Sunday, September 26, 2010

કેવી હોય છે સમાધી?

સમાધી યુત્કિ-તર્કથી પર અતિચેતનનો અનુભવ છે.આ જ સ્થિતિમાં મન પેલા ગુઢ વિષયોમાં પણ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. જે સાધારણ અવસ્થામાં બુધ્ધિ દ્વારા પ્રાપ્ત થઈ શક્તુ નથી. સમાધિ અને નિંદરમાં આપણને એક જેવી જ અવસ્થા હોય છે.

બન્નેમાં આપણુ બાહ્ય સ્વરૂપ સુપ્ત થઈ જાય છે પરંતુ સ્વામિ વિવેકાનંદ સ્પષ્ટ કરે છે 'જ્યારે કોઇ ભર ઉંઘમાં સુતેલુ હોય,ત્યારે તે જાન અથવા ચેતનની નિમ્ન ભુમિમાં ચાલ્યો જાય છે.નિંદમાંથી ઉઠ્યા પછી પણ તે પહેલા જેવો જ હોય છે. તેમાં કોઇ પરિવર્તન આવતુ નથી.પરંતુ જ્યારે માણસ સમાધિસ્થ થઈ જાય છે ત્યારે સમાધિ પ્રાપ્ત કરતા પહેલા જો તે મહામુર્ખ થઈ રહ્યો હોય,અજ્ઞાની થઈ જાય તો સમાધિથી તે મહાજ્ઞાની થઈને વ્યુત્થિત થાય છે.

No comments: