Monday, January 31, 2011

ભગવદ્ ગીતાનું માર્ગદર્શન અને જીવન..







સમાજમાં એક એવી ભ્રાંત સમજણ છે કે શ્રીમદ્ ભગવદ્ગીતા એ ઘરડા થયા પછી વાંચવાનો ગ્રંથ છે. હકીકતમાં તો એમાં જીવનનું વાસ્તવિક દર્શન છે. તે જીવનની કળા શીખવે છે. લાકડા મસાણે ગયા પછી જીવનની કળા શીખવા બેસવાનું? ગીતા તો જીવનનું વ્યાકરણ છે. વ્યાકરણ વગરનો શબ્દસમૂહની જેમ ગીતા વગરનું જીવન પણ અર્થહીન છે. ગીતાનો પ્રત્યેક શ્લોક માણસની યોગ્યતા અનુસાર તેને માર્ગદર્શન આપે છે.

માટે જ તો સંન્યાસી અને સંસારી બંને માટે ગીતાનું એટલું જ મહત્વ છે. અહિંસાના ઉપાસક મહાત્મા ગાંધીજી ગીતા માટે કહેતા કે ‘એ ન છોડનાર મારી કાયમી સંગાથી છે.’ તો ક્રાંતિકારી વીર ચંદ્રશેખર આઝાદ તેમના બગલથેલામાં રિવોલ્વરની સાથે ગીતાનો પવિત્ર ગ્રંથ રાખતા. આ ઉપરથી ગીતાનું મહત્વ સમજી શકાય છે. જ્ઞાનીઓને જ્ઞાનનું હાર્દ સમજાય છે.

કર્મળ્યોગીઓને કર્મનું મહત્વ ધ્યાનમાં આવે છે, તો ભક્તિયોગીઓને શ્રીકૃષ્ણની મુરલીનો મધુર નાદ સંભળાય છે, પણ એ બધાથી એ વિશેષ સામાન્ય માણસને ભગવાને ગીતામાં આપેલાં આશ્ચાસનોનું મહત્વ છે. તે વાંચ્યા પછી માણસ હતાશા ખંખેરી આત્મવિશ્વાસથી ઊભો થાય છે. ગીતા, નિસ્તેજને તેજસ્વી બનાવે છે અને પાપીઓને પાપમુક્ત થવાનો રાહ બતાવે છે.

ગીતા માનવ માત્રનો ગ્રંથ છે. તેમાં પંથ હોય અને પંથ કાપવા માટે રસ હોય એ પૂરતું નથી પણ જીવનપથ પર આડા ન ફંટાઈ જવાય તે માટે તેનો સારથિ ભગવાન શ્રીકૃષ્ણ હોય એ આવશ્યક છે માગશર સુદ એકાદશીએ એની જયંતી ઉજવાય છે ત્યારે તેનું આ હાર્દ ધ્યાનમાં લઈએ.

તંદુરસ્તી અને ભરપુર સૌંદર્ય મેળવવાની ટિપ્સ..........






તંદુરસ્ત રહેવાની ઈચ્છા કોને ના હોય, દરેક વ્યક્તિ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવાની ઈચ્છા રાખે છે. જે લોકો પોતાના સ્વાસ્થ્ય માટે તંદુરસ્તી માટે સાવધાન રહે છે તે લોકો યોગા કરે છે અને તેનાથી તેમનું શરીર તંદુરસ્ત રહે છે. કેટલીક સામાન્ય ટિપ્સ જે હંમેશા તમારી તંદુરસ્તી વધારશે..

- દરરોજ સવારે જલ્દી ઉઠીને બે કલાક દરમ્યાન નાસ્તો કરી લેવો. નાસ્તામાં કંઈ પણ લઈ શકો છો જે તમારી તંદુરસ્તી માટે આવશ્યક હોય..

- જમવામાં રોટલી અને ભાત અલગ અલગ સમય પર લેવાં.


- દરરોજ એક કેળું, સફરજન અને ફળોનો રસ લેવા. દિવસ દરમ્યાન થોડી થોડી વારે ફળો લેતા રહેવું.

- લંચ અને ડિનર સમસ અનુસાર લેવા.

- દરરોજ મિઠાઈ ન ખાવી.

- તળેલી વસ્તુઓથી દૂર રહેવું.

- દરરોજ સવારે જલ્દી ઉઠીને એક્સરસાઈઝ કરવી.

- ઓછામાં ઓછું 15-20 મિનિટ ધ્યાન કરવું અને આંખો બંધ કરીને શાંત બેસવું તથા મસ્તિષ્કને આરામ આપવો.

- ચટપટા જમવામાંથી તથા ચરબી વધારનારી વાનગીઓથી બચવું.

- જમતાં પહેલા સલાડ લેવું.

- જમ્યા પછી છાસ પીવી.

- રાતનું જમવાનું સૂવાના બે કલાક પહેલાં અવશ્ય લેવું.

- જમ્યા બાદ તુરંત સૂઈ ન જવું.

- શારિરીક કાર્યો અવશ્ય કરતા રહેવું જેમકે ડાંસ, વોક અને કસરત કર્યા કરવી.

રાશિ અનુસાર કેવી રીતે દૂર કરશો ચિંતા ?






જ્યોતિષ અનુસાર નવ ગ્રહોમાં ચંદ્રમાને મનના સ્વામી માનવામાં આવે છે. કુંડળીમાં ચંદ્રમાં અશુભ સ્થિતીના કારણે વ્યક્તિ ચિંતામાં આવી જાય છે. તેનું મન કુંઠીત થઈ જાય છે. આ માટે તે પોતાના રાશિ અનુસાર ચંદ્રમાંથી સંબંધિત પ્રયોગ કરે તો તમે પ્રશ્નો અને ટેન્શનથી બચી શકો છો.

મેષ- મેષ રાશિ ધરાવનારા જાતક રાત્રે સૂતી વખતે તાંબાના પાત્રમાં પાણી ભરીને રાખે અને સવારે કાંટાવાળા છોડમાં એ પાણી નાખે તો ચિંતામાંથી બચી શકે છે.

વૃષભ- સોમવાર અને સફેદ કપડામાં ચોખા અને મિશ્રી બાંધીને પાણીમાં વહાવવાથી તમારું મન હંમેશા સ્વસ્થ રહેશે.

મિથુન- મિથુન રાશિ ધરાવનારા લોકો ગળામાં કે કનિષ્ઠ આંગળી એટલે કે લિટલ ફિંગરમાં ચાંદીની વીંટીમાં મોતી ધારણ કરીને પહેરે.


કર્ક- તમારી રાશિનો સ્વામી ચંદ્રમા છે એટલા માટે તમે ગાયના કાચા દૂધથી શિવજીનો અભિષેક કરો.

સિંહ- રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરીને રાખવું અને સવારે તે પાણીને પીવાથી તમે કુંઠીત નહીં થાઓ.

કન્યા- તમારી રાશિ અનુસાર તમારે પાણીનું દાન આપવું જોઈએ.

તુલા- તમારી રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે એટલા માટે તમારે પાણીનું દાન ન દેવું જોઈએ.


વૃશ્ચિક- વૃશ્ચિક રાશિ ધરાવનારા માટે ચંદ્રમાં અશુભ ફળ આપનાર હોય છે એટલા માટે ચાંદીની સાથે મોતી ધારણ કરવું જોઈએ અને ઉંડા પાણીમાંથી તે સાવધાની પૂર્વક બહાર નીકાળવું જોઈએ.

ધન- ચિંતાથી બચવા માટે તમે ધન રાશિ ધરાવનારા લોકોને સ્મશાન કે હોસ્પિટલમાં પાણીની વ્યવસ્થા કરાવવી જોઈએ.

મકર- આ રાશિ શનિદેવની રાશિ છે આ રાશિ ધરાવનારા શિવલીંગ પર ગંગાજળ ચઢાવવું જોઈએ.

કુંભ- તમારી રાશિ અનુસાર તમને પાણી કે કાચું દૂધ માટલામાં રાખીને તેને સુકી નદીમાં ચઢાવવું જોઈએ.

મીન- તમારી રાશિ જળતત્વની રાશિ છે એટલા માટે મીન રાશિ ધરાવનારા લોકો માછલીને દાણા નાખવા જોઈએ.

ભગવાન કોણ છે? તેઓ મારા માટે કોણ છે?

નાતાલ એટલે ખ્રિસ્તી લોકોની માન્યતા મુજબ ઇશ્વરના પુત્ર ઇસુનો માનવ-અવતાર છે. ઇસુના માનવ અવતારનું રહસ્ય પણ એ જ છે કે ઇશ્વર પંથ ભૂલેલા માણસને તરછોડતા નથી પણ એના પર અનહદ પ્રેમ રાખે છે. આમ, ઇસુ માણસો વચ્ચે પૂરેપૂરા માનવ બનીને જીવ્યા છે. તમારા-મારા જેવા માનવ બનેલા ઇસુ આપણને જણાવે છે કે ઇશ્વર આપણી સાથે છે. કવિવર રવીન્દ્ર ઠાકુર કહે છે તેમ દરેક બાળકનો જન્મ જણાવે છે કે, ‘પ્રત્યેક નવજાત શિશુ પ્રભુનો સંદેશ લઇને આવે છે કે હજી ઇશ્વર માનવથી નિરાશ નથી થયો.’

માનવ ઈતિહાસની શરૂઆતથી માણસોએ બે પ્રશ્નો પૂછ્યા હશે, ભગવાન કોણ છે? અને મારે માટે ભગવાન કોણ છે? ભગવાનને જાણવા અને પ્રાપ્ત કરવા માટે ઋષિમુનિઓથી માંડી સામાન્ય માનવી દ્વારા અવિરત શોધ ચાલી રહી છે અને સાથોસાથ દરેક માણસના જન્મથી એનાં મા-બાપ અને અન્ય વડીલો પાસેથી ભગવાન અંગેના ખ્યાલો મળે છે. પણ માણસને આ રીતે પારણામાંથી ભગવાન અંગે મળેલા ખ્યાલોથી સંતોષ નથી, સંતૃપિ્ત નથી. એટલે માણસ પ્રશ્ન પૂછે છે, ભગવાન છે કોણ? મારા માટે ભગવાન કોણ છે?

આ બંને પ્રશ્નોનો જવાબ દરેક માણસે જાતે શોધી કાઢવાનો હોય છે. નાતાલનો સમય આ પ્રશ્નનો જવાબ શોધવાનો ઉત્તમ સમય છે, કારણ, નાતાલના બનાવો આપણા પ્રશ્ન ઉપર પ્રકાશ પાડી શકે છે. નાતાલનો બનાવ એટલે ખ્રિસ્તી લોકોની માન્યતા મુજબ ઇશ્વરના પુત્ર ઇસુનો માનવ-અવતાર છે. બાઇબલના નવા કરારના પ્રથમ ચાર ગ્રંથોમાં ઇસુનાં જીવન, ઉપદેશ, બલિદાન અને પુનરુત્થાનની કથા આવે છે. નાતાલમાં ભગવાન ઇસુના જન્મ અને બાળપણને લગતા પ્રસંગો અને બનાવોને ખાસ યાદ કરીએ છીએ.

માનવ અવતાર દ્વારા ઇશ્વરપુત્ર ઇસુ પૂરેપૂરા માનવ બન્યા છે. તમારા-મારા જેવા માનવ બનેલા ઇસુ આપણને જણાવે છે કે ઇશ્વર આપણી સાથે છે. એટલે
જ પ્રથમ શુભસંદેશકાર માથ્થી ઇસુના જન્મના વૃતાન્તમાં પયગંબર યશાયાની ભવિષ્યવાણી ઉતારે છે, ‘તેણે (પયગંબર યશાયાએ) ભાખ્યું હતું કે, ‘કુમારી કન્યાને ગર્ભ રહેશે, અને તે પુત્રને જન્મ આપશે અને લોકો તેનું નામ ઇમાનુએલ એવું પાડશે.’ ‘ઇમાનુએલ એટલે ‘ઇશ્વર આપણી સાથે છે.’’

બીજા શુભસંદેશકાર માર્ક ઇસુના જન્મ અને બાળપણ વિશે કશી જ વાત કરતા નથી. માર્કકૃત શુભસંદેશની વાત યુવાન ઇસુના સ્નાનસંસ્કારથી શરૂ થાય છે. ઇસુના જન્મ અને બાળપણ વિશે સૌથી વધારે વિગતવાર વાત આપણને ત્રીજા શુભસંદેશકાર લૂકના શુભસંદેશમાંથી મળે છે.

આપણે જાણીએ છીએ કે ઇસુનો જન્મ યહૂદી ધર્મ અને સંસ્કૃતિમાં થયો હતો, પણ લૂકનો શુભસંદેશ આપણને સ્પષ્ટ ખ્યાલ આપે છે કે ઇસુનો જન્મ કોઇ એક ધર્મ કે કોઇ એક પ્રજા માટે નહીં પણ વિશેષ તો ભીડમાં આવી પડેલા લોકો માટે છે. ઇસુએ પોતાના જાહેરજીવનની શરૂઆતમાં એક વિશ્રામવારને દિવસે યહૂદીઓના મંદિર એટલે સભાગૃહમાં ઘોષણા કરી હતી કે ‘તેણે (એટલે ઇશ્વરપિતાએ) મને એટલા માટે મોકલ્યો છે કે હું દીનજનોને શુભસંદેશ સંભળાવું, બંદીવાનોને મુક્તિદાન અને અંધજનોને દ્રષ્ટિદાન કરંુ, દલિતોને મુક્ત કરંુ, તેમ જ પ્રભુની કૃપાના વર્ષની ઘોષણા કરંુ.’

ફરી આપણા પ્રશ્ન ઉપર આવીએ. ભગવાન છે કોણ? આપણે કહી શકીએ કે ભગવાન સર્વવ્યાપી છે. ભગવાન અશરીર એટલે આત્મા છે. ભગવાન સર્વશક્તિમાન છે. ભગવાન સર્જનહાર છે. ભગવાન મુક્તિદાતા છે, તારણહાર છે. ભગવાન સૌના માલિક છે. આવી બધી વાતો તો ભગવાનનાં વિશેષણો છે. ભગવાન કોણ છે, એનો સંતોષકારક જવાબ નથી. એટલે અંતે આપણે કહીએ છીએ કે ભગવાન એક ગૂઢ રહસ્ય છે. ભગવાન આપણી બુિદ્ધથી પર એક શક્તિ છે. ભગવાન એક અનન્ય અસ્તિત્વ છે.

સદાચારના કલાસમાં એક શિક્ષિકાએ હાઇસ્કૂલનાં પોતાનાં વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો : ભગવાન ક્યાં છે? કેટલાંક છોકરાંઓએ આકાશ તરફ આંગળી ચÃધીને કહ્યું, ‘ભગવાન ત્યાં છે.’ તો બીજાં કેટલાંક છોકરાંઓ ભીંત પરના ભગવાનના ચિત્ર તરફ આંગળી ચÃધીને કહ્યું, ‘એ રહ્યા ભગવાન’. વળી કેટલાંક છોકરાંઓએ પોતાના હૃદય પર હાથ મૂકીને કહ્યું, ‘ભગવાન અંતર્યામી છે.’ શિક્ષિકાએ કહ્યું કે છોકરા-છોકરીઓએ પોતપોતાની શ્રદ્ધા મુજબ જવાબ આપ્યા હતા.

તો ભગવાન કોણ છે, એના જવાબ માટે કોઇ તત્વચિંતન કે ફિલસૂફીની ચર્ચાવિચારણા નહીં પણ આપણી શ્રદ્ધા જ આપણને સંતોષકારક જવાબ આપી શકે છે. એટલે આપણા માટે મુખ્ય પ્રશ્ન ભગવાન કોણ છે, તે નથી, પણ ‘મારા માટે ભગવાન કોણ છે,’ તે છે. બીજા શબ્દોમાં કહીએ તો, આપણી શ્રદ્ધા જ આપણને સંતોષકારક જવાબ આપી શકે છે.

અહીં ભગવાનને ઓળખવાની વાતમાં મારી-તમારી માન્યતા કે ભગવાન પરની શ્રદ્ધા તદ્દન ભિન્ન હોઇ શકે. એટલે જ ભગવાનને ઓળખવાની આપણી વાતમાં નાતાલ-ઇસુનો જન્મ-આપણને મદદરૂપ થઇ શકે છે. નાતાલ સૌને માટે ભારે આનંદના સમાચાર છે. વગડામાં ઘેટાની ચોકી કરતા ભરવાડોને ઇસુના જન્મની વધામણી આપતાં દેવદૂતે કહ્યું હતું કે, ‘બીશો નહીં, સાંભળો, હું તમને ભારે આનંદના શુભસમાચાર આપવા આવ્યો છું. આખી પ્રજાને પણ એથી આનંદ આનંદ થઇ રહેશે, આજે દાવિદના નગરમાં તમારો મુક્તિદાતા અવતર્યો છે. એ જ ખ્રિસ્ત અને પ્રભુ છે.’

માણસ કદી કલ્પી ન શકે એવી આ વાત છે. સર્વશક્તિમાન અને સર્વવિશ્વના સર્જનહાર ઇશ્વર એક નિ:સહાય બાળક બને છે. એક અદના માણસ બને છે! સર્જનહાર પોતાની જાતને પોતે સજેઁલા માણસના હાથમાં સોંપી દે છે! માણસ પરની ઇશ્વરની એ શ્રદ્ધા છે! કવિવર રવીન્દ્ર ઠાકુર કહે છે તેમ દરેક બાળકનો જન્મ જણાવે છે કે, ‘પ્રત્યેક નવજાત શિશુ પ્રભુનો સંદેશ લઇને આવે છે કે હજી ઇશ્વર માનવથી નિરાશ નથી થયો.’

ઇસુના માનવ અવતારનું રહસ્ય પણ એ જ છે કે ઇશ્વર પંથ ભૂલેલા માણસને તરછોડતા નથી પણ એના પર અનહદ પ્રેમ રાખે છે. સંત યોહાનકૃત શુભસંદેશમાં આપણે વાંચીએ છીએ કે, ‘ઇશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો. જેથી જે કોઇ એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ના પામે, પણ આ શાશ્વત જીવન પ્રાપ્ત કરે.’

ઇશ્વરપિતાનો એકનો એક પુત્ર કેવો છે? એ પુત્ર એના ભરણપોષણ અને ઉછેર માટે કોઇપણ માનવ બાળકની જેમ એનાં માતા મરિયમ અને પાલક પિતા યોસેફ ઉપર પૂરેપૂરો અવલંબન રાખે છે! બાર વર્ષની ઉંમરે યરુશાલેમમાં પાસ્ખાનું પર્વ ઊજવવા માટે આખા પેલેસ્ટાઇનમાંથી ભેગા થયેલા યહૂદીઓ વચ્ચે પોતાનાં મા-બાપ સાથે પર્વની ઉજવણીમાં આવેલા ઇસુ ખોવાયા હતા. સંત લૂકે નોંધ્યું છે તેમ છેક ત્રીજે દિવસે ઇસુનાં મા-બાપને તેમની ભાળ લાગી હતી. ત્યારે ઇસુ શું કરતા હતા? તે યરુશાલેમ મંદિરના ધર્મગુરુઓ વચ્ચે બેઠા બેઠા તેમનો ઉપદેશ સાંભળતા હતા અને તેમને પ્રશ્ન પૂછતા હતા. ઇસુ ખોવાયા અને જડ્યાની વાતને અંતે સંત લૂક લખે છે, ‘પછી ઇસુ તેમની (મા-બાપની) સાથે પાછા નાસરેથ આવ્યા અને તેમના કહ્યામાં રહ્યા... ઇસુ જ્ઞાનમાં અને ઉંમરમાં વધતા ગયા અને ઇશ્વરના અને માણસોના વધુ ને વધુ પ્રીતપિાત્ર બનતા ગયા.’

આમ, ઇસુ માણસો વચ્ચે પૂરેપૂરા માનવ બનીને જીવ્યા છે. આપણે એમના માનવજીવનમાં એક બાબત વિશેષપણે નોંધી શકીએ કે, એક માનવ તરીકે ઇસુ પોતાના સમગ્ર દુન્યવી જીવન દરમિયાન પોતાના ઇશ્વરપિતાને શોધતા રહ્યા. નિયમિત પ્રાર્થના અને ધ્યાનમનન દ્વારા ઇસુ પોતાના ઇશ્વરપિતાના સંપર્કમાં શોધતા રહ્યા અને ઓળખી કાઢતા રહ્યા. મોડી રાતે કે વહેલી પરોઢે ઊઠીને એકાંતમાં જઇ પ્રાર્થના કરવાની ઇસુની ટેવ વિશે શુભસંદેશકારોએ નોંધ્યું છે.

આમ, ઇશ્વરને શોધવા અને ઓળખવાની આપણી મથામણમાં ઇસુ પોતે દાખલારૂપ છે, પણ હું માનું છું કે ભગવાનને શોધવા અને ઓળખવાની બાબત કેવળ માનવયત્નથી પર છે. એ માટે ભગવાન પરની શ્રદ્ધાની દ્રષ્ટિથી જ આપણે ભગવાનને શોધી કે ઓળખી શકીએ. ગભાણમાં સૂતેલા બાળ ઇસુ આપણને જણાવે છે કે શોધનારને એ કૃપા અને શ્રદ્ધા આપવા માટે જ તેઓ માનવ વચ્ચે માનવ બન્યા છે.

રાશિ અનુસાર મંત્ર જાપથી દૂર થશે પૈસાની તંગી..

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિના જીવન પર તેની રાશિનો વિશેષ પ્રભાવ પડે છે. દરેક વ્યક્તિ પોતાની રાશિની નિયમિત સ્વરુપથી પૂજા કરે તો તેમની આર્થિક સમસ્યા દૂર થાય છે. પૂજાથી અને મંત્રજાપથી અશુભ પ્રભાવના દોષ દૂર થાય છે.

એ જ પ્રકારે જો કોઈ ઘરમાં લક્ષ્મી નિવાસ કરે તો આર્થિક સમસ્યાઓ ઓછી થાય છે. પોતાની રાશિ અનુસાર લક્ષ્મી મંત્રનો જાપ કરવો. આ મંત્રોના જાપથી તમારી ગરીબી દૂર થશે અને સાથે જ મંત્ર ધન સંપદા વધારવામાં તથા ભૌતિક સુખ પ્રદાન કરવામાં ખૂબ સફળ માનવામાં આવે છે. એટલા માટે જો તમે ઈચ્છો છો કે તમને ક્યારેય ધનની કમી કે પૈસાની તંગી પડે છે તો રાશિ અનુસાર લક્ષ્મી મંત્રનો નિશ્ચિત જાપ કરવાથી ફાયદો થાય છે.

મેષ- ऊं ऐं क्लीं सौ:


વૃષભ- ऊं ऐं क्लीं श्रीं


મિથુન- ऊं क्ली ऐं सौ:


કર્ક-ऊं ऐं क्ली श्रीं


સિંહ- ऊं ह्रीं श्रीं सौ:


કન્યા- ऊं श्रीं ऐं सौ:


તુલા- ऊं ह्रीं श्रीं सौं


વૃશ્ચિક- ऊं ऐं क्लीं सौ:


ધન- ऊं ह्रीं क्लीं सौ:


મકર-ऊं ह्रीं क्लीं ह्रीं श्रीं सौ:


કુંભ- ऊं ह्रीं ऐं क्लीं श्रीं


મીન- ऊं ह्रीं क्लीं सौ:

રાશિ અનુસાર મંત્ર જાપથી દૂર થશે પૈસાની તંગી..

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિના જીવન પર તેની રાશિનો વિશેષ પ્રભાવ પડે છે. દરેક વ્યક્તિ પોતાની રાશિની નિયમિત સ્વરુપથી પૂજા કરે તો તેમની આર્થિક સમસ્યા દૂર થાય છે. પૂજાથી અને મંત્રજાપથી અશુભ પ્રભાવના દોષ દૂર થાય છે.

એ જ પ્રકારે જો કોઈ ઘરમાં લક્ષ્મી નિવાસ કરે તો આર્થિક સમસ્યાઓ ઓછી થાય છે. પોતાની રાશિ અનુસાર લક્ષ્મી મંત્રનો જાપ કરવો. આ મંત્રોના જાપથી તમારી ગરીબી દૂર થશે અને સાથે જ મંત્ર ધન સંપદા વધારવામાં તથા ભૌતિક સુખ પ્રદાન કરવામાં ખૂબ સફળ માનવામાં આવે છે. એટલા માટે જો તમે ઈચ્છો છો કે તમને ક્યારેય ધનની કમી કે પૈસાની તંગી પડે છે તો રાશિ અનુસાર લક્ષ્મી મંત્રનો નિશ્ચિત જાપ કરવાથી ફાયદો થાય છે.

મેષ- ऊं ऐं क्लीं सौ:


વૃષભ- ऊं ऐं क्लीं श्रीं


મિથુન- ऊं क्ली ऐं सौ:


કર્ક-ऊं ऐं क्ली श्रीं


સિંહ- ऊं ह्रीं श्रीं सौ:


કન્યા- ऊं श्रीं ऐं सौ:


તુલા- ऊं ह्रीं श्रीं सौं


વૃશ્ચિક- ऊं ऐं क्लीं सौ:


ધન- ऊं ह्रीं क्लीं सौ:


મકર-ऊं ह्रीं क्लीं ह्रीं श्रीं सौ:


કુંભ- ऊं ह्रीं ऐं क्लीं श्रीं


મીન- ऊं ह्रीं क्लीं सौ:

હવે માત્ર વિચારોથી મોબાઈલ ફોન ઓપરેટ થશે !

બ્રેઈન વેવ્સ ડિરેક્ટર ટેકનોલોજીની કમાલ

તમે જ્યારે કંઈક નવું વિચારો છો ત્યારે તમારા મગજમાં બાયો-કેમિકલ રીએકશન પેદા થાય છે. મગજમાં સુક્ષ્મ બાયો-ઈલેક્ટ્રોમેગ્નેટીક વેવ્સ વહેતા થાય છે. તમારું ચેતાતંત્ર કાર્યરત બને છે. અત્યાર સુધી મગજનાં તરંગો એટલે કે બ્રેઈન વેવ વડે ગુનેગારોને પકડવા માટે બાય-ડિટેક્ટર વગેરેમાં ઉપયોગ સીમીત હતો. વાઈનાં દર્દીની ટ્રીટમેન્ટમાં અને ડાયોગ્નોસીસ માટે પણ 'બ્રેઈન વેવ્સ'નો ઉપયોગ થતો હતો. સાયન્સનું એક નવું શસ્ત્ર હવે ટેકનોલોજીનાં રંગે રંગાઈને સામાન્ય મનુષ્ય સુધી પહોંચવા આવી ગયું છે. હવે તમારા મગજનાં વિચારો એટલે કે બ્રેઈન વેવ્સની સ્થિતિ તમે તમારાં મોબાઈલનાં સ્ક્રીન ઉપર જોઈ શકશો. તમે મ્યુઝીક સાંભળો છો ત્યારે તમારું મગજ કેટલું કાર્યરત હોય છે અથવા મગજમાં કેવાં ભાવ-લાગણી પેદા થાય છે તે મોબાઈલ સ્ક્રીન પર જોઈ શકાશે. મનુષ્ય ધ્યાન એટલે કે મેડિટેશન કરે છે ત્યારે તે કેટલો ધ્યાનમગ્ન બની ચુક્યો છે તેનો ચીતાર પણ તમારાં મોબાઈલ ઉપર વિવિધ રંગો અને તરંગો વડે જાણી શકાશે. મોબાઈલ માટે તૈયાર થઈ રહેલા નવાં ગેઝેટનાં અન્ય પણ ઘણાં ઉપયોગો શોધી શકાય તેમ છે. પરંતુ આવા ટેકનોલોજી માર્વેલનાં પાયામાં જે ટેકનોલોજી કાર્યરત છે તેને 'હ્યુમન બેઈનવેવ ડિટેક્ટર' કહે છે. આ ટેકનોલોજીની તમારાં મોબાઈલ ફોન સાથે જોડાઈને કેવો રોમાંચ આપશે? જરા કલ્પના કરી જુઓ!
કદાચ ભવિષ્યનાં લગતાં ડિવાઈસને જોઈને તમને એમ થશે કે આવાં ડિવાઈસતો સાયન્સ ફિકશન ફિલ્મોમાં શોભે, પરંતુ હવે સડકો ઉપર બ્લ્યુ ટુથ હેડફોન કે સ્ટીરીયો ફોનની જગ્યાએ ‘x વેવ્સ'નો હેડફોન પહેરેલા લોકો ફરતાં જોવા મળશે. દેખાવમાં સામાન્ય હેડફોનથી ખાસ અલગ પણ નથી. એક વધારાની પટ્ટી કાનથી તમારાં કપાળમાં ્જ્યાં ચાંદલો કરો છો ત્યાં સુધી લાંબી થશે. ખાસ આઈ-ફોન માટે આ ગેઝેટ તૈયાર થયું છે. હેડફોન જેવાં દેખાતાં ડિવાઈસથી તમારાં મગજમાં ઉઠતાં તરંગો અને વિચારો, આઈ- આઈફોન વાંચી શકે છે. એપલ આઈફોન માટે તૈયાર થયેલ ટેકનોલોજી છેવટે તો દરેક મોબાઈલ વેચનાર કંપનીને પોતાનાં માટે પણ તૈયાર કરવી પડશે કારણકે અલ્ટીમેટલી તેને પણ મોબાઈલ-બજારમાં ટકી રહેવું જરૃરી છે. ડિવાઈસની ટેકનોલોજીનાં મુળીયા તપાસીએ તો, આ પ્રકારનાં ડિવાઈ માઈન્ડ કંટ્રોલીંગ ગેમ અથવા એનાથી ઉલટું માઈન્ડથી ગેમને કંટ્રોલ કરવા વપરાવાનાં છે. જેમાં એક હેડસેટ માથા પરથી પહેરવાનો છે જેનો એક સ્ટ્રેપ કપાળ સુધી લંબાશે. જેકપીન સાથે સંકળાયેલ વાયરને મોબાઈલ સાથે એટેચ કરી દો અને પછી.... તમારી દુનિયામાં ખોવાઈ જાવ.
ડિવાઈસ સાથે લાગેલા માઈક્રો સેન્સર ખોપરીમાં પસાર થતાં બ્રેઈન વેવ્સને ડિટેક્ટ કરશે. એનાલોગ સીંગ્નાસને ડીજીટલ સીગ્નલમાં ફેરવશે અને છેવટે આઈફોનનાં સ્ક્રીન ઉપર વિવિધ કલરોમાં તેને દર્શાવશે. જેવું તમારું મગજ કોઈ 'ટાસ્ક' કે 'કામ' પર સ્થીર થઈ જશે એવું જ મોબાઈલ સ્ક્રીન ઉપરનાં ગ્રાફીક્સ બદલાઈ જશે. આ ડેટા ઉપરથી તમે પોતે કોઈ કામમાં કેટલું 'કોન્સન્ટ્રેશન' રાખી શકો છો તેનું લેવલ તમે જાણી શકશો અથવા તમે તમારી જાતને કેટલાં પ્રમાણમાં 'રિલેક્સ' કરી ચુક્યા છો તે પણ જાણી શકશો. નવી ટેકનોલોજી બજારમાં મુકનાર PLX ડિવાઈસનાં પોલ બોયેરેમ્કુલ કહે છે કે ''બસ હવે ગણતરીનાં દિવસો બાકી છે. આવા ડિવાઈસ મેઈન સ્ટ્રીમ માર્કેટમાં પ્રવેશી જશે.'' અત્યારે આ બ્રેઈન ડિટેક્ટર ''એક્સ વેવ્સ''ની કિંમત ૧૦૦ અમેરીકન ડોલર જેટલી છે. પોલ લોચેરોનકુલ કહે છે. ''આખા બ્રહ્માંડમાં સૌથી જટીલ ચીજ હોય તો તે માનવીનું મગજ છે. મગજશક્તિ એટલે કે 'માઈન્ડ પાવર'ને દરરોજ ઉપયોગમાં લેવાય તેવી ટેકનોલોજીમાં પ્રથમવાર ઉપયોગ થઈ રહ્યો છે.'' આ શોધનો ફાયદો એ છે કે વ્યક્તિ કે ઉપભોકતાં તેમની જરૃરીયાત મુજબ નવા હાર્ડવેર અને સોફટવેરનો વિકાસ કરી શકશે. મગજને ટ્રેઈનીંગ એકસરસાઈઝ માટે પણ તેનો ઉપયોગ થઈ શકશે. ચોક્કસ સમયગાળામાં સ્ક્રીન ઉપર ઉછળતા બોલની ગતી વીધી તમે મગજથી કંટ્રોલ કરી શકશો. મગજને સતત કોઈ ચીજ પર સ્થીર કરવાની પ્રેક્ટીસ પણ આ ડિવાઈસથી થઈ શકશે. ડિઝાઈનર અને દીર્ઘદ્રષ્ટાઓ આટલેથી અટકવાનાં નથી.
ેએક્સવેવ આઈ ટયુન નામનો પ્રોગ્રામ, તમે મ્યુઝીક સાંભળતાં હો ત્યારે મગજમાં કેવાં સ્પંદનો પેદા થાય છે તે નોંધશે. તમને કેવું મ્યુઝીક વધારે માફક આવે છે તે નોંધશે. કેવાં સંજોગોમાં એટલે કે (ખાસ પ્રકારનાં બ્રેઈન સ્ટેજ વખતે) તમે કેવું મ્યુઝીક સાંભળો છો તેનું એનાલીસીસ કરશે છેવટે.... એકવાર તેને તમારી મનોસ્થિતિ પ્રમાણે ટયુન કર્યા બાદ મોબાઈલમાંથી તમારાં મૂડ પ્રમાણેનાં ગીતો કે મ્યુઝીક તમે ઓટોમેટીકલી સાંભળી શકશો. તમારો મૂડ બદલાતા મ્યુઝીકનો પ્રકાર પણ આપોઆપ બદલાઈ જશે. વિવિધ કંપનીઓ ''બ્રેઈન વેવ્સ ડિટેક્ટર''નો ઉપયોગ અલગ અલગ રીતે કરવા માંગે છે. માનસીક થાક અને હતાશામાં ડુબેલા લોકો તેનો ઉપયોગ 'રિલેક્સ' થવા માટે કરી શકશે. મનોરંજનનાં સાધનોમાં હવે તમારે રિમોટ કંટ્રોલ વાપરવા પડશે નહીં. ફક્ત વિચારોથી જ મોબાઈલ ફોન, ટી.વી., વિડિયો પ્લેયર, કોમ્પ્યુટર અને બીજી ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસોને કંટ્રોલ કરી શકશો. માઈન્ડ પાવરનાં સહારે વિવિધ ગેમ્સ રમી શકશો. બે સરખા બ્રેઈન વેવ્સ ઈમ્પ્રીન્ટ ધરાવતાં વ્યક્તિ આવા ડિવાઈસ વડે વધારે સારી રીતે સોસીયલ નેટવર્કીંગ કરી શકશે અથવા તમે જેની સાથે ચેટીંગ કરી રહ્યાં છો તેનો મુડ તમે આરામથી પારખી શકશો. તીરંદાજી અથવા રાઈફલ શુટીંગ કે લક્ષ્ય તાકવાની જ્યાં ખાસ જરૃર છે તેવી રમતો માટે 'ધ્યાન' કેન્દ્રીત કરવાની ટ્રેઈનીંગ તમે 'મગજ'ને આપી શકશો. ઉંઘમાં તમે તમે જાણી અને શીખી શકશો. ડિઝાઈનર અવનવાં ઉપયોગો શોધી રહ્યાં છે. બ્રેઈન ડિટેક્ટર ટેકનોલોજીને ક્યાં કામે લગાડવી તે દીશામાં તેમનાં દીમાગ ચાલી જ રહ્યાં છે.
દિમાગમાં શું ચાલી રહ્યું છે. તેનો ખ્યાલ મેળવવાનો પ્રયાસ જર્મન ન્યુરોલોજીસ્ટ હાન્સ બર્જરે કર્યો હતો. જેનાં ઉપરથી તેમણે હાલમાં મેડિકલ ક્ષેેેત્રે વપરાતાં ઈલેક્ટ્રીક-એન્સેફેલોગ્રાફ (EEG) અથવા જેને મેગ્નેટોએન્સેફોગેગ્રીફ કહે છે. તે MEG ની શોધ કરી હતી. નવાં એક્સ વેવ્સમાં આવા EEG જેવાં આઠ ન્યુરો સેન્સર લગાવેલા હશે. આંખો બંધ રાખીને તમે જાગૃત અવસ્થામાં હો ત્યારે મગજના ઓસીપીટલલોબ એટલે કે મગજના પાછળનાં ભાગમાં આલ્ફા વોસ પેદા થાય છે. ધ્યાન કે મેડિટેશન જેવી યોગા-એક્સરસાઈઝ વખતે 'આલ્ફા વેવ્સ' વધારે પેદા થાય છે. તમારી આંખો ખુલ્લી હોય, તમે શીથીલતા કે નિંદ્રાનો અનુભવ કરતાં હો તેવાં સમયે આલ્ફા વેવ્સની એકટીવીટી ઘટી જાય છે. મોટર કોર્ટક્ષ એટલે કે મગજનાં મધ્ય ભાગમાં જ્યાં હલનચલન પ્રક્રિયાઓ નિયમિત થાય છે ત્યાં આલ્ફા વેવ્સ જેવો 'મ્યુ' વેવ્સ મુક્ત થાય છે. જેવો મનુષ્ય મુવમેન્ટ કરે છે તેવો જ 'મ્યુ' વેવ્સમાં ઘટાડો નોંધાય છે. બાળક ત્રણ વર્ષનું ન થાય ત્યાં સુધી તેનાં મગજમાં 'આલ્ફા વેવ્સ' જોવા મળતાં નથી. વૈજ્ઞાાનિકોએ અત્યાર સુધી ત્રણ પ્રકારનાં આલ્ફા વેવ્સ પણ શોધી કાઢ્યા છે. આલ્ફા વેવ્સ વડે મગજની વિવિધ સ્થિતિ પણ જાણી શકાય છે. બ્રેઈન વેવ્સનાં સિગ્નલોની ફ્રિકવન્સી એટલે કે આવૃત્તિ ૦-૫૦ હર્ટઝ જેટલી હોય છે.
'એક્સ વેવ્સ'માં અલગ અલગ પ્રકારનાં બ્રેઈન વેવ્સને 'ડિટેક્ટ' કરવાં, શોધવા માટે ખાસ 'ડિટેક્ટર' લગાડેલાં હોય છે. ડેલ્ટા વેવ્સ તરીકે જાણીતાં તરંગો શીશુ અને પુખ્તવયની વ્યક્તિ જ્યારે ગાઢ નિંદ્રામાં હોય ત્યારે પેદા થાય છે. ડેલ્ટા વેવ્સનાં કારણે મગજ એક્ટીવ બને છે. મનુષ્ય જ્યારે ગાઢ નિંદ્રામાં હોય ત્યારે ડેલ્ટા વેવ્સનાં સીગ્નલોની સ્વીચ ઓન થાય છે જે શરીરમાં 'હ્યુમ્ન ગ્રોથ હોર્મોન્સ' નામનાં શારીરિક વિકાસ માટે જરૃરી અંતઃસ્ત્રાવને ઝરતાં કરે છે. બાળકો જ્યારે ઉંઘવાની શરૃઆત કરે અથવા મનુષ્ય જ્યારે લાગણીનાં કારણે તનાવ અનુભવતો હોય ત્યારે ''થિટા'' પ્રકારના તરંગો મગજમાં પેદા થાય છે. જેની આવૃત્તિ ૩.૫ થી ૬.૭૫ હર્ટઝ જેટલી હોય છે. આમ બ્રેઈન વેવ્સ ડિટેક્ટર 'વેવ્સ'ની ફ્રિકવન્સી વાંચીને જાણી શકે છે કે મનુષ્યનાં મગજની શું સ્થીતી છે. લો આલ્ફા વેવ્સ અને હાઈ આલ્ફા વેવ્સ. જ્યારે માનવી 'રિલેક્સ' મૂડમાં હોય ત્યારે પેદા થાય છે. જોકે આવા સમયે મગજ 'એલર્ટ' પણ હોય છે. સામાન્ય રીતે આ સ્થિતીમાં માનવી જાગતો પરંતુ આરામદાયક સ્થિતિમાં બેઠેલો કે આડો પડેલો હોય છે. ઉંઘમાં મનુષ્ય પહોંચી જાય ત્યારે આલ્ફા વેવ્સની જગ્યાએ 'બીટા' વેવ્સ વહેંતાં થાય છે. લો આલ્ફા વેવ્સની ફ્રિકવન્સી ૭.૫ થી ૯.૫૦ હર્ટઝ અને હાઈ આલ્ફા વેવ્સની ફ્રિકવન્સી ૧૦ થી ૧૧.૭૫ હર્ટઝ જેટલી હોય છે. મનુષ્ય કોઈ કામમાં રોકાએલો હોય, ખૂબ જ એલર્ટ હોય અથવા કોઈ જગ્યાએ 'ધ્યાન' કેન્દ્રીત કર્યું હોય, 'કોન્સન્ટ્રેશન' સો ટકા જેટલું હોય તેવાં સમયે લો બીટા અને હાઈ બીટા વેવ્સ પેદા થાય છે. જેની ફ્રિકવન્સી ૧૩થી ૧૬.૭૫ હર્ટઝ જેટલી હોય છે. બ્રેઈન વેવ્સની યાદીમાં છેલ્લો મેમ્બર છે ગામા વેવ્ઝ. ગામા વેવ્સનાં વૈજ્ઞાાનિકોએ બે ભાગ પાડયાં છે. લો ગામા અને મીડ ગામા. મનુષ્ય અત્યંત સભાન હોય, ખૂબ જ ઉચ્ચ કક્ષાની મેનલ એકટીવીટી કરતો હોય, ત્યારે ગામા વેવ્સ મુક્ત થાય છે. સભાનપણા એટલે કે ''કોન્સીપસનેસ''નો પર્યાય ગામા તરંગો છે. દવાખાનામાં ઓપરેશન વખતે એનેસ્થેશીયા આપવામાં આવે ત્યારે, ગામા વેવ્સ ગાયબ થઈ જાય છે. જેવાં ગામા વેવ્સ ગાયબ થઈ જાય કે ડૉક્ટર સમજી જાય છે કે દર્દી હવે બેભાન થઈ ગયો છે. મનુષ્યની આ ખામી કે ખુબીનો બ્રેઈન વેવ્સ ડિટેક્ટર સારી રીતે ઉપયોગ કરી શકે તેમ છે. માની લો કે તમે મોબાઈલ મારફતે મ્યુઝીક સાંભળતા જઈ રહ્યાં છો. માથા ઉપર 'એક્સ વેવ્સ' જેવું ડિટેક્ટર ડિવાઈસ લાગ્યું છે. રસ્તામાં તમને અકસ્માત થાય છે. લોકો ભેગા થઈ જાય છે. ગભરામણ કે ઈજાનાં દ્વારા તમે જેવાં બેભાન થઈ જાવ કે તરત મોબાઈલ સાયરન વડે આજુબાજુનાં લોકોને મોબાઈલ જ મેસેજ આપી દે કે ઘાયલ વ્યક્તિ બેભાન છે તેની સ્થીતી સારી નથી. મોબાઈલમાંથી આપમેળે ''ઈમરજન્સી સેવા'' પર ઓટો-ડાયલ પણ થઈ શકે અને ઈમરજન્સી પ્રિ-રેકોર્ડડ મેસેજ તેમને મળી જાય. મોબાઈલમાં GPRS સીસ્ટમ હોય તો, બેભાન વ્યક્તિનું લોકેશન પણ 'ઈમરજન્સી' સર્વીસ વાળા ટ્રેસ કરી જરૃરી સાધનો સાથે ત્યાં પહોંચી શકે. ટુંકમાં 'બ્રેઈન વેવ્સ ડિટેક્ટર' ટેકનોલોજીનાં ઉપયોગ અગણીત છે. જરૃર છે ડિઝાઈનરો તેને ક્યાં કામે લગાડવાની ગણતરી રાખે છે.
મોબાઈલમાં 'એક્સ વેવ્સ' સાથે 'એટેન્શન મીટર' પણ ફીટ કરવામાં આવેલ છે. જે બીટા વેવ્સ આધારીત છે. વિવિધ એપ્લીકેશન વડે તમે માઈન્ડ ગેમ રમી શકો છો અથવા તમારાં માઈન્ડ પાવર સાથે એક્સરીમેન્ટ પણ કરી શકો છો જેનું એનાલીસીસ, પરીણામ એટેન્શન મીટર આપે છે. કલાસરૃમમાં ભણવામાં ધ્યાન આપતા હોવાનો ડોળ કરનાર બેધ્યાન વિદ્યાર્થીને આ મીટર વડે શિક્ષકો પકડી પાડી શકે. મેડિટેશન મીટર તમારાં મગજનાં આલ્ફા વેવ્સ એક્ટીવીટી સાથે સંકળાયેલ છે. તમે ધ્યાન કરો તે 'સેસન' દરમ્યાન તમે ખરેખર કેટલાં સમય માટે ધ્યાનસ્થ થયાં અને કેટલાં પ્રમાણમાં 'ધ્યાન' લાગ્યું તેનો જવાબ મેડિટેશન મીટર આપી શકશે અને ખાસ વાત નવી ટેકનોલોજીવાળા 'બ્રેઈન વેવ્સ' ડિટેક્ટર તમારાં મગજનાં તરંગોને માત્ર સાંભળે જ છે કોઈ પણ પ્રકારનાં ઈલેક્ટ્રોમેગ્નેટીક વેવ્સ પ્રસારીત કરતાં નથી કે સીગ્નલ મોકલતા નથી માટે મગજ માટે ૧૦૦ ટકા સલામત છે. અત્યારે તો 'બ્રેઈન વેવ્સ ડિટેક્ટર' ટેકનોલોજી મોબાઈલ ફોન માટે આવી રહી છે. પરંતુ યાદ રાખો અન્ય ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોમાં પગપેસારો થાય તે માટે એન્જીનીયરો અને વૈજ્ઞાાનિકો ક્યારનાય દિમાગ અને ટેકનોલોજીનાં દરવાજા ''પબ્લીક યુઝ'' માટે ખોલી ચુક્યાં છે.

૨૦૧૨માં આવનારા અવનવા મશીનો અને મટીરિઅલ...!

૨૦૧૨માં પેટ્રોલનું સ્થાન આઈસોબ્યુટેનોલ લેશે...! દાંતની રૃટ કેનાલ સારવાર માટે ગરમી અને સોનિક વાઈબ્રેશનનો ઉપયોગ થશે ! ધાતુના રોબેટને બદલે પ્લાસ્ટિકના હાથવાળા રોબોટ
તૈયાર થશે...!
દર્દી જેવું વિચારશે
એ રીતે આસપાસના સાધનો કામ કરશે...! આ બધી જ શોધો
૩૫ વર્ષથી ઓછી
ઊંમરના વૈજ્ઞાાનિકોએ કરી છે...!

પ્રાચીન સમયના વૈજ્ઞાાનિકો દાઢીવાળા અને લાંબા વાળ ધરાવતા પ્રૌઢ વ્યક્તિઓ હતા. અદ્યતન સાધનોના અભાવને કારણે શોધ કરતાં કરતાં વર્ષો નીકળી જતા હવે પરિસ્થિતિ બદલાઈ છે.
પાંત્રીસ વર્ષથી નીચેના અનેક યુવાનોએ અદ્ભૂત શોધ કરી છે. બાયોટેકનોલોજી, ઓટોમોબાઈલ કે તબીબી ક્ષેત્રે અનેક શોધોનો યશ ૩૦-૩૫ વર્ષના યુવાન વૈજ્ઞાાનિકોને જાય છે. ભારતના અનેક સોફટવેર ઈજનેરો કોમ્પ્યુટર ક્ષેત્રે અથાગ પ્રયત્ન કરી નાની નાની ચિપ્સ અને રોમાંચક સોફટવેર તૈયાર કરી રહ્યા છે આવા અનેક યુવાન વૈજ્ઞાાનિકોમાંથી થોડાંયુવાનોની અતિ અદ્યતન શોધો જોઈએ. ૩૧ વર્ષીય એવી મુકનિકે વાદળો આધારિત મલ્ટિમીડિઆ એડિટીંગ સોફટવેર તૈયાર કર્યું છે. આ વૈજ્ઞાાનિક માને છે. દરેક વ્યક્તિએ આર્ટિસ્ટ થયું હોય છે. મેનહટનમાં બેસી તેઓ ફ્રી વેબ-આધારિત સોફ્ટવેર તૈયાર કરે છે. આ સોફ્ટવેર જાતજાતના દ્રશ્યો અને અવાજ ઊત્પન્ન કરે છે. તમે ફોટોગ્રાફ સાથે જાતજાતની ટ્રિક કરી શકો છો અને અવનવા મલ્ટીટ્રેક સાઉન્ડ તૈયાર કરી શકો છો. તેમના સોફ્ટવરેમાં તૈયાર વાદળ આધારિત દ્રશ્યો છે. જે સૌ કોઈ વાપરી શકે છે.
૨૯ વર્ષીય મિખાઈલ શેપિરો બાયોટેકનોલોજી ક્ષેત્રે ન્યુરોટેકનોલોજીનું કમર્શીઅ લાઈઝેશનકરી રહ્યા છે. ૨૦૦૧માં તેમણે ''ક્વારિપ્લેજીક'' દર્દીઓ માટે એવા સાધનો બનાવ્યા હતા જેને દર્દી પોતાના વિચારો દ્વારા કામ કરાવી શકતો હતો. દર્દી એવું વિચારેકે મારી વ્હીલચેર રસોડા તરફ જવી જોઈએ તરત જ એક સોફ્ટવેર આ વિચારનું વર્ગીકરણ કરી ચેરકારનું રસોડાના માર્ગે મોકલવાનું કામ શરૃ કરી દે..! ત્યારબાદ ૨૦૦૮માં ન્યુરોટેકનોલોજી ક્ષેત્રે નવા સોફ્ટવેર કર્યા તેમાંનું એક છે. ઔપ્ટોજીનેટિકસ. આ એક નવી પધ્ધતિ છે. જેમાં પ્રકાશનો ઉપયોગ કરી મગજને કાબુમાં રાખી શકાય છે.
નાસીકની ડેન્ટલ કોલેજના ફક્ત ૨૧ વર્ષની ઊંમરના સમીર જૈન પણ યુવા શોધકની ઉપલી હરોલમાં છે. દાંતની રૃટકેનાલ ટ્રિટમેન્ટની જુની પધ્ધતિ બદલી નવી પધ્ધતિ દાખલ કરી છે. તેમનું રૃટકેનાલ મશીન સસ્તુ છે અને એવી સારવાર આપે છે નિષ્ફળ જતી નથી. ૨૦૦૯માં જ તેમણે Magik નામનું રૃટકેનાલ મશીન તૈયાર કર્યું. તેમાં હિટિંગ અને સોનિક વાઈબ્રેશનની વ્યવસ્થા છે. જે રૃટકેનાલ સારવારને ફેઈલ્યોર પ્રૂફ બનાવે છે. પરંપરાગત ટેકનિકમાં ગુટ્ટાપેર્ચા (gutta percha) ઠંડા વાતાવરણમાં ભરવામાં આવે છે. જેથી હવાના પરપોટા રહી જાય છે. નવી ટેકનીકમાં ગુટ્ટા પેર્ચા મેજીક વડે થ્રી-ડાઈમેન્શનલ સીલ ઊભુ કરે છે. ૬૦-૭૦ ડીગ્રીએ તાપમાને ગુટ્ટાપેર્યા આલ્ફા ફેઝમાં આવી સરસ વહે છે. મેજીક મશીન સોનિક વાઈબ્રેશન વડે એકસરીયો જથ્થો તૈયાર કરે છે. જેને કારણે એરસ્પેસ રહેતી નથી. વાઈબ્રેશનને કારણે ગુટ્ટા પેર્ચા કેનલની દિવાલ સાથે સરસ રીતે ચોંટી જાય છે. પરિણામે કોરોનલ સીલ અને લેટરલ સીલ વધુ સારા લાગે છે.
વિશ્વની આ પ્રથમ ટેકનીકમાં મેજીક મશીન ૩ પરિમાણવાળુ હોમોજીનસ પ્રવાહી સીલ તૈયાર કરે છે. જેને કારણે રૃટ કેનાલને ફરી ચેપ લાગતો નથી અને એન્ડોડોન્ટિક સારવારનું ધ્યેય સિદ્ધ થાય છે. આ પ્રકારથી સારવાર પામેલ દાંતમાં ફરી સડો લાગતો નથી અને દાંત ૧૦ વર્ષથી પણ વધુ સમય માટે ટકી રહે છે.
આ ટેકનીક કોઈપણ ડેન્ટિસ્ટ અપનાવી શકે છે અને ૧૦ ગણા ઓછા સમયમાં સારવાર પૂરી થાય છે. વળી સૌને ગમે એવી વાત એ છે સારવાર સસ્તી છે. મેજીક મશીન હજાર રૃપિયાનું થાય છે. જ્યારે પરંપરાગત મશીન ૧-૧.૨૫ લાખમાં મળે છે.
આજકાલ દરેક ક્ષેત્રે રોબોટની બોલબાલા છે પણ હવે પ્લાસ્ટિકના હાથવાળા રોબોટ શોધાઈ રહ્યા છે. બત્રીસ વર્ષીય આરોન ડૉલર અમેરિકા ખાતે મિકેનિકલ ઈજનેરી વિષયના પ્રોફેસર છે. તેમણે એક એવો રોબોટ બનાવ્યો છે. તેની આ રચના પ્લાસ્ટિકની છે. પ્લાસ્ટિકનો રોબોટિક હાથ વિવિધ પ્રકારની વસ્તુઓને પકડે છે અને તે પણ કશી ઈજા પહોંચાડયા વિના.
આમ તો રોબોટ બનાવવામાં આવે ત્યારે તેના હાથ ધાતુના બનાવવામાં આવે છે. હવે પ્લાસ્ટિક હાથ બનાવવા સસ્તા પડે છે અને તેને પ્રોસેસ કરવું પણ સસ્તુ પડે છે.
ડૉલરની ડિઝાઈનમાં પ્લાસ્ટિકની આંગળીઓ બનાવવામાં આવી છે. વસ્તુને તે ધીરેથી સ્પર્શે છે અને ત્યારબાદ ગ્રીપમાં લે છે. બીચ બૉલ હોય કે વાઈન ગ્લાસ કે પછી ટેલીફોન... એ દરેક વસ્તુને ઓળખે છે અને ધીરેથી પકડે છે.
ડૉલર એક બીબામાં સેન્સર અને કેબલ્સ ગોઠવે છે પછી એમાં વિવિધ પ્રકારના પ્લાસ્ટિક રેડે છે. આંગળી માટે, સાંધા માટે અને ફિન્ગરપેડ માટે જુદી જુદી ઘનતાવાળા પ્લાસ્ટિકનો તે ઉપયોગ કરે છે. એક વાર પ્લાસ્ટિક સખત થઈ જાય પછી તેને બીબામાંથી કાઢી એક આધાર પર ગોઠવે છે. પ્લાસ્ટિકથી બનેલા આ રોબોટિક હાથમાં માનવ-હાથ જેવી ફ્લેક્સીબિલિટી અને નરમાશ જોવા મળે છે. આવો હાથ 'પ્રોસ્થેટિક' તરીકે કામ કરી શકે કે નહિ તે અંગેની શોધ ચાલુ છે.
પેટ્રોલ, ડીઝલના ભાવો પતંગની માફક આકાશમાં ઊંચેને ઊંચે ઊડતા રહ્યા છે. પતંગ ક્યારેક તો કપાઈને નીચે આવે છે પણ આ બળતણનો ભાવ કપાયેલા પતંગને ફોલો કરતો નથી. પર્યાય રૃપે ઈથેનોલનો ઉપયોગ થઈ શકે પરંતુ પેટ્રોલિયમની લાઈનમાંથી તે પસાર થઈ શકતું નથી કારણ કે લો-એનર્જી-ડેન્સિટી ધરાવે છે.
બીજો પર્યાય આઈસોબ્યુટેનોસનો છે પણ જીવાણુંઓ વડે તે ઉત્પન્ન કરવું મુશ્કેલ છે. એટલે પીટર મીનહોલ્ડ નામના ૩૪ વર્ષીય વૈજ્ઞાાનિકે પીસ્ટના જીનોમને ''રિવાયર્ડ'' કર્યો. ગ્રીસ્ટમાંથી ઈથેનલ ઉત્પન્ન કરતાં જનીનને બહાર કાઢી ત્યાં આઈસોબ્યુટેનોલ ઉત્પન્ન કરતાં જનીનને ગોઠવી દીધો. ૨૦૦૫ની આ શોધને કારણે નવા પીસ્ટ સસ્તામાં બળતરણ તૈયાર કરવા માંડયા હવે તે ઘાસ અને લાકડાની ચીપમાંથી મળતી શર્કરા વડે આઈસોબ્યુટેનોલ બનાવવા માંગે છે. ૨૦૧૨માં માર્કેટમાં આ નવું બાયોફ્યુલ ધૂમ મચાવશે.

પૃથ્વી પર પ્રતિવર્ષ ૧.૫ ટકાના દરે જંગલો નષ્ટ થઈ રહ્યા છે.

વિસ્ફોટ જંગલોના સફાયા માટે જવાબદાર

વિશ્વની ઝડપથી વધતી જતી વસ્તીએ અમૂલ્ય જંગલોનો મોટા પ્રમાણમાં નાશ કર્યો છે. શહેરો અને ગામડાઓ નવા બન્યા, ખેતી માટે વધુ જમીન મેળવવા ઉદ્યોગો સ્થાપવા, વાહન વ્યવહારના વિકાસ માટે બળતણ ઈમારતી લાકડું કે પછી ઉદ્યોગો માટેનો કાચો માલ મેળવવા માટે જંગલો બેફામ રીતે કપાયા છે.
વિશ્વખેતી સંસ્થાના મત મુજબ હાલમાં પણ પૃથ્વીની સપાટી પરથી પ્રતિ વર્ષ ૦.૬% થી ૧.૫%ના દરે જંગલો ઘટતા જાય છે. ભારતમા હિમાલય વિસ્તારમાં જંગલોના વિનાશથી વાતાવરણ પધ્ધતિમાં ખૂબ મોટું નુકશાન થઈ રહ્યું છે. ગુજરાતમાં પ્રતિવર્ષ ૨૭૦ લાખ ઘનમીટર લાકડુ બળે છે.
અગ્નિ એશિયાઈ દેશોમાં અને ફીલીપાઈનમાં એક લાખ હેક્ટર વિસ્તારમાં પ્રતિવર્ષ કરોડ જેટલા વૃક્ષોનું છેદન થાય છે. આની આબોહવા પર પ્રતિકૂળ અસર જન્મી છે. ઋતુઓમાં થતા ફેરફાર પર પણ વિકૃત અસર થઈ રહી છે.
આપણે ત્યાં હજારો ટનના હીસાબે લાકડા વાપરવામાં આવ્યા જેનાથી રાષ્ટ્રિય સંપતિ જંગલોને પારાવાર નુકશાન થયું છે. આપણા દેશમાં ૩૫ વર્ષથી બેફામ વૃક્ષો કતલ થતા રહે છે. પરિણામે દેશની ૩૩% ધરતીને બદલે ૨૩% ધરતી પર જ જંગલો રહ્યા છે. ગુજરાતમાં તો માત્ર ૮% ધરતી પર જ જંગલો બચ્યા છે.
આફ્રીકનો ૯૦% લાકડાનો ઉપયોગ બળતણ તરીકે જ કરે છે. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાન અંદાજ પ્રમાણે એશિયનો ૧૫ કરોડ ગરીબ પ્રજા જંગલ બાળે છે. બ્રાઝીલે ૩૩% જંગલ ગુમાવ્યું છે. ૨૧મી સદીમાં બ્રાઝીલ સહારાનું રણ બની જાય તો નવાઈ નથી.
સરકારે ૧૯૫૨મા વન અંગેની રાષ્ટ્રિય નીતિ જાહેર કરી. આ નીતિમાં જ્યાં પણ શક્ય હોય ત્યાં વૃક્ષ વાવણી પર ભાર મુકવામાં આવ્યો. આ નીતિ દ્વારા રાષ્ટ્રમાં ૧/૩ જમીનનો ભાગ વન આવરણ નીચે સમાવવાનો હતો. ૧૯૮૧મા વન સંવર્ધન કાયદા અન્વયે જંગલ વિસ્તારની જમીન પણ મધ્યસ્થ સરકારની પરવાનગી સિવાય બીજા કોઈના ઉપયોગ માટે ન લેવી.
જંગલ વિસ્તારની જમીન વસ્તી વધારો અને ખેતીના કામ માટે ઉદ્યોગીકરણ, વાહનવ્યવહાર વગેરે માટે દબાણ વધતા ૪૩.૨૮ લાખ હેક્ટર જમીન ૧૯૫૧ થી ૧૯૮૦ના ગાળા વચ્ચે જંગલવાળી જમીન વપરાઈ ગઈ. પરિણામે જંગલોનો નાશ થતા પૂર, જમીનના ધોવાણ, ઘસારા, બંધમા કાદવનો ભરાવો થતા પર્યાવરણમાં અસમતુલા આવી.
માનવીએ ખેતીની સમૃધ્ધિ માટે જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગ કરીને વસુંધરાની હરિયાળી ખતમ કરી નાખી છે. હાઈબ્રીડ કપાસે તેમજ આધુનિક વિજ્ઞાાને ખેડૂતોને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા કરી નાખ્યો છે. જંતુનાશક દવાઓ છાંટયા પછી તે જમીનમાં મહિનાઓ, વર્ષો સુધી જળવાઈ રહે છે. જેમકે ડીડીટી, ૧૦ વર્ષ, ડાઈએલડીન ૮ વર્ષ, હેપ્ટાક્લોર અને સ્ટીનફેન ૪ વર્ષ, આલ્ડ્રીન ૩.૪ વર્ષ પછી પણ જમીનના પડમાં સૂક્ષ્મ પ્રમાણમાં તથા શાઈ એલ્ડ્રીનના સ્વરૃપે મળી આવે છે.
હાલમાં થયેલા સંશોધનો પ્રમાણે ફ્લોરીડામાં જંતુનાશક દવાઓ છાંટયા પછી એક મહીનામાં જ નાઈટ્રોફીકેશનની ક્રિયા આકરી પડે છે. જો આ ક્રિયા આકરી પડે તો ખેતીનું શું થાય? એ કલ્પી શકાય એમ છે.
પ્રદૂષણનાં દાવાનળે ખેડૂતોને ચિંતામાં મુકી દીધા છે. વધુ પડતા ખાતર, જંતુનાશકોના બેફામ ઉપયોગથી અનાજના દાણાની પોષણ ક્ષમતા ઘટી ગઈ છે.
ફેલાતા જતા રણવિસ્તારમાં વસ્તીવધારો પણ જવાબદાર છે. જમીનના ક્ષારો, પાણીનો અભાવ વગેરે કારણોથી આ વિસ્તારોની ઉપજ અને પેદાસમાં ઘટાડો થતો જોવા મળે છે.
સહારાનું રણ ૩૨૦૦ માઈલ લાંબુ અને ૩૫ લાખ ચોરસ માઈલ વિસ્તારવાળો ૬૦ હજાર વર્ષ પહેલા હરિયાળો પ્રદેશ હતો. આ વિસ્તારમાં નદીઓ વહેતી હતી અને જંગલો ઉગ્યા હતા. માણસોએ અવિચારી પણે જંગલો કાપી નાખ્યા. યુરોપમાં છેલ્લા હિમયુગનો અંત આવ્યો ત્યારે સહારાનો પ્રદેશ સુકાવા લાગ્યો. પરિણામે અહીંના પ્રાણી, મનુષ્યોએ સ્થળાંતર કર્યું.
કચ્છનો રણપ્રદેશ પણ દૂરના ભૂતકાળમા લીલાછમ વનશ્રીથી ઉભરાતો હતો. માનવીએ ૪૦% વધુ જંગલો કાપી નાખ્યા. અહિં પણ ભરપુર હરિયાળી હતી, સમૃધ્ધ બંદરો હતા. નિષ્ણાત કહે છે, આ તબક્કે વૃક્ષો વિપુલ પ્રમાણમાં વાવ્યા હોત તો કચ્છનો રણપ્રદેશ આજે હરિયાળો હોત...
વનશ્રીના આ પ્રચંડ વિનાશનું એક બીજું માઠું પરિણામ એ છે કે માટીને પકડીને રાખનાર વૃક્ષોના મૂળિયાનો લાભ જમીનને મળતો ન હોવાથી દર વર્ષે ચોમાસામાં ઉ.પ્રદેશ, બિહાર તેમજ બંગાળ વિનાશક પૂરથી પીડાય છે. અબજો ટન માટી નદીઓના કાંઠાઓ પરથી ધોવાય ને નદિમાં જાય છે. આ નદિઓ છિછરી બને છે અને પૂર અને આખરે ઘોડાપુરનું સ્વરૃપ ધારણ કરે છે.
દહેરાનની સેન્ટ્રલ આઈલ એન્ડ વાટર કાન્ઝરવેશન ઈન્ટીટયૂટ દ્વારા કરવામાં આવેલ સંશોધન દરમ્યાન જણાવ્યું છે કે વાઈન્ડર બ્રેકર કેપવન અવરોધક તરીકે બાગ-બગાચીમાં ઉગાડવામાં આવતા નિલગીરીના વૃક્ષો પર્યાવરણ માટે સહેજ પણ ઉપયોગી નથી. આ ઝાડ ભુગર્ભજળના સાધનોનો ઘટાડો કરે છે. ગયા વર્ષે મદ્રાસમાં પડેલ દુષ્કાળમાં નીલગીરીના વૃક્ષોને જવાબદાર ગણવામાં આવ્યા.
આપણા દેશમાં કાષ્ટકલા શ્રેષ્ઠ કક્ષાએ પહોંચ્યું છે અને ભારતની સંસ્કૃતિના પ્રચારકોએ પશ્ચિમમાં અફઘાનિસ્તાન અને પૂર્વમાં અગ્નિ એશિયાના દેશોમાં આ કાષ્ટકલાનો પ્રચાર કર્યો હતો.
ભારતની નદીઓના સર્વેક્ષણ પછી એમ જણાયું કે દેશની ૭૦% નદીઓના પાણી પીવાલાયક રહ્યા નથી. દેશના પ્રથમ શ્રેણીના ૪૮ અને બીજી શ્રેણીના ૬૬ શહેરો નદીઓમાં ગંદુ પાણી ઠાલવે છે. સાબરમતી દેશની સૌથી પ્રદૂષણવાળી નદી છે. કાનપુરની ૫૦ કિ.મી. સુધી નદિ કાંઠાની જીવનસૃષ્ટિ નાશ પામી છે. કેરાલાની ચલિવાર નદિ અને ચેરાફલ્યાની નદિની માછલીઓના પેટમાં પારાના ચિન્હો જોવા મળ્યા છે.
વિશ્વના દેશોની વાત કરીએ તો શિકાગો, લોસ-એન્જલસ, લંડન, ટોકીયો, પેરિસ વગેરે શહેરોમાં સવાર સાંજ નોકરીના સમયના કલાકો દરમ્યાન મોટર વાહનોમાંથી એટલો બધો અંગાર વાયુ બહાર ફેંકાય છે કે તે સમયે, પોલિસ પણ ગુંગળામણ અનુભવે છે. આથી તેમને પ્રાણવાયુના બાટલા રાખવાની સગવડ કરવી પડે છે.
પ્રદૂષિત હવાથી શ્વાસ નળીના રોગો થાય છે. ઝેરી વાયુઓથી ફેફસાનું કેન્સર થાય છે. પશ્ચિમના દેશો અમેરિકામાં નવા જન્મતા બાળકોના પહેલા પાણીના ઘૂંટડામાં 'સોમલ ઝેર' અંશ દેખાય છે. ભારતના જંતુનાશક દવાઓના વપરાશ બેફામ રીતે થાય છે. આપના દેશોમાં ચરબીના ૧ કિ.ગ્રા. દીઠ ૨૭.૩૨ મીલીગ્રામ ડી.ડી.ટી. ચરબીમાં ભળેલો જણાય છે.
અમેરિકા વિયેટનામના યુધ્ધમાં ખૂબ મોટા પ્રમાણમાં અનુ પ્રસ્ઘોટન કર્યું હતું. આજે પણ જમીન, વનસહિત કે પાક માટે વાઝણી બની છે. વૃક્ષોને ફક્ત પાન આવતા નથી. પશુપંખીઓનો નાશ થયો, તો વળી કેટલાક સ્થળાંતર કરીને ચાલ્યા ગયા. અમેરિકામાં વાયુ પ્રદૂષણથી પ્રતિવર્ષ ૫ અબજ ડોલરનું અનાજ ઓછું ઉત્પાદન થાય છે.

ચીનની આડોડાઈ કે આક્રમણ ?

ચીન ચારે બાજુથી નહીં પણ બધી બાજુથી આપણને ઘેરીને ભીંસ વધારી રહ્યું છે
અરૂણાચલ અને લડાખ ઉપરાંત જમ્મુ-કાશ્મીરની ૧૬૦૦ કી.મી. જમીન ઉપર દાવો કરી રહ્યું છે અને બ્રહ્મપુત્રા નદી ઉપર ૨૪ યોજનાઓ બાંધી રહ્યું છે
પાકિ-ચીની ભાઈ-ભાઈ ! હિન્દી-ચીની બાઈ-બાઈ !
ભાજપે સી.બી.આઈ અને જે.પી.સી.ના ગાફા ચુંથવાનું છોડીને ચીનની ધુસણખોરી સામે લડવા કોંગ્રેસને
જગાડીને એની પડખે ઉભવું જોઈએ

એ ‘‘ચીની હિન્દી બાઈ બાઈ’’ની વૃત્તિ રાખે છતાં આપણે જાણે કંગાળ, અશક્ત, અસહાય, ગરીબડા હોઈએ એમ ‘‘હિન્દી-ચીની ભાઈ ભાઈ’’ના રાસડા લીધા રાખીએ છીએ. (‘‘આપણે’’ એટલે આપણી સરકારો બાકી જનતા અને અખબારો તો ચીનની દાનતને સમજી ગયા છે.
આપણી સરકારે ૧૯૯૩માં પી.વી. નરસિંહરાવ વડાપ્રધાન હતા ત્યારે ચીન સાથે સરહદી શાંતિ અંગેના કરાર કરેલા. એ પછી ૧૯૯૬ લશ્કરી સંયુક્ત કવાયત અંગેના કરાર કરેલા.
એ પહેલાં મેહરના વખતથી પણ જુદા જુદા કરારો કરાતા રહ્યા હતા. ૧૯૯૩ના કરાર પછી આપણે દોઢડાહ્યા થઈને સરહદ ઉપરથી આપણા લશ્કરને પાછું ખેંચી લીઘું હતું. (આપણી ડરપોક બ્યુરોકસીની સલાહનું એ કામ છે અને આપણા મોટા ભાગના પ્રધાનો બ્યુરોકસીની સલાહ વિના એક ડગલું પણ આગળ કે પાછળ જઈ શકે તેવા નથી હોતા. આ બ્યુરોકસી હંમેશા ડરપોક રહી છે.)
ચીનની અવળચંડાઈ અને સામ્યવાદના વિસ્તારવાદનો આપણને ખરાબ અનુભવ થઈ ગયેલો હોવા છતાં આપણી અમલદારશાહીનો સલાહ અનુસાર આપણે સરહદો ઉપરથી લશ્કર ખસેડ્યું... એ આપણી મોટી ભૂલ હતી.
સરહદી શાંતિ કરાર પ્રમાણે ચીને પણ લશ્કર ખસેડવું જોઈએ પણ એણે ‘‘તિબેટ’’નું બહાનું બતાવીને લશ્કર નહીં ખસેડેલું.
આમ તો, ચીનની આપણા દેશમાં ધુસણખોરી ૧૯૫૦થી શરૂ થએલી પણ એ છમકલા જેવી ધુસણખોરી હતી. ૧૯૯૩ના કરાર ચીને આપણી પાસે કરાવ્યા પછી અને આપણું લશ્કર એ કરાર પ્રમાણે સરહદ પરથી ખસેડાયા પછી ચીને અરૂણાચલ પ્રદેશ અને લેહલડાખમાં ધુસણખોરી મોટા પાયે શરૂ કરી. (આને ‘‘ધુસણખોરી’’ ન કહેવાય પણ ચોખ્ખી ભાષામાં ‘‘આક્રમણ’’ જ કહેવાય. આપણી ડરપોક બ્યુરોકસી આ બાબતમાં પણ હળવાશ રાખવાની સલાહ આપતી હોય છે. આ ચીનની ધુસણખોરીના સમાચારો પણ બ્યુરોકસી છૂપાવીને દેશદ્રોહનું કામ કરતી હોય છે પરંતુ આપણા અખબારો ભંડો ફોડીને ચીનની ધુસણખોરીની વાત એ વખતે પણ શરૂમાં તો અને સરકાર નકારતી હોય છે પણ બીજા અખબારો પાછળ પડતા સરકારને ચીનની ‘‘ધુસણખોરી’’ કબુલવી પડે છે પરંતુ એમાંય આપણી સરકાર હળવાશનું વલણ રાખીને વાતને (ધુસણખોરીને) ગંભીર સ્વરૂપ નથી આપતી.
પરિણામે ચીન આપણને બધી બાજુથી ઘેરી લેવા આગળ વધે છે.
ચીનની આડોડાઈના છેલ્લા મહિનામાં અખબારોમાં આવ્યા છે પણ સરકારે છૂપાવવાનો પ્રયત્ન કર્યો છે એમાં એક સમાચાર બ્રહ્મપુત્રા નદી ઉપર ચીન દ્વારા બંધાતી યોજનાઓના છે.
બ્રહ્મપુત્રા નદી આપણી સરહદમાંથી પસાર થાય છે એમ ચીનની સરહદમાંથી પણ પસાર થાય છે અને બ્રહ્મદેશ એટલે મ્યામારમાંથી પણ પસાર થાય છે. આ રીતે જે નદી એક કરતાં વઘુ દેશોમાંથી પસાર થતી હોય એની ઉપર કોઈ પણ દેશ પોતાના હક્કથી એક પણ યોજના કરી શકે નહીં એવો આંતરરાષ્ટ્રીય નિયમ છે. (જેમ નદી વિષે એક જ દેશના જુદાજુદા રાજ્યોનો છે. દા.ત. નર્મદા નદી મઘ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી પસાર થાય છે.
હવે એની ઉપર આપણે બંધ બાંધવો હતો તો એ ત્રણેય રાજ્યોની આપણે મંજુરી લઈને એ ત્રણે રાજ્યોને યોગ્ય વળતર આપણે ગુજરાતે આપવું પડ્યું છે.)
ચીને એવા કોઈ નિયમની ઐસીતૈસી કરીને બ્રહ્મપુત્રા નદી ઉપર હાઈડ્રો પાવર ઈલેક્ટ્રીસીટી ઉત્પન્ન કરવાની ૨૪ ઠેકાણે યોજના કરી છે. એ પણ ચીનના વડાપ્રધાન વેન જિમ્બાવો ડિસેમ્બરમાં આપણા આંગણે આવેલા એ દરમ્યાન જ આ ૨૪ યોજનાઓ જાહેર કરેલી. (ચીનની ગુસ્તાખી જુઓ!)
ગયા વર્ષે આપણા નેશનલ ટેકનીકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને બ્રહ્મપુત્રા નદીની ચીનની સરહદમાં લગભગ ૬ જેટલી આવી યોજનાઓ પકડી પાડેલી. એ વખતે આપણી સરકારે એનો સખત વિરોધ પણ કરેલો. (બસ, પતી ગયું ! આપણા વિરોધને ગણકારે છે કોણ?) બ્રહ્મપુત્રા નદી ઉપર ચીન ઝાન્ગમુ નામની એક યોજના કરે છે એ ઘણી મોટી યોજના છે બાકી જે ૨૪ યોજનાઓ કરે છે એ એના પ્રમાણમાં નાની યોજનાઓ છે.
આપણી સરકાર એટલે આપણી બ્યુરોક્સી એવું સમજાવે છે (એ પણ ચીને આપેલા ખુલાસાના આધારે) કે આ યોજનાઓ એવી નાની છે કે આપણને નડતરરૂપ થાય તેમ નથી! (અરે, નડતરરૂપ થાય તેમ હોય કે ન હોય પણ કોઈ નિયમનો ભંગ કેમ થઈ શકે? અને આજે યોજના નાની છે એ કાલે મોટી કરે ત્યારે આપણે ક્યાં આડા આવવાના હતા? આ નાની યોજના માટે પણ ચીને આપણને પૂછવાની દરકાર ન કરી તો ત્યારે શું એ આપણને પૂછવા બેસશે?)
ચીન આ ૨૪ યોજનાઓ માટે બ્રહ્મપુત્રા નદીનું પાણી પોતાની તરફ વાળશે એની ચર્ચા આપણી સરકારના એક સેક્રેટરી કે.એમ. ચન્દ્રશેખરે કરેલી તો એવો નીવેડો આપેલો કે ચીનની એ પ્રવૃત્તિની સતત ચોકી રાખવી (એનો શું અર્થ ? આપણા કાશ્મીરમાં આપણી સરહદમાં પણ ચીને પચાવી પાડેલા કાશ્મીરના ભાગની નજદીક આપણી સરકાર ફક્ત સડક બાંધવાનું અટકાવી દીધેલું.
હજી છ મહિના પહેલાંનો જ આ બનાવ છે. કાં તો આપણી બ્યુરોક્સી ડરપોક છે એ ચોક્કસ અને એ પાછી ચીનની ફોડેલી હોય એવી શંકા પણ જાય!)
ખરેખર તો, આપણે ચીનની આ બધી યોજનાઓ બ્રહ્મપુત્રા નદી પર ચીન બાંધે છે એ બંધ જ કરાવવી જોઈએ.
બ્રહ્મપુત્રા નદી વિષે જે કરાર થએલા છે એમાં આવી કોઈ વાત જ નથી.
ચીન જે મોટામાં મોટો હાઈડ્રો પ્રોજેક્ટ બ્રહ્મપુત્રા નદી પર બાંધે છે એ ૫૧૦ મેગાવોટનો ઝાન્ગમુનો છે જે બ્રહ્મપુત્રા નદી ચીનની સરહદમાંથી ભારતની (આપણી) સરહદમાં પ્રવેશે છે ત્યાંથી ૫૪૦ કિ.મી. ઉપરના ભાગે છે. એ યોજનામાં વિજળી ઉત્પાદન કરતા ૬ જનરેટર બાંધવાના છે.
આપણે રસ્તા આપણી સરહદમાં બાંધીએ એનો વિરોધ ચીન કરે એટલે આપણે કામકાજ અટકાવી દઈએ અને રસ્તા ન બાંધીએ તો આપણે ચીનને પણ એમ કેમ અટકાવીએ નહીં ?
અરે, ગયા વર્ષે ઓક્ટોબરમાં જમ્મુ કાશ્મીર સરકારે બસના ઉતારુઓ માટે સરહદ નજીક છાપરૂં બાંધવાનું શરૂ કરેલું એનો વિરોધ કરવા ચીની સૈનિકો આપણી હદમાં ધુસી આવેલા અને આપણે કામકાજ અટકાવી દેવું પડેલું !
એ પહેલાં ૨૦૦૯માં નવેમ્બરમાં નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટી સ્કીમ નીચે આપણી સરકાર લેહથી ૨૦૦ કી.મી. દૂર દેમચોક નજદીક રસ્તો બાંધતી હતી એનો પણ ચીને વિરોધ કરેલો અને આપણે એ ગ્રામિણ રોજગારી યોજનાનું કામકાજ અટકાવી દેવું પડ્યું છે.
આમાં ચીનની દાદાગીરી તો છે જ પણ એ સાથે આપણી સરકારની (એટલે અમલદારશાહીની) નબળાઈ અને ડરપોકપણું પણ છે. કેન્દ્ર સરકારના ગૃહખાતાએ અને સંરક્ષણ મંત્રાલયે જમ્મુ કાશ્મીરના ચીફ સેક્રેટરીને જણાવ્યું છે કે લેહલડાખમાં કોઈ પણ નવું બાંધકામ એમને જાણ કર્યા વિના ન કરવું.
લેહના ડેપ્યુટી કમિશ્નર ટી. અંગચુક કહે છે કે, ‘‘અમે સરહદનું ઘ્યાન રાખતા લશ્કરના વિભાગને આની જાણ કરેલી અને એણે અમને મનાઈ કરી.’’
બસના ઉતારૂઓ માટેનું છાપરૂં કેન્દ્ર સરકારના બોર્ડર એરીયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ નીચે આપણી સરહદથી ૧૦ કી.મી. અંદર રૂપિયા ૧ લાખ ૮૦ હજારના ખર્ચે બાંધવામાં આવતું હતું તોય ચીને એનો વિરોધ કરેલો અને આપણે એ વિરોધને તાબે થઈ ગયેલા!
આપણી અમલદારશાહી ઉલટાની ચીનનો બચાવ કરતા કહે છે કે... આપણા આવા કૃત્યોના કારણે ચીનનું લશ્કર ઉશ્કેરાય છે અને એટલે એ આપણી સરહદમાં ધુસી આવે છે. (!)
આપણી સરકારે સરહદ ઉપર વિકાસના કાર્યો શરૂ કર્યા પછી ચીનની દાદાગીરી વધી ગઈ છે... એવું આપણી અમલદારશાહી કહીને ચીનનો બચાવ કરે છે અને આપણો વાંક કાઢે છે!
જ્યારે ચીન આપણી સરહદને અડકીને રસ્તો બાંધે, રેલવે બાંધે, સૈનિકોની જમાવટ કરે... એની સામે આપણી અમલદારશાહી વિરોધ કરવાના બદલે એનો બચાવ કરવા ઉપરાંત એને છૂપાવવાનો પ્રયત્ન કરે છે. દા.ત. ચીને ગીલગીટ-બાલ્ટીસ્તાનમાં પોતાના ૧૧,૦૦૦ સૈનિકો (લશ્કર)ની જમાવટ કરી છે એ સમાચાર ગયા ઓગસ્ટ મહિનામાં ન્યુયોર્ક ટાઈમ્સે આપ્યા હતા!
ગુણવંત છો. શાહ

હોય નહીં?
હાથીઓ માટે ગર્ભનિરોધક ગોળીઓ જોઈએ!
બંગાળની સરકારે કેન્દ્ર સરકાર પાસે હાથીઓમાં કુટુંબ નિયોજન કરવા હાથીઓ માટે ગર્ભનિરોધક ગોળીઓની માંગણી કરી છે.
એનું કારણ એ છે કે હમણાં બંગાળ સરકારે મોજણી કરાવી તો હાથીઓની સંખ્યા બંગાળમાં ૫૦૦ થઈ ગઈ હતી જે પાંચ વર્ષ પહેલાં ફક્ત ૧૫૦ જ હતી!
હવે હાથીઓની સંખ્યા વધે નહીં એ માટેનો ઉપાય બંગાળને ન સુઝતા તાત્કાલિક ઉપાય તરીકે હાથીઓમાં કુટુંબનિયોજન કરવા હાથીઓ માટે ગર્ભનિરોધક ગોળીની કેન્દ્ર સરકાર પાસે બંગાળ સરકારે માંગણી કરી છે!
હાથીઓ અંગેના નિષ્ણાંત દ્યુતિમન લાહિરી ચૌધરીનું સૂચન એવું છે કે.... આ કરતાં હાથીઓની નિકાસ ઉપર જે પ્રતિબંધ છે એ દૂર કરવો જોઈએ જેથી હાથીની બીજે જ્યાં જરૂર છે ત્યાં હાથી મોકલી શકાય.
એ કરતાં હાથીઓને તાલીમ આપીને ભારે વજનવાળો માલસામાન લઈ જવા લાવવાના કામમાં લેવા જોઈએ.
આબુ ઉપરના જૈનોના દેલવાડાના દેરાસરમાં જે આરસ છે એ એ રીતે જ હાથીઓ દ્વારા જ આબુ ઉપર લઈ જવાયો હતો.
બાકી હાથીઓની સંખ્યા આ રીતે ઘટાડવાનો કંઈ અર્થ નથી.
બાકી જો પશુઓ માટેની ગર્ભનિરોધક ગોળી હોય તો એ કૂતરાઓને પહેલાં આપવાની જરૂર છે.

હવે માત્ર વિચારોથી મોબાઈલ ફોન ઓપરેટ થશે !..

બ્રેઈન વેવ્સ ડિરેક્ટર ટેકનોલોજીની કમાલ

તમે જ્યારે કંઈક નવું વિચારો છો ત્યારે તમારા મગજમાં બાયો-કેમિકલ રીએકશન પેદા થાય છે. મગજમાં સુક્ષ્મ બાયો-ઈલેક્ટ્રોમેગ્નેટીક વેવ્સ વહેતા થાય છે. તમારું ચેતાતંત્ર કાર્યરત બને છે. અત્યાર સુધી મગજનાં તરંગો એટલે કે બ્રેઈન વેવ વડે ગુનેગારોને પકડવા માટે બાય-ડિટેક્ટર વગેરેમાં ઉપયોગ સીમીત હતો. વાઈનાં દર્દીની ટ્રીટમેન્ટમાં અને ડાયોગ્નોસીસ માટે પણ 'બ્રેઈન વેવ્સ'નો ઉપયોગ થતો હતો. સાયન્સનું એક નવું શસ્ત્ર હવે ટેકનોલોજીનાં રંગે રંગાઈને સામાન્ય મનુષ્ય સુધી પહોંચવા આવી ગયું છે. હવે તમારા મગજનાં વિચારો એટલે કે બ્રેઈન વેવ્સની સ્થિતિ તમે તમારાં મોબાઈલનાં સ્ક્રીન ઉપર જોઈ શકશો. તમે મ્યુઝીક સાંભળો છો ત્યારે તમારું મગજ કેટલું કાર્યરત હોય છે અથવા મગજમાં કેવાં ભાવ-લાગણી પેદા થાય છે તે મોબાઈલ સ્ક્રીન પર જોઈ શકાશે. મનુષ્ય ધ્યાન એટલે કે મેડિટેશન કરે છે ત્યારે તે કેટલો ધ્યાનમગ્ન બની ચુક્યો છે તેનો ચીતાર પણ તમારાં મોબાઈલ ઉપર વિવિધ રંગો અને તરંગો વડે જાણી શકાશે. મોબાઈલ માટે તૈયાર થઈ રહેલા નવાં ગેઝેટનાં અન્ય પણ ઘણાં ઉપયોગો શોધી શકાય તેમ છે. પરંતુ આવા ટેકનોલોજી માર્વેલનાં પાયામાં જે ટેકનોલોજી કાર્યરત છે તેને 'હ્યુમન બેઈનવેવ ડિટેક્ટર' કહે છે. આ ટેકનોલોજીની તમારાં મોબાઈલ ફોન સાથે જોડાઈને કેવો રોમાંચ આપશે? જરા કલ્પના કરી જુઓ!
કદાચ ભવિષ્યનાં લગતાં ડિવાઈસને જોઈને તમને એમ થશે કે આવાં ડિવાઈસતો સાયન્સ ફિકશન ફિલ્મોમાં શોભે, પરંતુ હવે સડકો ઉપર બ્લ્યુ ટુથ હેડફોન કે સ્ટીરીયો ફોનની જગ્યાએ ‘x વેવ્સ'નો હેડફોન પહેરેલા લોકો ફરતાં જોવા મળશે. દેખાવમાં સામાન્ય હેડફોનથી ખાસ અલગ પણ નથી. એક વધારાની પટ્ટી કાનથી તમારાં કપાળમાં ્જ્યાં ચાંદલો કરો છો ત્યાં સુધી લાંબી થશે. ખાસ આઈ-ફોન માટે આ ગેઝેટ તૈયાર થયું છે. હેડફોન જેવાં દેખાતાં ડિવાઈસથી તમારાં મગજમાં ઉઠતાં તરંગો અને વિચારો, આઈ- આઈફોન વાંચી શકે છે. એપલ આઈફોન માટે તૈયાર થયેલ ટેકનોલોજી છેવટે તો દરેક મોબાઈલ વેચનાર કંપનીને પોતાનાં માટે પણ તૈયાર કરવી પડશે કારણકે અલ્ટીમેટલી તેને પણ મોબાઈલ-બજારમાં ટકી રહેવું જરૃરી છે. ડિવાઈસની ટેકનોલોજીનાં મુળીયા તપાસીએ તો, આ પ્રકારનાં ડિવાઈ માઈન્ડ કંટ્રોલીંગ ગેમ અથવા એનાથી ઉલટું માઈન્ડથી ગેમને કંટ્રોલ કરવા વપરાવાનાં છે. જેમાં એક હેડસેટ માથા પરથી પહેરવાનો છે જેનો એક સ્ટ્રેપ કપાળ સુધી લંબાશે. જેકપીન સાથે સંકળાયેલ વાયરને મોબાઈલ સાથે એટેચ કરી દો અને પછી.... તમારી દુનિયામાં ખોવાઈ જાવ.
ડિવાઈસ સાથે લાગેલા માઈક્રો સેન્સર ખોપરીમાં પસાર થતાં બ્રેઈન વેવ્સને ડિટેક્ટ કરશે. એનાલોગ સીંગ્નાસને ડીજીટલ સીગ્નલમાં ફેરવશે અને છેવટે આઈફોનનાં સ્ક્રીન ઉપર વિવિધ કલરોમાં તેને દર્શાવશે. જેવું તમારું મગજ કોઈ 'ટાસ્ક' કે 'કામ' પર સ્થીર થઈ જશે એવું જ મોબાઈલ સ્ક્રીન ઉપરનાં ગ્રાફીક્સ બદલાઈ જશે. આ ડેટા ઉપરથી તમે પોતે કોઈ કામમાં કેટલું 'કોન્સન્ટ્રેશન' રાખી શકો છો તેનું લેવલ તમે જાણી શકશો અથવા તમે તમારી જાતને કેટલાં પ્રમાણમાં 'રિલેક્સ' કરી ચુક્યા છો તે પણ જાણી શકશો. નવી ટેકનોલોજી બજારમાં મુકનાર PLX ડિવાઈસનાં પોલ બોયેરેમ્કુલ કહે છે કે ''બસ હવે ગણતરીનાં દિવસો બાકી છે. આવા ડિવાઈસ મેઈન સ્ટ્રીમ માર્કેટમાં પ્રવેશી જશે.'' અત્યારે આ બ્રેઈન ડિટેક્ટર ''એક્સ વેવ્સ''ની કિંમત ૧૦૦ અમેરીકન ડોલર જેટલી છે. પોલ લોચેરોનકુલ કહે છે. ''આખા બ્રહ્માંડમાં સૌથી જટીલ ચીજ હોય તો તે માનવીનું મગજ છે. મગજશક્તિ એટલે કે 'માઈન્ડ પાવર'ને દરરોજ ઉપયોગમાં લેવાય તેવી ટેકનોલોજીમાં પ્રથમવાર ઉપયોગ થઈ રહ્યો છે.'' આ શોધનો ફાયદો એ છે કે વ્યક્તિ કે ઉપભોકતાં તેમની જરૃરીયાત મુજબ નવા હાર્ડવેર અને સોફટવેરનો વિકાસ કરી શકશે. મગજને ટ્રેઈનીંગ એકસરસાઈઝ માટે પણ તેનો ઉપયોગ થઈ શકશે. ચોક્કસ સમયગાળામાં સ્ક્રીન ઉપર ઉછળતા બોલની ગતી વીધી તમે મગજથી કંટ્રોલ કરી શકશો. મગજને સતત કોઈ ચીજ પર સ્થીર કરવાની પ્રેક્ટીસ પણ આ ડિવાઈસથી થઈ શકશે. ડિઝાઈનર અને દીર્ઘદ્રષ્ટાઓ આટલેથી અટકવાનાં નથી.
ેએક્સવેવ આઈ ટયુન નામનો પ્રોગ્રામ, તમે મ્યુઝીક સાંભળતાં હો ત્યારે મગજમાં કેવાં સ્પંદનો પેદા થાય છે તે નોંધશે. તમને કેવું મ્યુઝીક વધારે માફક આવે છે તે નોંધશે. કેવાં સંજોગોમાં એટલે કે (ખાસ પ્રકારનાં બ્રેઈન સ્ટેજ વખતે) તમે કેવું મ્યુઝીક સાંભળો છો તેનું એનાલીસીસ કરશે છેવટે.... એકવાર તેને તમારી મનોસ્થિતિ પ્રમાણે ટયુન કર્યા બાદ મોબાઈલમાંથી તમારાં મૂડ પ્રમાણેનાં ગીતો કે મ્યુઝીક તમે ઓટોમેટીકલી સાંભળી શકશો. તમારો મૂડ બદલાતા મ્યુઝીકનો પ્રકાર પણ આપોઆપ બદલાઈ જશે. વિવિધ કંપનીઓ ''બ્રેઈન વેવ્સ ડિટેક્ટર''નો ઉપયોગ અલગ અલગ રીતે કરવા માંગે છે. માનસીક થાક અને હતાશામાં ડુબેલા લોકો તેનો ઉપયોગ 'રિલેક્સ' થવા માટે કરી શકશે. મનોરંજનનાં સાધનોમાં હવે તમારે રિમોટ કંટ્રોલ વાપરવા પડશે નહીં. ફક્ત વિચારોથી જ મોબાઈલ ફોન, ટી.વી., વિડિયો પ્લેયર, કોમ્પ્યુટર અને બીજી ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસોને કંટ્રોલ કરી શકશો. માઈન્ડ પાવરનાં સહારે વિવિધ ગેમ્સ રમી શકશો. બે સરખા બ્રેઈન વેવ્સ ઈમ્પ્રીન્ટ ધરાવતાં વ્યક્તિ આવા ડિવાઈસ વડે વધારે સારી રીતે સોસીયલ નેટવર્કીંગ કરી શકશે અથવા તમે જેની સાથે ચેટીંગ કરી રહ્યાં છો તેનો મુડ તમે આરામથી પારખી શકશો. તીરંદાજી અથવા રાઈફલ શુટીંગ કે લક્ષ્ય તાકવાની જ્યાં ખાસ જરૃર છે તેવી રમતો માટે 'ધ્યાન' કેન્દ્રીત કરવાની ટ્રેઈનીંગ તમે 'મગજ'ને આપી શકશો. ઉંઘમાં તમે તમે જાણી અને શીખી શકશો. ડિઝાઈનર અવનવાં ઉપયોગો શોધી રહ્યાં છે. બ્રેઈન ડિટેક્ટર ટેકનોલોજીને ક્યાં કામે લગાડવી તે દીશામાં તેમનાં દીમાગ ચાલી જ રહ્યાં છે.
દિમાગમાં શું ચાલી રહ્યું છે. તેનો ખ્યાલ મેળવવાનો પ્રયાસ જર્મન ન્યુરોલોજીસ્ટ હાન્સ બર્જરે કર્યો હતો. જેનાં ઉપરથી તેમણે હાલમાં મેડિકલ ક્ષેેેત્રે વપરાતાં ઈલેક્ટ્રીક-એન્સેફેલોગ્રાફ (EEG) અથવા જેને મેગ્નેટોએન્સેફોગેગ્રીફ કહે છે. તે MEG ની શોધ કરી હતી. નવાં એક્સ વેવ્સમાં આવા EEG જેવાં આઠ ન્યુરો સેન્સર લગાવેલા હશે. આંખો બંધ રાખીને તમે જાગૃત અવસ્થામાં હો ત્યારે મગજના ઓસીપીટલલોબ એટલે કે મગજના પાછળનાં ભાગમાં આલ્ફા વોસ પેદા થાય છે. ધ્યાન કે મેડિટેશન જેવી યોગા-એક્સરસાઈઝ વખતે 'આલ્ફા વેવ્સ' વધારે પેદા થાય છે. તમારી આંખો ખુલ્લી હોય, તમે શીથીલતા કે નિંદ્રાનો અનુભવ કરતાં હો તેવાં સમયે આલ્ફા વેવ્સની એકટીવીટી ઘટી જાય છે. મોટર કોર્ટક્ષ એટલે કે મગજનાં મધ્ય ભાગમાં જ્યાં હલનચલન પ્રક્રિયાઓ નિયમિત થાય છે ત્યાં આલ્ફા વેવ્સ જેવો 'મ્યુ' વેવ્સ મુક્ત થાય છે. જેવો મનુષ્ય મુવમેન્ટ કરે છે તેવો જ 'મ્યુ' વેવ્સમાં ઘટાડો નોંધાય છે. બાળક ત્રણ વર્ષનું ન થાય ત્યાં સુધી તેનાં મગજમાં 'આલ્ફા વેવ્સ' જોવા મળતાં નથી. વૈજ્ઞાાનિકોએ અત્યાર સુધી ત્રણ પ્રકારનાં આલ્ફા વેવ્સ પણ શોધી કાઢ્યા છે. આલ્ફા વેવ્સ વડે મગજની વિવિધ સ્થિતિ પણ જાણી શકાય છે. બ્રેઈન વેવ્સનાં સિગ્નલોની ફ્રિકવન્સી એટલે કે આવૃત્તિ ૦-૫૦ હર્ટઝ જેટલી હોય છે.
'એક્સ વેવ્સ'માં અલગ અલગ પ્રકારનાં બ્રેઈન વેવ્સને 'ડિટેક્ટ' કરવાં, શોધવા માટે ખાસ 'ડિટેક્ટર' લગાડેલાં હોય છે. ડેલ્ટા વેવ્સ તરીકે જાણીતાં તરંગો શીશુ અને પુખ્તવયની વ્યક્તિ જ્યારે ગાઢ નિંદ્રામાં હોય ત્યારે પેદા થાય છે. ડેલ્ટા વેવ્સનાં કારણે મગજ એક્ટીવ બને છે. મનુષ્ય જ્યારે ગાઢ નિંદ્રામાં હોય ત્યારે ડેલ્ટા વેવ્સનાં સીગ્નલોની સ્વીચ ઓન થાય છે જે શરીરમાં 'હ્યુમ્ન ગ્રોથ હોર્મોન્સ' નામનાં શારીરિક વિકાસ માટે જરૃરી અંતઃસ્ત્રાવને ઝરતાં કરે છે. બાળકો જ્યારે ઉંઘવાની શરૃઆત કરે અથવા મનુષ્ય જ્યારે લાગણીનાં કારણે તનાવ અનુભવતો હોય ત્યારે ''થિટા'' પ્રકારના તરંગો મગજમાં પેદા થાય છે. જેની આવૃત્તિ ૩.૫ થી ૬.૭૫ હર્ટઝ જેટલી હોય છે. આમ બ્રેઈન વેવ્સ ડિટેક્ટર 'વેવ્સ'ની ફ્રિકવન્સી વાંચીને જાણી શકે છે કે મનુષ્યનાં મગજની શું સ્થીતી છે. લો આલ્ફા વેવ્સ અને હાઈ આલ્ફા વેવ્સ. જ્યારે માનવી 'રિલેક્સ' મૂડમાં હોય ત્યારે પેદા થાય છે. જોકે આવા સમયે મગજ 'એલર્ટ' પણ હોય છે. સામાન્ય રીતે આ સ્થિતીમાં માનવી જાગતો પરંતુ આરામદાયક સ્થિતિમાં બેઠેલો કે આડો પડેલો હોય છે. ઉંઘમાં મનુષ્ય પહોંચી જાય ત્યારે આલ્ફા વેવ્સની જગ્યાએ 'બીટા' વેવ્સ વહેંતાં થાય છે. લો આલ્ફા વેવ્સની ફ્રિકવન્સી ૭.૫ થી ૯.૫૦ હર્ટઝ અને હાઈ આલ્ફા વેવ્સની ફ્રિકવન્સી ૧૦ થી ૧૧.૭૫ હર્ટઝ જેટલી હોય છે. મનુષ્ય કોઈ કામમાં રોકાએલો હોય, ખૂબ જ એલર્ટ હોય અથવા કોઈ જગ્યાએ 'ધ્યાન' કેન્દ્રીત કર્યું હોય, 'કોન્સન્ટ્રેશન' સો ટકા જેટલું હોય તેવાં સમયે લો બીટા અને હાઈ બીટા વેવ્સ પેદા થાય છે. જેની ફ્રિકવન્સી ૧૩થી ૧૬.૭૫ હર્ટઝ જેટલી હોય છે. બ્રેઈન વેવ્સની યાદીમાં છેલ્લો મેમ્બર છે ગામા વેવ્ઝ. ગામા વેવ્સનાં વૈજ્ઞાાનિકોએ બે ભાગ પાડયાં છે. લો ગામા અને મીડ ગામા. મનુષ્ય અત્યંત સભાન હોય, ખૂબ જ ઉચ્ચ કક્ષાની મેનલ એકટીવીટી કરતો હોય, ત્યારે ગામા વેવ્સ મુક્ત થાય છે. સભાનપણા એટલે કે ''કોન્સીપસનેસ''નો પર્યાય ગામા તરંગો છે. દવાખાનામાં ઓપરેશન વખતે એનેસ્થેશીયા આપવામાં આવે ત્યારે, ગામા વેવ્સ ગાયબ થઈ જાય છે. જેવાં ગામા વેવ્સ ગાયબ થઈ જાય કે ડૉક્ટર સમજી જાય છે કે દર્દી હવે બેભાન થઈ ગયો છે. મનુષ્યની આ ખામી કે ખુબીનો બ્રેઈન વેવ્સ ડિટેક્ટર સારી રીતે ઉપયોગ કરી શકે તેમ છે. માની લો કે તમે મોબાઈલ મારફતે મ્યુઝીક સાંભળતા જઈ રહ્યાં છો. માથા ઉપર 'એક્સ વેવ્સ' જેવું ડિટેક્ટર ડિવાઈસ લાગ્યું છે. રસ્તામાં તમને અકસ્માત થાય છે. લોકો ભેગા થઈ જાય છે. ગભરામણ કે ઈજાનાં દ્વારા તમે જેવાં બેભાન થઈ જાવ કે તરત મોબાઈલ સાયરન વડે આજુબાજુનાં લોકોને મોબાઈલ જ મેસેજ આપી દે કે ઘાયલ વ્યક્તિ બેભાન છે તેની સ્થીતી સારી નથી. મોબાઈલમાંથી આપમેળે ''ઈમરજન્સી સેવા'' પર ઓટો-ડાયલ પણ થઈ શકે અને ઈમરજન્સી પ્રિ-રેકોર્ડડ મેસેજ તેમને મળી જાય. મોબાઈલમાં GPRS સીસ્ટમ હોય તો, બેભાન વ્યક્તિનું લોકેશન પણ 'ઈમરજન્સી' સર્વીસ વાળા ટ્રેસ કરી જરૃરી સાધનો સાથે ત્યાં પહોંચી શકે. ટુંકમાં 'બ્રેઈન વેવ્સ ડિટેક્ટર' ટેકનોલોજીનાં ઉપયોગ અગણીત છે. જરૃર છે ડિઝાઈનરો તેને ક્યાં કામે લગાડવાની ગણતરી રાખે છે.
મોબાઈલમાં 'એક્સ વેવ્સ' સાથે 'એટેન્શન મીટર' પણ ફીટ કરવામાં આવેલ છે. જે બીટા વેવ્સ આધારીત છે. વિવિધ એપ્લીકેશન વડે તમે માઈન્ડ ગેમ રમી શકો છો અથવા તમારાં માઈન્ડ પાવર સાથે એક્સરીમેન્ટ પણ કરી શકો છો જેનું એનાલીસીસ, પરીણામ એટેન્શન મીટર આપે છે. કલાસરૃમમાં ભણવામાં ધ્યાન આપતા હોવાનો ડોળ કરનાર બેધ્યાન વિદ્યાર્થીને આ મીટર વડે શિક્ષકો પકડી પાડી શકે. મેડિટેશન મીટર તમારાં મગજનાં આલ્ફા વેવ્સ એક્ટીવીટી સાથે સંકળાયેલ છે. તમે ધ્યાન કરો તે 'સેસન' દરમ્યાન તમે ખરેખર કેટલાં સમય માટે ધ્યાનસ્થ થયાં અને કેટલાં પ્રમાણમાં 'ધ્યાન' લાગ્યું તેનો જવાબ મેડિટેશન મીટર આપી શકશે અને ખાસ વાત નવી ટેકનોલોજીવાળા 'બ્રેઈન વેવ્સ' ડિટેક્ટર તમારાં મગજનાં તરંગોને માત્ર સાંભળે જ છે કોઈ પણ પ્રકારનાં ઈલેક્ટ્રોમેગ્નેટીક વેવ્સ પ્રસારીત કરતાં નથી કે સીગ્નલ મોકલતા નથી માટે મગજ માટે ૧૦૦ ટકા સલામત છે. અત્યારે તો 'બ્રેઈન વેવ્સ ડિટેક્ટર' ટેકનોલોજી મોબાઈલ ફોન માટે આવી રહી છે. પરંતુ યાદ રાખો અન્ય ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોમાં પગપેસારો થાય તે માટે એન્જીનીયરો અને વૈજ્ઞાાનિકો ક્યારનાય દિમાગ અને ટેકનોલોજીનાં દરવાજા ''પબ્લીક યુઝ'' માટે ખોલી ચુક્યાં છે.

