગ્રહ શુક્ર છે. રોમાન્સનું પ્રતીક હોવાને લીધે આ રાશિના જાતકોની અંદર હંમેશાં પ્રેમભાવના જળવાઇ રહે. સમજી-વિચારીને જીવનસાથી પસંદ કરો. કોઇની સાથેના સંબંધમાં કડવાશ નહીં આવે. સંબંધો જાળવવામાં તમે મૂળ પ્રકૃત્તિ અનુસાર તમે સમર્પણની ભાવના રાખશો.
પરિવાર
આ વર્ષે સંતાન સુખ મળવાના યોગ છે. સામાજિક કાર્યોમાં રસ વધશે. જૂની કોઇ કાયદાકીય ગૂંચ હોય તો એ ઉકેલાય એવી શક્યતા છે. કૌટુંબિક સ્થિતિ મનવાંચ્છિત રહેશે. દાંપત્ય સુખ વધશે. કાર્યોમાં સ્વજનોનો સહકાર મળે.
સ્વાસ્થ્ય
શ્વાસ, પેટની બીમારી, બ્લડપ્રેશર વગેરેના દર્દીઓને પોતાના સ્વાસ્થ્ય અંગે સાવચેત રહેવું પડે. તબિયતને લગતી કોઇ પણ તકલીફને માથે ન મારી મૂકવી. વડીલોએ સિઝનલ બીમારીઓથી વધારે સાવચેત રહેવું. બહારની ચીજવસ્તુઓ ન ખાવી કારણ કે તેને લીધે તમને કોઇ પણ શારીરિક તકલીફ થઇ શકે છે.
વાસ્તુ ટિપ્સ
ઘરની દીવાલનો રંગ આછો લીલો કે આછો ભૂરો રાખવો.
રસોડામાં સૂર્યપ્રકાશ આવે એવી વ્યવસ્થા કરવી. તમારી તબિયત માટે સારંુ રહેશે.
આર્થિક લાભ મેળવવા માટે ઓફિસની દીવાલનો રંગ આછો પીળો કરવો.
ઘરમાં સફેદ રંગનો જ પ્રકાશ રાખવો.
કરિયર
રોજગારી, મનગમતા સ્થળે બદલી અને બઢતીના સારા યોગ બને છે. ઓફિસમાં જવાબદારીઓ વધી શકે છે. જે છેવટે સારંુ પરિણામ આપે. યુવાનોને નોકરીની સારી તક મળે. ફિલ્મ નિર્માણના ક્ષેત્રે કારકિર્દી ઘડી શકો છો.
વ્યવસાય
કમાણીના નવા સાધનો ઊભા થશે. વ્યવસાયમાં પરિવર્તન આવી શકે છે અથવા તો કરી શકો છો. તે લાભદાયી નીવડે. આનાથી આર્થિક સ્થિતિ સારી થશે. લાંબી બિઝનેસ ટૂરના યોગ છે. તે ફાયદાકારક નીવડે. પાર્ટનરશિપમાં જે કંઇ કામ કરો તેમાં સાવચેતી રાખવી.
જાન્યુઆરી
સમસ્યાઓનો ઉકેલ આપમેળે આવશે.
આ મહિનો સાધારણ ફળ આપશે. પ્રયત્નો કરવાથી બધા કામ પાર પડશે. મહિનાની શરૂઆતમાં થોડીક તકલીફો વેઠવી પડશે. જોકે, મહિનાના અંતે તમામ સમસ્યાઓનો ઉકેલ આપમેળે આવશે. તેના સારા પરિણામો મળશે. ઓફિસમાં સહકર્મચારીઓનો સારો સહકાર મળશે. ફાલતું ખર્ચા ન કરવા. ધીરજ ધરવી. સંતાનોએ અભ્યાસમાં વધારે ધ્યાન આપવું પડશે પછી સફળતા મળશે. લગ્ન-વિવાહના સંદર્ભમાં આ મહિને વાત નક્કી થવાની શક્યતા ઓછી જણાય છે તેમ છતાં પ્રયત્નો ચાલુ રાખવા.
ફેબ્રુઆરી
કમાણી વધશે, વ્યવસાયની નવી તક ઊભી થશે.
ગયા મહિના કરતા આ મહિનો સારો રહેશે. જૂની તકલીફોનો અંત આવશે. અટકેલાં તમામ કાર્યોમાં સફળતા મળશે. આનાથી આર્થિક સ્થિતિ સુધરશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો મધ્યમ રહેશે. દોસ્તોનો સહકાર જળવાઇ રહેશે. આવકના સાધનો વધશે. સંતાનોના અભ્યાસ માટે સમય સાધારણ છે. તેમણે મહેનત કરવાની જરૂર છે. યુવા વર્ગ માટે વ્યવસાયની નવી તક ઊભી થશે. મહિનાના અંતે સારી સફળતા મળે. સંતાનોના લગ્ન-વિવાહ માટે સમય મધ્યમ રહેશે. આહાર-વિહાર પર પૂરતું ધ્યાન આપવું.
માર્ચ
આખો મહિનો સુખ-શાંતિથી પસાર થશે.
આ મહિનો તમારા માટે બહુ સારો છે. તમામ પ્રકારની સફળતા મળે. વ્યવસાયમાં પરિવર્તન કરી શકશો. વેપારના વિકાસ માટે વધારે મૂડીરોકાણ કરી શકો છો. સ્વજનો-મિત્રોનો પૂરેપૂરો સહકાર મળે. આખો મહિનો સુખ-શાંતિથી પસાર થશે. હરવા-ફરવાની દ્રષ્ટિએ પ્રવાસનો યોગ બને. સંતાન પ્રાપ્તિનો યોગ બને છે. ઘરમાં કોઇ ધાર્મિક પાઠ-પૂજા થાય. જે જાતકોને બાળક થતાં ન હોય તેવા લોકો આ મહિને ધર્મ શાસ્ત્રાનુસાર પૂજા-પાઠ કરે તો તેમને સફળતા મળવાની શક્યતા વધી જાય.
એપ્રિલ
ખુશખબર મળતી રહેશે.
આ મહિનો તમારા માટે ખુશખબરથી ભરેલો રહે. બીજા સાથે સારા સંબંધ સ્થપાશે. કમાણીના નવા સાધનો ઊભાં થાય. વેપારમાં વૃદ્ધિ થવાની શક્યતા છે. નોકરિયાતોને બઢતી મળે અને ઓફિસમાં બધાનો સહકાર મળશે. સ્વાસ્થ્ય સારંુ રહેશે. દાંપત્ય સુખ વધશે. પત્ની, પરિવારની સાથે બહાર હરવા-ફરવાની તક મળે. યુવા વર્ગ માટે આ મહિનો ભાગ્યશાળી રહેશે. અટકેલાં કાર્ય પૂરાં થાય. ધારી સફળતા મળે. સંતાનોને અભ્યાસમાં મન લાગશે અને સફળતા મળે.
મે
પરિવારની સાથે બહાર ફરવા જઇ શકો.
આ મહિનો સામાન્ય રીતે શુભ ફળ આપશે. તમે વેપારના નવા સાધન શોધી શકો છો. બિઝનેસ માટે લાંબા વિદેશ પ્રવાસનો યોગ છે. પરિવારની સાથે બહાર ફરવા જઇ શકો. દાંપત્ય સુખ વધે. નોકરિયાતોને વધારે તકલીફો નહીં ભોગવવી પડે. તેમના માટે સામાન્ય સમય રહેશે. ઓફિસમાં હકારાત્મક વલણ અપનાવવું. નવી જવાબદારી સંભાળવી પડે. વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું. યુવા વર્ગને પ્રયત્નોથી સફળતા મળે. વિદ્યાર્થી વર્ગને ધારી સફળતા મળે.
જૂન
લગ્ન-વિવાહ માટે થોડીક રાહ જોવી.
આ મહિને કોઇ નવી યોજના ન બનાવો. લાંબી મુસાફરી ન કરવી. વાદ-વિવાદ ટાળવો. સંયમથી કામ લેવું. ગુસ્સો ન કરવો. નોકરિયાતો માટે આ મહિનો સામાન્ય રહેશે. અધિકારીઓનો અનાદર કે અવગણના ન કરવી. તેમને તમારા કામથી ખુશ રાખવાના પ્રયત્નો કરવા. યુવા વર્ગને નોકરી અને લગ્ન-વિવાહને લગતા કાર્ય માટે ઓગસ્ટ સુધી રાહ જોવી. સંતાનોની સાથે સંબંધ મીઠા રાખવા. તેમના પર ગુસ્સો ન કરવો. રાજકારણમાં સ્થિતિ સામાન્ય રહે. રાજકારણીઓ સાથે હાલમાં અંતર જાળવી રાખવું.
જુલાઇ
અંતિમ પખવાડિયામાં આર્થિક લાભ મળશે.
અગાઉ વેઠેલી તકલીફો દૂર થતી જશે. મહિનાના મધ્યમાં આર્થિક સ્થિતિ સારી થતી જાય. સ્વાસ્થ્ય સારંુ રહે. કામમાં પરિવારનો પૂરેપૂરો સહકાર મળે. બિઝનેસ ટૂરની શક્યતા છે. નોકરિયાતોને આ મહિને તકલીફો નહીં ભોગવવી પડે. યુવાનો માટે સમય સારો છે. લગ્ન-વિવાહની સારી તક મળે, પ્રયત્નો ચાલુ રાખવાથી સફળતા મળે. અભ્યાસની સોનેરી તક મળે. વિદ્યાર્થી વર્ગે દિલ દઇને અભ્યાસ કરવો. સંતાન પ્રાપ્તિ માટે ધાર્મિક અનુષ્ઠાન વગેરે કર્યા પછી પ્રયત્ન કરવાથી સફળતા મળશે.
ઓગસ્ટ
આ મહિને ઇચ્છા મુજબનું ફળ મેળવશો.
આ મહિને તમને તમામ પ્રકારનું સુખ મળશે. ઓછા પ્રયત્ને વધુ સફળતા મળે. વ્યવસાયમાં પરિવર્તન, નોકરીમાં બઢતી માટે સમય સારો રહે. યુવા વર્ગને તમામ પ્રકારની સફળતા મળે. મિત્રોથી લાભ થાય. ઘરમાં નવું પરિવર્તન આવે એવી શક્યતા છે. સુખ-સુવિધાઓ વધશે. સ્વાસ્થ્ય સારંુ રહેશે. તમારી ઉંમર પરણવા લાયક હોય તો લગ્નની તૈયારી શરૂ કરી દો કારણ કે આ વખતે લગ્ન-વિવાહનો ઉત્તમ યોગ બને છે. આ મહિને કોઇ તીર્થસ્થાને કે વન-બગીચામાં પીપળો, વડ, લીમડો વાવો તો સારંુ થશે.
સપ્ટેમ્બર
પ્રયત્નો કરવાથી ચોક્કસ સફળતા મળે.
આ મહિનો સામાન્ય રહેશે. પ્રયત્નો કરવાથી બધા કાર્યોમાં સફળતા મળે. તમારું સ્વાસ્થ્ય ઠીક રહે. યુવા વર્ગને વધુ મહેનતે સારી સફળતા મળે. તમારી તબિયતની કાળજી રાખવી. વાદ-વિવાદ ટાળવો. પાડોશીઓ સાથે સારંુ વર્તન કરવું. અણીના સમયે પાડોશીઓ જ કામે આવે. નોકરિયાતોને ઉપરીવર્ગની તોછડાઇથી થોડીક માનસિક હેરાનગતિ થઇ શકે છે પરંતુ ખાસ ચિંતા કરવાની જરૂર નથી. તમારું કામ દિલ દઇને કરતા રહો. આ મહિનો સામાન્ય રહેશે. કામ કરવામાં આનાકાની ન કરવી.
ઓક્ટોબર
માંગલિક કાર્યો માટે સમય ઉત્તમ રહેશે.
સ્વાસ્થ્ય મધ્યમ રહેશે. આહાર-વિહારનું ખાસ ધ્યાન રાખવું. સરકારી કામકાજમાં વધારે મહેનત કરવી પડે. સરકારી અધિકારીઓ સાથે અંતર જાળવવું. આ મહિને નવા કાર્યની શરૂઆત ન કરવી. યુવાનોએ આ સમય શાંતિથી પસાર કરવો. ભાગીદારીમાં કામ ન કરવું. અગાઉ ભાગીદારી કરી હોય તો ખાસ ધ્યાન રાખવું. લગ્ન-વિવાહના કાર્ય શાંતિથી ઉકેલાય. આ પ્રકારના માંગલિક કામમાં દરેક પ્રકારે સફળતા મળશે, પણ મહેનત કરવી પડશે. તમારી રાશિનો અધપિતિ ગ્રહ શુક્ર છે. શુક્રની આરાધ્ય દેવી લક્ષ્મીજી છે. ધન-ધાન્યના સુખ માટે શ્રીસૂકતનો પાઠ કરવો.
નવેમ્બર
ધગશથી કામ કરશો તો સારી સફળતા મળશે.
તમારે થોડી વધારે મહેનત કરવી પડે. આ મહિનો તમારી ઇચ્છાથી વિરુદ્ધનું ફળ આપશે. કામકાજમાં ખાસ ધ્યાન આપવાથી સફળતા મળે. લાંબી મુસાફરીનો યોગ બને છે. મુસાફરી વખતે સામાનનું ખાસ ધ્યાન રાખવું. બિનજરૂરી ખર્ચા ટાળવા. યુવા વર્ગને કામમાં સફળતા મળે પરંતુ મહેનત કરવી પડે. સાથીદારો તરફથી સહકાર થોડો ઓછો મળે. વ્યવસાયમાં ચડતી-પડતી આવે. દુગૉ સપ્તશતીનો પાઠ (ચંડીપાઠ) કરાવવો. આનાથી તમામ પ્રકારની અડચણો દૂર થાય છે અને મનવાંિચ્છત ફળ મળે છે.
ડિસેમ્બર
સ્વામી ગ્રહ શુક્રને પ્રસન્ન રાખવો, સુખ-લાભ મળે.
આ મહિને આર્થિક સ્થિતિ સામાન્ય જ રહે. બિનજરૂરી ખર્ચા ન કરવા. લાંબી મુસાફરીનો યોગ બને. નોકરિયાતોના માથે વધારે જવાબદારી આવી પડે. ઉપરી વર્ગથી સાવચેત રહેવું. વિદ્યાર્થી વર્ગે અભ્યાસમાં થોડી વધારે મહેનત કરવી પડે. વિદ્યાર્થીઓએ પ્રવાસ ટાળવો. લગ્ન-વિવાહને લગતા કામ માટે બરાબર પ્રયત્નો કરવા. દાંપત્યજીવનમાં પ્રેમ જાળવવો. તમારી રાશિનો સ્વામી શુક્ર પતિ-પત્નીનો પ્રેમ જોઇને ખુશ થાય છે. એટલે રાશિનો સ્વામી ગ્રહ પ્રસન્ન રહે તો તમારી તમામ અડચણો પણ દૂર થશે.
Related Articles:
નક્ષત્રના આધારે કુંભ રાશિનું વાર્ષિક ભવિષ્યફળ-2011
નક્ષત્રના આધારે મેષ રાશિનું વાર્ષિક ભવિષ્યફળ-2011
નક્ષત્રના આધારે મીન રાશિનું વાર્ષિક ભવિષ્યફળ-2011
નક્ષત્રના આધારે મકર રાશિનું વાર્ષિક ભવિષ્યફળ-2011
નક્ષત્રના આધારે ધન રાશિનું વાર્ષિક ભવિષ્યફળ-2011
નક્ષત્રના આધારે વૃશ્ચિક રાશિનું વાર્ષિક ભવિષ્યફળ-2011
નક્ષત્રના આધારે તુલા રાશિનું વાર્ષિક ભવિષ્યફળ-2011
નક્ષત્રના આધારે કન્યા રાશિનું વાર્ષિક ભવિષ્યફળ-2011
નક્ષત્રના આધારે સિંહ રાશિનું વાર્ષિક ભવિષ્યફળ-2011
નક્ષત્રના આધારે કર્ક રાશિનું વાર્ષિક ભવિષ્યફળ-2011
source by:- divya bhaskar press
સુખી લગ્નજીવન માટે જરુરી છે પ્રેમ અને વિશ્વાસ....
આજની યંગ જનરેશનની મુશ્કેલી છે લગ્ન ના થવા. કદાચ લગ્ન થઈ પણ ગયા હોય તો તેને નિભાવવા મોટી મુશ્કેલી છે. મોટા ભાગના લોકોની એવી ફરિયાદ હોય છે કે તેમનું દાંપત્યજીવન સુખી નથી. પતિ પત્નીના સંબંધોમાં અવિશ્વાસ વધી રહ્યો છે. વાસ્તવમાં તેઓ સુખી દાંપત્યજીવનના 3 મોટા સૂત્રો ભુલી ગયા હોય છે. આદર વિશ્વાસ અને પ્રેમ.દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમનું દાંપત્યજીવન સુખી રહે. આ માટે તેઓ પુરેપુરા પ્રયત્નો પણ કરતા હોય છે.સુખી દાંપત્યનું મૂળ સ્વભાવ છે.ગૃહસ્થીમાં આપણે આપણા મૂળ સ્વભાવ વિશે પુરેપુરું જાણી લેવું જોઈએ. કેમ કે લોકો અંદરથી જુદા બહારથી જુદા દેખાવાનો પ્રયત્ન કરે છે. દાંપત્યજીવનમાં સુખ એવું છે કે જાણે કોઈ વસ્તુ રાખીએ આપણે તેને ભુલી ગયા હોઈએ.
જો તેને સારી રીતે સાચવવામાં આવે તો ક્યારેય તણાવ કે મુશ્કેલી પેદા થતી નથી. શોધવાથી સુખ મળી જાય છે. પહેલાંથી જ આપણી પાસે સુખ હતું. જો આપણે તેને શોધી કાઢ્યું હોત તો તે મળી જાત. પોતાની જાત સાથે સંવાદ કરવો બહુ જરુરી છે.જેમાં પ્રેમ હોય એવા સંસારની ઈચ્છા સૌ કોઈને હોય છે. જો આપણે પ્રેમથી રહીશું તો આપણો પરિવાર પણ આનંદ મંગલમાં રહેશે. કુદરતી રીતે આપણમે સુખી દાંપત્યજીવનની ભેટ મળશે.
prem
Wednesday, January 26, 2011
Don't make common eating blunders
- Are you among those that prefers to buy fruits and vegetables a week in advance? Keeping them in your fridge robs them of essential nutrients, which are so vital for your body. Instead of stocking up for a week or two, make it a habit to buy fresh vegetables every few days.
- Go easy on processed foods. Processed items generally tend to contain more sodium and saturated fat, and lesser amounts of fibre and essential nutrients. Opt for fresh, wholesome foods. If you absolutely must go for processed foods, choose those that contain whole grains (whole-wheat bread, tortillas and pasta), have no trans fat and are low in saturated fat.
- Enjoy eating out? Keep it to a minimum. The amount of outside food you eat can have a detrimental effect on your health. Home-cooked meals are not only made in a cleaner environment, they also tend to be more nutritious. If you must eat out, stick to a routine — eat only one or two meals outside in a week.
- If you're trying to lose weight , having long gaps in-between meals will make it all the more hard to shed those pounds. Plan your meals, so that you never suffer from hunger pangs.
- Cook at home. Always keep a well stocked refrigerator and a pantry. Buy some multipurpose utensils and browse through recipe books. Start with simple soup, pasta, salad and sandwich recipes and gradually move on to more complex dishes.
- Peeling certain vegetables and fruits robs them of their nutrients . Apples and tomatoes should be eaten the way they are. Also, leave a gap of 15-20 minutes after you chop garlic before adding it to your cooking since this increases its cancer-fighting benefits.
- Avocado, canola or olive oil with your salad is actually healthy for you, but in moderation.
- Don't abstain completely from avocados, nuts and olives. They are high in fat and calories, but they're low in saturated fat. These items contribute smart fats to your diet, and are laden with fibre and phytochemicals.
Six steps to a happy sex life.
1. Bag Some Bedroom Magic with Before-Play
No surprise that women blame a lack of romance for a lack of sex! Time to nurture "before-play" between you—if you've had a row, or are stressed after work, let him know you need some cuddles and affection.
Don't expect him to be a mind reader - men aren't good at that. Ask him for a compliment, too. Men respond to straight talking so tell him that feeling appreciated and loved-up gets you in the mood for proper foreplay, reports The Sun.
Having before-play creates the right mood to get turned on. So include things like always having mood music ready to play, and candles to light your supper - even if it's a takeaway!
2. Get Steamy !
Time to turn up the heat. Why not suggest having a candlelit bath or sexy shower together. Subtle candlelight flatters your figure! Take time lathering each other up with some sexy-scented shower gel. Have a couple warm towels ready to dry each other off before you tumble into bed.
When you indulge each other in steamy little pleasures it'll give you loads of ideas for more sensual tricks to tempt each other into bed. You could offer to wash his hair and caress his scalp gently. Show him a light touch and then ask him to return the favour.
Once you're out of the shower dare him to paint your fingernails. As he strokes each of your fingers gently it produces the love hormone oxytocin in your bodies.
3. Get Rude with Food !
It's crucial to make sex as easy-as-can-be when you're a busy/tired couple. So grab opportunities like getting a bit rude with food together. It's super sexy to hand-feed each other little tidbits or to spoon something delicious like chocolate mousse into each other's mouths.
Or why not have a rude-food feast in bed on a Saturday afternoon? Who says you have to eat at the table! This is the perfect setting for drizzling some sweet honey down your cleavage for him to lick off - forget about putting it on toast!
4. Letting Him Know What You Want
Believe me he wants to know what turns you on! If you're feeling a bit shy then show him rather than tell him what to do. Take his hand and guide it gently around your pleasure-zones. Pause where it feels fab saying, "I love it when you touch me here."
Also when he happens to touch you just right "big him up" - men love praise so heap it on him and he'll do more of that feel-good foreplay.
If he's a bit heavy-handed (true of so many men!) use this trick— take his finger and gently suck and lick it - then tell him that's the sort of pressure you love.
And definitely use a warm and sensual voice to encourage him. Crikey, even just hearing your little sex-sighs will make him all ears! So use those little sighs and moans to communicate your pleasure.
5. How To Find Out What He Wants!
He might be a bit shy to tell you what he likes. So ask, ask and ask again! A good way to ask is to give him some options. Say something like, "do you prefer it when I stroke or squeeze you here, and more gently or firmly?" This'll give him the confidence to be honest.
If he needs extra encouragement tell him you find it exciting being told what to do. Turn this into a playful sex-game where he's the boss and you're his sexy PA and he's going to dictate to you what he wants done!
6. Your Private Pleasure Pack
Definitely make your sex-life simpler by keeping a little "pleasure pack" in your bedside table. Then when the mood strikes you'll be ready for some frolics with your fella.
No annoying searching about for things like your favourite lubricant, condoms, sex toys, blind fold for a kinky sex game, sexy stockings and silky knickers, tissues, massage oils, etc.
Tuesday, October 5, 2010
આ તે કેવો ધર્મ?પેગમ્બરે શું આ શીખવ્યું છે?પોતાના જ ભાઇઓને ત્રાસ આપવાનો?પોતાની જ બહેનો- પત્ની- માતાને ઘેટાંબકરાંની જેમ રાખે છે અને તાલિબાન ખાવિંદ પોતાની જ બીબીના નાક-કાન કાપીને ક્રૂરતા વર્તાવે છે
આજનું અફઘાનિસ્તાન એટલે આપણા મહાભારત અને એ પૂર્વના સમયનું ગાંધાર. પાંડવોના કાકા અને કૌરવોના પિતા અંધ ઘૃતરાષ્ટ્રના લગ્ન જેમના સાથે થએલા એ સતિ ગાંધારી આ જ ગાંધારના રાજકુંવરી.ગાંધારનો અપભ્રંશ એટલે આજનું કંધહાર જ્યાં ભાજપના વડાપ્રધાન બાજપેયી અને ગૃહપ્રધાન આડવાણીના કહેવાથી ભાજપના વિદેશપ્રધાન જશવંતસિંહ ભયંકર આતંકવાદીઓને વળાવવા ગયેલા અને આપણા રાષ્ટ્રનું નાક કપાવેલું.એને અડીને આવેલા કાઝીકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તાઝીકિસ્તાન વગેરે રશિયાની એડી નીચે ૪૦-૫૦ વર્ષ સુધી ચગદાયેલા રહેલા દેશો, પામીરની પર્વતમાળા વગેરે પણ એ જમાનામાં ગાંધારનો જ ભાગ હતા જે દક્ષિણ ગાંધાર તરીકે ઓળખાતો.એ અફઘાનિસ્તાનમાં બૌઘ્ધની દુનિયામાં મોટામાં મોટી ઊભી મૂર્તિ હતી જેને અફઘાનીઓ પોતાના ગૌરવની જેમ સાચવતા અને યુનોએ એને ‘‘વર્લ્ડ હેરીટેજ’’નો દરજ્જો પણ આપેલો.એ અફઘાનિસ્તાનને કબજે કરવા સામ્યવાદી રશિયાએ નવ વર્ષ સુધી ટેન્કો, રોકેટો, મિસાઇલ્સો વગેરેથી હુમલો કરેલો પણ છેવટે રશિયાએ હારીને પીછેહઠ કરવી પડી.એ જંગમાંથી તાલિબાન નામના ભયાનક આતંકવાદીઓ પેદા થયા તેમણે અમેરિકા ઉપર હુમલો કરીને અમેરિકા સહિત આખી દુનિયાને ઘૂ્રજાવી દીધેલી જેના પ્રત્યાઘાતરૂપે અમેરિકાએ અફઘાનિસ્તાન ઉપર હુમલો કરીને અફઘાનિસ્તાન ઉપર વિજય મેળવેલો અને તાલિબાનોને ખદેડી મૂકેલા.એ તાલિબાનો અત્યારે ફરી સક્રિય થઇ ગયા છે અને પોતાના જ ધર્મભાઇઓ ઉપર આતંકવાદ ચલાવવા સાથે પાકિસ્તાનમાં પણ આતંકવાદ ફેલાવી રહ્યા છે.તાલિબાનોનો એ આતંકવાદ ધર્મ, અલ્લાહ અને પેગંબરના નામે ફેલાયેલો છે. તેઓ સમાજ અને દુનિયાને પેગંબરના જમાનામાં જીવાડવા માંગે છે એટલે અત્યારની સુખસુવિધાઓ અને શોધો સામે એમને વાંધો છે એટલે તેઓ ટી.વી., સંગીત, ફિલ્મ જેવા બધા જ આઘુનિક સાધનો વાપરવાનું બંધ કરાવે છે પણ ત્રાસ કે આતંક વરસાવવા તેઓ રોકેટ, મિસાઇલ્સ, ટેન્કો જેવા અદ્યતન સાધનો વાપરે છે! એટલે કે ધર્મ કે પેગંબરના નામે તેઓ ડિંડક જ ચલાવે છે.આ તાલિબાની અફઘાનીઓ સ્ત્રી, ઔરત, મહિલા, માતા-બહેન- પત્નીને ઘેટા બકરાં જ સમજે છે. આ તાલિબાનો પોતાના સંતાનો, દિકરાઓને પણ વિનિમયનું સાધન માને છે. પોતાનું કરજ ચુકવવા તેઓ સંતાનોને ગુલામ તરીકે વેચે પણ છે.જેઓ ગરીબ છે એવા અફઘાનોને ખેતી કરવા (ત્યાં મોટા ભાગે અફીણની ખેતી ઉપરાંત ખજુર, બદામ, પીસ્તા, અખરોટ વગેરેની ખેતી થાય છે.) કરજ કરવું પડે છે અને પછી કોઇ કારણસર તેઓ કરજ ચુકવી શકે નહીં તો તેઓ પોતાની ૬-૭ કે ૧૦-૧૨ વર્ષની દિકરી કે દિકરાને વેચી દે છે. એને પછી પેલો ધનાઢ્ય વ્યક્તિ પોતાની મૂડી તરીકે વાપરે છે અને પોતાના ઘર-બહારના કામ કરવા એક ગુલામ મળી જાય છે.કોઇ ચોરી કરતો પકડાય તો તાલિબાનો ક્યારેક એના હાથ પગ કાપી નાંખે છે અથવા એને ફાંસીએ લટકાવે છે. એવી જ રીતે કોઇનાથી કોઇનું ખૂન થઇ જાય અથવા ખૂન કરે તો એના બે સંતાનોને જેનું ખૂન થયું હોય એના કુટુંબને સોંપી દેવા પડે છે અથવા ખૂનીને ફાંસીએ લટકાવવામાં આવે છે.અત્યારે અફઘાનિસ્તાનમાં અમેરિકાના કઠપુતળી જેવા કરજાઇ સત્તામાં છે. તેઓ હમણાં જ ભારત આવી ગયા હતા. અફઘાન લશ્કર પણ ત્યાં પથરાયેલું છે પરંતુ તાલિબાનો ત્રણેક વર્ષથી માથું ઊંચકવા લાગ્યા છે.આ તાલિબાનોના અત્યાચારો, ક્રૂરતા વગેરેનું વર્ણન કરતું બયાન આયશા નામની એક અફઘાન યુવતિએ કર્યું છે જેમાં એ કહે છે કે... એનો ખાવિંદ આતંકવાદી અત્યાચારી તાલિબાન હતો અને એને અને એની નાની બહેનને એ ઘેટાંબકરાંની જેમ પશુઓ રાખવાના વાડામાં રાખવામાં આવતા હતા. એમને પશુઓની દેખભાળ રાખવા સાથે ઘરનું કામકાજ પણ કરવું પડતું. એ તો ઠીક, એનો એમને વાંધો નહોતો પણ એના સસરા, જેઠ, દિયર વગેરે એ બન્ને બહેનોને લાતો અને ધુમ્મા મારીને યાતના આપતા હતા. એ અત્યાચારો બન્ને બહેનોની રોજિંદી જિંદગી બની ગયા હતા. એ બહેનોના રડવાની કે કાકુલિદીની એમની ઉપર કશી અસર થતી નહીં.