ચીનની આડોડાઈ કે આક્રમણ ?

ચીન ચારે બાજુથી નહીં પણ બધી બાજુથી આપણને ઘેરીને ભીંસ વધારી રહ્યું છે
અરૂણાચલ અને લડાખ ઉપરાંત જમ્મુ-કાશ્મીરની ૧૬૦૦ કી.મી. જમીન ઉપર દાવો કરી રહ્યું છે અને બ્રહ્મપુત્રા નદી ઉપર ૨૪ યોજનાઓ બાંધી રહ્યું છે
પાકિ-ચીની ભાઈ-ભાઈ ! હિન્દી-ચીની બાઈ-બાઈ !
ભાજપે સી.બી.આઈ અને જે.પી.સી.ના ગાફા ચુંથવાનું છોડીને ચીનની ધુસણખોરી સામે લડવા કોંગ્રેસને
જગાડીને એની પડખે ઉભવું જોઈએ

એ ‘‘ચીની હિન્દી બાઈ બાઈ’’ની વૃત્તિ રાખે છતાં આપણે જાણે કંગાળ, અશક્ત, અસહાય, ગરીબડા હોઈએ એમ ‘‘હિન્દી-ચીની ભાઈ ભાઈ’’ના રાસડા લીધા રાખીએ છીએ. (‘‘આપણે’’ એટલે આપણી સરકારો બાકી જનતા અને અખબારો તો ચીનની દાનતને સમજી ગયા છે.
આપણી સરકારે ૧૯૯૩માં પી.વી. નરસિંહરાવ વડાપ્રધાન હતા ત્યારે ચીન સાથે સરહદી શાંતિ અંગેના કરાર કરેલા. એ પછી ૧૯૯૬ લશ્કરી સંયુક્ત કવાયત અંગેના કરાર કરેલા.
એ પહેલાં મેહરના વખતથી પણ જુદા જુદા કરારો કરાતા રહ્યા હતા. ૧૯૯૩ના કરાર પછી આપણે દોઢડાહ્યા થઈને સરહદ ઉપરથી આપણા લશ્કરને પાછું ખેંચી લીઘું હતું. (આપણી ડરપોક બ્યુરોકસીની સલાહનું એ કામ છે અને આપણા મોટા ભાગના પ્રધાનો બ્યુરોકસીની સલાહ વિના એક ડગલું પણ આગળ કે પાછળ જઈ શકે તેવા નથી હોતા. આ બ્યુરોકસી હંમેશા ડરપોક રહી છે.)
ચીનની અવળચંડાઈ અને સામ્યવાદના વિસ્તારવાદનો આપણને ખરાબ અનુભવ થઈ ગયેલો હોવા છતાં આપણી અમલદારશાહીનો સલાહ અનુસાર આપણે સરહદો ઉપરથી લશ્કર ખસેડ્યું... એ આપણી મોટી ભૂલ હતી.
સરહદી શાંતિ કરાર પ્રમાણે ચીને પણ લશ્કર ખસેડવું જોઈએ પણ એણે ‘‘તિબેટ’’નું બહાનું બતાવીને લશ્કર નહીં ખસેડેલું.
આમ તો, ચીનની આપણા દેશમાં ધુસણખોરી ૧૯૫૦થી શરૂ થએલી પણ એ છમકલા જેવી ધુસણખોરી હતી. ૧૯૯૩ના કરાર ચીને આપણી પાસે કરાવ્યા પછી અને આપણું લશ્કર એ કરાર પ્રમાણે સરહદ પરથી ખસેડાયા પછી ચીને અરૂણાચલ પ્રદેશ અને લેહલડાખમાં ધુસણખોરી મોટા પાયે શરૂ કરી. (આને ‘‘ધુસણખોરી’’ ન કહેવાય પણ ચોખ્ખી ભાષામાં ‘‘આક્રમણ’’ જ કહેવાય. આપણી ડરપોક બ્યુરોકસી આ બાબતમાં પણ હળવાશ રાખવાની સલાહ આપતી હોય છે. આ ચીનની ધુસણખોરીના સમાચારો પણ બ્યુરોકસી છૂપાવીને દેશદ્રોહનું કામ કરતી હોય છે પરંતુ આપણા અખબારો ભંડો ફોડીને ચીનની ધુસણખોરીની વાત એ વખતે પણ શરૂમાં તો અને સરકાર નકારતી હોય છે પણ બીજા અખબારો પાછળ પડતા સરકારને ચીનની ‘‘ધુસણખોરી’’ કબુલવી પડે છે પરંતુ એમાંય આપણી સરકાર હળવાશનું વલણ રાખીને વાતને (ધુસણખોરીને) ગંભીર સ્વરૂપ નથી આપતી.
પરિણામે ચીન આપણને બધી બાજુથી ઘેરી લેવા આગળ વધે છે.
ચીનની આડોડાઈના છેલ્લા મહિનામાં અખબારોમાં આવ્યા છે પણ સરકારે છૂપાવવાનો પ્રયત્ન કર્યો છે એમાં એક સમાચાર બ્રહ્મપુત્રા નદી ઉપર ચીન દ્વારા બંધાતી યોજનાઓના છે.
બ્રહ્મપુત્રા નદી આપણી સરહદમાંથી પસાર થાય છે એમ ચીનની સરહદમાંથી પણ પસાર થાય છે અને બ્રહ્મદેશ એટલે મ્યામારમાંથી પણ પસાર થાય છે. આ રીતે જે નદી એક કરતાં વઘુ દેશોમાંથી પસાર થતી હોય એની ઉપર કોઈ પણ દેશ પોતાના હક્કથી એક પણ યોજના કરી શકે નહીં એવો આંતરરાષ્ટ્રીય નિયમ છે. (જેમ નદી વિષે એક જ દેશના જુદાજુદા રાજ્યોનો છે. દા.ત. નર્મદા નદી મઘ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી પસાર થાય છે.
હવે એની ઉપર આપણે બંધ બાંધવો હતો તો એ ત્રણેય રાજ્યોની આપણે મંજુરી લઈને એ ત્રણે રાજ્યોને યોગ્ય વળતર આપણે ગુજરાતે આપવું પડ્યું છે.)
ચીને એવા કોઈ નિયમની ઐસીતૈસી કરીને બ્રહ્મપુત્રા નદી ઉપર હાઈડ્રો પાવર ઈલેક્ટ્રીસીટી ઉત્પન્ન કરવાની ૨૪ ઠેકાણે યોજના કરી છે. એ પણ ચીનના વડાપ્રધાન વેન જિમ્બાવો ડિસેમ્બરમાં આપણા આંગણે આવેલા એ દરમ્યાન જ આ ૨૪ યોજનાઓ જાહેર કરેલી. (ચીનની ગુસ્તાખી જુઓ!)
ગયા વર્ષે આપણા નેશનલ ટેકનીકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને બ્રહ્મપુત્રા નદીની ચીનની સરહદમાં લગભગ ૬ જેટલી આવી યોજનાઓ પકડી પાડેલી. એ વખતે આપણી સરકારે એનો સખત વિરોધ પણ કરેલો. (બસ, પતી ગયું ! આપણા વિરોધને ગણકારે છે કોણ?) બ્રહ્મપુત્રા નદી ઉપર ચીન ઝાન્ગમુ નામની એક યોજના કરે છે એ ઘણી મોટી યોજના છે બાકી જે ૨૪ યોજનાઓ કરે છે એ એના પ્રમાણમાં નાની યોજનાઓ છે.
આપણી સરકાર એટલે આપણી બ્યુરોક્સી એવું સમજાવે છે (એ પણ ચીને આપેલા ખુલાસાના આધારે) કે આ યોજનાઓ એવી નાની છે કે આપણને નડતરરૂપ થાય તેમ નથી! (અરે, નડતરરૂપ થાય તેમ હોય કે ન હોય પણ કોઈ નિયમનો ભંગ કેમ થઈ શકે? અને આજે યોજના નાની છે એ કાલે મોટી કરે ત્યારે આપણે ક્યાં આડા આવવાના હતા? આ નાની યોજના માટે પણ ચીને આપણને પૂછવાની દરકાર ન કરી તો ત્યારે શું એ આપણને પૂછવા બેસશે?)
ચીન આ ૨૪ યોજનાઓ માટે બ્રહ્મપુત્રા નદીનું પાણી પોતાની તરફ વાળશે એની ચર્ચા આપણી સરકારના એક સેક્રેટરી કે.એમ. ચન્દ્રશેખરે કરેલી તો એવો નીવેડો આપેલો કે ચીનની એ પ્રવૃત્તિની સતત ચોકી રાખવી (એનો શું અર્થ ? આપણા કાશ્મીરમાં આપણી સરહદમાં પણ ચીને પચાવી પાડેલા કાશ્મીરના ભાગની નજદીક આપણી સરકાર ફક્ત સડક બાંધવાનું અટકાવી દીધેલું.
હજી છ મહિના પહેલાંનો જ આ બનાવ છે. કાં તો આપણી બ્યુરોક્સી ડરપોક છે એ ચોક્કસ અને એ પાછી ચીનની ફોડેલી હોય એવી શંકા પણ જાય!)
ખરેખર તો, આપણે ચીનની આ બધી યોજનાઓ બ્રહ્મપુત્રા નદી પર ચીન બાંધે છે એ બંધ જ કરાવવી જોઈએ.
બ્રહ્મપુત્રા નદી વિષે જે કરાર થએલા છે એમાં આવી કોઈ વાત જ નથી.
ચીન જે મોટામાં મોટો હાઈડ્રો પ્રોજેક્ટ બ્રહ્મપુત્રા નદી પર બાંધે છે એ ૫૧૦ મેગાવોટનો ઝાન્ગમુનો છે જે બ્રહ્મપુત્રા નદી ચીનની સરહદમાંથી ભારતની (આપણી) સરહદમાં પ્રવેશે છે ત્યાંથી ૫૪૦ કિ.મી. ઉપરના ભાગે છે. એ યોજનામાં વિજળી ઉત્પાદન કરતા ૬ જનરેટર બાંધવાના છે.
આપણે રસ્તા આપણી સરહદમાં બાંધીએ એનો વિરોધ ચીન કરે એટલે આપણે કામકાજ અટકાવી દઈએ અને રસ્તા ન બાંધીએ તો આપણે ચીનને પણ એમ કેમ અટકાવીએ નહીં ?
અરે, ગયા વર્ષે ઓક્ટોબરમાં જમ્મુ કાશ્મીર સરકારે બસના ઉતારુઓ માટે સરહદ નજીક છાપરૂં બાંધવાનું શરૂ કરેલું એનો વિરોધ કરવા ચીની સૈનિકો આપણી હદમાં ધુસી આવેલા અને આપણે કામકાજ અટકાવી દેવું પડેલું !
એ પહેલાં ૨૦૦૯માં નવેમ્બરમાં નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટી સ્કીમ નીચે આપણી સરકાર લેહથી ૨૦૦ કી.મી. દૂર દેમચોક નજદીક રસ્તો બાંધતી હતી એનો પણ ચીને વિરોધ કરેલો અને આપણે એ ગ્રામિણ રોજગારી યોજનાનું કામકાજ અટકાવી દેવું પડ્યું છે.
આમાં ચીનની દાદાગીરી તો છે જ પણ એ સાથે આપણી સરકારની (એટલે અમલદારશાહીની) નબળાઈ અને ડરપોકપણું પણ છે. કેન્દ્ર સરકારના ગૃહખાતાએ અને સંરક્ષણ મંત્રાલયે જમ્મુ કાશ્મીરના ચીફ સેક્રેટરીને જણાવ્યું છે કે લેહલડાખમાં કોઈ પણ નવું બાંધકામ એમને જાણ કર્યા વિના ન કરવું.
લેહના ડેપ્યુટી કમિશ્નર ટી. અંગચુક કહે છે કે, ‘‘અમે સરહદનું ઘ્યાન રાખતા લશ્કરના વિભાગને આની જાણ કરેલી અને એણે અમને મનાઈ કરી.’’
બસના ઉતારૂઓ માટેનું છાપરૂં કેન્દ્ર સરકારના બોર્ડર એરીયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ નીચે આપણી સરહદથી ૧૦ કી.મી. અંદર રૂપિયા ૧ લાખ ૮૦ હજારના ખર્ચે બાંધવામાં આવતું હતું તોય ચીને એનો વિરોધ કરેલો અને આપણે એ વિરોધને તાબે થઈ ગયેલા!
આપણી અમલદારશાહી ઉલટાની ચીનનો બચાવ કરતા કહે છે કે... આપણા આવા કૃત્યોના કારણે ચીનનું લશ્કર ઉશ્કેરાય છે અને એટલે એ આપણી સરહદમાં ધુસી આવે છે. (!)
આપણી સરકારે સરહદ ઉપર વિકાસના કાર્યો શરૂ કર્યા પછી ચીનની દાદાગીરી વધી ગઈ છે... એવું આપણી અમલદારશાહી કહીને ચીનનો બચાવ કરે છે અને આપણો વાંક કાઢે છે!
જ્યારે ચીન આપણી સરહદને અડકીને રસ્તો બાંધે, રેલવે બાંધે, સૈનિકોની જમાવટ કરે... એની સામે આપણી અમલદારશાહી વિરોધ કરવાના બદલે એનો બચાવ કરવા ઉપરાંત એને છૂપાવવાનો પ્રયત્ન કરે છે. દા.ત. ચીને ગીલગીટ-બાલ્ટીસ્તાનમાં પોતાના ૧૧,૦૦૦ સૈનિકો (લશ્કર)ની જમાવટ કરી છે એ સમાચાર ગયા ઓગસ્ટ મહિનામાં ન્યુયોર્ક ટાઈમ્સે આપ્યા હતા!
ગુણવંત છો. શાહ

હોય નહીં?
હાથીઓ માટે ગર્ભનિરોધક ગોળીઓ જોઈએ!
બંગાળની સરકારે કેન્દ્ર સરકાર પાસે હાથીઓમાં કુટુંબ નિયોજન કરવા હાથીઓ માટે ગર્ભનિરોધક ગોળીઓની માંગણી કરી છે.
એનું કારણ એ છે કે હમણાં બંગાળ સરકારે મોજણી કરાવી તો હાથીઓની સંખ્યા બંગાળમાં ૫૦૦ થઈ ગઈ હતી જે પાંચ વર્ષ પહેલાં ફક્ત ૧૫૦ જ હતી!
હવે હાથીઓની સંખ્યા વધે નહીં એ માટેનો ઉપાય બંગાળને ન સુઝતા તાત્કાલિક ઉપાય તરીકે હાથીઓમાં કુટુંબનિયોજન કરવા હાથીઓ માટે ગર્ભનિરોધક ગોળીની કેન્દ્ર સરકાર પાસે બંગાળ સરકારે માંગણી કરી છે!
હાથીઓ અંગેના નિષ્ણાંત દ્યુતિમન લાહિરી ચૌધરીનું સૂચન એવું છે કે.... આ કરતાં હાથીઓની નિકાસ ઉપર જે પ્રતિબંધ છે એ દૂર કરવો જોઈએ જેથી હાથીની બીજે જ્યાં જરૂર છે ત્યાં હાથી મોકલી શકાય.
એ કરતાં હાથીઓને તાલીમ આપીને ભારે વજનવાળો માલસામાન લઈ જવા લાવવાના કામમાં લેવા જોઈએ.
આબુ ઉપરના જૈનોના દેલવાડાના દેરાસરમાં જે આરસ છે એ એ રીતે જ હાથીઓ દ્વારા જ આબુ ઉપર લઈ જવાયો હતો.
બાકી હાથીઓની સંખ્યા આ રીતે ઘટાડવાનો કંઈ અર્થ નથી.
બાકી જો પશુઓ માટેની ગર્ભનિરોધક ગોળી હોય તો એ કૂતરાઓને પહેલાં આપવાની જરૂર છે.