આયેશા એ રાક્ષસોના અત્યાચારો વર્ષો સુધી સહન કરતી રહી પણ છેવટે ઘેટાં બકરાંના એ વાડામાંથી લાગ જોઈને છટકીને ભાગી ગઈ. તાલિબાનોના અત્યાચારોથી એ એટલી બધી ત્રાસી ગયેલી કે એણે પોતાની બહેનનો વિચાર પણ ન કર્યો ! એના ભાગી જવાથી એની બહેન ઉપર કેવો સીતમ તાલિબાનો ગુજારશે એ પણ એણે ન વિચાર્યું. લપાતીછુપાતી એ કોઈ દયાવાનને ત્યાં પહોંચી ગઈ જ્યાં એને આશરો મળ્યો.એ વાતને હજી છ સાત દિવસ થયા હશે અને એક રાત્રે એનો આતંકવાદી રાક્ષસ પતિ એની સામે આવી ગયો. આયેશાને એ ક્રૂરતાપૂર્વક મારતો મારતો કોઈ નિર્જન પહાડ ઉપર લઈ ગયો. એની સાથે એના પતિનો ભાઈ પણ હતો. ઉપર પહોંચીને એના પતિ અને ભાઈએ લોહીના આંસુ સારતી અને દયાની યાચના કરતી એ આયેશાને પોતાના પગ અને હાથ વચ્ચે જકડીને પેલા ક્રૂર પતિએ ઘરેથી ભાગી જવાની સજા બદલ એક ધારદાર ચપ્પુથી પોતાની જ પત્નીનું નાક અને કાન કાપી નાંખ્યા. એનો આતંકવાદી પતિ એ વખતે બોલતો હતો કે, ‘‘તેં અમારા ઘરેથી ભાગી જઈને અમારૂં નાક કપાવ્યું છે એની કિંમત હવે તારૂં નાક અને કાન બંન્ને કાપીને હું લઈશ.’’આયેશાનું નાક કાપી નાંખ્યા પછી આયેશા બેભાન થઈ ગઈ હતી. આયેશા એ રીતે કલાકો સુધી બેભાન પડી રહી અને એના નાક અને કાનમાંથી લોહી વહ્યા કરેલું. એ નિર્જન સ્થળ ઉપર એની મદદ કરનાર કોઈ નહોતું. એ ભાનમાં આવી ત્યારે એને એના નાક કાન કપાયાની યાદ આવી અને એનું શરીર કોઈ અજ્ઞાત ભયથી ઘૂ્રજવા લાગ્યું. એણે એની આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ એને કશું દેખાતું નહોતું.પોતાનું દુઃખ અને પીડા ભૂલીને આયેશાએ હિંમત એકઠી કરીને આંખો સાફ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે કાન-નાકમાંથી નીકળતું લોહી આંખોમાં ભરાઈ ગયેલું. એટલે એ કશું જોઈ શકતી નહોતી. એ વખતે એને બીજી કશી વાત યાદ આવતી નહોતી. પણ એટલું એ સમજી ગઈ હતી કે એ મરી નથી પણ જીવતી છે. એ ત્યાંથી માંડ માંડ ઊભી થઈ અને પડતી આખડતી એ પહાડ ઉફરથી નીચે ઉતરવા લાગી.આયેશા જીવતી લાશ બની ગઈ હતી. તો પણ એ મરેલી જીવતી અવસ્થામાં ઓરૂજગાન નામના જિલ્લાના એક ગામની સુમસામ સડક ઉપર આવી. ત્યાં એ લથડતી જતી હતી એવામાં કેટલાક અમેરિકન સામાજિક કાર્યકરોની નજરે એ પડી. એમણે એની પ્રારંભિક મલમપટ્ટી કરીને સારવાર આપી. એ પછી એને અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં અનાથ અફઘાન મહિલાઓનો શિબિર છે ત્યાં પહોંચાડી દીધી.અફઘાનિસ્તાનમાં તાલિબાન આતંકવાદીઓના અત્યાચારોની વાતો, સમાચારો તો વર્ષોથી સતત આવ્યા જ કર્યા છે. ટી.વી.ની ડીસ્કવરી ચેનલ, હિસ્ટ્રી ચેનલ અને નેશનલ જ્યોગ્રોફીક ચેનલ અવારનવાર તાલિબાનોના અત્યાચારો બતાવતા હોય છે. અમેરિકા, યુરોપના અખબારોમાં પણ એ આવે છે. પરંતુ આ તો જેણે તાલિબાની અત્યાચારો સહન કર્યા છે એવી મહિલાએ પોતાના મુખે કહેલી વાત છે.શિબિરમાં પહોંચ્યા પછી ત્યાંના સુરક્ષિત વાતાવરણમાં એને લાગ્યું કે એ સ્થળ ઉપર એનો આતંકવાદી પતિ કે તાલિબાન પહોંચી શકે તેમ નથી. ત્યાં એ ભરતકામ શીખી. અમેરિકાના ‘‘ટાઈમ’’ સાપ્તાહિકના રિપોર્ટર અને ફોટોગ્રાફર શિબિરમાં ગયા અને આયેશાની મુલાકાત થઈ. એમનો અહેવાલ અને ફોટો ‘‘ટાઈમ’’માં આવતા દુનિયા આખીમાં અરેરાટી સાથે હાહાકાર મચી ગયો. કેટલાંક દયાળુ માણસોએ આયેશાના નાક-કાનની પ્લાસ્ટીક સર્જરી પણ કરાવી આપી. એ ત્યાંથી અમેરિકા પહોંચી ગઈ જ્યાં એની આગળની સારવાર ચાલે છે.અફઘાનિસ્તાનમાં આયેશા જેવી લાખો યુવતિઓની આવી જ દર્દ અને પીડા ભરી સ્થિતિ છે. આ જ અફઘાનિસ્તાનમાં ગાંધી યુગમાં ખાન અબ્દુલ ગફારખાન જેવા અહિંસાવાદી નેતા હતા જેઓ ‘‘સરહદના ગાંધી’’ તરીકે ખ્યાત હતા. એ જ અફઘાનિસ્તાનમાં કાબુલીવાલા જેવા ચરિત્રો થએલા જેના વિષે રવીન્દ્રનાથ ટાગોરે વાર્તા લખેલી જેની ઉપરથી એ જ નામની ફિલ્મ બની જેમાં બલરાજ સહાનીનું મુખ્યપાત્ર હતું. આવા અફઘાનોમાં તાલિબાનો જેવા ક્રૂર રાક્ષસો ક્યાંથી થયા એ નવાઈ ઉપજાવે તેવું છે.