Sunday, January 30, 2011

સુખના સંકેત છે એ દુ:ખ.........







જ્યારે કોઈ વ્યક્તિ દુ:ખ અને સંકટથી બેહાલ થઈ જાય છે ત્યારે પોતાની માનસિક રીતે લાચાર મનોદશામાં ભગવાનને પણ જવાબદાર ગણે છે. પરંતુ હિંદુધર્મશાસ્ત્રોમાં દર્શાવવામાં આવેલી કેટલીક વાતો સુખ અને ભગવત્વકૃપાના સંકેત માનવામાં આવે છે. જાણીએ સુખનો પામવા માટે કેવા કેવા દુ:ખોનો સામનો કરવો પડે છે.

શ્રીમદભાગવતમાં જે ભગવાનની કૃપા મેળવનાર હોય છે તે ધનહીન અને ગરીબ થવા લાગે છે. પરિવારજનો તેની ઉપેક્ષા કરવા લાગે છે. પરિવારજનો પાસેથી તેને અલગાવનો અનુભવ થાય છે. ધન માટે કરેલી મહેનત બેકાર થઈ જાય છે. આ રીતે વારંવાર તેમને નિષ્ફળતા મળે છે. દુખી અને વિરક્ત મનોદશામાં જ તે વ્યક્તિ ભગવાનનું સ્મરણ કરે છે અને ભગવાનની શરણમાં આવે છે. જેનાથી તે વ્યક્તિ સુખ અને ચેનનો અનુભવ કરે છે.


એ પરિસ્થિતીમાં પસાર થતા સામાન્ય વ્યક્તિ ભગવાન અને ભક્તિને કઠિન માનીને બેચેન અને અશાંત રહે છે. જેનાથી દુખમાં ભગવાનના સુમિરન અને સુખમાં તેમને ભૂલવાના સત્યની પ્રતીત થાય છે. પરંતુ શ્રીમદભાગવતમાં દર્શાવવામાં આવેલી વાતો સાફ ઈશારા કરે છે કે વિપરીત અને ખોટી પરિસ્થિતીમાં વ્યક્તિએ હિંમત ન હારવી જોઈએ. જે સત્યની સ્થિતી છે તેને જ ભગવાનનું વિધાન અને ઘટિત થનારું હિત માનવું જોઈએ અને તેનો સ્વીકાર કરવો જોઈએ. ત્યાં જ સુખમાં ભગવાનમાં ધ્યાન આપીને તેનું સ્મરણ જરુર કરવું જોઈએ.

ચિંતા? ચિંતા ન કરો, અપનાવો આ બે પદ્ધતિ!!!

ચિંતા? ચિંતા ન કરો, અપનાવો આ બે પદ્ધતિ!!!


વ્યવહારિક જીવનમાં જુદા-જુદા પ્રકારની પરેશાનીઓ ચિંતા પેદા કરે છે. પરંતુ જ્યારે આ ચિંતાઓ દિલ-દિમાગમાં હાવી થઈ જાય ત્યારે વ્યક્તિની માનસિક સ્થિતિ અસ્થિર, અસંતુલિત અને તેના મનોબળને પણ કમજોર કરી દે છે. આવી સ્થિતિમાં નાની-નાની તકલીફો ખૂબ જ ગંભીર લાગવા લાગે છે. સતત ખરાબ વિચારો રહેવાથી મનની સાથે શરીર પણ કમજોર થવા લાગે છે. ધર્મની દ્રષ્ટિએ આ સ્થિતિ નૈરાશ્ય અર્થાત નિરાશા કહેવામાં આવે છે.

જો કે આવી પરિસ્થિતિઓ બુદ્ધિ, મન અને આધ્યાત્મિક શક્તિને નુકસાન પહોંચાડે છે. એટલે તેનાથી બહાર આવવા માટે તેની સાથે જોડાયેલી વ્યાવહારિક સમસ્યાઓને દૂર કરવાની સાથે તેનો ઉકેલ લાવવા માટે નીચે આપેલી બે વાતો પણ અપનાવવી જરૂરી છે.

મનોબળ નબળું ન થાયઃ-

નિરાશામાં ઘેરાયેલ વ્યક્તિ ઘણીવાર ભાગ્યને દોષ આપી કર્મ(કામ) કરવાનું બંધ કરી દે છે. જેનાથી નિષ્ફળતા મળી હોય તેનાથી તેનું મનોબળ તૂટી જાય છે. એટલા માટે જરૂરી છે કે મનને કોઈ એવા કામમાં પરોવો કે જે તમારા રસનું હોય, સાથે આત્મવિશ્વાસને વધારનારું હોય. મગજમાં સારા અને મનને શાંતિ આપનાર વિચારોને જગ્યા આપો. આ નાની-નાની બાબતોથી મનોબળની સાથે મગજની નિર્ણય ક્ષમતામાં પણ વધારો થાય છે.

ચિંતાથી ભયભીત ન થાઓઃ-

“ચિંતા ચિતા સમાન હોય છે” એટલે જુદા-જુદા પ્રકારના ડર અને અસુરક્ષાનો ભાવ પેદા થાય છે. એટલે શોક, અફસોસ, કાલ્પનિક અને નકારાત્મક વિચારોથી બચવું જરૂરી હોય છે તેથી તેને ટાળો. તેના સ્થાને હકારાત્મક અને વ્યવહારિક વિચારોને અપનાવો. ચિંતાના કારણોને એક-એક કરીને ઉકેલ લાવો. જો ચિંતા પોતાના ખોટા કામો સાથે જોડાયેલ હોય તો તેનો સ્વીકાર કરી અપરાધ બોધથી બચો.

આ બે પદ્ધતિથી ઉત્સાહ, પ્રેમ, શાંતિ, વિશ્વાસની સાથે મન અને બુદ્ધિબળ પ્રાપ્ત થાય છે અને નિરાશાની ખાઈઓમાંથી બહાર આવવું આસાન બને છે.




Related Articles:

કેમ દિવસ-રાત સુખ દુ:ખની ચિંતા સતાવ્યા કરે છે..
ફૂટી તકદીર....ચિંતા ન કરો શનિને ખુશ કરો..!!
બળ,બુદ્ધિ અને વિદ્યા માટે ધ્યાન કરો.....

source by:- divya bhaskar press

પુરાણમાં સુપ્રજનનશાસ્ત્ર........

જો બાળકો રાષ્ટ્રની ભાવિ પેઢી છે, તો તેને જન્મ આપનારી માતા એ રાષ્ટ્રની વિધાતા છે. ‘ઇશાવાસ્યમ્ ઇદમ્ સર્વમ્’ જેવા આર્ય સત્યમાં નિતાંત શ્રદ્ધાના અવતાર એટલે પ્રહ્લાદ!

‘ક્યાં છે, તારો ભગવાન?’ અસુર હિરણ્યકશિપુ પુત્ર પ્રહ્લાદને કડકાઇથી પૂછે છે. ભક્તરાજ નિર્ભયતાથી ઉત્તર વાળે છે, ‘પિતાજી, મારા ભગવાન શ્રી હરિ તો કણેકણમાં વસે છે’! અસુર સમ્રાટ એક થાંભલાને લાલચોળ તપાવીને પ્રશ્ન દોહરાવે છે, ‘શું આ સ્તંભમાં પણ?’ નિર્દોષ બાળક પૂરા આત્મવિશ્વાસથી ફરીથી કહે છે, ‘હા પિતાજી, આ ધગધગતા થાંભલામાં પણ’! પ્રહ્લાદના આ ઉત્તરથી છંછેડાયેલો રાક્ષસ એ લાલચોળ તપેલા સ્તંભ પર પોતાની ગદાથી પ્રહાર કરે છે અને એક મોટા કડાકા સાથે થાંભલો તૂટી પડે છે. પણ અહો આશ્ચર્ય! થાંભલામાંથી વિકરાળ ન્úસિંહ સ્વરૂપ પ્રગટ થાય છે. અસુર અને નરસિંહ રૂપધારી શ્રી હરિ વચ્ચે ઘોર યુદ્ધ થાય છે અને અંતે અસુર હણાય છે.

શ્રીમદ્ ભાગવતના સાતમા સ્કંધના પ્રથમ દસ અધ્યાયોમાં પ્રહ્લાદ ચરિત્રનું વર્ણન છે. હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ બંને ભાઇઓએ કઠોર તપ કર્યું અને બ્રહ્નાજી પાસેથી વરદાન મેળવ્યાં. બંનેનાં નામમાં જે સામાન્ય તત્વ છે, તે છે ‘હિરણ્ય.’ હિરણ્ય એટલે સોનું અથવા સંપત્તિ. જે માત્ર સત્તા કે સંપત્તિ મેળવવાના આશયથી તપ કરે, તેનું વરદાન પોતે જ અભિશાપ બની જાય! બીજી બાજુ, પ્રહ્લાદની નિર્દોષ-નિવ્ર્યાજ ભક્તિ, જેમાં ન કોઇ દંભ છે, ન અહંકાર. ‘ઇશાવાસ્યમ્ ઇદમ્ સર્વમ્’ જેવા આર્ય સત્યમાં નિતાંત શ્રદ્ધાના અવતાર એટલે પ્રહ્લાદ!

પ્રહ્લાદજીના જન્મ સાથે યુજેનિકસ અથવા સુપ્રજનનશાસ્ત્રનો સિદ્ધાંત જોડાયેલ છે. સતત પરપીડન વૃત્તિમાં રાચતા રહેતા હિરણ્યકશિપુ જેવા રાક્ષસના ઘરે ભક્તરાજ પ્રહ્લાદનું ઘોડિયું બંધાય તે કેવી નવાઇની વાત છે! પ્રહ્લાદની માતાનું નામ ક્યાધુ. જ્યારે હિરણ્યકશિપુ તપ કરવા ગયો હતો, ત્યારે દેવરાજ ઇન્દ્રે દાનવનગરી પર આક્રમણ કર્યું અને ક્યાધુને પકડી લીધી હતી. મહર્ષિ નારદે સગભૉ કયાધુને ઇન્દ્ર પાસેથી છોડાવીને પોતાના આશ્રમમાં આશ્રય આપ્યો.

જ્યાં ભક્તિ અને શ્રદ્ધાની ગંગા-યમુના સતત વહેતી હોય અને નારાયણ મંત્રનો નાદ અહર્નિશ ગુંજતો હોય તેવા સ્થળે પ્રહ્લાદને માતાના ગર્ભમાં જ ઉચ્ચ સંસ્કારો પ્રાપ્ત થયા. આવા બાળકની શ્રદ્ધાના દીપને હિરણ્યકશિપુનો અહંકાર કે ક્રોધ ચલિત કરી શકે ખરા? તપ-સાધનાથી શરીર અને મનોબળ વધે પણ ચારિત્રયનું નિર્માણ તો સત્સંગથી જ થાય. તપના પ્રભાવે બળમાં વધેલો પણ મદમાં છકેલો હિરણ્યકશિપુ પોતાના જ પુત્રના ભક્તિરૂપી બ્રહ્નાસ્ત્ર સામે પરાજિત થાય છે.

ગર્ભવતી સ્ત્રીને કેવું પર્યાવરણ મળવું જોઇએ, તે પ્રહ્લાદ ચરિત્રનો સાર-બોધ છે. માતાની ઉપેક્ષા અને અવહેલના કરનાર સમાજને શ્રેષ્ઠ સંતાનો મળવા અસંભવ છે. ઐતરેય ઉપનિષદ (૨/૧/૩)માં તો વંશ-વેલો વધારનાર માતાને ‘ભાવિયત્રી’ અને ‘ભાવિયતવ્યા’ જેવાં વિશેષણોથી નવાજી છે. ઋષિ કહે છે, ‘જે તમને જ પોતાના ગર્ભમાં ધારણ કરીને તમારો જ પુનરાવતાર કરે છે, તેવી સ્ત્રીનું પોષણ કરવું તમારું કર્તવ્ય છે.’ સમાજશાસ્ત્ર, આરોગ્ય વિજ્ઞાન અને અધ્યાત્મનો કેવો સુંદર સમન્વય! જો બાળકો રાષ્ટ્રની ભાવિ પેઢી છે, તો તેને જન્મ આપનારી માતા એ રાષ્ટ્રની વિધાતા છે.

વિકસિત રાષ્ટ્રોમાં ગર્ભવતી માતાના પોષણ માટે ખૂબ પ્રયાસો થાય છે. આપણે ત્યાં પણ માતા અને બાળ-કલ્યાણ માટે ઘણી યોજનાઓ છે. પરંતુ અહીં માત્ર શારીરિક પોષણની વાત નથી, માનસિક ને ભાવનાત્મક વિકાસ પણ ઘણો મહત્વનો છે. માતાના ગર્ભમાં શ્રેષ્ઠ જ્ઞાન મેળવનાર બ્રહ્નર્ષિ નારદથી લઇને એકલે હાથે કૌરવોના ચક્રવ્યૂહને ભેદનાર વીર અભિમન્યુ જેવાં અનેક ઉદાહરણો ભારતીય દર્શનમાં જોવા મળે છે.

માતા જીજાબાઇના વીરરસથી ભરેલાં હાલરડાંનો રસ પીનારા શિવાજી મહારાજ જેવા વીર યોદ્ધાની પ્રેરક ગાથા તો સાવ તાજી જ છે! માતાને દહેજ કે કન્યા વક્રિયના ખપ્પરમાં ધકેલનાર કે સોનોગ્રાફી દ્વારા ગર્ભસ્થ શિશુનું જાતિ પરીક્ષણ કરીને કન્યા ભ્રૂણ હત્યા કરનાર માણસ જાણે-અજાણ્યે રાષ્ટ્રદ્રોહના દોષનો ભાગીદાર બને છે. જ્યાંની ઋષિ પરંપરા આવા પાવન ચરિત્રોથી સમૃદ્ધ હોય, ત્યાં માતા અને બાળકનો દ્રોહ એ રાષ્ટ્રીય શરમ જ ગણાય!



જૈન ધર્મની મુખ્ય શાખાઓ...

જૈનોની દિગંબર શાખાની માન્યતા છે કે સ્ત્રીઓને મોક્ષ નથી મળી શકતો કારણ કે તેઓ વસ્ત્રોનો સંપૂર્ણ ત્યાગ કરી શકતી નથી. દિગંબરોના તીર્થંકરોની મૂર્તિઓ સંપૂર્ણ નગ્ન હોય છે.

જૈન ધર્મના મુખ્ય બે પંથ એટલે કે શાખા છે. એક દિગંબર અને બીજી શ્વેતાંબર. દિગંબર એટલે દિક્(દિશા) + અંબર(વસ્ત્ર), જેનો અર્થ છે નગ્ન. અપરિગ્રહ અને ત્યાગનું આ ચરમ ઉદાહરણ છે. દિગંબર સ્વરુપનો આશય એટલે સંપૂર્ણ ત્યાગ. સંપૂર્ણ ત્યાગ એટલે કોઇ પણ પ્રકારનો સંગ્રહ નહીં, શરીરના વસ્ત્રનો પણ ત્યાગ.

જૈનોની દિગંબર શાખાની માન્યતા છે કે સ્ત્રીઓને મોક્ષ નથી મળી શકતો કારણ કે તેઓ વસ્ત્રોનો સંપૂર્ણ ત્યાગ કરી શકતી નથી. દિગંબરોના તીર્થંકરોની મૂર્તિઓ સંપૂર્ણ નગ્ન હોય છે. દિગંબર શાખાના અનુયાયીઓ શ્વેતાંબરો દ્વારા માન્ય રાખવામાં આવેલા અંગ સાહિત્યને પણ પ્રામાણિક નથી ગણતા.

શ્વેતાંબરનો અર્થ છે ‘શ્વેત(વસ્ત્ર) છે વસ્ત્ર જેનું તે’.શ્વેતાંબર શાખાના અનુયાયી વસ્ત્રોના સંપૂર્ણ ત્યાગ અર્થાત્ નગ્નતાને વધારે મહત્વ નથી આપતા. તેમના જૈનાલયોમાં સ્થાપવામાં આવેલી મૂર્તિઓ નગ્ન નથી હોતી.

જૈન ધર્મમાં ત્રીજી એક ઉપશાખા સુધારવાદી સ્થાનકવાસીઓની છે, જેઓ મૂર્તિ પૂજાના વિરોધી છે. આ શાખા સરળ, સ્વચ્છ વ્યવહાર તથા સાદગીની સમર્થક છે. તો વળી તેમની જ એક ઉપશાખા તેર પંથીઓની છે જેઓ ઉગ્ર સુધારક છે.

જૈન ધર્મમાં તીર્થંકર..

જૈન ધર્મમાં જે ‘જિનો’ કે મહાત્માઓને તીર્થંકર કહેવમાં આવે છે, જેઓ આ સંસારના અસંખ્ય જીવોના તારણહાર બન્યા છે. કિનારાને તીર્થ કહેવાય છે. ધર્મરુપી તીર્થના પાલનકર્તા તીર્થંકર કહેવાય છે. જૈન ધર્મના તીર્થંકરો આ પ્રમાણે છે:

1. શ્રી ઋષભ દેવ
2. શ્રી અજિતનાથ
3. શ્રી સંભવનાથ
4. શ્રી અભિનંદન
5. શ્રી સુમતિનાથ
6. શ્રી પદમપ્રભુ
7. શ્રી પાશ્વનાથ
8. શ્રી ચંદ્રપ્રભ
9. શ્રી પુષ્પદંત
10. શ્રી શીતલનાથ
11. શ્રી શ્રેયાંસનાથ
12. શ્રી વાસુપૂજ્ય
13. શ્રી વિમલનાથ
14. શ્રી અનંતનાથ
15. શ્રી ધર્મનાથ
16. શ્રી શાંતિનાથ
17. શ્રી કુન્થુનાથ
18. શ્રી અરહનાથ
19. શ્રી મલ્લીનાથ
20. શ્રી મુનિ સુવ્રત
21. શ્રી નિમિનાથ
22. શ્રી અરિષ્ટનેમિ
23. શ્રી પાશ્વનાથ
24. શ્રી મહાવીર સ્વામી

આત્મા સાધનથી અસાઘ્ય, અનંત અને શ્રેષ્ઠ છે..........