Sunday, September 26, 2010
કેવી હોય છે સમાધી?
સમાધી યુત્કિ-તર્કથી પર અતિચેતનનો અનુભવ છે.આ જ સ્થિતિમાં મન પેલા ગુઢ વિષયોમાં પણ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. જે સાધારણ અવસ્થામાં બુધ્ધિ દ્વારા પ્રાપ્ત થઈ શક્તુ નથી. સમાધિ અને નિંદરમાં આપણને એક જેવી જ અવસ્થા હોય છે.
બન્નેમાં આપણુ બાહ્ય સ્વરૂપ સુપ્ત થઈ જાય છે પરંતુ સ્વામિ વિવેકાનંદ સ્પષ્ટ કરે છે 'જ્યારે કોઇ ભર ઉંઘમાં સુતેલુ હોય,ત્યારે તે જાન અથવા ચેતનની નિમ્ન ભુમિમાં ચાલ્યો જાય છે.નિંદમાંથી ઉઠ્યા પછી પણ તે પહેલા જેવો જ હોય છે. તેમાં કોઇ પરિવર્તન આવતુ નથી.પરંતુ જ્યારે માણસ સમાધિસ્થ થઈ જાય છે ત્યારે સમાધિ પ્રાપ્ત કરતા પહેલા જો તે મહામુર્ખ થઈ રહ્યો હોય,અજ્ઞાની થઈ જાય તો સમાધિથી તે મહાજ્ઞાની થઈને વ્યુત્થિત થાય છે.
ગુરુ રૂપી ઊર્જા સર્વ સંકટમાંથી ઉગારે છે..
જેમણે જીવનમાં દુ:ખ જોયું નથી, જે લોકો મુશ્કેલીઓમાંથી પસાર થયા નથી, જેમને દરેક વસ્તુ સરળતાથી મળી ગઈ છે તે જીવનને ઊંડાણપૂર્વક સમજી શકતા નથી. આવા લોકો થોડી મુશ્કેલી પડતાં જ બીજા પર દોષનો ટોપલો ઢોળી દેતા હોય છે અને પોતે નિરાશામાં ઘેરાઈ જાય છે.
આચાર્ય શ્રીરામ શર્માએ જણાવ્યું છે કે, આપત્તિ, વપિત્તિ એક પ્રકારે આપણા પુરુષાર્થનો ઇશ્વરીય પડકાર છે. આ વાત અત્યંત સુંદર છે. વ્યક્તિ તેનો જેટલો સ્વીકાર કરશે તેટલો જ પ્રભુનો પ્રિયપાત્ર બનતો જાય છે. કષ્ટ એક અભ્યાસ છે. મુશ્કેલી એક પ્રકારનો પુરુષાર્થ છે. વપિરીત પરિસ્થિતિઓમાં વિકાસનો માર્ગ છે.
જે તેમાંથી પસાર થાય છે તે પોતાની મનોભૂમિ અને અંતરાત્મામાં વધુ સુદ્રઢ થઈ જાય છે. તેમના માટે દરેક મુશ્કેલી એક નવા સાહસની જન્મદાતા હોય છે. જીવનમાં જ્યારે પણ આવી સ્થિતિ પેદા થાય ત્યારે ગુરુને યાદ કરી લેવા જોઈએ. એ પણ યાદ રાખવા જેવું છે કે જીવનમાં ગુરુનો પ્રવેશ શ્રદ્ધા વગર નથી થતો. શ્રદ્ધા શક્તિનું બીજું નામ છે.
આ દુનિયામાં આપણે માતા-પિતા, ભાઈ-બહેન, સગાં-સંબંધી વગેરે સાથે શરીરથી જોડાયેલા હોઈએ છીએ. ગુરુ સાથે આત્માનો સંબંધ હોય છે અને અહીંથી જ પરમાત્મા મળે છે. જેની પાસે પરમાત્માની સંભાવના હોય તે કોઈ પણ મુશ્કેલીમાં નબળો પડતો નથી.
આથી દુનિયામાં જ્યારે પણ મુશ્કેલીમાં પડો ત્યારે તમારા જ્ઞાન, તમારી શારીરિક શક્તિ, વ્યવહારિક બુદ્ધિનો અવશ્ય ઉપયોગ કરો. આમ કરતા સમયે શ્રદ્ધા જાળવી રાખવી અને ગુરુ સાથે જોડાયેલા રહેવું. ગુરુ સાથેનું આ જોડાણ એક ઊર્જાના સ્વરૂપમાં તમને કોઈ પણ સંકટમાંથી બહાર કાઢશે.