અનુવાદ: એ સુવિદિત છે કે આ આત્મા અદ્રશ્ય, અચિંત્ય તથા અપરિવર્તનશીલ છે. આવું જાણ્યા પછી, તારે શરીર માટે શોક કરવો ન જોઈએ.

આપણી ભૌતિક ગણતરી માટે આત્મા એટલો સૂક્ષ્મ છે કે તેને અત્યંત શકિતશાળી સૂક્ષ્મદર્શક યંત્રથી પણ જોઇ શકાતો નથી, તે અદ્રશ્ય-અવ્યકત છે.

આત્માના અસ્તિત્વના સંબંધમાં કહી શકાય કે વૈદિક જ્ઞાનના પ્રમાણ સિવાય અન્ય કોઈ પ્રયોગ દ્વારા તેના અસ્તિત્વને સિદ્ધ કરી શકાતું નથી. કારણ કે અનુભવગમ્ય સત્ય હોવા છતાં આત્માના અસ્તિત્વને જાણવાનું અન્ય કોઈ સાધન નથી.

આત્મા ચેતના છે અને સચેતન છે એ વેદોનું કથન છે. આત્મામાં શરીરમાં થાય છે તેવા ફેરફાર થતાં નથી. સદા અવિકારી રહેતો આત્મા, અનંત પરમાત્માની તુલનામાં અનુરૂપ છે. પરમાત્મા અનંત છે અને અણુ આત્મા અતિ સૂક્ષ્મ છે. તેથી અતિ સૂક્ષ્મ આત્મા અવિકારી હોવાને લીધે, અનંત આત્મા એવા પરમેશ્વરનો સમકક્ષ કદાપિ થઇ શકે નહિ.

આ જ વિચાર, વેદોમાં જુદી જુદી રીતે આત્માના સ્થાયિત્વનું સમર્થન કરવા માટે પુન: પુન: વ્યકત થયો છે. આપણે કોઇ બાબતને સમજી શકીએ માટે એ બાબતનું પુનરાવર્તન કરવું જરૂરી બને છે.

જીવત્માઓ નિવારણ તથા અસ્તિત્વ માટે પરમાત્મા પર આધારિત છે. જીવાત્મા અને પરમાત્માની વરચે પ્રેમનો સંબંધ છે, પરંતુ જીવાત્મા આ ભૂલી ત્રિગૂણી માયાના બંધનમાં ફસાઇ ગયો છે.

માનવ જન્મ ખૂબ જ દુર્લભ છે અને આ સમયે જીવાત્મા પોતાની પરિસ્થિતિને ગ્રહણ કરી પરમાત્માની સાથે પોતાના સંબંધ ફરીથી બનાવવા જોઈએ. આને યોગ કહેવાય છે. બધા યોગમાં ભકિતયોગ સરળ તથા ઉત્તમ ફળદાયી છે. જેથી આપણે આ જપનું અનુસરણ કરી શકીએ.

હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે.

વ્યાસજીએ વેદરૂપ સમુદ્રનું બુદ્ધિરૂપી રવૈયાથી મંથન કરી તેમાંથી ગીતારૂપી અનુપમ નવનીત કાઢયું છે. આ નવનીતને જ્ઞાનરૂપી અગ્નિની વિચારરૂપી મંદ ઝાળ આપી ઉકાળવામાં આવતાં મનુષ્યને ગીતાનાં રહસ્યોનો તાગ મળે છે.

વૈરાગ્યવાન સદાસર્વદા જેની ઇચ્છા કરે છે, સંતો નિત્ય જેનું સેવન કરે છે અને બ્રહ્મનિષ્ઠ સુઘ્ધાં જેમાં વિહાર કરે છે તે તત્ત્વ સંસારીઓ માટે પણ સરળ અને સુલભ બને છે; ગીતાના અઘ્યયનથી. આકાશને ઢાંકી દેવું હોય તો આકાશથી વિશેષ મોટા થવું જોઈએ. ગીતાર્થની મહત્તાનું સ્વયં ભગવાન શંકરે વર્ણન કર્યું છે.

પાર્વતીજીએ કુતૂહલતાપૂર્વક પ્રશ્ન કરતાં ભગવાન શંકરે કહ્યું હતું, ‘હે દેવી જેમ તમારું સ્વરૂપ નિત્ય નવું હોવાથી તેનો પાર કોઈથી પમાતો નથી તેવી રીતે ગીતાતત્ત્વ નિત્ય નવું છે, એમ એનું શુદ્ધ સ્વરૂપ ગહન છે. જેની યોગનિદ્રામાંથી વેદ પ્રકટ થયા છે તે સર્વેશ્વરે સ્વમુખેથી અર્જુનને આ ગીતાનું કથન કર્યું છે.

આવી અગાધ ગીતા આગળ વેદ પણ સ્તબ્ધ બની જાય ત્યાં મારું શું ગજું? એ અપાર ગીતાનો પાર શી રીતે પામી શકાય? સૂર્યના તેજને કોણ ઉજજવળ બનાવી શકે તેમ છે? મુઠ્ઠીને ગગનમાં શી રીતે સમાવી શકાય?’ જ્ઞાનેશ્વરજી ગીતાના બીજા અઘ્યાયના પચીસમા શ્લોક માટે કહે છે: આત્મા તર્કશાસ્ત્રની દ્રષ્ટિથી દેખાય તેવો નથી.

મન તો તેનો મેળાપ કરવા માટે સદા તડપતું જ રહ્યું છે, હે અર્જુન! એ આત્મા મનને સદા દુર્લભ, સાધનથી સદા અસાઘ્ય, અનંત અને શ્રેષ્ઠ છે.

એ ત્રિગુણાતીત, અનાદિ, વિકારરહિત, સ્વરૂપાતીત અને વસ્તુમાત્રના સ્વરૂપમાં વ્યાપ્ત છે. હે અર્જુન! આ રીતે આત્માને સર્વવ્યાપી જાણીશ કે તત્કાળ શોકરહિત થઈશ.

તમારી જન્મકુંડળી જોઇ છે? તમે પણ ધનવાન થઇ શકો..

ભાગ્યેશ જેટલો બળવાન મનુષ્ય તેટલો વધુ ભાગ્યશાળી અને ધનવાન ગણાય. આવા જાતક પર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીના આશીર્વાદ હોય છે.


વિષ્ણુસ્થાનં ચ કેન્દ્રં સ્યાત્ લક્ષ્મી સ્થાનં ત્રિકોણકમ્તદીશ્યોશ્ય સંબંધાત્ રાજયોગ: પુરોહિત:


અર્થાત જન્મકુંડળીમાં કેન્દ્રસ્થાનના સ્વામી ભગવાન વિષ્ણુ છે ને ત્રિકોણસ્થાનનાં સ્વામિની લક્ષ્મી છે. જો જન્મકુંડળીમાં કેન્દ્ર, ત્રિકોણનો સંબંધ થાય તો રાજયોગ ઊભો થાય છે. આવા જાતક પર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીના આશીર્વાદ હોય છે. ભાગ્યસ્થાન એટલે ત્રિકોણસ્થાન ગણાય. ભાગ્યેશ જેટલો બળવાન મનુષ્ય તેટલો વધુ ભાગ્યશાળી અને ધનવાન ગણાય.


મનુષ્યના દરેક કર્મની પાછળ ધનનો હેતુ રહેલો છે. જીવનના દરેક સુખમાં ધન બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. કહેવત પણ છે કે નાણાં વગરનો નાથિયો નાણે નાથાલાલ. વિદ્યાપ્રાપ્તિનો મૂળ હેતુ પણ ધન છે. આજના યુવા માનસમાં સરસ્વતીનો નહીં પરંતુ લક્ષ્મીનો વાસ છે. દરેક વ્યક્તિની ઇચ્છા લક્ષ્મી મિત્તલ, બિલ ગેટ્સ થવાની છે,


પરંતુ જ્યોતિષ એવું કહે છે કે ધન-સંપત્તિનો મદાર-આધાર તમારું નસીબ અને ભાગ્ય છે, કારણ કે ભાગ્યથી પહેલાં અને ભાગ્યથી વધારે મળવાનું નથી અને તમારું ભાગ્ય કેટલું બળવાન છે? તે તમારી જન્મકુંડળી કહી શકે. કયારેક સમાન જન્મકુંડળીઓ હોય, બંને સરખો પરિશ્રમ કરતા હોય પરંતુ બંનેની આર્થિક સ્થિતિમાં આભ-જમીનનો ફેર હોય.


આમ જન્મકુંડળી ઉપરાંત પૂર્વજન્મનાં કર્મ પણ ખૂબ જ મહત્ત્વની બાબત બની જાય છે. આશ્ચર્યની વાત એ છે કે પૂર્વજન્મનાં કર્મનો આધાર પણ ગ્રહો જ છે. કોઇ પણ જાતકની આર્થિક પ્રતિષ્ઠા જાણવા જન્મકુંડળીમાં નીચેની બાબતોનું નિરીક્ષણ કરવું.


- જન્મકુંડળીનું બીજું સ્થાન ધનસ્થાન છે- એકાદશ સ્થાન અર્થાત્ જન્મકુંડળીનું લાભસ્થાન.- ભાગ્યસ્થાન એટલે નવમું સ્થાન કારણ કે ભાગ્યનો વિચાર ધન સંદર્ભે કરવો પડે.


ધનનો પ્રવાહ કેવો છે તે જાણવા (૧૧મા) લાભસ્થાનનો વિચાર કરીએ.


- જો જાતકની જન્મકુંડળીના લાભસ્થાનમાં ઉરચનો (કર્કનો) ગુરુ, સ્વગૃહી ગુરુ (ધન-મીન) સ્થિતિ હોય અને જો સાથે નેપ્ચ્યુન પણ હોય તો ધનનો પ્રવાહ સારો રહે છે.- લાભસ્થાનમાં ચંદ્ર-ગુરુની યુતિ અવિરત ધનપ્રવાહનું સૂચન કરે છે.- જો લાભસ્થાનમાં ધનેશ (બીજા સ્થાનનો માલિક) અને ભાગ્યેશની (નવમા સ્થાન) યુતિ હોય અગર ધનેશ-લાભેશ- ભાગ્યેશ એમ ત્રણ ગ્રહોની યુતિ લાભસ્થાનમાં જ હોય તો પ્રચુરમાત્રામાં ધન પ્રાપ્ત થાય છે.- જો લાભસ્થાનમાં વ્યયસ્થાનનો (૧૨મા સ્થાનનો) અધિપતિ હોય તો ભારે નુકસાન કરે.- જો લાભસ્થાનનો સ્વામી ગ્રહ કેન્દ્ર (૧-૪-૭-૧૦)સ્થાનમાં અગર ત્રિકોણ સ્થાનમાં (પાંચમા-નવમા) સ્થિત હોય તો ધનવાન બનવાના શ્રૈષ્ઠ યોગ થાય છે.- લાભસ્થાનનો અધિપતિ ગ્રહ જો જન્મ- કુંડળીના ૬ઠ્ઠા-૮મા-૧૨મા સ્થાનમાં હોય તો અગર લાભસ્થાનનો અધિપતિ ગ્રહ નીચ રાશિ અગર શત્રુ રાશિમાં હોય તો આવક અને ધનનો પ્રવાહ ઘટે છે.


હવે જન્મકુંડળીના ધનસ્થાન બાબત વિચારીએ. ધનસ્થાન એટલે જન્મકુંડળીનું બીજું સ્થાન. ધનસ્થાન પરથી ધનના સંગ્રહનો વિચાર કરવો જોઇએ. કુંડળીના બીજા સ્થાન પરથી ધન ઉપરાંત કુટુંબ, વાણી, વાકચાતુર્ય જેવી બાબતોનો વિચાર પણ કરવામાં આવે છે.


- ધનસ્થાનમાં ગુરુ-શુક્રની યુતિ હોય તો અઢળક ધનસંપત્તિ આવે.- જો લાભસ્થાનનો સ્વામી ધનસ્થાનમાં અને ધનસ્થાનનો સ્વામી ગ્રહ લાભસ્થાનમાં હોય તો અઢળક ધન પ્રાપ્ત થાય.- ધનસ્થાનનો સ્વામી ધનસ્થાનમાં જ હોય અગર કેન્દ્ર,ત્રિકોણસ્થાનમાં હોય તો વ્યક્તિ ધનવાન બને છે.- જન્મકુંડળીમાં લગ્ન પાંચમા, નવમા, અગિયારમા, દસમા અને બીજા સ્થાનના સ્વામી ગ્રહની યુતિ કેન્દ્ર અગર ત્રિકોણસ્થાનમાં હોય તો વ્યક્તિ અવશ્ય ધનવાન બને છે.- જન્મકુંડળીમાં ધનસ્થાનનો સ્વામી ગુરુ હોય અને કુંડળીમાં તે શનિ સાથે યુતિ કરતો હોય તો જાતક પાસે ધન ખૂબ જ આવે પરંતુ કંજૂસ પણ ખૂબ જ હોય છે.


ધનસ્થાન અને લાભસ્થાનની સ્થિતિનો વિચાર કર્યા બાદ ભાગ્યસ્થાનનો વિચાર અવશ્ય કરવો પડે, કારણ કે ભાગ્યમાં ધનનો યોગ હોય જ નહીં તો બધું જ વ્યર્થ કહેવાય. ભાગ્યસ્થાન જન્મકુંડળીનું નવમું સ્થાન છે. ભાગ્યસ્થાનનો સંબંધ ફક્ત ધન સાથે જ નહીં પરંતુ યશ, કીર્તિ, પ્રતિષ્ઠા, સુખ, ધર્મ, પિતા સાથે પણ સંબંધ ધરાવે છે.

જન્મકુંડળી સરખી : એક ગરીબ, જ્યારે બીજો અમીર..

મહાત્મા ગાંધીનો જન્મ પૂતળીબાઇની કૂખે થયો, તેજી બચ્ચનની કૂખે અમિતાભ બચ્ચન તો કૌશલ્યાના ઘેર રામ જેવા મહાન વિભૂતિ આત્માઓ અવતર્યા. ગાંધી, બચ્ચન, શ્રી રામ કે સચિન તેંડુલકરનો જન્મ થયો ત્યારે શું અન્ય બાળકોનો જન્મ નહીં થયો હોય? પરંતુ અન્ય બાળકો તેમની માફક મહાન બની શક્યા નહીં તેનું મૂળ કારણ તેમનાં સંચિત કર્મ. પૂર્વ જન્મનાં કર્મ અને આ જન્મનાં કર્મનો સરવાળો માનવીને ભાગ્યવાન અને ધનવાન બનાવે છે. જ્યારે આ હિસાબ બાદબાકી (માઇનસ)માં આવે ત્યારે વ્યક્તિ ભાગ્યહીન, નિર્ધન બને છે


સંચિત કર્મોની કમાલ - જન્મકુંડળી સરખી એક નિર્ધન બીજો ધનવાન


જ્યોતિષ એટલે જીવનમાં આશાની જ્યોતિ પ્રગટાવવાનું એક અદભૂત શાસ્ત્ર. જ્યોતિષ એટલે શ્રદ્ધા અને વિજ્ઞાનનો સમન્વય. આર્ષદ્રષ્ટા સહદેવ જ્યોતિષશાસ્ત્ર અને જન્મકુંડળીનો મર્મ નીચેના શ્લોક દ્વારા સમજાવે છે.


યસ્ય નાસ્તિ ખલુ જન્મપત્રિકાયા શુભાશુભ ફલ પ્રદાયિની અન્ધકં ભવતિ તસ્ય જીવિતંદીપહીનમિવ મંદિરં નિશિ


અર્થાત્ જેની પાસે શુભાશુભ ફળદર્શક જન્મપત્રિકા નથી તેનું જીવન અંધકારમય અને દીપક વિનાના અંધારાવાળા ઘર જેવું ભેંકાર ભાસે છે.


જ્યોતિષશાસ્ત્ર નવ ગ્રહ, ૧૨ રાશિ અને ૧૨ સ્થાનના સમન્વય દ્વારા તમારા ભાગ્યનું અર્થઘટન કરી તમારા ભાગ્યોદયની સાચી દિશા દર્શાવતું પવિત્ર શાસ્ત્ર છે. માનવીના ભાગ્યનો આધાર તેનાં સંચિત કર્મો અને ચાલુ જન્મના કર્મનો સરવાળો છે.


પૂર્વ જન્મનાં કર્મોના આધારે માનવીના નવા જન્મની યોનિ નક્કી થાય છે. એક જ તારીખ, સમય અને સ્થળે જન્મેલાં અસંખ્ય બાળકોની જન્મકુંડળી એકસરખી હોવા છતાં તે દરેકનું ભાગ્ય અને જીવન જીવવાના સંજોગો અલગ અલગ હોય છે.


મહાત્મા ગાંધીનો જન્મ પૂતળીબાઇની કૂખે થયો, તેજી બચ્ચનની કૂખે અમિતાભ બચ્ચન તો કૌશલ્યા ઘેર રામ જેવા મહાન વિભૂતિ આત્માઓ અવતર્યા. ગાંધી, બચ્ચન, શ્રી રામ કે સચિન તેંડુલકરનો જન્મ થયો ત્યારે શું અન્ય બાળકોનો જન્મ નહીં થયો હોય? પરંતુ અન્ય બાળકો તેમની માફક મહાન બની શક્યા નહીં તેનું મૂળ કારણ તેમનાં સંચિત કર્મ.


પૂર્વ જન્મનાં કર્મ અને આ જન્મનાં કર્મનો સરવાળો માનવીને ભાગ્યવાન અને ધનવાન બનાવે છે. જ્યારે સંચિત કર્મ અને આ જન્મનાં કર્મનો હિસાબ બાદબાકી (માઇનસ)માં આવે ત્યારે ભાગ્યહીન, નિર્ધન બને છે.


ગ્રહોના રહસ્ય, ગ્રહોની અગમ નિગમ ચાલ ગૂઢ, કઠિન અને અઘરી છે. એકસમાન જન્મકુંડળીઓ ધરાવતી વ્યક્તિઓનાં ભાગ્ય અને જીવન તદ્દન અસમાન હોય છે. સોફ્ટવેર કગિં બિલ ગેટ્સના નામથી કોણ અજાણ છે. તેમની જન્મકુંડળીમાં કેમદ્રુમ યોગ છે.


આ યોગ માનવીને દરિદ્ર, ભિખારી બનાવે છે. છતાં બિલ ગેટ્સ અબજોપતિ છે. અપવાદરૂપે આ કુંડળીને ગ્રહોની કમાલ ગણવી પડે.


બિલ ગેટ્સનો જન્મ થયો તે સમય, તારીખ અને સ્થળે અન્ય એક જાતકનો પણ જન્મ થયો પરંતુ તે ભાઇ અત્યારે અતિ દયનીય, દરિદ્ર, કરુણ અને દારુણ જીવન જીવે છે.


કહેવાનું તાત્પર્ય એટલું જ કે જન્મકુંડળીઓ ભલે એક સમાન હોય પરંતુ ભાગ્ય સદાય એક સરખું હોતું નથી. ભાગ્યની રચના માનવીના પૂર્વજન્મનાં કર્મ, સંચિત કર્મના આધારે થાય છે. જન્મકુંડળીઓ એકસમાન હોય પરંતુ ભાગ્ય અસમાન હોય એક ધનવાન બીજો નિર્ધન, એકને મળે નામ અને બીજો થાય બદનામ.


બસ જ્યોતિષશાસ્ત્રની આ જ કમાલ છે. અવલોકન અને સંશોધનના આ શાસ્ત્રમાં તમારું ભાગ્ય ક્યાં છુપાયેલું છે તે દર્શાવે છે તમારી જન્મકુંડળીના ગ્રહો અને તમારી કુંડળીના ગ્રહો એટલે તમારું ભાગ્ય અને ભાગ્ય એટલે સંચિત કર્મો + આ જન્મનાં કર્મોના સરવાળા બાદબાકી.